Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/009138/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ chbl - Tollhah વિવેચતે ધીમદ્ રાત્ર 121Hhe PIC છે ! િ જ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ, ચુપજીવ્યા KASAdhu Instant 647Indan DRoot को . Singina MNS Minimite 44.4 ACM Nato NA.It -N nirnest ed Au/0444says: 4ammarsh A- Mary.in Nandian MINS AAVAT RAI Porthand THROUNDER ivilist MARi NEWS सहजात्मस्वरूप सहरु श्रीमान् राजचन्द्र. भिन्न भिन्न अबरख्या. जन्म, बवाणोआ (सौराष्ट्र). वि.संवन् १९२४ कार्तिक शु.१५. देहविलय. राजकोट (सौराष्ट्र). वि.संवत् १९७ चैत्र कृष्ण ५. L D.N.KHANDEKAR JITEKARSWADI. OMGAY N. ક્ષિાના ક્ષિાના આવાસ્થા Page #3 -------------------------------------------------------------------------- ________________ H OMR , ગ ત , IOCON * 000oછે OOOOOOOOQ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત પુષ્પમાળા (વિવેચન સહિત) (તથા “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ક્રમાંક ૨૧નું વિવેચન) 0000000000000000000000000000000000000000000590000000000000905555050 સંયોજક પારસભાઈ જૈન પ્રકાશક 00000 શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવન, વવાણિયા QO0O00000000000-00000000000000000000000000000000000000000000000000000000000000 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર રચિત કાવ્યો (વિવેચન સહિત) (૧) (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોર્ડ કરું કામના; બોઘું થર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખુ મોક્ષ સુબોથ ધર્મ ઘનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ વિચાર સત્ત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના. ૧ અર્થ :— ગ્રંથ લખવાનો આરંભ એટલે શરૂઆત કરવાનો આ પ્રસંગ છે. માટે આ ગ્રંથમાં સુંદર આત્મભાવોના રંગ ભરું, અર્થાત્ વિધ વિધ પ્રકારના ઉપયોગી વિષયોનો સંગ્રહ કરું. જેથી આત્માર્થી જીવોનું કલ્યાણ થાય, એવી મારી કોડભરી એટલે અંતરના ઉમંગ સહિતની કામના અર્થાત્ ઇચ્છા છે. તે માટે ધર્મદ એટલે આત્મસ્વભાવરૂપ ધર્મને દેવાવાળા એવા સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રાપ્તિના મર્મ એટલે રહસ્યનો આમાં બોધ કરું કે જેથી અનાદિકાળનો આત્મબ્રાંતિનો ભર્મ એટલે ભ્રમ જીવોનો નાશ પામે, અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર થઈ કેવળજ્ઞાનને વરે, એ જ મારી અભિલાષા છે; અન્ય કોઈ પ્રયોજન નથી. ભાખું એટલે જણાવીશ. મોક્ષ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ, ધન એટલે અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ સંબંધી અત્રે સુબોધ જણાવીશ. પણ ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થમાં, ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ એ આત્મતત્ત્વની વિચારણા ઉત્પન્ન કરાવી મોક્ષરૂપ સત્વને પ્રગટ કરાવશે; જે અનંત સુખદા એટલે સુખને આપનાર છે. માટે હે વીતરાગ! આ કાર્ય પૂર્ણ કરવામાં મને પ્રેરણાત્મક બળ આપો કે જેથી જગત જીવોનું કલ્યાણ થાય; એવી મારી આપ પ્રભુ પ્રત્યે શુભ કામના છે. (છપ્પય) નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંઘનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદ્યંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨ અર્થ :— હવે શ્રી પરમકૃપાળુદેવ શ્રી ઋષભદેવ પરમાત્માને વંદન કરતા કહે છે કે હે નાભિરાજાના પુત્ર, ત્રણલોકના નાથ, સકળ વિશ્વને વંદનીય, વિશિષ્ટ કેવળજ્ઞાનના ઘારક હોવાથી વિશેષ જ્ઞાની, સાંસારિક મોહમાયાના ફંદને ખંડન કરી સાચા આત્મિક સુખના દાતાર, ગ્રંથ લખવાના માર્ગમાં આત્યંત એટલે આદિથી અંત સુધી ઉત્સાહને ટકાવવામાં પ્રેરણા આપનાર ભગવાન, આપ તંતહારક એટલે સંપૂર્ણ કર્મ સંતતિને હણવાથી અખંડિત અર્થાત્ શાશ્વત સુખમાં બિરાજમાન એવા અરિહંત છો. તેથી સદા જયવંત છો અર્થાત્ વિષયકષાયના ભાવો ઉપર સર્વ કાળને માટે આપ વિજય મેળવનારા છો. આપ મરણનું હરણ કરનાર, સંસારી જીવોને તારનાર તેમજ નિષ્કામભાવે બોધ આપી વિશ્વના ભવ્ય જીવોનો ઉદ્ધાર કરનાર અને અઘ એટલે પાપના હરનાર છો. એવા આપ શ્રી ઋષભદેવ પરમેશ્વરના પુનિત પદારવિંદમાં રાજચંદ્ર વંદન કરે છે. 3 પ્રભુપ્રાર્થના (વિવેચન સહિત) પરમકૃપાળુદેવ આ કાવ્યમાં સૌ પ્રથમ ૧ થી ૧૨ ગાથા સુધી પ્રભુના ગુણોનું ભક્તિભાવપૂર્વક વર્ણન કરે છે. એ વિષે પરમકૃપાળુદેવે મોક્ષમાળા પાઠ ૧૦૧માં પણ જણાવ્યું છે કે “ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ” વળી પત્રાંક ૮૫માં પણ જણાવે છે કે—“પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો.” પછી ગાથા ૧૩ અને ૧૪માં પોતાની મતિ કંકર જેવી બતાવીને તે તે દોષો દૂર કરવાની પ્રભુ પ્રત્યે શક્તિ મેળવવા માટે પ્રાર્થના દર્શાવે છે. ત્યારબાદ ૧૫ થી ૧૯ ગાથા સુધી આર્ય દેશ ભારતની પ્રજાને નીતિ, નમ્રતા તથા પ્રભુ પ્રત્યે પ્રીતિભક્તિ, દયા, શાંતિ આદિ અનેક ગુણોનું ભાન થાય તથા સર્વ પ્રજા તન, મન, ધન અને અન્નવડે સુખી થઈ પૃથ્વી પર સ્વર્ગનું વાતાવરણ સર્જાય એવી પ્રભુ પ્રત્યે પરમકૃપાળુદેવ વિનંતી કરી આ કાવ્ય પૂર્ણ કરે છે. પરમકૃપાળુદેવ મોક્ષમાળાના બીજા ‘સર્વમાન્ય ધર્મ' નામના પાઠમાં પણ કહે છે કે “સર્વ જીવનું ઇચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય,’” તે પ્રમાણે પ્રભુ પ્રત્યે સર્વ જીવોના હિતની આ કાવ્યમાં ભાવના કરી છે. તેમજ આ કાવ્યવડે પ્રભુના કેવી રીતે ગુણગાન કરવા તથા સર્વ જીવોનું હિત કેમ ઇચ્છવું વગેરે આત્માર્થી જીવોને શિખામણ આપી છે. (દોહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિથાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૩ અર્થ :— હે પ્રભુ! તું કેવળજ્ઞાનરૂપ જ્યોતિવડે સૂર્યથી પણ અનંતગુણા ઝળહળતાં સૂર્ય સમાન છું. તું કેવળ કૃપાનો જ ભંડાર છું. માટે તારા પ્રત્યે મને પુનિત અર્થાત્ પવિત્ર નિષ્કામ ભક્તિ પ્રગટે એવા પ્રેમની મને પ્રેરણા આપજે. તું તો સંસારી જીવોના સાતેય પ્રકારના ભયને ભંજન એટલે નાશ કરનાર ભગવાન છો. તે સાત ભય આ પ્રમાણે છે :— (૧) આલોકભય એટલે આ લોકમાં પરિગ્રહ, કુટુંબ તથા આજીવિકા મેળવવા આદિનો ભય. (૨) પરલોકભય એટલે પરલોકમાં મારું શું થશે? હું અહીંથી મરી કઈ ગતિમાં જઈશ? વગેરેનો ભય. (૩) મરણભય એટલે મૃત્યુનો Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ભય. (૪) વેદનાભય એટલે અસાધ્ય રોગ આદિ દુઃખ મને આવી ઇ જશે તો શું કરીશ? તેનો ભય. (૫) અરક્ષાભય એટલે આ જગતમાં મારી રક્ષા કરનાર કોણ છે? તેનો ભય. (૬) અગુતિભય એટલે પોતાની માનેલી વસ્તુઓ સાચવવાનો ભય તથા (૭) અકસ્માત ભય એટલે અકસ્માત કોઈ દુઃખ આવી પડ્યું તો મારે શું કરવું ? વગેરેનો ભય. આ સર્વ પ્રકારના ભયને નિવારનાર હે પ્રભુ! આપ જ છો. નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન; અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ૪ અર્થ :- હે પ્રભુ! આપ શુદ્ધ સ્વરૂપને સંપૂર્ણ પામવાથી નિત્ય એવા મોક્ષપદને પામ્યા છો. કર્મરૂપી કાલિમાંથી રહિત એવા નિત્ય નિરંજન પરમાત્મા છો. આપ મારા ગુમાન એટલે અહંકારના ગંજ એટલે ઢગલાનું ગંજન અર્થાત્ નાશ કરનાર છો. માટે હે અભિનંદન એટલે નમસ્કાર કરવા યોગ્ય એવા પ્રભુ! આપને મારી અભિવંદના એટલે મારા ભાવભક્તિપૂર્વક કોટીશઃ પ્રણામ હો. આપ તો સદૈવ સર્વ જીવોના સર્વ પ્રકારના ભયને ભાંગે એવા બોધના દાતાર ભગવાન છો. ઘર્મઘરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિગ્રહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૫ અર્થ - આ ઘર્મઘરણ એટલે વસ્તુ સ્વભાવરૂપ આત્મધર્મને સદૈવ ઘારણ કરનાર છો. આપ સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોના તારણ એટલે તારનાર છો, કેમકે આપ સ્વયં તરણ અર્થાતુ તરવામાં કુશળ છો. માટે આપના ચરણકમળનું હું સન્માનપૂર્વક એટલે પરમ વિનય સહિત શરણ અંગીકાર કરું છું. આપ સર્વ પ્રકારના વિદ્ગોને હરણ કરવા સમર્થ છો. આપની ભક્તિ મારા પાપોને હરી લઈ મને પાવનકરણ એટલે પવિત્ર બનાવવા શક્તિમાન છે. કેમકે આપ અમારા સર્વ ભયોનું ભંજન કરનાર ભગવાન છો. ભદ્રભરણ ભીતિહરણ, સુથાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૅરણ, ભયભંજન ભગવાન. ૬ અર્થ - આપ જગત જીવોના ભદ્ર એટલે કલ્યાણ તેના ભરણ અર્થાતુ કરનાર છો. ભીતિહરણ એટલે અનાદિથી ચાલતી આવતી ભય સંજ્ઞાના હરનાર છો. આપ શુભવાન એટલે પુણ્યવાન પ્રભુના મુખથી સુધાઝરણ અર્થાત્ પ્રભુપ્રાર્થના વિવેચન બોઘરૂપી અમૃતનું ઝરણ થાય છે; તે પીને મુમુક્ષુઓ અમર થાય તે છે. ક્લેશ એ દુઃખનું બીજ હોવાથી આપ તેને હરનાર છો. ચિંતા જ એ ચિતા સમાન બાળનાર છે; પણ આપનો બોથ ચિંતાનું ચૂર્ણ કરી દે એવો છે. કેમકે આપ ભયભંજન ભગવાન છો. અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૭ અર્થ :- હે પ્રભુ! આપ સર્વ કર્મોને હણી અવિનાશી એવા શુદ્ધ આત્મસ્વરૂપને પામવાથી અરિહંત બન્યા છો. તેથી અખંડ એટલે કોઈ દિવસ પણ ખંડિત નહીં થાય એવા અમાન એટલે અમાપ અનંતગુણના ઘારક થયા છો. હવે આપને જરાવસ્થા નથી, મરણ નથી તથા જન્મ પણ નથી. આપ તો સર્વ પ્રકારે જીવોના ભયને ભાંગનાર એવા ભગવાન છો. આનંદી અપવ તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુક્ળ આપજે, ભયભંજન ભગવાન. ૮ અર્થ - હવે આપ સહજાન્મસ્વરૂપથી પ્રાપ્ત એવા આનંદથી ભરપૂર છો. તેથી સદા સહજાનંદી છો. આપ ભાવનયે મોક્ષમાં જ બિરાજમાન હોવાથી અપવગ એટલે મોક્ષમાં જ જનાર છો. આપની ઉચ્ચ અંતરઆત્મગતિનું અનુમાન કરવું પણ અમારા માટે અકળ અર્થાત્ કળી શકાય એમ નથી. માટે હે પ્રભુ! આ પામર પર કૃપા કરી એને પણ આવું સહજાન્મસ્વરૂપ પ્રાપ્ત થાય એવી અનુકૂળ આશિષ અર્થાત્ આશીર્વાદ આપજો કે જેથી અમારું પણ કલ્યાણ થાય. આપ તો ભયભંજન ભગવાન છો માટે આપને આવી વિનંતી કરીએ છીએ. એ વિષે પ્રજ્ઞાવબોઘમાં જિનદેવ સ્તવન' નામના બીજા પાઠમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે “અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન; કેવળ કષ્ણામૂર્તિ, દેજો તમને ઘટતું દાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન.” નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિઘાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૯ અર્થ - હે પ્રભુ! આપને મૂળસ્વરૂપે જોતાં નિરાકાર સ્વરૂપી શુદ્ધ આત્મા છો. જગતના સર્વ મોહાદિ ભાવોથી રહિત નિર્લેપ છો. તથા પાપમળથી Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર / રહિત સદા શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ છો. તેથી સર્વ પ્રકારની ન્યાયનીતિના આપ ભંડાર છો. માટે હે મોહરહિત નારાયણા એટલે પરમાત્મા આપ ખરેખર સર્વ પ્રકારના ભયને ભાંગવામાં સમર્થ એવા ભગવાન જ છે. સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા ભયભંજન ભગવાન. ૧૦ અર્થ - હે પ્રભુ! આપ તો સચરાચર એટલે સચર તથા અચર સર્વ પ્રકારના જીવાદિ પદાર્થોમાં જ્ઞાન અપેક્ષાએ સર્વત્ર વ્યાપેલા સ્વયંભૂ એટલે ઈશ્વર છો. સચર એટલે જે હાલી ચાલી શકે એવા જંગમ જીવાદિ પદાર્થ તથા જે આપોઆપ ચાલી શકે નહીં એવા અચર એટલે સ્થાવર જીવાદિ તથા સર્વ જડ પદાર્થમાં પણ આપનું કેવળજ્ઞાન સર્વત્ર વ્યાપેલું છે. કેવળજ્ઞાનથી આપ સર્વ પદાર્થોને જોઈ રહ્યા છો. માટે સર્વ જીવોને સુખ ઊપજે એવી સાન એટલે અક્કલ આપજો. કેમકે આપતો સકળ સૃષ્ટિના નાથ છો. ત્રણેય લોકના નાથ હોવાથી સર્વના ઈશ્વર છો. તેમજ સર્વ લોકોના ભયને ભાંગનાર ભગવાન છો. સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૧૧ અર્થ - હે પ્રભુ! જીવોના સકળ શોક તથા સંકટને હરનાર એવું આપનું નૌતમ એટલે નૂતન, અપૂર્વ જ્ઞાન જ ખરેખર નિદાન એટલે કારણભૂત છે, માટે હે પ્રભુ! હવે મારી વિકળ એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભટકતી ઇચ્છાને રોકી આપના બોબળે સહજાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં જ તેને સ્થિર કરો. જેથી મારા સર્વ પ્રકારના ભયનો નાશ થાય. આપ જ એક માત્ર ભયભંજન ભગવાન છો. આપના જેવો આ જગતમાં બીજો કોઈ નથી. આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળું કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૨ અર્થ:- હે પ્રભુ! મારી આથિ એટલે માનસિક ચિંતા, વ્યાધિ એટલે શારીરિક રોગાદિ તથા ઉપાધિ એટલે ઘર ઘંઘા કુટુંબાદિની ઉપાધિનું સર્વકાળને માટે હરણ કરો. કેમકે આ બઘો તંત તોફાન એટલે કર્મોના કારણે ઉત્પન્ન થતો ઉપદ્રવ છે. તેને હે કરુણાળુ નાથ! કરુણા કરીને હવે દૂર કરો. કેમકે આપ જ પ્રભુપ્રાર્થના વિવેચન એકમાત્ર સર્વ પ્રકારના દુ:ખ કે ભયને ભાંગનાર પ્રભુ અથવા ભગવાન [ી છો. આપના સિવાય મારો બીજો કોઈ રક્ષક નથી. કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. ૧૩, અર્થ:- હે પ્રભુ! આપનો કિંકર એટલે સેવક તેની મતિ કંકર અર્થાત્ કાંકરા જેવી તુચ્છ છે. તે અજ્ઞાનમય બુદ્ધિના કારણે પોતે કોણ છે ? તેની ભયંકર ભૂલ અનાદિથી ચાલી આવે છે. તેને હવે આત્માનું ભાન આપી અથવા આત્મા સંબંઘી જ્ઞાન આપી દે શંકર ! એટલે સમના ઘારક મહાદેવ એવા વીતરાગ પ્રભુ આપ સ્નેહપૂર્વક અમારા અજ્ઞાનને દૂર કરો. કેમકે આપ જ એકમાત્ર સર્વ ભયના ભાંગનાર એવા ભગવાન છો. શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૪ અર્થ - હે પ્રભુ! આ બાળકને મોક્ષ પુરુષાર્થ કરવા અર્થે શક્તિ આપજો. તે મોક્ષ, ભક્તિ વિના પ્રાપ્ત થતો નથી; એ આપની કહેલી યુક્તિ જગત જાહેર છે. માટે હે ભયભંજન ભગવાન! આપના પ્રત્યે અમારી અનન્ય ભક્તિ પ્રગટે એવી કૃપા કરો. નીતિ પ્રીત નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૫ અર્થ :- હે ભયભંજન ભગવાન! આપ ન્યાયનીતિ, સર્વમાં પરસ્પર નિસ્વાર્થ પ્રેમ, પ્રીતિ તથા નમ્રતા સહિત આત્માનું ભલું કરનારી એવી પ્રભુ પ્રત્યેની પરમભક્તિનું, આર્ય સંસ્કારવાળી પ્રજાને ભાન આપજો. આપના સિવાય સાચા સુખનો માર્ગ દર્શાવનાર જગતમાં કોઈ નથી. દયા શાંતિ ઔદાર્યતા, ઘર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. ૧૬ અર્થ :- હે પ્રભુ! મને સર્વ પ્રાણી પ્રત્યે દયાભાવ તેમજ સ્વઆત્માને જન્મ મરણથી છોડાવાનો દયાભાવ આપ. તથા આત્મશાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. ઔદાર્યતા એટલે ઉદારતાનો ગુણ મને આપી કૃતાર્થ કર કે હું કૃપણતા જેવા મોટા દોષનો ત્યાગ કરું. વળી ઘર્મનો મર્મ, તે દેહાધ્યાસનું છુટવું અને Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આત્મામાં આત્મબુદ્ધિનું થવું તે છે, તેનું જ ધ્યાન મારા મનમાં સદા રહે એવી બુદ્ધિ આપ. હે ભયભંજન ભગવાન હું સર્વ સાથે સંપીને રહુ એવી શક્તિ આપ. કારણ સંપ ત્યાં જ જંપ છે અર્થાત્ સુખશાંતિ છે. એ સુખશાંતિ મને વણકંપ અર્થાત્ સ્થિરપણે આપ કે જેથી મારા આત્મામાં કદી અશાંતિ ઉત્પન્ન થાય નહીં. હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૭ અર્થ - હે પ્રભુ!મારો આળસ તેમજ એદીપણું એટલે પ્રમાદી સ્વભાવ છે, તેનો નાશ કર. કેમકે પ્રમાદી માણસ વ્યવહાર પરમાર્થમાં કંઈ સિદ્ધિ મેળવી શકે નહીં તેમજ “મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. માટે તેનો મને ત્યાગ કરાવ. તથા અજ્ઞાનવશ મારાથી થતાં અઘ એટલે પાપોને, સમ્યકજ્ઞાન આપી દૂર કર. ભારતની આર્ય પ્રજાની પણ અનાદિની આત્મા સંબંધીની ભ્રમણા એટલે આત્મભ્રાંતિ અર્થાતુ વિપરીત માન્યતાઓને હરી લઈ હે ભયભંજન ભગવાન! તેમનો પણ ઉદ્ધાર કર. તન મન ધન ને અન્નનું, દે સુખ સુથાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૮ અર્થ:- હે પ્રભુ!બઘાનું તન એટલે શરીર સ્વસ્થ રહે, બધાના મનમાં શાંતિનો સંચાર થાય. સુખપૂર્વક જીવન નિર્વાહ અર્થે સર્વેને ધનની પ્રાપ્તિ થાય તેમજ સર્વને અન્ન પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એવું સર્વને સુધા અર્થાત્ અમૃત સમાન સુખ આપી કૃતાર્થ કર. નહી તો હે ભયભંજન ભગવાન! તારા ઉપદેશ વિના, તારી કૃપા વિના આખું જગત દુ:ખના ખાડામાં ઠેલાઈ જાય છે, માટે આ અવની એટલે પૃથ્વી પર રહેલા સર્વ પ્રાણીઓ ઉપર કૃપા કરી તેમનું કલ્યાણ કર. વિનય વિનંતી રાયની, ઘરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૯ અર્થ - હે પ્રભુ! આ રાજચંદ્રની વિનયપૂર્વકની વિનંતીને કૃપા કરી ધ્યાનમાં લઈ માન્ય કરો. કેમકે આપ જ મોક્ષરૂપી નગરીના મહારાજા છો, તેમજ સર્વ પ્રકારના ભયને ભાંગવામાં સમર્થ એવા ભગવાન છો. આપના સિવાય જગત જીવોને સુખી થવાનો બીજો કોઈ આધાર નથી. માટે આપના પ્રત્યે વિનયપૂર્વક સર્વ જીવોના હિતાર્થે પ્રાર્થના કરી મારા આત્માને સંતોષ પમાડું છું. ઘર્મ વિષે (વિવેચન સહિત) ઘર્મના અનેક અર્થ શાસ્ત્રોમાં કર્યા છે. જેમકે “દુર્ગતિમાં પડતાં આત્માને ઘરી રાખનાર તે થર્મ.” “રત્નત્રયરૂપ ઘર્મ” તે આત્માનો સ્વભાવ છે. સમ્યક્ દર્શનજ્ઞાન ચારિત્ર એ રત્નત્રય ઘર્મ છે. એટલે જોવું, જાણવું અને સ્થિર રહેવું એ આત્માનો ઘર્મ છે એટલે એનો સ્વભાવ છે. ‘વસ્તુJખાવો થપ્પો' દરેક વસ્તુનો સ્વભાવ એ એનો ઘર્મ છે. | (કવિત) સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમાં ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ઘામનું; વદે રાયચંદ એમ, સદ્ધર્મને ઘાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું! ૧ અર્થ:- સાહ્યબી એટલે ભૌતિક વૈભવ, સુખદ હોય એટલે ઇન્દ્રિયોને સુખ આપવાવાળો હોય, જગતમાં ઘણું માન મળતું હોય; તેથી એનો નશો હોય. લોકો પોતાને ઘણી ખમ્મા ઘણી ખમ્મા એમ કહી બોલાવતા હોય; પણ તે કશા કામનું નથી અર્થાત્ તેથી કંઈ ભવસમુદ્ર તરાય નહીં કે આપણા જન્મમરણના દુઃખો જાય નહીં. જુવાની એટલે યૌવન અવસ્થામાં રહેતું બળ તરવરતું હોય, એશ આરામ કરવાના અંકૂરા એટલે ફણગા ફુટ્યા હોય અર્થાતુ એશઆરામ કરવાના સાધનો ઉપલબ્ધ હોય, દોલતનો દોર એટલે ઘનસંપત્તિનો અધિકાર પોતાના હાથમાં હોય; પણ એ તો સુખ નામનું છે અર્થાત્ એ તો નામ માત્ર સુખ છે, વાસ્તવિક સુખ નથી; કારણ કે તે વિશેષ વિશેષ મેળવવાની તૃષ્ણા કરાવી જીવને આ ભવમાં દુઃખી કરે છે અને પરભવમાં જીવને દુર્ગતિએ લઈ જાય છે. કહ્યું છે કે "यौवनं धन संपत्ति, अधिकारं अविवेकीता; ओकेकम् अपि अनर्थाय, किम यत्र चतुष्टयम्" Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦ ( અર્થ - યૌવન, ઘનસંપત્તિ, અધિકાર એટલે સત્તા અને 6 અવિવેકીતા એટલે હિત અહિતનું જેને ભાન નથી. આ ચારમાંથી એક પણ જો જીવનમાં હોય તો તે અનર્થનું કારણ છે. તો ચારેય જે પ્રાણીમાં હાજર હોય તેના અનર્થ બાબત તો શું કહેવું! વનિતા એટલે સ્ત્રી સંબંઘીના જગતમાં ગણાતા બધા વિલાસ ઉપલબ્ધ હોય, પ્રૌઢતા એટલે પોતાની મોટાઈનો પ્રકાશ હોય અર્થાતુ પોતાના યશનામકર્મના ઉદયે જગતમાં તેનો પ્રભાવ પડતો હોય, દક્ષ એટલે હોશિયાર અર્થાત્ આશાવલંબી અનુચરો હોય, ઘામનું સુખ હોય અર્થાત્ રાજમહેલ જેવું ઘર હોય, ઘરમાં પાંચેય ઇન્દ્રિયોને ભોગવવાની બધી સુવિધા ઉપલબ્ધ હોય; પણ શ્રીમદ્ રાજચંદ્ર એમ વદે છે અર્થાતુ એમ કહે છે કે સઘર્મ એટલે આત્મધર્મ પ્રાપ્તિના ઉપાયને ઘારણ કર્યા વિના એ બધી ભૌતિક સુખ સામગ્રીને તું માત્ર બે બદામ જેટલું તુચ્છ સુખ માની લેજે કારણકે તે સાવ અલ્પ માત્ર છે, તેથી કંઈ વિશેષ નથી. અને તે જીવને રાગદ્વેષના ભાવો કરાવી દુર્ગતિમાં લઈ જનાર હોવાથી સદૈવ ત્યાગવા યોગ્ય છે. મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળવૃંદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ઘર્મ ઘારણાને ઘારો, ખરેખરી ખાંતથી. ૨ અર્થ - ઉપરની ગાથામાં ભૌતિક ક્ષણિક સુખને મિથ્યા અને આત્માના બંધનકારક જણાવી હવે આ ગાથામાં તે ક્ષણિકસુખને ત્યાગવાનો ઉપાય બતાવી સત્ય આત્મધર્મને ઘારણ કરવાનો ઉપદેશ કરે છે. પ્રત્યેકના અંતરમાં રહેલ પરપદાર્થો પ્રત્યેનો મોહ એટલે આસક્તિ અને માન એટલે અહંકાર તેને તોડવાને અર્થાત્ તેનો નાશ કરવા માટે, ઇન્દ્રિયોનું ફેલપણું કહેતા ભયંકર તોફાનને તોડવાને માટે, જાળફંદ એટલે આઠ પ્રકારે વળગેલા કર્મોના જાળફંદને પોતાના હાથે જ પોતાના હેતે એટલે હિત માટે ઘર્મ વિષે વિવેચન તોડવાને, કુમતિ એટલે દુર્બુદ્ધિને કાપીને દૂર કરવાને માટે, અને ( સુમતિ એટલે સમ્યક્ઝકારની સન્મુરુષે આપેલી સબુદ્ધિને પોતાના , હૃદયમાં સ્થાપવાને માટે, મમત્વ એટલે મારાપણાને હવે માપીને એટલે તે કેટલું જીવને બંધનકારક છે તે સકળ જૈન સિદ્ધાંતના આધારે જાણીને તેને દૂર કરવાને માટે, જેમકે કહ્યું છે કે મમતાથી બંઘાય છે,નિર્મમ જીવ મૂકાય; યા તે ગાઢ પ્રયત્નસેં, નિર્મમ કરો ઉપાય.”-ઇટોપદેશ માટે તે મમત્વભાવને દૂર કરી મહા એટલે સર્વોત્તમ એવા મોક્ષસુખને માણવાને માટે એટલે અનુભવ કરવાને માટે, જગદીશ એટલે પરમાત્માના સ્વરૂપને જાણવાને માટે, અજન્મતા એટલે જન્મમરણના દુઃખથી રહિત થવાને માટે, વળી ભલી ભાતથી એટલે સત્પરુષે બતાવેલ સમ્યમાર્ગના આધારે સંપૂર્ણપણે વર્તીને, અલૌકિક એટલે લૌકિક એવા પૌગલિક સુખથી પર એવા અલૌકિક અનુપમ આત્મિક સુખને અનુભવવાને માટે હે ભવ્યો! તમે ઘર્મની ધારણા એટલે શ્રદ્ધાને મનમાં ઘારણ કરો, અને તે પણ ખરેખરા ખંતથી એટલે સાચેસાચા અંતરના ઉત્સાહથી, ઉમંગથી ઘારણ કરો. કેમકે—જગતમાં ‘વીતરાગનો કહેલો પરમશાંત રસમય ઘર્મ પૂર્ણ સત્ય છે અને સર્વ જન્મજરામરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિના દુ:ખને સર્વથા નષ્ટ કરવાનો એકમાત્ર સાચો ઉપાય છે. દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે. શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભર્તાર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ઘાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩ અર્થ - દિનકર એટલે સૂર્ય, તે વિનાનો દિવસ તે દીન અર્થાત્ નિસ્તેજ જણાય છે. શશી એટલે ચંદ્રમા વિનાની શર્વરી અર્થાત્ રાત્રિ શોભાને પામતી નથી. પ્રતિપાળ એટલે રક્ષક એવા રાજા વિના નગરની પ્રજા અસુરક્ષિત છે. સુરસ એટલે સારા રાગ વિનાની કવિતા તે નીરસ જણાય છે. સલિલ એટલે Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૩ શ્રીમદ્ રાજચંદ્ર / પાણીથી વિહીન અર્થાત્ રહિત એવી સરિતા એટલે નદી તે શોભાયુક્ત જ લાગતી નથી. લૌકિક દૃષ્ટિએ ભર્તાર એટલે પતિ વગરની ભામિની અર્થાત્ સ્ત્રી શોભા યોગ્ય જણાતી નથી. તેમ આત્મશક્તિનું વીરત્વ જેને પ્રગટ થયું છે એવા શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે સતુઘર્મ એટલે આત્મધર્મના મર્મને યથાર્થ રીતે જાણ્યા વિના હૃદયમાં ઘાર્યા વિના લોકોમાં મોટો ગણાતો એવો માનવી પણ કુકર્મીઓની કોટીમાં જ ગણવામાં આવે છે. હવે થર્મનો મર્મ શું છે? તો કે દેહાધ્યાસનો ત્યાગ કરવો અર્થાત દેહમાં આત્મબુદ્ધિ મૂકી આત્મામાં આત્મબુદ્ધિ કરવી તે ઘર્મનો મર્મ છે. પોતે સ્વયં આત્મા છે, તેને ઓળખવાના લક્ષે કરેલી ઘાર્મિક ક્રિયા તે મોક્ષફળની દાતા છે. આત્માર્થના લક્ષ વગરની ક્રિયા તે માત્ર સ્વર્ગાદિ સુખોનું કારણ હોઈ શકે, પણ મોક્ષ પ્રાપ્તિનું કારણ બની શકે નહીં. માટે જીવે ઘર્મના મર્મને જાણવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ અને તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરવો જોઈએ. છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ, નહીં ભોક્તા તું તેહનો, એ જ થર્મનો મર્મ.” ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને, સુવાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ઘર્મરૂપ જાણી, “ઘર્મવૃત્તિ ધ્યાન ઘરો, વિલખો ન વે’મથી.” ૪ હવે મોટા પુરુષો ઘર્મનો પરમપ્રેમથી આદર કરે છે તે આ ગાથામાં જણાવે છે - અર્થ - ચતુરો એટલે ચતુર પુરુષો ઘર્મના સ્વરૂપને ચોંપેથી એટલે ખરા ઉત્સાહથી ચાહે છે અર્થાત્ ઇચ્છે છે. કેમકે તે ધર્મને ચિંતામણિ રત્ન સમાન ચિત્તમાં ગણે છે. કારણકે ઘર્મની આરાધનાવડે ભૌતિક સુખ તો શું પણ મોક્ષસુખ પણ જીવને મળે છે. પંડિતો વળી પ્રેમથી ઘર્મને પારસમણિ સમાન ગણે છે. કારણકે પારસમણિ લોઢાને સોનું કરે છે તેમ આત્મઘર્મ આરાઘવાથી પોતે લોઢા ઘર્મ વિષે વિવેચન જેવો હોવા છતાં સોનારૂપ શુદ્ધ આત્મા બની જાય છે. / Tી ઉત્તમ કવિઓ તે આત્મધર્મને પરમ કલ્યાણકારી અને કલ્પવૃક્ષ સમાન કહે છે અને સાધુપુરુષો તો ઘર્મને શુભ ક્ષેમ એટલે પરમ કલ્યાણકારી, સુખકારી માની તેને સુઘા એટલે અમૃતનો જ સાગર કહે છે કે જે આત્માને સર્વકાળને માટે જન્મમરણથી મુક્ત કરી અમર બનાવે છે. માટે પરમકૃપાળુદેવ અંતમાં કહે છે કે જો તમે તમારા આત્માના ઉદ્ધારને ઉમંગથી એટલે ઉત્સાહથી જો અનુસરવા માંગતા હો તો તમે પ્રથમ નિર્મળ એટલે પવિત્ર થવાને માટે ભગવાનને નીતિ નેમપૂર્વક એટલે નીતિનિયમપૂર્વક નમન કરો. અર્થાત્ સાતે વ્યસન કે સાત અભક્ષ્યના નીતિનિયમપૂર્વક આરાઘેલો ઘર્મ જ આત્માને નિર્મળ બનાવશે. માટે હમેશાં ભગવાને ઉપદેશેલ ઘર્મનું મર્યાદાપૂર્વક પાલન કરો. વદે રાયચંદ વીર એટલે વર્તમાન વિદ્યમાન એવા વીર શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે એવું આત્મધર્મનું અદ્ભુત સ્વરૂપ જાણી તમે ઘર્મવૃત્તિ એટલે આત્મઘર્મને પામવા તરફ ધ્યાન આપો અર્થાતુ એ વાતને હવે લક્ષમાં લ્યો; પણ તેને વે'મથી એટલે મનમાં થર્મને વિષે શંકા લાવી કદી વિલખો એટલે દુઃખી થશો નહીં અર્થાતુ ગભરાશો નહીં. કેમકે જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધાનો અભાવ છે. અને જ્યાં શ્રદ્ધાનો અભાવ છે ત્યાં સમકિતનો અભાવ છે અને સમકિતનો અભાવ છે ત્યાં કેવળજ્ઞાનનો અભાવ છે. અને કેવળજ્ઞાન વગર જીવનો કદી મોક્ષ થતો નથી. માટે સઘર્મમાં સદા નિશંક રહેવું અને સદ્ગુરુ આજ્ઞાએ વર્તી આત્માનું કલ્યાણ કરવું એ જ જીવને પરમસુખકારક છે. S Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પુષ્પમાળા, (“શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ ક્રમાંક-૨) (વિવેચન સહિત) ૧. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુકત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ – એટલે ૮૪ લાખ જીવ યોનિમાં પરવશપણે સાધનરહિત અંધકારમાં ભટકવાનું હવે માનવદેહ મળવાથી દૂર થયું; તે ૮૪ લાખ જીવ યોનિમાં પરિભ્રમણ થયું તે રાત જેવું હતું, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયમાં ભમતાં ભમતાં મનુષ્યભવ સુધી આવવાનો ચઢતો ક્રમ જે મળ્યો તે અજવાળી રાત જેવું થયું. બાકીનું અધોગતિમાં ભટકવાનું તે અંધારી રાત સમાન હતું. પ્રભાત થયું - એટલે મનુષ્યભવ મળ્યો. સર્વ સાધનો મળ્યાં. પાંચે ઇન્દ્રિય, મન, સદ્ગુરુનો યોગ આદિથી પુરુષાર્થ કરવાના સાધનની પ્રાપ્તિ થઈ. નિદ્રાથી મુક્ત થયા - એટલે ઊંઘ ઊડી ગઈ અર્થાત્ હિત-અહિતનો વિવેક કરવાનું સાધન મળ્યું. હિત-અહિતની બુદ્ધિ એક તો સામાન્ય રીતે એટલે લૌકિક રીતે મનુષ્યને થાય છે અને બીજી સત્પરુષના યોગે સત્પરુષની દ્રષ્ટિએ આત્માના હિતાર્થે થાય છે. સપુરુષ પાસે આવ્યો તેથી મારા આત્માને હિતકારી શું છે અથવા રાગદ્વેષ વિષયકષાય આત્માને અહિતકારી છે વગેરે સમજાયું. હવે શ્રીમદ્ રાજચંદ્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સત્યરુષનો આધાર મળ્યો તેથી મારે આત્મહિત કરવું છે એમ લાગે ત્વ તો જરૂર કામ થાય. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો - ભાવનિદ્રામાં અજ્ઞાન અને પ્રમાદ બે મુખ્ય છે. અજ્ઞાન એટલે દર્શન મોહનીય કર્મના ઉદય સહિત જે જ્ઞાન તે મિથ્યાત્વ અથવા અશાન છે, પ્રમાદ એટલે જાણતો હોય અથવા જેમ છે તેમ સાંભળ્યું હોય પણ ખરા સમયે ઉપયોગ રાખવો ભૂલી જાય તે પ્રમાદ છે. ક્રોથ ન કરવો એમ જાણ્યું હોય, સાંભળ્યું હોય પણ તેવો પ્રસંગ આવે ત્યારે ઉપયોગ ચૂકી જાય અને ક્રોથ કરે તે પ્રમાદ છે, માટે હવે પ્રયત્ન કરજો એટલે અજ્ઞાન અને પ્રમાદ ટાળીને આત્મા જાણવા માટે અને આત્મામાં સ્થિર થવા માટે પુરુષાર્થ કરજો. ૨. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર વૃષ્ટિ ફેરવી જાઓ. વ્યતીત રાત્રિ - એટલે રાત પૂરી થઈ તો હવે સવારમાં ઊઠીને પહેલાં શું કરવું? તે બતાવે છે. તે બે પ્રકારે વિચારવાનું. (૧) દ્રવ્યથી આખી રાત્રિ ગઈ તેમાં જે કંઈ દોષ થયા હોય, સારાં કે ખોટાં કામ થયાં હોય તેના તરફ નજર કરી જવી, તપાસવું અને તેનું પ્રતિક્રમણ કરવું, અર્થાતુ પાપથી પાછા હટવું. સારાં કામ માટે આનંદ અને ખોટાં કામ માટે પશ્ચાત્તાપ કરવો. રાત્રિમાં કોઈ ચોરી કરે, સાત વ્યસન સેવે એવા વિષયાદિ તે ખોટા કામ છે, ઘર્મને માટે જાગૃતિ, સ્વાધ્યાય, ગોખવાનું, ઉત્તમ વિચાર કર્યો હોય કે પરોપકારનું કામ કર્યું હોય જેમકે કોઈ લૂંટાતો હોય કે આફતમાં આવ્યો હોય તેને બચાવે, પ્રાણ બચાવી આશ્વાસન આપી, સમાધિમરણ કરાવી પોતાનું સમાધિમરણ થાય તેમ કરે તે સારા કામ છે; એમ કરવું તે દ્રવ્યથી કાર્ય કર્યું કહેવાય, ગઈ જિંદગી – એટલે આજ સુધી જે આયુષ્ય ગયું છે. આટલો બધો કાળ શામાં ગાળ્યો? સારાં કામ કર્યા હોય તે દ્રષ્ટિમાં લાવવા અને ખોટાં કામ કર્યા હોય તો તેનો પશ્ચાત્તાપ કરવો એ દ્રવ્યથી કાર્ય કર્યું કહેવાય. (૨) હવે ભાવથી - એટલે મનુષ્યભવ ન હતો ત્યારે બીજી ગતિઓમાં કેટલાં બધાં દુઃખ હતાં. જૂઠ, ચોરી વગેરે અનેક પાપો જોઈ આજે આપણા ભાવ બગાડીએ છીએ, કોઈનો તિરસ્કાર કરીએ છીએ, પણ પોતાને જ્યારે મનુષ્યભવ નહોતો ત્યારે એવા જ દુ:ખ ભોગવ્યા છે અથવા પાપો કર્યા છે. એમ વિચારી ૧૭ પુષ્પમાળા વિવેચન પૂર્વભવમાં સેવેલાં કુસંસ્કારો ટાળવા માટે અને પારકી પંચાત મૂકી દેવા માટે આ મનુષ્યભવ છે એમ વિચારવું તે ભાવથી દ્રષ્ટિ ફેરવી ગયા કહેવાય. ૩. સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. વિચારતાં એમ લાગે કે આપણો અમુક વખત, આખો દિવસ કે આખી જિંદગી, કે અમુક ધન્ય પળ ગઈ હોય એવું લાગે તેટલો આનંદ માનવો. જેમ કે કોઈ સત્પરુષનાં દર્શન થયાં હોય, બોઘ મળ્યો હોય તો તેને તે જીવવાનો આધાર મળ્યો; તેને સંભારીને ભલે આંખ હવે જાય તો પણ એને ખેદ ન થાય. આ ભવમાં જે આંખથી જોવા યોગ્ય હતું એવા સપુરુષને જોયા છે તે પોતાનું અહોભાગ્ય માને કે મેં તો પુરુષને જોયાં છે. ભલે હવે આંખો ન હોય તો પણ મારે શું? તેવી રીતે અપમાનના પ્રસંગ આવે, દુઃખ વેદનીના પ્રસંગો આવે તો પણ એને મળેલ સત્પરુષની ઘન્યપળ સાંભરે તો બીજા દુ:ખની એને ગણતરી રહે નહીં. જેમ કે પાનંદી મુનિ, ‘પવાનંદી પંચવિંશતિ' ગ્રંથમાં પરમાર્થ-પ્રકરણમાં જણાવે છે કે– “જિસસે નિત્યાનંદ સ્થાન (મોક્ષ) પ્રાપ્ત હોતા હૈ ઐસા સદ્ગુરુકા વચન અગર જો મેરે દિલમેં મૌજુદ (હાજર) હૈ તો મુનિશ્વર મેરે પર પ્રેમ ન કરે, શ્રાવક મુજે ભોજન ન દે, મેરે પાસ દ્રવ્ય ન હો, શરીર નિરોગી ન હો, મુજે નગ્ન દેખ કર લોગ નિંદા કરે, તો ભી મુજે ઉસકા દુઃખ નહીં.” અત્યારે મરણ આવે તો પણ તે મુનિને ફિકર નથી કારણ કે સદ્ગુરુનું વચન સ્મૃતિમાં-હૃદયમાં છે. કૃતકૃત્યતાના પ્રસંગની સ્મૃતિ કરવાથી જીવન સફળ સમજાય છે. મોક્ષનું પરંપરાએ પણ સાચું કારણ તે સદ્ગુરુનો યોગ છે. તે જો મળ્યો હોય તો અનેક સંકટોમાં ધીરજ રહે છે. અને આ ભવે નહીં તો આગળના ભવે પણ મોક્ષ તો થશે એમ એને રહે છે. જેમ કે શ્રેણિક રાજાનો જીવ અત્યારે નરકમાં છે. ત્યાં ઘણી વેદના-દુ:ખ છે તો પણ સમ્યદ્રષ્ટિ હોવાથી એને આશ્વાસન મળે છે. તેવી શ્રદ્ધા હોવાને લીધે દુ:ખ છે તેને સમભાવે વેદે છે. એ પોતાના આત્માનું બળ છે. સાચું શું છે તે એ જાણે છે. સમ્યદ્રષ્ટિ છે તેથી દુઃખથી છૂટવું એવી એને Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પુષ્પમાળા વિવેચન એમ લાગે છે, તેને એ વાક્ય ખેદ નહીં કરતાં હવે પુરુષાર્થ કર એમ | કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર ભાવના નથી રહેતી. જેનો દેહાધ્યાસ ગયો હોય તેને તો દુઃખ એ ૦ મોક્ષનું પગથિયું લાગે છે, તે પગથિયું ચઢીને જ મોક્ષ થવાનો છે એમ તે નક્કી માને છે. તેથી મનમાં સમ્યક્ સમજણથી આનંદ માને છે. આજનો દિવસ પણ સફળ કરો- સ્મૃતિ કરવાનું કારણ એ છે કે એવા પ્રસંગો આબે આજનો દિવસ પણ સફળ કરવો છે એમ થાય. સ્મૃતિ વખતે આનંદ થાય છે અને આજનો દિવસ જીવવાનો મળ્યો તે કેમ ગાળવો તેનો પણ લક્ષ બંધાય છે. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કશે - આખી જિંદગીમાં તપાસવા જઈએ તો આપણું કોઈ સારું કામ કરી આવે; તેમ જેથી પશ્ચાત્તાપ થાય એવું કંઈ દેખાઈ આવે, તે વખતે વિચાર કરવો કે આવું ન બન્યું હોત તો જિંદગી કેવી સુંદર થાત? એમ વિચારીને ફરી તેવું કામ કદી નથી કરવું, એવું દ્રઢ કરીને તે પ્રસંગ ભૂલી જવો. સારા કામ માટે આનંદ માની તેના વિચારમાં રહેવા કહ્યું હતું, તેમ ખોટા કામ માટે વિશેષ વિચાર કરવાનો નથી. પણ તેમાંથી ન કરવા પૂરતી શિખામણ લઈ તેને ભૂલી જવા કહ્યું. પ્રભુશ્રીજીને કૃપાળુદેવે કહ્યું – “ભૂલી જાઓ” તે ભૂલી ગયા. નિર્વિકલ્પ થવું હોય તેને તો બધું જ ભૂલી જવાનું છે. પુણ્ય પાપ બધું જ ભૂલી જવાનું છે. ૪. ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં. આખી જિંદગીમાં પોતાથી જે સારું ખોટું કામ થયું હોય તે બધું તપાસી જોવા કહ્યું. તેમાં આપણે આપણી દ્રષ્ટિથી સારું ખોટું કહીએ પણ હવે જ્ઞાનીની દૃષ્ટિ કેવી છે તે અહીં જણાવે છે. અનંતભવનું આખું સરવૈયું કાઢીએ તો જે નીકળે તે આ વાક્યમાં કહી દીધું કે આમ ને આમ ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વહી ગયો પણ આત્માનો જે મોક્ષ કરવો જોઈએ તે થયો નહીં. જેમ ઘણો લાંબો વેપાર કરી નફો ન મળે તો પશ્ચાત્તાપ થાય; તેમ મોક્ષ નથી થયો તેનો ખેદ મનમાં ઘરવા યોગ્ય છે; અને હવે તો આ ભવમાં મોક્ષ થાય અર્થાત્ સિદ્ધિ થાય તેમ જ પ્રવર્તવું છે. એવો નિર્ણય કરવા યોગ્ય છે. એ માટે પરમકૃપાળુદેવ પત્રાંક ૮૧૯માં જણાવે છે કે ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષ પાટણ સુલભ જ છે.” એમ જે કહ્યું છે તે જે જીવને જાગૃતિ થઈ છે અને કંઈ બનતું નથી “વ્યવહાર સૂતો મૂકે, તે જાણે આત્મકાર્યમાં; ચિંતવે વ્યવહારો છે, તે ઊંધે આત્મકાર્યમાં.” એવી દશાવાળાને આ “ક્ષણ ક્ષણ જતાં” એ વાક્ય કહ્યું છે. જે જાગ્યો તેને એમ શિખામણ દીધી છે કે “ખેદ નહીં કરતાં હવે પુરુષાર્થ કર', અને જે જાગ્યો જ નથી તેને કહે છે કે “તેં કર્યું શું આજ સુધી? જન્મ-મરણ તો હજા ઊભાં છે' પૂ.બ્રહ્મચારીજીને પહેલાં આ વાક્ય વાંચવામાં આવ્યું ત્યારે આ ખરું જ છે. એમ બહુ એટલે અસરકારક આ વાક્ય લાગ્યું. શું આટલો બધો પુરુષાર્થ પૂર્વભવમાં કર્યો તેનો સરવાળે મીંડું જ આવ્યું? શું પોતાની દ્રષ્ટિએ કરેલું બધું નકામું ગયું? હવે જ્ઞાનીની દ્રષ્ટિએ પુરુષાર્થ કરે તો જીવની સિદ્ધિ થાય, મોક્ષ થાય. આ બધા સપુરુષના વાક્યો પુરુષાર્થપ્રેરક છે. જો જીવ વિચારમાં લે તો જે કરીએ છીએ તેથી કંઈક બીજાં કરવાનું છે, અને તે જરૂર કરવું છે એમ જીવને ભાવ થાય. ૫. સફળજન્ય એક્ટ બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. ત્રીજા વાક્યમાં કહ્યું હતું કે “સફળ થયેલા વખતને માટે આનંદ માનો; પણ સફળજન્ય એવો કોઈ બનાવ જેમકે પરોપકાર કે આત્મહિત એની જિંદગીમાં થયું જ ન હોય તો મારી જિંદગી બધી શરમાવા જેવી જ ગઈ. હવે કોઈ એવું કરવું કે જેથી તેની સ્મૃતિ પણ આનંદ આપે. શરમાવાનું એટલે ખેદ કરવો કે અરેરે ! મારા આટલાં દહાડા ગયા પણ કંઈ જ થયું નહીં. એમ લાગે તો પુરુષાર્થ જાગૃત થવાનું કારણ બને. આ શરૂઆતના બધા વાક્યો છે તે જીવ જે ચીલે ચાલે છે, તે ચીલો બદલાવવા માટે છે, સન્માર્ગ લેવા માટે છે. પ્રભુશ્રીજી કહેતા કે ચીલો બદલવાનો હોય ત્યારે બળદને ખાંધે બહુ જોર આવે છે. તે ને તે ચીલે ખાડા ટેકરા હોય તો પણ તે ચાલવા પસંદ કરે છે. જે રસ્તે ચાલ્યો હોય તે રસ્તે અભ્યાસ થયેલો હોય છે. તેથી આંખો મીંચીને પણ તે રસ્તે જાય. પણ હવે શરમાઈને પણ આત્મહિત કરી જીવન સફળ કર. ૬. અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર / Tી ત્રીજા વાક્યમાં કહ્યું હતું તેનો જ આ બધો વિસ્તાર છે. પાંચમા 0 અને આ છઠ્ઠા વાક્યનો ભાવ ત્રીજા વાક્યમાં પરમકૃપાળુદેવે લખેલો કે “નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કર.” હવે નિષ્ફળતાના આ પાંચમા અને છઠ્ઠા વાક્યમાં બે અર્થ કર્યા છે તે આ પ્રમાણે– એક તો સફળતા ન થઈ હોય તો એટલે કરવા યોગ્ય કાર્ય ન કર્યું હોય તો અર્થાત્ કરવાનું રહી ગયું. જેમકે કમાવા જ ગયો ન હોય. બીજાં અઘટિત કાર્ય કર્યા હોય અર્થાત્ ઊલટું વિપરીત કાર્ય કર્યું હોય જેમ કે કમાવા ગયો હોય પણ ખોટ આવે. તેમ આ બોલમાં અયોગ્ય કાર્ય થયાં હોય તો શરમાવું ઘટે છે. જ્યારથી લક્ષમાં આવ્યું કે આ ખોટું કાર્ય છે. ત્યારથી તે કાયાથી તો ન કરવું એમ સૌ જાણે. કાયાથી ન કરવાની સમજણ પડે, તેમ વચનથી પણ પ્રવૃત્તિ એમાં ન કરે. જેમકે પસ્તાવો થયો હોય તો હું મારીશ હોં તને’ એમ ન કહે. અને મનથી મારવાનો વિચાર પણ ન કરે. જેમકે “આ માર્યા વિના માનવાનો નથી' એવો વિચાર પણ ન કરે. તેમ હિંસા, ચોરી, જૂઠ વગેરે પાંચ પાપની પ્રવૃત્તિ એ અઘટિત કૃત્ય છે, તે મન વચન કાયાથી ન કરવાની પ્રતિજ્ઞા લે. એટલે પાંચ મહાવ્રતનો જ ઉપદેશ કર્યો. પણ તે ન બને તો અણુવ્રત એટલે ત્રસકાયની સંકલ્પ કરીને તો હિંસા ન જ કરે. અણુવ્રત પણ ન બને તો જેટલા કાળ સુધી હિંસાના પ્રસંગોની જેટલી નિવૃત્તિ થાય તે પ્રમાણે કરે. નિયમ ન લીઘો હોય માટે દયા ન પાળવી એમ નથી. જેટલી બને તેટલી દયા પાળવા યોગ્ય છે. ૭. જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ : (૧) ૧ પ્રહર (૩ કલાક)–ભક્તિ કર્તવ્ય. (૨) ૧ પ્રહર—ઘર્મ કર્તવ્ય. (૩) ૧ પ્રહર—આહાર પ્રયોજન. (૪) ૧ પ્રહર—વિદ્યા પ્રયોજન. (૫) ૨ પ્રહર—નિદ્રા. (૬) ૨ પ્રહર–સંસાર પ્રયોજન. કુલ ૮ પ્રહર. (૨૪ કલાક) (૧) એક પ્રહર ભક્તિ કર્તવ્ય- સત્પરુષના ગુણગ્રામ, ચૈત્યવંદન, સ્તવન, પ્રતિક્રમણ, સદ્ગુરુની સેવા, સત્સંગ, પરોપકારનાં કામ. જે વડે આત્માની પરંપરાએ સેવા થાય. પરંપરાએ આત્મહિતનું કામ થાય છે તે ભક્તિ. ભકિતનો અર્થ ગુણ-ચિંતવન છે. મોટા પુરુષનો માર્ગ છે એ માર્ગે ચાલવું. મોટા પુરુષના પુષ્પમાળા વિવેચન માર્ગની (ચરણની) સ્મૃતિ કરવી. એ કેમ ચાલે છે તેનો લક્ષ રાખવો. (૬) સર્વ જીવોનું દ્રવ્યથી, ભાવથી હિત થાઓ એવું જ્ઞાની પુરુષોએ ચિંતવ્યું , છે, તે માર્ગે આપણે પણ જવું. આપણે જાણીએ ન જાણીએ પણ મોટા પુરુષોમાં દયા, ક્ષમાદિ ગુણ છે અને આપણે તેમની આજ્ઞાએ દયાદિ પાળતા હોઈએ તેમાં આપણું હિત થયા કરે છે. (૨) એક પ્રહર ઘર્મકર્તવ્ય- મુખ્ય તો શુદ્ધભાવ કે આત્મધર્મમાં રહેવું તે છે. એમાં ન રહેવાય ત્યારે તેના વિચારમાં રહેવું તે ઘર્મધ્યાન છે. ૧૨ ભાવનાઓ, સસ્તુરુષના ચરિત્રો વિચારવાં—એ બધું ઘર્મધ્યાન છે. ઉપયોગને શુદ્ધમાં કે શુભમાં રાખવો. શુભમાં પાંચ પ્રકારના સ્વાધ્યાય છે—વાંચના, પૃચ્છના, પરાવર્તના, ઘર્મકથા અને અનુપ્રેક્ષા. શુદ્ધભાવમાં એટલે આત્માનો જે જ્ઞાતાદ્રષ્ટા ઘર્મ છે તે રૂપે રહેવું. દસમાં ગુણસ્થાનક સુધી મોહનીય કર્મ છે. ત્યાં સુધી ઘાતીયા કર્મ બંધાય છે, પછી ૧૧, ૧૨, ૧૩માં ગુણસ્થાનક સુધી મનવચનકાયાના યોગને લઈને એક સાતાવેદનીય કર્મ બંધાય છે. પણ કષાય ન હોવાથી એને સ્થિતિબંધ પડતો નથી. આવે છે તેવું જ વેદાય છે, ને તેવું જ તરત જતું રહે છે. એક સમય આવતાં થાય, એક સમય વેદતાં થાય, એક સમય નિર્જરતા થાય. ચોથે સમયે તે કર્મનો આત્મા સાથે સંબંઘ ન હોય. આ રીતે આયુષ્ય પૂરું થતાં પહેલાં અયોગી થઈ જાય છે. અ ઇ ઉ 28 લુ આ પાંચ હસ્વ સ્વર બોલતાં જેટલી વાર લાગે તેટલી અયોગી ગુણસ્થાનની સ્થિતિ છે. જે આ દશાએ પહોંચ્યો ન હોય છતાં સમાધિમરણ થયું હોય તેને છેવટે અબુદ્ધિપૂર્વક કષાય હોય; પણ આત્મભાવ માટે તેનો પુરુષાર્થ હોય તો સમાધિમરણ થાય. એકવાર સમાધિમરણ થયું હોય તો ફરી અસમાધિમરણ કદી ન થાય. કર્મ હોય ત્યાં સુધી ભવ કરે પણ છેવટે મરતી વખતે જો સમાધિમરણ સાથે સંમતિ પરભવમાં લઈને જાય તો એ સમકિત જાય નહીં. વધારેમાં વધારે ક્ષયોપશમ સમકિતની ૬૬ સાગરોપમની સ્થિતિ છે. તે સ્થિતિ પૂરી થાય ત્યારે લાયક સમકિત થાય. ત્યાં સુધી ભવ કરવા પડે. ક્ષાયક સમકિતવાળાને વધારેમાં વધારે ૩ કે ૪ ભવ કરવા પડે, અથવા તે જ ભવે મોક્ષે જાય.. (૪) એક પ્રહર વિદ્યાપ્રયોજન - “ વિદ્યા સા વિમુક્ત”=મોક્ષને માટે હોય તે જ સાચી વિદ્યા છે–ઉપનિષદ્દ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર રોજ એક પ્રહર એટલે ત્રણ કલાક સુધી આત્માર્થ પોષક નવી ૦ વિદ્યા સંપાદન કરવી. રોજ કંઈક નવું શીખવું, વિદ્યાભ્યાસ કરવો. “તે કહો તે પૂછો સૌને, તે ઇચ્છો, તન્મય રહો; જેથી મિથ્યાત્વ મૂકીને, જ્ઞાનાવસ્થા તમે ગ્રહો.” -સમાધિશતક અર્થ:- જ્ઞાની પુરુષ આગળ આત્મપ્રાપ્તિ વિષે જ પ્રશ્ન કરવા યોગ્ય છે. તે જ ઇચ્છવા યોગ્ય છે, તેમાં જ તન્મય રહેવા યોગ્ય છે. એવી આત્મવિદ્યા પામવાથી તમે મિથ્યાત્વ મૂકીને જ્ઞાનાવસ્થાને પામશો. (૫) બે પ્રહર નિદ્રા–૧ પ્રહર એટલે ત્રણ કલાક વઘારેમાં વધારે આહાર પ્રયોજન અર્થે કહ્યા. ૨ પ્રહર એટલે ૬ કલાકથી વધારે ઉંઘવાની પરમકૃપાળુદેવની આજ્ઞા નથી. (૬) બે પ્રહર સંસાર પ્રયોજન–તેમજ ૨ પ્રહર એટલે ૬ કલાક આજીવિકા માટે - વ્યાપાર ધંધા કરવાની જરૂર પડે તો કરવા જણાવ્યું. વ્યવહાર પ્રયોજન વગેરે બધું આ આહાર પ્રયોજન કે સંસાર પ્રયોજનમાં પતાવી લેવું. આ પ્રમાણે દિવસના નિયમિત ભાગ પાડવાથી આત્માર્થ સાધવામાં પૂરો સમય મળી શકે, બધા મળીને કુલ ૮ પ્રહર થયા. ૮. જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી વૃષ્ટિ કરજે. અજ્ઞાનીને મોહનું કારણ શરીરની બાહ્ય ચામડી છે. શરીરની બધી અશુચિ વસ્તુને ઢાંકનાર તે ચામડી છે. ચામડી વગરનું શરીર જુએ તો વૈરાગ્ય થાય, એવું આ દેહનું સ્વરૂપ છે. પ્રભુશ્રીજી કહેતા કે “બીજા જીવોને વિકાર થાય ત્યાં જ્ઞાનીને વૈરાગ્ય થાય છે.” મોહના નિમિત્તો (૧) સંસાર (ચારગતિ) (૨) શરીર અને (૩) ભોગ–એ ત્રણ છે. એ બધાનો વિચાર કરે તો વૈરાગ્ય થાય જ. (૧) સંસાર–ચાર ગતિનો વિચાર કરે તો ક્યાંય જન્મવાની ઇચ્છા ન થાય. કારણ કે કોઈ જગ્યા દુઃખ વગરની નથી. “આખો લોક રાગદ્વેષથી બળતો છે.” દેવલોકમાં પણ મુખ્યપણે લોભ છે. એને અંગે બધા કષાયોનો ઉદય થાય છે. ત્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગ માટે હોય છે. તેથી સંતોષ નથી રહેતો પણ ત્યાં વધારે ઇચ્છા રહે છે કે એક સાથે પાંચ ઇન્દ્રિયોના વિષયોને ભોગવું, એમ રહે છે. મોહદશામાં, જે જે ભોગના સાઘનો હોય તે દુઃખના કારણો થઈ ૨૩ પુષ્પમાળા વિવેચન પડે છે, કોઈ કહે છે કે રાણી હશે તે કેટલી સુખી હશે; પણ જો તપાસે છે તો કેટલી સૂક્ષ્મ વસ્તુમાં પણ તેને અસંતોષ હોય છે. જેટલી બાહ્ય , સામગ્રી વિશેષ, તેટલો વિશેષ અસંતોષ હોય છે. કેટલાક મુસલમાનો થોડા પૈસા મળ્યા હોય તો ખાઈ પીને મોજ માણે છે. ઈદને દિવસે “આજ અમીર કલ ફકીર” જેવું કરે છે. જેની પાંચે ઇન્દ્રિયો વિષયોમાં કેળવાયેલી હોય અને સાથે અજ્ઞાન હોય તો તે વિશેષ દુઃખી થાય છે. નરકગતિમાં અવધિજ્ઞાન છે તે એને દુઃખનું કારણ થાય છે. નરકગતિમાં ક્રોથની મુખ્યતા છે. તિર્યંચગતિમાં માયા મુખ્યત્વે છે. આહાર, મૈથુન, ભય, પરિગ્રહ આદિ ચાર સંજ્ઞાને લઈને મચ્છર, માંકડ, કોઈ ઊંઘતું હોય ત્યારે કળાથી કે કપટથી લોહી ચૂસી લે. બિલાડા કોઈ ન દેખતું હોય ત્યારે ખાય. મનુષ્યગતિમાં માનની મુખ્યતા છે. “માનાદિ શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.”