Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001541/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય વિકાસ મોંડલ ગ્રંથમાલા ગ્રંથાંક-૨૪. શ્રી વિજયસિ ંહસૂરિ વિરચિત ૧. સામ્યશતક (સાનુવાદ) તથા ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહાપાધ્યાય, શ્રી યશોવિજયજી વિરચિત ૨. સમતારશતક (સાથ ) પ્રયા જ જ કે : શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દાણી બી. એ. ain Education International पाण ज-दिवायरस्य नमो जो \\•[0p પ્ર કા શ ક : જૈન સાહિત્ય વિકાસ મંડળ ઇરલા, વીલેપારલે, મુખ–૫૬ (A. S.) For Private A personal Use Only library.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જન સાહિત્ય વિકાસ મંડલ પંથમાલા પ્રયાંક-૨૪ શ્રી વિજયસિંહસૂરિ વિરચિત ૧. સાભ્યશતક ( મા ) તથા ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહેપાધ્યાય, શ્રી યશોવિજયજી વિરચિત ૨. સમતાશતક (સાર્થ) પ્રયા જ ક : શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દેશી બી. એ. પ્ર ક શ કે : જૈન સાહિત્ય વિકાસ મંઠળ ઇરલા, વિલેપારલે, મુંબઈ-પ૬ (A. s. ) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્ર કા.શ કસનતકુમારૂ પી. ઉપાશ્ચાય સુધચાલહ મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, સ્વામી વિવેકાનંદ માગ ઇરલા, વિલેપારલે, મુંબઈ-પ૬ (A. s.) પ્રથમ આવૃત્તિ નકલ પ૦૦ મૂલ્ય રૂ. ૨૦૦૦ વિ. સં. ૨૦૨૮ ઈ. સ. ૧૭૧ ભાનુચન્દ્ર નાનચંદ મહેતા શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ પાલીતાણા (સૌરાષ્ટ્ર ) Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા , ૧, બે બેલ. પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિ પાંચ ૨. પ્રાફ-કથનશેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી નવ ૩. પ્રકાશકીય, શ્રી સુબોધચન્દ્ર નાનાલાલ શાહ સત્તર ૪. સામ્યશતક (સાનુવાદ) ૧-૦૯ ૫. સમતાશતક (સાથે) ૪-૭૬ * ૬. પરિશિષ્ટ-૧. સાગ્યશતક અને સમતાશતકનું-સામ્ય ૭૭-૭૮ ૭. પરિશિષ્ટ ૨. સામ્યશતકના પઘોની વણકમે સૂચી ૮૦-૨૫ ૮. શુદ્ધિપત્રક ૯ સંસ્થાનાં પ્રકાશનેની વિગતપૂર્ણ માહિતી ૮૩- Page #5 -------------------------------------------------------------------------- ________________ Raकास तण 2 (O) घायर वडला बम्बई Page #6 -------------------------------------------------------------------------- ________________ સેવાડીમંડન શ્રી શાન્તિનાથ ભગવાન (રાજસ્થાન) Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ 6 **...... .................... -----------. એ માલ superiornravpate • સાયશતક • અને સમતાશતક ” એ નામની લઘુકૃતિ આ પુસ્તકમાં પ્રકાશિત થાય છે. શબ્દની અપેક્ષાએ આ કૃતિએ નાની–પ્રમાણમાં અલ્પ છે, પણ અથની અપેક્ષાએ માટી, સમજવામાં અતિગભીર છે. - એકના કર્જા પૂર્વ શ્રી વિજયસિહસૂરિજી મહારાજ છે અને બીજાના કર્નો પૂ॰ ઉપાધ્યાય શ્રીયશાવિજયજી મહારાજ છે. પ્રથમ કૃતિની ભાષા સંસ્કૃત છે અને બીજીની ભાષા ગુજરાતી છે, અને કૃતિએ પદ્યાત્મક છે. ગુજરાતી કૃતિ સંસ્કૃત કૃતિના ભાવાનુવાદરૂપ હાવા છતાં તેમાં પૂ ઉપાધ્યાયજી મહારાજની સ્વતંત્ર પ્રતિભા ભળવાથી કાવ્ય ચમત્કૃતિના એક સુંદર નમુનારૂપ બનેલ છે અને વિષયને વધુ વિશદ કરે છે. સામ્ય અથવા સમતા એ શ્રી જિનશાસનનું પરમ રહસ્ય છે. બ્રહ્મવાદીઓને બ્રહ્મ, ઇશ્વરવાદીઓને ઇશ્વર અને કર્મવાદીઓને કમની ઉપાસનાનું જે મહત્ત્વ છે, તેવું જ ખકે તેથી પણ વધુ મહત્ત્વ શ્રી જિનશાસનમાં સામ્ય ' ની ઉપાસનાનું " Page #9 -------------------------------------------------------------------------- ________________ છે, કેમકે કઈ પણ ઉપાસના અંતે સામ્યભાવ” માં પરિ. મે તે જ તે મેક્ષનું કારણ બની શકે છે. સર્વજ્ઞ પરમાત્માએાએ મોક્ષનું પરમ કારણ “સામાયિક ધર્મ”ને કહેલ છે. તે સામાયિક ધર્મને પ્રાણ કહે કે સર્વસ્વ કહે તે “સામ્ય” અથવા “ સમતાભાવ” છે. તે સામાયિક વાસીચંદન-કલ્પ મહાત્માઓને હોય છે. કઈ વાંસલાથી છેદે કે ચંદનથી લેપે, બન્ને પ્રત્યે સમશત્રુ-મિત્રભાવ રાખવે અથવા વાંસલાથી છેદનાર પ્રત્યે પણ ચંદનની જેમ સૌરભભાવ ધારણ કરે, તે વાસીચંદન ક૫તા છે અહીં સૌરભભાવ તે અપકારી પ્રત્યે પણ ઉપકારભાવ ધારણ કરવાની મને વૃત્તિ સમજવી. સવ તીર્થકર દીક્ષા અંગીકાર કરતી વખતે “સામાયિકની પ્રતિજ્ઞા કરે છે. અને તે જ વખતે તેમને ચતુર્થ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. ભૂત, ભાવિ કે વર્તમાન ત્રણે કાળમાં મેસે જનારા જીને ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન પામવામાં પરમ આધાર કોઈ હોય તે તે આ “સમતાધમ” છે. શ્રી જિનશાસનમાં મોક્ષે જનારા જીના પંદર ભેદ છે તે બધામાં બાહ્ય લિંગને ભેદ હોવા છતાં ભાવલિંગ તે એક જ * सामायिकं च मोक्षाङ्गं परं सर्वज्ञभाषितम् । वासीचंदनकल्पानामुक्तमेतन्महात्मनाम् ॥१॥ – શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક પ્રકરણ અષ્ટક-૨૯ ક-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ સાત છે અને તે સમતા” છે. એક સમતા જ મેક્ષનું અનન્ય સાધન છે. સમતાના આરાધન વિના કેઈ જવને મોક્ષ થયો નથી, થતું નથી, થવાનું નથી અને એ જ કારણે શ્રી જૈનશાસનમાં સઘળીએ બાહ્ય-આંતર ક્રિયાઓ સમતાભાવ કેળવવા માટે, સમતાભાવની વૃદ્ધિ કરવા માટે ઉપદેશવામાં આવી છે. ક્રેડો જન્મ સુધી તીવ્ર તપને કરવા છતાં જે કર્મોને ક્ષય થતું નથી તે કર્મોને, સમભાવથી ભાવિત ચિત્ત થાળ જીવ અર્ધ ક્ષણમાં ખપાવે છે. બાહ્યથી શ્વેતામ્બર છે, દિગબર છે, બૌદ્ધ હે યા અન્ય હે પણ જેનું ચિત્ત સમભાવથી ભાવિત હોય તે અવશ્ય મેક્ષે જાય છે. એક મૂલ ઉત્તર ગુણોનું પાલન, બાઢા-આત્યંતર તપનું સેવન, ધારણા ધ્યાનાદિ ગાંગોનું આરાધન, જે સમતાભાવને પામવાના લક્ષ્યવાળું હોય તે સાર્થક છે, અન્યથા નિરર્થક છે; એમ શ્રી, જિનશાસનનું સ્પષ્ટ પ્રતિપાદન છે. જ્ઞાનાદિ ગુણોમાં મેક્ષની કારણતા એક સમતાગુણને અવલંબીને છે. સમતાસહિત અથવા * પન્નરભેદ જે સિદ્ધના રે, ભાવલિંગ તિહાં એક, દ્રવ્યલિંગ ભજના કહી, શિવસાધન સમતા છેક રે, તેહમાં છે સબલ વિવેક રે; તિહાં લગી મુજ મન ટેક છે. ભામે છે અવર અનેક રે, બલિહારી ગુણની ગોઠડી મેરે લાલ. –શ્રી શાંતિજિન-નિશ્ચય વ્યવહાર સ્તવન ઢાળ-૫, ગાથા-૨. કર્તા ઉપા. શ્રી યશોવિજ્યજી મહારાજ * सेयंवरो वा दिगंबरो वा बुद्धो वा अहव अन्नो वा । समभावभावियप्पा लहइ मुक्खं न संदेहो ॥१॥ - સંબધ સિરી. Page #11 -------------------------------------------------------------------------- ________________ આઠ સમતાના લક્ષયથી યુક્ત હોય તે જ્ઞાનને, તે શ્રદ્ધાને અને તે ચારિત્રને જ સમ્યફ શબ્દથી ઓળખાવાય છે. સમકિત, ચુત કે ચારિત્ર પણ સમતાના ધ્યેયથી જ આદરવાનાં છે. એ જણાવવા માટે તે ત્રણેની સાથે સામાયિક શબ્દ જોડવામાં આવ્યું છે અને તે અનુકમે સમકિત સામાયિક, શ્રત સામાયિક અને ચારિત્ર સામાયિક કહેવાય છે. પાંચ પ્રકારના ચારિત્રમાં પણ પ્રથમ સામાયિકચારિત્ર છે અને તે પાંચે ચારિત્રમાં અનુગત હોય છે. એટલે બીજા ચારિત્રેની સફળતાનો આધાર પણ સામાયિક ચારિત્ર છે. આ રીતે સામાયિક ધર્મ એ પરમ ધર્મ છે અને તે સમતા, સમભાવ કે સામ્યને તેના પ્રકર્ષ પર્યત કેળવવાથી સિદ્ધ થાય છે. સમતાને આ પરમ પ્રભાવ કહ્યો છે કે પાપી આત્માઓ પણ તેના પ્રભાવે એક ક્ષણવારમાં મોક્ષને પામે છે ? આ બને લઘુકૃતિઓમાં ધર્મના પ્રાણભૂત સિદ્ધાંત-આ સામ્ય” અથવા “સમતા” નું વર્ણન છે. આવા એક ઉગી પ્રકાશન દ્વારા શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ પિતાના ધ્યેય પ્રત્યે એક ડગલું આગળ વધે છે અને મુમુક્ષુ જીને મેક્ષમાર્ગની કૂચમાં પરમસહાયક એવી એક સામગ્રીની ભેટ કરે છે. બેડા, રાજસ્થાન. પાર્શ્વ જન્મકલ્યાણદિન વિ. સં. ૨૦૨૮ તા. ૧૨-૧૨–૭૧ ) પં. ભદ્રકવિજયગણી * अयं प्रभावः परमः समत्वस्य प्रतीयताम् । यत्पापिनः क्षणेनापि पदमियरति शाश्वतम् ॥ શ્રી હેમચંદ્રસૂરિકૃત યોગશાસ્ત્ર, પ્રકાશ-૪ રપ ટીકા Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાક-કથન - - ૧, ગ્રંથયુગલનું પ્રકાશન શા માટે ? શ્રીવિજયસિંહસૂરિ એક મહાન ગીપુંગવ હતા. તેમણે “ઘણા ગ્રંથે જોઈને મહાપુરુષ કૃત ગ્રંથને સારભૂત સમતા શતકને હાર કર્યો”. તદુપરાંત જીવનમાં સમભાવ સાધવાથી જે કાંઈ લગ-ઉનમનભાવને આવિર્ભાવ થયે તેને અનુભવ ભવ્ય અને ઉપકારક નીવડે તેટલા માટે તે પણ તેમણે લેકબદ્ધ કરી પ્રસ્તુત ગ્રંથમાં રજૂ કર્યો છે. (જુઓ સામ્ય શતક લેક-૭). આ નાના ગ્રંથમાં અનુભવની વાણું હેવાથી તે હદયંગમ અને આહલાદક છે. તેને કાવ્યમય અનુવાદ ઉપાધ્યાય શ્રીયશોવિજયજીએ ગુજરભાષામાં સમતાશતક નામના ગ્રંથમાં આપે છે અને આ ગ્રંથમાં તેમણે પણ “અમૃતના છાંટણાં સમા અનુભવના વચનને વર્ષાવ્યા છે.” (જુઓ સમતાશતક કડી-૪) આ પ્રકારે સામ્ય. શતકને સંસ્કૃત ભાષાને ગ્રંથ અને તેને ગુર્જરભાષામાં અનુવાદરૂપ સમતાશતકનો ગ્રંથ બને અહીં એક પછી એક ૨જ કરવામાં આવે છે. ઉપાધ્યાયજી મહારાજ પણ અનુભવી ગીપુંગવ હતા અને તેમણે સામ્યશતકમાંથી જે મ પકડ * જુઓ સમતાશતક કડી–૧૦૪. Page #13 -------------------------------------------------------------------------- ________________ સ તે મુનિ શ્રીહેમવિજય માટે સમતાશતકમાં તેમની લાક્ષણિક અને કાવ્યમય ભાષામાં ઉતાર્યાં અને તે દ્વારા ભબ્ધ જીવેા ઉપર અનહદ ઉપકાર કર્યા છે. આવા આ ગ્રંથયુગલના સમ ન્વયપૂર્વક એક સાથે સ્વાધ્યાય કરવાથી સંભવ છે કે તેમનુ રહસ્ય મનમાં ભાવતાં ભવ્ય જીવા સમતારસમાં લીન થાય, જેથી તેમને એવું સ્વાભાવિક સુખ પ્રગટ થાય કે જે માત્ર અનુભવગમ્ય જ હાય અને જેને કદી નાશ ન થાય. ” તે હેતુથી બન્ને ગ્રંથાનું એક સાથે સયુક્ત પ્રકાશન હાથ ધર્યુ” છે. ર. સમતાના જીવન ઉપર પ્રભાવ, સમતા અને વિષમતાના આપણા જીવન ઉપર ઘેરા પ્રભાવ પડે છે. દેહુ જો સમ અવસ્થામાં હોય તે સકલ શારીરિક તત્ર સુમેળપૂર્વક કામ કરે છે. પરંતુ જો વિષમ અવસ્થામાં હોય તા તે અવ્યવસ્થિત થઇ જાય છે. શરીરની સમતાની મન ઉપર અસર થાય છે અને મનની સમતાની ચેતના ઉપર અસર થાય છે. ૩, સમભાવ-ધ્યાનના પાયા. જ્ઞાનાવમાં સમભાવને ધ્યાન કહ્યું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ`દ્રાચાય ા યેગશાસ્ત્રમાં એટલે સુધી જણાવે છે કે જે વ્યક્તિ સમતાની સાધના કર્યાં વિના ધ્યાનની સાધના કરે છે તે કેવળ વિડંબના વ્હારે છે.' (યા. શા. ૪/૧૧૨ ) ૪. સમભાવના પરિપાક, મમતા ટળે કે સમતા આપે।આપ પ્રગટે. કુસુમકટકાદિ પદાર્થોમાં જે પ્રિય-અપ્રિયની વ્યવહારનયની કલ્પના છે, તે Page #14 -------------------------------------------------------------------------- ________________ અગિયાર કલ્પનાને નિશ્ચયનયની દૃષ્ટિ રાખીને દૂર કરવામાં આવે ત્યારે ચિત્તમાં જે સ્થિરતા ઉત્પન્ન થાય તે જ સમતા છે. રાગાદિ વિકલ્પા કલ્પિત છે. વિકલાના જન્મથી રાગાદિના જન્મ થાય છે, એટલે કે ખાદ્ય પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટની ભ્રાન્તિને જ્યારે ક્ષય થઈ જાય છે, ત્યારે રાગ-દ્વેષનાં તફ઼ાના જાગતાં નથી,× ત્યાં અપ્રતિહત ( અબાધિત) સમતાની અનુભૂતિ થાય છે. ૫. જ્ઞાનના પરિપાક-શમ અને સમતા, નિરંતર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન જેને છે એવા જ્ઞાનના પરિપાક, શુદ્ધ પરિણામ તે ‘શમ ’ કહેવાય છે. એથીજ તેને “ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ ક્ષય ” એ પાંચ પ્રકારના યાગમાં સમતા ’ નામે ચેાથેા ચૈાગના ભેદ કહ્યો છે. ', ૬. સમ્ગદષ્ટિ-આત્મપરિણતિવાળું જ્ઞાન. જ્ઞાનથી થતી પ્રવૃત્તિના પરિણામના ખ્યાલ જેમાં છે એવું હેય અને ઉપાદેય તત્ત્વના વિવેકવાળુ' પણ તેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ રહિત જ્ઞાન આત્મપરિણતિવાળું કહેવાય છે. આ જ્ઞાન અત્યંત દુર્ભેદ્ય રાગ, દ્વેષ અને મિથ્યાત્વની ગ્રન્થિના ભેદ થયે સમ્યગ્દષ્ટિને હાય છે. ૭. તૃષ્ણાના ક્ષય. આત્મસ્વરૂપના અવલખન સિવાય તૃષ્ણાના ક્ષય થતા નથી. × જ્યારે સમભાવનેા પરિપાક થઇ જાય છે ત્યારે વિષયામાં થતી ષ્ટાનિસ્તાનું જ્ઞાન નાશ પામી જાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ બાર ૮. સમતાની પરાકાષ્ઠા અને સામર્થ્યોગ. એક આત્મા નિત્ય છે અને તે બીજા આત્માઓથી સદા ભિન્ન તે છે જ પણ તે પિતાના જ્ઞાનાદિ ગુણોથી પણ અભિન્ન છે, કૂટસ્થ છે. આવા સ્વરૂપે થતા આત્મા અંગેના ચિતનથી જેનું મન આ મસ્મરણતાવાળું બન્યું હોય તેની સમતા સાચેજ પરાકાષ્ટાને પામેલી છે. શાસ્ત્રની પ્રવૃત્તિ તે માત્ર દિશાસૂચન કરી દે, આંગળી ચીંધીને રસ્તો બતાવી દે. તેથી આગળ તે ન વધે, પછી સિદ્ધિપદ તે સમતાને સ્વાનુભવરૂપ સામગ જ પ્રાપ્ત કરી આપે. ૯. મન:શુદ્ધિ- એ જ સામ્યવસ્થા. સામ્યવસ્થા જ વાસ્તવિક રીતે મન શુદ્ધિ છે. સામાયિકને પણ આ અર્થ છે. સાધુજીવન એક પ્રકારનું સામાયિક જ છે. તે પણ તેમાં સામ્યની વિશેષ સાધનાની અપેક્ષા રહે છે. આ કારણે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી કહે છે કે નુત્ત રાખ્યમુપૈતિ ચોf” યોગીજન (શ્રમણ-સાધુ) વિશેષ સામ્યને અનુભવ કરે છે. ૧૦. માનસિક સમાધિ. વિષમતાના અનેક હેતુ છે. સુખ-દુઃખ, માનાપમાન, સંગ-વિયેગ વગેરે વગેરે. જ્યાં સુધી આ પ્રમાણે દ્વન્દ્રના માપદંડ રખાય ત્યાં સુધી જાત જાતના નાનામોટા વિગ્રહ થવાના જ. આ માપદંડ બદલાય ત્યારે માનસિક સમાધિ રહે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧. સમતા-પુરુષાર્થનું પ્રતીક ચષ્ટિનું સ્વરૂપ શ્રદ્ધાત્મક છે. લાભ-અલાભ, સુખ-દુઃખ, માન-અપમાન, જીવન-મૃત્યુ વગેરે વિરોધી દ્વો જીવનમાં આપણું સામે ખડા થાય છે, તેથીજ યેગીઓને તે દ્વોમાં સમવૃત્તિ રાખવાને ઉપદેશ કરવામાં આવે છે. લાભમાં હર્ષ કે અલાભમાં ખેદ વિષમતાનું પ્રતીક છે. સમતા આત્માનંદ છે. આને અર્થ એ નથી કે સમતા રાખવાથી મનુષ્ય પ્રવૃત્તિ શૂન્ય થઈ જાય છે. સમતા તે પુરુષાર્થની પ્રતીક છે. બાહ્યનિવૃત્તિને અર્થ છે અન્ત પ્રવૃત્તિ. ૧૨. સમતા અને સમતાલ શ્વાસ, સાધારણ રીતે એવી માન્યતા છે કે મન ચંચલ છે. તેમાં વિક્ષેપ થાય છે, તેમાં અશુદ્ધિ ભરાઈ જાય છે. પણ વિક્ષેપ ત્યાં થાય છે કે જ્યાં ઈન્દ્રિય, મન અને પવનની વિષમતા હોય છે. તેની સમતા થાય તે વિક્ષેપ તેની મેળે શમી જાય છે. સમતાની સ્થાપનાનો માધ્યમ સમતાલ શ્વાસ પણ છે. જેટલી માત્રામાં એક શ્વાસ લેવાય તેટલી માત્રામાં બીજો અને ત્રીજો શ્વાસ લેવાય તે તે સમતાલ શ્વાસ છે. સમસ્વર અને સમલયમાં તન્મયતાની સાથે શક્તિ પણ વિકસિત થાય છે.* અજપાજપ તેનું સાધન છે. + બૌદ્ધ સંપ્રદાય જેને આના પાનસતિ કહે છે, તે અજપા સાધનનું એક અંગ જણાય છે. તેને શ્રી બુદ્ધ અંતરંગ ભક્તોમાં પ્રચાર કર્યો હતે. – ભારતીય સંસ્કૃતિ ઔર સાધના, પ્રથમ ખંડ. પૃ. ૩૪ર Page #17 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ૧૩. મને ગુપ્તિની ત્રણ ભૂમિકા વૃત્તિ બે પ્રકારની હોય છે. સત્ અને અસત્ અસથી સત્ તરફ જવું તે પહેલું પદક અને અસતુને ક્ષણ કરવું એ બીજું પદક છે. અસતમાં મન ચંચલ રહે છે, સતુમાં શાન; અને અસતને ક્ષીણ કર્યા પછી અતિમાત્ર શાન્ત થઈ જાય છે. આ આખી પ્રક્રિયાને મને ગુપ્તિ કહે છે. મનગુપ્તિથી ગુપ્ત કરેલા મનની ત્રણ અવસ્થા છે. (૧) કપનાવિમુક્ત (૨) સમત્વપ્રતિષ્ઠિત અને (૩) આતમરમણતાસંપન્ન. કલ્પનાવિમુક્ત મનને એક સાથે ખાલી કરી શકાતું નથી. એટલે તેને અસત્ કલ્પનાઓની જાળથી મુક્ત કરવાને સત્ કલપનાઓનું આલંબન આપવું જોઈએ. સાધના તંત્રમાં યંત્ર, મંત્ર, બીજ, ન્યાસ વગેરે સેંકડો ઉપાની પરંપરા આ માટે દર્શાવવામાં આવી છે સમત્વપ્રતિષ્ઠિત વૃત્તિઓ દાબી રાખીએ તે રહેતી નથી. તે કાંઈ નિમિત્ત મળતાં ઉત્તેજિત થઈ ઉભરાય છે. તેની ઉત્તેજનાનું મેટામાં મોટું નિમિત્ત વિષમતા છે. જ્યારે જ્યારે મનમાં વિષમતાને ભાવ જાગે ત્યારે ત્યારે તે ચંચલ અને વિક્ષિપ્ત થઈ જાય છે. અમુક વ્યક્તિએ મારું સન્માન કર્યું અને અમુક અપમાન–આવી સન્માન કે અપમાનની સ્મૃતિ થતાં જ મન ચંચલ થઈ જાય છે. પરંતુ જેનું મન સન્માન કે અપમાન બનેમાંથી કાંઈ ગ્રહણ ન કરે અને જે બનેને આત્માની બહાવસ્તુ સમજે, તેનું મન સમતામાં પ્રતિષ્ઠિત થયું ગણાય. આ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે રાગ, દ્વેષજનિત અનેક વિષમતાઓ છે. તેને જે મન ગ્રહણ ન કરે તે સમત્વપ્રતિષ્ઠિત કહેવાય. આત્મરમણતા સંપન્ન આ ગુપ્ત મનની ત્રીજી અવસ્થા છે. આમાં ચેતના સિવાય કઈ બાહા આલંબન હેતું નથી, મન આત્મામાં વિલીન થઈ જાય છે. તે કષાયથી મુક્ત થઈને શુદ્ધોપયોગ-શુદ્ધ ચેતનામાં પરિણત થઈ જાય છે. એમ પણ કહી શકાય કે આવી વ્યક્તિને શુદ્ધ ચેતના સિવાય બીજા કશાનું ય અરિતત્વ રહેતું નથી. ૧૪. આત્માનું નિગૂઢત–પરમસામ્ય, આત્માનું જે નિગૂઢતત્વ કે જે પરથી પણ પર છે તે આ સમતા જ છે. માટે અધ્યાત્મ બોધની કૃપાથી સમતાને પ્રાપ્ત કરવામાં જ પરિપૂર્ણ યત્ન કરે જેઈએ. ૧૫. સામ્ય-સમતા-શમ એ તત્ત્વ છે. શમ અથવા ઉપશમ ખરેખર શ્રમણ ધર્મનું તાવિક રહસ્ય છે. કહ્યું છે કેउवसमसारं खु सामण्णं । કપત્ર વ્યા. ૯ આ પ્રકારે સામ્યશતક અથવા સમતાશતક એ શ્રમણ ધર્મની યશગાથા છે. તે અનેક વિચાર- ૨થી ખચિત-ભરેલા છે. આભાર દર્શન–. નમસ્કાર મહામંત્ર પાસક, પરમ પૂજ્ય શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરની સતત પ્રેરણાથી આ ગ્રંથયુગલનું સંપાદન અમે પાર Page #19 -------------------------------------------------------------------------- ________________ સોળ ઉતાર્યું છે. આમાં અનેક સૂચને પૂજ્ય શ્રીપંન્યાસજી તરફથી મળ્યાં છે અને તેઓશ્રીની ઘણા સમયથી નાદુરસ્ત તબીયત હેવા છતાં આ ગ્રંથનું કાર્ય જ્યારે જ્યારે તેમની પાસે ધયું છે, ત્યારે વિના સંકે ચે અને વિના વિલંબે તેમણે તપાસી આપ્યું છે. આથી અમે તેઓશ્રીના અનેક પ્રકારે ઋણી છીએ અને તેમને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. અહીં પ્રાસંગિક જે વિચાર-રત્નો રજૂ કર્યા છે, તે ભવ્ય આત્માઓને કલ્યાણકર નીવડે એ જ અભિલાષા. ઈરલા, વિલેપારલે મુંબઈ, પ૬ (A.S.) લી. સેવક, પાર્થ જન્મકલયાણકદિન 1 અમૃતલાલ કાલીદાસ દેશી વિ. સં. ૨૦૨૮ તા ૧૨-૧૨-૭૧) પ્રમુખ, જૈિ. સા. વિ. મંડળ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પરમ પૂજ્ય પંન્યાસજી શ્રીભદ્ર'કરવિજયજી ગણિવરે આજથી પાંચેક વર્ષો પૂર્વે* સૂચન કર્યું' કે ' શ્રી વિજયસિંહસૂરિકૃત સામ્યશતક એ નાનકડા પણુ અપ્રાપ્ય ગ્રંથ છે. ગ્રંથના વિષય અતિશય સુંદર છે અને તેનું પુનર્મુદ્રણ થવું જરૂરી છે. ” અમે આ પુસ્તિકા મેળવવા માટે ઘણેા પ્રયત્ન કર્યાં. પરંતુ અમને તે પ્રાપ્ત થઈ નહીં ત્યારે, અમે આ વાત પૂ॰ ૫ન્યા સજી મહારાજશ્રીને જણાવતાં તેમણે મુનિ શ્રીઅભયસાગરજી પાસેથી પ્રસ્તુત ગ્રંથની મુદ્રિત પુસ્તિકા મ`ગાવી અમને આપી. પ્રસ્તુત પુસ્તિકા જૈન ધમ વિદ્યા પ્રસારકવગ, પાલીતાણા તરફથી ૧૬ પેજી રેમી સાઇઝમાં વિ. સ. ૧૯૬૩ (સન્ ૧૯૦૭)માં ગુજરાતી ભાષાંતર સાથે પ્રકાશિત થયેલ હતી. અને જે ૧૧૪ પાના પ્રમાણુ હતી. અમે આ પુસ્તિકા જોઇ અને અમને લાગ્યું કે આ ગ્રંથ કરી છપાવવા જેવા છે. પરંતુ તે પૂર્વે ભાષાંતર નવેસરથી કરવું જરૂરી લાગવાથી અમે નવેસરથી ભાષાંતર કર્યું. દરમ્યાન પૂ૦ પન્યાસજી મહારાજ તરફથી સૂચન થયું કે ન્યાયવિશારદ ન્યાયાચાય ઉપાધ્યાય શ્રીયશેાવિજયજી કૃત સમતાશતક પણ આ ગ્રંથના ભેગુ જ છપાવવા જેવું છે. કારણ કે, તે સમતાશતક, સામ્યશતકના ભાવને લઇને જ રચેલે ગ્રંથ છે. અમે તે ગ્રંથ, કે જે ગુજરૃર સાહિત્યસ’ગ્રહુ ભાગ-૧લામાં Page #21 -------------------------------------------------------------------------- ________________ અઢાર મુદ્રિત થયેલ હતા તેના અનુવાદ કરી, તેની પ્રેસ કાપી કરાવી અને સામ્યશતકના કયા કયા શ્ર્લોકા સાથે સમતાશતકના કા કયા ક્રુડા સામ્ય ધરાવે છે. તેના સપૂર્ણ અભ્યાસ કર્યો તેની યાદી તૈયાર કરી. ( આ યાદી આ જ ગ્રંથમાં પૃ ૭૭-૭૯ ઉપર આપેલ છે) અને ત્યારબાદ ઉભય ગ્રંથા સાથે જ છપાવવા નિર્ણય કર્યો. પાઠલેદા— સામ્યશતકની કાઈ હસ્તલિખિત પ્રત અને મેળવી શકયા નહીં તેથી તેના પાઠભેદે લીધા વિના જે સ્થિતિમાં મુદ્રિત ગ્રંથ હતા તે મુજબ જ અમે તેને છપાવ્યો છે. સમતાશતકની એ હસ્તલિખિત પ્રતિએ અમે મેળવી શકયા તેથી તે અન્નેને આંખ સામે રાખીને પાઠભેદે લીધા અને જે પાઠે! અમારી ષ્ટિથી શુદ્ધ લાગ્યા તેને મૂળ ગ્રંથમાં સ્થાન આપી બાકીના પાઠાને પાદ્યનોંધમાં ઉદૃષ્ઠિત કર્યો. સુદ્રણ— આ ગ્રંથના મુદ્રણના બે પ્રયાસેા થયાનુ' જાણવામાં છે. પ્રથમ પ્રયાસ, જૈન ધર્મ વિદ્યા પ્રસારક વગ તરફથી સન ૧૯૦૭માં થયા કે જેના ઉલ્લેખ આગળ કરી ગયા છીએ તે, અને બીજો પ્રયાસ એ, એમ. એન્ડ કે, મુંબઇ તરફથી સન ૧૯૧૮માં થયાનું જિનરત્નકોષમાં નોંધાયું છે. (આ બીજા પ્રયાસવાળી પુસ્તિકા અમારા જોવામાં આવી નથી.) આ સિવાયના કોઈ અન્ય પ્રયાસ મુદ્રણ અંગે થયાનું' અમારા ખ્યાલમાં નથી. રચયિતા— સામ્યશતકના કર્તા ચાંદ્રકુલીન આચાર્ય શ્રીઅભયદેવ Page #22 -------------------------------------------------------------------------- ________________ એગણસ સૂરિના શિષ્યના શિષ્ય આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ છે. તેમને સત્તાકાલ બારમી શતાબ્દીને ઉત્તરાર્ધ તેમ જ તેરમી શતાબ્દીને પૂર્વાર્ધ છે. તેમની પાટ પરંપરા આ પ્રમાણે છે. (પ્રસ્તુત અભયદેવસૂરિતે નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિથી જુદા છે) આચાર્ય શ્રી વીરસૂરિ, તેમના આ. શ્રી વર્ધમાનસૂરિ તેમના આ. શ્રી રામસૂરિ, તેમના આ. શ્રી ચંદ્રસૂરિ, તેમના આ. શ્રીદેવસૂરિ, તેમના આ. શ્રી અભયદેવસૂરિ, તેમના આ. શ્રીધનેશ્વરસૂરિ, તેમને આ. શ્રીવિજયસિંહસૂરિ. રચનાઓ આ. શ્રીવિજયસિંહસૂરિએ નિમ્નત રચનાઓ કર્યાનું સેંધાયું છે (૧) સામ્ય શતક (૨) સુજનભાવના (૩) જબૂદીવસમાસની વિનેયજનહિતા વૃત્તિ. ઉપરાંત કવિવર શ્રીઆસડ કૃત વિવેકમંજરીને શુદ્ધ કરવાનું કાર્ય પણ એમણે જ કર્યું છે. * વિષય ગ્રંથને વિષય સમભાવ આત્મામાં કેળવે તે છે. રાગ અને શ્રેષના પ્રસંગમાં પૂર્ણ મધ્યસ્થ, વિષયોની હેયતા, રાગા. ૦ દિકના કટુક ફલે વગેરેનું વર્ણન એ મુખ્ય છે. ગ્રંથ ૧૦૬. શ્લોક પ્રમાણ, સરસ, પ્રવાહી શૈલીમાં, અનુષ્ણુભ છંદમાં રચાયેલ છે. કલેક ૧૦૫ તથા ૧૦૬ શાર્દૂલવિક્રીડિત છંદમાં છે. સમતાશતક– આ ગ્રંથના રચયિતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહે* જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૨, પૃ-- Page #23 -------------------------------------------------------------------------- ________________ વીસ પાધ્યાય શ્રી યશોવિજયજી છે, તેમને પરિચય આપવાની કઈ જરૂરત નથી. તેમણે સામ્યશતકને ગુજરાતી ભાષામાં પદ્યરૂપે ઉદ્ધાર કરી સમતાશતક રચ્યું છે અને તે મુનિ હેમવિજયજીના માટે રચ્યાનું પતે જ જણાવે છે. તેમણે સામ્યશતકના કયા લેક સામે સમતાશતકને કે દુહ રચે છે તેનું કોષ્ટક અમે આ ગ્રંથમાં જ પરિશિષ્ટ-૧ માં આપેલ છે. વાચકોને તે ત્યાંથી જેવા ભલામણ છે. આ ગ્રંથને સ્વાધ્યાય કરનારા મહાનુભાવેને તે તે બ્લેક શોધવામાં અનુકૂળતા રહે તે માટે લોકેની વર્ણ ક્રમે સૂચી પણ અમે પરિશિષ્ટ-૨માં આપેલ છે. આ ઉભયગ્રંથને, તેના અનુવાદ સાથે અહીં પ્રકાશિત કરવા પાછળ એક જ ઉદાત્ત આશય છે કે પૂર્વાચાર્યો પ્રણીત આ ગ્રંથોના વાચનથી ભવ્યાત્માઓ કષાયના દુઃખદાયીપણાને સમજી, તેનાથી દૂર રહેવા માટે સજાગ બને અને પ્રાન્ત કાયની કલુષિતતા ટાળી, સમભાવની આત્મામાં પ્રતિષ્ઠા કરી, શાશ્વતસુખના સ્વામી બને. પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં તથા અનુવાદ કરવામાં અમારાથી શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તે તેને મિચ્છામિ દુક્કડ દઈએ છીએ. પોષ સુદ ૫, બુધવાર વિ. સં. ૨૦૨૮ તા. ૨૨-૧૨-૧૯૭૧ લીસેવક, સુધચંદ્ર નાનાલાલ શાહ | મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ Page #24 -------------------------------------------------------------------------- ________________ TV શ્રી વિજયસિંહસૂરિવિરચિત સાભ્યશતક (સાનુવાદ) તથા ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત– : સમતાશતક (સાર્થ) wwwwwwww Page #25 -------------------------------------------------------------------------- ________________ श्रीविजयसिंहमूरिविरचितम् साम्यशतकम् " (વનુષ્ટ્રમ્) अहङ्कारादिरहितं निश्छद्मसमताऽऽस्पदम् । आद्यमप्युत्तमं कश्चित् पुरुषं प्रणिदध्महे ॥ १ ॥ શ્રીવિજયસિંહસૂરિવિરચિત સામ્યશતકને અનુવાદ જે કે પુરુષ (ગીપુંગવ)(૧) અહંકારાદિ (દેશ) થી રહિત હોય, (૨) નિર્વ્યાજ સમતાનું નિવાસસ્થાન હોય, (૩) સર્વથી પ્રથમ તહેવા છતાં) સર્વથી શ્રેષ્ઠ હેય, તેમનું અમે (ગ્રંથના આરંભમાં) ધ્યાન કરીએ છીએ. / ૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ * उन्मनीभूयमास्थाय निर्मायसमतावशात्र । जयन्ति योगिनः शश्वदङ्गीकृतशिवश्रियः ॥ २ ॥ નિપ્રપંચ-સહજ-અકૃત્રિમ સમત્વના કારણે ઉતમનભાવને પ્રાપ્ત કરીને જેમણે સદાકાલ માટે એક્ષલક્ષમી પ્રાપ્ત કરી છે એવા ગીપંગ જયવંતા વર્તે છે. જે ૨ છે * ઉન્મની ભાવના પર્યાએ નીચે મુજબ પ્રાપ્ત થાય છે – राजयोगः समाधिश्च, उन्मनी च मनोमनी । अमरत्वं लयस्तत्त्वं, शून्याशून्य परं पदम् ॥ ३ ॥ अमनस्क तथाऽद्वैत, निरालम्ब निरञ्जनम् । जीवन्मुक्तिश्च सहजा, तुर्या चेत्येकवाचकाः ॥ ४ ॥ ___-1f५४), यतुथ' ६५१२. કક્ષમતાના પર્યાયે નીચે મુજબ પ્રાપ્ત થાય છે – माध्यस्थ्यं समतोपेक्षा वैराग्य साम्यमस्पृहा । वैतृष्ण्यं परमा शान्तिरित्येकोऽर्थोऽभिधीयते ।। ५० ॥ १३९ ।। -तत्वानुशासन, यतुर्थ अध्याय, सो. ५० ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनन्दः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ॥३॥ ઔદાસીન્યના કમથી ઉત્પન્ન થયેલ સમતારસને ભોગવતા યોગીઓને આ અપૂર્વ કેટિને આનંદ જયવંત વર્તે કે જે કેવલ્યને સાક્ષીભૂત છે. | ૩ | * ઔદાસી ક્રમ નીચે પ્રમાણે છેઃ આત્મામાં સામ્ય વડે નિમલતા થતાંની સાથે જ પરમાત્મા સ્વરૂપને સ્પષ્ટ પ્રતિભાસ થાય છે. તે નિમલતા તો કપાય ચતુષ્ટયના દરેકના જે ચાર ચાર પ્રકારો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન તેના ક્ષયના ક્રમથી થાય છે. તેથી આમાની શુદ્ધિ કરનારું સામ્ય વધુ ને વધુ શુદ્ધ થાય છે. સામ્યશુદ્ધિના ક્રમ વડે સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ-એ છે કે જે જીવમાત્રના ગુણે છે, તેમાં થતી વિશુદિથી આત્માને તે પરમાત્માને વધુ અને વધુ સ્પષ્ટ થતા જાય છે. - મેહનો સર્વથા ક્ષયથી સામ્ય સર્વથા શુદ્ધ થતાં જ સયોગી કેવલીરૂપ સર્વ શુદ્ધાત્માને આ પરમાત્મા સર્વ રીતે સ્પષ્ટ થાય છે. –યોગસાર, પ્રથમ પ્રસ્તાવ, લે. ૪-૭ Page #28 -------------------------------------------------------------------------- ________________ साम्यपीयूषपाथोधिस्नाननिर्वाणचेतसाम् । योगिनामात्मसंवेद्यमहिमा जयताल्लयः ॥४॥ સામ્યરૂપી અમૃતના સમુદ્રમાં નાન કરવાથી જેમનાં ચિત્ત શાન્ત થઈ ગયાં છે એવા ભેગીઓ (જ) પોતે જેના મહિ. માનું સંવેદન કરી શકે છે, તે લય જય પામે. ૪. વારસાથે ૪૫ શ્રેયાન રાજાનું સાકાર ! निष्कले किल योगेऽपि स एव ब्रह्मसंविदे ॥ ५। આ લય સઘળી ય કલાઓમાં કલ્યાણકારી (શ્રેષ્ઠ) છે એ વાત તે બાજુએ રાખીએ પણ નિષ્કલ ચોગમાં (ઉન્મના અવસ્થામાં) પણ તે લય જ બ્રહ્મજ્ઞાન માટે થાય છે. પ. नित्यानन्दसुधारश्मेरमनस्ककलाऽमला । अमृतस्यादिमं बीज-मनपाया जयत्यसौ ॥६॥ સદાનંદરૂપી ચન્દ્રની નિર્મળ એવી અમનસ્કકલા (ચિંતાના અભાવથી જાણે મન નાશ પામ્યું હોય તેવી અવસ્થા) તે અમૃતનું પ્રથમ બીજ છે અને તેને કદી નાશ થતું નથી. અથવા તે, - અમૃતનું પ્રથમ બીજ અને જેને કદી નાશ થતું નથી એવી સદાનંદરૂપી ચન્દ્રમાની નિર્મલ એવી આ અમનસ્ક કલા જય પામે છે. ૬. Page #29 -------------------------------------------------------------------------- ________________ શુ यः कश्चित्तु लयः साम्ये मनागाविरभून्मम । तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥ ७ ॥ મને સમભાવમાં જે કંઇ થાડા પણ લય પ્રગટ થયા તે લયને જલદીથી વચનમાં મૂકવા મારી બુદ્ધિ પ્રયત્ન કરે છે, ૭, अधाङ्गस्यापि योगस्य रहस्यमिदमुच्यते । यदंग विषयासङ्गत्यागान्माध्यस्थ्यसेवनम् ॥ ८ ॥ (। સુનિ 1) આઠે અંગવાળા એવા પણ ચૈાગનુ રહસ્ય આ જ છે કે વિષયેાની આસક્તિ સંપૂર્ણ પણે ત્યજીને સત્ર મધ્યસ્થતાનુ સેવન કરવું. ૮. Page #30 -------------------------------------------------------------------------- ________________ रागद्वेषपरित्यागाद्विषयेष्वेषु वर्तनम् । औदासीन्यमिति प्राहुरमृताय रसाञ्जनम् ॥९॥ આ પાંચે ય ઇન્દ્રિયના વિષમાં રાગ અને દ્વેષને ત્યાગ કરીને પ્રવૃત્તિ કરવી તે ઔદાસીન્ય કહેવાય છે અને તે ઔદાસન્ય, અમૃત-મોક્ષ માટે રસાંજનરૂપ ઔષધિ છે. ૯. तस्यानधमहो बीजं निर्ममत्वं स्मरन्ति यत् । तद्योगी विदधीताशु तत्रादरपरं मनः ॥ १० ॥ અહે! તે દાસી નું અવંધ્યબીજ નિમમતા છે તેથી ગીએ શીધ્ર તેમાં જ આદરવાળું ચિત્ત રાખવું જોઈએ, ૧૦. * દારૂ હળદરને કાઢો કરી તેમાંથી રસાંજન અથવા રસવંતી બનાવવામાં આવે છે. તે નેત્રવિકાર તથા ત્રણદોષનો નાશ કરે છે. -આર્યભિષક્ પૃ. ૨૩ સરખા मोहाच्छादितनेत्राणामात्मरूपमपश्यताम् । दिव्यांजनशलाकेव समता दोषनाशकृत् ॥ १९ ॥ – અધ્યાત્મસાર, અધિકાર ૯, પૃ. ૨૦૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ बिहाय विषयग्राममात्माराममना भवन् । निर्ममत्वसुखास्वादान्मोदते योगिपुङ्गवः ॥ ११ ॥ વિષયના સમૂહને છેડીને આત્મામાં રમણ કરતું છે મન જેનું એ યેગીપુંગવ મમતાના અભાવરૂપી સુખને આસ્વા. દથી આનંદ અનુભવે છે. ૧૧. येऽनिशं समतामुद्रां विषयेषु नियुअते । करणैश्वर्यधुर्यास्ते योगिनो हि नियोगिनः ॥ १२ ॥ જેઓ હંમેશાં વિષમાં સમભાવરૂપી મુદ્રાને જે છે તે ઈન્દ્રિયોનું સ્વામીપણું કરવા માં આગેવાન યોગીઓ જ ખરેખરા અધિકારીઓ છે. ૧૨, ममत्ववासना नित्यमुख निर्वासनानकः । निर्ममत्वं तु कैवल्यदर्शनप्रतिभूः परम् ॥ १३ ॥ મમતાની વાસના તે નિત્યસુખને દેશવટે દેનારે-રવાના કરનાર-પટ છે. પરંતુ મમતાને ત્યાગ તે કેવલદર્શનને સાક્ષી છે. ૧૩, Page #32 -------------------------------------------------------------------------- ________________ भुब्यभिष्वंग एवायं तृष्णाज्वरभरावहः । निर्ममत्वौषधं तत्र विनियुञ्जीत योगवित् ॥ १४ ॥ દુનિયામાં આ ગાઢ રાગ (મમતા) જ તૃષ્ણારૂપી જવરના સમૂહને લાવનાર છે અને તેથી યોગીપુરુષે તેને વિષે નિમંમતારૂપી ઔષધને પ્રયોગ કરે જોઈએ. ૧૪. पर्यवस्यति सर्वस्य तारतम्यमहो! क्वचित् । निर्ममत्वमतः साधु कैवल्योपरि निष्ठितम् ॥ १५ ॥ સર્વ વસ્તુઓનું તારતમ્ય કયાંક ને ક્યાંક તે વિરામ પામે જ છે પણ આશ્ચર્યની વાત છે કે સુંદર એવું નિર્મમવ તો કેવલજ્ઞાનથી પણ ઉપર રહેલું છે. (કૈવલ્ય વખતે પણ કાયમ રહે છે, માટે તે જ શ્રેષ્ઠ છે.) ૧૫. ममत्व विषमूर्छालमान्तर तत्वमुच्चकैः । तद्वैराग्यसुधासेकाच्चेतयन्ते हि योगिनः ॥ १६ ॥ મમવરૂપી વિષથી અત્યંત મૂચ્છિત બની ગયેલા આંતર (આત્મા) તને યેગીઓ વૈરાગ્યરૂપી સુધાના સિંચનથી સચેતન-જીવંત કરે છે. ૧૬. Page #33 -------------------------------------------------------------------------- ________________ विरागो विषयेष्वेषु परशुभवकानने । સમૂarષ-પિત-જમતા-વહિત : ૧૭ | આ વિષયમાં વિરાગ તે સંસારરૂપી વનને ઉચ્છેદ કરનારે એ ઉબણ (કઠેર) તીર્ણ કુહાડે છે કે જે મમતારૂપી વલ્ફિને મૂળ સાથે ઉખાડી નાંખે છે. ૧૭, शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः । क्लिश्यन्ते जन्तवो हन्त ! दुस्तरा भववासना ॥१८॥ શરીરમાં પણ મહ રાખીને દુઃખ માટે તત્પર થયેલા પ્રાણીઓ કલેશ પામે છે. ખરેખર! ખેદની વાત છે કે સંસારની વાસના દુસ્તર (દુખે કરીને પાર પમાય તેવી છે. ૧૮. अहो! मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजम्भते । अहङ्कारभवात्तेषां यदन्धङ्करणं श्रुतम् ॥ १९ ॥ અહે! મેહનું માહાસ્ય જ્ઞાનીઓમાં પણ કુરાયમાન થાય છે-વિસ્તાર પામે છે. અહંકારની ઉત્પત્તિથી તેમને જ્ઞાન (પણ) અંધ કરનારું બને છે. ૧૯. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૧ श्रुतस्य व्यपदेशेन विवर्त्तस्तमसासौ । अन्तः सन्तमसः स्फातिर्यस्मिन्नुदयमियुषि ॥ २० ॥ જે (જ્ઞાન) ઉદય પામતાં આત્મામાં અંધકારના વિસ્તાર થાય તે વાસ્તવિક જ્ઞાન નથી પણ જ્ઞાનના અડ્ડાને અંધકારના સમૂહ છે. ૨૦. केषाञ्चित्कल्पते मोहाद् व्यावभाषीकृते श्रुतम् । पयोऽपि खलु मन्दानां सन्निपाताय जायते ॥ २१ ॥ અતિશય બિમારને દૂધ પણ સન્નિપાત માટે થાય તેમ માહના ચેાગે કેટલાકને ખરેખર! જ્ઞાનગુ વિશેષ પ્રકારે વિવાદ કરવા માટે જ થાય છે. ૨૧. ममत्वपङ्कं निःशङ्कं परिमाष्टुं समन्ततः । वैराग्यवारिलहरीपरीरम्भपरो भव ॥ ૨૨ || મમવરૂપી પ ́કનું સપૂ પણે પરિમાર્જન કરવા-સાફ કરી નાખવા માટે તું નિઃશ'કપણે વૈરાગ્યરૂપી લહરીઓના દ્વેષ કરવા તત્પર અન. ૨૨. Page #35 -------------------------------------------------------------------------- ________________ रागोरगविषज्वालावलीढदग्धचेतनः । न किश्चिच्चेतति स्पष्ट विवेकविकलः पुमान् ॥२३॥ રાગરૂપી સપના ઝેરની જવાલાએ જેની ચેતનાને સંપૂર્ણ પણે બાળી નાંખી છે એ પુરુષ વિવેકવિકલ થાય છે અને તે કંઈ જ સમજી શકતું નથી. ૨૩. तद्विवेकसुधाम्भोधौ स्नायं स्नायमनामयः । विनयस्व स्वयं रागभुजंगममहाविषम् ॥ २४ ॥ તેથી વિવેકરૂપી અમૃતના સમુદ્રમાં સ્નાન કરી કરીને નિરોગી બની તું પતે જ રાગરૂપી સપના મહાવિષને દૂર કર. ૨૪. बहिरन्तर्वस्तुतत्वं प्रथयन्तमनश्वरम् । विवेकमेकं कलयेत्तातीयीकं विलोचनम् ॥ २५ ॥ વિવેકની ગણના બહારની અને અંદરની વસ્તુઓના તત્વને દર્શાવનાર અને કદી નાશ નહિં પામનાર એવા એક ત્રીજા લેચન તરીકે કરવી જોઈએ. ૨૫. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩ उद्दामक्रममा बिभ्रद् द्वेषदन्तावलो बलात् । धर्माराममयं भिन्दन्नियम्यो जितकर्मभिः || २६ ।। જેમણે કર્મોને જીત્યા છે તેવા પુરુષાએ ઉદ્ધૃતપણે પગલાં ભરતા અને ધર્મરૂપી મગીયાને વેરણછેરણ કરતા આ દ્વેષરૂપી હાથીને ખળથી કમરે રાખવા જોઇએ. ૨૬. सैप द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः । निर्वाप्यः प्रशमोदाम पुष्करावर्त्तसेकतः || २७ ॥ જ્વાલાએથી વ્યાપ્ત અને મનને તપાવતા આ દ્વેષ રૂપી અગ્નિને સમરૂપી ઉગ્ર પુરાવત (મેઘ)ના સિચનથી મુઝાવી નાખવા જોઇએ. ૨૭. वश्या वेश्येव कस्य स्याद्वासना भवसंभवा । વિદ્યાનોવિશે થમ્યાઃ શ્રૃત્રિમ વિજિવિત રા અનાવટી હાવભાવેથી વિદ્વાના પણ જેને વશ થઈ જાય છે એવી સ’સારની વાસના વેશ્યાની માફક કેાને વશ થાય ? ૨૮. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ यावजागर्ति सम्मोहहेतुः संसारवासना । निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रुचिः ॥२९॥ જ્યાં સુધી પ્રાણીઓને માઠુના હેતુભૂત સ`સારની વાસના જાગતી હોય છે ત્યાં સુધી નિર્દેમતા માટેની રુચિ કયાંથી પ્રગટે? ૨૯ दोषत्रयमयः सैष संस्कारो विषमज्वरः । मेदुरीभूयते येन कषायक्वाथयोगतः || ३० || તે આ વાસનાના સસ્કાર ત્રિદોષથી વ્યાપ્ત વિષમ વર છે જે કષાયરૂપી ક્વાથના ચેાગે (તેના પાનથી) પરિપુષ્ટ થાય છે-વૃદ્ધિ પામે છે. ૩૦. तत्कषायानिर्माां छेत्तुमीश्वरीमविनश्वरीम् । पावनां वासनामेनामात्मसात्कुरुत द्रुतम् ॥ ३१ ॥ તેથી આ કષાયાને છેદી નાખવા માટે સમથ અને કદી નાશ ન પામનારી આ પવિત્ર વાસનાને (પછીના લૈાકમાં દર્શાવાનારી) જલદ્દી પેાતાને આધીન કરા, ૩૧, Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૫ स्पष्टं दृष्टज्वरः क्रोधश्चैतन्यं दलयन्त्रयम् । सुनिग्राह्यः प्रयुज्याशु सिद्धौषधिमिमां क्षमाम् ॥३२॥ રોતનાને વિલુપ્ત કરતે આ ક્રોધ તે સ્પષ્ટપણે દુષ્ટ જવર છે. તેને ક્ષમારૂપી સિદ્ધ ઓષધિના પ્રયોગ દ્વારા જલદી કબજે કરવું જોઈએ. ૩૨. आत्मनः सततस्मेरसदानन्दमयं वपुः । स्फुरल्लूकानिलस्फातिः (स्फुरदुल्कानलस्फातिः) વર્ષ થયે રૂડું આશ્ચર્યની વાત છે કે આ ક્રોધ કે જે પ્રજ્વલિત જવાલાએના સમૂહથી કુરાયમાન છે તે નિરંતર વિકસિત (વિકાસ પામેલ) અને સદા આનંદરૂપ દેહને ગાળી નાંખે છે. ૩૩. व्यवस्थाप्य समुन्मीलद हिंसावल्लिमण्डपे । निर्वापय तदात्मानं क्षमाश्रीचंदनद्रवैः ॥ ३४ ॥ - તેથી આત્માને, વિકાસ પામતી (પ્રફુલ્લિત એવી) અહિંસારૂપી વલ્લિના મંડપમાં સ્થાપન કરીને ક્ષમારૂપી ચંદનના રસેથી તું શાનિત પમાડ. ૩૪, Page #39 -------------------------------------------------------------------------- ________________ क्रोधयोधः कथङ्कार-महङ्कारं करोत्ययम् । लीलयैव पराजिग्ये क्षमया रामयापि च (यः) ॥३५॥ આ ક્રોધરૂપી સુભટ કે જેને સ્ત્રી એવી પણ ક્ષમાએ લીલા પૂર્વક જ પરાજિત કરી દીધું છે તે કેવી રીતે અહંકાર–અભિમાન કરતો હશે ? ૩૫. भर्तुः शमस्य ललितैर्बिभ्रती प्रीतिसम्यदम् । नित्यं पतिव्रतावृत्तं क्षान्तिरेषा निषेवते ॥ ३६ ॥ પિતાના હાવભાવથી પિતાના શમરૂપી પતિની પ્રીતિરૂપી સંપત્તિને ધારણ કરતી એવી આ ક્ષમા હંમેશાં પતિવ્રતાના આચારને સેવે છે. ૩૬. कारणानुगतं कार्यमिति निश्चिनु मानस ! । निरायासा सुखं सूते यनिक्लेशमसौ क्षमा ॥३७॥ હે મન! “કારણને અનુરૂપ કાર્ય હેય છે” એ વાતને તું નિશ્ચય રાખ. તેથી આ અનાયાસ-કષ્ટ વિનાની ક્ષમા ફલેશ વગરના સુખને ઉત્પન્ન કરે છે (એમ જાણ) ૩૭. Page #40 -------------------------------------------------------------------------- ________________ કરવાવાઝશ્રદ્ધાન્યરઃ | पश्यन्नहंयुराश्चर्य, गुरूनपि न पश्यति ॥ ३८॥ મોટા ગર્વ-અહંકારરૂપી પર્વતના ઉંચા શિખર પરથી ઉચી ડોક કરીને જેતો અહંકારી પુરૂષ આશ્ચર્યની વાત છે. કે ગુરુજનેને પણ જોઈ શકતું નથી, ૩૮. उच्चस्तरमहङ्कारनगोत्सङ्गमसौ श्रितः । युक्तमेव गुरून्मानी मन्यते यल्लघीयसः ॥ ३९ ॥ અતિશય ઊંચા અહંકારરૂપી પર્વતના ખેાળામાં રહેલો આ માની પુરુષ ગુરુ એને પણ જે લઘુ-તુચ્છ માને છે તે યુક્ત જ છે જ ૩૯. तिरयन्नुज्ज्वलालोकमभ्युन्नतशिराः पुरः । निरुणद्धि सुखाधानं, मानो विषमपर्वतः॥४०॥ માન એ સન્મુખ રહેલા ઉજજવલ પ્રકાશને ઢાંકતે, અતિશય ઊંચા શિખરવાળે વિકટ પર્વત છે કે જે સુખના આગમનને રોકે છે. ૪૦, * કારણ કે માની પુરુષ પર્વતના શિખર ઉપર ચઢેલે છે જ્યારે ગુરુજને તે પર્વતની નીચે રહેલા છે એટલે પર્વત ઉપર રહેલાને નીચે રહેલા માણસે લધુ સ્વરૂપમાં દેખાય તે વાસ્તવિક જ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ मृदुत्वभिदुरोद्योगादेनं मानमहीधरम् । भित्त्वा विधेहि हे स्वान्त ! प्रगुणां सुखवर्तिनीम् ॥४१॥ હે ચિત્ત ! તું આ માનરૂપી પર્વતને નમ્રતારૂપી વજન ઉપયોગથી ભેદીને સરલ એ સુખને માર્ગ બનાવ. ૪૧. चित्रमम्भोजिनी(दल)कोमलं किल मार्दवम् । वज्रसारमहङ्कारपर्वतं सर्वतः स्यति ॥ ४२ ॥ કમલિની (ના પત્રો જેવી કેમલ મૃદુતા -નમ્રતા વજી જેવા અહંકારરૂપી પર્વતને ચારે તરફથી તેડી નાખે છે, આ ખરે. ખર આશ્ચર્ય છે ! ૪૨. अस्मिन् संसारकान्तारे, स्मेरमायालतागृहे । શાન્ત શેતે હૃત્ત, પુમાં તતઃ + કરૂ જેમનું ચિત્ત હણાઈ ગયું છે એવા પ્રાણીઓ આ સંસારરૂપી જંગલમાં (રહેલી) વિકસિત એવી માયારૂપી લતાના ઘરમાં નિરાંતે સૂઈ રહે છે, તે ખેદની વાત છે. ૪૩. Page #42 -------------------------------------------------------------------------- ________________ मायावल्लीवितानोऽयं, रुद्धब्रह्माण्डमण्डपः । विधत्ते कामपिच्छायां, पुंसां सन्तापदीपनीम् ॥४४॥ જેણે બ્રહ્માંડરૂપી મંડપને ઢાંકી દીધું છે એ આ માયારૂપી વહિલને ચંદરવો કેઈ એવા પ્રકારની છાયા કરે છે કે જે પ્રાણીઓના સંતાપને ઉત્તેજિત કરે છે. ૪૪. सूत्रयन्ती गतिं जिह्मां, मार्दवं बिभ्रती बहिः । अजस्रं सर्पिणीवेयं, माया दन्दश्यते जगत् ॥ ४५ ॥ વક્રગતિને ધારણ કરતી અને બહારથી કોમલતાને દર્શાવતી સાપણની માફક આ માયા નિરંતર જગતને ડસ્યા કરે છે. ૪૫, प्रणिधाय ततश्चेतस्तनिरोधविधित्सया । ऋजुतां जाङ्गुलीमेतां, शीतांशुमहसं स्मरेत् ॥ ४६ ॥ તેથી તેને નિરોધ કરવાની–તેને રોકવાની ઈચ્છાથી ચિત્તને રિથર રાખીને ચન્દ્રસમાન કાન્તિવાળી આ સરળતારૂપી જાંગુલી વિદ્યાનું સ્મરણ કરવું જોઈએ. ૪૬. Page #43 -------------------------------------------------------------------------- ________________ लोभद्रुममवष्टभ्य, तृष्णावल्लिरुदित्वरी । आयासकुसुमस्फीता, दुःखैरेषा फलेग्रहिः ॥४७॥ પ્રયાસરૂપી–ખેદરૂપી પુપિથી વૃદ્ધિ પામેલી અને દુઃખ વડે ફલદાયક બનેલી આ તૃષ્ણારૂપી વેલડી લેમરૂપી વૃક્ષને આશ્રય લઈને ઉપર વધતી જાય છે. ૪૭. શાશા (E)વાનુૌતમ સમયમ लोभः पुमर्थहंसानां, प्रावृषेण्यघनाघनः ॥ ४८ ॥ દિશાઓને અતિશય ગ્રસિત કરતે અને અંધકારને પુષ્ટ કરતે આ લોભ, પુરુષાર્થરૂપી હંસે માટે, તેમને ભગાડી મૂકવા માટે વર્ષાઋતુના ઘનઘેર મેઘ જેવો છે. ૪૮. क्षमाभृदप्रियः साधुवृत्तलक्ष्मीविनाकृतः । મામંત્રી સુષ્પન , ટોમોડપુધિરથે નરઃ || 8 આ લોભરૂપી સમુદ્ર કઈ નવી જાતને સમુદ્ર છે. તે ક્ષમાધારીઓને (મુનિઓને ) અપ્રિય છે-બીજે પક્ષે પર્વતને અપ્રિય છે, સુંદર આચારરૂપી લક્ષમી વિનાને છે અને નિયરીતે મયદાને લેપ કરનારો છે. ( સામાન્યતયા સમુદ્ર પર્વતને પ્રિય હોય છે, લમીસહિત હોય છે અને મર્યાદાયુક્ત હોય છે. ૪૯. Page #44 -------------------------------------------------------------------------- ________________ लवणोदन्यतो यः स्यादगाधबोधने विभुः। अलम्भविष्णुः सोऽप्यस्य, नैव वैभवसंविदे ॥ ५० ॥ જે (મનુષ્ય ) લવણસમુદ્રની ગંભીરતા જાણવા સમર્થ છે તે પણ આના ( લેભ સમુદ્રના ) વૈભવને જાણવા માટે સમર્થ નથી. પ૦. समन्तात्तस्य शोपाय स्वस्थीकृतजलाशयम् । इमं मानससन्तोषमगस्तिं श्रय सत्वरम् ॥ ५१ ॥ તે લેભરૂપી સમુદ્રનું સંપૂર્ણ પણે શેષણ કરવા માટે સ્વસ્થ કરી નાખ્યા છે જડ આશયને જેણે એવા આ મનઃસંતેષરૂપી અગસ્તિને તું સત્વર આશ્રય કર. ૫૧. यस्मै समीहसे स्वान्त !, वैभवं भवसम्भवम् । अनीहयैव तद्वश्यमवश्यं श्रय तं ( तत् ) सुखम् ॥५२॥ હે હદય! જે સુખ માટે સાંસારિક વૈભવને તું ઈરછી રહ્યો છે તે સુખ પૃડાના અભાવથી જ આધીન થનાર છે માટે તું અવશ્ય ( તે સંતેષ સુખને ) આશ્રય કર. ૫૨. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ अजितैरिन्द्रियैरेष, कषायविजयः कुतः । तदेतानि जयेद्योगी, वैराग्यस्थेमकर्मभिः ॥ ५३॥ જ્યાં સુધી ઇન્દ્રિયે જિતાય નહીં ત્યાં સુધી આ કષાયને વિજય કયાંથી થાય ? તેથી ચેગી પુરુષે વૈરાગ્યને સ્થિર કરનારી ક્રિયાએ દ્વારા ( વૈરાગ્ય, સ્થિરતા આદિ ક્રિયાએ દ્વારા ) આ ઇન્દ્રિયાને જીતવી જોઇએ. ૫૩. एतानि सौमनस्यस्य, द्विपन्ति महतामपि । સ્વાથસમ્પત્તિનિષ્ઠાનિ, ધન્ત ન્ત ! ટુનનેઃ ॥ ૬૪ ॥ સ્વાર્થ સાધવામાં તત્પર આ ઇન્દ્રિયા મહાન પુરુષાના પણ સૌમનસ્યને દ્વેષ કરે છે અને ખેદની વાત છે કે દુના સાથે સ્પર્ધા કરે છે. ૫૪. यद्वामी पिशुनाः कुर्युरनार्य ( नर्थ ) मिह जन्मनि । इन्द्रियाणि तु दुर्वृत्तान्यमुत्रापि प्रकुर्वते ॥ ५५ ॥ । ॥ અથવા તે। આ વિષ્ણુના ( ચાડીયાએ ) આ જન્મમાં જ અન કરે છે. જ્યારે દુષ્ટ આચરણુંવાળી ઇન્દ્રિયા તે પરલેાકમાં પણ અનથ કરે છે. ૫૫. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મૌનનેન્થિવાઃ પષ્ટ, દશ વ્રુષ્ટ स्मृत्यापि विषयाः पापा, दन्दान्ते च દૃષ્ટિવિષ સૌ સ્પષ્ટ રીતે પે।તે જેને દૃષ્ટિથી સ્પર્શ કરે છે તેને ખાળે છે. જ્યારે આશ્ચયની વાત છે કે પાપી એવા વિષયા મરજીથી પણ (તેમનુ' સ્મરણ કરવા માત્રથી ) પ્રાણીએને વારવાર મળે છે. ૫૬. દૃયદા ! ! देहिनः ॥५६॥ विषयेष्विन्द्रियग्रामश्चेष्टमानासमञ्जसम् । नेतव्यो वश्यतां प्राप्य, साम्यमुद्रां महीयसीम् ॥ ५७ ॥ વિષયામાં અયેગ્ય રીતે ચેષ્ટા કરતા ઈન્દ્રિયાના સમૂહને અતિશય મેટી એવી સામ્યરૂપી મુદ્રા પ્રાપ્ત કરીને વશ કરવા જોઇએ. ૫૭. " यदामनन्ति विषयान् विषसब्रह्मचारिणः । तदलीकममी यस्मादिहामुत्रापि दुःखदाः || ५८ ॥ વિષયાને વિષ સરખા જે કહેવાય છે તે ખાટું છે. કારણ કે, આ વિષચે. આ લેાક અને પરલેાકમાં પણ દુ:ખ આપ નાર છે. ( જ્યારે વિષ તે માત્ર આ લેાકમાં જ દુ:ખ આપે છે. ) ૫૮, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ यदात्मन्येव निःक्लेश, नेदीयोऽकृत्रिमं सुखम् । अमीभिः स्वार्थलाम्पट्यादिन्द्रियैस्तद्विवाध्यते ॥ ५९ ॥ જે સુખ આત્મામાં જ છે, નજીક છે, કલેશ વિનાનું છે, સ્વાભાવિક છે તે સુખને આ ઇન્દ્રિય પાતે વાલપટ્ટ હાવાથી શકે છે. ૫૯. अन्तरङ्ग द्विपत्सैन्यनासीरैर्वीरकुञ्जरैः । ગાલ્લ: શ્રુતપરું, હીચૈવ વિદ્ધવ્યતે II ૬૦ || અંતરંગ શત્રુઓના સૈન્યની મેાખરે ચાલનાર, વીરામાં શ્રેષ્ઠ એવા ઇન્દુિચારૂપી સુભટા વડે શ્રુતનુ' અલ લીલાપૂર્વક ક્ષણવારમાં નષ્ટ કરી નાખવામાં આવે છે. ૬૦ स्वैरचारीन्द्रियाश्रीयविशृङ्खलपदक्रमैः । विसृत्वरेण रजसा तवदृष्टिर्विलीयते ॥ ६१ ॥ ઈચ્છાનુસાર ચાલતા ઇન્દ્રિયેરૂપી અશ્વોના આડાઅવળા પગલાંથી ફેલાતી રજવડે તત્ત્વરૂપી દૃષ્ટિ લુપ્ત થાય છે. ૯૧. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ इन्द्रियाण्येव पञ्चेषुर्विधाय किल सायकान् । जगत्त्रयजयी दत्ते, पदं वक्षसि विद्विषाम् ॥ ६२॥ ત્રણેય જગતને જીતનાર કામદેવ. ખરેખર ઇન્દ્રિયાને જ ખાણુ ખનાવીને શત્રુઓની છાતી પર પગ મૂકે છે. ૬૨. वीरपञ्चतयीमेतामुरीकृत्य मनोभवः । उपैति सुभट श्रेणीसंख्यारेखां न पूरणीम् ॥ ६३॥ કામદેવને, આ પાંચ વીરાને અંગીકાર કર્યો. પછી ખીજી પૂરક સુભટાની શ્રેણીની સખ્યાની પરંપરાની જરૂરત રહેતી નથી. ૬૩. બો! સજ્જનમાય, વિધાતા નૂતનઃ હિ । क्लेशजं दुःखमप्येतद्धत्ते यस्तु सुखाख्यया ॥ ६४ ॥ આશ્ચર્યની વાત છે કે આ કામદેવ ખરેખર! કાઈ નવા જ પ્રકારના વિધાતા છે. કારણ કે, જે કલેશથી ઉત્પન્ન થતા દુ:ખને પણ સુખના નામથી ઓળખાવે છે. ૬૪. Page #49 -------------------------------------------------------------------------- ________________ विषमेपुरयं धूर्तचक्रशक्रत्वमर्हति । दुःखं सुखतयाऽदर्शि, येन विश्वप्रतारिणा ॥६५॥ આ કામદેવ ધૂર્તોના સમૂહમાં ઈન્દ્ર સમાન છે. કારણ કે, દુનિયાને ઠગનારા જેણે દુઃખને (પણ) સુખ તરીકે દર્શાવ્યું છે. ૬૫. यस्य साम्राज्यचिन्तायां, प्रधानं हन्त ! योषितः । सोऽपि सङ्कल्पभूः स्वस्य, कथं स्थेमानमीहते ।। ६६॥ ખેદની વાત છે કે, પોતાના સામ્રાજ્યની ચિન્તામાં પ્રધાન તરીકે જેને સ્ત્રીએ છે એ પણ કામદેવ પોતાની સ્થિરતા કેવી રીતે-કયા પ્રકારે ઈચ્છતો હશે ? ૬૬. दर्शयन्ति खलबैरतथ्यमपि तात्त्विकम् । या इन्द्रजालिकप्रष्ठास्ताः किं विश्रम्भभाजनम् ॥६७॥ જેઓ છેડા શબ્દોથી અવાસ્તવિકને પણ વારતવિક તરીકે દર્શાવે છે તે ઈન્દ્રજાલિકામાં મુખ્ય એવી સ્ત્રીએ શું વિશ્વાસ પાત્ર ગણાય ? ૬૭. Page #50 -------------------------------------------------------------------------- ________________ निजलालाविलं लीढे, यथा श्वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तुर्वस्तुभिः प्रीयते तथा ॥ ६८ ॥ જેમ ફતરો પિતાની લાળથી વ્યાત એવા સૂકા હાડકાને ચાટે છે ( અને તેમાં સુખ માને છે, તેમ પ્રાણી પિતાની વાસનાના રસથી-વાસનાના કારણે વસ્તુ ઓ વડે ખૂશ થાય છે. ૬૮ विधाय कायसंस्कारमुदारघुसृणादिभिः । વાત્માનમાભનૈવાહો !, વશ્ચયને કાશયાઃ | જડબુદ્ધિવાળા પુરુ, ઉત્તમ એવા કેસર આદિ દ્રવ્યથી પિતાની કાયાને સંસ્કાર કરીને, આશ્ચર્યની વાત છે કે પિતાની જાતે જ પિતાને ઠગે છે. ૬૯. स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्वविचारेण, जेतव्यमिति मे मतिः ॥ ७० ॥ દુખે કરીને વશ કરી શકાય તેવા મનને પ્રથમ જીતવા થી જ પછી ઈનિક સુખથી જીતી શકાય છે અને તે મનને તત્વના વિચારથી જીતવું જોઈએ એમ મને લાગે છે. ૭૦. Page #51 -------------------------------------------------------------------------- ________________ सञ्चरिष्णुरसौ स्वैरं, विषयग्रामसीमसु । स्वान्तदन्ती वशं याति, वीतकर्मानुशासनात् ॥ ७१ ॥ વિષયરૂપી ગામના સીમાડાઓમાં ઈચ્છાનુસાર ફરવાના સ્વભાવવાળે આ મનરૂપી હાથી, જેમના કર્મો ચાલ્યા ગયા છે એવા, વીતરાગ ભગવંતના અનુશાસનથી વશ થાય છે. ૭૧. मनःपवनयोरैक्य, मिथ्या योगविदो विदुः। बम्भ्रमीति यतः स्वैरमतीत्य पवनं मनः ॥ ७२ ॥ યોગના જાણકારે મન અને પવન એક છે એવું જે કહે તે ખોટું છે કારણ કે મન, પવનનું ઉલંઘન કરીને ઈચ્છાનુ સાર પરિભ્રમણ કરે છે. ૭૨. चक्षुष्यद्वेष्यतां भावेष्विंद्रियः स्वार्थतः कृताम् । आत्मन् स्वस्याभिमन्वानः, कथं नु मतिमान् भवान् ? ॥७३॥ હે આત્મન્ ! જગતના સર્વ પદાર્થોમાં ઇન્દ્રિય એ સ્વાર્થથી કરેલી રમ્યતા-રાગબુદ્ધિ અને હેલ્થતા-દ્વેષબુદ્ધિને પિતાની માનતે તું કેવી રીતે બુદ્ધિમાન ગણાય ? ૭૩. Page #52 -------------------------------------------------------------------------- ________________ अवधत्से यथा ग्रह !, ललनाललिते मनः मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः ।। ७४ ।। હે મૂઢ આત્મન્ ! જેવી રીતે તે સ્ત્રીઓના વિકાસમાં મનને એકાગ્ર કરે છે તેવી રીતે મૈત્રી આદિ ભાવનાઓમાં તેને સ્થાપન કર અને પિતાનું હિત કર. ૭૪. आत्मन्येव हि नेदिष्ठे, निरायासे सुखे सति । किं ताम्यसि बहिमूढ, सतृष्णायामिवैणकः ॥ ७५ ॥ હે મૂઢ આત્મન ! આયાસ વિનાનું સુખ આત્મામાં જ નજીક હોવા છતાં જેમ હરણ મૃગતૃષ્ણા પાછળ દુઃખી થાય તેમ તું શા માટે બહાર (તેને મેળવવા) દુઃખી થાય છે? ૭૫. प्रियाप्रियव्यवहृतिर्वस्तुना वासनावशात् । अङ्गजत्वे सुतः प्रेयान , यूकालिक्षमसम्मतम् ।। ७६ ॥ કેઈપણ વસ્તુ પ્રત્યે પ્રિય કે અપ્રિયને વ્યવહાર તે કેવળ આપણા મનની વાસનાના કારણે જ છે. શરીરથી ઉત્પન્ન થયેલ પુત્ર પ્રિય લાગે છે જ્યારે તે જ શરીરથી ઉત્પન્ન થયેલ જૂ, લીખ વગેરે અપ્રિય લાગે છે. ૭૬. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ इदं कृत्रिमकर्पूरकल्पं सङ्कल्पजं सुखम् । રાયત્યાસા મુગ્ધાન(ના)ન્તરજ્ઞાનદુ:સ્થિતાન્ ।।૭૭|| । આ સંકલ્પથી ઉત્પન્ન થયેલું સુખ બનાવટી કપૂરના જેવું છે કે જે આન્તરિક જ્ઞાન વિના દુ:ખી અનેલા મૂઢ-ભેાળા લેાકેાને તત્કાળ રાજી કરે છે. ૭૭. મમત્ત્વ મામ ! માવેલુ, વાસનાતા ન વસ્તુતઃ । ગૌરસાવ્પત્રાવ, પુત્રત્રાત્ત્તત્ત્વમીશ્ર્વતે ॥ ૭૮ || વત્સ! જગતના પદાર્થોમાં મમત્ર તે ફૈવલ વાસનાથી જ છે પણ વસ્તુના ચેગે નથી. પેાતાના ઔરસ પુત્ર-સગા પુત્રથી અન્ય સ્થળેામાં પણ કાયવશાત્ પુત્રવાત્સલ્ય દેખાય છે. ૭૮. वासना वेशवशतो, ममता न तु वास्तवी | गवाश्वादिनि विक्रीते, विलीनेयं कुतेोऽन्यथा ॥ ७९ ॥ છે પરંતુ મમતા કેવળ વાસનાના આવેશના લીધે જ વાસ્તવિક નથી. જો તેમ ન હોય તે ગાય, ઘેાડા વગેરે વેચી દીધા બાદ એ મમતા ફેમ ચાલી જાય છે ? ૭૯. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૧ विश्वं विश्वमिदं यत्र, मायामयमुदाहृतम् । अवकाशोऽपि शोकस्य, कुतस्तत्र विवेकिनाम् ॥८०॥ જ્યાં આ સમગ્ર વિશ્વ જ માયામય કહેવાયું છે ત્યાં વિવેકીઓને શેકને અવકાશ પણ કયાંથી હોય ? ૮૦. धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः सङ्कल्पितेऽप्यर्थे, तत्वबुद्धिर्विजृम्भते ॥ ८१ ॥ વિશ્વમાં પ્રસરતી, મેહમય આ અવિદ્યાને ધિકકાર થાઓ. કારણ કે, જેનાથી –જે અવિઘાથી સંકલિત કરેલા-કલ્પિત એવા પણ અર્થમાં આત્માને તત્વબુદ્ધિ પ્રગટ થાય છે. ૮૧, अनादिवासनाजालमाशातन्तुभिरुभितम् । निशातसाम्यशस्त्रण, निकृन्तति महामतिः ॥ ८२ ॥ મહાબુદ્ધિમાન પુરુષ, આશારૂપી તંતુઓથી ભરેલી-ગૂંથેલી, અનાદિ કાળની વાસનારૂપી જાળને તીલ એવા સમતારૂપી શસ્ત્રવડે કાપી નાખે છે. ૮૨. Page #55 -------------------------------------------------------------------------- ________________ કુર अनादिमायारजनीं, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादन्तं नयति योगवित् ॥ ८३ ॥ યાગી પુરુષ, અધકારને ઉત્પન્ન કરનારી, અનાદિકાલની માયારૂપી રાત્રિનેા પેાતાના જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશવડે મળ પૂર્વક નાશ કરે છે. ૮૩. अध्यात्मोपनिषद्बीज - मौदासीन्यममन्दयन् । न किञ्चिदपि यः पश्येत्स पश्येत्तत्वमात्मनः ॥ ८४ ॥ અધ્યાત્મના રહસ્યના ખીજભૂત ઉદાસીનતાને મન્દ ન થવા દેતા જે આત્મા ખીજું કંઇપણ ન જુએ તે આત્મતત્ત્વને જોઈ શકે છે. ૮૪. निःसङ्गतां पुरस्कृत्य यः साम्यमवलम्बते । परमानन्दजीवातौ, योगेऽस्य क्रमते मतिः ॥ ८५ ॥ જે આત્મા નિઃસગપણાને આગળ કરીને સમભાવનુ આલખન કરે છે તેની બુદ્ધિ પરમ આનંદને જીવાડનાર ઔષધ સમાન યાગમાં પ્રવેશ કરે છે. ૮૫. Page #56 -------------------------------------------------------------------------- ________________ સભ્યશતક ( સાવાદ ) दम्भजादपि निःसङ्गाद्भवेयुरिह सम्पदः । निश्छद्मनः पुनस्तस्मात् किं दवीयः ? परं पदम् ||८६|| આ લેાકમાં 'શપૂર્વકના નિઃસ`ગપણાથી પણ સમ્પત્તિએ પ્રાપ્ત થાય છે તેા પછી ભરહિત નિઃસ’ગપણુ કરવામાં આવે તે પરમપદ શું ૬૨ ૨હે? ૮૬. सङ्गावेशान्निवृत्तानां माभून्मोक्षो वशंवदः । यत्किञ्श्चन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ॥८७॥ 88 સ'ગના આવેશથી નિવૃત્ત થયેલા જીવાને કદાચ મેક્ષ વશ ન થાય તે પણ જે કઇ સુખ પ્રાપ્ત થાય છે તે કહી શકાતું નથી. ૮૭. स्फुरत्तृष्णा लताग्रन्थिर्विषयावर्त्तदुस्तरः | क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ||८८ || સ્કુરાયમાન છે તૃષ્ણારૂપી લતાની ગાંઠ જેમાં એવે, વિષયાના આવત્તોથી દુ:ખે કરીને તરાય એવા, તથા કલેશેા રૂપી કલ્લાલેાની ક્રીડાએથી ભયકર એવા આ સ'સારરૂપી સમુદ્ર છે. ૮૮. Page #57 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક (સાનુવાદ) विदलद्वन्धकर्माणमद्भुतां समतातरीम् । બાહ્ય તરસ યોનિ ! તસ્ય પારખતાં શ્રય ૮sil હે ગી! જેણે બંધના હેતુભૂત કર્મોને દળી નાખ્યા છે. એવી અદ્ભુત સમતારૂપી નૌકા પર ચઢીને શીઘ તે ભવસમુ. દ્રના પારને પામ. ૮૯. शीर्णपर्णाशनप्रायैर्यन्मुनिस्तप्यते तपः । औदासीन्यं विना विद्धि तद् भस्मनि हुतोपमम् ॥९०॥ ખરી પડેલા સૂકા પાંદડાના ભેજન જેવા ભેજને વડે, મુનિ જે તપ તપે છે તે તપ પણ ઉદાસીનતા ભાવ આવ્યા વિના રાખમાં ઘી હોમવા જેવું છે. ૯૦. येनैव तपसा प्राणी मुच्यते भवसन्ततेः । तदेव कस्यचिन्मोहाद् भवेद् भवनिबन्धनम् ॥९१॥ જે તપથી પ્રાણી સંસારની પરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ મેહના ગે કેઈક જીવને સંસારનું કારણ થાય છે. ૯૧. Page #58 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક (સાનુવાદ) ૩૫ सन्तोषः सम्भवत्येष विषयोपप्लवं विना । तेन निर्विषयं कश्चिदानन्दं जनयत्ययम् ॥९२॥ આ સંતેષ વિષયોના ઉપદ્ર ન હોય ત્યારે ઉત્પન્ન થાય છે તેથી તે નિર્વિષય-વિષયો જેમાં ન હોય તેવા–એવા કેઈક અલૌકિક આનન્દને જન્મ આપે છે. ૯૨. वशीभवन्ति सुन्दर्यः पुंसां व्यक्तमनीहया । यत्परब्रह्मसंवित्तिनिरीहं श्लिष्यति स्वयम् ॥१३॥ સુંદર સ્ત્રીઓ પુરુષોને જયારે તેની સ્પૃહા ન હોય ત્યારે વશ થાય છે, એ વાત સાવ સ્પષ્ટ છે, કારણ કે પરબ્રહ્મ સંવિત્તિ (પરબ્રહ્મનું જ્ઞાન) રૂપી સ્ત્રી આશંસા વિનાના પુરુષને પિતાની મેળે જ ભેટે છે. ૯૩. सूते सुमनसां कश्चिदामोदं समतालता । यद्वशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणः ॥९४॥ સમતારૂપી લતા પિતાના પુપમાંથી કેઈ તેવા પ્રકારની સુગંધી પેદા કરે છે કે જેના ચગે નિત્ય વેર ધારણ કરનારા છે પણ મૈત્રીરૂપી સુગંધીને પ્રાપ્ત કરે છે. ૯૪. Page #59 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક (સાનુવાદ ) साम्यब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ॥१५॥ મુમુક્ષુ આત્માએ સામ્યરૂપી બ્રહ્માસ્ત્રને ધારણ કરીને, માયાવી એવી આ મેહરૂપી રાક્ષસરાજની સેનાને જીતી લો. ૫, मा मुहः कविसङ्कल्पकल्पितामृतलिप्सया । निरामयपदप्राप्त्यै सेवस्व समतासुधाम् ॥९६।। કવિઓએ મનના સંક૯પથી કપિલા અમૃતને મેળવવાની ઈચ્છામાં મેહ ન પામ. પરંતુ, મેક્ષિપદની પ્રાપ્તિ માટે સમતા રૂપી અમૃતનું તું સેવન કર. ૯૬. योगग्रन्थमहाम्भोधिममवथ्य मनोमथा । साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निवृत्तिम् ॥९७।। (હે આમન્ !) મનરૂપી રવૈયાથી ગગ્રરૂપી મહાસાગ રને મથીને, સામ્યરૂપી અમૃતને પ્રાપ્ત કરી શીવ્ર મુક્તિને પ્રાપ્ત કર. ૯૭. Page #60 -------------------------------------------------------------------------- ________________ સામશતક (સીનુવાદ) मैच्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । । । पुमांसं ध्रुवमायान्ति सिद्धिभृङ्गाङ्गनाः स्वयम् ॥९८॥ સિદ્ધિરૂપી ભમરીઓ મૈત્રી આદિ ગુણોની વાસનારૂપી સુગં. ધથી જેણે સઘળી દિશાઓને વાસિત કરી છે, એવા પુરુષની સમીપે અવયં અવશ્ય આવે છે. ૯૮. औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसम्भ्रमम् । कोपादिव विमुश्चन्ति स्वयं कर्माणि पुरुषम् ॥९९॥ ઉદાસીનતા ભાવથી ઉલ્લાસ પામતી મૈત્રી વડે પવિત્ર બનેલા, સંજમથી રહિત એવા પુરુષને કર્મો જાણે કે તેના પર ગુસ્સે આવ્યું ન હોય તે રીતે પોતે જ ત્યજી દે છે. ૮ योगश्रद्धालवो ये तु नित्यकर्मण्युदासते । प्रथमे मुग्धबुद्धीनामुभयभ्रंशिनो हि ते ॥१०॥ ગના શ્રદ્ધાળુ એવા જે પુરુષ પોતાના, નિત્ય કૃત્યમાં ઉદાસ બને છે તેઓ મુગ્ધ બુદ્ધિવાળાઓમાં પ્રથમ છે અને તે ઉભય ભ્રષ્ટ થનારા છે. ૧૦૦. * અહીં માત્રામેળ સચવાયો નથી. છઠ્ઠો અક્ષર ગુરુ નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સામશતક ( સાનુવાદ) प्रातिहार्यमियं धत्ते निवृत्तिनिवृतिश्रियः । य एव रोचतेऽमुष्ये तां स एव हि पश्यति ॥१०॥ આ નિવૃત્તિ તે મોક્ષલક્ષમીન દ્વારપાળપણાને ભજે છે. તેને (નિવૃત્તિને જે રૂચે છે તે જ તેને-મેક્ષલક્ષ્મીને જોઈ શકે છે.૧૦૧. अहो! वणिकला कापि मनसोऽस्य महीयसी । निवृत्तितुलया येन तुलितं दीयते सुखम् ॥१०२॥ આશ્ચર્ય છે કે, આ મનની વણિકલા કેવી મહાન છે! કારણું કે તે નિવૃત્તિરૂપી ત્રાજવાથી તેલી તેલીને સુખ આપે છે. ૧૦૨. साम्मदिव्यौषधिस्थेममहिम्ना निहतक्रियम् । कल्याणमयतां धत्ते मनो हि बहु पारदम् ॥१०३।। સામ્યરૂપી દિવ્ય ઔષધિની સ્થિરતાના માહાભ્યથી જેની ક્રિયા (ચંચલતારૂપી ક્રિયા) હણાઈ ગઈ છે એ મનરૂપી પારે સંપૂર્ણ-સુવર્ણમયપણાને ધારણ કરે છે. ૧૦૩. भूयांसि यानि शास्त्राणि यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किञ्चित् तेषामञ्चलमञ्चतु ॥१०४॥. આ સામ્યશતક મહાપુરુષોએ રચેલાં ઘણાં બધાં જે શાસ્ત્રો છે તે શાસ્ત્રના એક ભાગને પ્રાપ્ત કરે, ૧૦૪. Page #62 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ( સાનુવાદ) (શાર્વેસ્ટવોદિતમ્) क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा । सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् ॥ सोऽयं सिद्धरसः स्फुटं समरसो भावो मया व्याकृतः । श्रीमानद्भुतवैभवः सुमनसामानन्दजीवातवे ॥१०५॥ લેશના આવેશને ત્યાગ કરીને, સંપૂર્ણ રીતે ચિત્તવડે ધ્યાન કરાયેલે (એ) પણ જે ગીન્દ્રોની મુદ્રાને ધારણ કરનારા આત્માને સુંદર કલ્યાણમયતા તુરત જ સમપે છે, તે આ શોભાવાળે અને અદ્ભુત વૈભવવાળ સિદ્ધરસ જે સમરસભાવ, મેં સજજનેના આનંદને જીવાડવા માટે સ્પષ્ટ રીતે કહ્યો છે. ૧૦૫. श्रीमचन्द्रकुलाम्बुजैकतरणेः सतर्कविद्यावटी (टवी), सिंहस्याभयदेवसूरिसुगुरोरध्यात्मसंविज्जुषः । शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येन सिंहेन यनव्यं साम्यशतं तदस्तु सुहृदामुजागरुकं हृदि ॥१०६।। શ્રીમાનું એવું જે ચન્દ્રકુલ, તે રૂપી કમલ માટે એક સૂર્ય સમાન, સુંદર તર્કવિદ્યારૂપી અરણ્યમાં સિંહ સમાન, અધ્યાત્મજ્ઞાનનું સેવન કરનાર, સુગુરુ, શ્રી અભયદેવસૂરિના શિષ્યલેશ વિજયસિહે જે આ નવું સામ્યશતક બનાવ્યું, તે સહૃદય પુરુષના હૃદયમાં ઉજાગર-દશા પેદા કરનારૂં થાઓ. ૧૦૬. Page #63 -------------------------------------------------------------------------- ________________ Page #64 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ, ન્યાયાચાય ઉપાધ્યાયશ્રી યશેાવિજયજી વિરચિત સમતા શતક (સા ) કાહા સમતા ગગા મગનતા, ઉદાસીનતા જાત; ચિદાનંદ જયવંત હા, કેવલ ભાનુ પ્રભાત. ૧ સમતારૂપી ગંગામાં મગ્ન રહેવાપણારૂપી ઉદાસીનતાથી ઉત્પન્ન થયેલ આત્મિક આનંદ કે જે કેવળજ્ઞાનરૂપી સૂર્યના ઉડ્ડય પૂર્વના પ્રભાત જેવા છે તે જયલત થતાં. ૧ * દાહા છંદની આ દરેક કડી નીચે તેના અર્થ આપવામાં આવ્યા છે. તેમજ પાઠાંતરી જે લેવામાં આવ્યા છે તે કડી નીચે પાદ– નોંધમાં આપવામાં આવ્યા છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) સકલ કલામેં સાર લય, રહો દૂર થિતિ એહ; અકલ ગમેં ભી સકલ, લય ' બ્રહ્મ વિદેહ : ૨ સઘળીય કલાઓમાં જે કંઈ સાર હોય તે તે લય છે. એ વાત તે બાજુએ રાખે પણ અકલ ( નિલ) યુગમાં પણ તે સંપૂર્ણ લય બ્રહ્મજ્ઞાન આપે છે કે જે આત્માને વિદેહ-દેહમુક્ત કરનાર છે. ૨ . ચિદાનંદ વિધુકી કલા, અમૃતબીજ અન પાય; જાને કેવલ અનુભવી, કિનહી કહી ન જાય. ૩ આત્મિક આનંદરૂપી ચન્દ્રમાની કલા એ અમૃતનું (મેક્ષનું) બીજ છે, તે કલા કદી નાશ પામતી નથી અને તે કલાને જે આનંદ છે તે તે કેવલ અનુભવી જ જાણે છે. તે કેઈની આગળ કહી બતાવાતી નથી. ૩ ૧ મિ. J. * સંકેત J=જામનગર હરજી જૈનશાળાની પ્રત ૨ દિહ. J. M. મુદ્રિત “સામ્યશતક તથા સમાધિ શતક” * સકલ અને નિષ્કલ યોગની સમજૂતિ આ પ્રમાણે છે – જે યોગ પ્રક્રિયામાં શબ્દ ઉચ્ચારણવડે સમાપતિ સધાય તે “સકલ ગ” કહેવાય; અને જે પ્રક્રિયા કેવળ ભાવનાને આશ્રિત હોય અને તેના વડે જે સમાપતિ સધાય તો તે “નિષ્કલ વેગ કહેવાય છે. - ૩ જાઈ J. Page #66 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) તે ભી આશ્રવ તાપકે, ઉપશમ કરન નિદાન; બરષત હું નાકે વચન, અમૃત બિંદુ અનુમાન. ૪ તે પણ આશ્રવના તાપનું ઉપશમન કરવામાં કારણભૂત, અમૃતના છાંટશુ સમા (અનુભવના) વચનેને હું વર્ષાવું છું. ૪ ઉદાસીનતા પરિનયન, ગ્યાં(ગ્યા) થાં(થા)ને રંગરેલ; અષ્ટ અંગ મુનિ! ચોગક, એહી અમૃત નિચેલ. ૫ હે મુનિ! ઉદાસીનભાવની આત્મામાં પરિણતિ અને જ્ઞાનધ્યાનમાં એકતાનતા આ બે વસ્તુ અષ્ટ અંગવાળા ભેગને અમૃતભૂત નિચોડ છે. ૫ અનાસંગમતિ વિષયમેં, રાગદ્વેષકે છેદ; સહજભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. ૬ વિષયોમાં અનાસક્તબુદ્ધિ, રાગદ્વેષને છેદવાને ઉદ્યમ, સહજ સ્વભાવમાં લયલીનપણું આ બધા ઉદાસીનતાના જ ભેદ છે. ૬ તાકે કારન અમમતા, તામે" મન વિસરામ; કરે સાધુ આનંદઘન, હેવત આતમરામ, ૭ તે ઉદાસીનતા લાવવામાં કારણભૂત નિમમપણું છે. તેમાં, આનંદઘન (આનંદમાં મસ્ત) મુનિ પિતાના મનની વિશ્રાતિ કરે છે જેથી આત્મામાં રમણ કરતે થાય છે. ૭, ૪૦ મિં ઈ. ૫ તામિં. J, ૬ કરિ. J. Page #67 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) મમતા થિર સુખ શાકિની, નિરમમતા સુખ મૂલ; મમતા શિવ પ્રતિકૂલ હૈ, નિરમમતા અનુલ ૮ મમતા એ સ્થિર સુખને નાશ કરવા માટે શાકિની તુલ્ય છે જ્યારે નિમંમતા એ (સ્થિર) સુખનું મૂલ છે. મમતા તે મેક્ષમાર્ગથી પ્રતિકૂલ છે, જ્યારે નિમંમતા તે અનુકૂલ છે. ૮ મમતા વિષ મૂછિત ભયે, અંતરંગ ગુન વૃંદ; જાગે ભાવિ વિરાગતા, લગત અમૃતકે બિંદ. ૯ મમતારૂપી વિષથી મૂર્શિત થયેલા આન્તરિક ગુણના સમૂહે વિરાગભાવરૂપી અમૃતના બિન્દુએ તેના પર પડતાં જ જાગી ઉઠે છે. હું પર(રિનતિ વિષય વિરાગતા, ભવતરુ મૂલકુઠાર; તા આગે કયું કરિ રહે, મમતા બેલિ પ્રચાર. ૧૦ વિષયેના વિરાગની આમામાં પરિણતિ તે સંસારરૂપી વૃક્ષના મૂલમાં કુહાડે છે. તે કુહાડા આગળ (કે જ્યાં મેટા મોટા વૃક્ષે ઉખડી જાય ત્યાં) મમતારૂપી વેલડીને ફેલાવો કેવી રીતે રહી શકે? ૧૦ ૭ છે. J૮ મૂરતિ , J. ૯ ભએ. J. ૧૦ મિ. J. ૧૧ તરૂ. M. ૧૨ આગે J. ૧૩ કિG J. Page #68 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક ( સાથ ) હુહા ! મેહકી વાસના, મુકુ૧૪ ભી પ્રતિકૂલ, યા કેવલ તઅધતા, અહ‘કારકી મૂલ. ૧૧ ખેદની વાત છે, કે મેહની વાસના પડિતજનને પણ પ્રતિકૂલ માગે લઈ ય છે, મેાહના યાગે જ્ઞાન પણ તેમને અધ કરે છે અને અહંકાર વધારનારૂ થાય છે. ૧૧ મેાહ તિમિર મનમે‘પ ગિ' (ગે), યાકે ઉદય અછેહ; અધકાર પરિનામ હૈ, શ્રુતકે નામે૧૧ તેહ, ૧૨ જેના ઉદય થતાં મનમાં,મેહરૂપી અંધકાર જાગે તે શ્રુત નથી પશુ શ્રુતના નામે અધકારને પરિણામ છે. ૧૨ ૧૪ ક્ષુબ્ધકુ', J. ૧૫ મનિમ'. J, ૧૬ નામિ. ઈ. * સરખાવે: ૫ तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्ति दिनकरकिरणाग्रतः स्थातुम् ॥१॥ જે ઉદય પામતાં રાગને સમૂહ ખીલી ઉઠે તે જ્ઞાન જ હાઇ શકતું નથી. સૂર્યના કિરણેા પ્રકાશી ઉર્ફે અને અંધકાર રહે એ ખની શકે ખર્′′ ? Page #69 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) કરે મૂઢમતિ પુરુષકુ, કૃત ભી મદ ભય રે, જયું “ રેગીકુ ખીર વ્રત, સંનિપાતક પોષ. ૧૩ જેમ રેગી માણસને ખીર અને ઘી સંનિપાત વધારવા માટે થાય છે તેમ મૂઢ બુદ્ધિવાળા પુરુષને શ્રત (જ્ઞાન) પણ મદ, ભય અને રોષની વૃદ્ધિ કરનારું થાય છે. ૧૩ ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતા પંક લહરી ભાવ વિરાગકી, તાકે ભજો નિસંક. ૧૪ વિરાગ ભાવ (રૂપી જલ) ની લહેર (કોષ રૂપી) દાહને ટાળે છે, (વિષયરૂપી) તૃષાને દૂર કરે છે અને મમતારૂપી કાદવને સાફ કરે છે. તેથી શંકારહિતપણે તેનું સેવન કરે. ૧૪ રાગભુજંગમ વિષ હરન, ધારે મંત્ર વિવેક ભવવન મૂલ ઉછેદકું, વિલ યાકી ટેક. ૧૫ રાગરૂક્ષી સપનું વિષ દૂર કરવા માટે વિવેકરૂપી મંત્રને મનમાં ધારે. એ વિવેક સંસારરૂપી વનનું મૂલ છેદી નાખવા માટે સમર્થ છે. ૧૫ ૧૭ કરિ. J. ૧૮ જિ8. J. ૧૯ ટાલિ J. ૨૦ હરિ . ૨૧ ગાલ J. ૨૨ લહરિ M. ૨૩, વિલાસિ. J. Page #70 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) ૭ - રવિ દૂજે તીજેપ નયન, અંતર ભાવ પ્રકાસ.. કરો ધંધ સવિ પરિહરી, એક વિવેક અભ્યાસ. ૧૬ આંતરિક ભાવેને પ્રકાશિત કરનાર બીજા સૂર્ય જે અને ત્રીજા નેત્ર જે એક વિવેક જ છે, માટે બધી જ પ્રવૃત્તિઓને ત્યાગ કરી, એક વિવેકને મેળવવાને જ અભ્યાસ કરે. ૧૬ પ્રશમ“પુષ્પરાવર્તકે, વરસત૬ હરણ વિશાલ; દ્વપ હુતાશ બુઝાઈઈ, ચિતા જાલ જટાલ. ૧૭ ચિત્તારૂપી જવાલાએથી વ્યાપ્ત એવા શ્રેષરૂપી અગિને પ્રશમરૂપી પુષ્કરાવ મેઘની વૃષ્ટિથી વિશાલ હર્ષપૂર્વક બુઝાવવું જોઈએ. ૧૭ કિનકે વશ ભગવાસના, હે ૧ વેશ ધૂત મુનિ ભી જિનકે બશ ભયે, હાવિ ભાવિ અવધૂત. ૧૮ અવધૂત એવા મુનિએ પણ જેના હાવભાવથી વશ થઈ જાય છે એવી, ધૂર્ત વેશ્યા જેવી. ભવની વાસના-સંસારની વાસના-કેને વશ થાય ? ૧૮ ૨૪ રવી M. ૨૫ ત્રીજે M. ૨૬ પ્રગાસ. J. ૨૭ સબ. M. ૨૮ પ્રથમ M. ૨૯ વરષનિ. J. ૩૦ હુતાસ. M. ૩૧. હેવિં. ઈ. ૩૨ મિ. J. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમતાશતક (સાથે) જબલું ભવકી વાસના, જાગે મેહ નિદાન તબલું જ ન લોકકુ, નિરમમ ભાવ પ્રધાન. ૧૯ મેહના હેતુભૂત ભવની વાસના જ્યાં સુધી હોય ત્યાં સુધી શ્રેષ્ઠ એ નિર્મમ ભાવ-મમતાના ત્યાગરૂપી ભાવ-લોકને અચતે નથી. ૧૯ વિષમ તાપ ભવ વાસના, વિવિધ દેષકો જેર; પ્રગટે યાકી મબલતા, કવાથ કપાએ ઘર, ૨૦ - ભવની વાસના તે વિષમ જવર છે. જેમાં ત્રિદોષનું જોર હોય છે અને તેમાં ઘર એવા કષાયને કવાથ ભળતાં તે પ્રબલ બને છે. ૨૦ તાતે ૨૮ દુષ્ટ કષાય કે, છેદ૩૯ હેત નિજ ચિત્તો ધરે એહ શુભવાસના, સહજ ભાવમૅમિત્ત. ૨૧ હે મિત્ર! તેથી દુષ્ટ કષાયેના છે માટે પિતાના ચિત્તમાં આ શુભ વાસના, સહજ ભાવે ધારણ કરે. ૨૧ - ૩૩ જાગિ. J. ૩૪ ચિ. J. ૩૫ વિષય. M. ૩૬ પ્રકટિ. J. ૩૭. કષ ઈ. J. ૩૮ તાતિ. J. ૩૯ છે. M. ૪૦ ચિતિ. J. ૪૧ ભાવમિં. ઈ. ૪૨ મિતિ, ઈ. Page #72 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) સિદ્ધ ઔષધી ઇક ખિમા, તાકો કરો પ્રગ; જ્યુ** મિટિ જાયે પરમેહ ઘર, વિષમ ક્રોધ જવર રોગ. રર આ માટે સિદ્ધ ઔષધિ કેઈપણ હેય તે તે એક ક્ષમાં છે. તેને તમે પ્રયોગ કરે જેથી મેહના ઘર જે, વિષમ, ક્રોધ જવર નામને રેગ ચાળે જાય. ૨૨ ચેતનકો જ કોમલ લલિત, ચિદાનંદમય દેહ સૂક ભૂક જુર જાત હૈ, ક્રોધ લૂકતિ તેહ, ૨૩ આ આત્માને કેમલ, સુંદર અને ચિદાનંદરૂપ દેહ કેધને લીધે શુષ્ક અને જજરિત થઈ જાય છે. ૨૩ ક્ષમાસાર૪૮ ચંદન રસે, સીએ ચિત્ત પવિત્ત; દયાવેલ મંડપ તલે, રહે લહે સુખ મિત્ત. ૨૪ હે મિત્ર ! પવિત્ર એવી દયારૂપી વેલડીના મંડપ તળે રહીને ક્ષમારૂપી શ્રેષ્ઠ ચંદનના રસથી ચિત્તને સિંચન કરે અને સુખને પામે. ૨૪ ૪૩ ક્ષમા. M. ૪૪ જિઉં. J. ૪૫ જાઈ. J. ૪૬ ચેતનકુ. M ૪૭ દૂરિ. J. ૪૮ વિષ સાર છે. ૪૯ રસ J. પ૦ સિંચે હદય પવિત્ત. ઈ. પા તલિ. J. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમતાશતક (સાથે) યાકો ભાજે શમવધ, ખિમા સહજ મેં જોર ક્રોધ જોધ૫૪ કિ૬ કરિ કરિ, સે અપને બલર. ૨૫ - જેને શમરૂપી પતિની પત્ની ક્ષમારૂપી સ્ત્રી સહજમાં એરપૂર્વક પછી નાખે છે તે ક્રોધરૂપી યોદ્ધો પોતાના બલની જાહેરાત શું જોઈને કરતે હશે ? ૨૫ દેત ખેદ વરજિત ખિમા", ખેદ રહિત સુખરાજ; ઇનમેં નહિ સંદેહ કછુ, કારન સરિખે કાજ. ર૬ ક્ષમાં ખેદ વિનાની છે (એટલે કે તેને ધારણ કરવામાં કશું કઈ નથી પડતું). તેથી તે ખેદ વિનાના સુખને ઉપન્ન કરે છે એ વાતમાં કશે જ સંદેહ નથી. કારણ કે, કારણને અનુસાર કાર્ય હોય છે. ૨૬ પરબત ગરબે શિખર ચડ6, ગુરુકુ ભી લઘુ રૂપ; કહિતિહાપ૯ અચરજ કિ ? કથન ન અનુરૂપ, ૨૭ ગવરૂપી પર્વતના શિખર પર ચઢેલે પ્રાણુ ગુરુ એને પણ લઘુ વરૂપે કહે-(ગણવે તેમાં અચરજ છે? કારણ કે કથન જ્ઞાનને અનુરૂપ હોય છે. ૨૭ પર સમ ઈ. ૫૩ ક્ષમા. M ૫૪ યોધ. M. ૫૫ વર્જિત ક્ષમા. [. પક ઇનમિં નહી J. પાક પર્વત. M. ૫૮ ચઢ. ઈ. ૫૯ હે. તહ. M. Page #74 -------------------------------------------------------------------------- ________________ . . ક્ષમતાશતક (સાથે) આઠ શિખર ગિરિરાજ કે, ઠામેં વિમલાલોક; તે પ્રકાશ સુખ ક્યું લહે? વિષમ માન વશ ક. ૨૮ માનરૂપી ગિરિરાજના આઠ શિખર જ્ઞાનના નિર્મળ પ્રકાશને રોકે છે. તેથી વિષમ એ માનને વશ એ લોક પ્રકાશનું સુખ કેવી રીતે પામે ? અર્થાતુ ન પામે, ૨૮ માન મહીધર છેદ તું, કર(રિ) મૃદુતા પવિઘાત; ર્યું સુખ મારગ સરલતા, હેવિ ચિત્ત વિખ્યાત. ર૯ નમ્રતારૂપી વજન ઘાત કરી તે માનરૂપી મહીધરને છેદી નાખ, જેથી સરલતારૂપી સુખને માગે તારા ચિત્તમાં પ્રતિષ્ઠા પામે-સ્થિર થાય. ૨૯ - મૃદુતા કમલ કમલથે', વજુસાર અહંકાર; છેદત હે ઈક પલમેર, અચરજ એહ અપાર. ૩૦ નમ્રતા તે કમલથીય કેમલ છે અને અહંકાર વજ જે કઠિન છે. છતાંય, તે નમ્રતા એક પલકારામાં અહંકારને છેદી નાખે છે. આ મહા આશ્ચર્ય છે. ૩૦ ૬૦ હામે. ઈ. ૧ કમલ છે. J. ૬ર હૈ J. ૬૩ પલક . . Page #75 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક ( સાથ ) વિકસિત માયા એલિ ઘ૨૪, ભવ અટવી કે ચપ સાવત કે નિત મૂઢ નર, નયન ગ્યાન કે મીચ૧૭, ૩૧ ૫૨ ભવ અટવીની વચમાં જયાં વિકસિત એવી માયારૂપી વેલ ડીનું ઘર છે ત્યાં મૂઢ પુરુષ પેાતાના જ્ઞાનરૂપી નયનાને મીંચીને હમેશ સૂઈ જાય છે. ૩૧ કેામલતા માહિર ધરત, રત વક્રુતિ ચાર; માયા સાપિણિ જગ ડસે, ગ્રસે જ સકલ ગુનસાર, ૩૨ E બહાર કામલતાને ધારણ કરતી અને વક્રગતિને આચરતી માયારૂપી સાપણું જગતને સે છે અને તેમના સકલ ગુણેાના સારને ગ્રસે છે. ૩૨ ૩૧ તાકે નિગ્રહ કરન, કરા જી॰ ચિત્ત સમરા વિચાર; શ્રુતા જગુલી, પાસદ્ નિર્ધાર. ૩૩ તે ( સર્પિણી ) ના નિગ્રહ કરવા માટે જો ચિત્તમાં વિચાર કરતા હૈા તે પાઠ કરવા માત્રથી નિઃશ'કરીતે સિદ્ધ થનારી તે ઋજુતારૂપી જાંગુલી વિદ્યનું સ્મરણ કરી. ૩૩ ૬૪ ઘર. J. ૬૫ બીચિ હૈં. ૬૬ હૈ નિતુ. J. ૬૭ મીચિ, J ૬૮ ડાંસ J. ૬૯ ગ્રસી. J. ૭૦ જ્યું. M. 1 ત્તિ, J, Page #76 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક ( સાથે) . લભ મહાતર સિર ચઢી, બઢી જુ9 તિસના લિ; બેદ કુસુમ વિકસિત ભઈ, ફલે દુઃખ રિઉ મેલિ. ૩૪ લોભરૂપી મહાન વૃક્ષના મસ્તક પર ચઢી તૃષ્ણારૂપી વેલડી વૃદ્ધિ પામે છે. તે ખેદરૂપી પુષ્પથી વિકસિત થાય છે અને દુખેથી તે સદા ફળે છે-એટલે દુઃખરૂપી ફલેને તે સદાકાલબારેમાસ આપે છે. ૩૪ લોભ મેઘ ઉન્નત ભયે, પાપ પંક બહુ હેત; ધરમ હંસ રતિ નહુ લહે, રહે ન ગ્યાંન ઉદ્યોત૩૫ ભરૂપી મધ ઉન્નત થતાં-આકાશમાં ચડી આવતાં પાપરૂપી કીચડ ઘણે થાય છે. તે સમયે ધર્મરૂપી હંસ રતિઆનંદ પામતા નથી અને જ્ઞાનને ઉદ્યોત પણ રહેતું નથી. ૩૫ આગર સબહી દેષકો, ગુન ધનકે બાર; લયસન બેલિકે કંદ હૈ, લેભ પાસ ચિહું ઓર. ૩૬ લભ બધા જ દેની ખાણ, ગુણરૂપી ધનને માટે ચાર અને કષ્ટરૂપી વેલડીને કંદ છે. આ લેભને પાશ-ફાંસો ચારે તરફ ફેલાયેલ છે. ૩૬ ૭૨ શીર. M. ૭૩ ક્યું. M. ૭૪ રિતુ. M. Page #77 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) કેઉ સયંભૂરમનકે, જે નર પાવઈપ પાર; સે ભી લોભસમુદ્રકે, લહેજ ન મધ્યપ્રચાર. ૩૭ - જે કોઈ મનુષ્ય સ્વયંભૂરમણ સમુદ્રને પાર પામે છે. તે પણ લેભરૂપી સમુદ્રના મધ્યભાગને પ્રાપ્ત કરી શકતું નથી. ૩૭ મનસ તેષ અગતિકુ, તાકે શેષ નિમિત્ત; નિતુ સે જિનિ99 સે કિયે, નિજ જલ અંજલિ મિત્ત. ૩૮ તેના-તે લોભ સમુદ્રના શેષણ માટે જેણે સમુદ્રને પિતાના હથની અંજલિ માત્ર કર્યો છે એવા મન સૂતેષરૂપી અગસ્તિને નિત્ય સેવે ૩૮ થાકી લાલચિ તું ફિ%, ચિત ! ઇત ઉત ડમડેલ૮૦ તા લાલચિ મિટિ જાત ઘટ, પ્રકટિ સુખ રંગરોલ. ૩૯ હે ચિત્ત! જેની લાલચે તું આમતેમ ડામાડોળ થઈને ફરે છે તે લાલચ (અંતરમાંથી) મટી જતાં–નષ્ટ થતાં અંત૨માં રંગરોલ સુખ પ્રગટે છે. ૩૯ ૭૫ ૫૨. M. ૭૬ ૯ હૈ, J. ૭૭ છનિ, M. ૭૮ કિ8. J, ૭૯ – ફરી. ઈ. ૮૦ ચિત્ત તું ડમડલ. M. Page #78 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાર્થ) ધન માનત ગિરિશ્રુત્તિકા, ફિરત મૂઢ દૂરધ્યાન;. અખય ખજાને ગ્યાંનકે, લખે ન સુખ નિદાન૪૦ મૂઢ પુરુષ પહાડની માટીને ધન માનીને દુનમાં ફર્યા કરે છે પણ જે સુખનું કારણ છે તે જ્ઞાનને અક્ષય ખજાને (જે પિતાની પાસે છે ) તેને તે ઓળખતે નથી. ૪૦ હેત ન વિજય કષાયકે, બિનુ ઈન્દ્રિય વશિ૮ કીન; તાત ઈન્દીવ વશ કરે, સાધુ સહજ ગુણલીન-૪. ૪૧ ઈનિદ્રાને વશ કર્યા વિના કષાયને વિજય થતો નથી તેથી સહજ ગુણોમાં લીન બનેલા સાધુ પુરુષે ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ. ૪૧ આપિ કાજિ૮૫ પરમુખ હરે, ધરે ન કર્યું પ્રીતિ; ઈદ્રિય દુરજન પરિ દહૈ, વહૈ ન ધર્મ ન નીતિ કર પોતાના સ્વાર્થ માટે પારકાનું સુખ હરનાર અને કઈથી પણ પ્રેમ ન રાખનાર એવી ઈનિંદ્ર દુજનની માફક પ્રાણીએને બાળે છે અને ધર્મ કે નીતિને ધારણ કરતી જ નથી. ૪૨ ૮૧ લસિ. J. ૮૨ વશ. M. ૮૩ ઇન્દ્રિય. M. ૮૪ સહિત ગુલ એન. ઈ. ૮૫ આ૫ કાજ M ૮૬ કોસ્. M, Page #79 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) અથવા દુરજન જૈ બુરે, ઈહ પરભવ દુઃખકાર; ઇન્દ્રિય દુરજન દેતુ હૈિ, ઈહિ ભવિ દુઃખ ઈકવાર. ૪૩ અથવા તે ઈન્દ્રિયો દુનેથી પણ ખરાબ છે કારણ કે તે આ ભવ અને પરભવમાં દુઃખ આપે છે જ્યારે દુજને તે આ ભવમાં એક જ વાર દુઃખ આપે છે. ૪૩ * નયન ફરસ જનુ તનુ લગે, દહિ9 દ્રષ્ટિવિષ સાપ; તિનનું ભી પાપી વિષે, સુમરે કરિ સંતાપ. ૪૪ પિતાના નેનો-દષ્ટિને સ્પર્શ પ્રાણીના શરીરને લાગે ત્યારે જ દષ્ટિવિષ સર્ષ તેને બાળે છે જ્યારે તેનાથી પણ પાપી એવા વિષયે સમરણ કરવા માત્રથી સંતાપ કરાવે છે-બાળે છે. ૪૪ ઇચ્છાચારી વિષયમેં, ફિરતે ઈન્દ્રિય ગ્રામ; બશ કીજ પગમેં ધરી, યંત્ર ગ્યાન પરિણામ. ૪૫ વિષમાં સ્વેચ્છાથી ફરતા ઈન્દ્રિયોના સમૂહને જ્ઞાન પરિણામરૂપી યંત્ર પગમાં ધારણ કરીને વશ કરે જોઈએ. ૪૫ ૮૭ દહે. M. ૮૮ વિષે. M. ૮૯ કરે. M, ૯૦ ચારિ. J. . | WWW.jainelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક ( સાથ) ઉનમારગગામી અબસ, ઈન્દ્રિય ચપલ તુરંગ; ખેંચી નરગ અરણ્યમેં, લિઈ જાઈ નિજ સંગ. ૪૬ ઉન્માર્ગે ચાલનારા અને કાબૂમાં ન રહેનારા ઈન્દિરૂપી ચપલ અશ્વો પ્રાણીને ખેંચીને (પિતાના સંગથી) નક્કરૂપી અરણ્યમાં-જંગલમાં લઈ જાય છે. ૪૬ જે નજીક હૈ શ્રમ રહિત, આપહી (હિ) મેં સુખ રાજ; બાબત હૈ તાકું કરન, આપ અરથ કે કાજ. ૪૭ જે સુખ નજીક છે, જેને મેળવવામાં કશે શ્રમ નથી પડતે, જે પિતાના આત્મામાં જ છે, તે સુખને કેવળ પિતાના વાર્થને માટે ઈન્દ્રિયે રોકે છે. ૪૭ અંતરંગ રિપુ કટક ભટ, સેનાની બલવત; ઈન્દ્રિય ખિનુમૈહરત હૈ, મૃતબલ અતુલ અનંત, ૪૮ અંતરંગ દુમિનેના સુભટોમાં બલવાન એ ઇન્દ્રિય સેનાપતિ ક્ષણવારમાં અતુલ અને અનંત એવા પણ શ્રતના સૈન્યને ભગાડી મૂકે છે. ૪૮ ૧ ખાઈચી ઈ. ૯ર સેનાનિ. M. ૯૩ ક્ષણમે. M. Page #81 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાઈ ). અનિયત ચંચલ કરણ હય, પદપ્રવાહ રજપૂર; આશાછાદક કરતુ હે, તત્વદષ્ટિ બલ દૂરજ. ૪૯ કાબૂમાં નહીં રહેનારા, ચપલ, ઈન્દ્રિયારૂપી અધોનાં પગલાં પડવાથી ઉડેલ રજને સમૂહ કે જે દિશાઓને ઢાંકી દે છે તે બલપૂર્વક તત્વદષ્ટિને દૂર કરે છે. ૪૯ પંચ બાણ ઇનિદ્રય કરી, કામ સુભટ જગ જીતિ; સબકે સિરિ૯૫ પગ દેતુ છે, ગણેલ ન કોમેં ભી ત. ૫૦ કામ સુભટ પાંચ ઈન્દ્રિયેને પાંચ બાણ બનાવીને જગતને જીતી લઈ સર્વના મસ્તક પર પગ મૂકે છે અને કેઈથી ભય રાખતું નથી. ૫૦ વીર પંચ ઈન્દ્રિય લહી, કામ નૃપતિ બલવંત; કરે૯૭ ની સંખ્યા પૂરણી, સુભટ શ્રેણિકી તંત. ૫૧ બલવંત એ કામ નૃપતિ પાંચ ઈન્દિરૂપી વીરોને મેળવ્યા પછી બીજા સુભટોની શ્રેણીની પરંપરાવડે સંખ્યા પૂરવણી કરસ્તો નથી. પ૧ ૯૪ દુર. M, ૯૫ શીર. M. ૯૬ ગણિ. J. ૯૭ કરિ. J. Page #82 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) દુખ સબહિ૮ સુખ વિષયકો, કરમ વ્યાધિ પ્રતિકાર; તાકું મનમથ સુખ કહે, ધૂરત જગ0° દુખકાર. પર | વિષયનાં સર્વ સુખ તે દુઃખ છે, કર્મરૂપી વ્યાધિના પ્રતીકાર સમા છે, તેને કામદેવ સુખ તરીકે મનાવે છે, ખરેખર ! જગતને દુખ આપનાર તે ધૂર્ત છે. પર ઠગે કેમકે સુખ ગિને, પાઈ વિષયકે ભીખ; સહજ રાજ પાવત નહીં'', લગી ન સદગુરૂ સીખ. ૨૩ વિષયોની ભીખ પ્રાપ્ત કરીને તેને સુખ મનાવતે કામ લેકેને ઠગે છે, છતાં મૂખે મનુષ્ય પિતાના આંતરિક રાજ્યને પ્રાપ્ત કરતા નથી અને તેમને સદ્દગુરુની શિખામણું પણ લાગતી નથી. ૫૩ અપ્રમાદ પવિ દંડથિ, કરી૧૪ મેહ ચકચૂર જ્ઞાની આતમપદ લહૈ, ચિદાનંદ ભરપૂર. ૫૪ જ્ઞાની પુરુષ પ્રમાદત્યાગરૂપી વાડથી મોહને ચકચૂર કરી નાખી જ્ઞાન અને આનંદથી ભરપૂર એવા આત્મપદને (મેક્ષને) પ્રાપ્ત કરે છે, ૫૪ ૯૮ સબહી. J. ૯૯ કહિ. J, ૧૦૦ ધૂત જગત. M. ૧૦૧ નહિ M. ૧૦૨ શાખ. M. ૧૦૩ દંડળે. M. ૧૦૪ કરે. ઈ. ૧૦૫ ચકચુર, M, Page #83 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) યાકે રાજ વિચારમેં, અબલા એક પ્રધાન એ ચાહત હૈ જ્ઞાનજય, કેસે' 9 કામ અયાન, ૫૫ જેને પિતાના રાજયની વિચારણામાં સ્ત્રી જ માત્ર પ્રધાન છે તે અજ્ઞાની એ કામદેવ કેવી રીતે જ્ઞાન ઉપર જય મેળવવા ઈચ્છતે હશે? પપ ઉરભ્રાન્તિ મિટિ જાત હૈ, પ્રગટત ગ્યાન ઉધોત; યાની કુભિ વિષયશ્રમ, દિસામાહ સમ હેત પદ (વટેમાર્ગુને) દિશાને ભ્રમ થાય ત્યારે જેમ ઉલટી દિશા સાચી લાગે છે, તે પ્રમાણે જ જ્ઞાનીને વિષયને ભ્રમ થતાં થાય છે. પરંતુ જ્યારે જ્ઞાનને પ્રકાશ પ્રગટે છે ત્યારે હૃદયની ભ્રાંતિનું નિવારણ થાય છે. પ૬ દાબે૦૮ આ૫ વિલાસ કરિ, જૂઠે કું ભી સાચ; ઈન્દ્રજાલ પરિ° કામિની, તાસુ તુંમત રાચ. ૫૭ ઇન્દ્રજાલની માફક પિતાના વિલાસેથી જે જૂઠાને પણ સાચું કરી બતાવે છે તે કામિનીમાં તું રાચ નહિં. ૧૦૬ જાકે. M. ૧૦૭ કેસિ. J. ૧૦૮ દિશા. M. ૧૦૯ ખિ. J. ૧૧૦ પરે. M. ૧૧૧ ૮. M. Page #84 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) હસિત ફૂલ પલવ અધર, કુચ ફલ કઠિન વિશાલ; પ્રિયા દેખી મતિ રાશિ તું, યા વિખવેલિ૧૪ રસાલ. ૫૮ - સ્ત્રીનું હાસ્ય તે ફૂલ છે, તેના અધર તે પાંદડાં છે, તેના વિશાલ અને કઠણ તને તે ફળ છે, એમ માનીને સ્ત્રીને દેખીને તું તેમાં આનંદ ન માન, કારણ કે આ રસવાળી વિષની વેલડી છે. ૫૮ ચરમ મઢિત હૈ કામિની, ભાજન મૂવી પુરીષ; કામ કીટ આકુલ સદા, પરિહર સુનિ ગુરુ સીખ ૧૭. ૫૯ કામિની એ ચામડાથી મઢેલું મૂત્ર અને વિષ્ટાનું ભાજન છે અને તે કામરૂપી કીડાથી સદા ભરેલું છે. ગુરુની શિખામણ સાંભળી તું તેને પરિહાર કર. ૫૯ વિષે ૧૮ ત્યજિ૧૯ સૌ સબ ત્યજિ°, પાતક ૧૨૧ દેખ વિતાન જલધિ તરત નવિ હ્યું ૨ તરેઈ, તટિની ગંગા સમાન. ૬૦ - પાપ અને દેશને વિરતાર કરનારા વિષયને જે જે છે તે બધું જ ત્યજી શકે છે. જે માણસ સમુદ્રને તરી જાય તે ગંગા જેવી નદીઓને કેમ ન તરે ? ૬૦ ૧૧૨ બિરલ. ઈ. ૧૧૩ મત રાચ તૂ M. ૧૧૪ વેલી. M. ૧૧૫ મૂત. M. ૧૧૫ A. પુરીષ. M. ૧૧૬ પરિહરી. ઈ. ૧૧૭ શીખ M. ૧૧૮ વિષય. M. ૧૧૯ તજે. M. ૧૨૦ તજે. M. ૧૨૧ પાતિક. M. ૧૨૨ નવિ કલં. ઈ. Page #85 -------------------------------------------------------------------------- ________________ કર સમતાશતક ( માય ) ચાટે નિજલાલામિલિન, શુષ્ક અસ્થિ૨૭ જ્યુ શ્વાન; તેસેજ રાચે વિષયમ્', જેમ શ્વાન પેાતાની લાળથી છે અને તેમાં રાચે છે. તેમ જડ અનુમાનથી વિષયે માં રાચે છે. ૬૧ જડ નિજ રુચિ૨૫ અનુમાન, ૬૧ ૧૨ ભૂષન બહુત ૨૬ મનાવતૈ, ચંદન ચરચત દેહ; વ'ચત આપ હી આપકું', જડ ધરિ ૨૭ પુદગલ નેહ. ૬૨ વ્યાપ્ત શુષ્ક હાડકાને ચાટે પ્રાણી પેાતાની રુચિના જડ પ્રાણીએ પુદ્ગલ પર-શરી૨૫૨ સ્નેહ ધારણ કરીને ઘણા ઘણા આભૂષણા મનાવે છે, ચંદનથી દેતુને સજાવે છે અને તેમ કરી પોતાની જાતે જ પેાતાને ઠગે છે. ક્રૂર 4 દુર૬૧૨૮ મનકે જય કિએ, ઇન્દ્રિય જય૯ સુખ હાત; તાતે સનજય કરણુકું, કરા વિચાર ઉદ્ઘોત. ૬૩ પ્રથમ કુદમ એવા મનના જય કરવાથી જ ઇન્દ્રિયાને જય સુખે કરી શકાય છે માટે મનને જય કરા માટે વિચા રેશના ઉદ્યોત કા-સુંદર વિચાર કરી. ૬૩ ૧૨૩ હાડ M. ૧૨૪ તિસિ: J, ૧૨૫ રૂચી. M. ૧૨૬ બહુ, M. ૧૨૭ ધરી. M. ૧૨૮ દૂમ. M. ૧૨૯ જંગ. M. Page #86 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક ( સાય ) વિષયગ્રામકી સીમમે ૧૩૦, ઇચ્છાચારિ ચરત; જિન આના અ’કુશ કરી,મન ગજ બસ કરુ`` સ`ત. ૬૪ હે સ`તા ! વિષયે રૂપી ગામના સીમાડામાં ઇચ્છાનુસાર કરતા મનરૂપી હાથીને શ્રીજિનની આજ્ઞારૂપી અંકુશથી વશ કરો. ૬૪ ૬૩ એક ભાવ મન ગૈાંનકા, જી૧૨૨ કડ઼ે ગ્રંથકાર; યાતે પવનહિતે ૧૩૩ અધિક, હાત ચિત્તકા ચાર. કૃપ મન અને પવનનું એકત્વ છે એવું જે ગ્રંથકારી કહે છે છે તે જાડું કહે છે કારણ કે ચિત્તને ચાર-તેની ગતિ-પવનથી પણ અધિક છે. ૬૫ જામે' રાચેજ તાહિમે, મિરર્ચે (તે) કરિ૩૫ ચિત ચાર; ઇષ્ટ અનિષ્ટ ન વિષયકો, યું નિહયે...