-શ્રીમદ્ રાજચંદ્ર કોઈ દરિદ્રી હોય કે કંગાલ હોય તેને જો ભીખ ન આપી હોય તો એને કષાય થાય. હું તમને શું જાણતો હતો પણ તમે તો એવા નીકળ્યા. મારે તો બીજા ઘણાએ ઘરો છે ભીખ માંગવા માટે, આમ અભિમાન કરે. (૨) શરીર–નો વિચાર કરે કે એમાં શી શી વસ્તુ છે તો પણ એને વૈરાગ્ય થાય. જીવને શરીરના વિભાગોને જુદા પાડીને વિચારવાની દ્રષ્ટિ નથી. બધું સમૂહમાં એકસાથે જાએ છે, પણ જો ભિન્ન ભિન્ન કરીને જાએ તો શરીરમાં કશુંએ સારું નથી, એમ લાગ્યા વિના રહે નહીં. કોઈ માણસને કોઈના નાક, કાન, આંખ વગેરે ઉપર મોહ હોય, તે અવયવોને કાપીને એની આગળ મૂકે તો તે એને અરુચિકર લાગે અને કહે કે માખીઓથી આ હૉલ બગડી ગયો. કોઈને તેની સ્ત્રી ઉપર મોહ હોય અને એના વાળ જોઈને મોહ પામતો હોય પણ માથું ઓળતા વાળ તૂટી જાય ને તે એની સામે આવે તો કહે કે આ વાળ અહીં ક્યાંથી આવ્યા, એને બહાર નાખો. માટે સ્ત્રી પ્રત્યે રાગ થતો અટકાવવા તેનું ત્વચા વગરનું સ્વરૂપ વિચારવું. (૩) પંચેન્દ્રિયના ભોગો “ઇન્દ્રિયદ્વારથી ચૂકી, પડ્યો હું વિષયો વિષે; ભોગો પામી ને મેં પૂર્વે—જાણ્યું રૂપ યથાર્થ તે.” -સમાધિશતક Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર [ અર્થ:- ઇન્દ્રિયોરૂપી બારીઓમાંથી ચૂકીને વિષયોના મોહમાં © પડ્યો. એમ પૂર્વકાળમાં ભોગોને પામી મેં મારા યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરી નહીં. “सपरं बाधासहियं, विछिण्णं बंधकारणम विषमं । નં વિહિં કહું તે સૌવનવું યુવમેવ તer / પ્રવચનસાર અર્થ - ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે પરાધીન, બાધાથી યુક્ત, વિનાશકારી અને કર્મબંધનનું કારણ છે. અને વિષમમ્ એટલે એક ઘારું તે રહેતું નથી, માટે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે પણ દુ:ખ જ છે. ઇન્દ્રિય વિષયોમાં શું, આત્માને હિતકારી છે? બાલ તેમાં જ રાચે હા! માત્ર અજ્ઞાનતાવશે.” -સમાધિશતક માટે ભવ, તન અને ભોગના નિમિત્તોને ત્યાગી તારા આત્માનું કલ્યાણ ૯. જો તને ઘર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે :(૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી? (૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે? ઉપર ઘર્મ કર્તવ્યની વાત એક પ્રહર કરવા કહી. તેનો નિર્ણય કરવા માટે પૂછે છે. ઘર્મ શું હશે? શું કરવાનું હશે કે જેને માટે ત્રણ કલાક ગાળવા કહ્યું. એવું જેને થતું હોય તેને કહે છે. અથવા જેને ઘર્મ કે આત્મા જેવી વસ્તુ નથી એમ લાગતું હોય તેને નીચેની વાત વિચારી જોજે એમ કહે છે. (૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? મનુષ્યભવ તને મળ્યો છે, બીજી હલકી ગતિમાં જીવો છે તે પ્રત્યક્ષ દેખાય છે. એવું શું તેં કર્યું છે કે તને મનુષ્યભવ મળ્યો; એ વિચારવા માટે કહે છે. અથવા તો બધા મનુષ્યો મનુષ્યપણે સરખા છે છતાં તારી પાસે ઉત્તમ કુળ, ઘન, સમાજમાં ગણાતી ઉત્તમ વસ્તુ મળવાનું કારણ શું છે? આ તારું છે એમ કહે છે, એના પર તારો શો હક છે? તું માણસ છે અને એ પણ માણસ છે, છતાં આ તારું છે એમ કેમ કહે છે? એ બઘાનો શો અર્થ છે? વિચાર કરે તો પૂર્વે કંઈ કરેલું તેથી આ મળ્યું છે ૨૫ પુષ્પમાળા વિવેચન એમ એને થાય. આ ભવનું જ કરેલું કંઈ બધું નથી. વિચારે કે આ કુળમાં જ કેમ જભ્યો, બીજે કેમ નહીં? એ પ્રમાણે વિચાર કરે તો ... એને જણાય કે આ સર્વ પૂર્વનું કરેલું પોતાનું જ છે. તેથી આત્મા નામનો પદાર્થ છે. જે પૂર્વે હતો એમ એને લાગે. મનુષ્યભવ નહોતો ત્યારે પણ કંઈક એવી પુણ્યકમાણી કરી કે જેથી આ મનુષ્યભવ મળ્યો. મેઘકુમારનું વૃષ્ટાંત - શ્રેણિકરાજાનો પુત્ર મેઘકુમાર આગલા ભવમાં હાથી હતો. તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી તેણે જાણ્યું કે જંગલમાં દવ લાગ્યો ત્યારે તેણે ઘાસરહિત એક કુંડાળું કર્યું હતું. જ્યાં બધા પ્રાણીઓ ખીચોખીચ ભરાઈ ગયા હતાં. ત્યાં હાથીએ ખાજ ખણવા પગ ઉપાડ્યો કે સસલું તેના પગની જગ્યાએ આવી બેસી ગયું. તેને બચાવવા માટે હાથી અદ્ધર પગે ઊભો રહ્યો. દેહ છૂટી જાય એટલી વેદના સહન કરી તેથી દયાના કારણે ત્યાંથી મરીને શ્રેણિકરાજાનો પુત્ર થયો. તેમ પૂર્વમાં કંઈક સારું કામ કર્યું હોય અથવા જાણેઅજાણે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી હોય તેથી આ મનુષ્યભવ મળ્યો. જ્ઞાની પુરુષના પગ નીચે આવી મરણ થાય તો મરતી વખતે શાંતિ રહે છે. ત્યારે મંદ કષાય હોય તો પુણ્ય બંઘાય છે. તેથી પણ મનુષ્યભવ મળે છે. (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી? પૂર્વે બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં છે તેથી આવતીકાલની વાત જાણી શકતો નથી. એમ વિચારે તો પોતાનું બાંધેલું કર્મ પોતે છોડી પણ શકે, એવી શ્રદ્ધા થાય છે. શ્રદ્ધા થાય તો કર્મથી છૂટવાના વિચાર કરી છૂટી શકે. (ભાવવૃષ્ટિફેરવીને). અને ત્રણે કાળની વાત જાણી શકે એવું થાય; એમ જ્ઞાની કહે છે. વિચાર કરે તો એમ થઈ શકે છે. વિચારણા ઉગાડવા માટે આ પ્રશ્ન પૂછ્યો છે. નથી જાણતો તે જ્ઞાનાવરણીય કર્મના કારણે છે. તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? તો કે પુણ્યકર્મથી. જે નામકર્મનો વિભાગ છે તેનાથી આ સ્થિતિ ભોગવું છું. (૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી? તો કે અંતરાય કર્મથી. બાહ્ય દ્રષ્ટિ હોય ત્યાં સુધી કર્મ ભણી એની દ્રષ્ટિ હોતી નથી. કારણ કે કર્મ આંખે દેખી શકાતાં નથી. કર્મનાં ફળ વિચારવાથી કર્મનું અસ્તિત્વ જણાય છે. કોઈને વારસો મળ્યો હોય તો કહે એ મને પિતાએ આપ્યો, તે પિતાનો Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૨૬ ઉપકાર માને છે. આ પુણ્યનું દ્રષ્ટાંત છે; તેમ પાપમાં પણ ‘આણે મને દુઃખ દીધું, આ મારો દુશ્મન છે” એમ માને છે. કારણ કે બાહ્ય નિમિત્ત નજરે દેખાય છે. વિચાર વગર જણાતું નથી કે ખરું કારણ શું છે. વિચાર કરે તો ખરું કારણ પોતાના જ કર્મ જણાય છે. કર્મ એ આત્માના અસ્તિત્વની સાબિતી છે. આત્મા ન હોય તો કર્મ કોણ કરે ? હવે ઉપરના બધા પ્રશ્નોનો સામટો પ્રશ્ન પૂછે છે - (૪) ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે? તો કે કર્મને કારણે સંસારની વિચિત્રતા છે, નહીં તો આત્મા તો બધા સરખાં જ છે. મોક્ષમાળામાં પાઠ-૩ કર્મની વિચિત્રતા”માં આ વિષયનો દ્રષ્ટાંતથી વિસ્તાર કર્યો છે. ( ૯માં વાક્યમાં નાસ્તિકવાદી જે આત્મા ન માનતો હોય તેને આત્માનું અસ્તિત્વ છે તે જણાવવા માટે બઘા પ્રશ્ન પૂછયાં. હવે ૧૦માં વાક્યમાં આત્મા છે એમ જેને લાગે તેને કહે છે :૧૦. જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્ત્વની આશંકા હોય તો નીચે કહું છું : આત્મા છે એમ માનતો હોય પણ એના મૂળતત્ત્વની–સાતતત્ત્વ કે છે પદની આશંકા હોય. આશંકા એટલે આત્મા છે વગેરે છ પદનો સ્વીકાર કરીને, તે વિષે વિશેષ જાણવાની જિજ્ઞાસાથી પૂછવું કે શંકા કરવી તે આશંકા છે. હવે ઘર્મ શું? અથવા આત્માએ થર્મમાં કેમ પ્રવર્તવું એમ જેને ગૂંચવણ હોય તેને નીચે પ્રમાણે વર્તવું એમ કહે છે :૧૧. સર્વ પ્રાણીમાં સમવૃષ્ટિ. કેમ પ્રવર્તવું એવી જે શંકા હતી તેને આ ઉત્તર આપ્યો કે તું આત્મા નામનો પદાર્થ છે એમ માનતો હોય તો પ્રથમ “સર્વાત્મામાં સમવૃષ્ટિ ઘો.” પ્રથમ સર્વ આત્માઓને સમાન દ્રષ્ટિથી જુઓ. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આ પાંચ સમ્યક્દર્શનનાં લક્ષણ છે. તેમાં અનુકંપા–“એ સઘળા શમ આદિ ઉપરનાં ચાર વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા.” સર્વ આત્માઓને પોતા સમાન જોઈ કોઈને મનવચનકાયાથી દુઃખ ન આપવું તે અનુકંપા. એ પહેલું કરવું. “ભવે ખેદ પ્રાણી દશા, ત્યાં આત્માર્થ નિવાસ.” પછી– પુષ્પમાળા વિવેચન શ—એટલે ક્રોઘ, માન, માયા, લોભાદિ કષાયોનું શમાઈ ' જવું તે શમ. સંવેગ એટલે જેની મોક્ષ ભણી દ્રષ્ટિ છે. માત્ર મોક્ષ અભિલાષ. જે માત્ર મોક્ષ જ ઇચ્છે છે તે. નિર્વેદ–એટલે જે સંસાર ભણી વૈરાગ્યની દ્રષ્ટિ કરીને વાત કરે છે કે આ સંસાર ખોટો છે, તેમાં ફરી જન્મવું નથી તે. આસ્થા એટલે નિસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા અથવા આસ્થા. અનુકંપા-સ્વાત્મતુલ્ય બુદ્ધિ, એ વિષે ગીતામાં પણ શ્લોક છે તે નીચે પ્રમાણે : "आत्मौपम्येन सर्वत्र समं पश्यति योर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः " . અર્થ - હે અર્જુન ! જે સર્વ પ્રાણીમાં પોતાના દ્રષ્ટાંતથી એટલે કે કોઈ આપણને ગાળ ભાંડે અને મનમાં દુઃખ થાય તેનું દ્રષ્ટાંત લઈ, અને આપણને પ્રિય હોય તેના પ્રત્યે પોતાનું વલણ કેવું પ્રેમવાળું હોય છે તેનું દ્રષ્ટાંત લઈને, સુખમાં કે દુ:ખમાં જે સર્વને સમાન જુએ છે, તે યોગીને સર્વ શ્રેષ્ઠ માનેલો છે. - (અધ્યાય ૬, આત્મસંયમ યોગ) માટે સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ કેળવવું. ૧૨. કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. વિહરમાન ભગવાન ૨૦ તીર્થંકરમાંના ત્રીજા બાહુજિનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજ જણાવે છે કે દ્રવ્યથકી છ કાયને, ન હણે જેહ લગાર, પ્રભુજી; ભાવદયા પરિણામનો, એહી જ છે વ્યવહાર. પ્રભુજી. બાહુજિર્ણોદ દયામયી, વર્તમાન ભગવાન; પ્રભુજી.” અગિયારમા પુખમાં જે “સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ” કહી તેમાં દ્રવ્યને ભાવ બે આવી જાય છે. પણ મુખ્યપણે “સમદ્રષ્ટિ” શબ્દ છે તેથી ત્યાં ભાવદયા સમજાય છે. સામાન્ય રીતે સમદ્રષ્ટિ શબ્દથી ઉપર ઉપરથી વિચાર કરે તો ક્રોધાદિ ન કરવા કે સમભાવ રાખવો તે ભાવદયા સમજાય છે. પણ જ્ઞાનીને કંઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨e શ્રીમદ્ રાજચંદ્ર ધ એકાંતે કહેવું નથી. દ્રવ્યને ભાવ બેઉ એમને જણાવવા છે. ઉપર 0 સ્તવનની કડીમાં જેમ કહ્યું તેમ દ્રવ્યદયા એ ભાવદયાનું બાહ્યરૂપ છે. ભાવદયા જેના હૃદયમાં છે તેના વ્યવહારમાં દ્રવ્યદયા તો હોય જ છે. તે તરફ લક્ષ ખેંચવા માટે આ બારમા પુષ્પમાં સ્પષ્ટતા કરી છે કે કોઈ પ્રાણીની દ્રવ્યથી હિંસા કરવી નહીં, તેમજ ‘ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. શરૂઆતમાં એ પ્રમાણે દ્રવ્યથી વર્તતાં ભાવદયા થવાનું છે કારણ છે. કોઈના નિમિત્તે ક્રોધાદિથી પોતાના આત્માના ભાવોની હિંસા ન થાય તે ભાવદયા છે. ૧૩. કિંવા પુરુષો જે ૨સ્તે ચાલ્યા તે. ‘મહાજનો યેનગતા સ પત્થા” પુરુષો જે માર્ગે ચાલ્યા તે જ ખરો ઘર્મ છે. તે માર્ગે ચાલવાથી જ આપણું કલ્યાણ છે. ૧૨મા વાક્યમાં લખેલ સ્તવનની કડીમાં એનો ખુલાસો આવી ગયો છે. ૧૪, મૂળતત્ત્વમાં ક્યાંય ભેદ નથી. માત્ર વૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ઘર્મમાં પ્રવર્તન કરજે. જે આત્માના અસ્તિત્વને માને છે, જેને આત્માની શ્રદ્ધા છે તેને કેવા ઘર્મમાં પ્રવર્તવું તે હવે ફરીથી કહે છે મૂળ તત્ત્વમાં ક્યાંય ભેદ નથી - આત્મા બધાના સરખાં છે. એ આત્માને ઓળખવા માટે (નાસ્તિક સિવાય) બઘા થર્મોનો બોધ છે. માત્ર વૃષ્ટિમાં ભેદ છે - વ્યવહારદ્રષ્ટિ તે બાહ્યદૃષ્ટિ છે. તે કર્મ આદિ પરપદાર્થોને જાએ છે, તેથી સર્વ જીવ સિદ્ધ સમ હોવા છતાં પુણ્ય-પાપના ફળમાં જુદા જુદા આકાર જોઈ નાના મોટા ગણે છે. પણ તે માત્ર દ્રષ્ટિનો ભેદ છે. તે અજ્ઞાનના કારણે છે. મૂળ સ્વરૂપે જોતાં સર્વ જીવો સિદ્ધ સમાન છે. એમ ગણી આશય સમજી પવિત્ર ઘર્મમાં પ્રવર્તન કરજે - વ્યવહાર બધો નિશ્ચય આત્મસ્વરૂપ સમજાવવા માટે છે. એ આશય ઉપર દ્રષ્ટિ રાખીને પવિત્ર ઘર્મ એટલે સત્ય મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરજે. તે પ્રમાણે વર્તજે. જ્યાં વર્તવાનું આવે ત્યાં વ્યવહાર છે પણ નિશ્ચયનયનો લક્ષ ન ચૂકાય માટે આ આશય સમજીને વર્તવા કહ્યું છે. “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવા નોય; નિશ્ચય રાખી લક્ષમાં સાઘન કરવાં સોય.” પુષ્પમાળા વિવેચન જે કંઈ ઘર્મને નામે તું કરે છે તે આશય સમજીને કરજે એમ / સામાન્ય ચેતવણી આપે છે. જે કરવું તે આત્માર્થે કરવું. એ લક્ષ ભુલવા યોગ્ય નથી. ૧૫. તું ગમે તે ઘર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. ઉપર ‘પવિત્ર ઘર્મ' કહ્યો તેનો આમાં અર્થ કર્યો. પહેલેથી ઘર્મ શું, કેવા ઘર્મમાં પ્રવર્તવું તે બઘાનો આમાં સંક્ષેપમાં ભાવ કહ્યો. પવિત્ર ધર્મ શાને કહ્યો? તો કે “જે રાહથી સંસારનો નાશ થાય છે.” પછી એને થર્મ કહો, ભક્તિ કહો, કે સદાચાર કહો. ભક્તિ, થર્મ, સદાચારનો આશય શું? તો કે સંસાર મળનો નાશ કરવો તે, અર્થાત્ જે મોક્ષ કરાવે તે સાચો ઘર્મ. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ.” જેથી આત્મા શુદ્ધ થાય તે ધર્મ કહ્યો કે પંથ કહ્યો. ૧૬, ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે, આટલું બધું સાંભળીને આ પવિત્રતાનું વિસ્મરણ કરીશ નહીં. જ્ઞાની પુરુષ કહે છે કે પવિત્રતા તે શું? તેને ઓળખવી અને ઓળખ્યા પછી તેનું વિસ્મરણ ન કરવું. પવિત્ર પુરુષનાં યોગે તે ઓળખાય છે. પવિત્રતા એટલે શુદ્ધતા. ક્ષમાપનાના પાઠમાં “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” હે ભગવાન! તમારે શાને પવિત્રતા કહેવી છે તેની હજી મને ખબર પડી નથી. પવિત્ર થયા વગર એટલે ભાવોમાં પવિત્રતા આવ્યા વગર શબ્દોથી તે ઓળખાય એમ નથી. વચનામૃત ૧૦૪માં “પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.” યોગ્યતા ન હોય તો કૃપાદ્રષ્ટિ થતી નથી ને યોગ્યતા થાય તો કૃપાદ્રષ્ટિ થાય છે. શુદ્ધભાવ એ જ ઘર્મ છે, એ જ પવિત્રતા છે; જેથી સંસારનો નાશ થાય છે. માટે ગમે તેટલો તું પરતંત્ર હોય તો પણ પવિત્રતાનું વિસ્મરણ કરીશ નહીં. શુભાશુભ ભાવથી કર્મબંઘ થાય છે; અને શુદ્ધભાવથી બળવાન નિર્જરા થાય છે. શુદ્ધભાવ એ જ યથાર્થ ઘર્મ છે. પરતંત્રતા બે પ્રકારની છે (૧) પરાધીનપણે વર્તવું પડે. સંસારી કાર્યોમાં કાળ જાય કે આજીવિકા આદિ કારણોમાં કાળ ગાળવો પડતો હોય અથવા કોઈ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૩૦ બાઈને એવો ઘણી અથવા ભાઈને એવી સ્ત્રી મળી હોય કે જેથી → એને રાજી રાખવા માટે પરમાર્થની પ્રવૃત્તિ કરી શકાતી ન હોય. આ પરના કારણને લઈને પરાધીનતા છે. (૨) પોતાને શુદ્ધભાવની ઓળખાણ ન હોવાથી તેમાં પ્રવર્તી શકે નહીં. તે છતાં પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર ભાવ બને તેટલા શુદ્ઘ રાખીને આજનો દિવસ રમણીય કરજે. શુદ્ધભાવનું ઓળખાણ થવાની ભાવના કે ઓળખાણ થયું હોય તો તેમાં રહેવાની ભાવના ભૂલવા યોગ્ય નથી. એને ભૂલીને બીજામાં આનંદ માનવા યોગ્ય નથી. પ્રમાદ એ શત્રુ છે. તેને લઈને ભૂલી જવાય છે; માટે ચેતાવ્યું છે. ૧૭. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. દુષ્કૃતમાં દોરાવાનું કે પ્રેરાવાનું કારણ તો મોહ છે. મરણનો વિચાર કરે તો મોહ પાછો હઠે. મોહ નાસી જાય. ગમે તે દૃષ્ટિમાં આવ્યું હોય અને મરણનો વિચાર કરે કે અત્યારે મરી જવાનું છે તો હું કેટલા પાપ કરીને પછી મરી જાઉં એવો કોઈ વિચાર કરે ? મરતી વખતે તો એને જે સારામાં સારું લાગ્યું હોય તેની ઇચ્છા કરે છે; પણ પાપ કરીને દુઃખ ભોગવવાની ઇચ્છા કોઈને થતી નથી. ‘મતિ એવી ગતિ’ એમ કહેવાય છે. છેવટે જેવી મતિ તેવી ગતિ થાય છે. તેથી દુર્ગતિને કોઈ ઇચ્છતું નથી. એમ વિચારું કે ક્ષણે ક્ષણે જે આયુષ્ય ઘટે છે તે મરણ જ છે; તેથી ખોટા વિચારો કદી કરવા યોગ્ય નથી. લૌકિક રીતે જે મરણ કહેવાય છે તે દ્રવ્ય મરણથી જીવ ડરે છે, માટે મરણ સંભારવાનું કહ્યું. ખરી રીતે તો દરેક ક્ષણ અમૂલ્ય ગણીને વર્તવા યોગ્ય છે. દરેક ક્ષણે ભાવમરણ થઈ રહ્યું છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો.” તેની પણ સ્મૃતિ કરાવી છે. માટે કોઈ ખરાબ કૃત્યમાં દોરાતો હોય તો મરણનું સ્મરણ કરજે. ૧૮. તારા દુઃખ સુખના બનાવોની નોંઘ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભારી જા. ઉપરના વાક્યમાં દુષ્કૃત કરતાં અટકી પોતાના મરણને સ્મરવા કહ્યું. હવે બીજાને દુઃખ આપવા તત્પર થાય તો પહેલાં પોતાના સુખ દુઃખનાં બનાવોને સંભારી જવા જણાવ્યું—સ્મૃતિમાં લાવવા કહ્યું. કેમકે સર્વ જીવ સુખને ઇચ્છે છે અને દુઃખ દૂર કરવા ઇચ્છે છે. આપણને દુઃખ આવી પડ્યું હોય ત્યારે કોઈ પુષ્પમાળા વિવેચન 35 આવીને આપણને બચાવે એમ થાય છે. તેમ જેને આપણે દુઃખ આપવા ઇચ્છીએ તે જાણે-અજાણે પણ દુઃખ દૂર કરનારને ઇચ્છે છે. પરોપકારી પુરુષો પોતે દુઃખ વેઠીને પણ બીજાને સુખી કરે છે. તો બીજાને દુઃખ આપવાનો પરિશ્રમ લેવો એ હલકી વૃત્તિ છે, તે આપણા જ દુઃખનું કારણ છે; પોતાને માથે દુઃખ વોરી લેવા જેવું છે. ૧૯, રાજા હો કે રંક હો-ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાયાર ભણી આવજો કે આ કાયાનાં પુદ્ગલ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. ૩૧ રાજા કે રંક બધાને માથે મરણ ભમે છે. માટે દેહને પોષવામાં થતાં પાપને અટકાવવાં અને સદ્ગતિના કારણ સેવવા માટે પ્રવૃત્તિ કરવા ચેતાવે છે. આ ભવ સદાચારને માટે છે. દૈહિક સુખમાં ખોટી થઈને જીવ માત્ર પાપની પ્રવૃત્તિમાં પડ્યો રહેશે તો આ મનુષ્યભવ સફળ કરવાનો ઉત્તમ અવસર વહ્યો જશે; અને કરેલાં પાપો ભોગવવા માટે દુર્ગતિમાં જવું પડશે. અમુકને માટે આ કરું છું, કુટુંબને બચાવવા માટે આદિ ચિત્તમાં વિચાર રાખી પાપ કરે છે; પણ કોઈ એને બચાવનાર નથી કે કોઈ સાથે આવનાર નથી. પાપ પુણ્ય કર્યું હશે તે જ સાથે આવશે. જેની તું કાળજી રાખે છે એવો દેહ પણ નાખી દઈ ચાલી જવું પડશે. માટે આત્માનું હિત થાય તેવો સદાચાર ત્વરાથી સેવવા યોગ્ય છે. ૨૦. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીંચમાં નીચ, અઘમમાં અધમ, વ્યાભિચારનો, ગર્ભપાતનો, નિર્દેશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી? રાજાની પદવી એવી છે કે આખો દિવસ પ્રમાદમાં જાય. આત્માને ભૂલવાનાં નિમિત્ત એને ઘણાં છે. ભરત રાજાનું દૃષ્ટાંત :- ભરત ચક્રવર્તીને ઋષભદેવ ભગવાનનો બોધ લાગ્યો ત્યાર પછી પ્રમાદને જીતવાને માટે અનેક ઉપાયો લેતા રહેતા. ભરત રાણીવાસમાં જતાં કે ગમે તે કામ કરવા જતા હોય તો પણ એક ચેતવણી મળતી કે ‘માથે મરણ છે.’” અંતઃપુરમાં માણસ જાય નહીં માટે ઘંટડીઓની ગોઠવણ કરી હતી. Page #20 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળા વિવેચન ૨૧. પ્રજાના દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ આજે હું ઓછાં કર. તું પણ હે રાજા! કાળને ઘેર આવેલો પરૂણો શ્રીમદ્ રાજચંદ્ર ( તે ઉપરાંત એક માણસ પણ એમણે રાખ્યો હતો. તે બોલ બોલ કરતો કે “ભરત ચેત, ભરત ચેત, માથે મરણ ઝપાટા દેત.” એમ પ્રમાદ તજી તેઓ પ્રવર્તતા હતા. બઘા તોરણ બાંધે છે, પણ સૌથી પહેલાં એમણે શરૂઆત કરેલી. બધી ઘંટડીઓનું જ તોરણ દરેક બારણે તેઓએ રખાવેલ. જેથી પેસતાં ને નીકળતાં એમના માથાના મુગુટ સાથે ઘંટડીઓ અથડાતાં અવાજ થતો કે માથે મરણ છે, ચેતતા રહેવાનું છે એમ યાદ આવતું. UTTITI UTUBE ૨૦માં પુષ્પમાં કહ્યું કે પ્રજાના પૈસા તું ખાય છે. તે માટે રાજાની પ્રજા પ્રત્યેની શી ફરજ છે તે હવે અહીં બતાવે છે : પ્રજાને શું શું દુઃખ છે તે રાજાએ વિચાર કરી કર આદિ દૂર કરવા જોઈએ. લોકોની આર્થિક સ્થિતિ કેવી છે, કેળવણી કેટલી છે વગેરે વિચારીને પ્રજાનું ભલું કરવું જોઈએ. મહિનૂરનો રાજા તો થર્મની સંભાળ પણ પોતાના હાથમાં રાખતો હતો. બાહુબળીનો ૧૨-૧૨ વર્ષે અભિષેક થાય છે તે પણ રાજા પોતે જ કરતો હતો. રત્નની બધી પ્રતિમાઓની નોંધ રાખી હતી જેથી કોઈ અમલદાર તપાસ માટે આવે ત્યારે જોઈ શકે કે તે બરાબર છે કે નહીં. એમ સારો રાજા હોય તો ઘર્મમાં પોલ ચાલે નહીં. કેટલાંક કામ લોકોના સમૂહથી થઈ શકે છે. એટલે જનહિતના કામો જે ઘણા પૈસે થઈ શકે તેવા કામો સમૂહથી સરળતાથી થઈ શકે. તે કરાવવાની રાજાની ફરજ છે, બીજાં રાજ્યો દ્વારા જરૂર પડ્યે રક્ષણ મેળવવું કે દુષ્કાળ વખતે કે પ્લેગના વખતે આખી પ્રજાનું જે દુઃખ છે, કે એવા કોઈ પ્રસંગે રાજાએ ખાસ લક્ષ રાખવું જોઈએ. આ સામટી પ્રજાના દુઃખની વાત કહી. હવે અન્યાય વિષે કહે છે, પ્રજામાં જે અન્યાય વર્તતો હોય, નોકરી કરતા હોય કે પોતે પણ જે કંઈ અન્યાય કરતો હોય તે રાજા પોતે રોકી શકે છે. કર તપાસવા કહે છે. અન્યાયથી એણે નાખેલા કે પરંપરાથી ચાલ્યા આવતા કર હોય તે તપાસી ઓછા કરી જવા. કૃપાળુદેવે રાજાઓએ શું કરવું તે વિષે પણ વિચારો કર્યા છે તે નીચે પ્રમાણે છે : (૧) ન્યાય (૨) રાજ્ય વ્યય (રાજના પૈસા કેમ વાપરવા) (૩) નૃપ કુટુંબ. (૧) ન્યાય-કોઈપણ કારણે રાજા અન્યાય કરે નહીં. જેમ વાડ જ ચીભડાંને ખાઈ જાય તો રક્ષણ કોણ કરે. (૨) રાજ્ય વ્યય—એક સમજણું શિશુ પણ જોઈ ઉલ્લાસ પામે એવો સરસ વહીવટ રાજ્યનો હોવો જોઈએ. હિસાબ એવો ચોખ્ખો હોવો જોઈએ કે S તેથી ગૃહસ્થાવસ્થામાં પણ મુનિની પેઠે તેમને નિર્જરા થતી. અને વગર તપે ઘરમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તપનું કામ નિર્જરા કરવાનું છે. જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તવાથી નિર્જરા થાય છે. ભરતે તે માર્ગે કર્મોની નિર્જરા કરી. પ્રભુશ્રીજી કહે, “જાગ્રત થા, જાગ્રત થા.” જેવો આહાર તેવો ઓડકાર આવે એમ કહેવાય છે. રાજાની કમાણી, બઘા જીવોએ પાપ કરીને પૈસા એકઠા કર્યા હોય તેમાંથી રાજાનો ભાગ કર-રેક્સ તે રાજાને મળે છે. તેથી રાજેશ્રી તે નરકેશ્રી એમ કહેવાય છે. ચક્રવર્તી પણ પૂર્વે બાંધેલું પુણ્ય ભોગવે પણ ભોગવતાં નવાં પાપ બાંધે તો નરકે જાય છે. કર્માધીન તું રાજા હો તો ફિકર નહીં, પણ ભવિષ્યને માટે ચેતાવે છે કે તું પ્રમાદમાં પડી રહીને પાપ ન બાંઘ. રાજાએ શું કરવું તે હવે આગળના પુષ્યમાં જણાવે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર એક નાનું છોકરું પણ જોઈને કહે કે વાહ!કેવો સરસ-સ્પષ્ટ હિસાબ ( (૩) નૃપ કુટુંબ–રાજાનું કુટુંબ એટલે એક માત્ર શ્રીમંતનું ઘર હોવું જોઈએ. જે જે સુખો તે ભોગવે તેમાં વૈશ્યબુદ્ધિ અને રાજ્યબુદ્ધિ બન્ને હોવી જોઈએ. શ્રેણિક રાજાની જેમ. શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત:- શ્રેણિક રાજાની રાણી ચેલણા હતી. એકવાર રાજ્યમાં એક વ્યક્તિ કંબળ વેચવા આવ્યો. એક એક કંબલની કિંમત લાખ રૂપિયા જણાવી. ૩૫ પુષ્પમાળા વિવેચન રાખે. કર નાખીને રાજ્યની ઊપજ વઘારવા કરતાં પ્રજાની સંપત્તિમાં / વૃદ્ધિ થાય એવાં સાધનો યોજવાં જોઈએ કે જેથી સ્વાભાવિક રીતે રાજ્યની મહત્તા અને વૈભવ વધે. (૨) પ્રજાની સંપત્તિમાં વૃદ્ધિ કરવાની યોજના સિવાય જે કર નાખવામાં આવે છે તે રાજનીતિજ્ઞ અને ઉત્તમ નૃપતિઓનું કર્તવ્ય નથી, કારણ કે એ પ્રજાની મૂડી ખાવા બરાબર છે. જે પ્રમાણમાં દાણ આપીએ તે પ્રમાણમાં દૂધ લઈએ. (૩) પ્રજા પર જેમ બને તેમ નવા કરની ઉત્પત્તિ કરવી ઉચિત નથી. પરંતુ કદાપિ કોઈ સંજોગોમાં કરવી પડે તો કર નાખતાં તે કાર્ય સંબંધી રાજ્યને જે વ્યય થવાનો હોય તેના પ્રમાણમાં જ અથવા તેથી સવાઈ કે દોઢી ઊપજ થાય તેટલો જ કર નાખવો ઉચિત છે. (૪) રાજ્યની ઉચિત વ્યવસ્થાની યોજનાથી જે વ્યય થતો હોય તેથી રાજ્યની સમગ્ર ઉત્પાદક આવક બમણાથી વિશેષ ન થવી જોઈએ. હું ધારું છું કે તેની નીચે પ્રમાણે ઉપયોગ કરવાની રાજવીઓએ રચના કરવી જોઈએ. (અ) એક ભાગ રાજ્યસેવકોની માસિકમાં એટલે પગારમાં. (આ) એક ભાગ રાજવૈભવમાં એટલે હર્ષપ્રમોદના ઉત્સવ વગેરેમાં. રાજયનું સારું દેખાય તે માટે કરવો પડે તે. (ઇ) એક ભાગ રાજકુટુંબ વ્યયમાં. (ઈ) અડઘો ભાગ રાજ્યની સારી પ્રજાની આબાદી એટલે સમૃદ્ધિ વધારવાના સાઘનમાં અને બાકી રહેલો અડઘો ભાગ ભંડાર ખાતામાં વૃદ્ધિ અર્થે. ૩. રાજ્ય કુટુંબના વ્યયમાં રાજાએ વેપારી થવું; પરંતુ કર નાખવામાં વેપારી થવું નહીં. રાજલક્ષ્મી અનર્થે જતી રોકવામાં વેપારી થવું. (૧) કોઈપણ પ્રકારનું પ્રજાના ક્લેશનું મૂળ, દીન એટલે ગરીબ થવાનું મૂળ જે કરથી થાય તે કર રાજાએ ન નાખવો. (૨) પોતાને એકલાને જે કરથી પ્રજાનું હિત સમજાય તે કર નાખવો તે ખરીદવા માટે ચેલણા રાણીએ શ્રેણિકને જણાવ્યું. ત્યારે શ્રેણિક રાજા ક—આટલી મોંઘી રત્નકંબલ આપણાથી લેવાય નહીં; કારણ કે આ ઘન પ્રજાનું છે, પ્રજાના હિત માટે વપરાય. રાજ્યમાં અગત્યના નોકરો, યથાયોગ્ય રાજ્યવૈભવ અને ઉપર દર્શિત કર્યા પ્રમાણે રાજાનો સ્વકુટુંબ વ્યય યોગ્યરીતે કરકસરથી થવો જોઈએ. તે માટે ઉત્તમોત્તમ નિયમ નીચે કહી જાઉં છું. (૧) જે કરથી પ્રજાનું કોઈપણ પ્રકારનું હિત નથી, એવો કર કોઈ આપત્તિ-કાળ સિવાય સત્ રાજવીઓ નાખતા નથી અર્થાત્ લડાઈમાં કે એવા વખતે વધારાનો કર નાખી શકે; નહિં તો જે પ્રજાના હિત માટે હોય તેટલો જ કરી Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર એમ પણ આ સ્થળે આશય નથી. પરંતુ પ્રજામાં ગણાતાં વિચક્ષણ - પુરુષોની પ્રથમ સંમતિ માટે અપક્ષપાતે પ્રગટ કરવું, પછી યથાયોગ્ય વિચાર કરીને કર નાખવા. રાજા અને પ્રજા બેયે મળીને કર નાખવા. ભરત ચક્રવર્તીની જેમ. ઉપર આવેલ શબ્દોના અર્થ નીચે પ્રમાણે સમજવા :— ૧. નૃપતિનો આત્મઘર્મ એટલે પોતાના કર્તવ્યનું નિત્ય સ્મરણ કરવું. ૨. રાજકુટુંબ બે ભેદે સમજવું; પોતે અને સગાં. ૩. પ્રજા સંમત પુરુષોનું એક મંડળ રાખવું. ૪. પ્રજા સંપત્તિની વૃદ્ધિ અર્થે કળા કૌશલ્ય વધારવાં. ૫. ન્યાય વ્યવસ્થા ગોઠવવી. ૬. સ્વાચરણ નિયમ સમજવા. ૩૬ સ્વાચરણ નિયમ—એટલે ઉત્તમ નૃપતિઓ આગળ વિવેચન કરેલાં સ્વ આત્મધર્મને કે પોતાના કર્તવ્યને સમજી, ધર્મ, નીતિ અને સદ્-આચરણને સેવતા હતા. આ કાળમાં ટૂંકી જિંદગી નૃપતિઓની થઈ તેનું કારણ માત્ર ખરા વીર્યની ખામી, તેના કારણોમાં દુરાચાર, ઉદાર અને બહોળા મનનું ઘટવું તે છે. એક દિવસના, રાજાએ નીચે પ્રમાણે ભાગ પાડવા જોઈએ. ૨ પહોર નિદ્રા ૨ પહોર રાજ્યતંત્ર ૧ પહોર વિદ્યાપ્રયોજન ૧ પહોર આહાર વિહાર ૧ પહોર ગંભીર વિનોદ ૧ પહોર ધર્મ ધ્યાન. કેમકે “ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે. તો પછી આખી આયુષ્યસ્થિતિ! એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ! એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે.'' વ.પૃ.૪૮૬) ૩૭ પુષ્પમાળા વિવેચન આગળ આવ્યું હતું કે મરણને સંભારવું. તે બધું વૈરાગ્ય આપે એવું છે. પ્રભુશ્રીજી કહેતા કે તું ‘મેમાન જેવો છું.’ એક મુસ્લિમ મહાત્માએ કહ્યું છે—“જો તારે બંધુ, મિત્રની આકાંક્ષા હોય તો તેને માટે પરમાત્મા બસ છે. જો તારે સંગી જોઈતો હોય તો વિધાતા (પ્રારબ્ધ) બસ છે. જ્યાં હોય ત્યાં પ્રારબ્ધ સાથે ને સાથે જ છે—સંગી છે જ. જો તારે માન પ્રતિષ્ઠાની જરૂર હોય તો સંસાર બસ છે. સાંત્વન આપનારની આકાંક્ષા હોય તો કુરાન શરીફ એટલે (સત્શાસ્ત્ર) બસ છે. જો તારે કંઈ કામધંધો જોઈતો હોય તો તપશ્ચર્યા (ઇચ્છાનો નિરોધ કરવો) બસ છે. અને ઉપદેશ જોઈતો હોય તો મૃત્યુનું સ્મરણ બસ છે.’’ સત્પુરુષે સમાધિમરણ કર્યું છે, એમ આખી જિંદગી સ્મરણમાં રાખે. સત્પુરુષની અંતરંગ દશા દેહ છૂટતી વખતે એવી સહેજ થઈ ગઈ હોય છે કે તેને અંત વખતે અત્યંત વીર્ય પ્રગટેલું હોય છે સોભાગભાઈની જેમ. તેમને અંતરંગ વચન કહેવું હતું, પણ અંતર્આત્મદશાના કારણે અંત વખતે ન કહી શક્યા. અંબાલાલભાઈ અંત વખતે અંતરંગમાં સ્થિર થઈ ગયા અને પ્રભુશ્રીજીનું પણ એવું જ સમાધિમરણ થયું હતું. તેમ તું રાજા હો તો પણ તારે મરી જવાનું છે. માટે મરણની સ્મૃતિ કરવા કહ્યું અને પ્રમાદ ન કર એમ જણાવ્યું. કેમકે હે રાજા! તું પણ કાળને ઘેર આવેલો પરૂણો એટલે મહેમાન છો. તારે પણ એક દિવસે અહીંથી જવાનું છે. ૨૨. વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. વકીલનો પૈસો અથવા એની બધી આવક રાજાના જેવી છે. વકીલને પણ બીજા જીવોને સુખ થાય તેમ નજર રાખવાની જરૂર છે. ધંધાઅર્થે લોકોના કર આદિ વિષે કાયદાઓ સમજે છે તેમ પરોપકાર અર્થે પણ કરવા કહ્યું. ગાંધીજી તેમ કરતા હતા. જેને વધારે ક્ષયોપશમ છે એને વધારે જવાબદારી છે. નહીં તો બુદ્ધિના બળે તર્કથી વધારે ઊંધુ છતું કરી શકે. ૨૩. શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રળવાનું કારણ આજે શોધીને કહેજે. તું શું કામ ૨ળે છે એનો વિચાર કરી, હૃદયને શોધીને અથવા સત્પુરુષ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પૂછે તો મારે આટલી જરૂર છે એમ નક્કી કરી રાખજે. બીજા ૐ શબ્દોમાં એમને કહેવું છે કે પૈસા છે તો રળવાનું કારણ તને કંઈ જડશે નહીં—કંઈ કારણ છે જ નહીં એમ તને લાગશે. ધંધો કરીને પૈસા જ કમાવવા છે ને ? તે તો તારી પાસે છે. તો હવે તેનો ઉપયોગ કરને ! ઘનના મોહને ૩૮ લઈને ચિંતામણિ જેવો આ નરભવ છે તે ગુમાવવા જેવો નથી. વધારે પૈસા મળશે તો પણ કંઈ તૃપ્તિ થશે નહીં. ઊલટી તૃષ્ણા વધશે. માટે ઉત્તમ રીતે કેમ આયુષ્ય ગળાય તે વિચારવા માટે શ્રીમંતને પ્રેરે છે. રળવાનું કારણ શું છે? એ પહેલું કહ્યું. પછી રળવાની જરૂર નથી તો પૈસાના ઉપયોગને વિચારજે એટલે (૧) પૈસા શું કરવા ભેગા કરે છે અને (૨) છે એનો શો ઉપયોગ કરે છે, અને વધારે મેળવવા ધારે છે તેનો શું ઉપયોગ કરવા ધાર્યું છે? વધારે વિચારે તો ધન એને માથે બોજા જેવું ઉપાધિરૂપ લાગે. જેના માથે બોજો (પોટલું) હોય તે ઉપાડી ન શકતો હોય અને તેમાં વળી કોઈ આવીને પાંચ શેર બીજું નાખી જાય તો તે ઉપાડી ન જ શકાય, તેમ છે. વિચાર નથી એટલે એને લક્ષ્મીનું સુખ લાગે છે. બીજાનાં કરતાં મને વધારે થાય એમ દેખાદેખીથી થાય છે. પણ શું કરવા તને વધારે જોઈએ, શા માટે? એનો વિચાર કરતો નથી. ગાડરીયા પ્રવાહમાં ચાલ્યો (ખેંચાયો) જાય છે. વિચાર કર્યા વગર માત્ર દેખાદેખીથી કરે છે. કૃપાળુદેવ લખે છે “લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈપણ પરાર્થિક એટલે પરોપકાર કરવાના કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત. એમ લાગવાથી મૌન ગ્રહી તે સંબંધી સત્ સગવડમાં હતો. પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે. આંધળાપણું એટલે લોભ, અહિતમાં પ્રવર્તાવે છે. પોતાને લાભ થતો હોય તો બીજાના હિત તરફ આંખમીંચામણા કરે. બહેરાપણું એટલે કોઈ લક્ષ્મીની યાચના કરતું હોય તો જાણે સાંભળતો જ નથી એમ વર્તે. મૂંગાપણું એટલે કોઈ સારું કામ હોય તેમાં પણ એની વાણી ન વર્તાવે કે બોલીશું તો પૈસા આપવા પડશે; અથવા મોટા માણસો હલકાંની સાથે બોલતાં નથી એમ મનમાં માન આવે છે. પરમાર્થે પણ લક્ષ્મી એકઠી કરવા જતા લોભ, માન, સ્વાર્થીપણું આવી જાય અથવા અતડો રહે, દયા ન રહે આદિ દોષો આવવાનો સંભવ રહે છે. કોઈનું બગડતું હોય તો કહે કે માણસો હોય તો મોકલું પણ પોતે ન જાય. ગરીબ હોય તો પોતે ઊઠીને જાય. લક્ષ્મીને લીધે વર્તનમાં પોતે ભારે થઈ જાય ૩૯ પુષ્પમાળા વિવેચન છે. મનુષ્ય જેવો રહેતો નથી. પહેલાં પાલખીમાં બેસીને શેઠ લોકો આવતા. નરવાહન પર બેસીને એટલે કે લોકોની ખાંધ ઉપર ચઢીને –– આવતા. જેથી સામાન્ય માણસોની દરકાર નથી.’ ‘સુખ વિષે વિચાર’ નામના પાઠમાં મોક્ષમાળામાં એ વિષે ઘણી વાત પરમકૃપાળુદેવે લખેલ છે. ૨૪. ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાય-સંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ. અનાજ, દાણા વગેરેના વેપારીને માટે કહે છે. વ્યાપારીનું લક્ષ પૈસા તરફ હોય છે. તેને હિંસાની દરકાર હોતી નથી. અનાજ સડી જાય, જીવડાં પડે વગેરે જીવોની હિંસા કેટલી થાય તેની દરકાર નથી હોતી. અનાજ પોતે જ સચિત્ત હોય છે, તે ઉપરાંત અંદર જીવ પડે એ બધાની હિંસાથી સાવચેત કરવા કહે છે, અસંખ્ય જીવો અનાજમાં વેપારીને ત્યાં હોય. જીવડાં અનાજમાંથી દૂર કરવા પડે તો પણ લોકોની અવરજવર ન હોય ત્યાં મૂકવા; જેથી એની જરા કાળજીથી બીજા ઘણા નાના જીવોને લાભ થાય. કાળજી રાખનારે જેટલો ભાવ કર્યો એટલો તેને લાભ થાય છે. અને એના નિમિત્તે બીજા જોનારા માણસને પણ એમ થાય છે કે આ સારું કરે છે આપણે પણ એમ કરવું જોઈએ, એવી શિખામણ લેનારને અનુમોદન થાય છે તેથી તેમને પણ લાભ થાય છે. એકાંતે જીવોનું થવાનું હશે તેમ થશે એમ માનવા જેવું નથી. કોઈને ધંધાની પસંદગી કરવી હોય તો જેમાં હિંસા ન થતી હોય તેવો ધંધો પસંદ કરવો અથવા જેમાં ઓછી હિંસા થતી હોય તેવો ધંધો, ન્યાયસંપન્ન એટલે ન્યાયયુક્ત કરવો જોઈએ. એક તો અનાજનો ધંધો જ પાપનો છે તેમાં જો વળી અન્યાય કરીશ તો વધારે ઠંડાઈશ; માટે અન્યાય મૂકી દઈ ન્યાયસંપન્ન વ્યાપારમાં તારું ચિત્ત ખેંચ, આનંદશાહનું દૃષ્ટાંત :–આનંદપુરનો રાજા આનંદશાહ શત્રુઓના હાથે ઝડપાઈ જતા માંડ માંડ બચી ગયો. પોતાની જાન બચાવવા પોતાના વફાદાર સૈનિક વીરસેનની સાથે નાસી ગયો. પાછળ શત્રુરાજાના સૈનિકો પડ્યાં. ભાગતા ભાગતા ખૂબ થાકી ગયેલા રાજાની નજરે એક ગુફા ચડી ગઈ. રાજાએ થોભીને વીરસિંહને કહ્યું વીરસિંહ, આપણે ભાગી શકીએ તેમ નથી માટે આ ગુફામાં સંતાઈ જઈએ. વીરસિંહ કહે : ભલે રાજાજી! વીરસિંહ ગુફામાં ઘૂસવા લાગ્યો પણ ઘણા વર્ષોથી કરોળીયાનું જાળું Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ( એટલું મોટું હતું કે તેનાથી ગુફાનો પોણો ભાગ ઢંકાઈ ગયેલો હતો. ~ વીરસિંહ જેવો કરોળિયાનું જાળું તોડી નાખવા તૈયાર થયો ત્યાં જ રાજાએ તેને અટકાવતા કહ્યું–વીરસિંહ! નાહક આ જાળાના જીવોને શું કરવા મારી નાખે છે? જાળાની નીચે થોડી ખાલી જગ્યા છે તેમાંથી અંદર ચાલ્યા જઈએ. વીરસિંહ કહે : આપની પાછળ સૈનિકો પડ્યા છે અને આવા વખતે કંઈ જીવોની દયા કરવા સમય બગાડાતો હશે? રાજા કહે : જીવોની દયા જ આપણને બચાવી લેશે. પછી બન્ને જણા જાળવીને ગુફામાં ઘુસી ગયા. પછી શત્રુરાજાના સૈનિકો ગુફા પાસે આવીને અટક્યા. એક સૈનિક કહે આ ગુફામાં બેય જણ સંતાયા હશે. બીજો સૈનિક કહે વર્ષોથી જામેલું જાળું તુટ્યા વિના અંદર કેવી રીતે જઈ શકે? એમ વિચારી સૈનિકો આગળ ચાલ્યા ગયા. જીવદયાના કારણે હિંસા ન થઈ તો રાજા અને સૈનિક બન્ને બચી ગયા. તમે જગતના જીવોની દયા કરો, તેનું ભલું કરો, તેનું હિત ચિંતવો. તમારો દયા ઘર્મ જ સદા તમારું રક્ષણ કરશે. જીવનઘડતર પ્રવેશિકા ૨૫. જો તું કસાઈ હોય તો તાસ જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. કસાઈનો ઘંઘો છે ત્યાં પ્રત્યક્ષ હિંસા દેખાય છે. કાલસૌકરિકનું વૃષ્ટાત :- અભયકુમારનો એક મિત્ર કાલસૌકરિક કસાઈનો પુત્ર સુલસ હતો. તેને અભયકુમારના સંગે ઉરમાં દયા વસી હતી. એના પિતા મરી ગયા પછી કતલખાનાનું કામ એના માથે આવ્યું. બઘાં સગાંવહાલાં એને સમજાવવા લાગ્યા કે તારા બાપનું કામ હવે તું કર. એણે કહ્યું તેનું પાપ લાગે તે કોણ ભોગવે? બધા કહે કે—અમારોય એમાં ભાગ છે ને! એટલે એણે કુહાડો લઈ પોતાના પગ પર માર્યો અને પછી બઘાને કહ્યું કે મને બહુ દુઃખે છે. માટે આ મારી વેદનાને તમે બઘા વહેંચી લો. ત્યારે બધા નિરુત્તર થઈ ગયા. ત્યારે તેણે કહ્યું કે આ ભવના આ દુઃખમાં તમે ભાગ લઈ શકતા નથી તો પરભવમાં આ પાપનું ફળ મને ભોગવવું પડે ત્યારે તમે ક્યાં હશો અને એના ફળમાં ભાગ કેવી રીતે લેશો? માટે હું પાપનો ધંધો કરું નહીં. ૪૧ પુષ્પમાળા વિવેચન બીજાને દુઃખ દેતી વખતે પોતાનાં પરિણામ સંક્લેશવાળાં થી થાય છે અને તેથી પાપ બંધાય છે, તેનું ફળ પોતાને જ ભોગવવું પડે છે. તેથી જેને સુખની ઇચ્છા હોય તેણે પાપમાં પ્રવર્તવું નહીં. ઘનાદિ પ્રત્યક્ષ મળતા દેખાય તેથી જીવ પાપને ભૂલી જાય છે. પણ જે મળે છે તે પાપથી મળતું નથી. માને છે કે મેં પાપ કરીને મેળવ્યું. પણ જે મળે છે તે પુણ્યના ઉદયથી મળે છે. ૨૬, જો તું સમજણો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી વૃષ્ટિ કર. બાળ અવસ્થામાં વિદ્યા પ્રાપ્તિ અને આજ્ઞાંકિતપણું એ બે મુખ્ય કર્તવ્ય બાળકના છે. તે બેમાંથી એકાદ રહી જાય તો આખી જિંદગી એને સાલે છે. પછીથી એવો અભ્યાસ પણ થતો નથી. સ્વચ્છેદાદિના મૂળ દ્રઢ થઈ ગયા હોય તો પછી આજ્ઞાંકિત થવું બહુ મુશ્કેલ થાય છે. ૨૭. જો તે યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહાચર્ય ભણી વૃષ્ટિ કર. યુવાવસ્થામાં શરીરની શક્તિ અને સમજણ હોય છે, તેથી પુરુષાર્થ થઈ શકે. લોકોમાં કહેવાય છે કે “જાવાનીમાં કમાવેલું ઘડપણમાં બેઠા ખવાય” મધમાખી હોય તે પણ વસંતઋતુમાં મધ એકઠું કરી લે છે, એમ ઉદ્યમનો કાળ યુવાવય છે. પણ જો તે વિષય લંપટ થઈ ગયો તો તેનું ચિત્ત ઉદ્યમમાં ચોંટતું નથી. કારણ તેને વિષયનો જ ધ્યેય બની ગયો. તેથી તે પોતાની શરીર સંપત્તિ ગુમાવે છે અને યુવાવસ્થામાં જ વૃદ્ધ જેવો બની જાય છે. તેની જિંદગી નકામી જાય; માટે ચેતાવે છે કે યુવાવસ્થાનો કાળ સાચવવા યોગ્ય છે, “ગઘા પચ્ચીસી” કહેવાય છે તે વખતે એને જવાબદારીની ખબર હોતી નથી. પણ જો તે સમયે બ્રહ્મચર્યમાં એનું લક્ષ રહે તો ઘર્મ પ્રત્યે એની વૃત્તિ વધે છે અને તત્ત્વજ્ઞાનની પાત્રતા પણ પામે છે માટે પ.ક.દેવે જણાવ્યું કે “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન.” યુવાનીમાં બ્રહ્મચર્ય પાળી ઉથમવંત રહેવું. એક યુવાનનું વૃષ્ટાંત :- અદ્ભુત નગરની એક અદ્ભુત વિશેષતા હતી. એ નગરમાં પાંચ વર્ષ માટે પ્રમુખ ચૂંટાતો. પ્રમુખ થયા પછી પાંચ વર્ષ સુઘી પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં તલ્લીન થઈ જતો. પાંચ વર્ષ પૂરા Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શ્રીમદ્ રાજચંદ્ર ૪૨ ( 1 થતાં તેને નિર્જન જંગલમાં ધકેલી દેવામાં આવતો. ત્યાં ખાવા, પીવા કે રહેવા માટે કંઈ મળે નહીં. જાનવરના મુખનો કોળિયો બની તે મોતને ભેટતો. આવી પરિસ્થિતિના કારણે કોઈ હાલમાં પ્રમુખ થવા તૈયાર થયો નહીં. આમ ઘણો સમય પસાર થયો. છેવટે એક બુદ્ધિમાન યુવાન પ્રમુખ બનવા તૈયાર થયો. પ્રમુખ બન્યા પછી એ યુવાન દિવ્ય રાજમહેલમાં આવ્યો. પણ ખાવા પીવા કે સુંદર સ્ત્રીઓના મોહમાં ફસાયો નહીં. પ્રમુખ થયા પછી ઉદ્યમ કરી જ્યાં પાંચ વર્ષ પછી જંગલમાં મોકલે છે ત્યાં અહિંથી બધી વસ્તુ મોકલી સુંદર નગર વસાવી દીધું. પાંચ વર્ષ પૂરા થતાં એ યુવાન પ્રમુખ જ્યારે હસતો હસતો વિદાય થવા લાગ્યો ત્યારે તેને વળાવવા આવેલા નગર લોકોએ તેને પૂછ્યું. આપની પહેલાનાં પ્રમુખો અહીંથી વિદાય થતાં ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. જ્યારે તમે તો વિદાય થતાં હસો છો તેનું કારણ શું? તે યુવાન બોલ્યો પહેલાંના પ્રમુખો મૂર્ખ હતા. કારણ કે પાંચ વર્ષના સુખમાં તેઓ લીન થઈ જતા પછી શું થશે તેનો તેઓ વિચાર કરતા નહીં. જ્યારે મેં તો નિર્જન વનમાં જ્યાં મારે જવાનું છે ત્યાં સુંદર નગર બનાવી દીધું છે. તેથી હું હર્ષભેર ત્યાં જઈ રહ્યો છું. પુષ્પમાળા વિવેચન માનવભવના થોડા વર્ષોના ઇન્દ્રિય સુખોમાં જે માણસો ખૂબ લીન બની જાય છે તે ખરેખર પેલા મૂર્ખ-પ્રમુખો જેવા પાગલ છે. પણ જે માણસો સંસારના સુખોથી વિરાગી રહીને ઘર્મની આરાધના કરી પરભવ સુધારે તો મરણ વખતે પણ તેમને ભય ન લાગે, મરણ આવે તોય પ્રસન્નતા રહે. માટે ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કરવી યોગ્ય છે. જીવન ઘડતર પ્રવેશિકા ૨૮. જો તું વૃદ્ધ હોય તો મોત ભણી વૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. વૃદ્ધાવસ્થામાં સમાધિમરણની તૈયારી કરવી યોગ્ય છે; કારણ કે હવે મૃત્યુ નજીક છે. દરેક અવસ્થામાં સમજ આવે ત્યારથી સમાધિમરણની ભાવના કરતા રહેવું. પણ વૃદ્ધાવસ્થામાં તો એ ભાવના કદી ચૂકવી નહીં. જાણે વહેલા જ મરી ગયા હતા એમ જાણીને ઘરમની, સમાધિમરણની તૈયારી માટે જ જીવવા યોગ્ય છે. ભગવતી આરાધનામાં લખ્યું છે કે મરણ છે એની ખબર પડી હોય તો સમાધિમરણની તૈયારી કરવા માટે બાર વરસ પહેલાં ચેતવું જોઈએ. ગુરુની એટલે સમાધિમરણ કરાવે તેવા નિર્ધામકની અને તેવા ક્ષેત્રની કે જ્યાં સર્વ પ્રકારે સમાધિમરણ માટેની અનુકૂળતા મળી આવે, તેની તપાસમાં સમાધિમરણનું વ્રત લેતાં પહેલાં ૧૨ વર્ષ ફરવું. તેવી અનુકૂળતાઓ શોધતો હોય તે વખતે સહનશીલતા વધારવાનો પણ અભ્યાસ કરવો એમ કહ્યું છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં ચીઢીયો સ્વભાવ થઈ જાય છે. તે દૂર કરવા કહે છે. “કમજોર ને ગુસ્સા ઘણા.” એક તો શક્તિ ક્ષીણ થવાથી પોતાથી થઈ શકે નહી, અને બીજાને કહે ત્યારે તે પણ થાય નહીં તો કષાય કરે છે. પણ તે વખતે એણે એમ વિચારવું જોઈએ કે થોડા સમયમાં મારે તો મરવાનું છે. હવે કેટલું જીવવું છે ? તો મારા નિમિત્તે કોઈને શા માટે દુભાવું? એમ વિચારી મન, વચનનો સંયમ વધારવા યોગ્ય છે. પ્રભુશ્રીજી બધાને ‘પ્રભુ” કહી બોલાવતા. વાણી મીઠી હોય તો બીજાને પણ શાંતિ રહે, કષાય ન થાય. તેના ઉપર પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે– બંગડીના વેપારીનું દૃષ્ટાંત - એક બંગડીનો વેપારી ગધેડી ઉપર બંગડીઓ ભરીને વેચવા જાય ત્યારે તે ગધેડીને ‘ભાજી, ફોઈબા, ડોશીમા’ એવા વિનયના શબ્દ બોલી, ન ચાલે તો ડફણું મારે. ત્યાં એક સાથુ જતો હતો તેણે આ કથાનો સાર જ્ઞાની પુરુષો આપણને કહે છે કે આ મળેલા Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર એને પૂછ્યું—તમે આમ કેમ બોલો છો ?’ ત્યારે બંગડીના વેપારીએ કહ્યું કે “મને જો ગધેડી કહેવાની ટેવ પડી જાય તો રજપૂતોના ગામમાં કોઈ મારી બધી બંગડીઓ ભાંગી નાખે અને મારો જીવ પણ જોખમમાં આવી જાય. કોઈ સ્ત્રીને અજાણ્યે પણ જો ‘ગધેડી' કહી બેઠો તો મારા ભોગ ૪૪ મળ્યા ! તેથી આ ટેવ પાડવા માટે, આ અભ્યાસ કરું છું. આખી જિંદગીમાં જે જાણ્યું હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય તેને આચરણમાં મૂકવા માટે આ વૃદ્ધાવસ્થા છે. પણ ક્રોધ કરીને પૂર્વના પુણ્યને બાળી દેવા માટે નથી. ક્રોધ કરવાથી બીજાને ખોટું લાગે અને પોતાના પણ પરિણામ બગડે. તે ઉપર પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત કહેતા કે છેવટનો વખત એટલે મરણકાળે કોઈને ગળામાં ગળફો ભરાયો હોય અને એની પાસે રહેનાર તે ગળફો કાઢવા માટે કે તેનો ગળફો બેસી જાય તે માટે, તેના ગળામાં પાણી રેડે, અથવા તેનું ગળું સુકાઈ ગયું જાણી તેમ કરે. તે સારું કરવા જાય પણ જે માંદો હોય તેનાથી તો શ્વાસ પણ લેવાતો ન હોય અને પાણી રેડે તો તેનાથી તેને વધારે અકળામણ થાય. માટે એક તો પાસે રહેનારે ઉતાવળ ન કરવી જોઈએ. અને તેનું શું પરિણામ આવશે તે પહેલા વિચારવું જોઈએ. અને દરદીએ પણ સહનશીલ રહેવું જોઈએ. બોલી ન શકાય તો તે વખતે એમ વિચારવું કે આના દ્વારા મારે ઉપસર્ગ થવાનો હશે એમ ધારી પરિણામ બગડવા દેવા ન જોઈએ. આ તો મારા ભલા માટે કરે છે એમ વિચારી શાંત રહેવું અને ખમી ખૂંદવું. ‘જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા કર્તવ્ય છે.’ તે સિવાય ત્યાં બીજો કોઈ ઉપાય નથી. એમ જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૨૯. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મક૨ણીને સંભાર,-દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી વૃષ્ટિ કર, લગ્નનો હેતુ મર્યાદા ધર્મ સાચવવા માટે છે. આ વાક્યમાં સ્ત્રીને પતિ પ્રત્યેની ધર્મકરણી સંભારવા કહ્યું. કારણ કે પતિ-પત્નીમાં મોહનું પ્રધાનપણું હોય છે. મદનરેખા જેવી સતી સ્ત્રીઓએ તો પોતાના પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભારી તેની સદ્ગતિ થાય તેમ મદદ કરી છે તે વાત આ પ્રમાણે છે – મદનરેખાનું દૃષ્ટાંત :- એક મણિરથ નામનો રાજા હતો. તેનો નાનો ભાઈ યુગબાહુ હતો. તેની સ્ત્રી મદનરેખા હતી. તે સ્વરૂપવાન હોવાથી તેની ૪૫ પુષ્પમાળા વિવેચન ઉપર મણિરથ રાજાની કુદૃષ્ટિ થઈ. તેથી બીજા ગામમાં લોકો રાજ વિરુદ્ધ વર્તે છે તેમને વશ કરવાના બહાનાથી નાના ભાઈ યુગબાહુને પરગામ મોકલ્યો. પછી તેની સ્ત્રી મદનરેખાને રાજી કરવા અનેક પ્રકારની ભેટો રાજા તેને મોકલવા લાગ્યો. રાજાની કૃપા જાણીને તે લેતી હતી. પણ રાજાએ એક દિવસ પોતાનો દુષ્ટ અભિપ્રાય જાહેર કર્યો. તેમાં એ સંમત થઈ નહીં. યુગબાહુ બહારગામ ગયો હતો પણ ત્યાં કંઈ તોફાન હતું નહીં. તેથી તે પાછો આવ્યો અને ગામ ઉત્સવના દિવસે બન્ને બગીચામાં નિવાસ કરીને રહેલા હતા. તે વખતે રાજા મણિરથને વિચાર આવ્યો કે પોતાનો નાનો ભાઈ જીવશે ત્યાં સુધી પોતાની કુધારણા પાર પડશે નહીં. તેથી ભાઈને મારવા તે જ રાત્રે બગીચામાં આવી દૂર ઊભા રહી તેને બોલાવ્યો. ત્યારે અપશુકન થવાથી મદનરેખાએ જવાની ના કહી. પણ મારો ભાઈ બોલાવે છે તેથી હું જઈશ એમ કહી તે ગયો. ત્યારે ઝાડ પાછળ તાકીને ઊભેલ રાજાએ તેના ઉપર તલવારનો ઘા કર્યો. મદનરેખા, યુગબાહુની ચીસ સાંભળીને ત્યાં આવી પણ તે વખતે તે બધું જોઈને ગભરાઈ નહીં, પણ તેના પતિને સમાધિમરણ માટે પોતાની શક્તિ પ્રમાણે સત્પુરુષો પાસે સાંભળેલ બોઘ તેને સંભારી આપ્યો અને જણાવ્યું કે હવે ભાઈ પ્રત્યે દ્વેષ અને મારા પ્રત્યે રાગ રાખશો નહીં. સત્પુરુષના આશ્રયે આ દેહ છોડવા યોગ્ય છે. જગતની કોઈ વસ્તુમાં દૃષ્ટિ રાખવા યોગ્ય નથી. આ સર્વ કર્મને આધીન થાય છે. માટે રાગદ્વેષના Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૬ ભાવો કરી પોતાનું મરણ બગાડવા યોગ્ય નથી. આત્મા અમર છે. આત્માનું સમાધિમરણ થયું તો આખું જીવન સફળ છે. અનેક મહાપુરુષોને ઉપસર્ગ આવી પડ્યા ત્યારે ઉપસર્ગ આપનાર પ્રત્યે દૃષ્ટિ કરી નથી પણ સર્વ જીવને ખમાવી નિષ્કષાયી બની, બને તેટલો સમભાવ ધારણ કરી પોતાના આત્માની દયા ખાઘી છે; માટે બધું ભૂલીને હવે આત્મા છે, તે નિત્ય છે, કર્તા ભોક્તા છે, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય પણ છે. એ છ પદની શ્રદ્ધા સાથે લઈ જવા જેવી છે. આમ જણાવી ઘર્મમાં દૃઢતા કરાવીને પતિનું મરણ સુધાર્યું, એમ પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભારવા યોગ્ય છે. દોષ થયા હોય તેની ક્ષમા યાચ – જેની સાથે આખી જિંદગી રહેવાનું થયું હોત તેનું ચિત્ત જાણે – અજાણે દુભાવ્યું હોય, તેની ક્ષમા યાચવાને યાદ દેવડાવે છે. તેથી નિઃશલ્ય થવાય છે. મનમાં ખૂંચતું હોય તે કહી દેવાથી મન હલકું થઈ જાય છે. પછી મન ઉપર ભાર રહેતો નથી. કુટુંબ ભણી દૃષ્ટિ કર – પોતાના આધારે જીવતાં બાળકો હોય, નોકરો હોય, તેના પ્રત્યેની પણ ફરજ સંભારી જવા જણાવ્યું. બાળકોમાં ઉત્તમ સંસ્કાર પાડવા એ માતાની ફરજ છે. ૩૦. જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. કવિમાં વચનબળ હોય છે. તેને યોગ્ય રીતે વાપરે તો સ્વપરનું હિત થાય. અને અસ્થાને વાપરે તો સ્વપરને મોહની વૃદ્ધિ થાય અને પ્રતિબંધ વધારે. આખું જગત મોમદિરા પીને ઉન્મત્ત થયેલું છે. તે કવિના વખાણ વગર પણ મોહમાં જ પ્રવર્તે છે. તેમને મોહમાં વિશેષ દોરવા માટે કવિતા કરવી તે મહા દોષરૂપ છે. ભગવાનની પ્રશંસા કરવી જોઈએ તેને બદલે મળમૂત્ર આદિથી ભરેલા શરીરની પ્રશંસા કરવી તે કવિને છાજતું નથી. તે અસંભવિત પ્રશંસા છે. જ્યાં મળમૂત્રમાં સૌંદર્યનો સંભવ નથી ત્યાં કલ્પનાથી સુંદરપણાનો આરોપ કરવો અને તેવી કવિતા રચવી એ સાવ અયોગ્ય છે. આ પ્રમાણે કવિઓનો દોષ ઘ્યાનમાં લાવી કહ્યું કે કવિઓએ મોહથી અસંભવિત પ્રશંસા કરી સ્વપરનો મોહ કદી વધારવો નહીં. ૩૧. જો તું કૃપણ હોય તો, – જે કૃપણ એટલે ઘનમાં અત્યંત આસક્ત હોય તેની વૃત્તિ ઘન ઉપરથી ૪૭ પુષ્પમાળા વિવેચન ખસે જ નહીં. તેને ગમે તેવો ઉપદેશ આપે તો પણ તેની વૃત્તિ ઉપદેશ ઉપર ચોંટે નહીં. ઊલટો તે દોષ જુએ કે મારું ધન લેવા માટે આ બધું કહે છે કે શું? જ્યાં સંભવ ન હોય ત્યાં પણ એને શંકા આવ્યા કરે. એક નિપુણ્યકની કથા આવે છે. તેની પોતાના ઠીબકા ઉપર નજર હતી છતાં આચાર્યે દયા લાવી દૃષ્ટાંત આપીને ઘણું કહ્યું કે આ તું નાખી દે. હું તને ઉત્તમ ભોજન આપું. તો પણ કંઈ સાંભળ્યું નહીં. આ કાનેથી સાંભળી બીજે કાને કાઢી નાખ્યું. કારણ તેના કદન્નથી એટલે ખરાબ વાસી અન્નથી ભરેલા ઠીબકાની તેને ફિકર હતી કે તે લઈ લેશે. તે લઈ લેવા માટે જ જાણે આ મને કહે છે એમ તેને લાગ્યું. ‘લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.'' “હોદો સવ્વ વિસખો’ઉત્તરાધ્યયન સૂત્ર. લોભથી સર્વનો નાશ થાય છે. કોઈની સાથે મૈત્રી, કે ગમે તે હોય પણ સ્વાર્થ કે લોભ જ્યાં વચ્ચે આવી પડે તો બીજું બધું ભુલી જવાય છે. અગ્યારમે ગુણસ્થાનેથી લોભને લઈને જીવ પડે છે. લોભ સર્વ વિજયી કહેવાય છે—આ સર્વ પર વિજય મેળવે છે. તીવ્ર લોભ હોય તેને ઉપદેશ લાગતો નથી. માટે આગળ અહીં કંઈ લખ્યું નથી. કૃપણને ઉપદેશ લાગતો નથી. એટલે પોતાનો વખત નકામો કોણ બગાડે? આ દોષ—લોભ એવો છે કે આત્મહિત ન થવા દે, માટે તેને મંદ કરવા વધારે પુરુષાર્થની જરૂર છે. કોઈના કહેવાથી દોષ નીકળવાને બદલે ઊલટો વધે. કહેનારાનો દોષ જાએ કે એને કંઈ સ્વાર્થ હશે તેથી એમ કહે છે. તેથી પોતાનો દોષ વધે છે અને ઊલટો લોભ ગાઢ કરે છે. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ.’’ ‘દાનથી જીવ ધર્મ પામે છે.’ મુખ્ય કષાય લોભ છે. તે જ્ઞાનીને મૂકાવવો છે. પણ તીવ્ર લોભવાળાને તે મૂકવો નથી, તેને કંઈ બીજું મેળવવું છે—એટલે એનો અને જ્ઞાનીનો મેળ ખાય એમ નથી. બેયનો પક્ષ જુદો હોવાથી જ્ઞાની ખેંચાખેંચ કરવા માગતા નથી. પોતાના હિતની વાત એને ન સાંભળવી હોય તો જ્ઞાની પરાણે કહેવા માગતા નથી. કૃપણને ઘન એ જ એનો પ્રાણ છે. સંસારનું મૂળ કારણ ‘પરવસ્તુને પોતાની માનવી તે છે.’ અને તે છોડ્યા વગર કોઈ કાળે જન્મમરણથી છૂટકારો થનાર નથી. ભોગના આનંદ કરતાં ત્યાગનો આનંદ ચડિયાતો છે કંજૂસ શેઠનું દૃષ્ટાંત :- એક દેશમાં શ્રીમંત રહેતો હતો. હતો Page #28 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પુષ્પમાળા વિવેચન આપણે સારી રકમ આપવી જોઈએ. પછી બીજા શ્રીમંતોએ સારી | રકમ આપી. સાંજે સંત પેલા કંજૂસ શ્રીમંતને ઘેર ગયા અને દસ હજારનો ચેક પાછો આપવા લાગ્યા. “શેઠજી! તમારો ઘણો આભાર! આ તમારો ચેક પરત.” શ્રીમદ્ રાજચંદ્ર ૪૮ અબજોપતિ પણ ભયંકર કંજૂસ. તેલમાં માખી પડી હોય તેને પણ - નીચોવીને તેલ કાઢી લે તેવો. કોઈને પણ દાન તો ન જ આપે. એકવાર નગરમાં મહારોગ ફાટી નીકળ્યો. લોકો ટપોટપ મરવા લાગ્યા. એક સંતનું હૃદય લોકોની આ દુર્દશા જોઈને દ્રવી ઊઠ્યું. નિરાઘાર સ્ત્રી પુરુષોને અનાજ કપડાં વગેરે આપવા માટે સંતે ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. નિરાધાર લોકોને અનાજ વગેરે આપવું શરૂ કર્યું. ભંડોળ ઓછું થયું હતું આથી સંતે નગરના મોટા શ્રીમંતો પાસેથી દાન લેવાનું શરૂ કર્યું. પણ જોઈએ તેટલી રકમ દાનમાં મળી નહીં. સંત વિચારમાં પડી ગયા. છેવટે તેમને એક યુક્તિ સૂઝી. તેઓ પેલા અબજોપતિ કંજૂસ શેઠ પાસે પહોંચી ગયા અને કહ્યું : તમે નિરાધાર ગરીબોને મદદ કરવા માટે દસ હજારનો ચેક આપો. આ રકમ દાનમાં આપવાની નથી, તે ચેક હું તમને એ જ દિવસે સાંજે પરત કરી દઈશ. G . " - (1 MIN (1) ક) શેઠ કહે: “ના સંતજી! આ ચેક હવે તમે જ રાખો. આ રકમ ગરીબોની સેવા માટે ખર્ચી નાખજો! આ વાત સાંભળી સંત આશ્ચર્ય પામ્યા. અને કહ્યું કે આ ચેક મારે પાછો આપવો જોઈએ અને આપ તે લો, તો તે બરાબર છે. શેઠ કહે: સંતજી! આપને શું કહ્યું? આપ મારો દસ હજારનો ચેક લઈને જે જે શ્રીમંતો પાસે ગયા તે તે શ્રીમંતોમાંથી કેટલાંયે શ્રીમંતો મારા ઘરે આવ્યા અને મેં કરેલા દાન બદલ મને ખૂબ ખૂબ અભિનંદન આપવા લાગ્યા. જીવનમાં આપવાનો આનંદ આટલો અદ્ભુત હોય છે તેની મને આજ દિન સુઘી કલ્પના જ ન હતી. ખરેખર ત્યાગનો આનંદ ભોગના આનંદ કરતા હજારગણો મહાન છે, તે મેં આજે અનુભવ્યું છે. જે બીજા માટે ખર્ચે તે જ ખરું ઘન જે ઘન પ્રભુના ચરણે ઘર્યું તે સોનું થઈ ગયું, જે પોતાના ભોગ માટે સંઘરી રાખ્યું તે ધૂળ બની ગયું. જે ઘન તમે બીજાના સુખ માટે ખર્ચો છો, પ્રભુની ભક્તિમાં, દીન અને દુઃખિયાની સેવામાં ખર્ચો છો, તે જ ખરું ઘન છે. તે જ સાચી સંપત્તિ છે. બાકી બધું ઘન પાપ બંધાવનારું છે. જીવનઘડતર પ્રવેશિકા ત્યારે શેઠે પૂછ્યું “માત્ર એક દિવસ માટે તે ચેક લઈને તમે શું કરી શકશો?’ સંત કહે : એ હું તમને હમણાં નહીં કહું. મારા ઉપર વિશ્વાસ રાખી આજે જ પાછો આપવાની શરતે તમે મને દસ હજારનો ચેક આપો. શેઠે દસ હજારનો ચેક લખી આપ્યો. સંત તો ચેક લઈ બીજા શ્રીમંતો પાસે પહોંચ્યા. કિંજાલ શેઠનો ચેક બતાવ્યો તે જોઈ બીજા શ્રીમંતો વિચારમાં પડી ગયા. જે એક સિક્કો પણ દાનમાં ન આપે તે શેઠે દસ હજારનો ચેક લખી આપ્યો. તેથી Page #29 -------------------------------------------------------------------------- ________________ = ૫૧ શ્રીમદ્ રાજચંદ્ર ૩૨. જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. અમલમસ્ત એટલે સત્તાધિકારી. જો તને મોટી પદવીનો ગર્વ હોય તો નેપોલિયનના જીવનચરિત્ર ઉપર દ્રષ્ટિ કરી જો. તો તને જણાશે કે સિપાહીની હલકી નોકરીમાંથી મોટા રાજાઓને પણ ઠગનાર તે થયો. પણ આખરે નિરાધાર સ્થિતિમાં તે મરણ પામ્યો. આમ લૌકિક માન વગેરે બધું ક્ષણિક છે. તે ન હોય તો ક્ષણમાં પ્રાપ્ત થાય અને ક્ષણમાં વળી નાશ પામે. તથા માન મેળવવા જે કંઈ પાપ કરેલું હોય તે જીવને ભોગવવું પડે. આવી અનર્થકારી તુચ્છ વસ્તુનો ગર્વ શો કરવો. નેપોલિયન એક્લો લડાઈમાં જ હોશિયાર હતો એટલું જ નહીં પણ બધામાં હોશિયાર હતો. એનો ક્ષયોપશમ એટલે બુદ્ધિ બહુ જબરી હતી. એની શક્તિ બથી એણે ક્ષણિક વસ્તુઓમાં વાપરી. કંઈ આત્મહિત કરી શક્યો નહીં. કામ વિચારી કરે, ડરે નહિં તે જન ડાહ્યો; ગુણનો ન ઘરે ગર્વ, સર્વથી હોય સવાયો.” -સાદી શિખામણ ૩૩. ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. મરણના સમયની ખબર નથી એટલે ઘણાં કામો શરૂ કરવા કરતાં એટલે નવા કામો હાથમાં લેવા કરતાં આરંભેલું કામ પહેલું પૂરું કરી લેવું. આજનો દિવસ જીવવાનો મળ્યો તો આ અધુરું કામ-આત્માનું પૂરું કરી લેવું; એવા સુવિચાર કરવા કહ્યું. જેમ આજનો દિવસ ઊગતો દીઠો તેમ આથમેલો પણ જોઈશું એવું કંઈ નક્કી નથી. જે માટે જન્મ્યા છીએ, આ દેહ ઘારણ કર્યો છે, તે આત્માનું કામ શરૂ કર્યું છે કે અધુરું છે કે પૂરું કર્યું છે તે વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ખરું તો આત્માનું કામ અધુરું છે તે અધૂરું રાખી મરી જવા યોગ્ય નથી. આત્મજ્ઞાન - સમકિત થયા વિના આ મનુષ્ય દેહ ગુમાવવા યોગ્ય નથી. ‘શ્રદ્ધા પરમ દુલ્લહા.’ મરતાં પહેલાં આટલું અવશ્ય કરી લેવા યોગ્ય છે. ૩૪, આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ઘારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર, કોઈ નવું કામ શરૂ કરવું હોય તો નીચેની કહેલી બાબતો લક્ષમાં રાખવી– (૧) કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં વિવેકથી વિચારવા કહ્યું. હેય, ય, પુષ્પમાળા વિવેચન ઉપાદેયરૂપે વિચારીને પછી કરવા જણાવ્યું. જે કામ કરવું છે તેને $ જ્ઞાની પુરુષોએ ઉપાદેય માન્યું છે કે હેય માન્યું છે કે ઉપેક્ષા કરવા યોગ્ય માન્યું છે એમ વિચારવું તેનું નામ વિવેક છે. વિવેકથી વિચારીને પછી– (૨) સમયનો– વિચાર કરવા કહ્યું. બીજાં કામ જે હાથમાં લીધાં છે તે ન બગડે અને નવું કામ થાય એટલો વખત છે? અથવા એ કામ સારી રીતે કરવાને માટે જેટલો વખત જોઈએ તેટલો અવકાશ હું કાઢી શકીશ કે નહીં? કેટલાંક જીવો આરંભે શૂરા હોય છે પણ પછીથી થાકી જાય છે. એટલે સારી શરૂઆત કરીને અંત ખરાબ આણે છે. કેટલાંક સામાન્ય રીતે શરૂઆત કરી જેમ જેમ કામમાં આગળ વધતા જાય તેમ તેમ તે કામને દીપાવે છે. અને કોઈ તો શરૂઆતથી જ ઢીલો હોય તે ઠેઠ સુધી પહોંચે કે ન પણ પહોંચે એવો હોય છે. અને કોઈ ઉત્સાહથી ઉપાડે છે અને ઠેઠ સુધી ઉત્સાહ, ખંત રાખી તે કાર્યને પૂરું કરે છે. (૩) શક્તિ-સંબંધી વિચાર કરવા કહ્યું. પોતાની તે કામ અંગેની કેવી શક્તિ છે તે વિચારવા જણાવ્યું. શક્તિ ઉપરાંતનું કામ લીધું હોય તો ચિત્તમાં આકુળ-વ્યાકુળતા રહેવાનો સંભવ છે. ઘર્મ આરાધનનું કામ હોય તો પણ આર્તધ્યાન થાય. જેમ કે એક ઉપવાસ કરવાની શક્તિ હોય અને ત્રણ ચાર ઉપવાસનું પચખાણ લઈ લે, તો પછી આર્ત, રૌદ્ર ધ્યાન થાય. (૪) પરિણામ આ કામનું ફળ શું આવશે? પોતાના પરિણામ ઠેઠ સુધી ચઢતા રહેશે કે નહીં તે પ્રથમ વિચારી લેવું જોઈએ. જેમ કોઈ દીક્ષા લેવાનું ધારતો હોય અને પોતાની વર્તમાન દશાને જોઈ વિચારે કે જિંદગી સુધી વ્રતમાં મને કોઈ વાંધો આવશે કે નહીં? હું જે વસ્તુ ત્યાગુ છું એની ઇચ્છા મારામાં છે કે નહીં એમ વિચારે તો પોતાને ખબર પડે. જો અંદરમાં ઇચ્છા હોય અને તે નિવૃત્ત ન થઈ હોય તો મુનિપણામાં પણ મને દેવલોકાદિ મળે એવી ભોગની ઇચ્છાઓ કરે અને તેને પોષ્યા કરે. માટે પહેલાં પોતાની યોગ્યતા પ્રાપ્ત કરીને, પછી વ્રતાદિ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ જણાવ્યું. ૩૫. પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ. વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. કોઈ કાંટાવાળા રસ્તામાં ચાલવું હોય તો સાવચેતી રાખીને ચાલે તેમ Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ( 1 સાવચેતી રાખવા માટે જણાવે છે. 0 પગ મૂકતાં પાપ છે – ૧૬મા બોલમાં કહ્યું હતું કે મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે.’ તે જ ભાવાર્થ બળવાનપણે આ પુખમાં જણાવ્યો છે. તેમાં વિઘ્નો કેટલો છે તે બધાં અહીં દર્શાવે છે. જગતમાં પાપમાં પ્રવૃત્તિ જીવ કરે છે, આખો દિવસ જશે તેમાં કેટલાંયે પાપ થશે, પણ જેમ કાંટાવાળી જમીનમાં સાચવીને પગ મૂકે તો કાંટા ન વાગે તેમ બનતી યત્નાથી પ્રવર્તવું. પ્રવર્તવાની સાથે મનની પવિત્રતાને ભૂલવી નહીં. એ મનનું કામ છે. પ્રવૃત્તિ કાયા, વચન યોગથી કરવી. પણ મન ભગવાનના વચનોમાં રાખવું. પૂજ્યપાદ સ્વામી સમાધિશતકમાં જણાવે છે કે - આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત દો ચિરકાળના; આત્મા વાણી-કાયાથી, વર્તા તન્મયતા વિના.” -સમાધિશતક જોતાં ઝેર છે – મિથ્યાત્વયુક્ત દ્રષ્ટિ છે તે બંઘનનો હેતુ છે. આંધળો માણસ લાકડી ઠોકી ઠોકીને માર્ગ જોઈ સ્પર્શીને કાળજીથી ચાલે છે, તેમ અત્યારે જોતાં જે રાગ દ્વેષાદિભાવો થાય છે તે બધા દુઃખના કારણ છે. તેને સત્પરુષના બોઘે ઓછાં કરવાની કાળજી રાખી મુમુક્ષુ તો વર્તે. પોતાની ઇચ્છાએ સ્વચ્છેદે કે મિથ્યાવૃષ્ટિએ જે વર્તન થાય છે તે બધું ઝેરરૂપ છે. માથે મરણ રહ્યું છે – આગળ ૧૭, ૧૯ વગેરે પુષ્પમાં કહેલી વાત ફરી દર્શાવી. મરણ સંભારી વૈરાગ્યમાં રહેવા જણાવ્યું. મરતી વખતે જેમ કોઈ અકાર્ય ન કરે તેમ આખા દિવસમાં અકાર્ય ન થાય તેમ કરવા કહ્યું, કારણ માથે મરણ છે, મરણને ભૂલી અજાગ્રત રહેવા યોગ્ય નથી. ૩૬, અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ઘોર અને અઘોર શબ્દનો એક જ અર્થ છે : “તપસી યુક્ત ઘોર મુંનાનોfપ ન વિદ્યતે ” જેનું ફળ ભયંકર આવે તે અઘોર કૃત્ય કહેવાય છે. પાછળથી પસ્તાવો થાય કે આ ન કર્યું હોત તો સારું, તેવું કામ કરવા તું તત્પર થયો હોય તો બાહુબળીની પેઠે સાધુ થઈ જવું; પણ એવું કાર્ય ન કરવું. એટલે કે ભિખારી થઈને ફરવું પણ અઘોર કૃત્ય ન કરવું. બાહુબળીજીનું વૃષ્ટાંત:- બાહુબળીજી ભરતને પ્રાણત્યાગ થાય તેવી પુષ્પમાળા વિવેચન મુષ્ટિ મારવા તૈયાર થયા ત્યાં વિચાર આવ્યો કે રાજને માટે ભરતે ૬ અયોગ્ય કામ કર્યું, તેમ મારે કરવું ઘટતું નથી. પિતાજીએ રાજ્ય તજી ~ મોક્ષનો માર્ગ ગ્રહણ કર્યો તે જ મારા માટે યોગ્ય છે, કારણ કે ભાઈને મારી થોડો વખત તુચ્છ રાજ્ય ભોગવીને ચિરકાળ કલંકિત થવું તે યોગ્ય નથી. એમ વિચારી ભરતની ક્ષમા યાચીને મુનિ થયા. તેમ મોટું રાજ્ય તજવાનો પ્રસંગ હોય તો પણ અઘોર કૃત્ય ન કરવું. ૩૭. ભાગ્યશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બૂરું કરતાં શેકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. આગળ “સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ” (પુષ્ય ૧૧માં) કહ્યું તે વાત અહીં સ્યાદવાદથી સ્પષ્ટ કરે છે. લૌકિક પુણ્યના યોગે બાહ્ય સુખની સામગ્રી મળી હોય તેને લોકો ભાગ્યશાળી કહે છે. તે અર્થમાં પણ જો પુણ્યબળે સામગ્રી મળી હોય તેને બીજાના દુઃખ દૂર કરવામાં કે તેને ભાગ્યશાળી બનાવવામાં વાપરવી. સર્વ સદ્ભાગ્યનું કારણ એક સપુરુષ છે. પોતાને સપુરુષ મળવાથી ભાગ્યશાળી માનતો હોય તેણે બીજાને પણ તેની પ્રાપ્તિ થાય એવી અનુકૂળતા કરી આપવી. અથવા પ્રભાવના એટલે જે કોઈ કાર્યથી સત્પરુષ પ્રત્યે લોકોનું મન વળે તેવું કાર્ય તન, મન, ઘનથી કરવા યોગ્ય છે. પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બૂરું કરતાં રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે - પોતે આફતમાં હોય તો બીજાને આફતમાં ન નાખવાની કાળજી રાખવી. પણ પોતે બૂડે અને બીજાને બૂડાડે; તેમ ઘણા વ્યસની જીવો પોતાને લતે બીજાને પણ ચઢાવે છે. ખાવાનું ન હોય તો ચોરી કરે પણ પોતાનું દુઃખ દૂર કરવા બીજાનું શું થશે તેનો વિચાર કરતા નથી. અન્યાયથી ઘન કમાવે, દુરાચારથી વિષય-ભોગો ભોગવે, પોતે મોટો થવા બીજાને હલકો પાડે વગેરે કરવા યોગ્ય નથી. પોતે વધારે પૈસાદાર થાય અને બીજો ઓછા પૈસાવાળો થાય તેમ ઇચ્છે છે. એવી સ્પર્ધા કરવામાં ઘણા પાપ થાય છે. ગામડાંમાં ગ્રામ્યજીવનમાં આવું બહુ બને છે, બીજાનું ભલું કરવાને બદલે સામાનું ખોટું કેમ દેખાય તે માટે જીવ મથ્યા કરે છે. એકનું નાક કપાયું હોય એટલે કે અનઇચ્છનીય થયું હોય તો બીજાઓનું પણ કપાય તો સારું એમ કરે છે. આ લૌકિક વાત થઈ. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૫૪ તેમ પરમાર્થમાં પણ તેવી ભૂલો ન થાય તે માટે ચેતવાનું કહે છે. સમાઘિસોપાનમાં પત્ર ૫૨માં જણાવે છે કે “જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.’’ (વ.પૃ.૪૩૫) કેમકે મિથ્યાત્વદશામાં જીવને મોહમાં પ્રીતિ હોય છે. તે ચેપી રોગ જેવી છે. માટે મુમુક્ષુએ પોતાના હિતને માટે અને અન્યને પણ તેવા મોહના રોગથી બચાવવા માટે સત્પુરુષ પ્રત્યે દૃષ્ટિ રાખવા યોગ્ય છે, તેનાં જ ગુણગ્રામમાં પ્રવર્તવા યોગ્ય છે. એ ભુલાતાં જીવ બીજી પરવસ્તુઓમાં લૌકિક મોહ અને નિંદાદિ કારણમાં તણાઈ જાય છે. અને પોતાનું તથા અન્યનું બૂરું કરે છે. સમ્યક્ત્વ પામવાના કારણથી પોતે દૂર રહે છે અને બીજાને પણ દૂર રાખે છે, તે નહીં કરવા માટે આ ચેતવણી આપે છે. ૩૮. ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષવૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ધર્માચાર્ય એ અનેક જનોના આદર્શરૂપ છે. તેના અલ્પ પણ દોષોનું અનુકરણ કરનારાં ઘણા મળી આવે. કારણ કે વિચારવાન જીવ બહુ થોડાં હોય છે. મોટો સમૂહ તો દેખાદેખી પ્રવર્તે છે. માટે ઉત્તમ નિમિત્ત બનવા ધર્માચાર્યે પુરુષાર્થ કરવો, અને પોતાના અનાચાર ભણી કટાક્ષ એટલે તિરસ્કાર યુક્ત દૃષ્ટિ રાખવી. બીજો કોઈ પોતાના દોષને પોષણ આપતો દેખાય તેને શત્રુ સમજવા યોગ્ય છે. કોઈ દોષ પોતાનો કાઢવા આચાર્ય પુરુષાર્થ કરતા હોય ને તે પુરુષાર્થ પડી ભાગે તેવું કોઈ કરે તો તે શત્રુનું કામ કરે છે એમ જાણવું. જગત મોહાધીન છે અને મોહને પોષે છે. પણ આચાર્યનો રસ્તો બીજો છે. તેને તો મોહનો ક્ષય કરવો છે. માટે બધા પ્રલોભનથી ઉદાસ રહેવા યોગ્ય છે. ક્ષમા એ વીર પુરુષોનું ભૂષણ છે બાદશાહના પુત્રનું દૃષ્ટાંત :- બાદશાહના પુત્રને સેનાપતિના પુત્ર સાથે ઝઘડો થયો. સેનાપતિના પુત્રે બાદશાહના પુત્રને ગાળ આપી. તેની ફરિયાદ કરવા તે પિતા પાસે આવ્યો. ત્યારે બાદશાહ સભા ભરીને બેઠા હતા. તેથી વિચાર કરી દરબારને ઉદ્દેશીને બોલ્યા—દરબારીઓ હું તમને પૂછું છું કે આ બાબતમાં મારે શું કરવું જોઈએ ? પુષ્પમાળા વિવેચન દરબારીમાંથી એક જણ બોલ્યો : એ નાલાયકને ફાંસી જ આપવી જોઈએ. ૫૫ બીજો દરબારી બોલ્યો : તેની જીભ ખેંચી કાઢવી જોઈએ. ત્રીજો દરબારી બોલ્યો ઃ તેને આજીવન કારાવાસની સજા કરવી જોઈએ. આમ સહુએ બાદશાહને ખુશ કરવા કહ્યું. બઘાની વાત સાંભળી લીધા પછી બાદશાહે પોતાના પુત્રને ઉદ્દેશીને કહ્યું : “બેટા ! આ દરબારીઓએ કહેલી એક પણ સજા મને યોગ્ય લાગતી નથી. સૌથી સુંદર વાત તો એ છે કે તું એને ક્ષમા આપી દે. ક્ષમાના શસ્ત્રથી શત્રુ પણ મિત્ર બની જાય છે. તે જ સાચો વીર છે કે જે બીજાને ક્ષમા આપી શકે. તું આવો વીર બને તેમ હું ઇચ્છું છું. છતાં તને મારી આ વાત ન ગમતી હોય તો તું એને એક ગાળ દઈ શકે છે, પરંતુ એ રસ્તો સજ્જનને શોભે તેવો નથી. પિતાની વાત પુત્રના હૈયામાં ઊતરી ગઈ. એણે સેનાપતિના પુત્રને ક્ષમા આપી. ત્યારપછી બન્ને પુત્રો મિત્રો બની ગયા. જીવનઘડતર પ્રવેશિકા ૩૯. અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી ઇચ્છી આજના દિવસમાં પ્રવેશ કરશે. જેનાથી પોતાની આજીવિકા ચાલતી હોય તેનું કામ કરવાનો પ્રસંગ આવે ત્યાં નિમકહરામ ન થવું. પરંતુ પોતાના ઉપર કરેલા ઉપકારનો બદલો Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ( વાળવા તત્પર રહેવું તે સેવકનું કાર્ય છે. અહીં પ્રિયમાં પ્રિય એવા - શરીરનું વિશેષણ વાપર્યું છે. જીવને વધારેમાં વધારે પ્રિય શરીર હોય છે, અને તે શરીર અન્નથી ટકે છે. તો અન્નદાતાનો બદલો વાળવા તત્પર રહેવું. નમકહલાલ થવું પણ નમકહરામ નહીં આપણા ભારતની એક સંસ્કૃતિ હતી કે જેનું લૂણ ખાધું હોય, કે જેનાથી આપણે ઊંચા આવ્યા હોઈએ તેની સાથે કદી દગો કે ભૂંડું આપણાથી ન થાય. આનું નામ “નમકહલાલ' કહેવાય. જે ઉપકારી વ્યક્તિ સાથે પણ દગો કે વિશ્વાસઘાત કરે તેને ‘નમકહરામ' કહેવાય. એક ચોરનું દ્રષ્ટાંત - આદિતપુર નગરમાં માનચંદ શેઠ કરોડપતિ હતા, એમને ત્યાં એક ચોર ચોરી કરવા આવ્યો. રાતના બે વાગ્યાનો સમય હતો. તેને ભુખ બહુ લાગી હતી. જે બારીથી ઉપર ચડ્યો ત્યાં જ રસોડું હતું. તેણે ડબો ખોલી વસ્તુ મોઢાંમાં નાખી તો તે નમક એટલે લૂણ હતું. હવે શું થાય? જેનું લૂણ ખાધું તેના ઘેર ચોરી કેમ કરાય? તે ચોર ચોરી કર્યા વગર જ તરત બહાર નીકળી જવા લાગ્યો. ત્યાં કંઈ અથડાવાથી અવાજ થયો એટલે શેઠ જાગી ગયા. દીવો કરીને જોયું તો ચોર પાસે આવીને ઊભો. શેઠે પૂછ્યું “અલ્યા, તું કોણ છે? ચોરે કહ્યું–હું ચોર છું. તમારા ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. શેઠ કહે: “સાચું બોલ કે તું કોણ છે ?” પ૭ પુષ્પમાળા વિવેચન ખાધું હોય તેના ઘરમાંથી કશી ચોરી કરાય નહીં. માટે હું ખાલી હાથે ) જાઉં છું. શેઠે ભારતની સંસ્કૃતિને મનોમન વંદન કર્યા. માટે : નમકહલાલ થવું; પણ નમકહરામ કદી ન થવું. જીવનઘડતર પ્રવેશિકા ૪૦. દુરાચારી છે તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. આરોગ્યતા–દુરાચારના બધા દોષો અહીં જણાવે છે – એમાં પ્રથમ આરોગ્યતાની હાનિ છે. લોકનિંદિત કાર્યોમાં મુખ્યત્વે આરોગ્યતાનો ભય છે. સાત વ્યસન વગેરે પાપના કાર્યો કે મુખ્યત્વે વિષય ભોગવનારા પોતાની શરીર શક્તિ ખોઈ બેસે છે. જેમ બહુ ખાનારો માંદો થાય, સિનેમા જુએ તેથી મોહ વધે અને વિષયોની ઇચ્છાને લઈને દુઃખી થાય, આંખોને પણ નુકસાન થાય. તેમ બથી ઇન્દ્રિયોના ભોગ સરવાળે શરીર કે મનને નુકસાન જ કરનારા છે, ભય દુરાચારીને મનમાં ભય રહે છે. પોતાનું મન પણ દુરાચાર કરતાં ના પાડે છે એટલે અંદર ડંખતું હોય છે. દુરાચારીને પણ ખબર પડે, જાણે પણ લક્ષ ન દે, દુરાચારી હોય તેના તરફ સારા માણસોની એટલે સજ્જનોની કટાક્ષવૃષ્ટિ એટલે તિરસ્કારવાળી દ્રષ્ટિ હોય છે. દુરાચારીને કોઈ શિક્ષા પણ કરી બેસે. જેમ બિલાડીએ ઉંદર પકડ્યો હોય, તેને કોઈ લાકડી મારીને પણ છોડાવે છે તેમ. દુષ્કૃત્યો કરનાર ચોર કે એવો જે હોય તેને કોઈ શિક્ષા કરશે એવો ભય હોય છે, જેની વસ્તુ એ બગાડતો હોય તે ઘણી તેને શિક્ષા કરે અથવા સરકારને સોંપે તો કેદ વગેરેનું દુઃખ ત્યાં ભોગવવું પડે. એવા અનેક પ્રકારના આ લોકમાં જ ભય હોય છે. તેના વિશેષ ફળમાં પરલોકના દુઃખની વાત તો વળી જાદી છે. પરતંત્રતા-પરવસ્તુ ભોગવવામાં દુરાચાર છે, અને પરાધીનતા તો છે જ. એક મુનિનું વૃષ્ટાંત :- સ્થૂલિભદ્ર મુનિ ચોમાસુ ગણિકાને (વેશ્યાને) ત્યાં રહ્યા હતા. તેના વખાણ ગુરુ પાસે સાંભળીને બીજા મુનિ તે વેશ્યાને ત્યાં ગયા, અને તેને વશ થઈ ગયા. તેણે પૈસા માગ્યા તેથી નેપાળનો રાજા લક્ષ કામળી (એક લાખ રૂપિયાની રત્નની કામળી) દરેક સાધુને દાનમાં આપતો હતો તે લેવા ગયા. ચાર મહિને તે લઈને આવતા હતા ત્યાં રસ્તામાં ચોરે લૂંટી લીધા. ફરી પાછા નેપાળ ગયા. ફરી કામળી વાંસની નળીમાં નાખીને લઈ આવ્યા, કોઈ જાણે નહીં તેમ. તે કામળી ગણિકાએ પગ લૂછીને ખાળમાં નાખી દીધી. ત્યારે ચોર કહે “શેઠજી! તદ્દન સાચું કહું છું કે હું ચોર છું. હું ચોરી કરવા આવેલો પણ અહીં તમારાં ઘરે ભુખ લાગવાથી ડબ્બો ખોલી મોઢામાં વસ્તુ મૂકી તો તે નમક હતું, ને આપણા દેશની એવી સંસ્કૃતિ છે કે જેનું લૂણ એટલે મીઠું Page #33 -------------------------------------------------------------------------- ________________ પ૮ ૫૯ શ્રીમદ્ રાજચંદ્ર / મુનિએ કહ્યું કે મારી કરેલી આટલી મહેનત ખાળમાં કેમ નાખી દે ન્ડ છે? ત્યારે ગણિકાએ મુનિને બોથ કર્યો કે આટલા બધા વર્ષો સુધી પાળેલું ચારિત્ર તમે ખાળમાં નાખવા તૈયાર થયા છો તેનો વિચાર તમને કેમ આવતો નથી? એટલે મુનિ બોઘ પામીને ગુરુ પાસે જઈ ફરી ચારિત્ર લીધું. પુષ્પમાળા વિવેચન પડ્યો ત્યારે એને કહ્યું કે તારું શરીર હજાર કાણાથી કાણું તો થશે ) પણ તને હજાર આંખો પણ થશે. તેથી ભગવાનને જોવા ઇન્દ્ર હજાર આંખો કરે છે. ભાવાર્થ એ છે કે ઇન્દ્રિય સુખની સ્થિતિ કેટલી ને દુઃખની સ્થિતિ કેટલી? ઇન્દ્રિયસુખ તે ખરી રીતે તો દુઃખ જ છે. ઇન્દ્રિય સુખ પણ કેટલીવારનું? અને તેના ફળ સ્વરૂપે જે દુઃખ આવે છે, તે તો લાંબી સ્થિતિમાં આવે છે. તથા દુરાચાર કરીને કેટલો કાળ જીવવાનું છે? આખરે તો મરી જવાનું છે ને? સુખ– “સપર વાધાક્ષહિયં વિચ્છિદં વંધ વેર વિસમાં નં વિવે હિં છતું સીવવું સુવમેવ તા ” -પ્રવચનસાર પ્રવચનસારની આ ગાથામાં કહ્યું છે તેમ સર્વ ઇંદ્રિય સુખો દુઃખરૂપ જ છે. તો પછી દુરાચારમાં જે જીવ સુખ માને તે તો સ્પષ્ટ દુઃખરૂપ છે. કેમકે વર્તમાનમાં દુરાચારી જીવને આકુળતા હોય છે. અને પાપના ફળ જ્યારે ભોગવશે ત્યારે પણ તેને આકુળતા થવાની છે. તેથી દુરાચારને દુઃખ અને દુઃખનું કારણ જાણી તજવા યોગ્ય છે. ૪૧. દુઃખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. દુઃખી હોવાનું કારણ પાપનો ઉદય છે. પાપના ઉદયમાં પણ આજીવિકા તો નિભાવવી પડે. તે વગર છૂટકો નથી. ખાવા-પીવાની જોઈએ તેટલી જરૂરિયાતો તો આજે મેળવવી પડશે. પણ તેથી વિશેષ મેળવવાની ઇચ્છાથી જેટલા ફાંફા મારશે અથવા લાભની ઇચ્છાએ જે કંઈ પાસે ઘન હોય તે વેપાર કે સટ્ટા વગેરેમાં રોકશે તે બધું પાપનો ઉદય હોવાને કારણે અવળું પડશે, અને કંઈક હશે તે પણ ખોઈ બેસશે. માટે પાપના ઉદયમાં બહુ સાચવીને પ્રવર્તવા જેવું છે. તે વખતે કોઈને ઉપકાર કરવા જઈએ તો પણ અવળું પડે અને દુશ્મન જેવા લાગીએ. પૂર્વ પાપના ઉદયને કારણે આવા વખતે બીજી લોભ આદિકની પ્રવૃત્તિ ઓછી કરવી કે છોડી દેવી. જેટલું શક્ય હોય તેટલું ઘર્મધ્યાનમાં ચિત્ત લગાવવાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે, દુઃખી હોય તો પણ બહું દોડ ન કરતાં જેટલો લાભ મળે તેમાં સુખ માનવું યોગ્ય છે; તેથી સુખી રહેવાશે. “સંતોષી નર સદા કહેવાનો ભાવાર્થ એ છે કે જેના પર જીવ મોહ પામે તેને રાજી કરવા માટે ગુલામની પેઠે વર્તે છે. ઇન્દ્ર પણ ઇંદ્રાણીને મનાવવા દાસની પેઠે વર્તે છે. ગમે તે રીતે એને રાજી કરવા પ્રયત્ન કરે છે એ જ પરાધીનતા છે. સ્થિતિ- ઇન્દ્રિયસુખની સ્થિતિ ક્ષણિક હોય છે. અને તેના ફળમાં દુઃખની સ્થિતિ ઘણી આવે છે. તે વિષે જણાવે છે – એક ઋષિનું દૃષ્ટાંત :- પુરાણમાં ગૌતમ ઋષિની પત્ની અહલ્યામાં મોહ પામવાથી ઇન્દ્ર ચંદ્રને કૂકડો બનવા કહ્યું અને પરોઢિયે અવાજ કરે તેવો કર્યો. કૂકડાનો અવાજ સાંભળી મુનિ ઊઠીને સ્નાન કરવા ગયા. ઇન્દ્ર પછી મુનિનું રૂપ લઈને ઋષિની ઝૂંપડીમાં ગયો. ને વિષય ભોગ ભોગવ્યા. તેવામાં ગૌતમ મુનિ પાછા આવ્યા. તેને ઇન્દ્રને નાસી જતાં જોયો તેથી ઇન્દ્રને શાપ દીધો કે “તને હજાર ભગંદર થાવ.” મુનિને ખબર પડી કે ચંદ્ર કુકડો થઈ અવાજ કર્યો તેથી પોતે ઠગાયા હતા. એમ જાણી તેને પણ ક્ષયરોગ થાય એમ કહ્યું. પછી બેય કરગરી પડ્યા. ત્યારે મુનિ દયાળુ હતા તેમણે ચંદ્રને કહ્યું કે ક્ષય તો થશે પણ શુક્લપક્ષમાં કલાની વૃદ્ધિ પણ થશે એમ ચંદ્રને કહ્યું. અને ઇન્દ્ર કરગરી સુખી.” Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર Tી ૪૨. ઘર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહારુ સિદ્ધિમાં તું પ્રવેશ કરજે. સાતમા પુષ્પમાં કહ્યું હતું કે જો તું સ્વતંત્ર હોય તો ઘર્મકર્તવ્ય, ભક્તિકર્તવ્ય વગેરે કરવા માટે બતાવ્યું હતું. ૧૬મા પુષ્પમાં ગમે તેટલો પરતંત્ર હો તો પણ પવિત્રતાને એટલે આત્મશુદ્ધિને વિસ્મરણ ન કરવા કહ્યું. તેમ આ પુષ્યમાં ઘર્મકરણીનો અવશ્ય વખત મેળવવા જણાવે છે. કારણ કે વ્યવહારનું ફળ પ્રત્યક્ષ દેખાય છે. પણ ઘર્મનું ફળ કોઈકને જ સમજાય છે. પણ તે ધર્મનું કાર્ય ઘણું અગત્યનું હોવાથી અવશ્ય એને માટે વખત મેળવીને પછી વ્યવહાર સિદ્ધિમાં પ્રવેશ કરવા જણાવ્યું. જે વસ્તુ ભૂલાઈ જાય છે તે હવેથી ન ભૂલાય તે માટે ચેતાવ્યા છે. ઘણા લોકો કહે છે કે અમારે તો એટલાં બઘા કામ હોય છે કે ઘર્મ કરવો છે પણ વખત નથી મળતો; એમ કહેવું તે માત્ર બહાના છે. આત્મા સમયે સમયે ઉપયોગી છતાં કામના બોજાને લઈને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત નથી મળતો એમ કહેવું એ સામાન્ય માણસોનું લૌકિક વચન છે. જો ખાવાનો, પીવાનો, ઊંઘવા ઇત્યાદિનો વખત મળ્યો અને કામ કર્યું, તો આત્માના ઉપયોગ વિના તે નથી થયું. તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે અને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઇંદ્રિય આદિક સુખના કામો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંતો કાળ દુઃખ ભોગવવું પડશે અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત એને જરૂરની નથી લાગતી? મતલબ કે આ ચૈતન્ય એવો આત્મા એણે કૃત્રિમ માન્યો છે. સાચો માન્યો નથી.” દેહને જ સાચો માન્યો છે. હું દેહ છું. એમ જ થઈ ગયું છે. એને બાળી નાખશે એમ જાણે છે છતાં એની જ કાળજી રાખે છે પણ અંદર આત્મા બેઠો છે તે સુખી છે કે દુઃખી એનો વિચાર નથી કરતો. આત્માને જેથી શાંતિ થાય તેવું કરવું. આત્માની કાળજી રાખવી. અનિત્ય ભાવનાનો વિચાર કરવો. દુ:ખથી કેમ છૂટાય? એનો વિચાર કરવો. પરવસ્તુ દુઃખકારી છે એમ જાણી પોતાના હિતને અર્થે આ ભવમાં મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરવો. જન્મમરણના પુષ્પમાળા વિવેચન દુ:ખો ટાળવા માટે સત્સંગ, સદ્ગોથ, સશાસ્ત્ર અને સત્ વિચારની [. જરૂર છે. કરવું તો પડશે. બંઘનો ચીલો બદલી હવે મોક્ષનો લેવો જોઈએ. હું દેહ છું, દેહને સુખે સુખી અને તેને દુઃખે દુઃખી એ ભાવ મોળો પાડી, હું દેહથી જુદો એવો આત્મા છું એમ ભાવ કરવાથી ફરી દેહધારણ કરવાનું ન થાય. જ્ઞાનીએ કહેલું કરે, તેનો એક બોલ પણ પકડી વર્તે તો કાળે કરીને પણ છૂટે. મહેનત તો કરવી પડે, કૂવો ખોદવો હોય તો કેટલી મહેનત કરે, કેટલી ધૂળ આદિ કાઢે છે. તે મહેનત કરે તો પછી તે જળ વડે ન્હાય, પાણી પીએ, ચોખ્ખો થાય, લહેર કરે. માટે પહેલાં મહેનત તો કરવી પડશે. ૪૩. કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તો પણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનના કરજે. મરણનો ભરોસો નથી. અચાનક આવે એવું છે. કંઈ પહેલાં ખબર આપીને આવે એમ નથી. માટે પહેલાં જ ઘર્મકાર્ય કરી લેવું. પછી વ્યવહારમાં પ્રવેશ કરવો. ઊઠીને પહેલું કામ ભક્તિનું કરી લેવું. અપવાદરૂપે તેમ ન બને તો ગમે ત્યારે પણ કરી લેવું. અનુકૂળતા ન હોય - કોઈ દેહનું કારણ હોય, કોઈ આવ્યું હોય, કે ભક્તિ કરવા બેસતાં છતાં કોઈ કારણે ચિત્ત ચોંટે નહીં કે શાંતિ ન મળે એમ હોય ત્યારે એવો લક્ષ, એવો ભાવ રાખવો કે એ અડચણ જતી રહેશે - એટલે ભક્તિ સ્વાધ્યાય કરીશ. જેમ વિપ્નનું કારણ કહ્યું તેમ કોઈ પરોપકારનું કામ આકસ્મિક આવી પડ્યું હોય તો ભાવ એવો રાખવો કે મારું કામ અધૂરું છે તે આ કામ પૂરું થાય એટલે આત્માનું કામ જરૂર કરવું છે. તો બેવડો ભાવ રહે કે કરવું છે કરવું છે પણ તે ન થાય ત્યાં સુધી એવો ભાવ રહે. અપવાદરૂપે કરે તો એવો ભાવ રહે. તેવો ભાવ રહે પણ જો ચેતે નહીં અને બીજી માનાદિ વસ્તુનું જો માહાન્ય રહ્યા કરે તો એ પરોપકારનો ભાવ પણ રહેતો નથી અને ઊલટું છેતરાવાનું થાય. કહે કે મને પરોપકારથી લાભ થશે અને ભાવ બીજી પરવસ્તુમાં રહે, પોતામાં ન રહે. માટે તે વિષે સાવચેતી રાખવી. રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી - કે આમને આમ ઘણાયે દિવસો જતા રહ્યા અને જેને માટે જન્મ્યા છીએ તે ઘર્મ કરવાનું કામ રહી ગયું, Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર [ અને આજનો દિવસ પણ જો કાળજી નહીં રાખું તો જોતજોતામાં જતો રહેશે. માટે સ્મરણ કરવા યોગ્ય છે તેનું વિસ્મરણ ન કરવું. સ્મરણ કરવા યોગ્ય એવી પવિત્ર વસ્તુ તે શુદ્ધ આત્મા -સહજાત્મસ્વરૂપ છે; તેને ભૂલવું નહીં. ૪૪. આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. આહાર, વિહાર અને નિહાર એટલે શરીરના મળ ત્યાગની ક્રિયા. એ નિયમિત રીતે આત્માને બાઘ ન આવે તેમ કરવી. આહારને લઈને બઘા દોષો, શરીરના રોગો વગેરે થાય છે. ઊંઘને આહાર ઘટાડ્યાં ઘટે અને વધાર્યા વધે છે. આહાર મુનિઓને એષણાસમિતિપૂર્વક શાસ્ત્રમાં લેવા કહ્યું છે. તે પાપ દૂર કરવા માટે છે. જે આહારની કાળજી રાખે તેને પાપ ઓછું લાગે. તેમ વિહારમાં ઇર્યાસમિતિપૂર્વક ચાલવા જણાવ્યું. નિહારમાં પ્રતિષ્ઠાપનિકા સમિતિપૂર્વક વર્તવા જણાવ્યું. આ બધી ક્રિયાઓમાં તું નિયમ સાચવે છે કે નહીં તે તપાસી જવા કહ્યું. ઉપયોગ ચૂકી જવાના એ બઘા સ્થાન છે. માટે એ ક્રિયામાં આજ્ઞાએ વર્તાય છે કે નહીં તે તપાસી જવું. આહાર—તુચ્છ વસ્તુ છે. એની કથાને વિકથા કહેવાય છે. મુમુક્ષુએ એમાં ખોટી થવા જેવું નથી. દિશાએ જવાની કોઈ વાતો કરતું નથી તેમ આહારની પણ વાતો કરવા જેવી નથી. આહાર કરતાં મૌન રહેવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. સાહેબ લોકો ખાવામાં બબે કલાક વાતો કરતાં કાઢી નાખે. વિહાર–જરૂર પડે તો કરવા યોગ્ય છે. ઘણા આમ તેમ વાતો કરવા બેસે અને ફર ફર કરે. આ રીતે જિંદગી વાતોમાં જતી રહે છે. તેમ ન થવા દેવા જ્ઞાની ચેતાવે છે. નિહાર–સામાન્ય નિયમ એવો છે કે યોગીને એકવાર નિહાર હોય, ભોગીને બે વાર, અને રોગીને અનેકવાર. શાસ્ત્રમાં આને માટે ખાસ કહ્યું કે કુદરતી હાજતને રોકવી નહીં. બીજાં કારણ પડી મૂકીને પણ પરવારી લેવું જોઈએ. કારણ તેમ ન કરવાથી રોગોની ઉત્પત્તિ થાય છે. તેમ જ વૃત્તિ પણ ઠેકાણે રહે નહીં. આહાર-નિહારને બહુ સંબંધ છે. આહાર સાચવે તેને નિહાર ૬૩ પુષ્પમાળા વિવેચન નિયમિત હોય છે. શરીરથી મોક્ષનું કામ લેવું છે માટે શરીરના સંચા / 0 પણ સાચવવા જોઈએ. ૪૫. તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ઘણાખરાં કારીગરો જે કળામાં કુશળ હોય છે પણ કામ કરવા માંડે ત્યારે કરે, પણ સામાન્ય રીતે તે આળસુ હોય છે. માટે કારીગરને એમ કહ્યું કે આળસનો વિચાર કરી પછી આજના દિવસમાં પ્રવેશ કરજે. બીજાં શક્તિના ગેરઉપયોગની વાત કહે છે. જે કુદરતી શક્તિ ક્ષયોપશમ વગેરે કોઈપણ કલા, કાવ્યકલા, લેખનકલા, ચિત્રકલા મળી છે તેને પોતાને ગમતા વિષયમાં વાપરી તેમાં જ આખો દિવસ ખોટી ન થવું; પણ આત્મહિત કરવાનું રહી ન જાય તે માટે કાળજી રાખવી. કળાથી જેમ હિત થાય છે તેમ અહિત પણ થાય છે. મોહને પોષવામાં જો કળા વાપરે તો સ્વપર બન્નેને અહિતકારી છે. જેમ કોઈ કારીગરે ચિત્ર દોર્યું હોય અને તે જો વિકાર ઉત્પન્ન કરે તેવું હોય તો પોતે પણ એ કામ કરતાં સુધી મોહના ચિંતવનમાં રહે અને જે જે તે ચિત્રને જુએ તેને પણ મોહનું કારણ થાય છે. માટે પૈસા મળતા હોય તો પણ આવી રીતે શક્તિનો દુરુપયોગ ન થાય તે લક્ષમાં રાખવા યોગ્ય છે, એમ જણાવ્યું. પ્રમાદને હણી હમેશાં પુરુષાર્થશીલ રહેવું એક વિદ્યાર્થીનું વૃષ્ટાંત - એક વિદ્યાર્થી નક્કી કરે છે કે હવે હું આજથી રોજ કમસે કમ ૧૦ વાગ્યા સુધી અભ્યાસ કરીશ. પછી રાત પડે છે અને જમે છે. પછી ધીરે ધીરે આળસ તેના ઉપર આક્રમણ કરે છે અને વિચારે છે કે હજુ તો પરીક્ષાને ઘણા દિવસ બાકી છે કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. Page #36 -------------------------------------------------------------------------- ________________ . શ્રીમદ્ રાજચંદ્ર ૬૪ કાલથી નિયમિત ભણવાનું શરૂ કરીશ. કાલ કાલ કરતાં સમય ૭ વીતી જાય છે અને તક હાથમાંથી ચાલી જાય છે. સારા કામો કરનાર વ્યક્તિઓ સવારમાં વહેલા ઊઠી પથારીનો ત્યાગ કરે છે. વાસ્તવમાં સંસારના ગણાતા મહાન વ્યક્તિઓ સવારમાં વહેલાં જ ઊઠે છે. ઘર્મિષ્ઠ પુરુષો પણ ઊંઘને ઘટાડી, પ્રમાદ છોડી, સવારમાં વહેલા ઊઠી ભગવાનની ભક્તિ, ધ્યાન, સ્વાધ્યાયમાં લીન થાય છે. તે જીવો જ મનુષ્યજીવનને સફળ કરી શકે છે. માટે આળસને મહાન શત્રુ ગણી હમેશાં પુરુષાર્થશીલ રહેવામાં જ આત્માનું કલ્યાણ છે. ૪૬, તું ગમે તે ઘંઘાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. ઉપર બઘા મુખ્ય ઘંઘા જણાવીને તથા એક રાજાથી ચિતારા સુધી બધી વાત કહીને અહીં સામાન્ય દરેક ઘંઘાને માટે કહે છે, કે આજીવિકા અર્થે પણ અન્યાય કરીને પૈસો પ્રાપ્ત કરવા યોગ્ય નથી. તો પછી કોઈ બીજા હેતુ માટે તો અન્યાય ન જ કરવો જોઈએ. કંઈ ખાવા નથી મળતું તો શું કરીએ? અન્યાય ન કરીએ તો શું કરીએ? પણ ઘર્મની જેને ઇચ્છા છે તેણે અન્યાય છોડવા યોગ્ય છે. ઘર્મનો પાયો નીતિ છે. કેટલાંક નીતિકારો છૂટ આપે છે કે આજીવિકા અથવા પોતાના પ્રાણ બચાવવાનો પ્રસંગ હોય અને જૂઠું બોલે, માયા કરે, બીજાને છેતરે તો તે ગુનો બનતો નથી. એના પ્રાણ જાય અથવા ખાવા મળતું નથી માટે એણે બિચારાએ આ પ્રમાણે કર્યું. માટે દરગુજર કરવા જેવું ગણે છે. પણ ૪૧મા પુષ્પમાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે દુઃખી હો તો આજીવિકા (આજની). જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કર, પણ અન્યાયપૂર્વક વર્તવાનું એમાં પણ કહ્યું નથી, કારણ કે ઘર્મ અન્યાયને સહન કરી શકતો નથી. ૪૭. એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત થઈ ભગવદ્ભક્તિમાં લીન થઈ ક્ષમાપના ચાચ. અત્યાર સુધી જે કહ્યું તે બધું સવારમાં પહેલવેલું કરી લેવા જણાવ્યું. પછી દિશાએ જવા કહ્યું. પછી આજના દિવસમાં પ્રવેશ કરજે એમ જે વારંવાર કહ્યું તેનું કારણ પ્રથમ આજનો દિવસ કેમ ગાળવો છે તેનો વિચાર કરી લીધા પછી પ્રવર્તવાનું કહ્યું. દશવૈકાલિકમાં કહ્યું છે “ઢ ના તો કુવા.” પહેલું ૬૫ પુષ્પમાળા વિવેચન સમજવું (જ્ઞાન) અને પછી ક્રિયા કરવી. ક્રિયા કરતાં પહેલાં શું કરવું છે તેનું વિચારપૂર્વક પ્રથમ જ્ઞાન મેળવવું. એક દિવસમાં પ્રવર્તતા , પહેલાં આટલું ખોટી થવા કહ્યું. પછી શૌચક્રિયા એ દેહની આવશ્યક ક્રિયા છે, તે પતાવવી. તે પતાવી દીધી તો એના સંબંધી વિચાર ન આવે. શરીરનું કામ પરવારી પછી ભગવદ્ભક્તિમાં લીન થઈ ક્ષમા યાચ - રાત્રિ સંબંધી જે કંઈ દોષો થયા હોય તેનો વિચાર કરી, ભગવાન પાસે ક્ષમા યાચ. કોઈ પ્રત્યે પોતે દોષો કર્યા હોય કે કોઈનું મન દુભવ્યું હોય તો મૈત્રીભાવ થવા અર્થે ક્ષમા યાચવી અને કોઈએ પોતાના પ્રત્યે દોષો કર્યા હોય કે મન દુભાવ્યું હોય તો ક્ષમા આપવી. કારણ કે પોતાના શુદ્ધ ભાવથી જ છૂટવાનું છે. મૈત્રીભાવ થવા માટે ક્ષમાપના એ ચારિત્રનો અંશ છે- રાગદ્વેષ ઘટાડવાનો ઉપાય છે. ૪૮. સંસાર પ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકશે. ઘણાનું ભલું થતું હોય તો પોતાના હિતને જતું કરીને પણ પરોપકારી પુરુષો વર્તે છે. તો તું તારા હિતને અર્થે ઘણાનું અહિત થતું હોય તો તે કામ કરતા અટકજે. સ્વાર્થ આંધળો કહેવાય છે. પોતાને પાઈનો લાભ થતો હોય અને બીજાને રૂપિયાનું નુકસાન થતું હોય તો પણ પોતાના સ્વાર્થનું મહત્ત્વ એટલું હોય છે કે બીજાનું શું થશે તેનો વિચાર આવતો નથી. દરેક કામની અસર પોતાના અને પરના ઉપર થાય છે. પોતાને લાભ થશે કે ગેરલાભ થશે એનો વિચાર કરે છે પણ બીજાને એની શું અસર થશે તેનો વિચાર આવતો નથી તે સ્વાર્થીપણું છે. માટે બન્ને તરફ દ્રષ્ટિ રાખવા કહ્યું. તેમાં પ્રખ્યાત દ્રષ્ટાંત વસુરાજાનું છે. ' વસુરાજાનું દ્રષ્ટાંત:- પોતાના ગુરુની પત્નીના દબાણથી જૂઠું બોલવા તે પ્રેરાયો. પણ યજ્ઞની પ્રવૃત્તિ થશે અને ઘણા કાળ સુથી ઘણા જીવોની હિંસા થયા કરશે તેનો વિચાર વસુરાજા જેવાને ન આવ્યો. તેથી નરકે જવું પડ્યું. એને નરકે જવું નહોતું, પણ ગુરુપત્નીનું કહ્યું નહીં માનું તો એ મરી જશે. એ મુશ્કેલીમાંથી બચવાનો ઉપાય જૂઠું બોલવું એ ઠીક છે એમ માનીને ઘણાનું અહિત થાય એવું અસત્ય વચન તે બોલ્યો. તેને આધારે પછી યજ્ઞોની જીવહિંસાની પ્રવૃત્તિ વધી. તેના ફળમાં વસુરાજાને નરકમાં જવું પડ્યું. Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૬૬ ( ૪૯. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો ૦ અટકજે. જુલમી–એટલે અયોગ્ય ત્રાસ આપનારા જાલમી રાજા હોય કે શેઠ હોય કે જ્ઞાતિનો ઉપરી હોય કે અમલદાર હોય, પણ તે બીજાને ત્રાસ આપતો હોય તો તેને ઉત્તેજન આપતો અટકશે. સારા માણસો એવા જાલ્મીને ઉત્તેજન આપે, એના વખાણ કરે કે એના વખાણ કરવામાં મદદ કરે તો પોતાના હૃદયમાંથી દયાનો અંશ ઓછો થતો જાય છે. કામી–જેમ જાલ્મી વિવેક વગરનો આંધળો કહેવાય છે, બીજાનું સુખ જોઈ શકતો નથી. બીજાને સુખ થાય છે તે જોવાની તેને આંખ નથી. તેમ કામી પણ વિષયને લઈને આંઘળો બને છે. હિત અહિત વિચારી શકતો નથી. પોતાને કેટલું નુકસાન થશે, તેનો વિચાર એને આવતો નથી; અને સામાં વ્યક્તિને આખી જિંદગીનું કલંક ચઢશે તેનો પણ ખ્યાલ આવતો નથી. અને એના સગાંવહાલાઓને આનું પાપ પ્રગટ થતાં કેટલું દુઃખ થશે તેનો પણ વિચાર આવતો નથી. તાત્કાલિક વૃત્તિ પોષવાને માટે તે આંધળો બની જાય છે. પોતાના મરણને પણ ગણતો નથી. તો પછી બીજા ભવમાં દુર્ગતિમાં જવું પડે તેનો વિચાર કામીને ક્યાંથી આવે? એવા જીવની સોબતથી અથવા એને મદદ કરવાથી સદાચારની હાનિ થાય છે. અનાડી–હવે અનાડીની વાત કરે છે. બુદ્ધિ વગરનો માણસ, જે અન્યાય કે દુરાચાર કરતો હોય. બધું જ ખોટું કરતા છતાં એને લજ્જા હોતી નથી. એવા માણસને સુધારવાનો બહુ જ ઓછો અવકાશ છે. એને ઉત્તેજન આપવું તે વાંદરાને દારૂ પાવા જેવું છે, તે ઉત્તેજન આપનારને પણ નુકસાન કરી બેસે. જગતમાં અન્યાય ટકે છે તેનું કારણ–અન્યાયને ઉત્તેજન આપનારા બીજા હોય છે. કોઈ માણસ ચોરી કરતો હોય તેને કોઈ અમલદાર પોલીસનો ઉપરી જે પકડાવનાર હોય તેની જ જો તેને મદદ હોય તો તે દેશમાં ચોરી બંધ થાય નહીં. કેમ કે ચોરી બંધ કરાવનાર જ તેને મદદ કરે છે તેથી. તેમ જાલ્મીને, કામીને, અનાડીને મદદ આપનારા મોટા ગણાતા માણસો હોય, ત્યાં આ ત્રણે જાતના માણસો લોકોને નિરંકુશપણે પીડે છે. એ લોકો પાપ કરે તેનો ભાગ ઉત્તેજન આપનારને પણ મળે છે. માટે ઉત્તેજન તો શું પણ એણે સારું કર્યું એમ અનુમોદન પુષ્પમાળા વિવેચન પણ મનમાં લાવવા યોગ્ય નથી. બીજાના દુઃખે દુઃખી બનતા શીખો. કોશલનરેશનું વૃષ્ટાંત - કાશીનરેશ અને કોશલનરેશ વચ્ચે યુદ્ધ થયું. તેમાં કોશલનરેશનો ઘોર પરાજય થયો. કોશલનરેશ ખુબ પ્રિય અને પ્રજાવત્સલ હતા. પણ પરાજિત થવાથી કાશીનરેશથી બચવા માટે ગુપ્ત રીતે ભાગી છૂટ્યા. કાશીનરેશે, કોશલનરેશનું માથું કાપી લાવનારને પાંચ હજાર સુવર્ણ મહોરોનું ઈનામ જાહેર કર્યું. આ સમાચાર કોશલનરેશને મળ્યાં હતા. છતાં કોશલ દેશની પ્રજાના સુખ-દુઃખની ખબર રાખવા માટે ગુણવેશમાં ઘણીવાર આવતા. - કોશલનરેશ એકવાર સંન્યાસીના વેશમાં પ્રજાની સ્થિતિ જાણવા આવ્યા. તેમને એક ગરીબ ખેડૂત મળ્યો. કોશલનરેશે તેને પૂછ્યું, “તું કોણ છે? તને બહુ દુ:ખ હોય એમ લાગે છે!” ત્યારે પેલો ગરીબ ખેડૂત બોલ્યો : “સ્વામીજી!શું કહ્યું! અમારા ભયંકર પાપ જાગ્યાં તેથી આ કાશીનરેશના રાજ્યમાં અમે સઘળી રીતે દુઃખી દુઃખી થઈ ગયા છીએ. હે ભગવાન! હવે તો તું અમારો જીવ લઈ લે તો સારું.” કોશલનરેશનું હદય રડી ઊઠ્યું. તેમણે તરત જ પેલા ગરીબ ખેડૂતને કહ્યું : “તું મારી સાથે ચાલ હું તારું જિંદગીભરનું દુઃખ દૂર કરી આપીશ. તેઓ પેલા ખેડૂતને લઈને કાશીનરેશની પાસે પહોંચી ગયા. કાશીનરેશને કહ્યું : “રાજનું! મેં સાંભળ્યું છે કે આપે કોશલનરેશનું માથું કાપીને લાવનાર માણસને પાંચ હજાર સુવર્ણ મહોરો ઈનામ તરીકે આપવાનું જાહેર કર્યું છે, તો શું તે સાચું છે?” Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાશીનરેશ કહે ‘હા..તે વાત તદ્દન સાચી છે.’' કોશલનરેશ કહે : આ ગરીબ ખેડૂતને પાંચ હજાર સુવર્ણ મહોરો તરત આપી દો, કેમકે આ ખેડૂત તમને કોશલનરેશનું માથું આપે છે. હું પોતે જ કોશલનરેશ છું. આપ મારું માથું કાપી લો. એમ કહી કોશલનરેશે સંન્યાસીનો વેશ ઉતારી દીધો અને પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું. ૬૮ એ વાત સાંભળી કાશીનરેશની આંખમાં આંસુ ઊભરાઈ ગયા. પોતાની પ્રજાના દુઃખને દૂર કરવા માટે પોતાનું માથું આપી દેનાર કોશલનરેશ પ્રત્યે એને એટલું માન જાગ્યું કે તેના પ્રત્યેના વેરને તે ભૂલી ગયો. ઊભો થઈને કોશલનરેશને ભેટી પડ્યો. ત્યારપછી બન્ને પાકા મિત્રો બની ગયા. જીવનઘડતર પ્રવેશિકા ૫૦. ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિધાસંપત્તિમાં ગ્રાહ્ય કરશે. સાતમા પુષ્પમાં ધર્મકર્તવ્ય અને વિદ્યા પ્રયોજન માટે જો તું સ્વતંત્ર હોય તો એકેક પ્રહર ગાળવા કહ્યું; પણ તેમ ન બને તો અર્થ પ્રહર તો જરૂરનો છે જ. એમ જણાવવા માટે અહીં લખ્યું છે. ઓછામાં ઓછો અર્થ પ્રહર—એટલે દોઢ કલાક. એથી ઓછો રાખે તો આત્માને નુકસાન થવા સંભવ છે અર્થાત્ એની જે દશા છે તે ટકી ન શકે. ઓછામાં ઓછો દેહ ટકાવવા માટે જેટલો ખોરાક જોઈએ તેનું જેમ માપ કાઢ્યું હોય તેની પેઠે આ કહ્યું કે આત્માને ઓછામાં ઓછું આટલું પોષણ તો આપવું જરૂરી છે. થર્મકર્તવ્ય—એટલે શુદ્ધ આત્માનો અનુભવ કરવા માટેનો પુરુષાર્થ અને વિદ્યાસંપત્તિ—એટલે નવું શીખવું કે જ્ઞાનની વૃદ્ધિ કરવી, અથવા પહેલાં શીખેલું હોય તેને તાજું કરવું. એની કાળજી ન રાખે તો ૬ પુષ્પમાળા વિવેચન ભણેલું બધું ભૂલતો જાય. દોઢ કલાક કહ્યો તેમાંથી હું કેટલું કરું છું; ઓછું હોય તો વૃદ્ધિ કરવી, કારણ કે ધર્મકરણી કરવી અતિ આવશ્યક છે. ૫૧. જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. કળિકાળમાં જન્મ થયો તે એમ સૂચવે છે કે આત્મા ઉપર કર્મનો ભાર વિશેષ છે. આ કાળમાં આયુષ્ય પણ ટૂંકા છે. તો કેમ જીવવું તેનો નિકાલ કરવા માટે કહે છે કે નવી પ્રવૃત્તિ જાણી જોઈને ઊભી ન કરવી. પૂર્વનું હોય તેટલું પૂરું કરવા લક્ષ રાખે તો જિંદગી લાંબી લાગે. કોઈ કામ કરવા માટે ખોટી થવું પડે એના કરતાં તેના સંબંધી જે આકુળતા હોય છે તે વધારે દુઃખ આપનારી છે. ઘણાં કામ હાથમાં લીઘા હોય તો આકુળતાનો સંભવ છે. માટે પ્રવૃત્તિ ટૂંકાવવી છે એ લક્ષ રાખી જીવે તો જિંદગી સુખરૂપ લાગે અને લાંબી પણ લાગે. ઉપાધિનું કાર્ય જેમ બને તેમ ઓછું કરવા કહે છે. ઓછી ઉપાધિ હોય તેને શાંતિ હોય છે. ગાંઘીજી પરનો પત્ર ૫૭૦ છે. તેમાં— ‘‘જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે.’’ ૫૨. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તો પણ એ સુખમાં ગૌણતાએ દુ:ખ ૨હ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. મોક્ષમાળામાં સુખ વિષે પાઠ છે. તેમાં આ જ વાત સ્પષ્ટ કરી છે. ઇન્દ્રિયસુખો કર્મબંધના કારણો છે, અને બંધન છે તે દુઃખરૂપ છે; અર્થાત્ ઇન્દ્રિયસુખ ભોગવતાં મોહ વડે દુઃખના બીજ વવાય છે, તેથી ગૌણતાએ તેને દુઃખ કહ્યું છે. અત્યારે એ દુઃખ પ્રગટ નથી, તેથી દેખાતું નથી. માટે ગૌણતાએ એને દુઃખ કહ્યું છે. જેમ ગુલાબના ફૂલમાં મઘમાખ સંતાઈ રહી હોય, તેને કોઈ સૂંઘવા જાય તો મધમાખ ડંખ મારે. તે પ્રકારે ઇન્દ્રિયસુખો અત્યારે ગુલાબના ફૂલ જેવાં દેખાય છે. પણ તેમાં કર્મબંઘરૂપી મધમાખ સંતાઈ રહી છે, તેથી ગૌણતાએ તેમાં દુઃખ જ રહ્યું છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર 43. पवित्रतानुं भूज सहायार छे. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું તે સદાચાર છે. એટલે ઉત્તમ આચાર છે. તેથી કર્મની નિર્જરા થાય છે. જેમ જેમ કર્મની નિર્જરા થાય છે તેમ તેમ આત્મા નિર્મળ થાય છે. એ રીતે સર્વ કર્મની નિર્જરા થતાં પરમ પવિત્ર શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે. તેથી પવિત્રતાનું મૂળ સદાચાર છે એમ કહ્યું. મન દોરંગી થઈ જતું જાળવવાને – ५४. દોરંગી એટલે રાગદ્વેષવાળું, ચંચળ. "तत्त्वबोध मनोरोध श्रेयोरागात्म शुद्धयः । मैत्रीद्यतश्च येन स्युः तज्ज्ञानं जिनशासने ॥ " - અણગાર ઘર્મામૃત મો અધ્યાય શ્લો-૬ અર્થ :— જિનશાસનમાં 'તત્ત્વબોધમાં, મનોરોધ અને આત્મવિશુદ્ધિ માટે શ્રેયોરાગ (આત્મહિતકારી એવા ચારિત્ર પ્રત્યે અનુરાગ તે શ્રેયોરાગ), મૈત્રીદ્યોત (મૈત્રીને પ્રકાશ કરનાર) જેથી થાય, તેવું જ્ઞાન જિનશાસનમાં છે. જે રાગદ્વેષથી ચંચળ એવા મનને રોકે છે. ७० "सर्व वस्तु जातं अनेकात्मकं” अर्थात् संपूर्ण वस्तु मात्र अनंत धर्मात्मक है। यह जिन शासनका सिद्धांत है। इसके विरुद्ध सर्वथा एकांतरूप वस्तु को माननेवाले सर्वथा एकांतवादी कहे जाते है। सो तत्त्वज्ञान आदि पांच या छ विषय ऐसे है जो इस शासन में ही मिल शकते है- अन्यत्र सर्वत्र एकांतवादी मत में नहीं. १. तत्त्वबोध :- तत्त्व तीन प्रकार का है। १. हेय, २. उपादेय, ३. उपेक्षणीय. इनमें से यथायोग्य अर्थात् हेय का हेय रूपसे, उपादेय का उपादेयरूप से और उपेक्षणीय अर्थात् अनादर, तिरस्कार करने योग्य कार्यों का उपेक्षणीयरूपसे बोध ( प्रतिपत्ति) होना उसको तत्त्वबोध कहते है । ज्ञेय - मात्र जानने योग्य पूरा विश्व ज्ञेय है। लेकिन जो भव्य अजीवादि तत्त्वो के साथ साथ इस जीवतत्त्व का श्रद्धान करता है, ज्ञान प्राप्त करता है और उपेक्षणीय में उपेक्षा अर्थात् अनादर किया करता है वही जीव निर्वाण का भागी हो सकता है। सारांश यह कि सात तत्त्वों में हेय, उपादेय और उपेक्षणीय तत्त्वोंका स्वरूप समजकर उनमें उसी प्रकार का श्रद्धान आदि होना, तत्त्वबोध का वास्तविक स्वरूप है। तत्त्वबोधसे मोक्ष का भागी जीव बन शकता है। परंतु इस प्रकारका तत्त्वबोध जिनशासन - सर्वज्ञ પુષ્પમાળા વિવેચન वीतराग भगवान के मतमें ही बन शकता है। अन्य मतों में नहीं । २. मनोरोध :- चित्तको विषयों की तरफ से हठाना, उसको पर पदार्थों या विषयो की तरफ जाने न देना उसे मनोरोध कहा जाता है । “यद् यद् एव मनसि स्थितिं भवेत । ૭૧ 10 तत् तदैव सहसा परित्यजेत ।" " आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेच्चिरम् । कुर्यादर्थवशात्किञ्चिद् वाक्कायाभ्यामतत्परः ॥” "आत्मज्ञान विना ज्यांय, वित्त द्यो थिरडाण ना; આત્માર્થે વાણી-કાયાથી, વર્તો તન્મયતા વિના.’ સમાધિશતક अर्थ :- मनमें जब कोई पदार्थ का आकार उपस्थित हो तो उसको उसी समय छोड़ देना चाहिए। आत्मकल्याण या मोक्षमार्ग के विरुद्ध कैसा भी विचार मनमें उपस्थित हो तो उसको एक क्षण भी ठहरने नहि देना चाहिए। यही मन के निग्रह करनेका उपाय है। इसको ही मनोरोध कहते है । (आत्मस्याशनी विरुद्ध के विचार अगे मेने क्षशवार पर टङवा न हेवो) यह मनोरोध भी जिनशासन के सिवाय अन्यत्र नहि मिल सकता । ३. श्रेयोराग :- यहां पर श्रेयस शब्दसे चारित्र और राग शब्द से उसमें लीन होने का कारण अनुरागरूप श्रद्धान समजना चाहिए । अर्थात् मोक्ष के साक्षात् कारण चारित्रमें लीन कर देनेवाला अनुरागरूप श्रद्धान भी अनेकान्त मत में ही प्राप्त हो सकता है, दूसरे मतो में नहीं। (४थी अप्रशस्तराग तभय छे अने આત્માના શ્રેયમાં અનુરાગ થાય છે.) ४. आत्मशुद्धि:- जिस विषय का "मै” यह हूं इस तरह से अनुपचरित वास्तविक भान होता है उसको आत्मा कहते है। इस आत्मामें परपदार्थो के संयोग से रागादिरूप अशुद्धि हुआ करती है । (छोरंगी भन धतुं भय छे.) उस अशुद्धि का दूर होना ही आत्मशुद्धि कहा जाता है। यह भी जिनमत में ही मिल सकता है। वास्तविक वीतरागता और आत्मशुद्धि अन्य मत के अनुसार नहीं बन सकती । ५. मैत्रीद्योत :- किसी भी जीव को कभी भी किसी भी तरह से दुःख की उत्पत्ति न हो ऐसी अभिलाषा को मैत्री कहते है। इसका माहात्म्य विद्वानों के हृदय में उत्पन्न करना मैत्रीद्योत समजना चाहिए, अर्थात् वस्तुतः मैत्री भावना का Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર प्रकाश करना भी जिन मतमें ही बन सकता है, अन्यत्र नहीं । कहा મૉ . "जेण तच्यं विबुझज्जः जेण चित्तं णिरुज्झदि । जेण अत्ता विसुज्झेज्ज त णाणं जिण सासणे ॥ जेण रागा विरज्जेज्ज जे सेएस रज्जदि । जेण मित्तिं प्रभावेज्ज तं णाणं जिन सासणे ॥" ૩૨ अर्थ :- जिससे तत्त्व का विशेष बोध प्राप्त होता है, जिससे चित्तका निरोध होता है, और जिससे आत्मा विशुद्ध हुआ करती है वह ज्ञान जिनशासन में ही मिल सकता है। जिससे रागभाव दूर किए जा सकते है, और जिससे श्रेयोमार्ग में अनुराग की उत्पत्ति होती है, तथा जिससे मैत्री भावना की प्रभावना हुआ करती है, वह ज्ञान जिनशासन में ही मिल सकता है। यहां पर जिन दो सूत्रो के द्वारा दुर्लभ अर्थात् जिनमत के सिवाय अन्यत्र अलभ्य ज्ञान का माहात्म्य बताया है, उनमें पहिले सूत्र के द्वारा सम्यक्त्व सहचारी और दूसरे सूत्र के द्वारा चारित्रसहचारी ज्ञान का वर्णन किया है; ऐसा समजना चाहिए।" ૫૫. વચન શાંત, મઘુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે, વીસ દોહામાં ‘વચન નયન યમ નાહીં’' આવે છે. આ પુષ્પમાં વચનના સંયમ માટે સામાન્ય પ્રતિજ્ઞા લેવાનું જણાવ્યું. જ્ઞાનીના વચનને ‘શબ્દ-બ્રહ્મ’ પણ કહે છે. કોઈ ખટપટીઆ માણસનું એક વચન પણ અનેક ઉત્પાત એટલે મન ઊંચું કરી દે અથવા ન હોય તે દુઃખ ઊભું કરી શકે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને થયું તેમ. એવું વચનનું બળ હોવાથી તેનો સંયમ કરીને સ્વપરના હિત અર્થે વચન વપરાય તેમ કરવા યોગ્ય છે. વચન કેવું બોલવું તે હવે કહે છે, ૧. શાંત —‘આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે.’’ તેમાં કડવાં વચનરૂપી અગ્નિનો ઉમેરો કરવો યોગ્ય નથી; પરંતુ બીજાનું દુઃખ શાંત થાય, પોતાને પણ શાંતિનું કારણ થાય તેવાં વચનો સત્પુરુષનાં બોધને અનુસરીને બોલવાં યોગ્ય છે. આત્મકલ્યાણનો લક્ષ હોય તો વચન શાંત નીકળે છે. આત્મા પોતાના રંગમાં નિરંતર રંગાયેલો હોય તો જે વચન નીકળે તે તેનાથી રંગાઈને નીકળેલા હોય છે. તેથી કષાયને શાંત કરનારા હોય છે. ૩૩ પુષ્પમાળા વિવેચન ૨. મથુર ઃ “ફૈલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂર પર રહ્યા કરે; અપ્રિય, કટુક, કઠોર શબ્દ નહિ કોઈ મુખસે કહા કરે.’’ -મેરી ભાવના આ ત્રણે દોષો નીકળી જાય ત્યારે વચન મધુર થાય. અપ્રિય—એટલે અણગમતું જે સારું ન લાગે તે. તથા કડવું એટલે મનમાં ન ગોઠે તેવો શબ્દ. જે સાચો હોય કે ખોટો પણ કટુક એટલે કડવો લાગે, જીવની લાગણી દુભાય એવો અપ્રિય શબ્દ કરતાં પણ કટુક શબ્દ વિશેષ ભારે અર્થવાળો છે અને કઠોર એટલે ગર્વયુક્ત વાણી, જે કાનને પણ કર્કશ લાગે. દ્રૌપદી એવું વચન બોલી હતી. જેથી મહાભારતનું યુદ્ધ મંડાયું. પહેલાંના બે અપ્રિય અને કટુક શબ્દની માફક દિલ તો એ પણ દુભવે છતાં કઠોર શબ્દમાં સભ્યતા બિલકુલ નથી. માટે જે કામ કરવાનું કે કહેવાનું હોય તે સારી રીતે સાચવીને ઉત્તમ રીતે થાય તેમ કરવું. મધુર એટલે મીઠી વાણી. જે કહેવાનું હોય તે બીજાને ગળે ઊતરી જાય તેમ મધુર રીતે કહેવું. જેમ દવાની ગોળીઓ Sugar-coated હોય કે ગોળ વીંટેલી હોય તે ઝટ ગળે ઊતરી જાય તેમ મીઠા શબ્દો છે તે સામાને સ્વીકારવા યોગ્ય લાગે છે. મીઠું બોલવાની જેને ટેવ હોય તેનાથી માર્ગની પ્રભાવના થાય છે. પતાસાં વહેંચવાની પ્રભાવના કરતાં તે વધારે છે. ૩. કોમળ :— સૂક્ષ્મ લાગણીને—પ્રેમભાવને માન આપનારો. જેમ કોમળ વસ્ત્ર હોય તે શરીરને સુખશોભાનું કારણ થાય છે, તેમ કોમળ શબ્દો ઠેઠ આત્મા સુધી પહોંચે છે. કવિઓ પાસે એવી કળા હોય છે કે જે અવ્યક્ત ભાવો હૃદયમાં રહેલા હોય તેને સુંદર, લલિત (કોમળ) પદોથી જાગ્રત કરે છે. જેમ સંગીત, ચિત્ર વગેરે કળાઓ તે હૃદયના કોમળ ભાવોને પ્રગટ કરે છે, તેમ શબ્દમાં પણ શક્તિ છે. એવી શક્તિવાળા શબ્દોને કોમળ કહેવાય છે. કોમળ વચન—પહેલી ભૂમિકાનું છે તેનું અત્રે વર્ણન કર્યું છે. “મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.’ શ્રીમદ્ રાજચંદ્ર ૪. સત્ય :— જેમ હોય તેમ કહેવું તે સત્ય છે. ઉપર જે રીત બતાવી– શાંત, મઘુર, કોમળ બોલવું તેમ સત્ય બોલવું. તેના બે ભેદ છે. (૧) વ્યવહાર Page #41 -------------------------------------------------------------------------- ________________ ET પુષ્પમાળા વિવેચન એટલામાં રાજાની સવારી આવી પહોંચી. તરત જ પ્રથાનજી | ભિખારી પાસે આવીને બોલ્યા : અરે ! સૂરદાસજી! જરા બાજા પર , ખસશો? રાજા સાહેબ પધારે છે.” ભિખારી બોલ્યો : ‘હા’ પ્રઘાનજી! આ ઊઠ્યો.” ય છે તે ? શ્રીમદ્ રાજચંદ્ર સત્ય, (૨) પરમાર્થ સત્ય. પરમાર્થ સત્ય એટલે આત્માનો લક્ષ ઇ ચૂક્યા વિના બોલવું તે. વ્યવહાર સત્ય ન બોલતો હોય તેનાથી પરમાર્થ સત્ય બોલી શકાતું નથી. સમ્યગુષ્ટિ જ પરમાર્થ સત્ય બોલી શકે. ૫. શૌચ - એટલે નિલભી, નિઃસ્વાર્થી વચન. જ્યાં સ્વાર્થ હોય, કોઈને છેતરવાનું કે કોઈના પાસેથી કંઈ કામ કાઢી લેવું હોય તેથી મીઠાં વચન બોલતો હોય તો તે પવિત્ર વચન નથી. શૌચ એટલે પવિત્ર. લોભાદિ કષાય જ્યાં હોય ત્યાં મલિનતા હોય છે. સામાન્ય પ્રતિજ્ઞા - કોઈ વ્રત લેવા જેવી આ કડક વાત નથી. પણ તે ચૂકવું નથી એવો ભાવ રાખીને દિવસનું કામ કરજે. બીજાની સાથે બોલવું પડે તેમાં બહુ સાચવીને વર્તવા કહ્યું. જો ન સાચવે તો વેર બંધાઈને ભવોભવ સુધી કેટલાયે ભવ કરવા પડે. શ્રી પાર્શ્વનાથ ભગવાનને કમઠના જીવ સાથે વેર બંધાયું હતું તે મોક્ષે ગયા ત્યાં સુધી દસ ભવ સુધી ચાલ્યું. જેવા સંસ્કાર તેવી વાણી એક ભિખારીનું દ્રષ્ટાંત :- એક નગરના રસ્તાના ખૂણામાં એક અંધ ભિખારી બેઠેલો હતો. તે બુદ્ધિશાળી હતો. રાજાની સવારી આવતાં બે ચાર માણસોએ પેલા ભિખારીને કહ્યું – “એય!બેવકૂફ!બાજા પર ખસ, રાજાની સવારી આવે છે. ભિખારી બોલ્યો ‘હા! પ્રજાજન!ખસી જાઉં છું. થોડીવાર પછી સિપાહીઓ આવ્યા અને બોલ્યા : એ આંઘળા! ઊઠ. ખબર નથી પડતી? રાજાની સવારી આવે છે. ભિખારી બોલ્યો “હા'! સિપાહી! હમણાં જ ઊઠી જાઉં છું.” નાણા* ક ત્યાં ઊભેલા પ્રજાજનો, સિપાહી અને પ્રધાનજી બઘા વિચારમાં પડી ગયા. તેમાંથી કોઈક બોલ્યું અરે તમે તો અંઘ છો છતાં તમે પ્રજાજન, સિપાહી અને પ્રઘાન એ ત્રણેયને કેવી રીતે ઓળખ્યા? અંઘ ભિખારી બોલ્યો - તેમણી વાણીથી. આપણી વાણી દ્વારા આપણું કુળ, આપણા સંસ્કાર અને આપણી ખાદાની વગેરે પરખાઈ જાય છે. માટે હમેશાં સભ્ય વાણી બોલવી. -જીવનઘડતર પ્રવેશિકા ૫૬. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે ‘હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું” એમ આજે વિચારજે. સવારથી ઊઠીને શરીરની સંભાળ લેવી પડે છે. પણ તે કાયા કેવી છે તેનું સ્વરૂપ જણાવ્યું છે. મળમૂત્રનું અસ્તિત્વ છે. એટલે જેમાંથી એ શરીર ઉત્પન્ન થયું તે વસ્તુ ગંદી છે. અને જેનાથી એ પોષણ પામે છે તે ખાધેલો ખોરાક છે. જ્યારે એ જ ખોરાક ઓકી કાઢે ત્યારે જેમાંથી એનું પોષણ થાય છે તે વસ્તુ કેવી છે એ પ્રત્યક્ષ જણાય છે અને મળમૂત્રરૂપે તે આહારનું કેવું વિકૃત સ્વરૂપ થઈ બહાર આવે છે તે પણ દેખાય છે; એટલે શરીર એ અશુચિ વસ્તુનો જ કોથળો કોક છે. જ Sી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૭૭ પુષ્પમાળા વિવેચન કોઈ બેઠેલું દીઠું, એટલે એ પણ ખાટલામાં બેઠો. બરણીને ગળે હાથ મૂકીને નમાવી કે અંદરનું બધું એના પર ઢળી પડ્યું. “અરે આ શું થયું? એમ એને થયું. પછી પૂછ્યું કે કોઈ છે કે નહીં? ખૂણામાં બાઈ બેઠેલી હતી. તેણે ચલોટો રાખેલો હતો તે લઈને ઊભી થઈ અને બારણું ઉઘાડી નાખ્યું. શ્રીમદ્ રાજચંદ્ર (ા છે, એ લક્ષમાં રહે તો દેહનાં કાર્યમાં આસક્તિ ન થાય. જરૂરિયાત પૂરતી એની સંભાળ લેવી પડે, પણ વિલાસમાં વૃત્તિ ન જાય. તે અર્થે વિચારવાનું કહે છે કે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું. નિમિત્ત તો એવાં છે કે દર્પણમાં જાએ તો એને અહંકાર થાય. કપડાંમાં, ઘરેણામાં બધે જ્યાં વૃત્તિ ચોંટી છે તે ઉખાડવા માટે વિચાર કરવા કહે છે, કે હું શાની સંભાળ રાખું છું, વિષ્ટાનું પોટલું છે તેની? શા અર્થે આ હું કરું છું? પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી આ વાત સમજવા માટે એક દ્રષ્ટાંત આપતા. એક શીલવતીનું વૃષ્ટાંત :- એક સાધુ હતો. તેની પાસે એક બાઈ શાસ્ત્ર ભણવા જાય. કેટલાંક પ્રકરણ એને શિખવાડ્યાં. પણ એ નિમિત્તથી તે સાધુની વૃત્તિ ચલિત થઈ. પ્રતિબંધ વધતો ગયો. એને ત્યાંજ આહારપાણી લેવા, કોઈ કોઈ નિમિત્તે જાય, ત્યાં બેસે, વાતો કરે અને કોઈ ન હોય એવો પ્રસંગ શોધે. બાઈ જાણે કે આપણને સાધુને વહોરાવવાનો લાભ મળે છે. માટે ઉલ્લાસથી દાન વગેરે આપતી. એક દિવસે સાધુએ નિર્લજ્જપણે પોતાની હલકી વૃત્તિ તેની આગળ પ્રગટ કરી. બાઈ સમજી ગઈ, પણ આપણા ગુરુ છે માટે એને શિખામણ આપવી એવો મનમાં વિચાર રાખીને કાલે આ વખતે આવજો એમ કહ્યું. એટલે સાધુ પાછો ચાલ્યો ગયો. પછી તે બાઈએ રાત્રે પોતાના પતિને કહ્યું કે ઘણા દિવસથી મને કબજિયાત રહે છે તે હું કહેવાનું ભૂલી જતી હતી. આજે સવારે પહેલા એવી કોઈ સખત દવા લાવો કે પાંચ દશ વખત ઝાડા થાય. વૈદ્ય ન આપે તો પણ બે દિવસ ઉપરાઉપરી લેવાની જરૂર છે એમ કહીને વધારે લાવજો. સવારના ઊઠી તે પહેલા જઈ દવા લઈ આવ્યો કે એ બિચારી ક્યારનીયે માંદી છે પણ કહેતી નથી. બાઈ તે બધી દવા સાથે ખાઈ ગઈ. પછી એક વાસણમાં દિશાએ જાય. બરણી જેવું વાસણ હતું તેમાં દિશાએ બેસે. દસ પંદર ઝાડા થઈ ગયા. પછી જાણ્યું કે સાધુ આવવાનો વખત ગયો છે તેથી ખાટલો પાથરીને પથારી તૈયાર કરી. પથારીમાં બરણી મૂકીને પોતે જેવો વેષ રાખતી હતી તેવો બધો વેષ તે બરણીને પહેરાવ્યો. મોંઢે ઓઢ્યું હોય તેમ ઠાઠમાઠ કરીને રાખી મૂકી. તથા સાધુને પહેરવાનો એક ચલોટો તૈયાર રાખ્યો. પછી બારણું બરાબર વાસેલું નહીં તેમ વાસીને એક ખૂણામાં અંધારામાં તે બેસી રહી. સાધુ આવ્યો. બારણું ઉઘાડીને અંદર પેસી બારણું વાચ્યું. પછી જોયું તો ખાટલામાં તે બાઈનું શરીર ઝાડા થવાથી ફીકું પડી ગયું હતું—નંખાઈ ગયું હતું. તદ્દન અશક્ત થયું હતું. સાધુએ પૂછ્યું—“આ શું થયું? રૂપ ક્યાં ગયું?” બાઈએ કહ્યું : બરણીમાં. તમને જેના પર મોહ હતો તે વસ્તુ તમને બરણીમાં કાઢી આપી. રૂપ પર તમને મોહ હતોને ઝાડા થયા તેથી જતું રહ્યું અને મોટું લેવાઈ ગયું. સાધુ સમજી ગયો. બાઈને એને શિખામણ આપવી હતી તે એને બરાબર લાગી. કપડું બદલવાનું આપ્યું તે બદલીને સાઘુએ માફી માગી; અને બાઈને કહ્યું – તો તમને બહુ દુઃખ આપ્યું; પણ તમે તો મારા ઉપર ઉપકાર જ કર્યો. આખા ભવમાં એને આવી વૃત્તિ ન જાગે તેવી શિખામણ આપી. ‘આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું?’:- શરીરની જેટલી કાળજી રાખીએ છીએ તેટલી યોગ્ય નથી, માટે અયોગ્ય પ્રયોજન કહ્યું. જેટલી દેહની કાળજી રાખે છે તેથી અનંતગણી કાળજી આત્માની રાખ'એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. પણ દેહ જેટલી પણ કાળજી આત્માની રહેતી નથી. માટે આત્માને ભૂલી જેટલી દેહની કાળજી રાખીએ છીએ તેટલી બઘી અયોગ્ય જ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૮ ૭૯ શ્રીમદ્ રાજચંદ્ર ( દેહની હાજતો પૂરતી કાળજી રાખવી પડે તેમાં પણ આનંદ માનવા જેવું નથી. આનંદ મનાય છે એટલી ભૂલ છે, તેટલી વૈરાગ્યની ખામી છે. તે દૂર થવા માટે શરીરનું ચામડી વગરનું કેવું સ્વરૂપ હોય તેવું વારંવાર વિચારવા કહ્યું છે. પુષ્પ-૮માં “ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે” એમ જણાવ્યું. ૫૭. તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો, - આજીવિકા એ પ્રાણીને પહેલી જરૂરની વસ્તુ છે. આપણાથી કોઈની આજીવિકા તૂટે ત્યાં જેની આજીવિકા તૂટી (એક જ આધાર હોય) તેને આર્તધ્યાન થાય છે. અને જેના હાથે તૂટી તેના પ્રત્યે વેર પણ રાખે. તોડવાની ઇચ્છા કરનારના પરિણામ પણ નિર્દય થાય છે. એ બઘાંયે કર્મબંધના કારણથી બચવા માટે કહ્યું છે. માટે જેમ બને તેમ કર્મબંધના કારણોથી દૂર રહેવું. એવા પ્રસંગે શું કરવું તે દરેકે પોતાનો માર્ગ વિચારીને તે રીતે કરવું. પ૮, આહારક્રિયામાં હવે તેં પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. જમવા પહેલાંની બધી વાત કહી દીધી, જમવાનો વખત આવ્યો. હવે બપોરે શું કરવું તે કહે છે. તેમાં પહેલી આહારની વાત આવી. મિતાહાર એ સુખાકારીનું કારણ છે. જીભનું કામ આ હિતકારી છે કે અહિતકારી છે તે તપાસવાનું છે, તેના બદલે જીભને પ્રિય લાગે એવું હોય ત્યાં લલચાઈ જાય છે, અને વધારે ખાઈ જાય છે. હલકો, તુચ્છ આહાર જે ઓછો પૌષ્ટિક હોય તે પણ વઘારે ખાય તો નુકસાનકારી છે; અને ભારે ખોરાક હોય પણ થોડો ખાધો હોય (જેમ પ્રસાદ આપે છે તેમ) તો નડવાનો સંભવ નથી. મુનિને આહાર માટે સામાન્ય નિયમ એવો છે કે ૩૨ કોળિયા લેવા. સ્ત્રીઓને માટે ૨૮ કહ્યાં છે. એ બધા નિયમો કરવાનું કારણ એ છે કે આહાર સચવાય તો રોગ વગેરે થવાનું ઓછું થાય અને સુસ્તી પણ ન રહે. જેવું ખોરાકનું છે તેવું પેય પદાર્થ એટલે પાનનું પણ છે. દૃષ્ટાંત અકબરનું આપ્યું છે કે ‘મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો.' પ૯. જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભક્તિ પરાયણ થજે, કે સશાસ્ત્રનો લાભ લઈ લેજે. પુષ્પમાળા વિવેચન રાત્રે બરોબર ઊંઘતો હોય તેને દિવસે ઊંઘવાની જરૂર નથી. ) જરૂર કરતાં વધારે ઊંઘ એ પ્રમાદ જ છે. સમયમાત્રનો પણ પ્રમાદ ૯ કરવા જ્ઞાનીઓએ ના કહી છે, “ક્ષમ ગોયમ મા પમાણુ'' કાળનો નાનામાં નાનો અંશ તે સમય છે. તેટલા સમય માત્રનો પણ પ્રમાદ કરવા યોગ્ય નથી. કૃપાળુદેવે તેનો બીજો અર્થ સમય એટલે તક, અવસર પણ કર્યો છે કે મળેલો અવસર ચૂકવા યોગ્ય નથી. દિવસે સૂવાનો વિચાર થાય ત્યારે વિચારવું કે શામાં વધારે લાભ છે ? સૂવામાં કે ભક્તિ કરવામાં કે શાસ્ત્ર વાંચવામાં? જે વધારે હિતકારી લાગે તેમ કરવું. શાનીઓએ તો ભક્તિ વગેરે કરવા કહ્યું. પ્રમાદને બદલે ભક્તિ કરવાનું કહ્યું છે. જરૂરની ઊંઘ ન લેવી એમ કહ્યું નથી. પણ જેમ વધારે ખવાઈ જાય તેમ વધારે ઊંઘી જવાય છે તે યોગ્ય નથી. ખાવામાં અને ઊંઘવામાં–આહાર ને નિદ્રા બન્નેમાં સંયમની જરૂર છે, આત્મામાં રહેવું તે ખરો સંયમ છે. તે આહાર અને નિદ્રા લૂંટી લે છે. જેને ઊંઘવાનું અને ખાવાનું ન હોય અને સમયનો સદ્ ઉપયોગ કરવાનો ભાવ હોય તેને સુખ છે, જેમકે દેવોને તો ઘણો વખત હોય છે તો પણ ઇન્દ્રિયસુખના ભોગમાં નકામો તે વખત ગુમાવી દે છે, માટે સમકિત કરી લઈ મોક્ષના કારણમાં કાળ કાઢવા યોગ્ય છે. “સM[ કનrrન વારિત્રnfor મોક્ષમાર્ક: ” આત્મા જ આત્માનો માર્ગ શોધે છે. મોક્ષનો માર્ગ આત્માની શુદ્ધિ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ.” આત્માની શુદ્ધતા જેથી થાય તે જ તેનો પંથ છે અથવા મોક્ષમાર્ગ છે. તે સાચા આત્મજ્ઞાની પુરુષથી પ્રાપ્ત થાય છે. ૬. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. જ્ઞાની પણ પહેલાં આપણા જેવા જ હતા. તે આળસ, પ્રમાદ આદિ મનુષ્યભવનો કેટલો વખત લૂંટી જાય છે તે જાણી જાગૃત થયા છે. તેથી બીજાને પણ એ ચોરો ન લૂટે તે માટે ચેતાવે છે, પોતે લીધેલો ઉપાય બતાવે છે. અભ્યાસ સર્વનો ઉપાય છે :- કોઈ કહે—ઊંઘ આવે ત્યારે બધો પુરુષાર્થ મૂકી દેવો પડે છે. ઊંઘનું સ્વરૂપ એવું છે કે તે સર્વ ઘાતિ પ્રકૃતિ હોવાથી આત્માના બધા પ્રદેશો પર અસર કરે છે. આંખ ઊઘડે નહીં, હાથમાંથી પુસ્તક પડી જાય, કોઈ બોલતો હોય, ઉપદેશ સાંભળતો હોય ત્યારે આંખો મ્ચીને સાંભળું છું કે વિચાર કરું છું કે મંત્ર બોલું છું કે ફેરવી જાઉં છું એમ કરે તો તેને વખતે ઊંઘ પોતાનું જોર જમાવે છે. ત્યારે થોડે થોડે તેની સામે થવા કે તેને Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જીતવા પુરુષાર્થ આદર્યો હોય તો ઊંઘ કાબૂમાં આવી જાય છે. નેપોલિયનનું દૃષ્ટાંત :– નેપોલિયનની ઊંઘ કાબૂમાં હતી. જેટલું ધારે તેટલું જ ઊંઘે. બે મિનિટ, પાંચ મિનિટ ઊંઘીને જાગ્રત થાય. પણ છેલ્લી લડાઈ વખતે તે લશ્કરને મોખરે હતો. ત્યાં પાંચ મિનિટ આરામ લેવા માટે સૂઈ ગયો અને છેલ્લા સિપાહીને હુકમ મોકલ્યો કે લશ્કર પૂરું થવા આવે ત્યારે મને જગાડવો. પેલો માણસ ભૂલી ગયો. અડઘો કલાક નીકળી ગયો ને નેપોલિયનનો બધો પ્રોગ્રામ ફરી ગયો અને તે હારી ગયો. પાંચ મિનિટના પ્રમાદને કારણે આખા યુરોપનું રાજ્ય ખોયું. ८० દોષ તે દોષ છે, ગમે તેવો જબરો હોય તોપણ તેને નહીં નડે એમ ન બને. મહાવીર સ્વામીને મરીચિના ભવમાં ઉત્તમ સામગ્રી મળી હતી, સંઘયણ સારું હતું. ઋષભદેવ (દાદા) સાથે દીક્ષા લીધી હતી, બુદ્ઘિ પણ સારી હતી, પણ એક શિથિલતાને લીધે તે ભટક્યા. શ્વેતાંબરો કહે છે કે તેણે ઉત્સૂત્રપ્રરૂપણા કરી હતી—ભગવાન પાસે થર્મ છે એવો મારી પાસે પણ ધર્મ છે એવું એક વચન તેણે શિષ્યને કહ્યું, તે ઉત્સૂત્રપ્રરૂપણા કહેવાય, અને દિગંબરો કહે છે કે કપિલાદિક જાદા ધર્મની પ્રવૃત્તિ તેમણે કરી હતી, પછી એકેન્દ્રિય આદિમાં જઈ આખો આરો ભવભ્રમણ કર્યું, ચોથા આરાની શરૂઆતથી તે અંત સુધી. એમને મોક્ષે જવા જેટલી સામગ્રી ચોથા આરાના શરૂઆતમાં હતી, પણ પ્રમાદને લઈને – શિથિલતાને લઈ ચૂકી ગયા. માટે કોઈએ પ્રમાદને વશ થવા યોગ્ય નથી. અભ્યાસ કરીને પ્રમાદને હઠાવવા યોગ્ય છે. ૬૧. ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. સામાન્ય રીતે દ્રવ્ય વૈર તેને કહેવાય છે કે કોઈની સાથે અણબનાવ બન્યો હોય અથવા કોઈએ આપણને શત્રુરૂપે કારણ વગર કે કારણસહિત માન્યા હોય. પૂર્વનું વૈર હોય તો આ ભવમાં કંઈ કારણ ન બન્યું હોય છતાં વૈર વાળવા ઇચ્છે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દૃષ્ટાંત :- કમઠના જીવને પાર્શ્વનાથ સ્વામી સાથે ઘણા ભવ સુધી વૈર ચાલ્યું હતું. શ્રી પાર્શ્વનાથ સ્વામીના જીવનું આયુષ્ય પૂરું થાય અને મરવાનો સમય આવે ત્યારે નિમિત્ત એ કમઠનો જીવ ૧ પુષ્પમાળા વિવેચન 3 છેલ્લા દસ ભવથી બનતો હતો. તે વૈર દૂર કરવા માટે વિનય, મૈત્રીભાવ વધારીને શત્રુભાવની સામે જીવ મૂકે તેના માટે પુરુષાર્થ કરવા જણાવ્યું છે. એની સેવાચાકરી કરીને કોઈ રીતે એનું મન પ્રસન્ન થાય એમ કરવું કે જેથી વૈરભાવ ન રાખે. પ્રભુશ્રીજી કહેતા કે વૈરીની વચ્ચે વસવું હોય તો એક વિનય છે તે વેરીને પણ વશ કરે. “વનો વેરીને વશ કરે.'’ આપણા સદ્ગુણની બીજા પર અસર ન થાય તેવું લાગે તો તે નિષ્ઠુર છે. તેને સારું કરવા જતાં પણ ભૂંડું જ ભાસે. ત્યાં આપણે સાવચેત રહેવું. કેમકે તેવા નિમિત્તમાં આપણા પરિણામ બગડી જવાનો સંભવ છે. એનું જોર ક્યાં ચાલે? જ્યાં આપણે ગફલતમાં રહ્યા હોઈએ ત્યાં. કારણ કે તે લાગ શોધતો જ હોય ને જરા કંઈ દોષ આપણો થાય તો રજનો ગજ કરે. માટે સાવચેતીથી વર્તવું કે જેથી બનતા સુધી દોષ જ ન થાય. ‘દિવાલને પણ કાન હોય છે” કોઈ ગુપ્ત વાત કરતું હોય કે નિંદા કરતું હોય અને કોઈ સાંભળતું નથી એમ ઘારે પણ “વાએ વાત ઊડીને’' દુશ્મન પાસે પહેલી પહોંચી જાય છે. એટલે સાવચેત રહેવા માટે જણાવ્યું છે. માટે વેરીની પણ નિંદા કરવાની પ્રવૃત્તિ કરવી નહીં. ભાવથી પોતે જ પોતાનો વેરી :- આત્મા પોતે પોતાનો વેરી છે. પોતે પોતાનું જ ભૂંડુ કે ભલું કરી શકે એમ છે. બીજાનું તો બીજાના કર્મને આધીન છે. અનાથીમુનિએ ઉપદેશમાં શ્રેણિકરાજાને કહ્યું હતું કે આત્મા ધારે તો પોતાને સ્વર્ગ, નર્કે કે મોક્ષે લઈ જાય. અનાદિકાળથી મોક્ષ થાય એવું નથી કર્યું. આત્મઘાતી થતો આવ્યો છે. તે હવે પોતા પ્રત્યેનું વેર નિર્મૂળ કરવા જેવું છે. તેટલો પુરુષાર્થ ન બનતો હોય તો તેનાથી સાવચેત રહેવા જેવું છે. મારે તો કામ મોક્ષનું કરવું છે તે ચૂકવા કે વિસ્મરણ કરવા યોગ્ય નથી. એ લક્ષ ચૂકી જવાય છે ત્યારે દેહાદિક કાર્યોનું અથવા બીજા વેર વધારે તેવા વચનોનું જીવને મહત્ત્વ લાગે છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો ?'' ક્ષણે ક્ષણે જીવ પોતાની ઘાત કરી રહ્યો છે. બીજા શત્રુ તો લાગ મળે ત્યારે ઘાત કરી શકે, પણ આ મહાબળવાન શત્રુ તો ક્ષણે ક્ષણે પોતાનો ઘાત કરી રહ્યો છે. ક્ષણે ક્ષણે સ્વરૂપ વિસ્મરણ કરવારૂપ ઘાત કરે છે. ૬૨. તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ કરે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જૂના વેરીઓથી સાવચેતી રાખવા ઉપરાંત નવા વેરીઓ વઘારવા નહીં એવી શિખામણ આપી. કોઈ સ્વાર્થ સાધવા માટે બીજાની સાથે વેર થાય છે. જેમ કે આપણને ગમતું હોય પણ તે ન આપતો હોય તો તેની સાથે વેર થાય છે. બહારની વસ્તુઓની જેમ આબરૂ વગેરે માટે પણ તેમ થાય છે, જે આપણે પ્રિય માનીએ છીએ તે માટે કોઈ વિરોધ કરે તો પણ વેર થાય છે. તે વખતે વિચારવા કહ્યું કે વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે? જે વસ્તુ પ્રિય ગણીએ છીએ તેનો વિયોગ પણ મરણ વખતે તો જરૂર થવાનો જ છે; તો તે માટે વૈરભાવ શું ઘારણ કરવો. એ ઉપર પ.પૂ.પ્રભુશ્રીજીએ એક દ્રષ્ટાંત કહેલું તે આ પ્રમાણે છે: સંસારનું વિચિત્ર સ્વરૂપ પિતાના શ્રાદ્ધનું દ્રષ્ટાંત - એક સાધુપુરુષ હતા. તે વહોરવા આવેલા. તે દિવસે એક માણસને ત્યાં એના પિતાનું શ્રાદ્ધ હતું. પિતા મરીને બળદ થયેલો. તે એને ઘેર જ બાંધેલો હતો. એની માતા મરીને એના જ ફળિયામાં કૂતરી થઈ હતી. શ્રાદ્ધના દિવસે પુત્રે દૂઘપાક કર્યો હતો. તે વખતે કૂતરી બારણામાં આવીને બેઠી હતી. તેણે દૂધપાકમાં ગરોળી પડતી દીઠી. બીજા કોઈનું લક્ષ તે તરફ ગયું નહોતું. તેથી આ દૂધપાક ખાશે તો બધા મરી જશે એમ જાણી અંદર જઈ દૂઘપાકના તપેલામાં કૂતરી ઓકી. બધા લોકોએ જઈને કૂતરીને ખૂબ મારી. તેથી એની કેડ ભાંગી ગઈ. પુષ્પમાળા વિવેચન પછી પરાણે ઘસડાતી ઘસડાતી બળદની ગમાણમાં જઈને / બેઠી. એવામાં મુનિ ત્યાં વહોરવા આવ્યા. તેમણે બધું જ્ઞાનથી જાણ્યું. « અને સંસારના વિચિત્ર સ્વરૂપ ઉપર તેમને હાસ્ય આવ્યું. એટલે ઘરના માલિકે પૂછ્યું : “મહારાજ આજે કેમ હસ્યા?” એટલે મુનિએ વૈરાગ્ય થવા માટે બઘી વાત કહી—કે કૂતરી એ તમારી માતા હતી અને બળદ તમારો પિતા હતો. તમને બચાવવા માટે કૂતરીએ અંદર જઈને ઓક્યું છે. વળી તમારી સ્ત્રી જે છોકરાને રમાડતી હતી તેના સંબંધી મુનિએ કહ્યું કે તમારો પાડોશી તમારી સ્ત્રી પર કુદ્રષ્ટિ રાખતો હતો. તે તમારા ઘરમાં પેઠો અને તમે તેને મારી નાખ્યો હતો, તે જ તમારો અત્યારે પુત્ર થયો છે અને તેને જ તમે અત્યારે રમાડો છો. ઉપકારી જે કુતરી હતી તેને તમે મારીને કાઢી મૂકી. અને દુશ્મનને પુત્રરૂપે રમાડો છો. એ જોઈને મને (મુનિને) હસવું આવ્યું. એ સાંભળીને સંસારને અસાર જાણી બધાને વૈરાગ્ય થયો અને આત્મકલ્યાણ ભણી વળ્યાં. નવું વૈર વઘારીશ નહીં કારણ કે થોડું જીવવાનું હોય તેમાં પણ જો દુશ્મન ઊભો કર્યો તો ક્ષણે ક્ષણે મરણનો ભય રહેશે. જે સુખ ભોગવવા માટે વૈર ઊભું કરે પણ તે દુઃખનું કારણ થાય છે માટે નવું વેર વઘારીશ નહીં; એમ જણાવ્યું. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર નવું વેર વઘારીશ નહીં © એક સંન્યાસીનું દ્રષ્ટાંત - ભારતમાં ઘણા પ્રખ્યાત સંન્યાસી હતા. એમની આદત ખરું કહેવાની તેથી તેમના વિરોધીઓ ઘણા અને ભક્તો પણ ઘણા હતા. એક દિવસ વિરોધીઓને એ સંન્યાસી કાંટાની જેમ ખુંચવાથી તેમને મારવાનો વિચાર કર્યો. જોધપુરના રાજાને એ સંન્યાસીએ રખાત ન રાખવા માટે ઘણો ઠપકો આપેલ. રાજાની રખાત દ્વારા એ સંન્યાસીના રસોઈયાને બહુ પૈસા આપી ફોડી નાખ્યો. તેને કહ્યું કે તું સંન્યાસીને મારી નાખ. તેથી રસોઈયાએ સંન્યાસીના ભોજનમાં ઝેર ભેળવી દીધું. ઝેરવાળું ભોજન સંન્યાસીએ કર્યું. થોડીવારમાં સંન્યાસીને ઝેરની અસર થવા લાગી એટલે તેમણે રસોઈયાને બોલાવીને પૂછ્યું કે ‘તું જે હોય તે સાચું કહી દે તો તને હું અભયદાન આપીશ.” રસોઈયાએ ગુનો કબુલ કર્યો. સંન્યાસીએ તરત જ પોતાના ગજવામાંથી વીસ રૂપિયા કાઢીને તેને આપતા કહ્યું કે તું હવે જલદીથી તારા વતને ચાલ્યો જા; નહીં તો મારા ભક્તો તારા રાઈ જેટલા ટુકડા ટુકડા કરી નાખશે. પુષ્પમાળા વિવેચન ૬૩. મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય છે તો અટકજે. મહા આરંભ અને મહા પરિગ્રહ એ નરકનાં કારણ છે. તેથી તેવી પ્રવૃત્તિમાં પડતા અટકાવે છે. વ્યાપાર શબ્દનો અર્થ પ્રવૃત્તિ થાય છે. કોઈપણ પ્રવૃત્તિમાં ઘણી હિંસા થાય એવું હોય તે ઘણાં અનર્થનું કારણ છે. કારણ ગમે તેવી હિંસા સ્વપરના આત્માની કે સ્થૂલજીવની, પૈસા મેળવવામાં કે કોઈપણ પ્રવૃત્તિમાં થાય છે તેનું ફળ જીવને પોતાને અવશ્ય ભોગવવું પડે છે. માટે નાશવંત વસ્તુના મોહને લઈને, ભવિષ્યમાં ઘણાં દુઃખ ભોગવવાં પડે એવા મહાપાપના કારણમાં પડવું વિચારવાનને ઘટતું નથી. મમ્મણશેઠ આવી પ્રવૃત્તિ કરી સાતમી નરકે ગયો. ૬૪. બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. બેની સરખામણી કરે છે. એક બાજુ ઘણી લક્ષ્મી છે અને બીજી બાજુ નિરપરાથી જીવનો નાશ. આપણને બહોળી લક્ષ્મી કોઈ આપે અને પૈસા આપીને આપણું ગળું કાપવાનું કહે તો આપણે મરવા તૈયાર થઈએ? આપણને તે નથી ગમતું તેમ એવું દુઃખ બીજાને પણ નથી ગમતું. માટે બીજાને તેવું દુઃખ આપવા માટે તૈયાર થઈએ તે માત્ર અવિચારપણું છે, ભલા કર ભલા હોગા. એક માણસનું દ્રષ્ટાંત - એક માણસ દેવદર્શન કરવા જઈ રહ્યો હતો. તેની પાસે માત્ર ચાર આના હતા. દેવ આગળ મૂકવા અને પૂજાની સામગ્રી ફૂલ વગેરે લેવા માટેના હતા. તેની સામે એક ગરીબ ત્રણ દિવસનો ભૂખ્યો માણસ મળ્યો. તેણે કહ્યું–મારા પર દયા લાવી મને કંઈ આપો. તે વિચાર કરવા લાગ્યો કે શું કરું? એને પૈસા આપું કે દેવદર્શનમાં? એને આપીશ તો એની આંતરડી ઠરશે. મંદિરમાં તો પછી પણ મૂકી શકાશે. એમ વિચારી પેલા ગરીબને બોલાવીને ચાર આના આપ્યા. તે ગરીબે ચાર આના હર્ષથી લઈ લીધા. તેના બદલામાં એક મંત્ર તેને શીખવ્યો. તે એ કે “ભલા કર ભલા હોગા” એટલું બોલી તે ચાલ્યો ગયો. તે થોડા દિવસમાં શ્રીમંત થઈ ગયો. તેના સગાંઓ તથા મિત્રો તેનું કારણ પૂછવા લાગ્યા. તેથી તેણે કહ્યું “ભલા કર ભલા હોગા!!!” એટલું તે સર્વને કહેતો. -સાદી શિખામણમાંથી પોતાની જાન લેનાર પ્રત્યે પણ કેવા દયાના ભાવ છે કે તેને વીસ રૂપિયા આપી તેના વતનમાં મોકલી દીધો. એ જોઈને રસોઈયાના મનમાં બહુ પસ્તાવો થયો અને પોતાના પાપકૃત્ય ઉપર ચોધાર આંસુએ રડતો રડતો છેવટે ભાગી છૂટ્યો. આ આર્ય દેશની સંસ્કૃતિ છે. - જીવનઘડતર પ્રવેશિકા Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ઈર્ષ્યા કદી કરશો નહીં હરદેવનું દૃષ્ટાંત = રામદેવ અને હરદેવ બે સગાં ભાઈઓ હતા. બન્ને બિચારા ખૂબ ગરીબ હતા. મોટો રામદેવ અને નાનો હરદેવ. મોટા રામદેવની સ્થિતિ નાના હરદેવ કરતાં કંઈક સારી હતી. આથી રામદેવ ઘણીવાર હરદેવને મદદ કરતો અને એની સંભાળ પણ રાખતો. હરદેવ પોતાના કુટુંબનું ગુજરાન કરવાને અસમર્થ હતો. 9 એક દિવસ એક સંન્યાસી હરદેવના ઘરે ભિક્ષા લેવા માટે આવ્યા. હરદેવ રડતા રડતા કહે “સ્વામીજી! હું તમને શી રીતે ભિક્ષા આપું? મારા ઘરમાં તો ખાવા માટે અનાજ પણ નથી.'' એ વાત સાંભળી સંન્યાસીજીનું હૃદય પીગળી ગયું. એમણે હરદેવને કહ્યું : “બેટા! મારી એક વાત સાંભળ. ભગવાન દયાળુ છે. જો તું હિમાલય જઈને ભગવાનની ભક્તિ કરે તો તેઓ પ્રસન્ન થઈ વરદાન આપશે. તે સાંભળી હરદેવ હિમાલય જઈ ધ્યાનમાં તલ્લીન થઈ ગયો. ઘ્યાનમાંથી ડગે નહીં. અંતે ભગવાન પ્રસન્ન થયા અને બોલ્યા : ‘બેટા! તારું નિશ્ચલ ઘ્યાન જોઈ ખુશ થયો છું. ત્યારે એણે કહ્યું : “પ્રભુ તમે જો પ્રસન્ન થયા હો તો મને એક વરદાન આપો કે હું જે ઇચ્છું તે પ્રમાણે બધું જ મળી જાય.'' ભગવાને કહ્યું : બેટા ! તથાસ્તુ. ભલે તેમ થશે. પણ એક વાત સાંભળ. તું જે ઇચ્છીશ તે તો તને મળશે જ; પણ બાજુમાં રહેતા ભાઈ રામદેવને તારા કરતાં બમણું મળશે.’’ હરદેવ કહે : ટાઢ, તડકો વગેરેના દુઃખ મેં સહન કર્યાં અને એને શા માટે મારા કરતાં બમણું મળે? પ્રભુ કહે “એનું ફળ તને મળી ગયું પરંતુ તારો ભાઈ સુખી થાય તેમાં તું શા માટે ઇર્ષ્યા કરે છે ?’’ હરદેવ બોલે તેનાં પહેલા પ્રભુ અંતર્ધાન થઈ ગયા. હરદેવ ઘરે આવ્યો. આવતાંની સાથે જ તેણે કહ્યું : ‘“પ્રભુ મારા ઝુંપડાની જગ્યાએ સાત માળનો મોટો મહેલ બની જાઓ.'' મહેલ બનવાથી ખુશી થયો. પણ ભાઈને પોતાના મહેલની બાજુમાં જ ચૌદ માળનો મહેલ બની ગયો. તે જોઈને બહુ બળવા લાગ્યો. પછી પોતાના ઘરમાં સાત જણ હોવાથી સાત મોટરો માંગી. તેથી સાત મોટરો થઈ પણ ભાઈને ચૌદ મોટરો થયેલી જોઈને ક્રોધથી વિશેષ બળવા લાગ્યો. ૭ પુષ્પમાળા વિવેચન હરદેવના મનમાં એવો ગુસ્સો ચડ્યો કે ‘ગમે તેમ કરીને રામદેવને હું દુઃખી દુઃખી કરી નાખું.' એણે પ્રભુને કહ્યું : ‘પ્રભુ! અમારા સાત સભ્યો પાસે બે બે આંખો છે, અમારે બેની જરૂર નથી; માટે સહુની એક એક આંખ ફોડી નાખો.’ બધાની એક એક આંખ ફૂટી ગઈ. રામદેવના ઘરના બધાની બન્નેય આંખો ફૂટી ગઈ. રામદેવના ઘરમાં રોકકળ થવા લાગી. હજી હરદેવને ટાઢક નહોતી વળી. એણે કહ્યું -“પ્રભુ! મારા મહેલનું અડધું આંગણું રોકી દે તેવો પહોળો અને ઊંડો કૂવો મારા ઘરના આંગણે બનાવી દો?”’ અને તેમ જ થયું. રામદેવના આંગણામાં ડબલ ખાડો થયો. આંધળા થયેલા હોવાથી એના ઘરના માણસો જ્યારે બહાર જવા લાગ્યા ત્યારે તેઓ ટપોટપ તે કૂવામાં પડીને મરી ગયા. આ સમાચાર જ્યારે હરદેવને મળ્યા ત્યારે રાજી રાજી થઈ ગયો. રાત્રે ભગવાને હરદેવને સ્વપ્નમાં આવીને કહ્યું તેં તારા ઉપકારી ભાઈ અને કુટુંબીઓનો નાશ કર્યો તેથી તું નાલાયક છે. તને આપેલું વરદાન પાછું લઉં છું. હરદેવ પાછો ભિખારી થઈ ગયો. ઇર્ષ્યા એ ભયંકર ડાકણ છે એના પનારે કદી પડશો નહીં. - જીવનઘડતર પ્રવેશિકા ૬૫. વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે, એ અપેક્ષાએ દરેક મનુષ્ય લાખો પળનો રોજ વેપાર કરે છે એટલે લક્ષાધિપતિ છે. ૬૦ વિપળની=એક પળ, ૬૦ પળની=એક ઘડી, ૬૦ ઘડીનો=એક દિવસ. એમ એક દિવસની ૨,૧૬,૦૦૦ વિપળો થઈ. મોક્ષમાળા પાઠ૫૦માં પરમકૃપાળુદેવ જણાવે છે કે—“પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે. એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ઘ છે.’” માટે આ વાત વિચારીને પ્રત્યેક પળનો ઉપયોગ ભવચક્રના આંટા ઓછા કરવા માટે કરવો જોઈએ. ૬૬. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે. માટે જંજાળમોહિનીથી આજે અત્યંત૨મોહિની વધારીશ નહીં. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર "भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयम्, माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयम्, शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयम्, સર્વ વસ્તુ મયાન્વિત મુવિ નૃળાં વૈરાગ્યમેવામયમ્.'' ભર્તૃહરિ વૈરાગ્યશતક અર્થ :— “ભોગમાં રોગનો ભય છે; કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાનો ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે; ગુણમાં ખળનો ભય છે; અને કાયા પર કાળનો ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે!!!’' (૧.પૃ.૩૩) શ્લોકનો વિસ્તાર –‘‘એણે (ભર્તુહરિએ) જે જે વસ્તુઓ ઉપર ભયની છાયા પ્રદર્શિત કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું થામ ઠર્યું.’" છે દ્યુતિમö–“મનુષ્ય ઉચ્ચકુળથી સુખ માને તેવું છે. ત્યાં પડતીનો ભય દેખાડયો.” ર વિત્ત રૃપાાત્મય-“સંસારચક્રમાં વહેવારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી (કુંભારના ચાકના દંડ જેવી) તે રાજા ઇત્યાદિના ભયથી ભરેલી છે.’’ માને સૈન્યમયમ્—“કોઈપણ કૃત્ય કરી યશકીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે. તો ત્યાં દીનતા ને કંગાલિયતનો ભય છે. વઢે રિપુમથું—‘બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે.’’ રૂપે તળ્યા મયં—‘રૂપકાંતિ એ ભોગીને મોહિનીરૂપ છે. તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે.” એવું સ્ત્રીઓમાં પ્રત્યક્ષ દેખાય છે. કોઈ માણસને એમ થાય કે મારે રૂપાળી સ્ત્રી હોય તો સારું, પછી એની સ્ત્રી વધારે રૂપાળી હોય તો એના ઘણીને તેની ફિકર રહે છે કે રખેને કોઈ એના શીલનો ભંગ કરે કે એ બીજાને ઇચ્છે. તેથી વધારે સાચવવી પડે છે. જેમ પુરુષ આમ સ્ત્રીના રૂપની ઇચ્છા કરતાં ફિકરમાં પડે છે તેમ સ્ત્રી ઇચ્છે કે મારે સુંદર રૂપ હોય તો સારું; પણ બીજી રૂપવંતી સ્ત્રીઓ કેવી ભયમાં જીવે છે તે ૮૯ પુષ્પમાળા વિવેચન વિચારે તો આ વાત તેને સમજાય. પણ મોટે ભાગે કોઈ એમ વિચારતું નથી. શાસ્ત્ર વાવમથું–‘અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે.'' ગુપ્તે હમ—‘‘કોઈપણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે ખલ (દુષ્ટ) મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે.’’ ગુણની ઇર્ષા કરનારા બીજા હોય છે તે ગુણવાનની નિંદા કરે છે ત્યારે ગુણવાનને પણ દુઃખ લાગે છે. એટલે ગુણ પણ દુઃખનું કારણ થયું. માટે ગુણવાનને પણ દુષ્ટ પુરુષનો ભય છે. ભાયે ધૃતાન્તામચન્‘જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે.’’ સર્વ વસ્તુ મયાન્વિતં−“આમ સંસારના મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં શોક જ છે. જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે. અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે.’’ (વ.પૃ.૩૩) વૈરાગ્યમેવામયમ્—માત્ર એક વૈરાગ્ય જ અભય છે. માટે મુક્તિ સાધ્ય કરવા અર્થે વૈરાગ્યની આવશ્યકતા છે. જંજાળ મોહિનીથી આજે અત્યંતરમોહિની વધારીશ નહીંજંજાળમાં ફસાઈ જવાનું બને. ફસાવનાર જે હોય છે તેને જંજાળ કહે છે. તે જાળ જ આપણને ફસાવે છે. બંધન કરાવનાર ઘન કુટુંબાદિ મોહનાં સાધન તે જંજાળમોહિની છે. તેના નિમિત્તે જીવમાં રાગદ્વેષ થાય છે, એ અત્યંતરમોહિની તે ભાવકર્મ છે. તેને વધારીશ નહીં-પૂર્વકર્મથી સાધનો આવી મળ્યા હોય ત્યારે લોભને લઈને વધારે પૈસા હોય તો સારું, વધારે અનુકૂળતા હોય તો સારું, એમ ધારીને જીવ ઉપાધિ વધારે છે, તેથી સમાધિની હાનિ થાય છે. માટે બાહ્ય ઉપાધિ વધારવાનું ના કહ્યું, તેમજ પ્રાપ્ત નિમિત્તમાં પણ ગુંચાઈ રહેવું નહીં; એટલે નવું ન વધારવું અને છે તેનાથી પણ ભાવકર્મ થવાનો સંભવ છે, માટે ચેતાવ્યા છે. અત્યારે કર્મનો બોજો ઘણો છે માટે હવે નવા કર્મ બાંધીને બોજો વધારીશ નહીં એમ કહ્યું. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૯૦ / ૬૭, નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. ૭માં પુષ્પની સ્વતંત્રતાને ફરી સંભારી છે. “જો તું પરતંત્ર હોય” એમ ૧૬માં પુષ્પમાં વાત કરી હતી. પણ કોઈ દિવસ નવરાશ મળે તો તે અવકાશનો સમય ૭માં પુષ્પમાં કહ્યું તેમ ઘર્મમાં ગાળજે. પણ આજે તો નવરો છું એમ ઘારી બીજાં કામ લઈ ન બેસે તે માટે ભલામણ કરી છે. હમેશાં સ્વતંત્ર ન હોય પણ જ્યારે સ્વતંત્રતા મળે ત્યારે ૭માં પુષ્પમાં કહ્યું છે તે પ્રમાણે દિવસનાં ભાગ પાડીને ઘર્માદિ કાર્યમાં વર્તવા યોગ્ય છે. ૬૮. કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધના આજની આનંદનીયતાને માટે શોધજે. “નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” આનંદમાં કાળ જાય, અને આત્મા આ દેહની કે કર્મની જંજીરમાં ભરાયેલો છે, તેથી મુક્ત થાય. એવી નિષ્પાપી ગમ્મત કરવી. હંસલો દૂધ અને પાણી જાદુ કરે પણ અજ્ઞાનીઓ તો દૂઘ અને પાણીની જેમ પોતાને, દેહ સાથે એકરૂપ જ માને છે. નિપાપી ગમ્મત - તે શાઋવિનોદ છે. શાસ્ત્રની ચર્ચાઓમાં જે આનંદ આવે કે ભક્તિમાં જે આનંદ આવે તે નિષ્પાપ ગમ્મત છે. નિર્દોષ ઘર્મના સાઘનોનો શોખ હોય, પ્રિયતા હોય તો તે વડે ચિત્ત પ્રસન્ન થાય તેમ કરવું. ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું.” પૂજા કરીને ચિત્તની પ્રસન્નતા થવી જોઈએ. જીવને બહારની વસ્તુઓમાં વાસના હોય છે. પણ તે બધું ક્લેશ અને દુઃખનું કારણ છે, માટે પરમકૃપાળુદેવે કહ્યું – “આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા.” જાગ્રત થાય ત્યાં આનંદ આવે છે. ઉપયોગ બીજે ફરતો હોય ત્યાંથી પોતા તરફ ઉપયોગ વળે, ત્યાં અનુભવ થાય છે; અને તે જ આનંદનું કારણ છે. સવિકલ્પદશામાં જે જ્ઞાન, શેયને જાણવારૂપે પ્રવર્તવું હતું તે જ્ઞાન નિર્વિકલ્પદશામાં કેવળ આત્માનું જ જાણનાર થાય છે. ભાવો જુદા જુદા વિકલ્પ વિષે પરિણમતા હતા તે હવે કેવળ સ્વરૂપ પ્રત્યે જ તન્મય થઈ પ્રવર્યા. એમ થતાં ૯૧ પુષ્પમાળા વિવેચન કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ આવે છે. વિષયસેવન વિષે એ આનંદના અંશની પણ જાત નથી. તેથી એ આનંદને અતીન્દ્રિય કહ્યો છે.” એ આનંદમાં મનનું કામ સંકલ્પ-વિકલ્પ કરવાનું છે તે પડી મૂકી આત્મા પોતાના સ્વરૂપમાં લીન થાય છે. ૬૯. સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગલદાયક દિવસ બીજો નથી. “ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નાહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહિ.” વિલંબ ન કરવા માટે કહેવું છે : કાર્યને આગળ ધકેલવાનો જીવને સ્વભાવ પડી ગયો છે. કાલે થશે, પછી થશે; એમ આગળ ધકેલ્યું જાય છે. જ્ઞાની કહે છે કે સુયોજક એટલે જેની યોજના સારી છે તેવું, હિતકારી કાર્ય કરવું હોય તો આજે જ કરી લે. કેમકે મનુષ્યભવ આદિ સામગ્રી આજના દિવસ માટે મળી છે તે દુર્લભ છે. અને તે મંગળદાયક છે. કાલની વાત અચોક્કસ છે. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “કર્યું તે કામ.”—કર્યું એટલું તો થયું બાકીની ભાવના રાખ. ૬૮માં પુમાં લોકો દોષવાળા આનંદના સાધનો જેમ કે હોળીમાં ગાળાગાળી કરીને ધૂળ રંગ ઉછાળે અને આનંદ માને છે તેને બદલે શ્રી દેવચંદ્રજીએ ગત ચોવીશીના આઠમા શ્રી દત્તપ્રભુના સ્તવનમાં આત્માને હિતકારી એવા વસંતઋતુનો આનંદ કેમ માણવો તે જણાવે છે– “ઇમ શ્રીદત્તપ્રભુ ગુણ હો, ફાગ રમે મતિમંત લલના જિન સેવનર્થે પાઈએ હો, શુદ્ધાતમ મકરંદ લલના તત્ત્વપ્રતીત વસંતત્રતુ પ્રગટી, ગઈ શિશિર કુપ્રતીત લલના દુર્મતિ રજની લઘુ ભઈ હો, સબોઘ દિવસ વદિત લલના.” અર્થ - મકરંદ એટલે ફુલનો રસ, મઘ, શિશિર કુપ્રતીત એટલે શિયાળારૂપી કુપ્રતીતિ ગઈ અને વસંતઋતુરૂપી તત્ત્વપ્રતીતિ થઈ. સબોઘ દિવસ વદિત એટલે રાત ટૂંકી અને દિવસ લાંબો ઉનાળામાં થાય તેમ સદ્ગોઘરૂપી દિવસ વધ્યો. તે જ પ્રમાણે ગત ચોવીશીના ચોથા જિન શ્રી મહાજશના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજ જણાવે છે કે આત્મપ્રદેશ રંગથલ અનોપમ, સમ્યગ્દર્શન રંગ રે; નિજ સુખ કે સપૈયા, તું તો નિજગુણ ખેલ વસંત રે, નિજ સુખ કે સવૈયા.” Page #50 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાળા વિવેચન Iો પર શ્રીમદ્ રાજચંદ્ર આત્મપ્રદેશરૂપ રંગથલ એટલે રમવાનું સ્થળ. તે સ્થાનમાં ૦ સમ્યગદર્શનરૂપ રંગવડે હે સવૈયા એટલે હે આત્મસુખના સાથનારા! તું તારા આત્મગુણરૂપી વસંતનો ખેલ, ખેલ. ૭૦. અધિકારી હો તો પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે. રાજા કેવો હોય તેનો ખ્યાલ આ વાક્યમાં આપ્યો છે. પ્રજા જેને માન્ય કરે કે મોટો માને તે રાજા પણ, પોતાને પ્રજાનો નોકર માને છે. તો તેના હાથ નીચેના નોકરોએ તો પ્રજાનું હિત એ જ મુખ્ય કર્તવ્ય છે એમ ગણવું જોઈએ. સપુરુષ આખા જગતના શિષ્ય થવાની ઇચ્છા રાખે છે, તો એના શિષ્ય તો વિશેષ નમ્રતા રાખવી જ જોઈએ. એમાં કંઈ કહેવું પડે એમ નથી. અધિકારી હોય તે રાજાનું બહુમાનપણું રાખે છે, અને રાજા પ્રજાના હિતને બહુમાન દ્રષ્ટિએ જાએ છે તેથી અધિકારીએ પણ પ્રજા પ્રત્યે તે દ્રષ્ટિ ચૂકવા યોગ્ય નથી. અધિકારીના બે અર્થ છે : (૧) અમલદાર (વ્યવહારમાં) (૨) આત્મજ્ઞાનનો અધિકારી જ્ઞાની પુરુષ. “ઓઘવ અને અર્જુન જેવા અધિકારી પણ ગુરુશરણે ગયા.” અધિકારી તે મુમુક્ષુ. પ્રજા તે મુમુક્ષુના ગુણો. પ્રજાહિત તે મુમુક્ષુના ગુણો વિકસાવવા. રાજા તે સદ્ગુરુ દ્વારા બોધ આદિથી મુમુક્ષુ પોષાય છે, પુષ્ટ થાય છે. સદ્ગુરુનો લક્ષ મુમુક્ષુને મોક્ષ કે સમકિત પમાડવાનો હોય છે. સદ્ગુરુ આપણને મોક્ષે લઈ જવા ઇચ્છે છે. પણ તે કહે તેમ ન કરીએ તો આપણે અધિકારી ન કહેવાઈએ, નમકહરામ કહેવાઈએ. લૂણ ખાઈને હરામ કરે તે હરામખોર અથવા હરામનું ખાનારો કહેવાય છે. કલમના ઉપદેશનું દ્રષ્ટાંત - એક જજ જજમેન્ટ લખતાં પોતાની કલમ કાને ચડાવી વિશ્રાંતિ લેવા બેઠા હતા. તે વખતે કલમને અચાનક વાચા થઈ અને કાનને કહેવા લાગી કે તારી જ્યાં સુધી અમલદારી છે ત્યાં સુધી તારે હાથે કોઈનું ભલું નહિ થાય તો જેવી મારી ગતિ થઈ તેવી તારી પણ થશે. કારણ કે મને શાહીના ખડિયામાં બોળવાથી જેમાં મારું મોટું કાળું થઈ જાય છે તેમ તારો અધિકાર છૂટી ગયા પછી જો તેં ધણીનું હિત સાચવી અન્યનું ભલું નહીં કર્યું તો તારું મોટું પણ કાળું થશે. અધિકારમાંથી અ શબ્દ નીકળી જતાં ધિક્કારની નજરે તારા જ્ઞાત્મિ બંધુઓ તથા પ્રજાજનો તને જોશે. માટે તારો અધિકાર છે ત્યાં સુધી સત્કાર્ય કરી લેજે; નહિ તો પસ્તાવાનો સમય પેન્શન વખતે આવશે. સારું કરતાં વાર બહુ, નરસું તરત જ થાય.” -સાદી શિખામણમાંથી ૭૧. વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્ પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. વ્યાવહારિક કાર્યો પણ લક્ષ દઈને કરવા માટે કહે છે. જે કરવું તે વિવેકપૂર્ણ કરવું. એવી પ્રતિજ્ઞા જાણે લીધી હોય તેમ વ્યવહારકાર્ય પણ વિચારીને કરવું. વ્યવહારિક કાર્ય છે તેથી બગાડવા જેવું નથી. જે કરવું તે સારું કરવું. પ્રતિજ્ઞા માની એટલે પ્રતિજ્ઞા લઈને કરવું એમ કહેવું નથી પણ જાણે કે પ્રતિજ્ઞા લીધી હોય તેવી રીતે કાળજીપૂર્વક વર્તવાનું કહ્યું છે. ઉપયોગ એટલે કાળજી, લક્ષ, કામ બગડે નહીં તેમ. કૃપાળુદેવ વેપાર કરતા હતા ત્યારે કેવી રીતે વ્યવહાર રાખતા તે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પૃષ્ઠ ૨૩૫ ઉપર રોજનીશીમાં નીચે પ્રમાણે જણાવ્યું છે - વચનામૃત (રોજનીશી) “અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર–પ્રીતિપૂર્વક ઉતાર. (૧) કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર e (૨) તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં; અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું. (૩) જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂંક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિઘ્ન નડશે, તથાપિ દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. (૪) તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ; નહી તો તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સોંપો તેમાં) કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં; મને વ્યવહા૨સંબંધી અન્યથા લાગણી નથી, (વ્યવહારને હું બીજા પ્રકારે તુચ્છ ગણતો નથી. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે' એમ તે સમજે છે, એટલે એમને કામ ન સોંપશો, એ તો ધ્યાનના તરંગમાં રહે છે, બધું કામ બગાડી દેશે—એવા અભિપ્રાય ન બાંધશો) તેમ હું તમારાથી વર્તવા ઇચ્છતો નથી, (તેમ હું પણ તમારા પર અવિશ્વાસ રાખતો નથી કેમ કે તમે બગાડી નાખશો એવું.) એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તો તે માટે પશ્ચાતાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલ કામ કરતાં હું નિરભિમાની રહીશ. (કોઈ કામ સારું થયું હોય તો હું બધું કામ કરું છું એવું અભિમાન હું નહીં કરું) મારી ભૂલને માટે મને ઠપકો આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તો તમારો ઉપકાર માનીશ, અને તેનો ખરો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઈપણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશો નહીં; તમારી ઇચ્છાનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈપણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિશ્રેણીમાં વર્તવા દેતાં કોઈરીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં; અને ટૂંકુ કરવા જો તમારી ઇચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. તે નિવૃત્તિશ્રેણિને સાચવવા મારી ઇચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. (જે યોગ્ય લાગે તે કરી લઈશ ૯૫ પુષ્પમાળા વિવેચન – Ultimatum જેવું છે.) મારું ચાલતા સુધી તમને દુભવીશ નહીં. અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણી તમને અપ્રિય હશે, તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઈશ.’’ વહેવારમાં પણ જ્ઞાનીપુરુષો કેમ વર્તે છે તે બધું અત્રે જણાવ્યું છે. ૭૨. સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. આખા દિવસમાં શું કરવું તે બધું કહી દીધું. દિવસે સૂવાની ના પાડી હતી. ભક્તિ શાસ્ત્રવાંચન વગેરે કર્તવ્ય દર્શાવ્યું હતું. પ્રવૃત્તિનો કાળ પૂરો થયો એટલે હવે નિવૃત્તિ લેવી હોય તો લેજે એમ કહે છે. ઊંઘના ૬ કલાક (બે પહોર) જ કહ્યાં છે. રાત્રે શાંતિ હોય છે. ઊંડા ગંભીર વિચાર કરવા માટે રાત્રિ, દિવસની ધમાલથી રહિત હોવાથી વધારે અનુકૂળ છે. પ્રતિમા યોગધારી પુરુષો હવેથી મારે શરીરની સંભાળ ન લેવી એવી પ્રતિજ્ઞા કરીને એક મુદ્રામાં ઊભા કે બેઠા આખી રાત ગાળે છે. શુદ્ધ ઉપયોગમાં જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી કાઉસગ્ગમાં રહે અને તેમાંથી ઉપયોગ ખસી જાય ત્યારે ચેતતા રહી શુભ ઉપયોગમાં રહેવા માટે સ્વાધ્યાય, વિચાર, ભાવના કોઈ કડી લઈને વિચાર કરે કે બાર ભાવનાનું સ્મરણ કરે છે. મન ચંચળ થાય ત્યારે એમ પુરુષાર્થ કરતા કરતા જ્યારે મન પાછું સ્થિર થઈ જાય ત્યારે ધ્યાનમાં (શુદ્ધભાવમાં) રહે છે. શુદ્ધભાવમાં બીજું બધું જાણવાનું કે વિચારવાનું મૂકી દઈ આત્મા એક પોતાને જ જાણી તેમાં સ્થિર રહે છે. પ.પૂ.પ્રભુશ્રીજી ઉપરનો પત્ર જેમાં “શુદ્ધ ઉપયોગનું વર્ણન છે “કે હે મુનિઓ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. (પુરુષાર્થ કરો.) આત્માનું સ્વરૂપ જ્ઞાનીએ કહ્યું છે તેનો વિચાર કરે, ગોખે, સ્મરણભક્તિ કરે તે શુભભાવના છે. ધ્યાન એટલે આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થાય તે. ચંચળતાથી અત્યારે આત્માને ભૂલી બાહ્ય પદાર્થોને ઇન્દ્રિયદ્વારથી જાણવાનો જીવને અભ્યાસ થઈ ગયો છે તે પડતો મૂકી માત્ર ઉપયોગમાં ઉપયોગ રહે તે ધ્યાન છે. ‘‘જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહે એમ નથી.’’ ફલાણું કરવું છે, ફલાણું વિચારવું છે તે બધું જતું રહે. બારણા બંઘ કરી Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૯૬ દે તેમ. સુરતમાં પ્રભુશ્રીજીએ ત્રણ ઉપયોગનું દૃષ્ટાંત આપ્યું હતું— (૧) અશુભ ઉપયોગ—કૂતરાને જેમ ઘરમાં પેસવા ન દે અને પેઠાં હોય તો કાઢી મૂકે; તેમ અશુભભાવ આવવા દેવા નહીં. અને આવે તો કાઢી મૂકવા, સત્સાધનરૂપ લાકડીથી. જ્ઞાનીએ સાધન આપ્યું હોય તે ભક્તિ વગેરે ક૨વા માંડે તો અશુભભાવ નાસી જાય. (૨) શુભ ભાવ—મેમાન આવે તો તેની આગતાસ્વાગતા કરે તેમ શુભ ભાવો માટે બારણાં સામાન્ય રીતે ઉઘાડાં રાખે, અશુભ ભાવોથી બચવા માટે. (૩) શુદ્ધભાવ—બારી બારણાં બંધ કરીને સુરક્ષિત, નિશ્ચિંત જેમ રહે તેમ માત્ર આત્મામાં રહેવું તે. “જ્યાં જીવના પરિણામ વર્ધમાન, હીયમાન (ઘટે) થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે અર્થાત્ ધ્યાનમાં લીનપણે સર્વ બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી, નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંઘાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ કોઈપણ પરદ્રવ્યમાં એક સમયે પણ ઉપયોગ સંગ ન પામે, એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.’’ કેવળજ્ઞાન સુધીનો રસ્તો બતાવી દીધો. ૭૩. આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય : (૧) આરોગ્યતા. (૨) મહત્તા. (૩) પવિત્રતા, (૪) ફરજ. આખો દિવસ પૂરો થયો. તેમાં જે કામ કર્યા તેને નીચેની ચાર દૃષ્ટિથી તપાસી જવા કહે છે. તે આ પ્રમાણે— (૧) આરોગ્યતા – આરોગ્યતાને હાનિ પહોંચે એવું કોઈ કાર્ય થયું હોય તો કુશળપણે આજનો દિવસ ગળાયો નથી. ફરી એવો દોષ બીજે પ્રસંગે ન થાય તેટલા માટે વિચારવા કહ્યું. જેમકે સ્વાદવશ અપથ્ય ખોરાક લેવાયો હોય આદિ દોષો થયા હોય તે ફરી ન થવા ધ્યાનમાં રાખવા જણાવ્યું. (૨) મહત્તા – એટલે મોટાઈ. તેના બે ભેદ છે. (૧) લૌકિક (૨) અલૌકિક. પુષ્પમાળા વિવેચન (૧) લૌકિક મહત્તા એટલે લક્ષ્મી, માન, કુટુંબ, પુત્ર, અધિકાર આદિ વગેરેની મહત્તા. મહત્તા શાની છે? તો કે પાપજન્ય કર્મની; તેથી ખરી રીતે તે મહત્તા નથી પણ લઘુતા છે. તેથી આ વિષે પરમકૃપાળુદેવે જણાવ્યું કે “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો; શું કુટુંબ કે પરિવારથી વઘવાપણું એ નય ગ્રહો.'' (૨) અલૌકિક—એટલે આત્માની મહત્તા. તે સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. ૭ ઉપર જણાવેલી લૌકિક મહત્તા તે કર્મ મહત્તા છે. પણ તે સવળી થઈ શકે છે. જેમકે લક્ષ્મીથી શાણા પુરુષો દાન દે છે, ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભંજન થાય છે. એક પરણેલી સ્ત્રીમાં જ માત્ર વૃત્તિ રાખી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જાએ છે. કુટુંબવડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્રવડે તેને સંસારનો ભાર આપી પોતે ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણ વડે આચરણ કરી રાજાપ્રજા બન્નેનું હિત કરી ધર્મનીતિનો પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક મહત્તા પમાય ખરી, છતાં એ મહત્તા ચોક્કસ નથી. મરણભય માથે રહ્યો છે, ધારણા ધરી રહે છે. (પડી રહે છે મરણ આવે તેથી.) યોજેલી યોજના કે વિવેક વખતે હૃદયમાંથી જતો રહે એવી સંસારમોહિની છે. એથી આપણે એમ નિઃસંશય સમજવું કે સત્યવચન દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મમહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી એમ મારું માનવું છે. (મોક્ષમાળા પાઠ-૧૬ ખરી-મહત્તા) (૩) પવિત્રતા – કોઈ પાપથી આત્મા કલંકિત થયો હોય તેને માટે ૧૮ પાપસ્થાનક દ્વારા દિવસના કાર્યો તપાસી જવા. જુદી જુદી દૃષ્ટિએ વિસ્તારથી વિચારવા માટે ૧૮ કહ્યાં છે. તે દોષોને જોઈ દૂર કરી પવિત્ર થવું. સત્પુરુષની આજ્ઞાનું આરાધન એ પવિત્ર થવાનું કારણ છે. તેમાં બાઘાકારી વિષયકષાયના જે પ્રસંગો થયા હોય તે વિચારી દૂર કરવા. તે દૂર કરવાના સાધનોમાં કંઈ ખામી આવી હોય તો દિવસ અકુશળતાથી ગાળ્યો કહેવાય. (૪) ફરજ–કરવા યોગ્ય (આવશ્યક) કાર્ય. કરવાયોગ્ય બિલકુલ રહી Page #53 -------------------------------------------------------------------------- ________________ | ૯૮ શ્રીમદ્ રાજચંદ્ર ( ગયું હોય અથવા તો બરાબર બજાવ્યું ન હોય, તો તે દોષ ગણાય. જ આ રીતે ફરજના બે ભાગ પડે. (૧) પોતાના તરફથી (આત્માની) ફરજ બજાવવી. આત્મોન્નતિ સંબંધી આગળ વઘાયું છે કે નહીં તે વિચારવું. ભક્તિ પ્રયોજન, ઘર્મ કર્તવ્ય પ્રયોજન, વિદ્યાપ્રયોજન વગેરે જે પ્રમાણે દિવસ ગાળવા કહ્યું તેમાં કંઈ ખામી આવી છે કે કેમ તે તપાસી જોવું. (૨) અન્યના સંબંધી બીજા આપણી પાસે આશા રાખતા હોય તે પરના સંબંધી. દેહથી તે આખા દેશ સુધીની જે ફરજ બજાવવા યોગ્ય હોય તે આમાં સમાય છે. માતા, પિતા, સ્ત્રી, પુત્ર, કુટુંબી પ્રત્યેની ફરજ કે ગામની કે સરકારના ટેક્સ વગેરે ભરવા, દેશના નિયમ પ્રમાણે વર્તવું, દેહ નીરોગી રહે તેની કેટલા પ્રમાણમાં સંભાળ લેવી, એ સર્વ ફરજના અર્થમાં સમાય છે. ૭૪. જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. આત્માને અર્થે આ જીવન છે. આત્માર્થની સફળતા થાય તેવું કામ તે મહાન કામ છે, અથવા તો અન્યને આત્માર્થના કામમાં ઉપયોગી થવાય તે પણ મહાન કામ છે. પોતાના આત્માનું મહાન હિત થવાનો કોઈ ચોક્કસ પ્રસંગ હોય તો તે વખતે બીજાં દૈહિક સુખમાં ખળી રહેવા યોગ્ય નથી. પત્રાંક ૬૦૯માં ૧૧મા બોલમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહપુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો (છૂટવા ઇચ્છનારે) અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે-પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, (જેમ કે સપુરુષની સેવાનો લાભ મળ્યો હોય તે વખતે શરીરની સગવડો, હવા પાણી કશા તરફ લક્ષ રાખવાની જરૂર નથી.) પણ તેથી (સત્સંગ કરતાં) કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી, તેમ પ્રમાદે રસગારવાદિ દોષ તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ઘર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી. એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં.” ૭૫. કરજ એ નીચ રજ (ક+રજ) છે; કરજ એ યમના હાથથી નીપજેલી પુષ્પમાળા વિવેચન વસ્તુ છે; (કર+જ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ) ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતાજે, અને નવું કરતાં અટકજે. દેવું કરવું કેટલું ભયંકર છે તે જણાવવા માટે આટલો વિસ્તાર કરીને લખ્યું છે. સારો માણસ હોય તેને પોતાને જ દેવું વાળવાની ફિકર રાતદિવસ રહ્યા કરે છે. મોક્ષમાળાના ‘સુખ વિષે વિચાર’ નામના પાઠમાં પોતાનું ગયેલું ઘન પાછું મેળવવા માટે કેટલું એને વેઠવું પડ્યું છે તેનું વિસ્તારપૂર્વક વર્ણન એમાં છે, એ તો એણે કંઈ દેવું કરેલું નહોતું પણ મારી ગયેલી આબરૂ પાછી મેળવવી એવી જે પ્રતિજ્ઞા કરેલી તે પણ દુઃખદાયક થઈ પડી તો દેવા સહિત મારે મરવું નથી એમ જેને મનમાં રહ્યા કરતું હોય તેને કેટલો બધો બોજો લાગે? માટે દેવું કરવું જ નહીં અને કર્યું હોય તો ઝટ પતાવી દેવું. અહીં ત્રણ ઉપમાઓ આપી છે તે યથાર્થ છે. (૧) ક+રજ =કુરજ. ખરાબ વસ્તુ જેમકે રેચ લીઘો હોય ને કપડું બગડી જાય, હાથ બગડી જાય તો તે અપવિત્ર વસ્તુને જેમ બને તેમ ત્વરાથી દૂર કરીએ છીએ. તેમ કરજ દૂર કરવાને જીવ અધીરો થઈ જાય છે અને તેથી એક પ્રકારનું દુઃખ વેદે છે. જેમ બગાડેલા કપડાંની લજ્જા હોય તેથી દૂર કરે છે તેમ. આત્માનુશાસનમાં જ્ઞાનીનો વૈરાગ્ય કેવો હોય છે તે બતાવવા માટે કહ્યું છે કે જાણે શરીર એ અપવિત્ર વસ્તુ છે તેને ફેંકી દેવા માટે જ્ઞાની તૈયાર થયા હોય. તેમને જ્ઞાન એટલે સાચી સમજણ હાથ પકડીને અટકાવે છે કે આ શરીરથી તો મોક્ષનું સાઘન થવાનું છે, માટે ઉતાવળ ન કર. બુદ્ધના જીવનમાં પણ આવે છે કે બુદ્ધ ૧૫ દિવસ એકાંતમાં રહેવા માટે બઘા સંઘથી જાદા રહ્યા અને બધા સંઘને અનિત્યભાવના વિચારવાનું કહ્યું. તેથી સંઘે બધું જ અનિત્ય અને દુઃખદાયક છે તેમ આ શરીર પણ અનિત્ય અને દુઃખદાયક છે. માટે તેનાથી જેમ બને તેમ મુક્ત થવું એમ એકાંતે વિચાર કરીને કેટલાંક નદીમાં તણાઈ મર્યા, કેટલાંક પર્વત ઉપરથી પડીને મરી ગયા, કેટલાંક સામસામી વિનંતી કરવા લાગ્યા કે તું મને મારી નાખે તો મારી જે કિંમતી વસ્તુઓ છે તે તને આપું. પછી બુદ્ધને ખબર પડી એટલે બઘા સંઘને આવીને સમજાવ્યો કે એમ કરવાનું નથી. તેમ દેવું થઈ ગયું તેથી કંઈ મરી જવાનું નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૦ { પણ ઘીરજથી તે આપવાની ભાવના રાખી પુરુષાર્થ કરવો યોગ્ય છે. કરજ એ યમના હાથની નીપજેલી વસ્તુ છે – એટલે મરણ આપે એવી છે. કોઈની વસ્તુ કે પૈસા લઈને ન આપી શકીએ તો સામો માણસ વેર રાખે છે, ઘન એ પ્રાણ ગણાય છે; એટલે પ્રાણ લેવા તૈયાર થાય છે. દેવું પતાવ્યા વગર મરી જાય તો પરભવમાં પણ ઝાડ પાસે ઝાડ થઈને આપવું પડે છે. મોટું ઝાડ હોય તેનો રસ જે નવું ઝાડ બાજુમાં ઊગ્યું હોય તે ચૂસીને જીવે છે. પૈસા ચૂસીને લીઘા હોય કે છેતરીને કે થાપણ ઓળવીને તો જરૂર પાછા આપવા પડે છે, કોઈને ત્યાં ઢોર, પશુ, નોકર ઇત્યાદિ થઈને પણ વાળવું પડે છે. યમે જેમ ગળું પકડ્યું હોય તેના જેવું આ કરજ છે. માટે કદી કરવું નહીં. | (કર+જ) કર રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે - દેવું ન પત્યું હોય તો એના પર કેસ કરે છે. અને અંતે જમી લાવે છે. તે જમી લાવનારને કંઈ દયા હોતી નથી. પૈસા આપવાના હોય તો ઘર, વસ્તુ, કપડાં, ઘરેણાં પણ હરાજી કરીને લે છે. તે આબરુ ખોઈને પણ આપવા પડે છે. માટે કરજ હોય તો આજે ઉતારજે, અને નવું કરજ કરતાં અટકજે. ૭૬, દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઈ જા. સાંજે જેમ પ્રતિક્રમણ કરે તેમ આખા દિવસના બધા કૃત્યોનું ગણિત એટલે જેટલા ગણી શકાય, તેવાં મુખ્ય મુખ્ય કાર્યોનો વિચાર કરી જા. જેમ વેપારી ઘનની અગત્યતા ગણે છે તો તેને માટે રોજ નામું લખે છે અને વ્યાપાર કેમ ચાલે છે તે ભણી દ્રષ્ટિ રાખે છે અને લાભ થાય છે કે ખોટ તે જુએ છે. તેમ જીવનની જેને કિંમત સમજાઈ હોય તે દરેક દિવસ કેમ જાય છે તેનો વિચાર કરે છે. અને જતા દિવસના અનુભવ ઉપરથી આવતો દિવસ કેમ ગાળવો તેનો ક્રમ નક્કી કરે છે. ૭૭. સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. અમુક બાબતો કરતાં અટકજે અથવા અમુક વિચાર કરીને દિવસમાં પ્રવેશ કરજે આદિ કહ્યાં હતા તે ચેતાવવા માટે, ભૂલ ન થાય માટે કહ્યાં હતાં. તેમ છતાં કંઈ અયોગ્ય થયું હોય તો તેવું કાર્ય બીજા દિવસે ન થાય તે માટે પશ્ચાત્તાપ કરી શિખામણ ગ્રહણ કરવાનું કહે છે. એકલો પશ્ચાત્તાપ કરે અને ૧૦૧ પુષ્પમાળા વિવેચન ફરી એવી ભૂલો કર્યા કરે અને ફરી પશ્ચાત્તાપ કર્યા કરે તેથી જીવન | સુઘરતું નથી. માટે એવા દોષ ન કરવાની શિખામણ લે. કોઈ માણસને બરોબર લાગી ગયું હોય તો એમ કહેવાય છે કે એને શિક્ષા લાગી, “અચંકારી ભટ્ટા ટુંકારી ભટ્ટાણી”ની જેમ. અચંકારી ભટ્ટાનું દ્રષ્ટાંત :- અચંકારી ભટ્ટા ક્રોથ કરીને એના ઘણી પર રીસાઈને પોતાના બાપને ત્યાં રાતના બાર વાગે ઘર છોડીને નીકળી ગઈ. રસ્તામાં ચોરે એને પકડી. અને એ બાઈને દૂર દેશમાં જઈ વેચી દીધી. રંગારાએ એને ખરીદી. એનું લોહી રંગવા માટે કાઢે, પંદર પંદર દિવસે એની નસમાંથી લોહી કાઢતા અને પંદર દિવસ સુધી એને ખવડાવીને પુષ્ટ કરતાં. એક દિવસે એનો ભાઈ એ ગામમાં વેપાર અર્થે ગયેલો તેને બાઈએ ઓળખ્યો. બોલાવીને બધી વાત કહી. તેણે પોતાની બહેનને પૈસા આપી છોડાવી અને ઘેર લઈ ગયો. આટલું બધું દુઃખ એને પડ્યું તેથી સહેજે શિક્ષા લાગી અને જિંદગીમાં કદી ક્રોઘ ન કરું એમ એણે નક્કી કર્યું અને તે પ્રમાણે વ્રત પણ લીધું. ઇન્દ્ર દેવસભામાં એકવાર તે બાઈના વખાણ કર્યા કે તે કદી ક્રોથ કરતી નથી. એણે ક્રોઘ કષાયને જીત્યો, વશ કર્યો તેથી તેને ઘન્ય છે! એમ કહ્યું. પછી દેવો તેની પરીક્ષા કરવા માટે આવ્યા કે ક્રોધ ન કરે એમ કદી બને નહીં. સાધુનો વેશ લઈ દેવે અચંકારી ભટ્ટા પાસે આવીને ‘લક્ષપુટ' કિંમતી તેલ હતું તેની સાધુની દવા કરવા માટે માગણી કરી. દાસી પાસે ભટ્ટાણીએ એ તેલનો શીશો મંગાવ્યો. લઈને આવતાં દાદરો ઉતરતાં શીશ દાસીના હાથમાંથી પડી ગયો તો પણ તે ભટ્ટાણીને ક્રોધ થયો નહીં અને દાસીને કહ્યું એની સાથે બીજો શીશો છે તે લાવી આપ. બીજો પણ એવી રીતે દેવમાયાથી દેખાડ્યું કે તૂટી ગયો. એમ સાતે શીશા દાસીએ આણેલા તૂટી ગયેલા દેખાડ્યા છતાં એને (શેઠાણીને) ક્રોથ થયો નહીં. ઊંચા વચનથી, ઠપકો આપીને પણ ક્રોધ કર્યો નહીં. વચનથી ગાળ ભાંડે કે ઠપકો ન દે પણ કિંમતી વસ્તુનો નાશ થાય તો મનમાં ખોટું લાગ્યું હોય તે જણાઈ આવે છે. પણ આના મનમાં કાંઈપણ ઊંચુંનીચું થયેલું નહીં કે દાસી ખરાબ છે કે હવે ન મળે એવી દેશાંતરથી વસ્તુ આણી હતી તે બથી નાશ પામી ગઈ ઇત્યાદિ કંઈ થયું નહીં. એના મનમાં કંઈ થતું નથી એવું દેવે અવધિજ્ઞાનથી, જાણી પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી, તે બાઈને નમસ્કાર કરી, પૂજા કરી Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૨ જણાવ્યું કે ઇન્દ્ર તમારા વખાણ કર્યા હતા તે યોગ્ય જ હતા. પણ હું માની શક્યો નહીં તેથી પરીક્ષા કરવા આવ્યો હતો. એકે શીશો તમારો ફૂટ્યો નથી. માત્ર દેવમાયાથી તેમ બતાવ્યું હતું. એના જેવી શિખામણ આપણે લેવા જેવી છે. શિખામણ લાગે તો સ્વપ્નમાં પણ ક્રોઘ ન થાય. ૭૮. કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે. દિવસમાં કંઈ સારું કામ થયું હોય તેને સફળતાનું કારણ માની આનંદિત થવું પણ અભિમાન કરવું નહીં, એની પણ સાથે ભલામણ કરી. આનંદ પામવો એ જુદી વાત છે અને અભિમાન થવું એ જાદી વાત છે. મરીચિનું વૃષ્ટાંત - જ્યારે ઋષભદેવ ભગવાને ભરતરાજાને તેમનો પુત્ર મરીચિ તે આ ભરતક્ષેત્રના પોતનપુરનગરમાં પ્રથમ ત્રિપુષ્ટ વાસુદેવ નામે થશે.પછી છેલ્લા ચક્રવર્તી થશે અને આજ ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર નામે થશે. એમ કહ્યું ત્યારે ભરતરાજાને આનંદ થયો અને મરીચિને નમસ્કાર કરવા ગયા. મરીચિએ આ બધું સાંભળ્યું ત્યારે તેને આનંદ સાથે અભિમાન થયું. તેથી ભરત ચક્રીને તો ગુણ પ્રશંસાથી આગળ વધવાનું થયું અને મરીચિને અભિમાનથી પાછળ પડવાનું થયું. માટે કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને પણ અભિમાન કરવું નહીં એમ કહ્યું. બીજા તરફ દ્રષ્ટિ જાય છે ત્યારે અભિમાન થાય છે કે બીજા હલકા ને હું મોટો. પણ એમ કરવું નહીં. ૭૯. જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. સાંજે વિચાર કરતાં એમ લાગે કે આજના દિવસમાં અમુક કામ ન ઘટે તેવું જાણી જોઈને થયું છે. અથવા તો શરતચૂકથી થયું છે, તો તેવા કામનો ત્યાગ કરજે અને ફરી તેવું કામ કરતાં અટકજે. જાણતાં-અજાણતાં પણ ભોળાભાવે કોઈએ કહ્યું હોય તે માની લીધું હોય, અથવા કોઈ કપટથી કહેવા આવ્યો હોય તેમાં હા માં હા ભણીને અજ્ઞાનપણે અન્યાયમાં ઉત્તેજન આપ્યું હોય; તે સાંજે વિચાર કરતી વખતે જો દોષરૂપ જણાય તો એક વખત હા પાડી છે તે હવે ફરી ના કેમ કહેવાય એમ માનીને અન્યાયને પોષ્યા ન જવું. ફરી તેવો દોષ ન થાય માટે ચેતતા રહેવું. ૧૦૩ પુષ્પમાળા વિવેચન ૮૦. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની ની નિવૃત્તિ શોધજે. વ્યવહાર એટલે અવશ્ય કરવાં પડે તેવાં કાર્ય નિયમિત કરવાં. નિયમ જેને ન હોય તેને નવરાશ જ આવતી નથી, કારણ કે સંસારનાં કામ ખૂટે એવાં નથી. સાહેબ લોકો ટાઈમ રાખે છે—ઓફિસ આદિનો; પણ વાણિયા કંઈ નિયમ રાખતા નથી, આખો દિવસ ત્યાં બેસી રહે છે. તેમને નવરાશ આખા દિવસમાં હોતી નથી. કહેવત છે કે “દરજીનો દિકરો જીવે ત્યાં સુધી સીવે.” રાત્રે પણ એને સીવવાનું કામ હોય. કાળજી ન રાખે તો આખો વખત વહેવારના કામમાં જતો રહે. તેથી વ્યવહારનો નિયમ રાખવા કહ્યું, અને જો સ્વતંત્ર હો તો સંસાર પ્રયોજન માટે બે પ્રહર કહ્યા છે. બાકીનો વખત બચે તે મોક્ષના સાધનમાં ગાળવા યોગ્ય છે. તેથી કહ્યું કે “નવરાશે સંસારની નિવૃત્તિ શોથજે.” ક્યારે નવરો પડું કે મોક્ષનું કામ કરું, એમ મનમાં રહેવું જોઈએ. ૮૧. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે તું આનંદિત થા તો જ આ૦- (આત્માર્થી કહેવાય) સન્મુરુષના બોઘનું અવલંબન લઈ, તેમની શિખામણ માનીને આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી આખી જિંદગી ગાળવાનો ઉત્સાહ કાયમ રહે અને તેમાં આનંદ માને તો તું આત્માર્થી કહેવાય. “શેઠની શિખામણ ઝાંપા સુધી.” એ કહેવત પ્રમાણે સદ્વાચનથી તાત્કાલિક પ્રેરણા પામી પછી શિથિલ થઈ જાય તો તારામાં હજી જિજ્ઞાસાપણું જાગ્યું નથી કે તું મુમુક્ષુદશામાં આવ્યો નથી. સવારે વિચાર કરવા કહ્યું. સાંજે વળી તપાસ કરવા કહ્યું કે કેમ વર્તાયું, એમ વારંવાર ગોદાવાથી થોડાક દિવસ ઠીક ચાલે અને પછી ગળિઆ બળદ જેવો હતો એવો ને એવો થઈ જાય નહીં માટે આ કહ્યું છે, આ શિખામણ પુષ્પમાળામાં આપી છે તે સ્વાભાવિક એટલે સહજ થઈ જાય, તેમ પુરુષાર્થ કરવાની જરૂર છે. ૮૨. આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે. સફુરુષનાં વચનોમાં વૃત્તિ રોકાય તેટલી વાર યથાર્થ જીવન ગાળ્યું એમ ગણવા જણાવ્યું. એટલું જ તારું જીવન છે, બીજું બધું એ મરણ સમાન છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૪ જે વચનો ગ્રહણ કર્યા તે પ્રમાણે સદ્વર્તન કરજે (સવૃત્તિમાં દોરાજે). સવૃત્તિમાં વર્તે તેને અશુભભાવ (વૃત્તિઓ) રોકાય છે. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું હતું કે મુનિ “વૃત્તિઓને રોકજો.” “કેવળ અંતર્મુખ થવાનો સફુરુષોનો માર્ગ સર્વદુ:ખક્ષયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. મહપુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એક માત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગ્રહીત છે. ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ૐ'' (વ.પૂ. ૬૧૪) ૮૩. સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. વિદુરનીતિ–પ્રભુશ્રીજી કહે આ “નીચેના બોલ આત્માને હિતકારી લાભનું કારણ છે.” “(૧) અવશ્ય કરવા લાયક કર્મ –થીરજ, શમ, સત્ય, પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા ધ્યાન, ધારણા અને સમાધિ વગેરેને અનુસરવું. ધ્યાન, ધારણા, સમાધિ આ ત્રણ ધ્યાનના પ્રકાર છે. એકાગ્ર થવાની શરૂઆત તે ધ્યાન. તેમાં ટકે તે ધારણા અને તેમાં સ્થિર થાય તે સમાધિ. હૃદયની અહંતા-મમતારૂપ ગાંઠને અથવા અંતઃકરણની ચપળતાને દૂર કરવી. ઇષ્ટ અનિષ્ટપણું કરવું એ કર્મજન્ય છે. ઇષ્ટ અનિષ્ટપણું ન કરવું. પણ ભેદજ્ઞાન કરવું. આ કરવા લાયક કાર્ય મેં મારા ગુરુ પાસે સાંભળ્યાં છે. . (૨) ત્યાગ કરવાની વસ્તુઓ (અવશ્ય ન કરવા યોગ્ય) - બીજાને ગાળો ભાંડવી નહીં, બીજાનું અપમાન કરવું નહીં, મિત્રનો દ્રોહ કરવો નહીં, નીચની સેવા કરવી નહીં, અભિમાની થવું નહીં, સદાચારમાંથી ભ્રષ્ટ થવું નહીં. તીક્ષ્ણ તથા રોષવાળી વાણી બોલવી નહીં. (જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું.) આ જગતમાં તીક્ષ્ણ વાણી તે પુરુષોના મર્મભાગને, હાડકાંને, હૃદયને તથા પ્રાણોને બાળી નાખનાર છે. માટે શર્મિષ્ઠ પુરુષે હમેશાં દ્રોહ કરનારી, ભયંકર વાણીનો ત્યાગ કરવો. જે કઠોર વાણી બોલી મનુષ્યના મનને દુભવે છે અને વાણીરૂપ કાંટાઓથી મનુષ્યોને પીડે છે તે કઠોર પુરુષને અકલ્યાણનું પાત્ર સમજવું, અથવા કાળરૂપ વાણીને મુખમાં ધારણ કરનારો જાણવો. ૧૦૫ પુષ્પમાળા વિવેચન (૩) સજ્જન ક્ષમાશીલ જ હોય :- કોઈ દુષ્ટ મનુષ્ય પ્રદીપ્ત ) અગ્નિ અને સૂર્ય જેવાં તીવ્ર વાણીરૂપ બાણથી સજ્જનને ઘાયલ કરે છે, પરંતુ સજ્જન ઘાયલ થયા છતાં અને દુઃખી થયા છતાં પણ જાણે છે કે, “આ મનુષ્ય મારા પુણ્યમાં વઘારો કરે છે.” “ક્ષમા વીરસ્ત્ર પૂવન” ક્ષમા એ જીવને ભૂષણરૂપ છે. કહ્યું છે કે– સોરઠો) “નિંદક વેચે આપ, કછુ ન પાવે નિંદર્ભે, પરજનકો ગ્રહી પાપ, વણજ (વેપાર) કરત હૈ પુણ્ય કો” તે બીજાનું પાપ લે છે અને પોતાનું પુણ્ય એને આપે છે. (૪) દેવતાઓ કોને ચાહે છે? :- પોતાની સાથે વાદ કરનારા સાથે વાદ કરે નહીં, બીજાને વાદ કરવા માટે ઉશ્કેરે નહીં, કોઈ મારી જાય તો પણ તેને સામો મારે નહીં, અથવા તો બીજાની પાસે મરાવે નહીં, અને કોઈપણ પાપીને મારવાની ઇચ્છા કરે નહીં; તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે અને દેવતાઓ તેવા મનુષ્યને ચાહે છે. (૫) ચાર જાતનું બોલવું :- (ઝાડ મૌન રહે છે.) મૌન રહેવું તે ઉત્તમ છે, તે કરતાં સત્ય બોલવું તે ઉત્તમ છે. તે કરતાં સત્ય પણ પ્રિય બોલવું તે ઉત્તમ છે અને સર્વથી થર્મસ્વરૂપ પરમાર્થ સત્ય બોલવું તે વધારે ઉત્તમ છે. આ પ્રમાણે ચાર જાતનું બોલવું કહેવાય છે. (૬) વિષયનો ત્યાગ તે જ દુઃખનો ત્યાગ:- પુરુષ જે જે વિષયોથી દૂર થાય છે, તે પુરુષ તે તે વિષયજન્ય દુઃખમાંથી પણ મુક્ત થાય છે; કારણ કે વિષયથી મુક્ત થવાને લીધે ક્યાંયથી અણુમાત્ર પણ દુઃખ ભોગવતો નથી. (વિષયમુક્ત થયેલો પુરુષ પરાજય પામતો નથી.) તે બીજાનો પરાજય કરવા ઇચ્છતો નથી. કોઈ સાથે વેર કરતો નથી. નિંદા તથા પ્રશંસાને સમાન ગણે છે અને નિંદાથી શોક કરતો નથી, તેમ પ્રશંસાથી હર્ષ પામતો નથી. (૭) ઉત્તમ પુરુષના લક્ષણો - જે મનુષ્ય સઘળાંનું કલ્યાણ ઇચ્છે છે, કોઈના અકલ્યાણમાં મન રાખતો નથી, સત્ય બોલે છે, કોમળ બોલે છે અને જિતેન્દ્રિય છે તે જ ઉત્તમ પુરુષ ગણાય છે. (૮) મધ્યમ પુરુષના લક્ષણ :- જે પુરુષ પ્રિયવાણીથી સમજાવે છે, કોઈ વસ્તુ (આપવા) માટે પ્રતિજ્ઞા કરે તો તે વસ્તુ આપે છે અને પરના છિદ્રો જાણે પણ કહેતા નથી, તે મધ્યમ પુરુષ ગણાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૬ [ (૯) અદમ પુરુષનાં લક્ષણો - ખરાબ ઉપદેશ આપનાર, ૦ માર ખાનાર, શસ્ત્રથી ઘાયલ થાય તો પણ ક્રોથને લીધે પાછો ન ફરનાર, કરેલા ઉપકારનો નાશ એટલે અપકાર કરનાર, કોઈનો મિત્ર નહીં અને દુષ્ટ બુદ્ધિમાન; આ સર્વ અઘમ પુરુષની કળા જાણવી. જે પુરુષ બીજાની પાસેથી કલ્યાણકારી વાર્તા સાભંળી, તેના ઉપર વિશ્વાસ રાખતો નથી, જેને પોતાનો પણ વિશ્વાસ નથી, અને જે મિત્રોનાં વચનોનો અનાદર કરે છે તેને ખરેખર અધમ પુરુષ જાણવો. (૧૦) કોનો સંગ કરવો? :- જે મનુષ્યને પોતાનું કલ્યાણ કરવાની ઇચ્છા હોય તે માણસે ઉત્તમ પુરુષોની મૈત્રી કરવી, સમય ઉપર (વખત વિચારીને) મધ્યમ પુરુષોની સંગત કરવી, પણ અઘમ પુરુષોની સોબત કરવી નહીં. (૧૧) શાંતિનો માર્ગ:- વિદ્યા, તપ અને ઇન્દ્રિયના નિગ્રહ વગર તથા લોભનો ત્યાગ વગર તમને શાંતિ વળે એમ હું જોતો નથી. (હવે આનું ફળ કહે છે.) બુદ્ધિથી ભયનો નાશ થાય છે. તપથી તેજ મળે છે. ગુરુજનની સેવા કરવાથી જ્ઞાન મળે છે અને યોગ-સેવનથી શાંતિ મળે છે, જે પુરુષો દાનના ફળનો (અને યજ્ઞના ફળનો) એટલે સ્વર્ગાદિક પુણ્યનો ત્યાગ કરી રાગ તથા દ્વેષથી મુક્ત થાય છે તે આ જગતમાં જીવતાં છતાં મુક્ત થઈને ફરે છે. (૧૨) કોણ કોનો નાશ કરે છે? :- ઘડપણ રૂપનો નાશ કરે છે, આશા ધૈર્યનો નાશ કરે છે, મૃત્યુ પ્રાણોનો નાશ કરે છે, ઈર્ષા શર્માચરણનો નાશ કરે છે, કામ લજ્જાનો નાશ કરે છે, નીચની સેવા સદાચરણનો નાશ કરે છે, ક્રોઘ લક્ષ્મીનો નાશ કરે છે અને અભિમાન એટલે અહંકાર તે સઘળાનો નાશ કરે છે કેમકે ‘પાપમૂળ અભિમાન' છે. (૧૩) ક્યારે શું શું કરવું? – જે કામવડે રાત્રિ સુખમાં જાય તે કામ દિવસે કરી લેવું. જે કામ કરવાથી વૃદ્ધાવસ્થા સુખમાં જાય તે કામ પ્રથમ અવસ્થામાં કરી લેવું. અને વાવ જીવિત એટલે જીવતાં સુધી એવું કામ કરવું કે જે કરવાથી મરણ થયા પછી પણ સુખ મળે.” - વિદુરનીતિ) ૮૪. આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્યરુષોએ કહ્યું છે; માટે માન્ય કર. ૬૯માં પુષ્પમાં આ વાત કહી છે. તે જ વાત ફરી બીજી રીતે જાગૃતિ ૧૦૭ પુષ્પમાળા વિવેચન આપવા કહે છે. ૬૫માં પુષ્પમાં પણ વખત અમૂલ્ય છે આદિ કહ્યું છે હતું. જીવ પ્રમાદી છે અને પ્રમાદને પોષનાર કોઈ વાત સાંભળે તો તેને ઝટ ગ્રહણ કરે છે. અપશુકન આદિની વાતો સાંભળે, આજ તો આ વાર છે, આવા શુકન થયા એમ કરીને પ્રમાદ સેવે. તે પ્રમાદના કારણો દૂર કરવા કહે છે કે આજનો દિવસ સોનેરી છે. મનુષ્યભવમાં જે ધારે તે થઈ શકે. ગમે તેટલું સોનું આપવા છતાં એક દિવસ પણ જીવવાનો વઘી શકે તેમ નથી, એવો મનુષ્યભવનો દિવસ પવિત્ર કામમાં ગાળે તો પવિત્ર કહેવાય. દિવસને પવિત્ર કરનાર પણ પવિત્ર ગણાય. કૃતકૃત્ય થવારૂપ છે- એક અંતર્મુહૂર્તમાં જીવો મોક્ષે ગયા છે તો આખા દિવસની વાત તો શું કહેવી? જીવન સફળ થાય એવું સપુરુષનું વચન ગમે તે દિવસે અંતરમાં ઉતારે તો દિવસ ના નથી પાડવાનો કે હું અનુકૂળ કે પ્રતિકૂળ થાઉં. કાળ તો કાળરૂપે છે. કાળ દ્રવ્યમાં કંઈ શુભ કે અશુભપણું છે નહીં. ત્રણે કાળ એ તો એકરૂપે જ છે. ગરમી, ઠંડી કે સત્સંગાદિ વાતાવરણ તે પોતાના શુભાશુભ ભાવોને લઈને અનુકૂળ કે પ્રતિકૂળ કહેવાય છે. ખરી રીતે જોઈએ તો પોતાના કર્મને જ દોષ છે. કાળી તેમાં કંઈ કરતો નથી. કર્મ પોતે કર્યા છે માટે પોતાનો વાંક છે. તે ટાળવા જીવ પુરુષાર્થ કરે તો થઈ શકે તેમ છે. ઘણાં જીવોએ કર્મોને હઠાવ્યાં છે, અનુકૂળ કાળની રાહ જોઈને બેસી રહ્યા નથી; તે જ સફળ થયાં છે માટે સત્પષની શિખામણ પુરુષાર્થ કરવા માટે છે તે માન્ય કરવા યોગ્ય છે. ૮૫. જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. પોતાની પત્ની પ્રત્યેની પણ વિષયાસક્તિ ઘટાડવાનો પરમકૃપાળુદેવનો ઉપદેશ છે. કારણ કે મનને એ મલિન કરે છે. મલિન મનમાં આત્માનું પ્રતિબિંબ પડતું નથી. “मत्तचत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वह्म । તાઝપUTઈffસ માં પુરા વેઢ તત્ત્વતઃ ” -સમાધિશતક ઇંદ્રિયદ્વારથી ચુકી, પડ્યો હું વિષયો વિષે; ભોગો પામી ન મેં પૂર્વે, જાણ્યું રૂપ યથાર્થ જે.” -સમાધિશતક Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પુષ્પમાળા વિવેચન ચઢવાનું છે એમ એણે માન્યું. તેવામાં જ આંબા પરથી એક સાખ , નીચે પડી, તે ઊઠીને એણે લીઘી. કેવો સરસ એનો રંગ છે એમ જોઈને સુંઘવાનું મન થયું, અને વિચાર્યું કે સુંઘવામાં ક્યાં ઝેર ચઢવાનું છે? પછી ચપ્પ ગજવામાંથી કાઢયું કે મારે તો ખાવી નથી પણ બીજાઓને ચીરીઓ કરીને આપું. આ કેરી ખાવા જેવી છે. પછી બઘાને જેટલાં ચીરીયા હતાં તે વહેંચી દીધા. પછી ગોટલો રહ્યો. શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૮ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં, સ્પર્શેન્દ્રિયનો પરિચય જીવને અનાદિકાળથી છે. તે દૂર કરવા જ્ઞાની તેનો પ્રથમ ઉપદેશ કરે છે. ઉપમિતિ ભવ પ્રપંચમાં સ્પર્શનની વાત પહેલી આવે છે. “એક વિષયને જીતતાં જીત્યો સૌ સંસાર.” “પાત્ર થવા સેવા સદા બ્રહ્મચર્ય મતિમાન.” સ્પર્શેન્દ્રિયને જીતવી તે દેહાધ્યાસ દૂર થવાનું કારણ છે. ૮૬. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. કામાંઘ જીવો પોતાનું અને પરનું હિત વિચારી શકતા નથી. તે કામનો અંધાપો દૂર થાય તો આત્મિક અને શારીરિક શક્તિ દિવ્ય થાય છે. દૈવી શક્તિ પ્રગટે છે. તે હવે બીજો રસ્તો લે છે. પહેલાં રાગથી આત્માના ગુણોની ઘાત થાય અને શરીર ક્ષીણ થાય એ ઉપાયમાં પ્રવર્તતો હતો, તે રસ્તો બદલવાથી આત્મવિચારો કરવાનો અવકાશ મળે છે, અને એ વિચારોને અમલમાં મૂકવા યોગ્ય શરીર સંપત્તિ હોય છે તે વધે છે. જે આત્મકાર્ય સાથે તે સાથુ. ખરા સાધુ પુરુષો અનાસક્ત જ હોય છે. જે પ્રેમ સંસારમાં વેરી નાખ્યો છે તે આત્મા કે સન્દુરુષ ઉપર કરવા યોગ્ય છે. તેથી જ આત્માના દિવ્ય ગુણો પ્રગટે છે. જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્યાની કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” ૮૭. તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર-(૦) નવીન વ્યસન કરતાં અટક. અલ્પ પણ શિથિલતામાંથી મહાદોષ જન્મે છે. કેરી ખાનાર રાજાનું દૃષ્ટાંત - એક રાજા બહુ માંદો થયો. તેને કોઈ વૈદ્ય રસાયણ ખવડાવીને મરતો બચાવ્યો, પણ કહ્યું કે કેરી ખાશો તો આવી સ્થિતિ ફરી થશે અને મરી જશો. પછી કોઈ ઉપાય ચાલશે નહીં. તે સાંભળી રાજાએ રાજ્યમાંથી બધા આંબા કપાવી નાખ્યા. એક દિવસ તે જંગલમાં શિકારે ગયો. ત્યાં આંબાનું વન હતું. બીજા કાંટાવાળા ઝાડ હતા તેથી આંબા નીચે એણે બપોરનો વખત ગાળ્યો. આંબાના ઝાડની છાયામાં બેસવામાં આપણને શું ઝેર તે નાખી દેવા જતાં વિચાર થયો કે આ ક્યાં કેરી છે? એમ ઘારીને તેણે મોઢામાં મૂક્યો, તેનો રસ પેટમાં જતાં પાછો વ્યાધિ ઊભો થયો અને દેહ છૂટી ગયો. માટે અલ્પ પણ શિથિલતા સેવવા યોગ્ય નથી. તેમ કરતાં વ્યસનને તો રોજ આધીન થવું પડે એવી વસ્તુ છે. ઉત્તમ ઉપદેશ ચાલતો હોય અને ક્યાંયથી બીડીનો ધૂમાડો આવ્યો હોય તો બીડીના વ્યસનીના આત્મામાંથી વાસનાનો ધૂમાડો નીકળે છે. તે વાસનાના કારણે બોઘમાં વૃત્તિ જોડાતી નથી. પછી કૃપાળુદેવ ઉપદેશછાયામાં બીડીનો હિસાબ ગણીને કહે છે કે તે વ્યસની મનુષ્યની કિંમત એક પાઈના ચાર આત્મા જેટલી થઈ. કારણ કે પાઈની ચાર બીડી મળે છે. આત્માનું હિત થતું હોય તે પણ એ ભૂલી જાય છે અને બીડીમાં ને બીડીમાં જ એનું ચિત્ત રહે છે. પ્રભુશ્રીજી કહેતા કે કોઈ વસ્તુ અહિતકારી લાગી હોય તો તેનો વિચાર કરી, ફરી કદી તે સ્મરણમાં ન આવે એવું કરવા માટે જણાવતા કે Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૧૦ તારી મતિકલ્પના ઉપર મૂક મીંડું અને તાણ ચોકડી. મીંડું મૂકી > ચોકડી તાણવી(x). તારી કલ્પનાએ કશું થાય એમ નથી, નિરર્થક છે. તજવા યોગ્ય છે. કોઈ તંમાકુ ખાતું હોય અને તે વ્યસન છોડી દીધું હોય તો એને માથે મીંડું મૂક એમ કહ્યું અને તેના ઉપર ચોકડી તાણ. દૃઢતા માટે અહીં મીંડું અને તેના ઉપર ચોકડી બેય કરવા કહ્યું. એટલે કે જૂનું વ્યસન હોય તેના ઉપર મીંડું મૂકી પૂરું કરવું. અને નવું વ્યસન વળગવા જ ન દેવું તેના માટે મીંડા ઉપર ચોકડી મૂકવા જણાવ્યું. ૮૮. દેશ, કાળ, મિત્ર એ સઘળાંનો વિચાર સર્વ મનુષ્યે આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. જે સંયોગોમાં રહેવાનું થાય છે તે સંજોગોનો સારા માણસે વિચાર કરવો જોઈએ કે આપણને દેશ, કાળ, મિત્ર વગેરે કેટલાં ઉપકારી છે અથવા આપણી એમના તરફની શી ફરજ છે? તે ન વિચાર્યું હોય તો વિદૂર કહે છે તેમ રાત્રે સુખે સુવાય નહીં. (૧) દેશ ઃ— ભારત દેશમાંનું આ ક્ષેત્ર આપણને અનુકૂળ છે કે નહીં? આપણા ભાવની વૃદ્ધિ થાય એવું છે કે નુકસાન થાય એવું છે? આર્યક્ષેત્રમાં હોઈએ તો સત્સંગનો કેટલો લાભ લઈએ છીએ? (૧) તેવો કાળ છે? :— એ વિષે નિર્વિકલ્પ થા. કાળ છે કે નથી એમ કરી બેસી રહેવા જેવું નથી. તેના વિકલ્પ ન કર. કાળ કંઈ નથી કહેતો કે ના કર. કાળની અત્યારે અનુકૂળતા કેટલી છે તે જોવા માટે દૃષ્ટાંત કે બપોરના વખતનો વિચાર કરે તો છત્રી લઈને નીકળે. વિચાર ન કરે તો પછી પાછો ફરી છત્રી લેવા જાય કે તાપનું દુ:ખ સહન કરે. તેમ આ કળિકાળ છે તેમાં કેટલી વિશેષ તૈયારીની જરૂર છે તે વિચારવા માટે આ કહ્યું છે. કંઈ કાળને વિઘ્નરૂપ ગણી પુરુષાર્થની હાનિ કરવા કહ્યું નથી. (૨) તેવો ક્ષેત્ર (દેશ) યોગ છે? – ઉત્તર-ગવેષ (વિચાર કર) જ્યાં આત્માર્થનું કામ કરવું છે તે ક્ષેત્ર અનુકૂળતાવાળું છે કે કેમ તે વિચાર કરી જા. ચૈતન્ય જિન પ્રતિમા થવા માટે આ કાળ છે? ક્ષેત્ર છે? એ વિચાર કરવા કહ્યું. (૩) તેવું પરાક્રમ છે ? :— ઉત્તઅપ્રમત્ત શૂરવીર થા, તો બધું થઈ શકે. (૪) તેટલું આયુષ્ય બળ છે? – ઉત્તર-શું લખવું? શું કહેવું? જેટલું ૧૧૧ પુષ્પમાળા વિવેચન આયુષ્ય છે તેટલું તો અંતર્મુખ ઉપયોગ કરીને લાભ લઈ લે. મિત્ર :— જેનાથી પોતાને લાભ થાય, “મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી.’” તેનો વિચાર કરવો. અથવા પોતાને નિમિત્તે કોઈને લાભ થઈ શકે તેમ હોય તેનો પ્રભાતમાં સ્વશક્તિ અનુસાર વિચાર કરવો ઉચિત છે, કારણ કે ૫૨ને હિત કરવામાં પણ પોતાનું હિત થાય છે. કોઈને સમજાવવું હોય તો પોતાને પહેલું સમજવું પડે. અથવા તે સંબંધી વિચાર કરીને તૈયાર થવું પડે. તત્ત્વાર્થસૂત્રની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ‘“પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઉપદેશ પણ એક સ્વાધ્યાય છે. ઉપદેશ સાંભળનારને લાભ થાય કે ન પણ થાય; લક્ષ દે તેના પર આધાર છે. પણ સ્વાધ્યાય કરનારને તો તેમાં ઉપયોગ રાખવો પડે છે, ઉપયોગપૂર્વક બોલવું પડે છે; એટલે તેને તો લાભ અવશ્ય થાય. એ વિચાર કરીને આ તત્ત્વાર્થસૂત્રની ટીકા લખું છું.'' એમ લખ્યું છે. ૮૯. આજે કેટલા સત્પુરુષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું? એ ચિંતવન વિ૨લા પુરુષો કરે છે. આખા દિવસમાં જેટલા માણસોનો સમાગમ થયો હોય તેમાંથી સજ્જનો કેટલા હતા, અથવા કોની કોની પાસેથી આપણને શીખવાનું મળ્યું, તેમજ આખા દિવસમાં જે વાંચન થયું હોય તેમાંથી સત્પુરુષોનાં શિખામણરૂપ વચનો ક્યાં કર્યાં હતાં અથવા કોનાં કોનાં હતાં તે વિચારવાથી કહેનાર સત્પુરુષોની દશા લક્ષમાં આવે છે; તથા આપણે જે શિખામણ ગ્રહણ કરવી જોઈએ તેનું તાત્પર્ય તારવવાનો પ્રસંગ આવે છે. આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું? :- સત્પુરુષના સમાગમથી કે તેમનાં હિતવચનોથી આપણને કેટલો લાભ થયો અથવા આપણી ચિત્ત પ્રસન્નતાના કારણરૂપ શું શું પ્રસંગો બન્યા હતા? કોઈ ભક્તિ થઈ હોય, કોઈ વિચારણા થઈ હોય, પરોપકારનું કોઈ કામ થયું હોય, પાપમાં પડતાં અટકાવે તેવું સત્પુરુષનું વચન સ્મૃતિમાં આવ્યું હોય, ‘માથે મરણ છે, પગ મૂકતાં પાપ છે’ એવું કોઈ વચન સ્મૃતિમાં આવ્યું હોય કે જેથી રાગદ્વેષ, સ્વચ્છંદ કે પ્રતિબંધથી અટકવાનું બન્યું હોય અથવા મહાપુરુષના અનંત ઉપકારનું ભાન થયું હોય એ આદિ પ્રસંગો વિરલા પુરુષો વિચારે છે. પ્રસંગો બની ગયા પછી ફરી પાછા વિચારીને તેને અંગે આત્માની જેટલી ઉન્નતિ થવી જોઈએ તે થઈ કે નહીં? ન Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૧૨ થઈ હોય તો શા કારણે ન થઈ? અને થઈ હોય તો તેવાં કારણો → વિશેષ સેવવાનો નિશ્ચય કરી લાભ મેળવે છે. આવા પ્રસંગો મળ્યા છતાં જો લાભ લઈ શક્યો નહીં એમ લાગે તો ફરી તેવા પ્રસંગોમાં તેવો દોષ ન થાય તેવી ચેતવણી મળે છે. વિચાર કરે તો મનને થાય કે ફરી એવું ન થવા દેવું. ૯૦. આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં. કૂવા કૂદનારનું દૃષ્ટાંત :– (૧) પ્રભુશ્રીજી દૃષ્ટાંત આપતા કે કૂવો કૂદવા માટે કોઈએ રૂા.૨૦૦નું ઈનામ રાખ્યું હતું. એક માણસ આવ્યો જે સપાટ જમીન ઉપર તો કૂવાના કરતાં વધારે અંતર કૂદી શકે, પણ કૂવાનો ખાડો દેખીને ભડકી જતો ને કૂદવાનો વખત આવે ત્યારે પાછો ફરી જતો. તેને એક માણસે હિમ્મત આપી કે હું તારી સાથે આવું છું ચાલ. હું હોંકારો કરું તેની સાથે તું છલાંગ મારીને કૂવો કૂદી જજે. દોડીને કૂવા પાસે તે માણસ આવ્યો ત્યારે પેલા માણસે જો૨થી હોકારો કર્યો તેથી તેને શૂર ચઢ્યું અને તે કૂવો કૂદી ગયો. તેમ આ વાક્યમાં કામ ગમે એટલું ભયંકર દેખાતું હોય, પણ જો તે ઉત્તમ કૃત્ય હોય તો સત્પુરુષો તેની પીઠ થાબડે છે અને નાહિમ્મત ના થઈશ એમ કહે છે. ૧૧૩ પુષ્પમાળા વિવેચન ગૌતમસ્વામીનું દૃષ્ટાંત – (૨) ગૌતમસ્વામીને બધાને કેવળજ્ઞાન થાય ને એમને ન થાય તેથી, વિકલ્પો થવા માંડ્યા કે મને કેવળજ્ઞાન થશે કે નહીં? ત્યારે ભગવાને ઉત્તરાધ્યયનના સૂત્રમાં ધ્રુમપત્રક અધ્યયન છે તે આખું કહી સંભળાવ્યું. તેમાં જણાવ્યું છે કે આ જીવ નિગોદમાંથી નીકળીને અનંતકાળ ખોટી થવું પડે તેવી યોનિઓ ઓળંગીને આ મનુષ્યભવમાં આવ્યો છે, ઘણો અભ્યાસ કરીને ક્ષયોપશમ મેળવ્યો છે, સંસારસુખ ત્યાગીને સાધુ થયો છે, કેવળીની સાથે વિચરે છે, તે આખો સમુદ્ર તરીને “કિનારા પાસે આવે તેવું થયું છે, હવે જરા જોર કરીને કિનારે ચઢી જવાનું છે. માટે સમય માત્રનો પણ પ્રમાદ ન કર એમ ગૌતમસ્વામીને હોંકારો કરે એવું કહ્યું—બળ આપ્યું. મહાપુરુષોના વચનો આપણને હિમ્મત આપે એવા હોય છે. ૯૧. શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. આખા દિવસમાં જેટલાં સત્કૃત્ય કર્યા હોય તે બધાનું જીવન સર્વોપરી એવી ભક્તિ છે. ભક્તિ ના હોય તો બીજા બધા કામો નિર્જીવ મડદાં જેવા છે. બીજા કામથી સંતોષ માનવા જેવું નથી. શુદ્ધ સ્વરૂપની ભક્તિ પડી મેલીને બીજા લૌકિક કામમાં ખોટી થવા જેવું નથી. ઘણી વખતે જીવ ઠગાય છે. બીજાં લૌકિક શુભ કામોમાં જીવને મહત્ત્વ લાગે છે ત્યારે વિચારે છે કે હું તો સારું જ કરું છું ને! હું ક્યાં ખોટું કરું છું? આમ જિંદગીનો મોટો ભાગ અનંતકાળ, એમ ને એમ વહી ગયો. “વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.’’ આ ભવમાં તો મોક્ષસ્વભાવ ઊપજે તેવું કરવા જેવું છે. ૯૨. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. સુગંધવાળું પુષ્પ હોય તે દેવપૂજા વગેરેના કામમાં આવે છે. તેમ ઉપર જણાવેલાં કામ જો થયાં હોય તો આજનો દિવસ લેખે આવ્યો, સુગંધવાળો થયો એમ ગણવું. નહીં તો માત્ર દિવસ દેખવા પૂરતો હતો—જેમ આવળના ફૂલ દેખાય એવો. આવળના ફૂલ દેખાવે સુંદર હોય પણ તેમાં સુગંધ ન હોય તેમ. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૧૪ બઘાની પહેલાં ‘તારું” એમ વાક્યમાં પરમકૃપાળુદેવે કહ્યું. પછી આ બઘાનું માન, સન્માન, બીજાના લાભનું કામ થયું હોય તો પોતાના આત્મહિતને મદદ કરનાર છે, આત્માર્થે હોય તો. તારું, તારા કુટુંબનું હિત કે લાભ તથા સત્પરુષનો વિનય વગેરે એ બઘા યથાશક્તિ કર્તવ્ય છે. આજનો દિવસ જીવવાનો મળ્યો તો પોતાના કે પરના હિતને અર્થે ગાળવા યોગ્ય છે. એ આ વાક્યનો સાર છે. માત્ર આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આદિ સંજ્ઞાઓ પોષવા માટે તો પશુ પણ પ્રવર્તે છે. પણ જે “પશુ ટાળી સુર રૂપ કરે જે, સમકિતને અવદાત રે; એ ગુણ રાજતણો ન વિસારું, સંભારું દિનરાત રે.” આઠ યોગવૃષ્ટિ સઝાય અર્થ - પણ આવું પશુપણું ટાળીને સમકિત પ્રાપ્ત કરી દેવરૂપ ધારણ કરે તો આ જીવનને ઘન્ય છે. સમકિત પ્રાપ્ત કરાવનાર એવા મારા રાજપ્રભુના ગુણોને કદી વિસારું નહીં પણ દિનરાત તેમના શુદ્ધસ્વરૂપને સંભારી મારું જીવન આત્મસુગંધમય બનાવું તો મારું જીવન ખરેખર ઘન્યવાદને પાત્ર થાય. ૯૩. જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. પવિત્રતાનો વાસ એટલે તેના નિવાસસ્થાન બતાવ્યા. જ્યાં છે પદની શ્રદ્ધા છે ત્યાં સમ્યગ્દર્શનનો નિવાસ હોય; તેમ પવિત્રતાનો વાસ ક્યાં છે તે અહીં બતાવ્યું છે“શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગુદર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.” તથા “તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” એમ બોલીએ છીએ તેમાં પવિત્રતા લાવવા માટે ઉપર કહેલાં ગુણો કહેવાં છે. તેમાં પહેલું-ક્લેશ વગરનો દિવસ :- ઉપદેશછાયામાં-કલ્યાણ શું? તો કષાય ઘટે તે કલ્યાણ. ક્લેશ વગરનો દિવસ એટલે કષાયરહિત દિવસ. શૌચતાથી એટલે મનની પવિત્રતાથી, સૌમ્યતાથી એટલે શાંતિથી, સભ્યતાથી એટલે વિવેકપૂર્વક. આ વાક્યમાં કહ્યા તે બઘા ગુણો ચિત્તને નિર્મળ કરે છે. તેથી પવિત્ર કહ્યાં. ચિત્તશુદ્ધિ એ કલ્યાણનું કારણ છે. “ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું, પૂજા ૧૧૫ પુષ્પમાળા વિવેચન અખંડિત હ–આનંદઘનજી. બઘા શબ્દો લગભગ સરખાં ભાઃ | વાળાં છે. આઠ દ્રષ્ટિમાં પણ શ્રી યશોવિજયજીએ કહ્યું – શૌચ સંતોષને તપ ભલું મન, સઝાય ઈશ્વર ધ્યાન રે મન” -આઠ યોગવૃષ્ટિ સજાય છોટમ કવિ બ્રાહ્મણ હતા પણ જ્ઞાની હતા. આ સૈકામાં જ થયેલા ૬૦ વર્ષ પહેલા. વસો પાસે મલાતજ ગામના હતા. તેમણે પણ પાંચ નિયમ સંબંધી લખ્યું છે તે નીચે પ્રમાણે - (દોહા) પાંચ નિયમ શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ, ઈશ્વર પ્રણિધાન; પાંચ નેમ એ પાળવાં, રાખી બુદ્ધિ સમાન. ૧ શૌચ દ્રવ્ય અને ભાવથી– બાહ્ય જળ મૃત્તિકા વડે, પવિત્ર રાખે દેહ; રાગદ્વેષ મનથી તજે, શૌચ કહાવે તેહ. ૨ ખરો સંતોષ– લાભ થકી હરખે નહિ, હાનિથી નહિ શોક; સુખદુ:ખમાં સમતા રહે, તે કહિયે સંતોષ. ૩ સ્વાધ્યાય અર્થ વિચારે વેદને, ઉપનિષદ્ અધ્યાય; સૂક્ષ્મ વેદ ભૂલે નહીં, તે કહિયે સ્વાધ્યાય. ૪ સમ્યષ્ટિ હોય તે સૂક્ષ્મ વેદ એટલે આત્માને ભૂલે નહીં, તેને ખરો સ્વાધ્યાય કહેવાય. “સૂક્ષ્મબોઘ તો પણ બહાંજી સમકિત વિણ નવિ હોય.” -ચોથી યોગદૃષ્ટિ સઝાય સૂક્ષ્મબોધ તે સમ્યજ્ઞાન. ખરું તપ દેહ દમન કરવા થકી, ઇન્દ્રિય નિગ્રહ થાય; મન મારી મેંદો કરે, તેને તપ કહેવાય. ૫ ઈશ્વરાર્પણ– Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ઈશ્વરને અર્ષ્યા વિના, કરે નહિ જળપાન; સર્વ સમર્પે જે ગ્રહે, તે ઈશ્વર પ્રણિધાન. ૬ ૧૧૬ શ્રી જુઠાભાઈ પરના પત્રમાં પ્રત્યેક કાર્ય કરતા પહેલાં પ્રભુને સંભારવા. એ વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે “ નિરંતર સમાધિભાવમાં રહો. હું તમારી સમીપ બેઠો છું એમ સમજો. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. સમીપ જ છું એમ ગણી શોક ઘટાડો. (મુમુક્ષુની દશા કેવી હોય છે કે એને ઘડીવાર સત્પુરુષ વગર ગમે નહીં. એમ કહે છે. તુંહી તુંહીની રટના રહે છે.)જરૂર ઘટાડો. આરોગ્યતા વધશે, જિંદગીની સંભાળ રાખો. હમણાં દેહત્યાગનો ભય ન સમજો. (દેહ છૂટી જશે ને સત્પુરુષ આઘા છે એમ ન સમજો.) એવો વખત હશે તો અને જ્ઞાની–સ્પૃશ્ય હશે તો (જ્ઞાનીને જણાશે તો) જરૂર આગળથી કોઈ જણાવશે કે પહોંચી વળશે. (જ્ઞાની જણાવવા જેવું હશે તે તો જણાવશે કે આવી પહોંચશે.) હમણાં તો તેમ નથી. તે પુરુષને પ્રત્યેક લઘુકામના આરંભમાં પણ સંભારો. (ઈશ્વર અર્પણ કોઈપણ કામ કરતા પહેલાં) સમીપ જ છે. જ્ઞાની-દૃશ્ય તો થોડો વખત વિયોગ રહી (ઈશ્વરેચ્છા હશે તો) સંયોગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે.’’ સત્પુરુષને ભૂલવા નહીં તે પ્રણિધાન છે અથવા ઈશ્વરધ્યાન છે. - શ્રી યશોવિજયજી ૯૪. કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. આ વાક્યમાં નમસ્કાર કરવા યોગ્ય સત્પુરુષની દશા કહી. તેનું વિસ્તારથી વિવેચન ‘‘સુખ વિષે વિચાર’’નામના છ પાઠોમાં મોક્ષમાળામાં છે. ત્યાં સત્પુરુષની જ્ઞાન વૈરાગ્યમય દશા પામીને પણ પરોપકાર દૃષ્ટિએ થોડા વખત માટે તેમણે ગૃહસ્થપણું સ્વીકાર્યું છે; એમ ત્યાં જણાવ્યું છે. ગૃહસ્થાવસ્થામાં બધા સ્ત્રી, પુત્ર, પોતે, નોકર વગેરે શું શું ને કેવી રીતે કામ કરે છે તે જણાવ્યું છે. ધર્મનું કામ મુખ્યત્વે પોતે ને પોતાની પત્ની કરે છે, તે જણાવ્યું છે; અને મુનિપણાનો ધ્યેય રાખ્યો છે. સર્વ સંગ પરિત્યાગ કર્યા વિના સાચું સુખ નથી, એ સૂત્ર મનમાં ઘારીને કામ કરે છે. ૧૧૭ પુષ્પમાળા વિવેચન ૯૫. એ સર્વ લક્ષણ સંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. ૯૩, ૯૪ પુષ્પમાં કહી એવી દશા જેને પ્રાપ્ત કરેલી છે તેને વંદન કરવા યોગ્ય કહ્યાં. અને આ ૯૫માં પુષ્પમાં તેને માટે જે કુશળતાથી પ્રયત્ન કરે છે તેની દશા આપણે માનનીય છે એટલે આદરણીય છે અર્થાત્ આપણે પણ તેવું જ કરવું છે. “પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર.’’ આમાં ઉપરના પુષ્પની જેમ બેનું વર્ણન છે. પરમકૃપાળુદેવના આ વચનોમાં એકની પરિપક્વ દશા છે અને બીજાની સાધક દશા છે. સાધકનો નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે. લક્ષ સ્વરૂપમાં રમણતા કરવાનો જ છે. માત્ર કર્મને લઈને તે સમાધિ નિરંતર સર્વકાળ-ત્રણે કાળ રહેતી નથી, પણ તેમનો પુરુષાર્થ એ જ છે. માટે તેમને નમસ્કાર હો. ૯૬. એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષવૃષ્ટિની રેખા છે. ૯૩, ૯૪, ને ૯૫માં પુષ્પમાં જે પવિત્ર, વંદનીય ને માનનીય પુરુષો છે તેથી પ્રતિભાવવાળું એટલે વિપરીત વર્તન જે ઘરમાં હોય તેના તરફ કટાક્ષવૃષ્ટિ એટલે નજર કરવા જેવું નથી, કારણ કે તે હેય છે અને ઉપરના ૩ પુષ્પોમાં જણાવેલું ઉપાદેય છે. જેવા થવું હોય તેવો સંગ કરવો. જેને જેવો સંગ તેવો રંગ બેસે છે. ૯૭. ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ૪૧મા પુષ્પમાં ‘દુઃખી હો તો આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે.’’ એમ જણાવ્યું હતું. તે આજીવિકા જેટલું પ્રાપ્ત કરતો હો અને નિરુપાધિમય હોય તો ઉપાધિમય એવું રાજસુખ હોય તો પણ ઇચ્છી દિવસ અપવિત્ર કરીશ નહીં. એક પૂર્ણિયો નામનો શ્રાવક હતો. તે પૂણિયો વેચીને આજીવિકા ચલાવતો. પણ સામાયિક એવી કરતો કે જેને ભગવાન મહાવીરે પણ વખાણી. શ્રેણિક રાજાને ભગવાને કહ્યું કે એ પૂણિયા શ્રાવકની એક સામાયિક તું Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૧૮ ખરીદી લે તો તને નરકે જવું ન પડે. “વ્રતધારી હોય તે નરકે જાય → નહીં.’’ એવો સિદ્ધાંત ભગવાને જણાવ્યો હતો. બે ઘડી પણ એને વ્રત આવ્યું હોય તો તે નરકે ન જાય. પણ શ્રેણિક રાજાએ નર–આયુ બાંધેલું હતું એટલે એને એટલી સ્થિરતા પણ રહે નહીં. શ્રેણિકના રાજ્ય જેવું મોટું રાજ્ય મળ્યું હોય પણ જો આત્મસ્થિરતા ન રહેતી હોય તો તેની કંઈ કિંમત નથી. પુદ્ગલિક ઇચ્છાથી આત્મા મલિન થાય છે. આત્મા મલિન થયો એટલે તેનો દિવસ પણ મલિન થઈ જ ગયો, એમ વિશેષ ઉપાધિવાળું રાજસુખ હોય તો પણ મેળવી આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ૯૮. કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતાનિરુપયોગી પણ, (આત્માને હિતકારી છે.) અપ્રિય વચન સાંભળે ત્યારે સાધારણ રીતે ક્રોધ થઈ જાય છે. ક્રોધના આવેશમાં ગમે તેવું અવિચારી કામ જીવ કરી બેસે છે, તેનો ઉપાય બતાવે છે કે કોઈનું વચન કડવું આપણને લાગ્યું કે તે વખતે સહનશીલતા સંભારવી. જેમ સામાન્ય રીતે ક્રોધ એકદમ થઈ આવે છે તેમ સહનશીલતા સાંભરી આવે તેવી ટેવ પાડી મૂકવી. નિરુપયોગી પણ :- આપણે સહન કર્યા જઈએ અને સામો માણસ નિર્બળ જાણીને વિશેષ વિશેષ સતાવતો જાય તો પણ સહનશીલતા આત્માને હિતકારી છે. અત્યારે સહનશીલતા રાખી તેનું કંઈ ફળ ન દેખાય—નિરુપયોગી જણાય, તો પણ ક્રોધ કરીને જે કર્મ બાંધ્યા હોત કે કંઈ અવિચારી બોલી ગયો હોત, કે એવી કોઈ ચેષ્ટા થઈ ગઈ હોત કે જે આખી જિંદગી પોતાને સાલત તેનાથી તો બચી જાય છે ને? ભલે સામા વ્યક્તિ પર કંઈ અસર ન થાય અને પોતાને દુઃખ ભોગવવું પડે પણ એનું ફળ તો બન્ને પક્ષે હિતકારી છે. આ ક્રોધ કરે તો સામાનો ક્રોધ પણ વધી જાય; તેથી ક્રોધ ન કરવો તેને હિતકારી કહ્યો. બહુ ક્રોધ કરે તો વેરનું સ્વરૂપ પણ પકડે, સાથે પરભવમાં પણ લઈ જાય અને ભવોભવ ભોગવવું પડે. માટે જ્ઞાનીપુરુષોએ અટકાવ્યા કે કષાયમાં દોડ કરવા કરતાં ઊભો રહે; ખમી ખૂંદ. ૯૯. દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. પુષ્પમાળા વિવેચન આખો દિવસ ગયો તે તપાસતાં એને ખબર પડે કે આ પ્રકારે આપણે દિવસ ગાળ્યો. તેમાં કંઈ ભૂલ થઈ હોય તે પણ નજરે આવે. આપણે લપસી જઈએ ત્યારે કોઈ હસે છે, તેમ તારી ભૂલો જોઈને તું હસજે અર્થાત્ પશ્ચાત્તાપ કરજે કે તને આવું ચાલતાં આવડે છે કે તું લપસી જાય છે? માટે ફરીથી તેવી ભૂલો ન થાય તે લક્ષમાં રાખજે. ત્રીજા પુષ્પમાં આ વાત કહી હતી કે ‘નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો.’’ એને સંભાર સંભાર ન કરો. પણ અહીં અલંકારિક રીતે ફરી કહી છે કે— આમાંથી શિખામણ એટલી લેવાની કે ફરી એવી ભૂલ ન થાય—તે માટે લક્ષ રાખજે. ૧૦૦, આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઉજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો તે તે, ૧૧૯ “સફળ થયેલા વખતને માટે આનંદ માનો''—પુષ્પ ૩જું. આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય એટલે જ્ઞાની પુરુષોનાં વચનોનો હૃદયમાં વિસ્તાર થાય, તેમાં ઊંડુ ઉતરાય, તેનું માહાત્મ્ય લાગે, તેવી કુશળ બુદ્ધિ કરી હોય તો આનંદ માનજે. જેમકે કૃપાળુદેવ મહાવીર ભગવાનના હૃદયમાં શી વાત હતી તે પકડી લાવે. તેમ કૃપાળુદેવના એક વચન ઉપરથી એમનો આશય શું હતો તે સમજી જાય તેવી તીક્ષ્ણ બુદ્ધિ થઈ હોય તો આનંદ માનજે એમ કહે છે. આત્મિક શક્તિ ઉજવાળી હોય તો – પરમકૃપાળુદેવની કેવી આત્મિક શક્તિઓ પ્રગટી હતી તે કહે છે. વચનામૃત પત્રાંક ૧૭૦માં પૃ.૨૫૦ ઉપર ૧૧મા ગુણસ્થાનકથી જીવ પડે છે તે સંબંધી પરમકૃપાળુદેવ લખે છે કે “આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કંઈ બાધ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. ૧૦પૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરું છે. (૯ પૂર્વધારી સુધી મિથ્યાત્વી હોઈ શકે. ૧૦ પૂર્વધારી સમકિતી અવશ્ય હોય છે.) એણે તો ઘણુંએ કહ્યું હતું; પણ રહ્યું છે થોડું (શાસ્ત્ર થોડા) અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં (કૃપાળુદેવ) છે. બાકીના ગુફામાં છે. કોઈ કોઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી. કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૦ / T (ભગવાનને જે કહેવું હોય તેને આધુનિક મુનિઓ બીજું સમજી જ ભગવાનનું નામ દઈને કહે) સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. જ્યારે અમે મુનિ થઈશું ત્યારે) સૂત્ર અને તેના પડખાં બઘાય જણાયાં છે.” એવી કંઈક આત્મિક શક્તિની નિર્મળતા થઈ હોય તો—આનંદ માનજે. ૧૦૧, અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિનો ઉપયોગ કરીશ નહીં, - મર્યાદાલોપનથી કરવો પડે તો પાપભીરું રહેજે. મન વચન કાયાની સામગ્રી મળી છે તેને સ્વપરના હિતમાં વપરાય તો યોગ્ય ઉપયોગ કર્યો કહેવાય. પણ તેથી ઊલટું પોતાને હિત ન થાય અને પરને પણ હિત ન થાય તેવી રીતે કોઈપણ શક્તિનો ઉપયોગ કરવા યોગ્ય નથી. તેમજ તે શક્તિઓ વડે જો પોતાનું બૂરું થાય કે પરનું બૂરું થાય તો તે જરૂર ન જ કરવું. મહાપુરુષોનો દેહ સ્વ અને પરના કલ્યાણને અર્થે વપરાય છે. તેમની શક્તિ તે સઉપયોગમાં વપરાય છે. સામાન્ય સારા ગણાતા માણસો કે જેને સમ્યગ્દર્શન થયું નથી તે પરોપકાર વગેરેમાં પ્રવર્તે છે. અને પોતાને જેવું સમજાય તેવા પ્રકારનું બીજાનું હિત કરે છે. પણ પ્રમાદી જીવ હોય તે પોતાનું હિત કરી શકતા નથી અને પરનું પણ કરી શકતા નથી. અને દુષ્ટ જીવો પોતાનું અહિત કરે છે અને બીજાનું પણ અહિત કરે છે. આવી જગતની સ્થિતિ છે. તેથી સન્માર્ગને જે ઇચ્છે તેને ઉપદેશ આપે છે કે અયોગ્ય રીતે તારી શક્તિનો ઉપયોગ કરીશ નહીં; પણ પરાધીનતાને લઈને કોઈના રાજા આદિના બળાત્કારે કે કોઈની શરમમાં તણાઈને જેમ કે કોઈ સગાંવહાલાંએ કહ્યું હોય કે આટલી સાક્ષી પૂરશો વગેરે એમ અનેક પ્રકારે પોતાની શક્તિનો દુરુપયોગ થાય તેમ કરવું પડે તો પાપ થાય છે, પાપનું ફળ મારે ભોગવવું પડશે, એમ વિચારીને ડરતો રહેજે. મર્યાદાલોપનથી - નીતિ આદિની જે મર્યાદા છે તેનો લોપ એટલે ઉલ્લંઘન કરવું પડે, કોઈના ત્રાસ કે શરમ આદિથી જેમકે કોઈ ઉપકારી હોય તેણે કોઈ અનીતિનું વર્તન કરવા કહ્યું હોય તો તેના દાબથી-તેજથી તણાઈ જાય તે શરમ. ત્રાસથી એટલે દબાણથી-પરાણે કરવું પડતું હોય એની ઈજ્જત રાખવા માટે, તો પાપભીરું રહેજે. તે પાપ કરતાં મનથી ખેદ રાખજે. ટૂંકામાં કહેવું કે ખોટાને કદી સાચું માનીશ નહીં. જેમ કોઈ જૂઠું બોલતો હોય અને પરોપકાર માનતો હોય તો પાપભીરુ રહેવા કહે છે. ફરીથી એવું પાપ ન થાય તેની કાળજી રાખવા જણાવે છે. ૧૨૧ પુષ્પમાળા વિવેચન ૧૦૨. સરળતા એ ઘર્મનું બીજસ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા / સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. સરળતા એટલે નિષ્કપટપણું, માયા કપટનો અભાવ. કોઈનું કહેલું માને એવો સ્વભાવ. મનમાં બીજો ભાવ નહીં એવો સીધો માણસ. મન વચન કાયાની એકતા. તે હા એ હા કહેતો હોય પણ એના મનમાં બેસી ગયેલું હોય. આ ગુણથી સપુરુષના યોગે સમકિત થઈ જાય. સમકિત એવાને વહેલું થાય કારણકે સપુરુષનો એને વિશ્વાસ બેસી જાય, કેમકે સરળ પરિણામ છે. એને કોઈ વિકલ્પો ઊઠતા નથી. વિકલ્પી જીવોને વાર લાગે. પુરુષને સારું લગાડવા હા, હા કરતો હોય તેમાં સરળતા નથી. આ બોથ ગ્રહણ કરવા માટેની વાત કહી. બોધ ગ્રહણ કરવામાં સરળતા કામ આવે છે. વળી જવું હૃદયમાં હોય તેવું જ કહેવું તે પણ સરળતા કહેવાય. કપટી માણસ પોતાની છુપાવેલી હૃદયની વાત કોઈ જાણી ન જાય માટે અનેક પ્રકારની વાગુજાલ કે હાવભાવથી સરળતાનો દેખાવ કરે છે. તે મોઢે કહે કે મારે કંઈ નથી હોં, મારું દિલ ચોખું છે; અને અંદર સ્વાર્થ સાધવાનો વિચાર હોય. પ્રજ્ઞા વગરની સરળતા હોય તો બીજાના દોષો પણ જીવો ઉઘાડા પાડે અથવા પોતાના દોષો પોતાને કે પરને હિતકારી થશે કે નહીં તે વિચાર્યા વિના કહ્યા કરે. એવી ભૂલ ન થવા માટે પ્રજ્ઞા વગરની સરળતામાં જો કુબોધ ગ્રહણ કરે અને માની લે તો સહેજે મિથ્યાત્વમાં જ રહ્યા કરે. માટે પ્રજ્ઞાસહ સરળતા સેવવી. ભોળાભાવે શું પરિણામ આવશે તે જાણ્યા વિના કોઈની વાત છૂપાવવા યોગ્ય હોય તેને કહી દે, કોઈનો દોષ ઉઘાડો પડતાં તે માણસ આપઘાત કરી બેસે, અથવા આપઘાત ન કરે તો કલંકવાળી આખી જિંદગી તેને દુઃસહ થઈ પડે. સ્ત્રી-પુરુષ એકબીજાની ગુસવાત જાણતા હોય ને તે ગુપ્ત વાત સરળપણે મૂર્ણપણાથી બહાર પાડે તો દુ:ખનું કારણ થઈ જાય. બીજી પ્રજ્ઞા સહિત સરળતામાં–“પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે.” એટલે સસ્તુરુષનું વચન સમજી, એ જ મને હિતકારી છે એમ જાણી પરિણામ પમાડે, જીવનમાં ઉતારી દે તો દિવસ કે જિંદગી સફળ થઈ જાય. પ્રભુશ્રીજી કહેતા કે “પકડ કરવાની છે.” એ સરળ ગુણથી થાય છે. જેનામાં એ ગુણ હોય તેને ઝટ પકડ થઈ જાય છે. માટે સરળતાને પરમકૃપાળુદેવે ઘર્મનું બીજ કહ્યું છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૨ ૧૦૩. બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ તેની મને કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્રા જ્ઞાનીઓએ પ્રશંસી છે. જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ ક્યાં હોય તે જણાવ્યું છે. લૌકિક દ્રષ્ટિમાં જીવોને મોટો અમલદાર હોય કે રાજાની રાણી હોય તેનું માહાલ્ય હોય છે. તે જ્ઞાનીને હોતું નથી. કોઈ રંક હો કે તિર્યંચ હો કે ગમે તે હોય પણ બાહ્ય સામગ્રી તરફ જ્ઞાની જોતાં નથી, પણ પરમાર્થ માર્ગ પામવા માટે તેની કેટલી યોગ્યતા છે તે તરફ તેમનો લક્ષ હોય છે. જ્ઞાની તે જ જુએ છે. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છેઃ નીતિ, સદાચરણ, વિનયાદિ જે ગુણો છે તે પરમાર્થ પામવામાં મદદગાર છે, તેથી એવા ગુણોવાળી બાઈ હોય તેને જ્ઞાનીઓએ પ્રશંસી છે. આ કહ્યું તેનો ભાવ વધારે સ્પષ્ટ રીતે નીચેના પુષ્પમાં જણાવે છે. ૧૦૪, સગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરું છું. લોકોનો મોહ શામાં હોય અથવા લોકો શાને વખાણે છે? તો કે કોઈ ઉત્તમ કુળ કે જાતિનો હોય, અથવા રૂપ, બળ, લક્ષ્મી, ત૫, વિદ્યા, ઐશ્વર્ય આદિ મદના કારણો જેની પાસે હોય ત્યાં લોકોની વૃત્તિ ઠરે છે અને તેને વખાણે છે. પણ જ્ઞાનીઓએ એને દોષના કારણ કહ્યાં છે. માટે હે બાઈ, સગુણ વડે જો તું જગતમાં પ્રખ્યાત હો તો હું તને વંદન કરું છું એમ જ્ઞાની પુરુષો કહે છે. સંસ્કૃતમાં કહેવત છે કે –“TTI: પૂનાસ્થાને જુગપુ ર્જિા ન વ વવ:” વેશ કે મોટી ઉંમર હોય તે પૂજાનું સ્થાન નથી, પણ સદ્ગણો જ પૂજાનું સ્થાન છે. ૧૦૫. બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજો. ભક્તિ કેવી રીતે કરવી તે કહે છે. કેવા ભાવ કરવા તે કહે છે. બહુમાન - પોતાની લઘુતા અને પરમાત્માની મહત્તા એ બે ગુણ હોય ત્યારે ભક્તિ થાય છે. “અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ.” એમાં બહુમાનપણું છે. પુષ્પમાળા વિવેચન નમ્રભાવ - એટલે માનનો અભાવ, લધુત્વભાવ અથવા $ વિનય એ ઘર્મનું મૂળ છે. પ્રભુશ્રીજી કહે : “વનો વેરીને વશ કરે.’ નમ્યો તે પરમેશ્વને ગમ્યો.” નમસ્કારથી જીવ ઘર્મ પામે છે. ચાર પ્રકારે જીવ ઘર્મ પામે છે. (૧) નમસ્કાર, (૨) દાન–આહારદાન, ઔષથદાન, શાનદાન, અભયદાન. (૩) વિનય, (૪) બોધ. મુખ્યત્વે બોઘથી જીવ ઘર્મ પામે છે. વિશુદ્ધ અંતઃકરણ - કષાયની ઉપશાંતતાથી થાય છે ‘ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું.” પરમાત્માના ગુણ ચિંતવનરૂપ ભક્તિના અંગ - ભગવાનના ઉપદેશનું શ્રવણ, મનન, કીર્તન એટલે ભગવાનના ગુણ ગાવા તે. પૂજા-અર્ચા - એક જ છે. અંગ અને અગ્ર પૂજા. એમ પૂજાના બે પ્રકાર છે. ભગવાનની આગળ દીવો, ધૂપ, નૈવેદ્ય વગેરે જે મૂકે તે અગ્રપૂજા છે. અને ભગવાનની સ્નાન, વિલેપન, પુષ્પાદિકથી જે પૂજા કરે તે અંગપૂજા કહેવાય છે. પૂજા નિમિત્તે ભગવાનના અંગોનો સ્પર્શ કરે ત્યારે ભગવાને તે તે અંગોને કેવા પરમાર્થે વાપર્યા છે તેનો ખ્યાલ સ્મૃતિમાં આવતાં તેમના પ્રત્યે ભક્તિ પ્રગટે છે. તે અંગપૂજા આ પ્રમાણે છે : નવાંગ પૂજાના દોહા જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ-ચરણ-અંગૂઠડો, દાયક ભવજલ-અંત. ૧ જાનુ બળે કાઉસ્સગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ; ખડા ખડા કેવળ કહ્યું, પૂજો જાનુ નરેશ. ૨ લોકાંતિક વચને કરી, વરસ્યો વર્ષીદાન; કર-કાંડે પ્રભુ-પૂજના, પૂજો ભવિ બહુમાન. ૩ માન ગયું હોય અંશથી, દેખી વીર્ય અનંત; ભુજબળે ભવજળ તર્યા, પૂજો સ્કંથ મહંત. ૪ સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસિયા તિણે કારણ ભવિ, શિર શિખા-પૂજંત; ૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૪ તીર્થંકર-પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન-તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. ૬ સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ; મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭ હૃદય-કમળ ઉપશમ બળે, બાળ્યા રાગને રોષ; હિમ દહે વન-અંડને, હૃદયતિલક સંતોષ. ૮ રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ; નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ઘામ. ૯ ઉપદેશક નવ તત્ત્વના, તિણે નવ અંગ જિણિંદ; પૂજો બહુ વિથ રાગ શું, કહે શુભવીર મુણિંદ. ૧૦ - પંચ પ્રતિક્રમણ સૂત્ર બથી પૂજાઓમાં કંઈક પરમાર્થ રહેલો હોય છે. હવે અંગપૂજા સંબંધી જણાવે છે – સ્નાત્રપૂજામાં જળપૂજા કરે છે. ભગવાનને સ્નાન કરાવે તે પોતાના કર્મમળ ધોવા માટે, ચંદનપૂજા છે તે આત્માને ત્રિવિધ તાપથી ચંદન જેવો શીતળ કરવા માટે. અક્ષતપૂજા તે અક્ષયપદને પ્રાપ્ત કરવા માટે. "ચૂપપૂજા છે. તે કર્મદહન માટે, અનૈવેદ્યપૂજા છે તે નૈવેદ્ય પ્રભુ આગળ મૂકીને ભાવના કરવાની છે કે મને અન્+આહાર એટલે અનાહાર પદની પ્રાપ્તિ થાઓ. દીપપૂજા અંતરમાં જ્ઞાનજ્યોતિ પ્રગટાવવા માટે છે. પુષ્પપૂજા—પુષ્પ એ કામના બાણ કહેવાય છે. હું વિષયમાં તણાઉં છું. તેનાથી બચવા માટે-નિર્વેદી થવા આ પુષ્પપૂજા કરું છું. ‘ફળપૂજા મોક્ષરૂપી ફળ અથવા મોક્ષરૂપી લક્ષ્મી મને મળે તે માટે પ્રભુ આગળ ચોટલીવાળું શ્રીફળ એટલે નારિયેળ મૂકવાનું કારણ કે ચોટલી સહિત માથું કાપી આપે તેમ કરવાનો કામી હોય તે માથું મૂકવાનો પ્રસંગ હોય તો પણ પાછો ન હઠે. ચિંતવન - છે તે પરમાત્માના ગુણનું ચિંતવન છે. મનન - જે સાંભળ્યું હોય તેનો વિચાર કરવો તે મનન. પરમાત્માના અનંત ગુણો છે. તેમાં ઘાતીયાકર્મ જવાની અપેક્ષાએ અરિહંતના મુખ્ય ૪ ગુણ છે. તે અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય ગુણ છે. જ્યારે સિદ્ધના મુખ્ય ૮ ગુણ છે. તે આ પ્રમાણે - પુષ્પમાળા વિવેચન "सम्मत्त नाणं दंसण, वीर्य सुहमं तहेव अवगाहनम् । अगुरु लहु अव्वाबाहं, अठ्ठ गुणा होवंति सिद्धाणम् ॥" TS અર્થ - ક્ષાયક સમ્યક્દર્શન, કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય એ ઘાતીયાકર્મ ક્ષય થવાથી પ્રગટેલા છે. અને સૂક્ષ્મત્વ (નામકર્મનો અભાવ થવાથી અરૂપીપણું, દેહરહિતપણું, દેહાતીત દશા પ્રગટે છે. અચળ અવગાહના તે આયુષ્ય કર્મનો ક્ષય થવાથી ૪ ગતિનાં જુદાં જુદાં આયુષ્યથી જાદી જુદી અવગાહના થતી હતી તે મટી ગઈ અને સિદ્ધગતિમાં અચળ અવગાહના (આત્મપ્રદેશનો આકાર) પ્રાપ્ત થઈ. અવ્યાબાધ ગુણ તે વેદનીયકર્મના ક્ષયથી પુગલિક સુખદુઃખનો અભાવ થયો તે. “અગુરુલઘુ ગુણ તે ગોત્રકર્મના અભાવથી પ્રગટે છે. એમ ચાર અઘાતિ કર્મ ક્ષય થવાથી એ ગુણો પ્રગટેલા છે. ભગવાનના આ ગુણોનું ચિંતવન કરીને આજનો દિવસ શોભાવજે - આત્મગુણથી આત્મા શોભે છે. પુગલના અલંકારથી દેહ શોભે છે. તેમ જીવનની સફળતા થાય એમ દિવસ ગળાય તો આજનો દિવસ પણ શોભે છે. ૧૦૬. સશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ના હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. સદાચાર અને દુરાચાર એ સુખદુ:ખનાં કારણ છે, એમ સિદ્ધાંત કહ્યો. જગતના જીવોની ટૂંકી દ્રષ્ટિ હોય છે. એટલે વિષયોમાં તાત્કાલિક સુખ લાગે પણ પરિણામે ઘણું દુઃખ ભોગવવું પડે. મધુમિશ્રિત તરવારને ચાટવાની જેમ, પણ તે જોઈ શક્તા નથી. તેથી એવી દ્રષ્ટિ ફેરવવા લક્ષ રાખીને અત્યારથી વિચારી જુઓ એમ કહે છે. વિચાર કરે તો સત્સીલનો રસ્તો જ સુખદાયક સમજાયા વગર ન રહે, કારણ કે સદ્વિચારના અભાવે આ મોહ ટકે છે. આત્માને શું હિતકારી છે તે વિચારવા માટે જ આ કહ્યું છે. પ્રભુશ્રીજી કહેતા કે આ આશ્રમનો પાયો સતુ અને શીલ છે. સતું એટલે આત્મા, શીલ એટલે સદાચાર, મુખ્યત્વે બ્રહ્મચર્ય. ૧૦૭. આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. આખી પુષ્પમાળામાં દોષ ઓળખવા માટે તેના તરફ દ્રષ્ટિ કરાવી, અને દોષ ટાળવાના ઉપાય બતાવ્યા. જેમ કે દિવસે ઊંઘવાનું મન થાય તો ભક્તિ પરાયણ થજે કે “સલ્ફાસ્ત્રનો લાભ લઈ લેજે” વગેરે જણાવ્યું. મોટી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૬ મુશ્કેલી દોષ ઓળખવામાં છે. દોષને જ જીવ મોહને લઈને ગુણ * માની બેસે છે. માટે સત્યરુષનો આશ્રય હિતકારી છે. પુરુષનો બોથ, દોષ જોવામાં ને ટાળવામાં મદદ કરે છે. જેમ કૃપાળુદેવ કોઈ પત્રમાં પોતાના દોષો કહે છે-છૂટવાનો જાપ જપીએ છીએ પણ હજી શિથિલતા છે, તેથી ઉગ્ર જાપ જપવાની જરૂર છે, જનક રાજા વગેરે ગૃહસ્થાશ્રમમાં વર્તતા હતા અને આત્મસ્વરૂપમાં રહેતા હતા એવું અવલંબન ક્યારેય લેવા યોગ્ય નથી. જેને છૂટવું હોય તેણે તો તીર્થંકરાદિ પુરુષો જ્ઞાન છતાં બધું છોડીને ચાલી નીકળ્યાં તેનું દ્રષ્ટાંત લેવા યોગ્ય છે વગેરે. જેથી વાંચનારને પોતાના દોષો વિચારવાનું અને વૈરાગ્ય વધારવાનું બળ મળે છે. ૧૦૮, લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિ+ તાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું? લાંબી ટૂંકી – એટલે આખી કે ટૂંકી પણ હિતકારી હોય તેવા પોતાને લાગુ પડતાં વચનોની પસંદગી કરેલી આ પુષ્પમાળા. ક્રમાનુક્રમ - કોઈનાથી ૧૦૮ પુષ્પ બઘાએ એકી વખતે વાંચીને વિચારી જવાનો વખત ન હોય તો અનુક્રમે થોડાં થોડાં કરીને પણ થોડા દિવસે પૂરા કરવા. | ગમે તે સ્વરૂપે - પોતાની અનુકુળતા પ્રમાણે જેમ ઠીક પડે તેમ એનો અભ્યાસ રાખશો તો તેનું ફળ શું આવશે? તે હવે કહે છે કે તે મંગળદાયક થશે - મોક્ષનાં કારણરૂપ થશે. કારણ કે પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી છે - લખનાર પુરુષ પવિત્ર છે અને પવિત્ર થવા માટે શિખામણ લખેલી છે. માટે એની પાછળ ગાળેલો કાળ નકામો નહીં જાય. વિશેષ શું કહ્યું - મોક્ષદાયક થશે એમ કહ્યું. એનાથી વધારે શું કહ્યું? “કર વિચાર તો પામ.” “વિચારવાથી મંગળદાયક થશે.” એમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે આપણા કલ્યાણ માટે છે. વચનામૃત (‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ ક્રમાંક ૨૧) (વિવેચન સહિત) ૧. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. સંયોગ - જગતમાં ચેતન અચેતનમય વસ્તુનો સંયોગ તે અનાદિકાળથી હોવા છતાં બન્ને દ્રવ્ય જુદા છે. પણ ઘન કુટુંબાદિનો સંયોગ થવો એ સર્વ પૂર્વે બાંધેલા કર્મ અનુસાર છે. વિયોગ - ઇષ્ટ વસ્તુનો વિયોગ થવો તે પણ પૂર્વકર્મના નિયમ પ્રમાણે છે. જેમકે એક રાજાનું દ્રષ્ટાંત - એક રાજાની રાણી મરી ગઈ. તેનો વિયોગ થયો. પણ રાજા અત્યંત રાગને લઈને તે મરી નથી એમ માને છે. પ્રથાને રાજાને રાજ્યના કામ માટે લઈ જઈ તે રાણીના શબને સ્મશાનમાં મૂકાવી દીધું. જ્યારે રાજા મહેલમાં આવ્યો ત્યારે રાણીના શબને જોયું નહીં એટલે દુઃખી થઈ કહેવા લાગ્યો કે જો રાણીને નહીં બતાવો તો હું આહાર લઈશ નહીં. તેથી પ્રથાને તે રાજાને સ્મશાનમાં લઈ જઈ શબ બતાવ્યું. રાણીના મુખ વગેરેને પક્ષીઓ છોલીને ખાતા હતા તે જોઈ રાજા વૈરાગ્ય પામ્યો અને દીક્ષા લઈ લીધી. શ્રીકૃષ્ણના વિયોગથી જેમ બલરામ અત્યંત વિલાપ કરે છે. તે પણ શબને મનાવા અનેક પ્રયત્ન કરે છે. છ મહિના સુધી રાગને કારણે શબ ઊંચકીને Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૮ / ફરે છે. એ બધું કર્મને આધીન થઈ રહ્યું છે. એમાં કોઈ ઇશ્વરાદિકનું કરવાપણું નથી. સુખ - શાલિભદ્ર અત્યંત સુખ ભોગવે છે. દુનિયામાં દુઃખ હશે કે નહિં તેનો પણ જેને ખ્યાલ નથી. એ બધું પૂર્વના કરેલ પુણ્યનું ફળ છે. દુઃખ – જગતમાં કોઈને વળી દુઃખનો કિનારો નથી. જેમકે મૃગાપુત્ર લોઢીયો હતો. તેના શરીરમાંથી નિરંતર દુર્ગધમય લોહી પરું નીકળ્યા કરતું હતું. ખાવાના પ્રવાહી પદાર્થ તેના શરીર પાસે રેડે ત્યારે તે પદાર્થ ઉપર આળોટી શરીરના છિદ્રો વડે તે પોષણ પામતો હતો. ખેદ - કોઈની આખી જિંદગી ખેદ કરવામાં જાય છે. કુટુંબસંબંઘી ખેદ, શરીરમાં થયેલ રોગ સંબંધી ખેદ, નિર્ધનતાનો ખેદ, પુત્ર હોય પણ પોતાનું માનતો ન હોય તેનો ખેદ, પોતાની સ્ત્રી સારી હોય પણ મરી ગઈ હોય તેનો ખેદ; આમ અનેક પ્રકારના ખેદમાં જીવો પોતાનું આયુષ્ય વ્યતીત કરે છે. આનંદકોઈને પૂર્વ પુણ્યના યોગે આખું જીવન આનંદમાં વ્યતીત થાય છે. અણરાગ - કોઈને જોઈને અણરાગ એટલે અણગમો ઉત્પન્ન થાય છે કે આ મારી પાસેથી ક્યારે જતો રહે. અનુરાગ - કોઈને જોઈને અનુરાગ એટલે પ્રેમ આવે કે એની સાથે મને નિરંતર રહેવાનું મળે તો સારું. આમ ઉપર કહ્યા તે બઘા સંયોગ-વિયોગ વગેરે જે કંઈ યોગ મળ્યા છે. તે બધા વ્યવસ્થિત કારણ એટલે પૂર્વે જેવા જેવા શુભ ભાવ કે અશુભભાવો કરીને કર્મ ઉપાર્જન કર્યા હતા તેનું ફળ ઉદયમાં આવે છે અને આ બધું જોવા મળે છે. તે કર્મને સમભાવે ભોગવવામાં આવે તો ફરી નવીન કર્મનો બંઘ થતો નથી અને પૂર્વ કર્મ નષ્ટ થયે જીવ મોક્ષમાં જઈ શાશ્વત સુખશાંતિમાં બિરાજે છે. મોક્ષમાળા વિવેચન' માંથી :- “(૧) એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે”: જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદે=એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ઘર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીંબડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. ૧૨૯ વચનામૃત વિવેચન નિયમને લઈને જગત પ્રવર્તે છે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ ન નિયમો પ્રમાણે જગત ચાલે છે, તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે. “આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.” (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે.” “ફળદાતા ઈશ્વર તણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.”- શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર માંથી : શિક્ષાપાઠ ૩. કર્મના ચમત્કાર હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે. એક જીવ સુંદર પલંગે પુષ્યશધ્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યના મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંશ છે. એક લૂલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે, એક લાખો અનુચરો પર હકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબ સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇન્દ્રિયોવાળો છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકના દુઃખનો કિનારો પણ નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૦ એક ગર્ભાધાનથી હરાયો, એક જન્મ્યો કે મૂઓ, એક મૂએલો ૐ અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી, મૂર્ખ રાજગાદી ૫૨ ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે! આમ આખા જગતની વિચિત્રતા ભિન્નભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે? પોતાના બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે.'' (પૃ.૫૯) ૨. એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન આપજો. એકાંતભાવી એટલે એકાંતે અર્થાત્ સ્યાદ્વાદ રહિત વસ્તુના સ્વરૂપને ભાવવાવાળા એટલે માનવાવાળા એવા બૌદ્ધ કે સાંખ્ય આદિ મતવાદીઓને અથવા એક જ પક્ષને સાંભળી ન્યાય આપનાર એવા એકાંત ન્યાયદોષને સન્માન આપવું નહીં. એમ કરવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, અને પોતાનું સમકિત મલીન થાય છે. માટે અનંત ગુણધર્માત્મક પ્રત્યેક વસ્તુને સ્યાદ્વાદપૂર્વક જોવાની દૃષ્ટિ કેળવું અને સ્યાદ્વાદથી યુક્ત વીતરાગ ધર્મને સન્માન આપ્યું. બે માતાનું દૃષ્ટાંત :– બે માતાની વચ્ચે એક જ પુત્ર હતો. ઓરમાન માતા કહે—આ પુત્ર મારો છે. સગી માતા કહે આ પુત્ર મારો છે. વચનામૃત વિવેચન બન્નેને વાદવિવાદ થયો પછી ન્યાય કરાવવા બન્ને રાજા પાસે ગઈ. રાજા વિચારમાં પડ્યો કે ન્યાય કેવી રીતે કરવો? મંત્રીએ વિચાર કરી રાજાને જણાવ્યું કે પુત્રના બે ટુકડા કરી બન્નેને આપી દ્યો. ત્યારે સગી માતા બોલી કે આના ટૂકડા કરશો નહીં. ભલે પેલીને આપી દો. ખરી માતા હતી તેને એવી દાઝ આવી તેથી એમ નિર્ણય કર્યો તેથી એ જ એની ખરી માતા છે પછી પુત્ર ખરી માતાને સોંપ્યો. એમ એકાંત ન્યાયદોષને સન્માન ન આપતાં બન્નેની વાત પૂરી સાંભળીને ન્યાય કરવો જોઈએ. 3. ૧૩૧ કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. કોઈનો પણ આ કાળમાં સમાગમ કરવા યોગ્ય નથી. જ્યાં જોઈએ ત્યાં મોટે ભાગે કુસંગ કે અસત્સંગ જ જોવા મળે છે. આત્માને સત્ય રંગ ચઢાવે એવો સંગ જોવા મળતો નથી. જો પોતાના આત્મસ્વરૂપમાં રહી શકાતું હોય તો કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી. પણ એવી દશા જ્યાં સુધી પ્રગટી નથી ત્યાં સુધી આત્મજ્ઞાની મહાપુરુષોનો સમાગમ કરવા યોગ્ય છે. તેની પણ આ કાળમાં દુર્લભતા હોવાથી તેમના ઉપદેશેલા સત્શાસ્ત્રનો સમાગમ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી કર્તવ્ય છે. જાણે કે એ મહાપુરુષો આપણને કહી રહ્યા છે અને હું મારા નેત્ર વડે તેમના ઉપદેશના ભાવને સમજી રહ્યો છું. એમ કરવાથી પણ જ્ઞાનીપુરુષનો પ્રત્યક્ષ જેવો લાભ મેળવી શકાય છે. ‘બોધામૃત ભાગ-૧’ માંથી : “સત્સંગ ન હોય ત્યારે બીજા સમાગમ કરતાં પુસ્તકનો સમાગમ કરવો. કૃપાળુદેવ મને જ કહે છે એવો લક્ષ રાખીને વાંચવું. નિરંત સત્સંગની ભાવના રાખવી. સત્સંગની જરૂર છે. બીજા કોઈના સંગમાં પડવું નહીં. સત્પુરુષ ઉપર શ્રદ્ધા અને નિઃસ્પૃહતા એ બેની જરૂર છે. ‘વીશ દોહરા’ અપૂર્વ વસ્તુ છે. કૃપાળુદેવ પાસે જ બેઠા છે, એવો ભાવ રાખીને ભક્તિ કરવી.'' (પૃ.૬૯) “મહાપુરુષની દશા એને સમજાય તો અપૂર્વતા લાગે, રોજ થોડો વખત અવકાશ મળે ત્યારે નિયમિત વાંચવું. આત્માને ખોરાક મળે એવું છે. મહાપુરુષનાં વચનો આત્મામાં કોતરી રાખવાં. થોડું વાંચીને પણ વસ્તુ સમજાય, વિસ્તાર Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૧૩૩ વચનામૃત વિવેચન એક દિવસે એમ વિચાર્યું કે આજે તો માથું ઘાલીને જ જોઉં. / 1 તેથી શીંગડામાં માથું ઘાલ્યું. ભેંસ ભડકી અને શેઠ ઉછળીને દૂર ક પડ્યા. શ્રીમદ્ રાજચંદ્ર / પામે તેમ વાંચવું. જ્ઞાનીનું હૃદય સમજાય તો અભિન્નભાવ થાય.' દ એટલે મારું સ્વરૂપ પણ જ્ઞાની પુરુષના જેવું જ છે એમ મનાય. (પૃ.૬૮) ૪. જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો. જે કામ કરવાથી, તેના પરિણામમાં એટલે ફળમાં દુઃખ આવશે એમ લાગતું હોય તો પ્રથમથી જ તે કાર્યને સન્માન આપવું નહીં; અર્થાત્ તે કાર્ય કરવું નહીં. કોઈ પણ કાર્ય સ્વ કે પરને દુઃખનું કારણ થતું હોય તો તે કરવા યોગ્ય નથી. માટે પરમકૃપાળુદેવે પત્રાંક ૮૪માં જણાવ્યું કે “પારિણામિક વિચારવાળો થા’ -શ્રીમદ્ રાજચંદ્ર અર્થાત્ પ્રત્યેક કાર્યનું પરિણામ એટલે ફળ, તેનો પ્રથમ વિચાર કરીને પછી આગળનું પગલું ભરવું. શેઠનું વૃષ્ટાંત :- એક શેઠ રોજ ઓટલા ઉપર બેસતા. સવારમાં ત્યાં થઈને ભેંસો પાણી પીવા જાય. એક ભેંસના શીંગડા વાંકા હતા. શેઠે વિચાર્યું કે આ શીંગડામાં માથું ઘાલ્યું હોય તો આવે કે નહીં. એમ છ મહિના સુધી રોજ વિચાર કર્યો. બીજાએ આવી ઘરે લાવ્યા અને પૂછયું– ભલા માણસ જરા વિચાર તો કરવો હતો કે આમ તે કંઈ કરાય. ત્યારે શેઠ કહે – મેં છ મહિના સુધી વિચાર કરીને આ કામ કર્યું છે. એમ સ્વચ્છેદે વિચાર કરવા નહીં. પણ જ્ઞાની પુરુષના બોઘના આધારે સવળા વિચાર કરવા કે આ કામ કરવામાં જ્ઞાની પુરુષની આશા છે કે નહીં, પછી કાર્યનો પ્રારંભ કરવો. એમ કરવાથી દરેક કાર્યનું પરિણામ સારું જ આવશે. ૫. કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. કોઈને પણ અંતઃકરણની વાત જણાવશો નહીં. પણ સાવ નજીકના વિશ્વાસુ સગાંસંબંધીઓ કે મિત્રને જો વાત જણાવો તો તેનાથી કોઈ વાત છુપાવશો નહીં. સઘળી વાત જણાવવાથી તે પણ તેનો પૂરો ઉકેલ વિચારી શકે. અધૂરી વાત જણાવવાથી અથવા અમુક બાબતમાં તેમનાથી ભિન્નતા રાખવાથી તેના આગળ અંતર ખોલ્યું તે ન ખોલવા બરાબર છે. આ કાળમાં જ્ઞાનીપુરુષ સિવાય કોઈને પોતાના દોષ જણાવવા યોગ્ય નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૪ ૬. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે; એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. જેમકે શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર શ્રી ભરત મહારાજ કે મહાત્મા શ્રીકૃષ્ણ સમ્યદૃષ્ટિ હોવાથી સંસારમાં ઉદયાથીન ભોગોને ભોગવતા છતાં, નવીન કર્મની વૃદ્ધિ કરતા નથી. કેમકે તેમને ભોગોમાં આસક્તિ નથી, પણ વિરક્તભાવ છે. જ્યારે કુંડરિક જેવાએ દીક્ષા લીધાથી ભોગોને નથી ભોગવતો, છતાં અંતરમાં રહેલ ભોગો પ્રત્યેની આસક્તિને લીધે નિરંતર કર્મની વૃદ્ધિ કરે છે. માટે એ આશ્ચર્યની વાત છે કે એક ભોગ ભોગવે છે છતાં કર્મ બાંધતા નથી; અને એક નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે; એનું શું કારણ? તો કે— ‘શુભાશુભ પરિણામની ધારા ઉપર બંઘ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી.' શ્રીમદ્ રાજચંદ્ર ‘શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : પુંડરિક કુંડરિકનું દૃષ્ટાંત :- મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્ત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતા ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરીક દીક્ષાનુરક્ત થયો; અને ઘરે આવ્યા પછી પુંડરિકને રાજ સોંપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસનીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયો. પુંડરિકિણી મહા નગરીની અશોકવાડીમાં આવીને એણે ઓઘો મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. ૧૩૫ વચનામૃત વિવેચન નિરંતર તે પરિચિંતવન કરવા માંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહીં આપે? E વનરક્ષકે કુંડરિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલવ્યાકુલ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકના મનોભાવ જોયા; અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સહસ્ર વર્ષ પ્રવજ્યા પાળી પતિત થયો તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડાયો અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે એ સઘળાંને હું જોઈ લઈશ. એવા મહા દુર્ધ્યાનથી મરીને સાતમી નરકે તે અપયઠાંણ પાથડે તેત્રીશ સાગરોપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઊપજ્યો. કેવાં વિપરીત આસ્રવદ્વાર !! (પૃ.૫૪) ૩. યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. યોગાનુયોગ એટલે કોઈના સહજ મેળાપથી, વિશેષ પ્રયત્ન કર્યા વિના કાર્યનું સિદ્ધ થવું તે. જેમકે શ્રી અંબાલાલભાઈના નિમિત્તે યોગાનુયોગે ૫.પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવના સમાગમનો યોગ સહેજે બની આવ્યો અને તેમના આત્મજ્ઞાનનું તે કારણ થયું. તે વિષે ઉપદેશામૃતમાં પ.પૂ.પ્રભુશ્રીજીના જીવનચરિત્રમાં આવે છે કે— Page #72 -------------------------------------------------------------------------- ________________ [I શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૬ “અપાસરામાં એક દિવસે શ્રી લલ્લુજી, દામોદરભાઈ નામના ~ પાટીદાર સાથે શ્રી ભગવતીસૂત્રનાં પાન નીચે વાંચતા હતા. અપાસરાને મેડે હરખચંદજી મહારાજ તે જ સૂત્રનું વ્યાખ્યાન કરતા હતા. ભવસ્થિતિ પરિપક્વ થયા વિના કોઈનો મોક્ષ ન થાય એ વિષે શ્રી ભગવતીસૂત્રમાં અધિકાર આવેલો તે વિષે શ્રી લલ્લુજી દામોદરભાઈને પૂછતા હતા કે ભવસ્થિતિ પરિપક્વ થયે મોક્ષ થતો હોય તો પછી સાધુપણું, કાયક્લેશાદિ ક્રિયાઓ કરવાની શી જરૂર છે? એવામાં અંબાલાલ આદિ બે ત્રણ જુવાનીઆ કંઈક વાંચતા દૂર જણાયા. તેમને શ્રી લલ્લુજીએ કહ્યું, “વ્યાખ્યાનમાં કેમ જતા નથી? ઉપર જાઓ કે અહીં આવીને બેસો.” ઉપર જવાને બદલે તેમની પાસે આવીને તે બેઠા અને ઉપરનો પ્રશ્ન થોડો ચર્ચાયો, પણ સંતોષકારક ઉત્તર ન મળ્યો. પછી હરખચંદજી મહારાજને પૂછવા ઉપર મુલતવી રાખ્યું. ભાઈ અંબાલાલ બોલ્યા કે આવા પ્રશ્નો તો શું, પણ અનેક આગમો જેને હસ્તામલકવતુ છે એવા પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર છે. તેમના પત્રો અને વાંચતા હતા. તે અહીં ખંભાતમાં પઘારવાના છે. આ વાત સાંભળીને તથા પત્રો વાંચીને શ્રી લલ્લુજીને શ્રીમદ્ રાજચંદ્રનો સમાગમ કરવાની તીવ્ર ભાવના જાગી. તે પધારે ત્યારે જરૂર ઉપાશ્રયમાં તેમને તેડી લાવજો એમ વિનંતિ પણ કરી. સં. ૧૯૪૬ના ચોમાસામાં દિવાળીના દિવસોમાં શ્રીમદ્ રાજચંદ્ર ખંભાત પધાર્યા અને અંબાલાલભાઈ વગેરેના આગ્રહથી ઉપાશ્રયમાં પણ ગયા. હરખચંદજી મહારાજે શતાવઘાનની વાત સાંભળેલી તે કરી બતાવવા માટે વિનંતિ કરી. પણ પોતે તે પ્રયોગો જાહેરમાં કરવાનો વિચાર માંડી વાળ્યો હતો, તોપણ સર્વના આગ્રહને લઈને તથા હિતનું કારણ દેખી થોડા પ્રયોગો ઉપાશ્રયમાં કરી દેખાડ્યા. પછી હરખચંદજી મહારાજ સાથે થોડી શાસ્ત્ર સંબંધી જ્ઞાનવાર્તા થઈ તે ઉપરથી તેમણે સર્વની સમક્ષ શ્રીમદ્ભા બહુ વખાણ કર્યાં. એટલે શ્રી લલ્લુજીએ તેમની પાસેથી શાસ્ત્રનો મર્મ સમજવા ગુરુ પાસે આજ્ઞા માગી અને તેમણે આપી. પછી શ્રી લલ્લુજીએ ઉપાશ્રયને મેડે પધારવા વિનંતિ કરી. શ્રીમદ્ ઉપર ગયા. શ્રીમો ગૃહસ્થ વેશ અને પોતાનો મુનિવેશ હોવા છતાં પોતાને તેમનાથી લઘુ માની ત્રણ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર શ્રી લલ્લુજીએ કર્યા. પછી શ્રીમદે શ્રી લલ્લુજીને પૂછ્યું: “તમારી શી ઇચ્છા છે?” શ્રી લલ્લુજીએ વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું, “સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દ્રઢતાની ૧૩૭ વચનામૃત વિવેચન મારી માગણી છે.” શ્રીમદ્ થોડીવાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક / / છે.” વળી શ્રી લલ્લુજી સ્વામીના જમણા પગનો અંગૂઠો પકડી શ્રીમદ્ , તપાસી જોયો. પછી નીચે ગયા અને શ્રી અંબાલાલને રસ્તામાં જણાવ્યું કે શ્રી લલ્લુજી પૂર્વના સંસ્કારી પુરુષ છે. આ રેખા લક્ષણો ઘરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય.” (પૃ.૫) ૮. આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો. નહીં. જે મહાપુરુષોની કૃપાએ આપણા આત્મા ઉપર રહેલ અજ્ઞાનરૂપ પડદો નીકળીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, તેને પોતાનું સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. કેમકે આત્માથી સૌ હીન છે. જનકરાજાનું વૃષ્ટાંત :- જેમ જનકરાજાએ શ્રી અષ્ટાવક્રને પ્રશ્ન કર્યો કે આ સાચું છે કે તે સાચું? તેનો યથાર્થ જવાબ જનકરાજાને મળતા એમ થયું કે સ્વપ્નામાં જેમ હું ભિખારી થયો તે ખોટું હતું તેમ આ રાજ્યવૈભવ પણ એક પાંચ પચાસ વર્ષના સ્વપ્ના તુલ્ય જ છે. કેમકે મારું મૃત્યુ થયે આ રાજ્યવૈભવ બધા અહીં જ પડ્યા રહેશે, અને હું એકલો પરભવમાં ખાલી હાથે જઈશ. માટે આ સ્વપ્ના જેવા રાજવૈભવથી મારે સર્યું, એમ વૈરાગ્ય પામી બુદ્ધિ આપનાર એવા અષ્ટાવક્રને પોતાના ગુરુ માની તેમને તન, મન, ઘન, રાજવૈભવ વગેરે સર્વસ્વ અર્પણ કરી દીધું. અને ઘોડા ઉપર બેસીને જવા લાગ્યા. Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૮ [ ત્યારે અષ્ટાવક્રે કહ્યું : સર્વસ્વ અર્પણ કર્યું તો આ ઘોડો કોનો? એમ 0 કહી જનકરાજાને બ્રહ્મનો ઉપદેશ આપી આત્મજ્ઞાન કરાવ્યું અને આજ્ઞા કરી કે આ રાજ્ય અમારું છે, તેનું તમે પાલન કરો. હવે જનકવિદેહી શ્રી ગુરુની આજ્ઞાને માથે ચઢાવી રાજ્યનું પાલન પહેલાની જેમ જ કરતાં છતાં; આ રાજ્ય મારું નથી પણ મારા ગુરુનું છે એમ માનવા લાગ્યા. મહાપુરુષોને સર્વસ્વ અર્પણ કરવાનું ફળ મમતાભાવનો ત્યાગ આવ્યું. મહાપુરુષોને આપણી પાસે એ જ કરાવવું છે. એ તો સર્વથા નિઃસ્પૃહ છે. ૯, તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાત્તાપ કરે. લોકોપવાદ એટલે લોકોએ કરેલી આપણી નિંદા કે આળને એવી રીતે સમભાવે સહન કરવા કે ભવિષ્યમાં તે લોકોને જ તેનો પસ્તાવો થાય. વડવામાં સભામધ્યે ગટોરભાઈએ કરેલા અપવાદ એટલે નહીં બોલવા યોગ્ય વચનો કહ્યાં તેને પરમકૃપાળુદેવે સહજ સ્વભાવે સહન કર્યા. પછી ખંભાતમાં શ્રી દેવકરણજીનું વ્યાખ્યાન સાંભળતા ગટોરભાઈને ઘણો પશ્ચાત્તાપ થયો હતો તે નીચે મુજબ છેઃ શ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈનો પ્રસંગ-“ત્યારબાદ પોષ માસમાં અથવા માહ માસમાં મુનિ શ્રી દેવકરણજી સ્વામી વગેરે ખંભાતમાં પધાર્યા હતા. ત્યાં મુનિશ્રી દેવકરણજીસ્વામી વ્યાખ્યાન વાંચતા ત્યારે ઘણા લોકો સાંભળવા આવતા. એકવાર જ્ઞાનાવરણીય કર્મ સંબંઘી વિસ્તારથી ઘણો બોવ કર્યો કે જ્ઞાનાવરણીય કર્મથી કેવું ફળ ભોગવવું પડે છે. તે વખતે ગટોરચંદ મોતીચંદ કે જેણે પરમકૃપાળુદેવ પ્રત્યે આક્ષેપો કર્યા હતા અને નિંદા કરી હતી તે તેમને સ્મૃતિમાં આવી જવાથી ઘણું રોવા લાગ્યા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે અહો! આપણી તો ઘણી જ ભૂલ થઈ છે. તેવા વિચારથી તેઓએ મુનિશ્રી પ્રત્યે જણાવ્યું કે મેં તો સાહેબજીની ઘણી જ નિંદા કરી છે તો મારાથી હવે કેવા પ્રકારે છૂટી શકાય? ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે તેનો પશ્ચાત્તાપ કરવો અને ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓના સમાગમમાં જવાનું રાખવું. ત્યારપછી તેઓ ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓના સમાગમમાં હમેશાં આવતા હતા.” પ. પૂ. પ્રભુશ્રીજીનો પ્રસંગ-પાલનપુરમાં પ.પૂ.પ્રભુશ્રીજી ઉપર કરેલ ૧૩૯ વચનામૃત વિવેચન અપવાદનો પીતાંબરદાસને પુનઃ પશ્ચાત્તાપ થયો હતો. તે પ્રસંગ વી પ.પૂ.પ્રભુશ્રીજીના જીવનચરિત્રમાં નીચે મુજબ છે – વિહાર કરતા કરતા મુનિવરો પાલનપુર પધાર્યા. ત્યાંના સ્થાનકવાસી સંઘમાં અગ્રેસર પીતાંબરદાસ મહેતા ગણાય છે. તે તેમને મળ્યા અને વાતચીત થતાં બધા મુનિઓ પંચતીર્થી યાત્રા કરીને આવે છે એમ સાંભળ્યું એટલે તેમને થયું કે આમની શ્રદ્ધા ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી તો પ્રતિમાને માને નહીં, દેરાસરોમાં જાય નહીં. તેથી તેમને ઠપકો દેવાના હેતુથી બોલ્યા, “તીર્થ તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચાર જ છે; પાંચમું તીર્થ ક્યાંથી લાવ્યા? આમ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ઘર્મ ઉપર ક્યાંથી રહે? મુનિઓ ભગવાન વચનની વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું? વગેરે આવેશમાં આવીને તે ઘણું બોલ્યા, પણ મુનિવરો શાંત રહ્યા. રાત્રે પીતાંબરભાઈને વિચાર આવ્યો કે, “આજે મેં મુનિઓને કઠોર વચન કહ્યાં છતાં કોઈ કાંઈ બોલ્યા નહીં, તેમણે તો ઊલટી ક્ષમા ઘારણ કરી. શાસ્ત્રમાં શ્રી નમિરાજર્ષિના ઇન્દ્ર વખાણ કર્યા છે, “હે મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તેં ક્રોધને જીત્યો, તેં અહંકારનો પરાજય કર્યો!” આ શાસ્ત્રવચન મેં પ્રત્યક્ષ આજે સત્યરૂપે જોયાં. ક્રોધને જીતનાર ક્ષમામૂર્તિ આ જ છે. હું ક્રોથથી ઘમઘમ્યો અને કુવચનો વરસાવ્યાં; પરંતુ એમનું રોમ પણ ફરક્યું નહીં. તો મારે પ્રભાતે તેમની માફી માગવી ઘટે છે.” એમ વિચારી સવારે મુનિવરો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી માફી માગી.” (પૃ.૩૬) ૧૦. હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડા વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. જ્ઞાની પુરુષોના હજારો ઉપદેશ વચનો કે બોઘને સાંભળવા કરતાં તેમાંના થોડાં વચનોને પણ ઊંડા ઊતરીને ખૂબ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. સાંભળ સાંભળ કરે પણ વિચારી વર્તનમાં ન ઉતારે તો સાંભળેલું શું કામનું? વૃષ્ટાંત:- જેમ શિવભૂતિ મુનિ “મા રુષ, મા તુષ” એ મંત્ર વચનો ગુરુ પાસેથી પામી અંતે તેના પર વિચાર કરીને કેવળજ્ઞાન પ્રગટાવ્યું. ચિલાતીપુત્રે ગુરુ પાસેથી “ઉપશમ, વિવેક, સંવર’ આ ત્રણ શબ્દોને મંત્રરૂપે ગુરુ પાસેથી જાણી, તેનો વિચાર કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪૦ યુધિષ્ઠિરનું દૃષ્ટાંત :– યુધિષ્ઠિરને સ્કૂલે ભણવા માટે મૂક્યા → ત્યારે ‘સત્યં વદ' એ પાઠ ગુરુએ શીખવાડ્યો ત્યારે થોડા દિવસ સુધી યુધિષ્ઠિર સ્કૂલે ગયા નહીં. જ્યારે ગયા ત્યારે એમના ગુરુએ કહ્યું : આટલા દિવસ સુધી કેમ આવ્યો નહીં? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું : હું સત્ય બોલવાનું બરાબર શીખું નહીં ત્યાં સુધી બીજો પાઠ કેમ લેવાય? એમ જ્ઞાનીપુરુષોના થોડા વચનોને પણ વિચારવામાં જીવનું વિશેષ કલ્યાણ છે ‘શ્રીમદ્ રાજચંદ્ર' માંથી :- ઘણાં શાસ્ત્રો અને વાક્યોનો અભ્યાસ કરતાં પણ જો જ્ઞાનીપુરુષોની એકેક આશા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. (વ.પૃ.૬૩૭) ‘બોધામૃત ભાગ-૨'માંથી ઃ- “સત્પુરુષના એકેક વાક્યમાં એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” (૧૬૬). એવું વચન કાનમાં પડ્યા પછી કામમાં ન આવે તો બેદરકારી કર્યા જેવું થાય. પ્રભુશ્રીજી દૃષ્ટાંત આપતા :— રાજાનું દૃષ્ટાંત – એક રાજા હતો. તેને અને બીજા રાજાને સરહદ માટે તકરાર ચાલતી. રાજાએ વિચાર્યું કે ઘણીવાર તકરાર થાય છે, તેના કરતાં રાજ્ય લઈ લેવું સારું તેથી પ્રઘાનને વાત કરી. પ્રધાને કહ્યું રાજ્ય લઈ લેવાય તો સારું પણ તે લેવું કેમ? આપણે જીતી શકીએ કે નહીં? તેને માટે હું તપાસ કરીશ. પછી તેણે ત્રણ પૂતળીઓ કરાવી. એકને કાનમાં સળી નાખે તો બીજા કાને થઈને નીકળી જાય. બીજીને કાનમાં સળી નાખે તો તે મોઢે થઈને નીકળી જાય. ત્રીજીને નાખે તો તે પેટમાં જતી રહે. પાછી નીકળે નહીં. ૧૪૧ વચનામૃત વિવેચન તે ત્રણે પૂતળીઓને તેણે દૂત સાથે પોતાનો શત્રુ રાજા હતો તેની પાસે મોકલી. દૂતે સભામાં જઈ તે ત્રણ પૂતળીઓની કિંમત કરવા કહ્યું. શત્રુના મંત્રીએ તે ત્રણે પૂતળીઓ જોઈ અને વિચાર્યું કે આ પૂતળીઓની કિંમત તો બજારમાં પણ થઈ શકે છે. અહીં લાવ્યો છે, તેમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. એમ વિચારી તેણે એક પૂતળીના કાનમાં જોયું તે બીજા કાન સુધી રંધ્ર દેખાયું. તેણે સળી નાખી કે તે તરત બીજા કાનમાંથી બહાર પડી. તે પૂતળીને જોઈને તેણે કહ્યું કે આ પૂતળીની કિંમત ફૂટી બદામની પણ નથી. પછી બીજી પૂતળીના કાનમાં સળી નાખી તો મોઢે થઈને નીકળી. તે પૂતળીને જોઈને તેણે કહ્યું કે આ પૂતળીમાં જેટલું વજન છે તેટલા સોના જેટલી કિંમત એની છે. પછી ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી તો અંદર ગઈ પણ બહાર નીકળી નહીં. તે જોઈને તેણે કહ્યું કે આ પૂતળીની કિંમત એક કરોડ રૂપીયા છે. પછી તે કિંમત કરાવનાર દૂતે આવી મંત્રીને વાત કરી. તે પરથી મંત્રીએ રાજાને કહ્યું કે આપણે વેર કરવામાં માલ નથી. ત્યાં મંત્રી બહુ હોશિયાર છે, તેથી આપણે જીતી શકીશું નહીં. તેમ બોધ સાંભળે અને ભૂલી જાય તો પહેલી પૂતળીની પેઠે ફૂટી બદામની પણ કિંમત નથી; સાંભળ્યા પછી બીજાને કહેવા જેટલું પણ યાદ રહે તો ઠીક છે; અને તેને આચરણમાં મૂકે તો તો મોક્ષે જવાય.’’ (પૃ.૧૯૯) ૧૧. નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે. સમયસર કાર્ય કરવાથી તે ત્વરાથી એટલે જલ્દીથી થાય છે. તથા મનમાં ઘારેલી કાર્યસિદ્ધિને આપે છે. એવો પુરુષાર્થ આનંદના કારણરૂપ થઈ પડે છે. વ્યવહાર કે ૫૨માર્થમાં પુરુષાર્થ કર્યા વગર કાર્ય સિદ્ધિ થતી નથી. પણ તે પુરુષાર્થ પ્રતિદિન નિયમિત એટલે નિશ્ચિત કરેલ સમયે થવો જ જોઈએ. અંગ્રેજ લોકોનું આવું નિયમિતપણું તથા પ્રબળ પુરુષાર્થને પરિણામે તેઓ નવા નવા આવિષ્કાર કરી શક્યા છે. માટે હમેશાં નિયમિત પુરુષાર્થ કરીને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવી યોગ્ય છે. જેથી આત્માના અનંતસુખની પ્રાપ્તિ થાય. ‘મોક્ષમાળા વિવેચન' માંથી :- ‘(૬) અનિયમિત કામ – નિયમિત કામ ન કરે તો પછી કામના ઢગલા થાય. તેથી એની ચિંતા થાય અને એમાં ને Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪૨ / એમાં ચિત્ત રહે. કામનો બોજો રહ્યા કરે. તેથી મોક્ષનો લક્ષ પછી રહેતો નથી. નિયમિત કામ કરે તેને વધારે કામ થાય અને ફિકર ચિંતા ન થાય.” (પૃ.૨૩૩) ૧૨. જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભોગી થાઓ. જ્ઞાનીઓએ અત્યંત પુરુષાર્થ કરીને આત્માના અદ્ભુત અનંત ગુણોરૂપ રત્નોનો ખજાનો એકત્ર કરેલ છે તેનો ઉપભોગ કરવાવાળા તમે પણ થાઓ એમ પરમકૃપાળુદેવ જણાવે છે. આત્માના અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્ય તથા ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આદિ ગુણોરૂપ રત્નો છે. તેને સદ્ગુરુના આજ્ઞાંકિત શિષ્ય થઈને મેળવી શકાય. તે પ્રાપ્ત કરવા માટે સદા પુરુષાર્થશીલ રહીએ તો જરૂર તે અનંતગુણોરૂપ અદ્ભુત આત્મનિધિના ઉપભોગી થઈ શકાય. ૧૩. સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળપણું પણ છે. સ્ત્રીઓમાં માયાકપટ છે પણ સાથે ભોળપણ પણ છે. એના મનમાં જાણેલી વાત ટકે નહીં, બીજાને કહ્યા વગર રહેવાય નહીં. માટે સ્ત્રીઓને ગુરૂવાત કહેવાય નહીં. સાદી શિખામણ'માંથી :- સ્ત્રીનું હૃદય બહુ કોમળ હોય છે. તેથી તેના મનમાં કોઈ પણ વાત ટકી શકતી નથી. તે ઉપર એક દ્રષ્ટાંત છે. ગરીબ બ્રાહ્મણનું દ્રષ્ટાંત :- કોઈ એક શહેરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને દરિદ્રતાએ ઘેરી લીધો. તેની સ્ત્રી હમેશાં બહારગામ કમાવા જવાને માટે કહેતી. એક વખતે સ્ત્રીના કંકાસથી પોતે પાસેના જંગલમાં જતો રહ્યો. તે જંગલમાં એક શિવાલય હતું. તેના મનમાં વિચાર થયો કે હું આ શિવજીની પ્રેમભાવે પૂજા કરું તો મારુંદારિદ્ર જતું રહેશે એમ ઘારી શિવજી પાસે તપ કરવા લાગ્યો. ત્રણ દિવસ તેણે કંઈ ખાવું-પીવું નહીં અને શિવજીની એક ચિત્તે ભક્તિ કરવા લાગ્યો. શિવજીએ ખુશ થઈ ત્રીજે દિવસે તે વિપ્રને કહ્યું–જા તારા ઘરના વાડામાં એક હાથ જમીન ખોદજે એટલે તને ઘન સાંપડશે. પણ એ વાત તું તારી સ્ત્રીને કહીશ નહીં. વિખે તે પ્રમાણે કર્યું એટલે શિવજીના વચનથી તે પૈસાવાળો થયો. તેની સ્ત્રી આ ઘન ક્યાંથી આવ્યું તે પૂછવા લાગી, પણ તેને ૧૪૩ વચનામૃત વિવેચન કહ્યું નહીં કારણ કે શિવજીએ કહેલું હતું કે આ વાત તારી સ્ત્રીને પણ ! ) કહીશ નહીં, જો કહીશ તો આ તારું ઘન જતું રહેશે. - તેની સ્ત્રીની બહેન બહુ અદેખી હતી. તેણે પોતાની બહેનને ઘન મેળવવાનું કારણ જાણવા બહુ જ મનાવી પણ તેને કહ્યું કે મને મારા પતિ ઘન આવવાનું કારણ કહેતા નથી. તેથી તેની બહેન બોલી કે તું આજે ઘરમાં રસોઈ કરીશ નહીં. જ્યારે તારો પતિ આવે ત્યારે કારણ પૂછે તે વખતે તું કહેજે કે ઘન મળવાનું કારણ કહો તો રસોઈ કરું. પછી વિપ્ર ઘેર આવ્યો તો સ્ત્રી બેઠી હતી. તેનું કારણ પૂછતાં સ્ત્રી કહેવા લાગી કે ઘન મળવાનું કારણ કહો! ત્યારે વિપ્રે મનમાં વિચાર કર્યો કે “સ્ત્રીહઠ” બહુ ભૂંડી છે. આનું સમાઘાન કર્યા વિના ચાલશે નહીં! તેથી તેણે કહ્યું કે શેર દૂધ આકડાનું પી જવું, પછી દીશાએ જતાં સોનામહોર થઈ જશે. સ્ત્રીએ પોતાની બેનને તે પ્રમાણે કહેતાં તે સ્ત્રીએ શેર દુધ આકડાનું મંગાવી પોતાના ઘણીને પાયું તેથી બીજે દિવસે તે મરી ગયો. એમ સ્ત્રી પાસે સાચું નહીં બોલવાથી તે વિપ્રનું દારિદ્રપણું સદાને માટે ગયું; પણ જો સ્ત્રી પાસે સાચી વાત કરી હોત તો તેની બહેનને તે કહ્યા વિના રહેત નહીં. આ ઉપરથી દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે ગમે તેવી વાત હોય પણ સ્ત્રીના મનમાં રહેતી નથી, માટે સ્ત્રી પાસે કોઈ દિવસ નહીં કહેવા યોગ્ય વાત કરવી નહીં. ૧૪, પઠન કરવાં કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપો. પઠન એટલે વાંચવા કે ભણવા કે મુખપાઠ કરવા કરતાં પણ મહાપુરુષોનો કહેવાનો આશય શું છે? તે સમજવા માટે ઘણું મનન, ચિંતન કરવા ઉપર લક્ષ આપજો. કેમકે “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “૧૦. શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. ૧૧. મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. ૧૨. વઘારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે.'' -વ્યાખ્યાનસાર-૧ (પૃ.૭૮૪) “મોક્ષમાળા વિવેચન'માંથી :- “એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે? અગાઉ કહ્યું છે તેમ આત્મજ્ઞાન કરવું કે જેથી પરિણામે કેવળજ્ઞાન થઈ મોક્ષ પમાય. પણ આ કાળ ઊતરતો છે તેથી મળેલાં સાધનો પણ નિષ્ફળ થઈ જાય છે. તેમ ન થવા દરરોજ ઓછામાં ઓછો બે ઘડીનો કાળ તો નિયમિત રાખીને Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪૪ જિનેશ્વર ભગવાનનાં કહેલાં તત્ત્વબોધની પર્યટના કરો એટલે બોધને વારંવાર વિચારો. વીતરાગના એક સિદ્ધાંતિક શબ્દનો વિચાર કરતાં જ્ઞાનાવરણીય કર્મનો ઘણો ક્ષયોપશમ થશે. એ વાત વિવેકથી જોતાં સત્ય છે.’ (પૃ.૨૦૧) ૧૫. મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. મહાપુરુષોના ઉદયાથીન આચરણ જોવા કરતાં તેમનું અંતઃકરણ જોવું વધારે હિતાવહ છે. તે મહાપુરુષો ક્રિયા કરવા છતાં કેવા અલિપ્ત રહે છે તે જોવાથી તેમની દુષ્કર ક્રિયાની મહાનતાનો ખ્યાલ આવે છે. જેમકે મહાત્મા ગાંઘીજી પરમકૃપાળુદેવના સમાગમમાં બે વર્ષ રહેલા. તેમના હૃદયમાં જે છાપ તેમના વિષે પડેલી તે સ્વયં જણાવે છે— મહાત્મા ગાંઘીજીના શ્રીમદ્ભુ વિષેના ઉદ્ગારો :- જે મનુષ્ય (શ્રીમદ્ભુ) લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેકવેળા થયેલો.” “ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું.'' ‘જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુઓનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ, આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું.’’ “જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે; તેને શ્રીમદ્ના લખાણમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે પછી ભલે તે હિન્દુ હોય કે અન્ય ઘર્મી.’' સચિત્ર શ્રીમદ્ રાજચંદ્ર જીવનદર્શન (પૃ.૮૦) પ.પૂ.પ્રભુશ્રીજીએ કે પૂ.