૧૭૧ નિરધાર, ૬૬ જેમાં મન રચે છે તેમાં જ મન વિરક્ત થાય છે તેથી વિષ્ણુના ઇષ્ટ કે અનિષ્ટ નથી પરંતુ ચિત્તની ભાવના ઈષ્ટ અનિષ્ટ છે એ તું નિશ્ચયપૂર્વક માન. ૬૬ ૧૩૦ સીમમેં J. ૧૯૧ ક M. ૧૯૩ પવનહીતે.. J. ૧૩૪ પામિ રાાંચ. J. ૧૩૬ નિશ્ચય M ૧૩૨ જૂઠ. J. ૧૩૫ કરી. M. Page #87 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક ( માય ) કેવલ તામેં કરમકો, રાગ દ્વેષ તે ૩૭ બંધ; પરમેં૩૮ નિજ અભિમાન૩૯ધરિ કાહિ ફિરતુ હૈ અધ. ૬૭ માત્ર તે વિષયમાં રાગ અને દ્વેષ તે કર્મબંધના કારણ છે. માટે હે અંધ ! પર વસ્તુઓમાં આ પિતાની છે એવું અભિમાને ધારણ કરી શા માટે ફરે છે? ૬૭ જઈમૈ૪૧ લલના લલિતમું ૪૧, ભાવ ધરતુ (ત) હૈ સાર; તઈક મૈત્રી પ્રમુખ મેં, ચિત ધરિ કરિ સુવિચાર. ૬૮ જેમ તે સ્ત્રીઓના વિકાસમાં સુંદર ભાવને ધરે છે તેમ સારી રીતે વિચાર કરી મૈત્રી વગેરે ભાવનાઓમાં ચિત્તને ધારણ કર. ૬૮ બાહિર બહરિ૪ કહા કિર, આ પહિ૧૪ હિત દેખિ૪૭, મૃગતૃણું સમ વિષયકી, સુખ સબ જાનિ ઉખિ૪૧. ૬૯ હે બાવર ! બહાર શું કરે છે? આત્મામાં જ તારું હિત છે, તે જે. વિષયના સઘળા સુખે મૃગતૃષ્ણ સમાન છે, એમ જાણે તેની ઉપેક્ષા કર. ૬૯ ૧૩૭ છેષકે ઈ. ૧૩૮ પરમ. J. ૧૭૯ ધરી. M. ૧૪૦ કયા ફિરત છે. M. ૧૪૧ જૈસે. M. ૧૪૨ લલીત મેં. M, ૧૪૩ તૈસે. M. ૧૪૪ કરી. M, ૧૪૫ બડેરિ. M. ૧૪૬ આપહી મેં. J, ૧૪૭ દેખી. ઈ. ૧૪૮ ઉવેખી. ઈ. Page #88 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે). પ્રિય અપ્રિય વ્યવહાર નિજ, રુચિ ૪૯ રસ સાચે નાહિ;. અંગ જ વલ્લભ સુત ભચા, યૂકાદિક નહિ કાંહિ. ૭૦ અમુક વસ્તુ પ્રિય હોવી કે અપ્રિય હેવી એ પિતાની રુચિને રસ છે, વાસ્તવિક રીતે સાચો નથી. નહિંતર અંગથી પેદા થયેલે પત્ર વહાલું લાગે છે પણ જૂ વગેરે કેમ પ્રિય નથી લાગતા? ૭૦ હેવત સુખ નૃપ રંકકુ, નેબત સુનત સમાન; ઇક ભેગેપ ક નાહિએ, બહ૫૩ ચિત અભિમાન, ૭૧ રાજા અને રંકને નેબત સાંભળતાં સરખું જ સુખ થાય છે. પરંતુ એક તે સુખને ભેગવે છે એટલે કે પિતાને તેને ભક્તા માને છે, જ્યારે બીજો તેમ નથી માનતે. બન્નેને સુખ થતું હોવા છતાં એકના ચિત્તમાં અભિમાન વધે છે (તે જ વધારાનું છે) બીજામાં નહિ. ૭૧ લવકે સુખ સંકલપભવ કૃત્રિમ જિ૫ (જિસે) કપૂર રંજત હે જન મુગધર્ક, વરજિત ૧૫૧ ગ્યાંન અંકુર, ૭૨ સંસારના સુખે મનની માન્યતાથી જ પેદા થાય છે. તે વાસ્તવિક સુખ નથી. જેમ બનાવટી કપૂરથી ભેળા માણસે રાજી થાય છે, તેમ આવા સંસારના સુખોથી, જેમના મનમાં જ્ઞાનના અંકુરા પ્રગટ્યા નથી તેવા મનુષ્ય જ રાજી થાય છે. ૭૨ ૧૪૯ રૂચિ. M. ૧૫૦ કાદિ. J ૧૫૧ ભેગી. J. ૧૫૨ | નાહી. . ૧૫૩ બઢિઉ. J. ૧૫૪ સો. M. ૧૫૫ વત. M. Page #89 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) ગુન મમરન બસ્તુકે, સે વાસના નિમિત્ત; માંને સુતમે સુત અધિક, દેરત હે' હિત ચિત્ત. ૭૩ વસ્તુમાં મમત્વરૂપી ગુણ જે છે તે કેવળ વાસનાના નિમિત્તે જ છે, પિતા પિતાના સર્વ પત્રોમાં સવા પુત્ર તેને જ માને છે કે જે પિતાનું હિત કરનારી પ્રવૃત્તિમાં ચિત્તને દોરે. ૭૩ મન કૃત મમતા જૂક હે, નહી વસ્તુ પરજાય; નહિ૫ તે બહુ બિકાઈ, ન કયું૫૭ મમતા મિટિ જાય. ૭૪ મમતા કેવળ મનની માની લીધેલી છે અને તે બેટી છે. તે વસ્તુના યોગે ઉત્પન્ન થયેલી નથી. નહીં તે જ્યારે વસ્તુ વેચી દેવામાં આવે છે ત્યારે તે મમતા કેમ મટી જાય છે? ૭૪ જન જનકી રુચિ ભિન્ન હૈ, ભેજન દૂર કપૂર ભાગવતકું જે ચઈ, કરજ કરે ૯ સે દૂર. ૭પ પ્રત્યેક વ્યક્તિની રુચિ જુદી જુદી હોય છે, કૂર અને કપૂરનાં ભેજન કે જે ભાગ્યવાનને રૂચે છે, તેને ઉંટ આઘા મૂકે છે–તેને તે ગમતાં નથી. ૭૫ ૧૫૬ નહી. M. ૧૫૭ કિG. J, ૧૫૮ રૂ. M. ૧૫૯ કરિ. ઈ. Page #90 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) કરભ હસે તૃપ ભેગકું, હસૈ કરભકું ભૂપ; ઉદાસીનતા બિનુ નહીં, દેઉકે" રતિ રૂપ, ૭૬ રાજાના ભેગોને ઊંટ હસે છે અને રાજા ઊંટને હસે છે. જે બંનેને પિતપોતાના ભાગોમાં ઉદાસીનતા પ્રગટે તે બંનેને સુખ થાવ. (બંને ભેજન પ્રીતિના કારણે થાય.) ૭૬ પરમે રચે ૨૩ પરીચ, નિજરચિ૧૪ નિજગુનામાંહિ; ખેલે ૬૫ પ્રભુ આનંદઘન, ધરિ (રી) સમતા ગલ બાંહિ, ૭૭ પરમાં રુચિવાળે આત્મા પ૨માં ચે છે અને નિજ આત્મામાં રુચિવાળે જીવ નિજ ગુણેમાં-પિતાના ગુણેમાં રચે છે. આનંદમય એ આત્મા સમતારૂપી સ્ત્રીના ગળે હાથ રાખીને સદાકાળ ખેલ્યા કરે છે. ૭૭ માયામય જગ કહ્યો૧૭, જિહાં સબહી વિસ્તાર; ગ્યાની કુ હેબત કહાં, તહાં શેક કે ચાર. ૭૮ જ્યાં જગતને સઘળેય વિસ્તાર માયામય કહેવામાં આવ્યું છે ત્યાં જ્ઞાનીને શેકનો પ્રચાર કેવી રીતે થાય? ૭૮ ૧૬૦ દેનું M ૧૬૧ રતી M. ૧૬૨ પરમિJ. ૧૬૩ રાચિ J. ૧૬૪ રૂચિ M, ૧૬૫ ખેલિ J. ૧૬૬ ગલિ M. ૧૬૭ કહી ઈ. Page #91 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) ચત નાંહિ૧૮ અનિત્યમતિ ૧૯, હેવત માલ મલાન; ભાંડે ભી સેચત ભગે, ધરત નિત્ય અભિમાન, ૭૯ જે મનુષ્ય જગતના સર્વ પદાર્થોને અનિત્ય માને છે, તેઓ પિતાને સઘળે માલ ખલાસ થઈ જાય તે ય શેક કરતા નથી જ્યારે દરેક વસ્તુમાં નિત્યપણાનું અભિમાન ધર નારા, માટીનું ભાડું-વાસણ ભાંગી જાય તેય, શેક કરે છે. ૭૯ ફૂટ વાસના ગતિ હ૧, આસા (શા) તંતુ વિતાન; છેદે તાકુ શુભમતી, કર૧૭ ધરિ બોધ કૃપાન, ૮૦ આશારૂપી તંતુઓના વિસ્તારથી કૂટવાસના (રૂપી જાલ) ગૂંથેલી છે. શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ હાથમાં જ્ઞાનરૂપી કટારી લઈને તેને છેદી નાખે છે. ૮૦ જનની મેહ અંધારકિ, માયા રજની કૂર; ગ્યન ભાન આકતિ, તાકુ૧૭૨ કીજે૧૭૩ દૂર. ૮૧ કૂર એવી માયારૂપી રાત્રિ કે જે મેહરુપી અંધકારને ઉત્પન્ન કરનારી છે, તેને જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી દૂર કરવી જોઈએ. ૮૧ ૧૬૮ નહિ. M. ૧૬૯ મતી. M. ૧૭૦ હય. J. ૧૭૧ કરિ J. ૧૭૨ ભીનું આલેકતે તાકે. M. ૧૭૩ કીજ. J, Page #92 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક ( સાથ ) ઉદાસીનતા મગન હુઇ, અધ્યાતમ રસ પ દેખે નહિ૧૭૪ ક્યુ આર જબ, તબ દેખે ૭પનિજ રૂપ. ૮૨ ૯ અધ્યાત્મરૂપી રસના કૂવા જેવી ઉદાસીનતામાં મગ્ન બનેલ આત્મા, જ્યારે મીજી' કંઈપણ ન જુએ ત્યારે પેાતાના રૂપને જુએ છે. ૮૨ આગે ૧૭૧કરી નિસ‘ગતા, સમતા સેવત જેહુ; રમૈં પરમ આનંદરસ, સત્યાગઐ૭૭ તેડું, ૮૩ નિઃસ‘ગભાવને આગળ કરી જે સમતાને સેવે છે તે પરમ માનદના રસ સમાન યુગમાં સાચે સાચ રમે છે. ૮૩ દ'ભહી નિત અસગતા, ઇહ ભવકે સુખ દેત; દભરહિત નિસ`ગતા, કૌન' દૂર સુખ દેત. ૮૪ ૬ ભપૂર્વકની નિઃસ‘ગતા પણ આ ભત્રના સુખ આપે છે તા પછી 'ભ વિનાની નિઃસ'ગતા માટે કયુ' સુખ દૂર છે ? ૮૪ મત હૈ સ`ગનિવૃત્તકું, પ્રેમપરમ ગતિ પાઇ; તાકેા સમતા ર્ગ પુનિ, કિની કૌન જાઈ૧૮૦, ૮૫ સંગથી નિવૃત્ત થયેલાને કદાચ સુખદાયક પરમ ગતિની પ્રાપ્તિ ન થાઓ પણ તેને જે સમતાના ર`ગ છે (તે સમતાના રગનું સુખ છે) તે કાઇથી કહ્યો જાય તેમ નથી. ૮૫ ૧૭૪ નહી. J. ૧૭૫ ખિ. J. ૧૭૬ આમિં. J. ૧૭૭ સત્યયેાગમેં, M. ૧૭૮ નિસંગતે J, ૧૭૯ કાન. M ૧૮૦ જાય, M. Page #93 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક ( સાથ ) તિસના વિદ્રુમ વઘિન, વિષય ઘુમર` બહુ જોર; ભીમ૮૨ ભય‘કર ખેદ જલ, ભવસાયર ચિહું ઓર. ૮૬ ه فا તૃષ્ણાએ રૂપી પરવાળાંએની વિલુએ જેમાં ફેલાયેલી છે એવે, વિષયેાની ઘૂમરીઓનું જેમાં બહુ જોર છે એવા અને અતિ ભયકર ખેદરૂપી જલ જેમાં છે એવે! આ સંસારરૂપી સમુદ્ર ચારે તરફ ફેલાયેલા છે. ૮૬ ૧૮૩ ચાહે તાકા પાર તા, સજ કરિષ્ઠ સમતા ના; શીલ અ’ગ દૃઢ પાટિએ૮૫ સહસ અઢાર૧૮૧ બના, ૮૭ કૂઆથ’ભo શુભ યાગ પદ્ધિ, બડે માલિમ૧૮૯ ગ્યાન; અધ્યાતમ સઢિ બલિ ચલૈ૧૯૦, સયમ પવન પ્રમાન, ૮૮ જો તે ભવસમુદ્રના પાર પામવા તું ચાહતા હોય તે જેમાં અઢાર હજાર શીલના 'ગેરૂપી પાટિયાં છે; શુભ ચેાગરૂપી કૂથાથંભ છે, જ્યાં જ્ઞાનરૂપી માલમ-સુકાની બેઠા છે અને જે અધ્યાત્મરૂપી સઢના ખલથી સંયમરૂપી પવનના ચેાગે ચાલે છે, તે સમતારૂપી નૌકાને સજ્જ કર, ૮૭-૮૮ ૧૮૧ ઘૂમર. J. ૧૮૨ જીમ, J. ૧૮૭ ચાહિ. J. ૧૮૪ કર. M. ૧૮૫ પાટીએ. M. ૧૮૬ અહાર. J. ૧૮૭ કૂવાથંભ, M, ૧૮૮ પરી. M, ૧૮૯ બડે માલીમ, M. ૧૯૦ સઢ લે ચલે. M. Page #94 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) યેગી જે બહુ ૯તપ કરે૧૯૨, ખાઈ ઝુરે તપાત૧૯૩ ઉદાસીનતા વિનુ સમતિ મે૧૯ભી૧૯૫જાત. ૮૯ યેગીઓ કે જે ઘણા તપ કરે છે, પડી ગયેલા વૃક્ષના પત્રને ખાય છે તેમને તે તપ પણ ઉદાસીનતા ભાવ વિનાને હોય તે ભસ્મમાં આહુતિની સમાન છે. ૮૯ છૂટ ભાવકે જાલ૯૬, જિમ નહિ તપ કર૯૭ લેક; સે ભી માહે કહ્યું, દેત જનમકે શેક, ૯૦ જે તપ કર્યા વિના ભાવ જાલથી કોઈની મુક્તિ થતી નથી તે તપ પણ માહથી કઈકને જન્મ મરણના શાકનું કારણ થાય છે. ૯૦ વિષય ૯૮ ઉપદ્રવ સબમિટે૧૯૯, હેવત સુખ સતેષ; તાતે વિષયાતીત હૈ૦°, દેત શાન્ત રસ પિષ. ૯૧ વિષયના સર્વ ઉપદ્રવ મટી જાય ત્યારે સૂતેષનું સુખ પ્રાપ્ત થાય છે તેથી તે સુખ વિષયાતીત છે અને શાન્તરસની પ્રાપ્તિ કરાવનારૂં છે. ૯૧ ૧૯૧ જબહુ M. ૧૯૨ કરિ. J. ૧૯૩ જુરે તરૂપાત. M. ૧૯૪ હુતિ. M. ૧૫ ભિ. M. ૧૯૬ જાથે. M. ૧૭ કરી. M. ૧૮૮ વિષે. ઈ. ૧૯૯ મિટયો. M. ૨૦૦ વૈ . Page #95 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક ( સાથે) બિન લાલચિ૦૧ બશ હોતા હૈ, વશા બાત એહ૦૫ સાચ; યાતે કરઈ નિરીહ , આગૈ૦૪ સમ રતિ નાચ, ૯૨ લાલચ ન હોય ત્યારે સ્ત્રી વશ થાય છે, એ વાત સાચી છે. કારણ કે, નિરીહ-નિ:સ્પૃહ પુરુષની આગળ જ સમભાવમાં તિરૂપી સ્ત્રી નૃત્ય કરે છે. ૯૨ દિ૨૦૫ પરિમલ સમતા લતા, વચન અગોચર સાર; નિત્ત બિછર ભી જિહાં વસે, લહિ? પ્રેમ (સ)હકાર, ૯૩ સમતારુપી લતા વચનને અગોચર તથા સારભૂત એવી સુગંધી પ્રગટાવે છે કે જેના વેગે નિત્ય વેરવાળા જી પણ પરસ્પર પ્રેમ ધારણ કરીને સાથે વસે છે. ૯૩ સેના રાખસ મેહકી, છપિ સુખિ૨૦૭ પ્રબુદ્ધ બ્રહ્મબાનીક૭૮ (બ્રહ્મબાન ઈક) લેકિ૨૯, સમતા અંતર શુક્ર. ૯૪ જેનું હદય સમતાના એગે શુદ્ધ થયેલું છે એ પ્રબુદ્ધ આમા મેહરૂપી રાક્ષસની સેનાને સમતારૂપી એક બ્રહ્મબાણ લઈને સુખપૂર્વક જીતે છે. ૯૪ ૨૦૧ બિન લાલચ. M. ૨૦૨ પર. M. ૨૦૩ કરે. M. ૨૦૪ આગે. M. ૨૦૫ દે M. ૨૦૬ નિત્ય બીહીરી ભી જ્યાં વસે લહતું. M. ૨૦૭ જીપે સુખેM. ૨૦૮ બ્રહ્મબનિક). M. ૨૦૯ લેઈકે. M. Page #96 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) કવિ મુખ કલપિત અમૃતકે, રસમેં યૂઝત કાહિ; ભજે એક સમતા સુધા, રતિ ધરિ શિવ પદ માહિ૧૧. ૫ કવિના મુખથી કપિત અમૃતના રસમાં શું મુંઝાવ છે ? શિવપદમાં રતિ ધારણ કરીને એક સમતારૂપી અમૃતને સે. ૯૫ યોગગ્રંથ જલનિધિ મથે, મન કરી મેરા૧૨ મથાન; સમતા અમારત ૧૩ પાઈકે, હે અનુભ રસ જાન. ૯૬ યોગ રૂપી સમુદ્રને મનરૂપી મેરને રે કરી મથે, જેથી સમતારૂપી અમૃતને પ્રાપ્ત કરીને અનુભવરૂપી રસના જાણકાર થાઓ. ૯૬ ઉદાસીન મતિ ૧૫ પુરૂષ જે, સમતાનિધિ શુભ૧૬ વેષ; છરત તાકુ ક્રોધ૧૭ કિધુ, આપહી કર્મ અશેષ, ૭ જે પુરુષ ઉદાસીન બુદ્ધિવાળો છે, સમતાને નિધિ છે, ગુમ દેખાવવાળે છે તેને સઘળાં કર્મો પિતાની મેળે જ, જાણે કે તેના પર કૈધ આવ્યું ન હોય તેમ, છેડી દે છે. ૯૭ ૨૧૦ કહી M. ૨૧૧ માંહી. M. ૨૧૨ કરી મેરૂ. M. ૨૧૩ અમૃત. M. ૨૧૪ પાકિ. J. ૨૧૫ મતી M. ૨૧૬ સુભ. M. - ૧૧૭ ધિ. M ૨૧૮ કિહુ. J. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમતાશતક ( સાથ ) મુદ્ ાગ શ્રદ્દાન ધરી, નિત્ય કર્મકા ત્યાગ; પ્રથમ કરિ૨૧૯ જો મૂઢ સા, ઉભય ભ્રષ્ટ નિરભાગ, ૯૮ કેવળ ચૈાગ ઉ૫૨ જ શુદ્ધ શ્રદ્ધા ધારણ કરી જે નિત્યકર્માને ત્યાગ કરે છે તે નિર્ભાગી મૂઢમાં પ્રથમ છે અને ઉભય ભ્રષ્ટ થનાર છે. ૯૮ ક્રિયા મૂત જૂઠી૨૦ ક્રિયા, કર ન થાયે૧ ગ્યાન; ક્રિયા ભ્રષ્ટ ઈક ગ્યાન મતા, છેકે ક્રિયા અજાન, ૯૯ ક્રિયા પાછળ મૂઢ અનેલે આત્મા ફોગટ ક્રિયા કરે છે પણ તે જ્ઞાનને આત્મામાં સ્થાપન કરતા નથી. બીજો ક્રિયાભ્રષ્ટ છે તે જ્ઞાનને જ માને છે અને અજાણ્યુ એવા તે ક્રિયાના છેદ કરે છે. ૯૯ તે દાનૂં થે રિ શિવ, જો નિજ અલક અનુસાર; મારગ રુચિ ૨૪ મારગ રહિ૫, સા શિવ સાધણુહાર, ૧૦૦ આ ખતૈય આત્માથી મેક્ષ દૂર છે પણ જે પેાતાની શક્તિ અનુસારે માર્ગમાં રુચિ રાખી શુદ્ધ માગમાં રહે છે તેજ મેાક્ષને સાધનારા છે. ૧૦૦ ૨૧૯ કરે. M, ૨૨૦ જૂહી ૨૨૩ અલિ, J. ૨૨૪ ન J, ૨૨૧ કરિ ન થાપિ. J. ૨૨૨ મતી M માર્ગ રૂચી, M. ૨૨૫ ગડે. M. Page #98 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) નિવૃત્તિ લલનાકે ૨૬ સહજ, અચરજકારી કઈ ૨૭ જે નર૮ યાકુ ચત૨૯ હૈ, યાકુ દેખાઈ. ૧૦૧ નિવૃત્તિરૂપી સ્ત્રીને સ્વભાવ કોઈ આશ્ચર્યકારી છે. જે મનુષ્ય તેને રુચે છે તે નર જ તેને (શિવને) દેખી શકે છે. ૧૦૧ મન પારદ મુરછિત ભયે, સમતા ઔષધિ આઈ; સહિજ (સહસ્ત્ર) ધિ૩૧ રસ પરમગુન, સેવન સિદ્ધિ કમાઈ, ૧૦૨ સમતારૂપી ઔષધિ જ્યારે આવી ત્યારે મનરૂપી પારે મૂછિત થ અને સહજ વેબ સહસ્ત્ર વેધી રસ ઉત્પન્ન થયે જેના પરિણામે પરમ ગુણારૂપી સુવર્ણની કમાણુ થઈ. ૧૦૨ બહુત ગ્રંથ નય દેખિકે, મહાપુરુષ કૃત સાર; વિજયસિંહસૂરિ૩ર કિઓ, સમતા શતકે હાર. ૧૦૩ ૨૨૬ લલનાકું M. ૨૨૭ અચરિજકારી કે. M. ૨૨૮ નહિ. J. ૨૨૯ રૂચ, M. ૨૩૦ દેખિ.J. ૨૩૧ વેધ. M. ૨૩૨ બિજે 5. Page #99 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક (સાથે) ભાવત યાકે૩૩ તત્ત્વ મન, હે સમતા રસ લીન; ર્યું ૩૪ પ્રકટે તુઝ સહજ સુખ, અનુલો ગમ્ય અહીન, ૧૦૪ ઘણા ગ્રંથને જોઈને મહાપુરુષકૃત ગ્રંથના સારભૂત આ સમતાશતકને હાર શ્રી વિજયસિંહસૂરિએ કર્યો છે. જેનું તત્વ મનમાં ભાવતા સમતારસમાં લીન થાવ. જેથી તમને એવું સ્વાભાવિક સુખ પ્રગટ થાય કે જે માત્ર અનુભવગમ્ય જ હોય અને જેને કદી નાશ ન થાય. ૧૦૩-૧૦૪ કવિ જસવિજય સુસીખ એ,૨૩૭ આપ આપકું દેત; સામ્યશતક ઉદ્ધારકરિ, હેમવિજય મુનિ હેત. ૧૫ કવિ જશવિજય આ સુંદર શિખામણ પિતે પિતાને જ આપે છે અને કહે છે કે હેમવિજય નામના મુનિ માટે મેં આ સામ્યશતકને ઉદ્ધાર કર્યો છે. ૧૦૫ ૨૩૩ જાઉં. M. ૨૩૪ જિઉં. ઈ. ૨૩૫ પ્રગટે. M. ૨૩૬ અનુભવ, M, ૨૩૭યશવિજયનું શિખએ. M. ૨૩૮ કરી M. Page #100 -------------------------------------------------------------------------- ________________ affશ૬ [૨] સામ્યશતકના કયા કયા શ્લોકો સાથે સમતાશતકના કયા કયા દૂહા સામ્ય ધરાવે છે તેની યાદી – સાગ્યશતક ક સંખ્યા સમતાશતક | સામ્યશતક દૂડા સંખ્યા ! કલેક સંખ્યા સમતાશતક દૂહા સંખ્યા و ન જ مي - 1 سم જ له છે ૨૪- ૨૫ ? છ ૦ ૦ ૦ ૦ ૦ | છ २८ છ છ ૦ ૦ O- ૧૦-૧૧ ૧૨-૧૩ ૧૪-૧૫–૧૬ १७ જ ૨ ૧ ૩૩ | ૩૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ 26 परिशिष्ट સામ્યશતક સમતાશતક | સામ્યશતક સમતાશતક શ્લેક સંખ્યા દૂહા સંખ્યા લેક સંખ્યા દૂડા સંખ્યા ૫૭. ૪૫ ૪૭ ૮ ર ૫૦. S ૫૪ ૫૫ ૩૫-૩૬ પ૬ પ૭ પ ૬ ૬ ૪૪ ૭૨ ૬પ Page #102 -------------------------------------------------------------------------- ________________ રાજ-૧ સાયશતક બ્લેક મળ્યા ૭૩ ૭૪ ૭૫ ક ། ७७ ७८ * | | | ૐ ૮૧ ૩૨ ૮૩ ૮૪ ૮૫ ८७ ૮૮ ૮૯ ૯૦ સંમતાશતક દૂહા સંખ્યા ૬૬-૬૭ ૬૮ ૬૯ ७० ૭૧ ૭૨ ७३ ७४ ૭૫ ७ह ७७ ૭૮-૭૯ - . ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ૮૭-૮૮ ૮૯ સામ્યશતક બ્લેક સખ્યા ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૯૯ ૧૦૦ વા ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ve સમતાશતક દૂહા સંખ્યા ૯૦ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ । ૯૭ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् [२] साम्यशतकपद्यानां वर्णक्रमेण सूची पद्यप्रारम्भः अखर्वगर्वशैलाग्र अजितैरिन्द्रियैरेष अध्यात्मोपनिषद्बीज अनादिमायारजनीं अनादिवासनाजाल अन्तरङ्ग द्विषत्सैन्य अवधत्से यथा मूढ ! अष्टाङ्गस्यापि योगस्य अस्मिन् संसारकान्तारे अहङ्कारादिरहितं अहो ! मोहस्य माहात्म्यं अहो ! वणिकला कापि अहो ! संकल्पजन्माऽयं आत्मनः सततस्मेर आत्मन्येव हि नेदिष्ठे आशाः कु(क) वलयनच्चै पद्यकमांक: ३८ ५३ ८४ ८३ ८२ ६० ७४ ८ ४३ १ १९ १०१ ६४ ३३ ७५ ४८ Page #104 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ ८. पद्यक्रमांक: पद्यप्रारम्भः आस्तामय लयः श्रेयान् इदं कृत्रिमकपूर इन्द्रियाण्येव पञ्चषु उच्चस्तरमहङ्कार उद्दामक्रममा बिभ्रद् उन्मनीभूयमास्थाय एतानि सौमनस्यस्य औदासीन्यक्रमस्थेन औदासीन्योल्लसन्मैत्री कारणानुगत कार्य केषाञ्चित्कल्पते मोहाद् क्रोधयोधः कथङ्कार क्लेशावेशमपास्य निर्भरतरं क्षमाभृदप्रियः साधु चक्षुष्यद्वेष्यतां भावे चित्रमम्भोजिनीदल तत्कषायानिमांच्छेत्तु तद्विवेकसुधाम्भोधौ तस्यानघमहो ! बीजं तिरयन्नुज्ज्वलालोक Page #105 -------------------------------------------------------------------------- ________________ ८२. पद्यप्रारम्भः दम्भजादपि निःसङ्गा दर्शयन्ति वलवै दोषत्रयमयः सैष धिगविद्यामिमां मोह निजलालाविलं लीढे नित्यानन्दसुधार मे निःसङ्गतां पुरस्कृत्य पर्यवस्यति सर्वस्य प्रणिधाय ततश्चेत प्रातिहार्यमियं धत्ते प्रियाप्रियव्यवहृति बहिरन्तर्वस्तुतत्त्वं भर्तुः शमस्य ललितै भुव्यभिष्वंग एवायं भूयांसि यानि शास्त्राणि भोगिनो दृग्विषाः स्पष्टं मनः पवनयोरैक्यं ममत्वपङ्कं निःशङ्कं ममत्ववासना नित्य ममत्वविषमूर्छाल परिशिष्ट - २ क्रमांक : ८६ ६७ ३० ८१ ६८ ६ ८५ १५ ४६ १०१ ७६ २५ ३६ १४ १०४ ५६ ७२ २२ १३ १६ Page #106 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ पद्मप्रारम्भः ममत्वं माम ! भावेषु मा मुहः कविसंकल्प मायावल्लीवितानोऽयं मृदुत्वभिदुरोद्योगा मैत्र्यादिवासनामोद यदात्मन्येव निःक्लेश यदामनन्ति विषयान् यद्वामी पिशुनाः कुर्यु यस्मै समीहसे स्वान्त ! यस्य साम्राज्यचिन्तायां यावजागर्ति सम्मोह येऽनिशं समतामुद्रां येनैव तपसा प्राणी योगग्रन्थमहाम्भोधि योगश्रद्धालवो ये तु यः कश्चित्तु लयः साम्ये रागद्वेषपरित्यागा रागोरगविपज्वाला लवणोदन्तो यः स्या लोभद्रुममवष्टभ्य ८३ पचक्रमांक: ७८ ९६ ४४ ४१ ९८ ५९ ५८ ५५ ५२ ६६ २९ १२ ९१ ९७ १०० १ ९ २३ ५० ४७ Page #107 -------------------------------------------------------------------------- ________________ ८४ परिशिष्ट-२ पद्यक्रमांक: पद्यप्रारम्भः वशीभवन्ति सुन्दर्यः वश्या वेश्येव कस्य स्याद् वाशनावेशवशतो विदलबंधकर्माण विधाय कायसंस्कार विरागो विषयेष्वेषु विश्वं विश्वमिदं यत्र विषमेपुरयं धूर्त विषयेष्विन्द्रियग्राम विहाय विषयग्राम वीरपंचतयीमेता व्यवस्थाप्य समुन्मील शरीरकेऽपि दुःखाय शीर्णपर्णाशनप्रायै श्रीमचान्द्रकुलाम्बुजैकतरणेः श्रुतस्य व्ययदेशेन सङ्गावेशानिवृत्तानां सञ्चरिष्णुरसौ स्वैरं सन्तोषः संभवत्येष समन्तात्तस्य शोषाय Page #108 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ - पद्यक्रमांक: पद्यप्रारम्भः साम्यदिव्यौषधिस्थेम साम्यपीयूषपाथाधि साम्यब्रह्मास्त्रमादाय सूते सुमनसां कश्चि सूत्रयन्ती गति जिह्मां सैष द्वेषशिखी ज्वाला स्पष्टं दुष्टज्वरः क्रोध स्फुरत्तष्णालताग्रन्थि स्वान्तं विजित्य दुर्दान्त स्वैरचारीन्द्रियाश्वीय Page #109 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ x ૧૧ ૧૧ ૧૭ ૨૦ ૨૧ ૩૬ ४७ ૬૩ પક્તિ ૧૫ ' જ હ ૧ n ૧૫ ૧૦ ૮ ૧૧ શુ દ્વિપત્ર ક અશુદ્ધ પરમાત્માને ● मियुषि पयोऽषि °યુદ્ધ° યમાંસ .. અવય 'ममध्य અગ્નિને નિર્હચે. शुद्ध પરમાત્મા 'मीयुषि पयोsपि . દુહુર° માંસ° અવશ્ય તેને मध्य અગ્નિને નિહચે' Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્ર કા શ ને જ (૧) પ્રતિક્રમણની પવિત્રતા– પ્રતિક્રમણ સૂત્રના રચયિતા, તેની આવશ્યકતા, પ્રતિક્રમણની ચારિત્ર ઉપર અસર વગેરે વિષયોની વિશદ મીમાંસા કરી અનેક શંકાઓના શાસ્ત્રીય સમાધાન આમાં આપવામાં આવ્યા છે. વિ. સં. ૨૦૦૭ મૂલ્ય રૂા૦-૬૨ (૨) પ્રતિકમણ સૂત્ર પ્રબોધટીકા ભા. ૧ લો. પ્રતિક્રમણ સૂત્રોના અષ્ટાંગ વિવરણને સમાવતા આ પુસ્તકના ત્રણ ભાગ પૈકી આ પ્રથમ ભાગમાં નવકાર મંત્રથી આરંભી ગરિ વેચાi સુધીનાં સૂત્ર સામેલ કરવામાં આવ્યાં છે, કાયોત્સર્ગ ઉપર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યો છે, પૂજની પરિભાષા સમજાવાઈ છે, આનંબન યોગનું રહસ્ય દર્શાવાયું છે. આ ભાગના પાંચેય પરિશિષ્ટ ફરી ફરીને વાંચવા જેવાં છે. વિ. સં. ૨૦૦૭ મૂલ્ય રૂા. ૫-૦૦ જ (૩) પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ભા. ૨ – આ બીજા ભાગમાં “માવાન” થી આરંભી અત્તર * આ નિશાનીવાળા ગ્રન્થ અપ્રાપ્ય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ સુધીનાં સૂત્રો સમાવિષ્ટ કરાયાં છે. પંચાચાર અને શ્રાવકધર્મ ઉપર પુષ્કળ પ્રકાશ પાથરેલ છે. લઘુશાન્તિ ઉપર ૧૦૦ પૃષ્ઠ જેટલું વિવેચન કરી તેને પદે પદનું રહસ્ય સમજાવી તેમાં રહેલા મંત્રના અર્થનું ઉદ્ઘાટન કરાયું છે. વિ. સં. ૨૦૦૮ મૂલ્ય રૂ. ૫-૦૦ (૪) પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા. ૩ જે મન્ન નળા' થી આરંભી પ્રતિક્રમણના અવશિષ્ટ સર્વ સૂત્રે આમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉપરાંત અનેક મહત્વના વિષ આમાં ચર્ચવામાં આવ્યા છે. અજિતશાન્તિ સ્તવ ઉપર અદ્દભુત પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રાચીનમાં પ્રાચીન પ્રતિએના આધારે સંતિ સ્તવનો પાઠ સુધારીને મૂકવામાં આવે છે. પાંચેય પ્રતિક્રમણની વિધિ તથા હેતુએ રતવનાદિ સંગ્રહ તથા અનેક પરિશિષ્ટ સમુચિત રીતે અપાયા છે. ૨૪૦૦ પૃષ્ઠ પ્રમાણ આ ૩ ગ્રંથે એક યાદગાર કતિ સમા છે. વિ. સં. ૨૦૦૯ મૂલ્ય રૂા. પ૦૦ * (પ) પંચ પ્રતિક્રમણ સૂત્ર (પ્રધટીકાનુસાર) ગુજરાતી આવૃત્તિ- પાંચેય પ્રતિક્રમણના સૂત્રોના પ્રત્યેક શબ્દના અર્થ, સમુદાયાથ, અર્થ રહસ્ય, સૂત્રપરિચય, વિધિઓ તથા અન્ય સર્વ ઉપયેગી વિષને સમાવતું શુદ્ધ પ્રકાશન છે. ૬૪૦ પાનાને દળદાર ગ્રંથ, વિ. સં. ૨૦૧૦ મૂલ્ય રૂા. ૨-૦૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ (૬) પંચ પ્રતિકમણ સૂત્ર તથા નવમરણ, (આવૃત્તિ બીજી) હીન્દી આવૃત્તિપાંચેય પ્રતિક્રમણના સૂત્રોને શબ્દાર્થ, અર્થસંકલના, સૂત્ર પરિચય, વિધિઓ, ઉપયોગી વિષય, નવસ્મરણે, ચિત્યવંદને તથા તુતિઓ વગેરેને સમાવેશ કરતું આ સર્વાગ શુદ્ધ પ્રકાશન છે. વિ. સં. ૨૦૨૫ મૂલ્ય રૂા. ૫-૦૦ ૨ (૭) સચિત્ર સાથે સામાયિક ચિત્યવંદન, (આવૃત્તિ બીજી)– સામાયિક તથા ચિત્યવંદનના સૂત્રોનું વિશિષ્ટ રીતે, સરળ, બાળગ્ય ભાષામાં વિવેચન કરી, જરૂરી ચિત્રો દ્વારા તેની સમજૂતી આપવામાં આવી છે. વિ. સં. ૨૦૨૪. મૂલ્ય રૂા. ૧-૨૫ (૮) ગપ્રદીપ. લગભગ દોઢસે લેક પ્રમાણુ આ પ્રાચીન ગ્રંથ વેગ જેવા ગહન વિષય ઉપર ગંભીર પ્રકાશ પાડે છે. આમાં પ્રાચીન ગુજરાતી બાલાવબેધ તથા અર્થ સમજૂતી દ્વારા વિશિષ્ટ વિવેચન છે. વિ. સં. ૨૦૧૭ મૂલ્ય રૂા. ૧-૫૦ (૯) ધ્યાન વિચાર (સચિત્ર) આ નાનકડો ગ્રંથ ધાન અંગેના તદ્દન અપરિચિત ૨૪ પ્રકારે દર્શાવી, જૈન દર્શને ધ્યાનના વિષયમાં જે વિશદ ચિંતન દર્શાવ્યું છે, જે ગૂઢ રહસ્ય દાખવ્યાં છે તેને પ્રકટ કરે છે. ધ્યાનના વિષય પર આ પ્રકાશ પાથરનાર કેઈ ગ્રંથ આજ સુધી પ્રાપ્ત થયેલ નથી. વિ. સં. ૨૦૧૭ મૂલ્ય-સવાધ્યાય Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦) તત્ત્વાનુશાસન. (ગુજરાતી અનુવાદ સહિત) – - ધ્યાનના પ્રત્યેક અભ્યાસી માટે આનું વાચન અત્યંત જરૂરી છે. ધ્યાનના વિષયની સંપૂર્ણ છણાવટ કરતા આ ગ્રંથમાં વ્યવહાર ધ્યાન, નિશ્ચય દધ્યાન વગેરેનું સુંદર વર્ણન છે. વિ. સં. ૨૦૧૭ મૂલ્ય રૂા. ૧-૦૦ જ (૧૧) નમકાર સ્વાધ્યાય, (સચિત્ર) પ્રાકૃત વિભાગ]– - શ્રીપંચમંગલ મહાકૃતસકલ્પ અર્થાત્ શ્રી નવકાર મહામંત્રની યથાર્થ સ્વરૂપમાં વ્યવસ્થિત સમજ આપતાં અનેક પ્રાકૃત તેત્રો, યંત્ર, મંત્રે તથા ચિત્રને આમાં અનોખે સંગ્રહ છે. | નમસ્કાર વિષયક પ્રાચીન શ્રેષ્ઠ સાહિત્યને, ગુજરાતી અનુવાદ સાથેનો આ અભૂતપૂર્વ સંગ્રહ છે વિ. સં. ૨૦૧૭ મૂલ્ય રૂા. ૨૦-૦૦ (૧૨) ગષિમંડલ સ્તવયંત્રાલેખન, મત્ર વિજ્ઞાનમાં સિદ્ધ, ચૌદમી શતાબ્દિના સમર્થ માંત્રિક, આચાર્યશ્રી સિંહતિલકસૂરિની આ કૃતિ છે, આમાં ત્રષિમંડલયંત્રનું આલેખન કરવાની વિધિ સરળતાથી સમજાવવામાં આવી છે. ૧૧ પરિશિષ્ટો તથા સરળ ગુજરાતી અનુવાદ સાથે આ ગ્રંથ સાધકને અતિ ઉપયોગી છે. વિ. સં. ૨૦૧૭ મૂલ્ય રૂા. ૩-૦૦ (૧૩) ષિમડલ મન્ન, ત્રિરંગી આર્ટ પેપર ઉપર)– આચાર્ય શ્રી સિંહતિલકસૂરિએ નિર્દિષ્ટ કરેલ આમ્નાય Page #114 -------------------------------------------------------------------------- ________________ હાં. અનુસાર ઢારવામાં આવેલ ઋષિમ`ડલ યંત્રને ત્રણ રંગામાં સુંદર રીતે આ પેપર ઉપર છાપવામાં આવેલ છે. વિ. સ. ૨૦૧૭ મૂલ્ય રૂા. ૧-૦૦ (૧૪) નમસ્કાર સ્વાધ્યાય. (સચિત્ર) [સસ્કૃત વિભાગ શ્રી નવકાર મહામંત્ર અંગેના ૪૩ પ્રાચીન સંસ્કૃત સ્તેાત્રા તથા સંદર્ભોને આ મહાકાય ગ્રંથમાં સમાવિષ્ટ કરાયા છે. શ્રી નવકાર મહામત્રની વિશેષતાએ જાણવા ઇચ્છતા અભ્યાસીએ તથા આશધકે માટે આ ગ્રંથ અતિ ઉપયેગી છે. વિ. સ. ૨૦૧૯ મૂલ્ય ।. ૧૫-૦૦ * (૧૫) A comparative study of the jaina theo ries of reality and knowledge. By-Y. J. Padmarajiah જૈન દર્શનની અન્ય દના સાથે તુલના કરી તેના પર વિશદ વિવેચન કરતા આ નિષધ (થીસીસ) પર ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા લેખકને M. A. D. Phil ની પી એનાયત થયેલ છે. અતિ ઉપયાગી આ ગ્રન્થની સેકડા પ્રતિ પરદેશમાં ગયેલ છે. ઇ. સ. ૧૯૬૩. મૂલ્ય રૂા. ૧૫-૦૦ (૧૬) સસિદ્દાન્તપ્રવેશક છ એ ભારતીય દનાનું કે હું પણ સચાટ વિવેચન કરતા આ ગ્રંથ અગ્યારમી શતાબ્દીમાં જૈન મુનિએ રચેલ છે, જે દનાનું જ્ઞાન મેળવવાના ઈચ્છુકા માટે બાળાથી જેવા છે. વિ. સ. ૨૦૨૦ મૂલ્ય રૂા. ૧-૦૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ છે. - - - - - (૧૭) જિનસ્નાત્રવિધિ તથા આણંદભષેકવિધિ (૧) લગભગ એક હજાર વર્ષો પૂર્વે થયેલા આચાર્યશ્રી જીવદેવસૂરિની પ્રાકૃત કૃતિ સમુદ્રસૂરિની સંસ્કૃત પંજિકા સાથે તથા (૨) વાદિવેતાલ આચાર્યશ્રી શાન્તિસૂરિની સંસ્કૃત કૃતિ, શીલાચાર્ય કૃત સંસ્કૃત પંજિકા સાથે. આ ઉભય છે ગુજરાતી અનુવાદ, વિરતૃત પ્રસ્તાવના, ઉપયોગી અનેક પરિશિષ્ટો સાથે સંપાદિત કરાયા છે. વિ. સં. ૨૦૨૧ મૂલ્ય રૂા૭-૦૦ * (૧૮) લેગસ્સ સૂત્ર સ્વાધ્યાય ચોવીસેય અહંતુ ભગવંતેના વંદન માટેના આ લેગસ્ટ સૂત્ર અંગે અત્યાર સુધીના પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત થતા સાહિત્યનું આમાં સર્વતે મુખી વિવેચન કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્રશ્નોત્તરે, પ્રકીર્ણ વિચારે, આવશ્યક સઘળી માહિતી, તેત્રે, યન્ત્ર, કલ્પ વગેરે વિવિધ સામગ્રીથી સભર આ ગ્રન્થ વાધ્યાય રસિકે માટે અતિ આદરણુંય બન્યો છે. વિ. સં. ૨૦૨૩ મૂલ્ય રૂા. ૨-૦૦ (૧૯) ચોગસાર લગભગ ૫૦૦ વર્ષો પૂર્વે જૈન મુનિવરે રચેલ આ ગ્રંથમાં ધર્મને ટૂંક સાર દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતી અનુવાદ સાથેની આ પુસ્તિકા અતિ ઉપયેગી છે. વિ. સં. ૨૦૨૩ મૂલ્ય રૂા. ૨-૦૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩ (૨૦) Praman-Naya-Tattvalokalamkar with eng lish translation અગ્યારમી શતાબ્દીના મહાસમર્થ દિગ્ગજ વાદી આચાય શ્રી વાદિદેવસૂરિએ રચેલ જૈન દર્શનના પ્રમાણ, નય, નિક્ષેપ વગેરેનું વિવેચન કરતા આ મહાન ગ્રંથરાજમાં જૈન દર્શનનું અતિ સ્પષ્ટ વિવેચન છે. સાંસ્કૃત ગ્રંથનુ અંગ્રેજી ભાષામાં આ પ્રથમ વારજ રૂપાન્તર છે. સન. ૧૯૬૭. (૨૧) યાગશાસ્ત્ર વિવરણ, (વિભાગ ૧ લે) મૂલ્ય રૂા. ૨૦-૦૦ સવિસ્તર અષ્ટમ કલિકાલસર્વજ્ઞ આચાય. શ્રી હેમચ'દ્રસૂરિ વિરચિત યાગ શાસ્ત્રના આઠમા પ્રકાશના ૧ થી ૧૭ àાકામાં દર્શાવેલી પદસ્થ ધ્યાનની પ્રક્રિયાનું આમાં સુ’દર વિવેચન છે, કુંડલિની માટે પ્રાપ્ત થતા જૈન પાઠા એકત્ર કરી રજૂ કરાયા છે, ધ્યાનની એક સળંગ પ્રક્રિયા દર્શાવાઈ છે. ધ્યાન અને ચેાગના અભ્યાસીએ માટે આ એક મનનીય ગ્રંથ છે. વિ. સં. ૨૦૨૫ મૂલ્ય રૂા. ૧૫-૦૦ પ્રકાશનું (૨૨) સૂરિમ ત્ર૫સમુચ્ચય, (પ્રથમ ભાગ) અનેક પૂર્વીયા^ રચિત સુમિત્ર અંગેના વિવિધ સાહિ ત્યને સમાત્રતા આ ગ્રંથમાં સૂરિમંત્રના પાંચ કલ્પાને પાઠાં. તરા આદિથી શુદ્ધ કરી મુદ્રિત કરવામાં આવ્યા છે, જે પૈકી ત્રપુ ક૨ે તે પ્રથમવાર જ પ્રકાશિત થાય છે. સૂરિમત્ર અંગે આ એક આકર ગ્રંથ છે. વિ. સ. ૨૦૨૫. ૯૫ રૂા. ૨૦-૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ (૨૩) ઉવસગહર સ્તોત્ર સ્વાધ્યાય, સિચિત્ર-યંત્ર] શ્રુતકેવલી, આચાર્ય, શ્રી ભદ્રબાહુવામી પ્રણીત, મહાપ્રાભાવિક શ્રી ઉવસગ્ગહર તેત્રનું સર્વમુખી વિવરણ આ ગ્રન્થમાં સર્વ પ્રથમ જ ઉપલબ્ધ થાય છે. તેત્રની ગાથાએના વિવિધ અર્થો, તેત્ર સાથે સંબદ્ધ અનેક જરૂરી વિષયે, ગાથાઓનું વાસ્તવિક પરિમાણ, પરિશિષ્ટો, તેત્રે, ૨૧ રંગીન યંત્ર, બહુરંગી ચિત્રો વગેરે વિપુલ સામગ્રીથી સમૃદ્ધ આ ગ્રંથ પ્રત્યેક સાધક તથા અભ્યાસી માટે અતિ આવશ્યક છે. વિ. સં. ૨૦૨૭ મૂલ્ય રૂા. ૧૦-૦૦ (૨૪) સાશતક (સાનુવાદ) તથા સમતાશતક (સાથે) હવે પછી પ્રકાશિત થનારા ગ્રન્થ. (14) Siddhasena's Nyayavatara and other works. Rs. 15-00 (૨૬) પંચ પરમેષ્ઠિ મંત્રરાજાનમાલા અથવા અનુભાવલીલા તથા અધ્યાત્મસારમાલા, રૂ. ૧૫-૦૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ प Page #119 -------------------------------------------------------------------------- ________________ Page #120 -------------------------------------------------------------------------- ________________ Main Education International For Private Personal use only www.ainelibrary.org