શ્રી સોભાગભાઈએ પણ પરમકૃપાળુદેવનું બહિરંગ આચરણ જોયું નથી. પણ એમના અંતરંગ આત્મગુણોને જોઈ પોતાના આત્માનું કલ્યાણ સાધી લીધું. વચનામૃત વિવેચન ચક્રવર્તીઓ કે તીર્થંકરો પણ ઉદયાધીન રાજ્ય કરતાં છતાં અંતરથી અલિપ્ત ભાવમાં રહેતા હતા. ૧૪૫ ૧૬. વચનસપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. સાતસો મહાનીતિને ફરી ફરી સ્મરણમાં રાખવાનું પરમકૃપાળુદેવ જણાવે છે. કેમકે એ સાતસો મહાનીતિમાં વ્યવહાર અને પરમાર્થ વિષેનું સુંદર રીતે વર્ણન કરેલું છે. ગૃહસ્થે કેમ વર્તવું, મુનિએ, બ્રહ્મચારીએ, પરમહંસ જેવા નિઃસ્પૃહી પુરુષોએ, વિધવાઓએ, રાજા, પ્રધાન વગેરેએ કેમ વર્તવું તે એમાં જણાવેલ છે. અનેક વિષયોનો આમાં સમાવેશ થયો છે. માટે ફરી ફરી એનું સ્મરણ કરવું જેથી આપણે કેમ વર્તવું એનો ખ્યાલ આવે. એકવાર વાંચવાથી જીવનમાં ઊતરે નહીં માટે ફરી ફરી તેને સ્મૃતિમાં લાવવા પરમકૃપાળુદેવે જણાવ્યું છે. ‘“સાતસો મહાનીતિ હમણા એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે.” (વ.પૃ.૧૬૬) ૧૭. મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખો; સત્પુરુષના સમાગમમાં રહો; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો; સત્શાસ્ત્રનું મનન કરો; ઊંચી શ્રેણિમાં લક્ષ રાખો. મહાત્માઓનો સ્વભાવ પર જીવો ઉપર ઉપકાર કરવાનો સહેજે હોય છે. ‘પરોપગરાય સતાં વિભૂતવઃ' પરનો ઉપકાર કરવો એ જ એમની વિભૂતિ છે. માટે જીવોને ઉપદેશ આપી સંસારસાગરથી તારે છે. તેના ઉપકારનો બદલો કોઈ વાળી શકે એમ નથી. પરમકૃપાળુદેવે એકવાર જણાવેલું કે અંબાલાલ એના શરીરની ચામડીના જોડાં સીવડાવી પહેરાવે તો પણ ઉપકાર વળી શકે નહી. મહાન આત્મા બનવું હોય તો સદૈવ જીવો પર ઉપકારબુદ્ધિ રાખો. તેમને હણો મા. જ્ઞાનીપુરુષના સમાગમમાં રહો. તે ઉપલબ્ધ ન હોય તો તેમના વચનોને પ્રત્યક્ષતુલ્ય જાણી હમેશાં તેના વાંચન વિચારમાં રહો. આહાર-વિહારાદિમાં અનાસક્ત બુદ્ધિએ પ્રવર્તો તથા આહાર વિહારાદિમાં નિયમિત રહો. સત્શાસ્ત્રનું હમેશાં મનન કરો. વાંચનની સાથે હમેશાં મનન કરો જેથી આત્મા ઉપર એ વચનોની છાપ પડે. ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો અર્થાત્ પ્રતિદિન પુરુષાર્થ કરી આત્માની Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪૬ ઊંચી ઊંચી ગુણસ્થાનકની ભૂમિકાઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. ૧૮. એ એક્કે ન હોય તો સમજીને આનંદ રાખતાં શીખો. ઉપર કહેલા એક્ટ ગુણ ન હોય તો તે ગુણો જરૂર મારે પ્રાપ્ત કરવા જેવા છે એ વાતને સપુરુષના બોઘે સમજવા પ્રયત્ન કરો. એ વાત સમજાયા પછી નિર્દોષ આનંદ રાખતા શીખો, જેથી સંસારની વિશેષ વૃદ્ધિ થાય નહીં. નિર્દોષ સુખનિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન, જેથી જંજીંરેથી નીકળે.” -શ્રીમદ્ રાજચંદ્ર ૧૯. વર્તનમાં બાળક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. વર્તનમાં બાળક જેવા નિર્દોષ મનવાળા થાઓ, સત્યની વાતમાં યુવાન જેવી દ્રઢતા દાખવો તથા સમ્યજ્ઞાનમાં વૃદ્ધો સમાન વિશેષ જ્ઞાન મેળવી આત્મ અનુભવી થાઓ. પરમકૃપાળુદેવની ઉંમર નાની હોવા છતાં તેઓ જ્ઞાનવૃદ્ધ હતા. વજસ્વામી માત્ર આઠ વર્ષની ઉંમરે જ્ઞાનવૃદ્ધ હોવાથી આચાર્ય પદવીને પામ્યા. ૨૦, રાગ કરવો નહીં, કરવો તો પુરુષ પર કરવો; દ્વેષ કરવો નહીં, કરવો તો કુશલ પર કરવો. સંસારમાં ક્યાંય રાગ કરવા જેવું નથી. છતાં રાગ કર્યા વિના રહી શકાતું ન હોય તો જેનામાં રાગ નથી એવા સપુરુષમાં રાગ કરવો. એ પ્રશસ્ત રાગ હોવાથી સંસારનો રાગ નાશ કરી વીતરાગતા આપનાર છે. કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ કરવા યોગ્ય નથી છતાં આ જીવને દ્વેષ કર્યા વિના રહેવાતું ન હોય તો પોતાના કુશીલ એટલે દુષ્ટ આચરણ ઉપર લેપ કરવો કે જેથી તારામાં રહેલા દોષોનું નિવારણ થાય. ૨૧. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય અભેદપણે રહેલા છે. “અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાથ સ્વરૂપ” તેનો એક પળ પણ વિચાર કરવાથી પોતાને એ સુખનો ખ્યાલ આવશે કે અહો! મારો આત્મા પણ એવા અનંતસુખથી ભરપૂર છે; છતાં હું સુખ માટે બહાર ભટકું છું. ૧૪૭ વચનામૃત વિવેચન એ મારું કેટલું બધું ગાઢ અજ્ઞાન સૂચવે છે. ૨૨. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. મનને વશ કર્યું તેણે આખા જગતને વશ કર્યું. મનને લઈને આ આખો સંસાર છે. પાંચ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓનો સારથી પણ આ મન જ છે. જેણે મનને જીતી લીધું તેણે સર્વ કષાય પર વિજય મેળવ્યો. શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કે“મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી, એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો. કુંથુજિન મનડું કિમહિ ન બાજે.” શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇંદ્રિયો વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહા-જ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને ખંભિત રાખી સર્વ જય કર્યો છે. “મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંઘ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુર્લભ નથી.” મન અકસ્માતુ કોઈથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિસ્સા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્ધાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે, ત્યાગ ન ટાગ્યા જેવો થાય છે, લોલજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.” -મોક્ષમાળા શિક્ષાપા૬૮ (૧.પૃ.૧૦૭) એક સંતનું દ્રષ્ટાંત :- રાજગૃહી નગરીના રાજાની વિનંતિથી ઉપદેશ આપવા એક સંત આવતા. સંસારની અસારતા સમજાવતા તેથી રાજાને આનંદ Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪૮ ( થતો અને સંસાર ત્યાગ કરવાનું મન થતું. પણ ત્યાગ કરવાને - અસમર્થ હતા. રોજ રાજાને ત્યાં ઉપદેશ આપવા આવતાં, પણ સંત રાજાના ઘરનું પાણી કદી પીતા નહીં. રાજાએ એકવાર પૂછ્યું કે ગુરુદેવ ! આપ મારા ઘરનું પાણી કેમ પીતા નથી? મારો શો અપરાશ છે? સંતે કહ્યું : તારા ઘરનું અન્ન, પાણી અમારાથી ન લેવાય. કેમકે તારું અન્ન કદાચ અમારું મન બગાડી નાખે. માટે લેતા નથી. કારણસર લેવું પડે એ જુદી વાત. એક દિવસ રાજાના મહેલમાં ઉપદેશ દેવા આવ્યા. રાજાના ઘણા આગ્રહથી મન પીગળ્યું અને શીખંડ, પૂરીનું ભોજન કર્યું. સંતે રાજાને આશ્રમે જવાનું કહ્યું પણ પેટ ભારે હોવાથી સુવાનું મન થયું અને એક મખમલની પથારી જોઈ તેના ઉપર સૂઈ ગયા. ભારે ભોજનથી સંતને ગાઢ નિદ્રા આવી. જાગ્યા ત્યારે સામે એક રત્નાનો હાર જોયો તે લેવાનું મન થયું અને તે લઈને ચાલ્યા ગયા. - રાણીએ ઘણી તપાસ કરાવી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. બીજે દિવસે સંતને ઝાડા થયા ત્યારે રાજાના ઘરનું ખાધેલું બધું નીકળી ગયું. ત્યારે સંતને વિચાર આવ્યો કે આ મેં શું કર્યું? ચોરી કરીને હાર લઈ આવ્યો. હવે હારને લઈ જઈ રાજાને સંતે કહ્યું : તારા અન્ને મારું મન બગાડ્યું. જેવું અન્ન તેવું મન અથવા જેવો આહાર તેવો ઓડકાર, એમ કહી રાજાને હાર સંતે સુપરત કર્યો. -જીવનઘડતર પ્રવેશિકા ૨૩. આ સંસારને શું કરવો? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. સંસારમાં એક એક જીવ સાથે અનંતી સગાઈ માતારૂપે, સ્ત્રીરૂપે, પુત્રરૂપે, પિતા વગેરે રૂપે થઈ ગઈ છે. “અનંતીવાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ', એવા સંસારને શું કરવો કે જેથી નવા ભવો ઘારણ કરીને જીવો સાથે આવા અનેક સંબંધો કરવા પડે. માટે આ સંસારનો અંત આણવો એ જ હિતાવહ છે. એ જ કલ્યાણકારક છે. ૧૪૯ વચનામૃત વિવેચન ૨૪. નિગ્રંથતા ઘારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજો; એ જ લઈને ખામી આણવા કરતાં અભારંભી થજો. દીક્ષા લેવા પહેલાં સંપૂર્ણ વિચાર કરવો કે હું દીક્ષા પાળી શકીશ કે નહીં. દીક્ષા લઈને પછી દોષ લગાડવા તે મહાબંઘનું કારણ છે. જો આપણામાં નિગ્રંથપણું પાળવાની સંપૂર્ણ શક્તિ ન હોય તો અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ રાખીને આત્માને ઉજ્વળ કરવાનો પુરુષાર્થ કરવો. જ્યારે સંપૂર્ણ યોગ્યતા આવી જાય ત્યારે સદ્ગુરુ ભગવંતની હાજરીમાં દીક્ષા લેવી. દીક્ષા લઈને દોષ લગાડવાથી ભારે કર્મોનો બંધ થાય છે. માટે તેમ કરવું નહીં. વવાણીયામાં સ્થાનકવાસી મૂનિઓ વહોરવા માટે ઘેર આવતા ત્યારે પરમકૃપાળુદેવના માતુશ્રી વગેરે વહોરાવતા. તે સમયે પરમકૃપાળુદેવ તે મુનિઓને જણાવતા કે અવળી પ્રરૂપણા કરશો તો અનંતકાળ સંસારમાં રઝળવું પડશે. એમ મીઠો ઠપકો આપતા હતા. પ.પૂ.પ્રભુશ્રીજી જણાવે છે કે શ્રાવક કે ટૂકડે, ગજ ગજ લાંબે દાંત; કરે ઘર્મ તો પચે, નહીં તો કાઢે આંત.” ૨૫. સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. “રે આત્મા તારો આત્મ તારો, શીધ્ર એને ઓળખો; સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” જ્ઞાની પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા છે કે હે ભવ્યો! તમે તમારા આત્માનો ઉદ્ધાર કરો. તે આત્માની શીધ્રપણે ઓળખાણ કરો. જગતના સર્વ જીવોને પોતા સમાન ગણો અને આ વચનને હૃદયમાં કોતરી રાખો. તથા આત્માને ઓળખવા માટે અંતરંગ તથા બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરો. તેના વિષે પ્રજ્ઞાવબોઘમાં જણાવ્યું છે – “તજ તજ બન્ને પરિગ્રહો, આરંભ ઝટ નિવાર, પરિહર પરિહર મોહ તું, કર કર આત્મવિચાર, નિખારણ કરુણા કરી, સંત કરે પોકાર; અગ્નિ આરંભ પરિગ્રહ, બળી મરશો નિરઘાર.” Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૫૦ ( ૨૬, સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. સ્ત્રીના શરીર ઉપર થતો મોહ અટકાવવા માટે તેના શરીર ઉપરથી ચામડી કાઢી નાખી હોય તો કેવું ભાસે? એમ વિચારે તો જોવું પણ ન ગમે, ભયંકર લાગે. એમ શરીરના અંદરનો ભાગ માંસ, લોહી, હાડકાં, નસો, મળ, મૂત્ર વગેરે બહાર લાવીને વિચારે કે હવે તેમાં મોહ કરવા જેવું શું છે? એમ વારંવાર વિચારે તો અનાદિનો મોહ મંદ થાય. એક બે વાર વિચારવાથી અનાદિનો અભ્યાસ ટળે નહીં. પણ જ્યારે જ્યારે મોહ થાય ત્યારે ત્યારે વારંવાર વિચારે તો જરૂર તેના પ્રત્યેનો મોહ થતો અટકે. પુષ્પમાળામાં પણ કહ્યું છે કે–“જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે.” ૨૭, કુપાત્ર પણ સપુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નીરોગી કરે છે. કુપાત્ર એટલે ઘર્મ પામવાને યોગ્ય નથી એવો જીવ પણ જ્ઞાની પુરુષની કૃપાદ્રષ્ટિ વડે પાત્ર બની જાય છે. વૃઢપ્રહારી, અંજનચોર વગેરે મહાપાપોના કરનારા તે પણ મહાપુરુષોના સમાગમે તરી ગયા. અર્જાન માળી જે પ્રતિદિન સાત જીવની ઘાત કરનાર હતો તે પણ ભગવાન મહાવીરની સમીપે જવાથી પાત્ર બની ગયો અને આત્મકલ્યાણ સાધી લીધું. જેમ સોમલ એમને એમ ખાય તો માણસ મરી જાય પણ જાણકાર વૈદ્ય દ્વારા તેને છાશથી શુદ્ધ કરવામાં આવે તો તેજ સોમલ શરીરને નીરોગી બનાવે છે. ૨૮, આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે. આત્મા મૂળ સ્વરૂપે તો સચ્ચિદાનંદમય છે અર્થાત્ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્રમય છે. પણ ભ્રાંતિને લીધે આત્મા દેહસ્વરૂપે ભાસે છે. ખરી રીતે તે દેહ સ્વરૂપ નથી. ભ્રાંતિથી થોડા પ્રકાશમાં દોરીને સાપ માની લઈએ છીએ તેમ. જેમ આપણે આંખને ત્રાંસી કરીને જોઈએ તો ચંદ્રમા એક હોવા છતાં બે દેખાય છે; પણ ખરી રીતે તેમ નથી. તેમ દેહને આત્મા માનીએ છીએ પણ ખરી રીતે જોતાં તેમ નથી. આત્મા તો ૧૫૧ વચનામૃત વિવેચન “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખઘામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.” ૨૯. યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. જ્ઞાનીપુરુષના કહેલા યથાર્થ વચનોને ગ્રહણ કરવામાં દંભ એટલે માયા રાખશો નહીં. તેમ જેની પાસેથી યથાર્થ બોઘ મળ્યો હોય તેનો ઉપકાર પણ કદી ઓળવશો નહીં. તેમ કરીએ તો કૃતઘ્ની કહેવાય. કૃતજ્ઞતા જેવો બીજો કોઈ મોટો દોષ મને જણાતો નથી, એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. “જ્ઞાનીપુરુષ પાસે જાય ત્યારે ઉપરઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી, મારું કામ કરી જતો રહું એ અનંતાનુબંધી માયા છે.” - બો, ભા-૨ (પૃ.૫૦) ૩૦. અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે કે,-ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. પરમકૃપાળુદેવ કહે છે કે અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે પણ તે ગુપ્ત ચમત્કાર લોકોના લક્ષમાં નથી. તે ગુપ્ત ચમત્કારમય ચૈતન્ય એવો આત્મા છે. આ આત્મતત્ત્વ જો સૃષ્ટિમાં ન હોત તો આખું જગત જડવત્ પડ્યું રહેત. બધી વસ્તુને જાણનાર અને જણાવનાર સ્વપર પ્રકાશક એવો આ આત્મા જ છે. પણ તેને લોકો જાણતા નથી. સમતા, રમતા, ઉરળતા, સાયકતા સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” (વ.પૃ.૩૬૭) ૩૧. ૨ડાવીને પણ બચ્ચાંના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. બાળકના હાથમાં સોમલ હોય તો તેને રડાવીને પણ માબાપ લઈ લે છે. કેમકે તે જાણે છે કે જો તે ખાઈ જશે તો મરી જશે. તેમ ગુરુને શિષ્યમાં દોષ જણાય તો તેને વઢીને, ઘમકાવીને પણ તે દોષો દૂર કરાવે છે. નહીં તો તે દોષોને કારણે શિષ્ય સંસારમાં ડૂબી મરશે એવી અંતરદયા શ્રી ગુરુના હૃદયમાં હોવાથી તેમ વર્તે છે. ઘમકી ગણે ના કોઈ તો, ગુરુ આમ થફેંકીને કહે; દેખાડતો નહિ મુખ તારું મલિન, માયા જો ગ્રહે; Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ વચનામૃત વિવેચન કૂવામાં નહીં જેવું પાણી હતું તેમાં ઘાસનો પૂળો દોરીથી બાંધીને ૬ અંદર નાખ્યો તે ઘાસનો પૂળો પલળીને જે પાણી બહાર આવ્યું તેના ટીપાંને ચાટવા લાગ્યો. std. કો શ્રીમદ્ રાજચંદ્ર ૧૫ વ્રત, નિયમ, સંયમ સર્વને માયા ફ્પી રીતે દહે; © જે આત્મ ઉજ્વળતા ચહે તે જીવ જ ગુરૂશરણું ગ્રહે.” -પ્રજ્ઞાવબોધ (પૃ.૧૨) ૩૨. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. નિર્મળ અંતઃકરણથી એટલે પવિત્ર હદય વડે ગુપ્ત ચમત્કારમય આત્માનો વિચાર કરવો યોગ્ય છે. વિષયકષાયથી મલિન અંતઃકરણ તે આત્મવિચાર કરવાને યોગ્ય નથી. “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતલ એવું આત્મસુખ આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે.” -પ્રીમદ્ રાજચંદ્ર નિર્મળ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે?” શ્રીમદ્ રાજચંદ્ર ૩૩. જ્યાં '' માને છે ત્યાં ‘તું નથી; જ્યાં “તું” માને છે ત્યાં 'તું' નથી. જ્યાં દેહાદિને હું પણે માને છે, ત્યાં તું નથી. તું તો સચ્ચિદાનંદમય શુદ્ધ આત્મા છું. અને જ્યાં આત્મા સિવાય પરપદાર્થને તું તારા માને છે પણ તે તારા નથી. ૩૪. હે જીવ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે? હે જીવ! અનાદિકાળથી ભોગો ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં તો હવે એ ભોગોમાં જતી વૃત્તિને શાંત કર, શાંત કર, વિચાર કરીને જો કે આ ભોગોમાં એવું કયું સુખ રહ્યું છે કે જ્યાં તારી વૃત્તિ ભટક્યા કરે છે. દેવલોકના સુખો ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં તો આ મનુષ્યલોકના તુચ્છ ભોગો ભોગવ્યાથી ક્યાંથી તૃપ્તિ થવાની હતી. માટે એમાં મોહ શો કરવો? કોલસા પાડનારનું દૃષ્ટાંત - જેમ ગ્રીષ્મ ઋતુમાં એક કોલસા પાડનાર માણસ જંગલમાં લાકડાં ફાડવા ગયો. ત્યાં ગરમીને લીધે તેને બહુ તરસ લાગી. તેથી તેની પાસેના ઘડામાંનુ બધું પાણી તે પી ગયો પણ તરસ છીપી નહીં; તેથી સૂઈ ગયો. ઊંઘમાં તેને સ્વપ્ન આવ્યું કે મને બહુ તરસ લાગી છે. તેથી ઘરના બધા માટલાઓનું પાણી પી ગયો છતાં તૃપ્તિ થઈ નહીં તેથી બઘા સમુદ્રનું, બઘા તળાવનું, બધી નદીઓનું પાણી પણ પી ગયો છતાં તૃપ્તિ થઈ નહીં. હવે એક જે સમુદ્ર વગેરેનું બધું પાણી પી ગયો છતાં તૃપ્તિ ન થઈ તેને આ ઘાસના પૂળાના ટીપાંથી કઈ કૃમિ થવાની છે? તેમ આપણા આત્માએ દેવલોક આદિના કે રાજા વગેરેના સુખો અનંતીવાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં તો આ મનુષ્યલોકના આધિ વ્યાધિ અને ઉપાધિવાળા સુખો વડે કઈ તૃપ્તિ થવાની છે? એમ વારંવાર વિચાર કરે તો એ વિષયસુખો પ્રત્યે જીવને વૈરાગ્ય આવે. ૩૫. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. જો તને ખરેખર આ દુઃખરૂપ સંસારથી કંટાળો જ આવતો હોય તો આ સંસારની લોહાલમાં પડવું યોગ્ય નથી. પણ આ માનવદેહવડે આત્માનું કલ્યાણ કરવું એ જ હિતાવહ છે. આત્માના કલ્યાણ માટે સાચા આત્મજ્ઞાની સપુરુષની ખોજ કરી તેની આજ્ઞાનુસાર જીવન ગાળવું યોગ્ય છે. ૩૬. સજ્ઞાન અને સત્વશીલને સાથે દોરજે. જ્ઞાનશિયાખ્યાબૂ મોક્ષ:' સમ્યજ્ઞાન સાથે સક્રિયા કરવાનો ઉપદેશ છે. ક્રિયા વિનાનું એકલું જ્ઞાન મોક્ષનું કારણ થતું નથી. તેમજ જ્ઞાન વગરની એકલી ક્રિયા પણ મોક્ષનો હેતુ થતી નથી; બન્ને સાથે જોઈએ. પક્ષી બે પાંખથી ઊડે, બે હાથથી તાલી પડે. તેમ પરમકૃપાળુદેવ જણાવે છે કે સજ્ઞાન એટલે Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આત્મા સંબંધી જ્ઞાન અને સીલ એટલે સચારને સાથે દોરજે ૐ અર્થાત્ સાચું જાણીને તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરજે. ૧૫૪ ૩૭. એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. એક સાથે ગાઢ મિત્રતા કરવાથી તેનો વિયોગ થાય ત્યારે ઘણું દુ:ખ થાય. માટે એક સાથે મૈત્રી કરીશ નહીં, પણ કરે તો જગતના સર્વ જીવો પ્રત્યે કરજે. એકેન્દ્રિય આદિ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવાથી સર્વ જીવો મારા જેવા જ છે તો તેમને હું કેમ હશું? એવી વિશાળ ભાવના મોક્ષનું કારણ બને છે. “મિત્તિ મેં સવ્વ મુઝેવુ, વેર મળ્યું ન વેળ “उदार चरितानाम् तु वसुधैव कुटुम्बकम्" ૩૮. મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિરાગ છૂટે છે તેને ઘન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. મહાસૌંદર્યથી ભરેલી દેવાંગના જેવી સ્ત્રીઓના ક્રીડાવિલાસ જોતાં પણ જેને વૈરાગ્ય છૂટે છે એવા સ્થૂલિભદ્ર મુનિને અમારા ત્રિકાળ નમસ્કાર હો. તેમજ જેને આઠે કન્યાઓ ચલાવી ન શકી એવા જંબુસ્વામીને અમારા ત્રિકાળ નમસ્કાર હો. “નિરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.” શ્રીમદ્ રાજચંદ્ર ૩૯. ભોગના વખતમાં યોગ સાંભરે એ હળુકર્મીનું લક્ષણ છે. ભોગના વખતમાં પણ જેને આત્માની સાથે જોડનાર એવા યોગની જ સ્મૃતિ રહ્યા કરે, એ હળુકર્મીનું લક્ષણ છે. ભરત મહારાજા સંસારમાં રહ્યા છતાં પણ જેને નિરંતર છૂટું છૂટુંના ભણકારા થતા હતા તે હળુકર્મીના લક્ષણ છે. ભરત મહારાજા ઋષભ પ્રભુને કહે છે કે હે નાથ— “આ સંસારે રે હું હō ડૂબિયો, પામ્યો ન કેવળજ્ઞાન; ક્યારે ક્યારે ૨ે હે! પ્રભુ આપશો આ બાળકનેય ભાન ? જાગો ભાર ઉતારો ગહન ભવચક્રનો, ગમતા ની આ ભોગ, તારો તારો વિભાવ પ્રવાહથી દ્યો નિત્ય-શુદ્ધ ઉપયોગ. જાગો વચનામૃત વિવેચન પરમકૃપાળુદેવે એક વખતે જણાવેલ કે સંસારી જીવો એક દિવસમાં પોતાની સ્ત્રી પ્રત્યે જે રાગ કરતા હશે તેટલો રાગ અમે આખી જિંદગીમાં પણ કર્યો નથી. કેવી અદ્ભુત આત્મજાગૃતિ. એ બધા હળુકર્મીના લક્ષણો છે. ૧૫૫ ૪૦. આટલું હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથી : આખી સૃષ્ટિ સીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યંત બાલ્યાવસ્થા, આત્મતત્ત્વનું ચિંતવન, પરમકૃપાળુદેવ કહે છે કે સંસારમાં આટલી વસ્તુઓ હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથી. (૧) આખી દુનિયા સદાચાર પ્રમાણે વર્તે, કોઈ પણ પ્રાણી દુષ્ટ વર્તન કરે નહીં તો હું મોક્ષની ઇચ્છા કરું નહીં. (૨) આયુષ્ય નિયમિત હોય. કોઈ અકાળે મૃત્યુ પામે નહીં. (૩) નીરોગી શરીર રહે, શરીરમાં કોઈ દિવસ પણ રોગ આવે નહીં. (૪) સ્ત્રી, પુત્રાદિ, સગાં કુટુંબીઓ અચળ એટલે સદા સ્થિર રહે. કોઈ મૃત્યુ પામે નહીં. (૫) નોકર ચાકર બધા આજ્ઞાંકિત હોય. (૬) કુળને દીપાવે એવા પુત્રો હોય, બાપના નામને બોળે એવા નહીં. (૭) જીવીએ ત્યાં સુધી બાલ્યાવસ્થા જ રહે, બાળક જેવું નિર્દોષ હૃદય રહે અથવા વૃદ્ધાવસ્થા આવે નહીં. (૮) હમેશાં આત્મતત્ત્વનું ચિંતન રહ્યા કરતું હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથી. ગૌતમબુદ્ધનું દૃષ્ટાંત – ગૌતમ બુદ્ધ એક દિવસ ફરવા માટે બહાર નીકળ્યા. ત્યાં ચાર જણને જુદી જુદી સ્થિતિમાં જોયા. પ્રથમ નિર્ધનને જોયો, બીજો એક વૃદ્ધને દીઠો. ત્રીજો રોગી જોયો અને ચોથું એક મડદાંને લઈ જતા જોયું. તેના ઉપરથી ગૌતમ બુદ્ધને વિચાર આવ્યો – અહો! આ સંસારમાં નિર્ધનપણાના કેવા દુઃખો રહેલા છે. આગળ જતાં લાકડી લઈને વૃદ્ધને જતા જોઈ વિચાર આવ્યો કે શું Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૫૬ / આવા વૃદ્ધાવસ્થાના દુઃખ પણ આ જગતમાં રહ્યાં છે. ૦ ફરી આગળ જતાં એક માણસને રોગથી ઘેરાયેલો દુઃખથી આકુળવ્યાકુળ થતો જોયો. તે જોઈને તેને વિચાર આવ્યો કે અહો! આ કાયામાં આવા રોગો પણ રહેલા છે! તે ક્યારે આપણા શરીરમાં ફુટી નીકળશે તેની પણ ખબર નથી. છે. ૧૫૭ વચનામૃત વિવેચન ૪૨. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે? તો કે હા. જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ. ૭ એ છ દ્રવ્યોની બનેલી આ સૃષ્ટિ છે. દ્રવ્ય અપેક્ષાએ જોતાં છ એ દ્રવ્ય શાશ્વત છે. ત્રિકાળમાં તે દ્રવ્યોનો નાશ નથી. માટે સર્વ દ્રવ્યોની અપેક્ષાએ જોતાં સૃષ્ટિ અમર થશે. તેમજ પ્રવાહની અપેક્ષાએ જોતાં સર્વ દ્રવ્યોના પર્યાય થવાનો પણ કદી અંત આવશે નહીં. જ્યાં સુધી જીવાદિ દ્રવ્ય અશુદ્ધપણે વિભાવમાં પ્રવર્તશે ત્યાં સુધી તેના વિભાવિક પર્યાય થશે અને જ્યારે દ્રવ્ય પોતાના શુદ્ધ પર્યાયને પામશે ત્યારે તેના શુદ્ધ શુદ્ધ પર્યાય પણ સમયે સમયે થશે. માટે સૃષ્ટિ સર્વ અપેક્ષાએ એટલે દ્રવ્ય કે પર્યાયની અપેક્ષાએ જોતાં અમર થશે. ૪૩. કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ઘોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત, પરમકૃપાળુદેવ કહે છે કે એક અપેક્ષાથી જોતાં જો સૃષ્ટિમાં રહેલા જીવો તે અમારા કહ્યા પ્રમાણે અર્થાત્ ભગવાનના કહ્યા પ્રમાણે વર્તતા હોત તો હિતાહિતનું ભાન પામી સર્વ જીવો આત્માના પરમાનંદમાં બિરાજમાન થાત. પણ મોટે ભાગે કર્મને આધીન જીવોને જ્ઞાની પુરુષોનો ઉપદેશ ચતો નથી. તેથી આત્માના પરમાનંદને પામી શકતા નથી. અને અજ્ઞાનવશ નવા નવા કર્મ બાંથી ચાર ગતિરૂપ સંસારમાં જ રઝળ્યા કરે છે. ૪૪. શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. શુક્લ એટલે પવિત્ર નિર્જનાવસ્થાને એટલે જ્યાં લોકોની અવરજવર ન હોય તેવા સ્થાનમાં ધ્યાન અને સ્વાધ્યાય બહુ સ્થિરતાપૂર્વક થઈ શકે. ત્યાં વિક્ષેપના કારણો નથી. માટે પરમકૃપાળુદેવ કહે છે કે એવા એકાંત સ્થાનોને હું બહુ માન્ય કરું છું. પરમકૃપાળુદેવ એકાંત સ્થાનો માટે ઈડર, ઉત્તરસંડા, કાવિઠા, રાળજ, ઘર્મપુર વગેરે સ્થળોએ રહ્યા હતા. ભગવાન મહાવીર પણ છદ્મસ્થ અવસ્થામાં એવી એકાંત અથવા ઉજ્જડ જગ્યામાં ધ્યાન કરતા હતા. ૪૫. સૃષ્ટિલીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. સૃષ્ટિલીલા એટલે કુદરતી સૌંદર્ય જેવા કે જંગલો, પહાડો, ગુફાઓ, નદીઓ, તળાવો આવેલા હોય ત્યાં શાંતભાવથી એટલે મનની અનેક પ્રકારની ફરી આગળ જતાં એક મડદાંને લઈ જતા જોઈ પૂછ્યું. તે પરથી વિચાર આવ્યો કે શું આ સંસારમાં આવી રીતે મૃત્યુ પણ આવશે. આ ચાર કારણો જોઈને ગૌતમબુદ્ધને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી માતા-પિતાને સમજાવી દીક્ષા ગ્રહણ કરી. માટે પરમકૃપાળુદેવ કહે છે કે ઉપર જણાવેલ બધી વસ્તુઓ વ્યવસ્થિત હોય તો હું મોક્ષની ઇચ્છા કરું નહીં પણ એમાંની એકે વસ્તુ અચળ નથી માટે હું તો મોક્ષની જ ઇચ્છા કરું છું. ૪૧. એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઇચ્છું છું. ઉપર જે કહ્યું તેમ કોઈ કાળે થયું નથી અને થવાનું નથી અર્થાત્ ભવિષ્યમાં પણ કોઈ કાળે થશે નહીં માટે હું તો મોક્ષને જ ઇચ્છું છું. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૫૮ ( ઇચ્છાઓ શાંત થઈ ગઈ હોય તો કર્મની નિર્જરા માટે તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. ૪૬. એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. જૈન દર્શનનો પ્રાણ સ્યાદ્વાદ છે; અર્થાતુ અનેકાંતવાદ અથવા અપેક્ષાવાદ છે. તે મૂકી દઈ પદાર્થના સ્વરૂપને એકાંતે કહેનાર જ્ઞાની ન કહી શકાય. પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણધર્માત્મક છે. તે દ્રવ્યના સર્વ ગુણોને યથાર્થ કહેવા માટે કે સમજવા માટે એક માત્ર સ્યાદ્વાદ જ તેનો ઉપાય છે. ૪૭, શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે? પરમકૃપાળુદેવ જણાવે છે કે શુક્લ એટલે પવિત્ર અંતઃકરણ થયા વિના મારા વૈરાગ્યમય વચનને કોણ દાદ આપશે. વિષયકષાયથી રહિત મન ન થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષોના પવિત્ર વચનો પ્રત્યે જોઈએ તેવો આદરભાવ ઊપજે નહીં અને તે વચનો અંતરમાં સ્થાન પામે નહીં.. ૪૮. જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. જ્ઞાતકુળમાં ઉત્પન્ન થયેલ ભગવાન મહાવીરના કથનની જ બલિહારી છે. કેવળજ્ઞાનવડે સકળ વિશ્વનું સ્વરૂપ જોઈ ભગવંતે સર્વ પદાર્થના સ્વરૂપનું અનેકાંત દ્રષ્ટિએ અર્થાતુ સ્યાદ્વાદપૂર્વક સુમરીતે જે કથન કર્યું છે તેવું બીજા ઘર્મવાળા કોઈ કરી શક્યા નથી. ભગવાનની વાણી પૂર્વાપર અવિરોધ છે માટે જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. ૪૯. હું તમારી મૂર્ખતા પર હસું છું કે-નથી જાણતા ગુમ ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પઘારો? હું તમારી મૂર્ખતા પર હસું છું કે તમે ગુપ્ત ચમત્કાર એવા આત્મતત્ત્વને તો જાણતા નથી છતાં ગુરુપદ એટલે મોટાઈ મેળવવા માટે મારી પાસે શા માટે આવો છો? કારણ સમ્યગ્દર્શન વગર અર્થાત્ આત્મતત્ત્વને અનુભવ્યા વગર કોઈપણ ગુણ યથાર્થ રીતે પ્રગટ થતો નથી. ૫૦. અહો! મને તો કૃતની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા ૧૫૯ વચનામૃત વિવેચન ઉપકારને ઓળવનાર જ મળે છે. અને કૃતઘ્નતા જેવો બીજો મોટો [. કોઈ દોષ કૃપાળુદેવને જણાતો નથી. માટે કહ્યું છે કે કરેલા ઉપકારને કદી ઓળવવો નહીં; પણ તેનો પ્રત્યુપકાર વાળવા પ્રયત્ન કરવો. ૫૧. મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં. પરમકૃપાળુદેવની એવી ઇચ્છા નથી કે તમે બધા મારા પ્રત્યે રાગ રાખો પણ કંટાળો આપશો અર્થાતુ કોઈ રીતે પણ મને કનડગત કરશો તો હું જડ જેવો સ્તબ્ધ એટલે ચેષ્ટા વગરનો થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં; અર્થાત્ મને મારી આત્મસ્થિરતામાં કોઈ વિનરૂપ થશો નહીં. ૫૨. હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સઘળું માન્ય રાખશો? માાં કહેલાં ઘાકડે ઘાકડ પણ અંગીકૃત કરશો? હા હોય તો જ હે પુરુષ! તું મારી ઇચ્છા કરજે. પરમકૃપાળુદેવ મુમુક્ષુને સંબોધન કરીને કહે છે કે હે સહુરુષ! તને સત્ પ્રાપ્ત કરવાની ઇચ્છા થઈ હોય તો હું કહું છું તેમ કરવા તૈયાર છો? મારું કહેલું બધું માન્ય રાખશો? મારા કહેલાં વચનોને ઘાકડે ઘાકડ એટલે હું જેમ કહ્યું છું તેમ અક્ષરે અક્ષર માનવા તૈયાર છ? ઉપર કહેલી વાતોમાં તારી હા હોય તો જ હે સત્ પ્રાપ્ત કરવાના ઇચ્છુક એવા સપુરુષ મારી ઇચ્છા કરજે; નહીં તો નહીં. કારણ મારા કહ્યા પ્રમાણે વર્તન કરવું ન હોય તો અમૂલ્ય એવો મારો સમય બગાડીશ નહીં. ૫૩. સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો! પરમકૃપાળુદેવ સદા સ્વરૂપમાં રમનાર હોવાથી, ભાવથી તો અશરીરી છે છતાં ભરતક્ષેત્રમાં રહેલા ભવ્ય જીવોએ પોતાના કલ્યાણને માટે આપને મનુષ્ય દેહરૂપે હસતા રમતા લીલામય કર્યા; અર્થાત્ અમારા પુણ્યના ઉદય વાનીમારી કોયલના દૃષ્ટાંતે આપને અહીં જન્મ લેવો પડ્યો. ૫૪. દેવદેવીની તુષમાનતાને શું કરીશું? જગતની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા પુરુષની ઇચ્છો. પરમકૃપાળુદેવ જણાવે છે કે આવા ભયંકર ઠંડા અવસર્પિણી કાળમાં આ કેવી વિચિત્રતા છે કે મને તો કૃતની જ મળતા જણાય છે; અર્થાત્ કરેલા Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૬૦ / દેવદેવીની તુષમાનતાને શું કરીશું? માનો કે તમારું પુણ્ય હશે ઇ તો તે તમને ચિંતામણિરત્ન આપી દે. પણ તે કેટલા ભવ માટે? આ ભવ પૂરતું જ. પુણ્ય પરવાર્યું કે એ પણ ખોવાઈ જશે, અને મનુષ્યભવ પુદ્ગલ પદાર્થોની લેવડદેવડમાં જ પૂરો થઈ જશે; આત્માર્થ રહી જશે. માટે દેવદેવીની તુષ્ટમાનતાને આપણે શું કરવી છે? લક્ષ્મી તો પુણ્યની દાસી છે. જગતના જીવોને રાજી રાખવાથી પણ શો લાભ? જો યશકર્મનો ઉદય હશે તો તમારા વખાણ થશે અને એ પણ એક ભવ પૂરતા જ. અહીંથી દેહ છોડી નરકમાં દુઃખ ભોગવતા હોઈશું, ત્યારે જગતના જીવો છોડાવવા આવે નહી. તથા અપયશ કર્મનો ઉદય હશે તો લોકોને ગમે તેટલું સારું દેખાડવા પ્રયત્ન કરીશું તો પણ આપણી નિંદા જ થશે. તુષ્ટમાનતા તો સંપુરુષની જોઈએ. ‘સત્પુરુષની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.’ ‘ોક્ષમૂગુરુકૃપા' તે કૃપાને પ્રાપ્ત કરવા યોગ્યતા જોઈએ તે યોગ્યતા વિષયકષાયને મંદ કરવાથી આવે છે, માટે તેમના ઉપદેશથી વિષયકષાયના ભાવોને મંદ કરી સત્પરુષની તુષ્ટમાનતાને પ્રાપ્ત કરું છાડા શેઠનું વૃષ્ટાંત:- વઢવાણમાં છાડાશેઠ રહેતા હતા. શેઠ પહેલા અત્યંત ગરીબ હતા. ધીરે ધીરે અઢળક સંપત્તિવાળા થયા. એમની કરોડપતિઓમાં ગણતરી થવા લાગી. સુખ દુઃખમાં તેઓ સમભાવવાળા હતા. સાચો ઘર્મી કોણ? જે સુખ આવે ત્યારે છકી ન જાય અને દુઃખ આવે ત્યારે ડગી ન જાય. છોડાશેઠ પાસે એક દક્ષિણાવર્ત શંખ હતો અને પાર્શ્વનાથ ભગવંતની લક્ષણવંતી મૂર્તિ હતી. આ બે વસ્તુના અધિષ્ઠાયક દેવો હતા. એક રાત્રે શેઠને સ્વપ્નમાં બે દેવોએ આવી કહ્યું કે અમે દક્ષિણાવર્ત શંખ અને પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમાના અધિષ્ઠાયક દેવો છીએ. જ્યાં આ બે વસ્તુ રહે ત્યાં અમે રહીએ છીએ. ત્યાં નવે નિશાન સદા રહે છે. પણ શેઠ! હવે તમારું પુણ્ય પરવાર્યું છે માટે તમને કહેવા આવ્યા છીએ કે અમે જવાના છીએ. ત્યારે શેઠ કહે : “ભલે ખુશીથી પથારો. મને તેની ચિંતા નથી. તમારા ચાલ્યા જવાથી મારું સઘળું ઘન ચાલ્યું જશે એની મને કંઈ ફિકર નથી. કારણ ૧૬૧ વચનામૃત વિવેચન કે જ્યાં સુધી મારા માથે જિનેશ્વરદેવ જેવા દેવ, પાંચ મહાવ્રતધારી / 0 નિગ્રંથગુરુઓ જેવા ગુરુ અને દયાથી ભરેલો જૈનધર્મ આ ત્રણની કૃપા છે ત્યાં સુધી મારું સઘળું ધન લૂંટાઈ જાય તોય મને તેની કોઈ પરવા નથી. દેવ ગુરુ અને ધર્મ એ જ મારું ખરું ઘન છે. દેવ ગુરુ અને થર્મ જેવી ગંગા નદી મારી પાસે છે તો પછી તમે પવાલાપાણી જેવું મારું ધન લઈ જાઓ તેની મને શી ફિકર હોય! માટે તમે ખુશીથી જાઓ. મારી ચિંતા કરશો નહીં, કુદરતી રીતે વસ્તુપાલ પાલીતાણાનો છરી પાળતો સંઘ લઈ વઢવાણ આવ્યા. છાડાશેઠે અંતરના ઉમળકાથી સંઘને જમવાનું આમંત્રણ આપ્યું. વસ્તુપાળે તે સ્વીકાર્યું. શેઠે સાધર્મિક ભક્તિ કરી. શેઠે સોનાના થાળમાં દક્ષિણાવર્ત શંખ અને પાર્શ્વનાથ પરમાત્માની મૂર્તિ લઈ વસ્તુપાળ મંત્રીશ્વરને કહ્યું કે એ બે વસ્તુ આપ સ્વીકારો. મંત્રી બોલ્યા : શેઠ, આ શું કરો છો? આ બે વસ્તુઓ જવાથી તમારા ઘરમાંથી બધી સમૃદ્ધિ ચાલી જશે. શેઠ કહે : હવે મારું પુણ્ય પરવાર્યું છે. માટે એ બે વસ્તુ તમારે ઉપયોગી થશે. આપના જેવા સુપાત્ર મને બીજા ક્યાં મળવાના છે? ઘણા આગ્રહે મંત્રીશ્વરે એ બે વસ્તુ સ્વીકારી. શેઠને સ્વપ્નમાં પેલા દેવોએ પાછા આવીને કહ્યું શેઠ! તમે તો અમને પુણ્યરૂપી સોનાની સાંકળે બાંધી લીધા છે. માટે હવે અમે જવાના નથી. એમ દેવ, ગુરુ, ઘર્મની તુષમાનતા જોઈએ. બીજા કોઈની તુષમાનતાની જરૂર નથી. - જીવનઘડતર પ્રવેશિકા ૫૫. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. હું એટલે મારો આત્મા તે જ્ઞાન દર્શન ચારિત્રમય પરમાત્મસ્વરૂપ છે. સતુ+ચિદુ+આનંદ એટલે દર્શન જ્ઞાન ચારિત્ર. તે આત્માનો જ સ્વભાવ છે. કોઈપણ દ્રવ્યનો સ્વભાવ કદી પણ નાશ પામતો નથી. તેથી નિશ્ચયનયથી જોતાં હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. ૫૬. એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ તમારું આત્મહિત જ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૬૨ આત્માના હિત માટે પ્રવર્તવાની ઇચ્છા રાખતા છતાં પણ જો - સફળતા પ્રાપ્ત ન થઈ તો પણ નિરાશ થવું નહીં. કારણ કે પ્રવર્તવાની જે ઇચ્છા છે તેમાં પણ તમારા આત્માનું હિત સમાયેલું છે. પૂર્વકર્મને લઈને કદાચ સફળતા ન મળે તો પણ વર્તમાનમાં તેમ વર્તવાનો જે સત્પુરુષાર્થ કરીએ છીએ તે નિષ્ફળ જવાનો નથી. આગળ ઉપર આત્માના હિતમાં તે મદદરૂપ જ થશે. ૫૭. તમારા શુભ વિચારમાં પાર પડો; નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. તમે જે શુભ વિચારો કરો છો તે પાર પડશે. પણ કદાચ વર્તમાનમાં તેનું ફળ ન દેખાય તો પણ તે શુભ વિચારોથી તમારા ચિત્તની સ્થિરતા થઈ છે તો તે કાર્ય પાર પડ્યું છે એમ જાણો. કેમકે ચિત્તની સ્થિરતા એ જ સુખ છે, અને ચિત્તની અસ્થિરતા એ જ દુઃખ છે. ૫૮. જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. જ્ઞાનીપુરુષને ખેદનો પ્રસંગ આવી જાય તો પણ અંતરમાં ખેદ હોતો નથી. શ્રીકૃષ્ણ તથા બળદેવ બન્ને ભાઈઓ હોનહાર એવી દ્વારિકા નગરીને બળતી ઊભા ઊભા જોઈ રહ્યા છે. છતાં અંતરમાં સાવ અલિપ્તભાવ છે કે જાણે પાડોશીનું ઘર કેમ બળતું હોય તેમ લાગે છે. લાખોનું નુકસાન થાય તો પણ જ્ઞાનીઓને તેથી ખેદ થતો નથી. અથવા લાખોની કમાણી થાય તો પણ તેથી તેમને કંઈ હર્ષ ઊપજતો નથી. એવી જ્ઞાનીપુરુષોની અંતરંગ આત્મદશા છે. જનકવિદેહી કે નમિરાજર્ષિ જ્ઞાની હોવાથી પોતાની નગરી દેવમાયાથી બળતી દેખાડી છતાં મારું કાંઈ બળતું નથી એમ તેમને લાગ્યું હતું. ૫૯. જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. જ્યાં સુધી તે તત્ત્વની એટલે આત્મતત્ત્વની અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુઘી મોક્ષમાર્ગના જે સમ્યજ્ઞાનદર્શન સંયમાદિ વાસ્તવિક કારણો છે તે તેને મળ્યા નથી. આત્મજ્ઞાન થયા પછી મોક્ષમાર્ગ કઈ દિશામાં છે તેનું તેને ભાન થાય છે. ૬૦. નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી પળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ જ્ઞાંનીઓનું કહેવું છે. ૧૬૩ વચનામૃત વિવેચન પૂર્વે ગાઢ કર્મો બાંધ્યા હોય તો નિયમ પાળવાની ઇચ્છા છતાં પણ તે પળતો નથી. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી : “એક માણસે એવો દૃઢ સંકલ્પ કર્યો કે, યાવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું; છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્રસંબંઘી અલ્પ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવાં કર્મનો ? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો ? તો કહી શકીશ કે, પુરુષવેદનો. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદનો ઉદય દૃઢ સંકલ્પે રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે.’’ (વ.પૃ.૧૯૧) ૬૧. સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. ચારગતિરૂપ અથવા ૮૪ લાખ જીવયોનિરૂપ આખો સંસાર છે. આ સંસારરૂપી બહુ મોટું વિશાળ કુટુંબ છે. તેમાં આપણો આત્મા એકેંદ્રિયાદિ કુટુંબમાં જઈ પછી મનુષ્યરૂપ કુટુંબમાં કે દેવલોકરૂપ કુટુંબમાં કે નરક કુટુંબમાં મહેમાનરૂપે રહી ફરી બીજી ગતિઓમાં જાય છે. જેમ મહેમાન હોય તે એક ઠેકાણે રહેતા નથી. તેમ આજે આપણે મનુષ્યભવમાં આવ્યા છીએ ત્યાં ૫૦-૬૦ વર્ષ રહીને નિયમા પાછા જવાના છીએ, માટે મહેમાન જેવા જ છીએ. આપણો સ્થાયીવાસ તા માત્ર મોક્ષમાં છે. આપણને સંસારમાં મહેમાનપણું લાગે તો તે પ્રત્યે વૈરાગ્ય આવે કે મારે તો થોડા દિવસ પછી જવાનું છે; તો હું કઈ વસ્તુમાં મોહ કરું. એમ ભાવોને સદા જાગૃત રાખો તો અંત વખતે રહસ્યભૂત મતિ આવીને જીવનું સમાધિમરણ થાય અને અસંગભાવ કે નિર્મોહીભાવ પણ તો જ આવે. ૬૨. એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે. ખરેખર ભાગ્યશાળી કોણ? તો કે જ્ઞાનીપુરુષ તથા જેને સત્પુરુષનો યોગ થયો છે, જે યથાશક્તિ ધર્મ આરાઘે છે, જે સત્પુરુષની ભક્તિ તથા સત્સંગ કરીને છ પદની શ્રદ્ધા વૃઢ કરે છે. જે સત્પુરુષની આજ્ઞા ઉપાસે છે અને રાગદ્વેષના ભાવોને જે ઘટાડવા પ્રયત્નશીલ છે તે જ ભાગ્યશાળી છે. તે દુર્ભાગ્યશાળીની દયા ખાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ શ્રીમદ્ રાજચંદ્ર ૧૬૪ ( ખરેખર દુર્ભાગ્યશાળી કોણ છે? તો કે જે સંસારમાં રચ્યાપચ્યા રહે છે. વિષયકષાયમાં જ જેની વૃત્તિ તન્મય છે. જેને જ્ઞાની પુરુષનો યોગ મળ્યો નથી અથવા મળ્યો હોય પણ તેમના પ્રત્યે દુર્લક્ષ છે. તે જ ખરેખર દુર્ભાગ્યશાળી છે. તેની દયા સટુરુષને કે સપુરુષના આશ્રિતને આવે છે. સમકિતી રોગી ભલો, જાકે દેહ ન ચામ; વિના ભક્તિ ગુરુરાજકી, કંચન દેહ નકામ.” ૬૩. શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. તીર્થકર ભગવાનની કે કૃપાળુદેવની પ્રતિમા તથા ચિત્રપટ, પુસ્તક, માળા વગેરે શુભ દ્રવ્ય છે. તે શુભભાવનું કારણ છે. જીવ નિમિત્તને આધીન છે. નિમિત્તને આધીન જીવને શુભ કે અશુભ ભાવ થાય છે. ઘરમાં અનેક પ્રકારની ઉપાધિના કારણે પ્રવૃત્તિમય જીવન હોય છે, તેમાંથી થોડીવાર પણ નિવૃત્તિ લઈ મંદિરમાં જઈને આત્મશાંતિ મેળવી શકાય છે, માટે મંદિર, પ્રતિમા, પુસ્તક કે ચિત્રપટ આદિ તે શુભ ભાવ થવાના પ્રબળ નિમિત્ત કારણ છે એમ મહાત્મા પુરુષો કહે છે. “નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૩૬) પ્રભુશ્રીજીને એકવાર મોહનભાઈ બ્રહ્મચારીએ કહ્યું કે પ્રભુ ઘરે ભક્તિ કરીએ તો ઝટ પતી જાય અને સભામંડપમાં ઘણો સમય લાગે ત્યારે પ્રભુશ્રીજીએ જવાબમાં કહ્યું કે ઘરે જમવું અને જમણવારમાં જમવા જવા જેટલો આમાં ફરક છે. સભામાં ભક્તિ કરીએ તે જમણવાર જેવું અને ઘરે ભક્તિ કરીએ તે સાદું ભોજન જમવા જેવું છે. તેથી શુભ ભાવ માટે શુભ નિમિત્તોની ઘણી જરૂર છે. ૬૪. સ્થિર ચિત્ત કરીને ઘર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરે. | ચિત્તની સ્થિરતા સહિત ઘર્મધ્યાનની પ્રવૃત્તિ મોક્ષ આપનારી છે. સ્થિરતા વિના શુક્લધ્યાનની પ્રાપ્તિ થતી નથી. ચોથા ગુણસ્થાનકથી ઘર્મધ્યાનની શરૂઆત વચનામૃત વિવેચન થાય છે. તે સાતમા ગુણસ્થાનક સુધી હોય છે, ઘર્મધ્યાનથી આગળ વધી વઘીને આઠમા ગુણસ્થાનકમાં શુક્લધ્યાન પામીને કેવળજ્ઞાન પ્રગટ કરી શકાય છે. માટે તેવી પ્રવૃત્તિ કરવા વિષયકષાયની વૃત્તિઓને દૂર કરી ચિત્તની સ્થિરતા કરો. જેથી ઘર્મધ્યાન અને શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય. ૬૫. પરિગ્રહની મૂચ્છ પાપનું મૂળ છે. ‘મૂછ રાહ:' - મોક્ષશાસ્ત્ર પરિગ્રહ પ્રત્યેનો મૂચ્છભાવ એટલે મમત્વભાવ અથવા આસક્તિ એ જ ખરેખર પરિગ્રહ છે. મમતાભાવ એ પાપનું મૂળ છે. મમતાથી આ જીવ સંસારમાં બંઘાય છે. નિર્મમત્વભાવવાળા એવા જ્ઞાનીપુરુષો આ સંસારથી છૂટે છે, ભરત મહારાજાની જેમ. શ્રીમદ્ રાજચંદ્ર' માંથી :- “જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી. પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માતુ યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુઘા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ઘર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ઘર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી, જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુ:ખના ભોગી થયા છે.” (૨.પૃ.૭૬) ૬૬, જે કૃત્ય કરવા વખતે વ્યામોહસંયુક્ત ખેદમાં છો, અને પરિણામે પણ પસ્તાઓ છો, તો તે કૃત્યને પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે. સંસારના જે જે કામો કરતાં વ્યામોહસંયુક્ત એટલે મોહની વ્યાકુળતા Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૬૬ / સહિત અંતરમાં ખેદ રહ્યા કરે છે અને એનું પરિણામ એટલે ફળ આવે ત્યારે પણ પસ્તાવો થાય છે. એવા જે કામો કરાય છે તેને જ્ઞાનીઓ પૂર્વકર્મનો દોષ કહે છે. અંતરમાં મોહની વ્યાકુળતા હોવાથી સંસારના કામો કરવા પડે છે; છોડી પણ શકતો નથી. અને અંતમાં ખેદ થાય છે; તેને જ્ઞાની પુરુષો પૂર્વકર્મનું કારણ કહે છે. હવે નવા તેવાં ન બંધાય તે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ક૭. જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ. જડભરતનું દ્રષ્ટાંત – જડભરત આ ભવમાં અસંગપણે રહ્યા કેમકે એમને જાતિસ્મૃતિજ્ઞાન થવાથી જાણ્યું કે પૂર્વભવમાં હરણ પ્રત્યેના સંગથી મારી વૃત્તિ મરણ સમયે હરણમાં રહી અને મૃત્યુ પામીને હું હરણીના પેટે અવતર્યો. તેથી આ ભવમાં હવે મારે કોઈનો પણ સંગ કરવો નથી એમ વિચારી મૌનપણું સ્વીકારી અસંગપણે જડ માણસ કંઈ સમજે નહીં તેમ રહી, પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. વીતરાગનો માર્ગ પણ અસંગ અને અપ્રતિબંઘ થવાનો જ છે માટે કૃપાળુદેવ કહે છે કે મને પણ એવી અસંગ દશા પ્રાપ્ત થાઓ. જડભરત પૂર્વભવમાં રાજા હતા. ત્યારે પણ રાજાનું નામ ભરત હતું. વૈરાગ્ય પામવાથી રાજપાટ છોડી સંન્યાસી બન્યા. જંગલમાં નદી કિનારે હરણી પાણી પીવા આવી. તે સમયે સિંહની ભયંકર ગર્જના સાંભળીને ગભરાઈ ગઈ અને નદીની સામે પાર જવા માટે છલાંગ મારીને કૂદી. એના પેટમાં ગર્ભ હતો તે નદીમાં નીકળી પડ્યો અને હરણી થાક તથા ભયને લીધે નદીની પેલી પાર પડી મરણ પામી. હરણીના બચ્ચાને નદીમાંથી પ્રેમથી ઉંચકી લઈ ભરતજી પોતાના આશ્રમમાં લઈ આવ્યા. ત્યાં તેને ખાવાપીવાની વ્યવસ્થા કરવાનો તથા તેને લાડ લડાવવાનો જાણે નિત્યક્રમ બની ગયો. જ્યાં જાય ત્યાં બચ્ચ સાથેને સાથે હોય. એમના વગર બચ્ચાને ગમે નહીં. જેમ એક મ્યાનમાં બે તરવાર રહે નહીં તેમ ભરતજીનો પણ ભગવત ભક્તિમાંથી હવે પ્રેમ ઉઠી ગયો અને બચ્ચાની સારસંભાળમાં જ રહેવા લાગ્યા. ભરતજીનો અંત સમય આવ્યો ખાટલા પરથી ઉઠી શકે નહીં. તે જોઈ સામે બેઠેલ બચ્ચાની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. તે જોઈ અંત સમયે ૧૬૭ વચનામૃત વિવેચન બચ્ચાનું ધ્યાન રહેવાથી ભરતજીને હરણીના પેટે અવતરવું પડ્યું. તે આત્મસાધના માટે રાજપાટનો ત્યાગ કર્યો હતો પણ જંગલમાં જઈ બચ્ચાના મોહમાં ફસાઈ ગયા. હરણરૂપે જન્મ્યા પછી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સંગના લીધે મારે હરણ થવું પડ્યું છે એમ જાણી તેનો પશ્ચાત્તાપ થવાથી માતાનો ત્યાગ કરી એકાંતમાં રહી હરણના ભવનો ત્યાગ કરી બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા. ત્યાં બ્રાહ્મણના ઘરે જન્મ થયા પછી પાછું જાતિસ્મરણશાન થયું. પૂર્વભવ જણાયા. તેથી રખેને મને કોઈ પ્રત્યે મોહ થઈ જાય એમ જાણી પોતાના કુટુંબીઓ, સગાં વગેરેથી બીતા રહી ભગવાનના પવિત્ર ચરણકમળનું જ હમેશાં ધ્યાન કરતા અને બહારથી મૂર્ખ, બહેરા, ગાંડા જેવો દેખાવ કરતા હતા. માતાપિતા ગુજરી ગયા, પછી ભાઈઓએ બધું વહેંચી લીધું. ભરતને જડભરત જેવો જાણી કંઈ ભાગ આપ્યો નહીં. ભાભીઓ પણ તેમની પાસે કઠીન કામ કરાવતી, કામ પૂરું ન થાય તો બહુ ક્રૂર રીતે વર્તતી. છતાં ભરતજી કંઈ બોલતા નહીં. ઘર બહાર નીકળી વૃક્ષ નીચે બેસતા. ક્રોધ શાંત થતો ત્યારે પાછા ઘરે આવતા. ખાવા માટે ચોખાની કણકી, તલનો ખોળ, સડેલા અડદ, બળી ગયેલું અન્ન આદિ આપતા તે અમૃત તુલ્ય જાણી ખાઈ જતા. સ્નાન ન કરવાથી શરીરે ઘૂળના થર જામ્યા હતા. ફાટેલું તુટેલું વસ્ત્ર વીંટી રાખતા. લોકો આ અધમ બ્રાહ્મણ છે, એમ કહી એમની અવગણના કરતા. ભરતજી એથી પરમ સંતોષ માનતા. કારણકે તેઓ એમ સમજતા કે અવગણના એ આસક્તિનો છેદ કરવામાં વજ જેવું શસ્ત્ર છે. એકવાર ચોરોના રાજાને સંતાનની પ્રાપ્તિ માટે મહાકાળી આગળ પુરુષનો ભોગ આપવો હતો. તે કોઈ પુરુષને પકડી લાવ્યા હતા. પણ તે બંધનથી છૂટીને ભાગી ગયો. તેને શોધવા જતાં ભાઈના ખેતરની સંભાળ કરતા આ ભરતજીને જોયા, તેને બાંધીને ભોગ માટે લાવ્યા. પછી નવડાવી નવાં કપડાં અને માળા પહેરાવી, વાજતે ગાજતે ભદ્રકાળી દેવી આગળ બેસાડ્યા. ચોર રાજાનો પુરોહિત મંત્રોથી મંત્રેલી મહાભયંકર તરવાર ભરતજીનો શિરચ્છેદ કરવા ઉગામી ત્યારે ભદ્રકાળી સ્વયં પ્રતિમામાંથી પ્રગટ થઈ તે જ તરવારથી બઘા ચોરોના માથા કાપી નાખ્યા. ભરતજી શાંતભાવે જે થાય તે બધું જોઈ રહ્યા. એમના મનમાં પૂર્વે Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૬૮ / Tી ન કોઈ શોક હતો કે હવે બચી જવાથી ન કોઈ આનંદ હતો. બન્ને © અવસ્થામાં આત્મસ્થ હતા. ભરતજી એકવાર ભાભીઓની ક્રુરતાથી ઘરની બહાર નીકળી ગયા. જઈ ઝાડની નીચે વિશ્રાંતિ લેવા બેઠા હતા. ત્યાં થઈને એ જ દેશના રાજા રહૂગણ પાલખીમાં બેસી અધ્યાત્મ વિદ્યાના શ્રવણ માટે જતા હતા. પાલખી ઉંચકનારમાંથી એક માણસ બિમાર થવાથી તેને મુક્ત કરી આ હૃષ્ટપુષ્ટ ભરતજીને બળજબરીથી લાવી પાલખીનો દાંડો તેમના ખભા ઉપર મૂક્યો. પાલકી વાંકી ચૂકી ચાલે. રાજાએ કહ્યું છતાં એ તો એમની મસ્તીમાં જ ચાલતા રહ્યાં. ત્યારે બીજીવાર રાજાએ ક્રોથમાં આવી કહ્યું : અલ્યા મૂર્ખ જો તારી ખાંધ દુખતી હોય તો થોડીવાર વિશ્રાંતિ લે. આ સાંભળતા જ ભરતજીએ પાલખીનો દાંડો નીચે મૂકી દીધો અને જીવનમાં પહેલી જ વાર ઉચ્ચાર કરી રાજાને ઉપદેશ આપ્યો કે– ૧૬૯ વચનામૃત વિવેચન હે રાજા! તું એમ કહેવા માગે છે કે આત્મા શ્રમિત થઈ (f) શકે? થાકી શકે? એને ઈજા થઈ શકે? આત્માને કદી કંઈ ઈજા થઈ શકે નહીં. હું તો રસ્તામાં ચાલતાં બિચારા રંક જીવ જંતુઓ પગ નીચે દબાઈ ન જાય, તેના માટે જોઈને ચાલતો હતો. તેથી પાલખી વાંકી ચૂકી ચાલતી જણાતી હતી. જીવોની રક્ષા માટે જ્યાં સુધી મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી તે દ્વારા માયાનો તિરસ્કાર ન કરે, બધાની આસક્તિ ન છોડે, કામ, ક્રોધાદિ છએ શત્રુઓને જીતી આત્મતત્ત્વને ન ઓળખે ત્યાં સુધી તે ચારગતિરૂપ સંસારમાં જ ભટક્યા કરે છે. - હવે તો મહાપુરુષના સત્સંગ દ્વારા જ્ઞાનરૂપ ખગ પ્રાપ્ત કરી પોતાના મોહબંધનને કાપી જ નાખવા જોઈએ. તો જ ભગવાનની સ્મૃતિ અખંડ રહે. આવી અદ્ભુત તત્ત્વની વાતો સાંભળી રાજા તો ભરતજીના ચરણમાં પડ્યો અને બોલ્યો : હે સમર્થ પુરુષ! હું આપની ક્ષમા યાચું છું. આપ તો મહાન આત્મા છો. ભરતે રાજાને આશીર્વાદ આપ્યા. ભરતજી પોતાનું આયુષ્ય ભગવભક્તિમાં પૂર્ણ કરી સદાને માટે જન્મમરણના બંધનથી મુક્ત થઈ પરમાનંદને પ્રાપ્ત થયા. જનક વિદેહીનું દ્રષ્ટાંત - જનક વિદેહી ઘરમાં રહ્યા છતાં વિદેહી દશાએ વર્તતા હતા. મિથિલા નગરીને બળતી જોઈ મારું કંઈ બળતું નથી, એમ જેને હતું; જળમાં કમળ રહે તેમ રહેતા હતા. એક માણસને શંકા થવાથી જનકરાજા પાસે આવી પૂછ્યું કે તમે રાજ્ય કરો છો અને વિદેહી કેવી રીતે રહેતા હશો? છ -/// HIEF Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જનકરાજાએ કહ્યું મારે ત્યાં જમવા આવજો. બીજે દિવસે એ → માણસ જમવા આવ્યો. રાજાએ જમવાની જગ્યા ઉપર ખુલી તલવાર તેના માથા ઉપર લટકાવી દીધી. ત્યાં એ માણસને જમવા બેસાડ્યો. જમ્યો પણ એનો ઉપયોગ તો તલવારમાં જ હતો કે એ મારા ઉપર પડશે અને હું મરી જઈશ. જમ્યા પછી રાજાએ પૂછ્યું કે કેમ રસોઈ કેવી થઈ હતી? ત્યારે એ કે માણસે કહ્યું—મહારાજ ! મેં શું ખાધું તેની મને ખબર નથી, મારો જીવ તો માત્ર તલવારમાં હતો. ૧૭૦ ત્યારે રાજાએ કહ્યું—અમે રાજ્ય કરીએ છીએ પણ હમેશાં મરણ સાંભર્યા કરે છે, તેથી અમારું મન રાજ્યમાં ચોંટતું નથી. તેવો જ એક પ્રસંગ ભરત ચક્રવર્તીના જીવનમાં બનેલ છે. તેથી ભરત ચક્રવર્તી એક વણિકને કહે છે કે— “ભરત ચક્રવર્તી કહે “ભાઈ, એક જ ભવનું મરણ ટળે, તે માટે તું નજર ન ચૂક્યો, ઉત્સવ-આનંદે ન ભળે; પણ મારે છે મરણ ટાળવાં, ભવો અનંત તણાં હમણાં, તો કહે કેમ નજર હું ચૂકું? રાજ્ય, રિદ્ધિ ને યુદ્ધ ઘણાં.’’ -પ્રજ્ઞાવોધ પરમકૃપાળુદેવ કહે છે કે મને પણ એવી અસંગ દશા પ્રાપ્ત થાઓ. વચનામૃત વિવેચન 'શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.’’ (વ.પૃ.૨૭૧) ૧૭૧ જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જો કે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે.’' (વ.પૃ.૨૭૪) “વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.'' (વ.પૃ.૩૧૩) ૬૮. સત્પુરુષના અંતઃકરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. જ્ઞાનીપુરુષો અંતઃકરણથી જે પ્રમાણે વીતરાગભાવે પ્રવર્ત્ય અને પોતે વીતરાગભાવે જે ધર્મનો ઉપદેશ આપ્યો તે જ સત્ય ધર્મ. રાગદ્વેષરહિત થવું એ જ આત્માનો ધર્મ છે. ૬૯. અંતરંગ મોહગ્રંથી જેની ગઈ તે પરમાત્મા છે. અંતરમાં રહેલી મોહગ્રંથી એટલે દર્શનમોહ અર્થાત્ મિથ્યાત્વ અને ચારિત્રમોહ એટલે રાગદ્વેષની ગાંઠ જેની સંપૂર્ણપણે ગળી ગઈ અર્થાત્ નાશ પામી ગઈ તે કેવળજ્ઞાની પરમાત્મા છે તથા જેનો દર્શનમોહ નાશ પામ્યો તે પણ અંશે પરમાત્મા છે. ૭૦. વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર T શ્રીમદ્ રાજચંદ્ર વ્રત નિયમ લઈને તેના પ્રત્યે બેદરકારી રાખી, ઉલ્લાસિત પરિણામે તેને ભાંગશો નહીં. વ્રત નિયમમાં કંઈ પણ દોષ લાગે તો અંતરમાં તેનો ખેદ રહેવો જોઈએ અને ફરીવાર એવો દોષ થાય નહીં તેની કાળજી રાખવી જોઈએ. પણ વ્રત લઈને કુંડરિકની જેમ ઉલ્લાસિત પરિણામે તેને ભાંગતા મહાદોષનો તે ભાગી થાય છે. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી જેલની શિક્ષા પણ થઈ શકે તો મહાપુરુષોની આજ્ઞાનું ઉલ્લંઘન જીવને અનેક ગતિઓમાં રઝળાવનાર થાય છે. ૭૧. એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાઘતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. એક નિષ્ઠાથી એટલે દ્રઢ શ્રદ્ધાથી. જ્ઞાની પુરુષોની આજ્ઞાનું આરાઘન કરતાં જીવને તત્ત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને આત્મજ્ઞાન એ જ સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો સાચો ઉપાય છે. અત્રે કોઈ અદ્ભૂત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી ! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે, કોઈને જણાવવાની જરૂર નથી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” ઉપદેશામૃત (પૃ.૧૬) ૭૨, ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ઘર્મ, પરિણામ એ બંઘ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે, શોકને સંભારવો નહીં; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. કોઈપણ પ્રકારની શુભ કે અશુભ મન વચન કાયાની ક્રિયા કરવી તે કર્મ આવવાનું કારણ છે. ઉપયોગ એ ઘર્મ છે. આત્માનો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, એ એનો ઘર્મ એટલે સ્વભાવ છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા તરીકે સ્વભાવમાં રહે તો પોતાના ધર્મને પામે છે. શુભ કે અશુભ પરિણામની ધારા પ્રમાણે જીવને પુણ્ય કે પાપનો બંઘ થાય છે. તે જીવને ભોગવવો પડે છે. પણ શુદ્ધભાવથી કર્મનો બંઘ થતો નથી. ભ્રમ એટલે ભ્રાંતિ, એ મિથ્યાત્વ છે. દેહને આત્મા માનવો તે ભ્રાંતિ છે, મિથ્યાત્વ છે. ૧૭૩ વચનામૃત વિવેચન બ્રહ્મ એટલે આત્મા. જે પોતે જ છે. ભગવાનના વચનોમાં શંકા કરવી તે શલ્ય એટલે કાંટા સમાન છે. તે દુઃખ આપે. “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ.” શ્રીમદ્ રાજચંદ્ર સંસારમાં શોકના પ્રસંગો અનેક આવે પણ તેને વારંવાર સંભારી શોક કરવો નહીં. તેથી નવા કર્મનો બંઘ થાય. ઉપર જણાવેલ ઉત્તમ બોધ જ્ઞાની પુરુષોએ મને આપ્યો તે હું ભૂલીશ નહીં. પણ વારંવાર સ્મૃતિમાં લાવવા પ્રયત્ન કરીશ. ૭૩. જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની વૃષ્ટિએ જુઓ. જગતમાં રહેલ પદાર્થોને પર્યાય દ્રષ્ટિથી જોતાં જીવને રાગદ્વેષ થાય, પણ તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિથી જોતાં રાગદ્વેષ ઘટે, છ દ્રવ્યોનું બનેલું આ વિશ્વ છે. જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્ય છે. તેમાં પોતે જીવ દ્રવ્ય છે. બીજા સર્વ દ્રવ્યોથી પોતાનું અસ્તિત્વ ભિન્ન છે. તો જેમ છે તેમ પોતાને, બીજા સર્વ જડ, ચેતન દ્રવ્યથી ભિન્ન માની પર પદાર્થને રાગદ્વેષરહિતપણે જોવાની દ્રષ્ટિ કેળવે તો પોતાના સ્વરૂપનું જીવને ભાન થાય અને પરિણામે સર્વ દુ:ખથી મુક્ત થઈ સિદ્ધદશાને પામે. ૭૪. શ્રી ગૌતમને થારવેદ પઠન કરેલા જોવાને શ્રીમતુ મહાવીર સ્વામીએ સમ્યગ્નેત્ર આપ્યાં હતાં. ઇન્દ્રભૂતિ ગૌતમ, ચારવેદ–છટ્વેદ, સામવેદ, યથર્વવેદ અને યજુર્વેદ ભણેલા હતા; મનમાં શંકા હતી કે આત્મા નામનો પદાર્થ હશે કે નહિં? પોતે પાંચસો શિષ્યના ગુરુ હોવા છતાં આત્માની શંકામાં ગળકા ખાતા હતા. ભગવાનની સાથે વાદવિવાદ કરવા આવ્યા હતા. એમની શંકાઓનું સમાધાન ભગવાને વેદના વાક્યોથી જ કર્યું. ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને વેદ જોવા માટે સ્યાદ્વાદરૂપ સમ્યક્નત્ર આપ્યા હતા. “ચાર વેદ પુરાણ આબ્દ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રે ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.” - શ્રીમદ્ રાજચંદ્ર Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૭૪ ૭૫. ભગવતીમાં કહેલી પુદ્ગલ નામના પરિવ્રાજકની કથા તત્ત્વજ્ઞાની-ઓનું કહેલું સુંદર રહસ્ય છે. પુદ્ગલ પરિવ્રાજકનું દૃષ્ટાંત :– આલંભિકા નામે નગરી હતી. ત્યાં પુદ્ગલ નામે પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ અને બીજા નયોમાં પણ કુશળ હતો. તે છઠ્ઠ છઠ્ઠનો તપ કરતો અને ઊંચા હાથ રાખીને આતાપના લેતો હતો. તેથી પુદ્ગલ પરિવ્રાજકને વિભંગજ્ઞાન ઉત્પન્ન થયું. વિભંગ જ્ઞાન વડે બ્રહ્મલોક કલ્પમાં રહેલા દેવોની સ્થિતિ જાણે છે અને જુએ છે. પોતાને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, તેથી દેવલોકમાં દેવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની છે એમ તેણે કહ્યું. તે જાણીને ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે પુદ્ગલ પરિવ્રાજક કહે છે તે બરાબર છે? ભગવાને કહ્યું કે ના. દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. તે વાત લોકોના મુખેથી સાંભળીને પુદ્ગલ પરિવ્રાજકે ભગવાન પાસે આવી શિવરાજર્ષિની પેઠે ભગવાન પાસે દીક્ષા લીધી, અને અવ્યાબાધ સુખને પામ્યો. શ્રી ભગવતીસૂત્રના શતક ૧૧ ઉદ્દેશ ૧૨ના આધારે શિવરાજર્ષિનું દૃષ્ટાંત ઃ- એક શિવરાજા હતો. એક દિવસે રાત્રે વિચારણા જાગવાથી સવારમાં પોતાના કુટુંબીઓને બોલાવીને પોતાને તાપસી દીક્ષા લેવાના ભાવ જણાવ્યા પછી તાપસ થયો. છઠ્ઠું છઠ્ઠના તપ કરતો અને આતાપના કરવાથી તેને વિભંગજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી બીજાને કહેતો કે મને અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે, તે જ્ઞાનના બળે હું જાણું છું. આ લોકમાં સાત દ્વિપો અને સાત સમુદ્રો છે, ત્યાર પછી દ્વિપો અને સમુદ્રો નથી. ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે અસંખ્યાત દ્વીપો અને અસંખ્યાત સમુદ્રો છે. તે વાત લોકોના મુખેથી સાંભળીને પોતાનો આગ્રહ મૂકી દઈ તેણે ભગવાન પાસે આવી દીક્ષા લીધી અને સર્વ કર્મનો નાશ કરી મુક્તિને મેળવી. -શ્રી ભગવતીસૂત્ર'ના આધારે. પુદ્ગલ પરિવ્રાજક અને શિવઋષિએ પોતાનો સ્વચ્છંદ મૂકી ભગવાન મહાવીરની આજ્ઞા માન્ય કરી એ આ દૃષ્ટાંતનું રહસ્ય જણાય છે. કેમકે ‘રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ' અથવા ‘સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખીયું, કારણ ગણી પ્રત્યક્ષ.’ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વિવેચન સ્વચ્છંદ રોકે તે સમકિતને પામી અંતે અવશ્ય મોક્ષ મેળવે છે. માટે એ કથાઓ ભગવાન પ્રત્યે વૃઢ શ્રદ્ઘાન રાખવાનો ઉપદેશ આપનાર હોવાથી મોક્ષ મેળવવા અર્થે સુંદર રહસ્યરૂપ છે. ૭૬. વી૨ના કહેલાં શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. મહાવીર ભગવાને ઉપદેશેલ દ્વાદશાંગીના શાસ્ત્રોમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. તેના રહસ્યને જ્ઞાનીપુરુષો જાણી શકે બીજા નહીં. કેમકે— ૧૭૫ ‘ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી.’ શ્રીમદ્ રાજચંદ્ર માટે જ્ઞાનીપુરુષ કહે તેમ કરવામાં આપણું કલ્યાણ છે. ૭૭. સમ્યક્ત્નેત્ર પામીને તમે ગમે તે ઘર્મશાસ્ત્ર વિચારો તોપણ આત્મહિત પ્રાપ્ત થશે. સદ્ગુરુ કૃપાથી સમ્યક્ત્ર એટલે સ્યાદ્વાદપૂર્વકની સાચી સમજ યથાર્થ પામીને તમે ગમે તે ધર્મમતના શાસ્ત્ર વાંચો વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. પરમકૃપાળુદેવ વેદાંતના વૈરાગ્ય પ્રેરક ગ્રંથ યોગવસિષ્ઠ, સુંદર વિલાસ, મોહમુગર, મણિરત્નમાળા વગેરે વાંચવાની યોગ્ય જીવોને આજ્ઞા કરતા હતા. સમ્યÒત્ર પામવા માટે સૌથી પ્રથમ જ્ઞાનીપુરુષોના બોધ વચનોને વા વાર વિચારવા યોગ્ય છે. કેમકે ‘ઘણા કાળના બોઘે જેમ છે તેમ સમજાય છે.' -શ્રીમદ્ રાજચંદ્ર ૭૮. કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ઘારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી! (કુદરત તે પૂર્વિતકર્મ) કુદરત એટલે પૂર્વે કરેલ કર્મ. તેને કહે છે કે આ તારો પ્રબળ અન્યાય છે કે તું મારી ધા૨ેલ નીતિ પ્રમાણે કાલ વ્યતીત કરવામાં મને અંતરાયરૂપ થાય છે. વર્તમાનમાં નિશદિન આત્મધ્યાનમાં રહેવું હોય તો પણ પૂર્વકર્મ બળવાન હોય તો રહેવા દે નહીં. માટે હમેશાં આત્માને પોષણ મળે એવા જ સ્વાધ્યાય, ભક્તિ, આદિ કાર્યો કરવા કે જેથી ફરી ભવિષ્યમાં બીજા કર્મો જીવને બાહ્યકરૂપ થાય એવા બંધાય નહીં. ૭૯. માણસ પ૨મેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. ‘ગપ્પા સૌ પરમપ્પા’ આત્મા એ જ પરમાત્મા છે. નિશ્ચયનયથી જોતાં Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૭૬ પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ એ જ પરમાત્મસ્વરૂપ છે. વર્તમાનમાં તો તે પરમાત્મસ્વરૂપ કર્મરજથી મલિન છે. તે કર્મરજને જીવ પુરુષાર્થના બળે દૂર કરી દે તો પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે. તે સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ મનુષ્યદેહમાં જ પ્રાપ્ત થઈ શકે છે, માટે મનુષ્ય પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીપુરુષો કહે છે. ૮૦. ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો. ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ આ ‘ઉત્તરાધ્યયન’ નામના જૈનસૂત્રમાં લખાયેલ છે.તેમાં દૃષ્ટાંત સાથે તત્ત્વનો ઉપદેશ છે; જેમ બાળકને ગોળ સાથે ગોળી આપે તેમ. તેનું તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવલોકન કરો. તત્ત્વદૃષ્ટિ એટલે આત્મદૃષ્ટિ. આત્મામાં રહેલ અજ્ઞાન તથા કામ ક્રોધાદિભાવોનો કેમ નાશ થાય, તેનો લક્ષ રાખી ફરી ફરી તે વૈરાગ્ય ઉપશમનો બોધ આપનાર એવા ઉત્તરાધ્યયન સૂત્રનું અવલોકન કરો અર્થાત્ સ્થિર ચિત્તે તેનો સ્વાધ્યાય કરી તે તે દોષોને દૂર કરો. ૮૧. જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મ૨ણ ઇચ્છવા યોગ્ય છે. જીવતાં છતાં સંસારમાં રહેલ વિષયકષાય પ્રત્યેની આસક્તિને બાળી જાળીને ભસ્મ કરી દે તો સંસારની દૃષ્ટિએ તે જીવતાં છતાં મરેલા બરાબર છે. એવું મરણ ઇચ્છવા યોગ્ય છે કે જેથી ફરી જન્મમરણ કરવાં ન પડે. ‘ઉપદેશામૃત' માંથી :- સગાંસંબંધી, પૈસાટકા, ઘરબાર, બૈરીછોકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી અહંભાવ મમત્વભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહમૂર્છાભાવ બાળી જાળી, ભસ્મ કરી સ્નાનસૂતક કરી ચાલ્યા જવું છે. તો સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું—એ સર્વ પર્યાયવૃષ્ટિ છોડી શ્રી સદ્ગુરુએ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી. (પૃ.૩૯૨) “જીવતા જીનવર જપું, મુએ મુક્તિ પા; બેઉ હાથે લાડવા, જે ભાવે તે ખાઉં.” ૮૨. કૃતઘ્નતા જેવો એક્કે મહાદોષ મને લાગતો નથી. કૃતઘ્નતા એટલે કરેલા ઉપકારને ઓળવવો. તેના જેવો એક્કે મહાદોષ જણાતો નથી. કરેલા ઉપકારનો બદલો વાળવાને બદલે ઊલટો તેનો અપકાર ૧૭૭ વચનામૃત વિવેચન કરવો તેના જેવો બીજો કોઈ મોટો દોષ પરમકૃપાળુદેવને જણાતો નથી. પ્રતિ ઉપકાર કરવા અસમર્થ હોઈએ તો પણ તેનો અપકાર તો કદી ન જ કરવો જોઈએ. ‘શ્રી જૈન હિતોપદેશ' માંથી :- ‘કૃતજ્ઞતા—પોતાને કોઈએ કરેલા ઉપ– કારને ભૂલવો નહિ, પણ સમય આવે કરેલા ઉપકારનો બદલો વાળવો. (પૃ.૧૨૮) ૮૩. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત! મનુષ્યમાં માન વધારે છે. જો માન કષાય આ જગતમાં ન હોત તો મોક્ષ સ્થાન અહીં જ હોત. ‘બોધામૃત ભાગ-૧' માંથી – “જ્યાં માન હોય ત્યાં ભગવાન રહે નહીં. માન અને ભગવાનને વેર છે. “મોહનવરને માન સંગાતે વેર જો.’’ શ્રી કૃષ્ણનું દૃષ્ટાંત :- શ્રીમદ્ ભાગવતમાં એક કથા આવે છે. શરદપૂર્ણિમાની રાત્રિ હતી. શ્રીકૃષ્ણે જંગલમાં આવી વાંસળી વગાડી. તે સાંભળીને બધી ગોપીઓ ઘરનાં કામ વગેરે છોડીને ત્યાં શ્રીકૃષ્ણ પાસે આવી. શ્રીકૃષ્ણે કહ્યું કે તમે અહીં કેમ આવી? તમારા પતિને મૂકીને અહીં શા માટે આવી છો? ગોપીઓએ કહ્યું કે પતિ પરદેશ જાય ત્યારે કોઈને પોતાનું ચિત્રપટ, કોઈને લાકડાનું પૂતળું વગેરે પૂજવા માટે આપી જાય છે. પછી તે રોજ તેની પૂજા કરતી હોય અને જ્યારે પતિ ઘેર આવે અને કહે કે પાણી લાવ, તો તે કંઈ એમ કહે કે ના, મને પહેલાં પૂજા કરવા દ્યો. તેમ અમારા પતિ તો તમે છો. બીજાં તો બધા લાકડાના પૂતળા જેવા છે. જ્યારે ખરા પતિ ઘેર આવે ત્યારે લાકડાની પતિની કોણ સેવા કરે ? તે સાંભળી શ્રીકૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને પછી બહુ આનંદથી રાસ રમ્યા. તે વખતે એક એક ગોપી અને એક એક કૃષ્ણ, દરેક ગોપી સાથે એક એક કૃષ્ણ. તે વખતે ગોપીઓના મનમાં થયું કે આપણે કેવી ભાગ્યશાલિની છીએ ! આ વખતે બીજાં બધાં ઊંઘે છે અને આપણે ભગવાન સાથે લીલા કરીએ છીએ. એમ જરાક અભિમાન આવી ગયું, એટલામાં તો એકેય કૃષ્ણ ન મળે. કૃષ્ણ અલોપ થઈ ગયા. જ્યાં ભગવાન હોય ત્યાં માન ન રહે, અને જ્યાં માન હોય ત્યાં ભગવાન ન રહે, એવું છે. માટે અભિમાન મૂકવાનું છે.'' Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૭૮ ( ૮૪. વસ્તુને વસ્તુગતે જુઓ. ~ જગતમાં જે જે વસ્તુઓ દ્રષ્ટિગોચર થાય છે. તે તે વસ્તુઓને તેના સ્વરૂપે જાઓ. નજરે જે જે દેખાય છે તે બધી વસ્તુઓ પુલની બનેલ છે. પુદ્ગલનું સ્વરૂપ સડણ, પડણ અને વિધ્વંસણ છે. તેથી તે વસ્તુઓ કાળે કરીને સડી જશે, પડી જશે અને તેના પર્યાયનો પણ નાશ થશેજ. તો એવી નાશવંત વસ્તુના રૂપરંગાદિ જોઈ હું શું કામ તેમાં મોહ મમત્વાદિ કરી દુઃખ પામું. પણ શાશ્વત સુખસ્વરૂપ એવી આત્મવસ્તુને જ ઓળખી તેમાં નિમગ્ન રહું. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ, આનંદઘન મતિ સંગી રે.” -શ્રીઆનંદઘનજી ૮૫. ઘર્મનું મૂળ વિ૦ છે. ઘર્મનું મૂળ વિનય છે. મહાવીર ભગવાને ઉત્તરાધ્યયનમાં પ્રથમ અધ્યયન વિનયનું મૂક્યું છે. કારણ વિનય વગર ઘર્મમાં પ્રવેશ કરી શકાય નહીં. વિનય વગર વિદ્યા નથી. વિદ્યા વગર જ્ઞાન નથી. જ્ઞાન વિના મુક્તિ નથી. માટે સંપૂર્ણ આત્મસ્વભાવ પ્રાપ્તિનું મૂળ તે વિનય છે. | ‘ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ઘર્મનું મૂળ કહી વર્ણવ્યો છે. ગુરુનો, મુનિનો, વિદ્વાનનો, માતાપિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર એના માટે પરમકૃપાળુદેવે શ્રેણિક મહારાજા અને ચંડાળનું દ્રષ્ટાંત આપી વિનયનું માહાસ્ય સમજાવ્યું કે એક ચંડાળનો વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને પણ વિદ્યા સિદ્ધ ન થઈ, તો તેમાંથી તત્ત્વ એ ગ્રહણ કરવું કે આત્મવિદ્યાને પામવા નિગ્રંથ ગુરુનો વિનય કરવો. માનકષાયને જીતવાનો ઉપાય તે વિનય જ છે. “વિનયવડે તત્ત્વની સિદ્ધિ છે, ” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૮૧) “રે જીવ માન ને કિજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવ માન ન કિજિએ.” ૮૬. તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય. - વિદ્યા એટલે સમ્યજ્ઞાન. સાચું જ્ઞાન પ્રાપ્ત થવાથી અવિદ્યા એટલે મિથ્યાત્વનું જ્યાં હોવાપણું રહે નહીં તે જ સાચી વિદ્યા. ‘સા વિઘા જા વિમુક્તયે.’ તે જ સાચી વિદ્યા કે જેથી મુક્તિ પ્રાપ્ત થાય. ૧૭૯ વચનામૃત વિવેચન શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “જે વિધાથી ઉપશમગુણ છે. પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી.” (૨.પૃ.૩૯૦), જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે. તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંઘ કરે છે. અને તે જ વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ છોડે છે.” વ્યાખ્યાનસાન (વ.પૃ.૭૪૪) ૮૭. વીરના એક વાક્યને પણ સમજે.. મહાવીર ભગવાને આખી દ્વાદશાંગી ઉપદેશી છે. તેમાંથી એક વાક્યને પણ જીવ યથાર્થ સમજે તો પણ જીવનું કલ્યાણ થાય. કારણ ‘સસ્કુરુષના એક એક વાક્યમાં અનંત આગમ રહ્યા છે.' ઘણા જીવો એક એક વાક્યની પકડ કરી આરાધના કરીને મોક્ષને પામ્યા છે. માટે વીર પરમાત્માના એક વાક્યને પણ યથાર્થ સમજો. જેમકે ગજસુકુમારે એક ક્ષમાગુણ આરાધ્યો તો તે મોક્ષને પામ્યા. “સમજસાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવહી, ગયા અનંતામોક્ષ.” ૮૮, અહંપદ, કૃતઘનતા, ઉસૂત્રપ્રરૂપણા, અવિવેકઘર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે. અહંપદના આઠ પ્રકાર છે. જાતિમદ, કુલમદ, જ્ઞાનમદ, બળદ, રૂપમદ, ઐશ્વર્યમદ, વિજ્ઞાનમદ અને ઘનમદ, કૃતઘ્નતા એટલે કરેલા ઉપકારને ઓળવી, ઉપકારનો બદલો અપકાર આપે તે કૃતજ્ઞતા. ઉસૂત્રપ્રરૂપણા એટલે ભગવાને જે સૂત્રમાં કહ્યું હોય તેનાથી વિપરીત કહેવું તે ઉસૂત્રપ્રરૂપણા. અવિવેકઘર્મ એટલે વિવેક વગરનો ઘર્મ. જે ઘર્મમાં હિતાહિતનો, કૃત્યાકૃત્યનો, પેથાપેયનો, ખાદ્યઅખાદ્યનો વિવેક નથી તે અવિવેક થર્મ છે. તેથી આત્માનું કલ્યાણ નથી. ઉપર કહ્યા એ ચારે કારણો જીવને માઠી એટલે ખરાબ ગતિના લક્ષણ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૦ Tી ૮૯. સ્ત્રીનું કોઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી છતાં મારો દેહ ભોગવે છે. સ્ત્રીના શરીરનું કોઈપણ અંગ લેશમાત્ર સુખ આપનાર નથી. છતાં મારો દેહ ભોગવે છે અર્થાત્ પૂર્વે બાંધેલા કર્માનુસાર તેનો સ્પર્શ કરવો પડે છે. પણ તેમાં સુખબુદ્ધિ નથી. “જે જે પુગલ ફરસના, નિચે ફરસે સોય; મમતા, સમતા ભાવસૅ, કર્મબંઘ ક્ષય હોય.” ઉદય ભોગવે સમકિતી, કરે ન નૂતનબંઘ; મહિમા જ્ઞાન વિરાગ કી.” ૯૦. દેહ અને દેવાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. દેહમાં અને દેહના કારણે પર પદાર્થમાં રહેલ મમત્વભાવ એ જ મિથ્યાત્વનું લક્ષણ છે. જ્યાં સુધી શરીરમાં અહંભાવ અને શરીરના સુખ માટે પરપદાર્થોમાં કરવામાં આવતો મમત્વભાવ વિદ્યમાન છે ત્યાં સુધી જીવ મિથ્યાત્વમાં જ છે, ૯૧. અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણા ન થાય તેને હું મહા ભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી કહું છું. અભિનિવેશ એટલે આગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ. પોતાના મતના દુરાગ્રહના ઉદયે ભગવાને કહેલા વચનોથી વિરુદ્ધ ઉત્સુત્રપ્રરૂપણા ન થાય અને મધ્યસ્થ રહે, તો તેને હું મહાભાગ્યવાન જ્ઞાનીઓના કહેવાથી કહું છું, એમ પરમકૃપાળુદેવ જણાવે છે, કારણ કે મતાગ્રહીને મધ્યસ્થ રહેવું બહુ મુશ્કેલ છે, પોતાના મતની પુષ્ટી અર્થે ઉસૂત્રપ્રરૂપણા કરતાં પણ જીવને વિચાર આવતો નથી. ૯૨. સ્યાદ્વાદ શૈલીએ જોતાં કોઈ મત અસત્ય નથી. જગતમાં અનેક પ્રકારના ઘર્મમતો પ્રવર્તે છે. પણ સ્થાવાદ શૈલીથી તેનું અવલોકન કરતાં કોઈપણ મત અસત્ય જણાશે નહીં. જેમકે ક્ષણિકવાદી બૌદ્ધમત પણ પર્યાયવૃષ્ટિથી જોતાં સત્ય લાગશે અથવા દ્રવ્યદ્રષ્ટિએ જોતાં સાંખ્યમત પણ સત્ય ભાસશે. ૯૩, સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. સ્વાદના ત્યાગને જ્ઞાની પુરુષો આહારનો ખરો ત્યાગ કહે છે; કારણકે આહાર ત્યાગવો દુષ્કર નથી પણ સ્વાદ ત્યાગવો દુષ્કર છે. ૧૮૧ વચનામૃત વિવેચન ‘બોઘામૃત ભાગ-૩' માંથી – “સાધુજીવનમાં રસ ) ઘટાડવો, મુશ્કેલ છે, કારણ કે ગામમાં ગમે તે ઘરે તે જઈ શકે અને સારામાં સારો ખોરાક ફરી ફરીને મેળવી શકે. પણ તેમ નહીં કરતાં જે કંઈ સારો ખોરાક શ્રાવકો આગ્રહ કરીને પાત્રામાં નાખી દેતા તે બીજા સાધુઓને પ્રભુશ્રીજી આપી દેતા અને પોતે લુખોસૂકો નીરસ આહાર જીવન ટકે તે પૂરતો જ લેતા.” (પૃ.૬૯૬) ઉપવાસ આદિ કરવા કરતાં આહારમાં મજા ન પડે તેવો આહાર રસરહિત, મોળો કે ઘી આદિ ઓછાં વપરાય તેવો લેવો છે. ફળ વગેરેમાં પણ રસ પોષાય તેવું કરવું નથી. ખાવા માટે જીવવું નથી પણ જીવવા પૂરતું જ ખાવું છે. “નથી થય દેહ વિષય વઘારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.” (૧૫). વિષય એટલે પાંચ ઇન્દ્રિયોની મીઠાશ અને પરિગ્રહ એટલે થન, અલંકાર, સગાં, આદિની મમતા. તે અર્થે દેહ ઘર્યો નથી. આમ પર ચીજો ઉપરનો રાગ ઘટે અને સાદા ખોરાકથી જિવાય તો વૈરાગ્ય વધે, આત્મહિત સાચા દિલથી સાધવા જિજ્ઞાસા વધતી રહે અને સપુરુષનાં વચનો સમજાય, અને સમજાય તેટલું થોડું થોડું અમલમાં આચરણમાં મુકાય.” (પૃ.૬૯૭) સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે.” (૨૧–૯૩) આ ચાર આંગળની જીભ જીતવા કમર કસો જોઈએ. જ્યાં જ્યાં મીઠાશ આવે તે વખતે વૃત્તિ ત્યાં ન જવા દેતાં તેવી વસ્તુને બેસ્વાદ બનાવવા કે તેને દૂર કરવા તુર્ત ઉપાય લેતા રહો; તેવા પ્રસંગો લક્ષમાં રાખી, તે વિષે વિચાર કરી તેની તુચ્છતા ભાસે તેમ વિચારતા રહેવા સાચા દિલે આ પત્ર મળે ત્યારથી તૈયાર થાઓ. પેટ ભરવા માટે, જીવન ટકાવવા પૂરતું ખાવું છે તેમાં જીભ ભંજવાડ કરી, વિક્રિયાઓ ઉત્પન્ન થાય તેવા વિકલ્પો ઊભા કરી રંજાયમાન કરે છે; તેના ઉપર પહેરો રાખવો છે, પિકેટિંગ કરવું છે એવો નિર્ણય કરી જે મળી આવે તે મિતાહારીપણે લઈ તે કામ પતાવતાં શીખો; પણ ઘીરજથી તબિયત ન બગડે તેમ આહાર ઉપર હાલ તો વિશેષ લક્ષ રાખો.” (પૃ.૪૧૦) પરમકૃપાળુદેવની આગળ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતે કરતા હતા તે તપસ્યા કહી બતાવી કે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, પણ મનની વૃત્તિઓ ઉપર કાબૂ આવતો નથી; વૃત્તિઓ શમતી નથી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ 0. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૨ / Tી જણાવ્યું કે સ્વાદનો જય તે ખરો ઉપવાસ છે; ઇન્દ્રિયો જીતવા પ્રથમ 0 સ્વાદની આસક્તિ તજવી. જે વસ્તુ વધારે પ્રિય પુષ્ટિકારક કે મનને આલાદક લાગે તે બીજાને આપી દેવી, પોતે ન વાપરવી. બહુ સ્વાદ આવે ત્યારે બેસ્વાદ કરવા પાણીનો ઉપયોગ પણ કરવો. દાળ વગેરે બહુ સરસ લાગે તો અંદર પાણી ઉમેરી દેવું, તેવું જ શાક વગેરે માટે, ભાણામાં પાણી રેડવાની હિંમત ન ચાલે તો મુખમાં કોળિયો ભર્યા પછી તુરત પાણી લઈ ઉતારી જવું. જેને હવે આ જીભની પરાધીનતાથી મુક્ત થવું હોય તેણે તો જમતી વખતે સ્વાદમાં તલ્લીન થઈ સ્મરણ વગેરે થર્મ-કાર્ય ભૂલવું ન ઘટે. મનને કાં તો સ્મરણમાં કે આહારની તુચ્છતા વિચારવામાં, ગમે તેવા સ્વાદિષ્ટ ખોરાકનું બીજે દિવસે કેવું પરિણામ આવવાનું છે તેનું કે ઊલટી થાય તો કેવા રૂપે બહાર નીકળે? તેને ખાવાની ઇચ્છા કેમ થતી નથી? વગેરે સ્વાદથી વિપરીત ભાવનાનો વિચાર કરી, તેથી ઇન્દ્રિય-જય અને આખરે સમકિતનું વિઘ્ન દૂર કરનાર જાણી સંયમમાં વૃત્તિ દોરાય, મોક્ષ સમાન કોઈ ચીજ મઘુર નથી તેવી ભાવના ખાઈ રહેતાં સુધી ટકે તેવા પ્રયત્નો કંઈ ને કંઈ કરતા રહેવા ભલામણ છેજી. “એકાંત સુખી મુનિ વીતરાગ” આદિ યોગ્ય વચનોની મનમાં ઘૂન ચાલતી રહે તેવી ગોઠવણ રસોડા તરફ જતાં પહેલાં કરવી ઘટે છેજી. પુરુષાર્થ, અભ્યાસ અને આત્મોન્નતિની જિજ્ઞાસા દિન દિન પ્રતિ વર્ધમાન થાય એ જ સરળ માર્ગ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પૃ.૪૧૭) ૯૪. અભિનિવેશ જેવું એક્કે પાખંડ નથી. જે મતમાં પોતે પ્રવર્તતો હોય તે મતની ગમે તેવી માન્યતા હોય પણ તેને જ સાચી માની તેનો જ આગ્રહ રાખવો તે અભિનિવેશ છે. સત્ અસને જાણ્યા વિના વળગી પડવું તેના જેવું બીજાં એક્કે પાખંડ નથી. કારણ કુગુરુનો આશ્રય જીવને ભવસમુદ્રમાં બુડાડનાર છે. શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? તેનો વિચાર સુગમ છે. (પૃ.૪૯૫) ૧૮૩ વચનામૃત વિવેચન ૯૫. આ કાળમાં આટલું વધ્યું :- ઝાઝા મત, ઝાઝા (ST) તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ. પરમકૃપાળુદેવ કહે છે કે આ કાળમાં આટલું વધ્યું. ઝાઝામતજગતમાં ધર્મના નામે અનેક પ્રકારના ગચ્છા મત પ્રવર્તી રહ્યાં છે. બઘા પોતપોતાને સત્ય મનાવે છે, અને બીજાને મિથ્યાત્વી માને છે. આ કાળમાં કહેવાતા ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ એટલે વાચાશાનીઓ વિશેષ છે કે જેને માત્ર તત્ત્વજ્ઞાનની વાતો કરવી છે પણ તે પ્રમાણે જીવનમાં પરિવર્તન લાવવું નથી, એવા ઘણા મળી આવશે. ઝાઝી માયા એટલે આ કાળમાં વિશેષ માયાકપટની વૃદ્ધિ થઈ છે. સરળતા ગુણ જીવોમાંથી હાનિ પામ્યો છે. આ કાળમાં ઝાઝો એટલે ઘણા પ્રકારનો પરિગ્રહ જેમકે ઘન, વસ્ત્ર, અલંકાર, ઘર, ટીવી, ગાડી વગેરે પ્રત્યેનો રાગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે. ૯૬, તત્ત્વાભિલાષાથી મને પૂછો તો હું તમને નીરાગી ઘર્મ બોઘી શકું ખરો. પરમકૃપાળુદેવ કહે છે કે આત્માદિ તત્ત્વ વગેરે જાણવાની સાચી અભિલાષાથી મને પૂછો તો હું તમને વીતરાગ ભગવંતના ઉપદેશેલા વૈરાગ્યમય ઘર્મનો બોધ આપી શકું ખરો. “ઘર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર.” શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - શિક્ષાપાઠ ૮૬ તત્ત્વાવબોઘ–ભાગ ૫ એક વાર એક સમર્થ વિદ્વાનથી નિગ્રંથપ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ; તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એ એક સમર્થ તત્ત્વજ્ઞાની પુરુષ હતા; એમણે જે બોઘ કર્યો છે, તે ઝીલી લઈ પ્રજ્ઞાવંત પુરુષોએ અંગ, ઉપાંગની યોજના કરી છે, તેના જે વિચારો છે તે ચમત્કૃતિ ભરેલા છે; પરંતુ એ ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં રહ્યું છે એમ હું કહી ન શકું. એમ છતાં જો તમે કંઈ એ સંબંઘી પ્રમાણ આપતા હો તો હું એ વાતની કંઈ શ્રદ્ધા લાવી શકું. એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કંઈ જૈન વચનામૃતને યથાર્થ તો શું વિશેષ ભેદે કરીને પણ જાણતો નથી; પણ જે સામાન્ય ભાવે જાણું Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૪ / છું એથી પણ પ્રમાણ આપી શકું ખરો. પછી નવતત્ત્વવિજ્ઞાન સંબંઘી વાતચીત નીકળી. મેં કહ્યું, એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે; પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઈએ. પછી તેઓએ એ કથનનું પ્રમાણ માંગ્યું, ત્યારે આઠ કર્મ મેં કહી બતાવ્યાં; તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્નભાવ દર્શાવે એવું નવમું કર્મ શોઘી આપો. પાપની અને પુણ્યની પ્રકૃતિઓ કહીને કહ્યું : આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપો. એમ કહેતાં કહેતાં અનુક્રમે વાત લીધી. પ્રથમ જીવના ભેદ કહી પૂછ્યું એમાં કંઈ જૂનાધિક કહેવા માગો છો? અજીવદ્રવ્યના ભેદ કહી પૂછ્યું : કંઈ વિશેષતા કહો છો? એમ નવતત્ત્વ સંબંથી વાતચીત થઈ ત્યારે તેઓએ થોડી વાર વિચાર કરીને કહ્યું : આ તો મહાવીરની કહેવાની અદ્ભુત ચમત્કૃતિ છે કે જીવનો એક નવો ભેદ મળતો નથી; તેમ પાપપુણ્યાદિકની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી; અને નવમું કર્મ પણ મળતું નથી. આવા આવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો જૈનમાં છે એ મારું લક્ષ નહોતું. આમાં આખી સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું. (પૃ.૧૨૦) ૯૭, આખા જગતના શિષ્ય થવારૂપ વૃષ્ટિ જેણે વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી. આખા જગતના શિષ્ય થવા જેટલી લઘુતા જેના હૃદયમાં પ્રગટી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી. એવી દ્રષ્ટિ પરમકૃપાળુદેવે વેદી છે તેથી જ પત્રાંક ૮૭૫માં પ.પૂ.પ્રભુશ્રીજીને લખે છે કે “પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.” શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે.” (વ.પૃ.૨૫૯) ૯૮, કોઈ પણ શુદ્ધાશુદ્ધ ઘર્મકરણી કરતો હોય તો તેને કરવા દો. કોઈ પણ જીવ શુદ્ધપણે કે અશુદ્ધપણે ઘર્મક્રિયા કરતો હોય તેનો નિષેધ કરવો નહીં, પણ તેની ક્રિયા શુદ્ધપણે થાય તેમ પ્રસંગે વાત કરવી, પણ તમે જે ક્રિયા કરો છો તે બરાબર નથી, કરવા જેવી નથી એમ કદી કહેવું નહીં. કેમકે જીવોનો સ્વભાવ પ્રમાદી છે તેથી તે જે ક્રિયા કરતો હોય તેને પણ મૂકી દઈ સંસારમાં પ્રવર્તે. ૧૮૫ વચનામૃત વિવેચન “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “કોઈ પણ બીજાઓ, ઘ- / / ક્રિયાને નામે જે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અંગીકાર કરી છે, તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ દૃઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ઘર્મકથા કરશો (તે પણ જો તે ઇચ્છા રાખતા હોય તો). બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ઘર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી; આ અમારો નિશ્ચય છે.” (વ.પૃ.૨કર) અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્યું જવી. ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તો તેનો નિષેધ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સન્શાસ્ત્ર અધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.” (વ.પૃ.૬૫૨) ૯૯. આત્માનો ઘર્મ આત્મામાં જ છે. આત્માનો ઘર્મ એટલે સ્વભાવ તે આત્મામાં જ છે. આત્માનો જ્ઞાન દર્શનમય સ્વભાવ તે જગતના બીજા કોઈ દ્રવ્યમાં નથી, માત્ર આત્મામાં જ છે. જેમ પુદ્ગલનો ઘર્મ—રૂપ, રસ, ગંઘ, સ્પર્શ છે, તે પુદ્ગલમાં છે, તેમ આત્માનો ઘર્મ આત્મામાં જ છે. કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૬ [ ૧૦૦. મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું ૦ રાજી છું. પરમકૃપાળુદેવ કહે છે કે મારા ઉપર બધા સરળતાથી હુકમ ચલાવે તો હું રાજી છું. પણ ખોટી રીતે દબાવવા માટે કે પોતાનો હુકમ ચલાવવા માટે કે કોઈ રીતે સામા વ્યક્તિને માત્ર હેરાન કરવાની જ દ્રષ્ટિ હશે તો તે મને પોષાશે નહીં. અને જીવ પણ કર્મબંઘનને પાત્ર થશે. ૧૦૧. હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભોગવું છું; કાંઈ મેં ત્યાખ્યું નથી. પરમકૃપાળુદેવ જણાવે છે કે અમને સંસારમાં લેશમાત્ર રાગ નથી. છતાં પૂર્વ કર્માનુસાર તેને જ ભોગવવો પડે છે. તેથી બાહ્યથી કાંઈ મેં ત્યાખ્યું નથી. ખરી રીતે જેના અંતરમાં સંસાર પ્રત્યે રાગ નથી કે આસક્તિ નથી તે જ ખરા અંતર ત્યાગી છે. બાહ્ય ત્યાગ પણ અંતર ત્યાગને માટે છે. પૂર્વ કર્માનુસાર સંસારમાં બાહ્ય ત્યાગનો ઉદય ન આવવા છતાં જેનું અંતઃકરણ જળકમળવત્ અલિપ્ત રહે છે, તે જ મહાપુરુષાર્થી છે, તે જ ખરા ત્યાગી છે. પરમકૃપાળુદેવની એવી દશા હોવા છતાં પોતાને ત્યાગી માનતા નથી પણ પોતાને બાહ્ય ત્યાગ નથી એમ કહી અલ્પ દોષને પણ પહાડ જેવો કરી દર્શાવે છે; એ જ મહાપુરુષોની મહાનતા છે. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા. એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે.” (વ.પૃ.૪૫૨) નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ.” (૨.૫.૪૫૨) ૧૦૨, નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. પરમકૃપાળુદેવની પોતાની અંતરંગ નિર્મળ ભાવના એવી છે કે મને નિર્વિકારી દશાથી એકલો રહેવા દો; અર્થાત્ મારા આત્મામાં કોઈપણ પ્રકારની વિકૃતિ ન થાય અને સદા મારા આત્મસ્વરૂપની શુદ્ધદશામાં જ એકલો રહું એવી ૧૮૭ વચનામૃત વિવેચન સર્વસંગ પરિત્યાગ દશા અથવા અસંગતા તેમને પ્રિય છે. કેમકે તેવી ‘સર્વે સંગ મહાસવા' અર્થાત્ સર્વસંગ મહા આસ્રવરૂપ છે. ૧૦૩. મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે; પણ આવિર્ભાવ કરવું જોઈએ. મહાવીર ભગવાને કેવળજ્ઞાન વડે આખા જગતને જોયું અને જાણ્યું છે. તે જ્ઞાન પ્રત્યેક આત્મામાં સત્તાપણે રહેલું છે. પણ તેને આવિર્ભાવ એટલે પ્રગટ કરવા માટે માર્ગદર્શક સત્પરુષની જરૂર છે. તે મળ્યા પછી ભક્તિભાવપૂર્વક તેમની આજ્ઞા ઉપાસવાથી તે જ્ઞાન પ્રગટ થાય છે. ૧૦૪. બહ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિઃશંક ગણજો. વ્યવહારમાં વિશેષ કમાવાથી અહંકાર આવી જાય કે વધારે ક્ષયોપશમ વડે શાસ્ત્રાભ્યાસ થઈ જાય અથવા કોઈ કલા કૌશલ આવડી જવાથી પોતાને હોશિયાર માનતો હોય તો પણ ભગવાન મહાવીરે શાસ્ત્રોમાં વ્યસન ત્યાગ આદિ કોઈપણ આજ્ઞા કરી હોય તેને તોડશો નહીં. ભગવંતના ઉપદેશમાં ગમે તેવી શંકા ઉત્પન્ન થઈ હોય તો પણ પરમકૃપાળુદેવ જણાવે છે કે મારા વતી વીર ભગવંતને નિઃશંક માનજો. કારણ ભગવાન સર્વશ હોવાથી તેમજ કષાયરહિત હોવાથી કદી પણ વિપરીત તત્ત્વનો ઉપદેશ કરી શકે જ નહીં. ૧૦૫. પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન જ્ઞાનીઓએ અવશ્ય સ્મરવું જોઈએ. નિઃo! એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો! શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન યોગીપુરુષોએ અથવા જે આત્મકલ્યાણ કરવામાં તત્પર થયા હોય તેમને અવશ્ય સ્મરવું જોઈએ. કારણ એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો! અર્થાત્ તે વેળાએ કમઠે જળમાં ભગવાનને ડુબાડવા માટે ભયંકર ઉપસર્ગ કર્યા અને ઘણેન્દ્ર પદ્માવતીએ આવી પ્રભુને જળ ઉપર ઉઠાવી શિર ઉપર છત્રછાયા ઘારણ કરી; છતાં જેને બન્ને પ્રત્યે સમદ્રષ્ટિ છે એવા મહાપુરુષોને યોગીઓએ સમભાવની પ્રાપ્તિ અર્થે અવશ્ય સ્મરવા જોઈએ. "कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्तिः पार्श्वनाथः श्रेयऽस्तुवः" Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૮ અર્થ :— કમઠ અને ધરણેન્દ્ર પોતાને ઉચિત કાર્ય કરી રહ્યાં → છે. કમઠને પ્રભુ પ્રત્યે વેરભાવ હોવાથી ઉપસર્ગ કરે છે અને ધરણેન્દ્રને પ્રભુ પ્રત્યે ભક્તિભાવ હોવાથી પ્રભુની સેવા કરે છે. પણ બન્ને પ્રત્યે પ્રભુને તો સમ ભાવ છે. એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમારા શ્રેય એટલે કલ્યાણના કારણરૂપ થાઓ. ૧૦૬, ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાઓ. ગજસુકુમારની ક્ષમા—સોમલ બ્રાહ્મણે સ્મશાનમાં ગજસુકુમા૨ને જોઈને વિચાર્યું કે એણે મારી પુત્રીનો ભવ બગાડ્યો. અને પોતે અહીં આવીને ધ્યાનમાં ઊભો રહ્યો છે. એમ વિચારી બહુ ક્રોધ આવવાથી ગજસુકુમારના માથા ઉપર માટીની પાળ બાંધી, અંદર ધગધગતા અંગારા ભર્યા. છતાં પણ ગજસુકુમારે કેવી અનુપમ ક્ષમા રાખી; તેવી અનુપમ ક્ષમા મને પણ પ્રાપ્ત થાઓ. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- શિક્ષાપાઠ ૪૩. અનુપમ ક્ષમા ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં ખગ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહાસુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસારત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્રઘ્યાનમાં રહ્યા હતા; ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા, તે અહીં કહું છું. ગજસુકુમા૨નું દૃષ્ટાંત :– સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તો સંસાર ત્યાગી ગયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો. ગજસુકુમારનો શોધ કરતો કરતો એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયોત્સર્ગમાં છે, ત્યાં આવી પહોંચ્યો. કોમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધગધગતા અંગારા ભર્યા, ઇંધન પૂર્યું એટલે મહાતાપ થયો. એથી ગજસુકુમારનો કોમળ દેહ બળવા માંડ્યો એટલે તે સોમલ જતો રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા. ૧૮૯ વચનામૃત વિવેચન કિંચિત્ ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યો નહીં. પોતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બોધ દીધો કે જો ! તું એની પુત્રીને પરણ્યો હોત તો એ કન્યાદાનમાં તને પાઘડી આપત. એ પાઘડી થોડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુઃખદાયક થાત. આ એનો બહુ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ! તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવવો જોઈએ; અને તે આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોધ કરે છે! (વ.પૃ.૮૯) રાજેમતિ રથનેમિને જે બોધ આપે છે તે બોધ મને પણ પ્રાપ્ત થાઓ. ‘શીલોપદેશમાલા' માંથી : રથનેમિનું દૃષ્ટાંત :- એક દિવસે નેમીશ્વર વિહાર કરતાં કરતાં ગિરનાર પર્વત ઉપર પધાર્યા. તે વખતે પ્રભુને વાંદવા માટે દ્વારકાથી કૃષ્ણ વિગેરે આવ્યા તેમની સાથે રથનેમિ પણ આવ્યા. તેમણે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરનારી પ્રભુની ધર્મદેશના સાંભળીને શ્રી જિનેશ્વર પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. એકવાર નેમિશ્વરને વંદના કરી રથનેમિ જતા હતા, તેવામાં રસ્તામાં વરસાદ થવાથી તે ગુફામાં ગયા. તે વખતે નેમિશ્વરને વાંદવાને માટે રાજીમતિ આવતી હતી, તે પણ વરસાદ થવાથી જે ગુફામાં રથનેમિ ગયા હતા, તે જ ગુફામાં અંધકારથી રથનેમિને ન જાણવાથી ગઈ અને પોતાના ભીનાં થયેલાં સર્વ વસ્ત્રો કાઢીને સૂકવ્યાં. ઓચિંતા ત્યાં રથનેમિના રાગપૂર્ણ વચન સાંભળી તરત જ વસ્ત્ર પહેરીને તે સતીએ ધીરજપણાને ઘારણ કરી રથનેમિને કહ્યું : “હે મહાનુભાવ! ભવના કારણરૂપ આ વેગ તને ક્યાંથી ઉત્પન્ન થયો? અને તેં દીક્ષા ધારણ કરતી વખતે જે પ્રતિજ્ઞા લીધી છે તેનું સ્મરણ કર. કહ્યું છે કે તપસ્વીની હેલના કરવાથી, ધર્મનો વિઘાત કરવાથી અને દેવ દ્રવ્યનો વિનાશ કરવાથી બોઘીનો ઘાત થાય છે. પ્રથમ ગૃહસ્થાવસ્થાને વિષે મેં તારી વાત સ્વીકારી નહોતી તો આ વ્રતને વિષે હું તારો શી રીતે આદર કરીશ. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૦ / વળી હે સાઘો!આ અયોગ્ય કાર્ય આપણી લાજને નાશ કરનારું છે. વળી અગંઘન કુલમાં થયેલા તિર્યંચ જાતિના સર્પો અગ્નિમાં બળી મરવું કબૂલ કરે પણ વમેલા વિષને ચૂસી લેતા નથી; તો પછી વમી નાખેલી મારા જેવીને તારાથી શી રીતે લેવાય, માટે અખંડિત બ્રહ્મચર્યવ્રત પાળી કલંક વિના રહેવું એ જ જીવિતનું સફલપણું જાણ. જેઓએ બ્રહ્મચર્યવ્રત ખંડન કર્યું છે એવા પુરુષોના જીવિતને ધિક્કાર છે. હે સાધુ! સ્ત્રીઓએ કરીને ભરપૂર એવા આ લોકમાં જો તારું ચિત્ત સ્થિર નથી તો તું વાયુએ ઉખેડી નાખેલા વૃક્ષની પેઠે કોઈ ઠેકાણે સ્થિર થઈશ નહીં; માટે ઘારેલા વ્રતને નાશ ન કરતાં થીરપણાને ઘારણ કરી શુદ્ધધર્મનું આચરણ કર. એવી રીતે કામદેવના ઉન્માદરૂપ ગર્વને ઘારણ કરનારા સર્પના વિષને ઉતારી નાખવાને જાંગુલી ઔષથી સમાન રાજીમતિની વાણીને સાંભળીને રથનેમિ કહેવા લાગ્યા કે, “ગુણની સંપત્તિના સ્થાનરૂપ આ સ્ત્રી જાતિને ધન્ય છે ! અને કુકર્મરૂપ સમુદ્રને વિષે બૂડેલા પુરુષજાતિરૂપ મને ધિક્કાર છે!! અહો!આ મહાસતી સ્ત્રીના ધીરજપણાને ઘન્ય છે કારણ કે જેણે મને પૂર્વાવસ્થાને વિષે અને આ અવસ્થાને વિષે લઘુતાના કારણરૂપ તથા અંઘકૂવામાં પડવાના કારણરૂપ નિંદ્ય કર્મ થકી દૂર કર્યો છે. આજ સ્ત્રી નિસંશય મારો ગુરુ અને બંધુ છે.” એમ કહીને ઘન્યાત્મારૂપ તે રાજીમતિને ધન્યવાદ આપી રથનેમિ નેમીશ્વર પાસે જઈ આલોચના લઈ, ગાઢ તપસ્યા કરી ચારસો વર્ષ ગૃહવાસમાં, એક વર્ષ બ્રહ્મસ્થપણું અને પાંચશે વર્ષ સુધી કેવલ પર્યાય એમ એકંદર નવશોને એક વર્ષનું આયુષ્ય પાળી બાકીનાં અઘાતી કર્મ ખપાવી શુદ્ધાત્મા રથનેમિ મોક્ષલક્ષ્મીને વર્યા. (પૃ.૭૫) ૧૦૭. ભોગ ભોગવતાં સુઘી (જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી) મને યોગ જ પ્રાપ્ત રહો. ઉદયાધીન ભોગ પ્રવૃત્તિ સમયે મને યોગ જ સાંભરો. કેમકે “ભોગમાં યોગ સાંભરે તે હલુકર્મીનું લક્ષણ છે.” મોક્ષની સાથે જીવને જોડે તેને યોગ કહ્યો છે, ભોગ પ્રવૃત્તિ સમયે પણ મારો મનોયોગ આપના કહેલા વચનોના વિચારમાં જાગૃત રહો એવી મારી અભિલાષા છે. ૧૦૮. સર્વશાસ્ત્રનું એક તત્ત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહંપદ નથી. સર્વ શાસ્ત્રો ભણીને એક જે તત્ત્વ પ્રાપ્ત કરવું છે, તે તત્ત્વ પરમકૃપાળુદેવ ૧૯૧ વચનામૃત વિવેચન જણાવે છે કે મને પ્રાપ્ત થયું છે એમ જો હું કહું તો તેમાં મારું અહંપદ / / નથી. કારણ કે તે તત્ત્વ મને પ્રાપ્ત થયું છે માટે કહું છું. ‘જેણે આત્મા જાગ્યો તેણે સર્વ જાણ્ય” સર્વ શાસ્ત્રોને જાણવાનું ફળ પણ એક માત્ર આત્મપ્રાપ્તિ છે, તે આત્મપ્રાપ્તિ પરમકૃપાળુદેવને સ્પષ્ટ થયેલ છે. પણ જીવોને તેનું ઓળખાણ થવું દુર્લભ છે. માટે કરુણાથી જ્ઞાની પુરુષો પોતાની સાચી ઓળખાણ કરાવે છે; જેથી જીવોનું કલ્યાણ થાય. ૧૦૯. ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે, સમજવું દુર્લભ છે. પરમકૃપાળુદેવ કહે છે કે ન્યાય મને બહુ પ્રિય છે. ભગવાન મહાવીરની સ્યાદ્વાદ શૈલી એ જ પદાર્થના અનંત ગુણધર્મને યથાર્થ ન્યાય આપનાર છે. પણ તે સ્યાદ્વાદ સમજવો દુર્લભ છે. સ્યાદ્વાદશૈલી વિના પદાર્થના અનંત ગુણધર્મને બરાબર સમજી શકાય નહીં. ૧૧૦. પવિત્ર પુરુષોની કૃપાવૃષ્ટિ એ જ સમ્યક્દર્શન છે. “મોક્ષમૂલં ગુરુકૃપા સપુરુષની કૃપા થાય ત્યારે જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય. સપુરુષની આજ્ઞા પ્રમાણે જીવ વર્તે તો કૃપા થાય. શ્રેણિક રાજાના જીવે પૂર્વે ભીલના ભાવમાં શ્રી ગુરુની એક પણ આજ્ઞા મરણાંત કષ્ટ આબે પણ દ્રઢપણે આરાધી તો તેના ફળમાં બીજા ભવે ક્ષાયિક સમ્યક્દર્શન પ્રાપ્ત થયું, અને તે જ ભવમાં ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે અત્યંત ભક્તિ કરવાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. એ બધું થવાનું કારણ પવિત્ર પુરુષોની કૃપાવૃષ્ટિ છે. ૧૧૧. ભર્તુહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં ઘણી ઊર્ધ્વ જ્ઞાનદશા થતાં સુધી વર્તે છે. ભર્તુહરિએ કરેલ ત્યાગ વૈરાગ્યનું વર્ણન વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં આત્માની ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી તે વિદ્યમાનપણે રહે છે. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી : “भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं, माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं, Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૨ 0 शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताभयं, 0 સર્વ વસ્તુ મર્યાન્વિત મુવ 7 વૈરાવવામાં. ભાવાર્થ –ભોગમાં રોગનો ભય છે; કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાનો ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે; ગુણમાં ખળનો ભય છે; અને કાયા પર કાળનો ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે. !!! મહાયોગી ભર્તુહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજ્વળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્ત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્ત્વવેત્તાઓનાં સિદ્ધાંતરહસ્યરૂપ અને સ્વાનુભવી – સંસારશોકનું તાદ્રશ ચિત્ર આપ્યું છે. એણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રવ્રુશ્ય કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ઘામ ઠર્યું; મનુષ્ય ઊંચ કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીનો ભય દેખાડ્યો; સંસારચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિકના ભયથી ભરેલી છે. કોઈ પણ કૃત્ય કરી યશકીર્તિથી માને પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે તો ત્યાં મહા દીનતા ને કંગાલિયતનો ભય છે; બળ-પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે; રૂપ-ક્રાંતિ એ ભોગીને મોહિનીરૂપ છે તો ત્યાં તેને ઘારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે; કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે. તે ખળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે, જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે; જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે; અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે, ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે.” (પૃ.૩૩) ભર્તુહરિ દ્વારા રચિત “વૈરાગ્યશતક' નામના પુસ્તકમાં નીચે પ્રમાણે ત્યાગની વાતોનું વર્ણન છે - ૧૯૩ વચનામૃત વિવેચન બ્રહ્મજ્ઞાનના વિવેકવાળા, નિર્મળ બુદ્ધિવાળા પુરુષો ખરેખર આશ્ચર્ય પમાડે તેવું દુષ્કર કાર્ય કરે છે, કારણ કે તેઓ તદ્દન નિઃસ્પૃહ બનીને સર્વ ઇન્દ્રિય સુખ, સોનું, ઘન વગેરે ત્યજી દે છે. જ્યારે અમે તો ભૂતકાળમાં ન મળેલાં, હમણાં ન મેળવેલાં અને જેમની પ્રાપ્તિ માટે ભવિષ્યમાં પણ આશા નથી તેવા, માત્ર ઇચ્છામાં જ પકડી રાખ્યું છે એવાં ઘનને પણ ત્યજવા શક્તિમાન થતા નથી.” ગિરિની ગુફામાં રહેતા તે પરમજ્યોતિનું એટલે પરબ્રહ્મનું ધ્યાન કરતા ઘન્ય પુરુષોના આનંદનાં આંસુ (બ્રહ્માનંદને લીધે આવતાં આંસુ) તેમના ખોળામાં બેઠેલાં પંખીઓ પીએ છે. જ્યારે મનોરથોથી રચાયેલી હવેલીઓની વાવના તટ ઉપર આવેલા સુંદર બાગમાં ક્રીડા કરવાની ઉત્સુકતા સેવતાં સેવતાં જ અર્થાત્ મિથ્યા કલ્પનાઓમાં જ અમારું તો આયુષ્ય પૂરું થઈ જાય છે.” "भोगे न भुक्ता वयमेव भुक्तास्तपो न तप्तं वयमेव तप्ताः । कालोन यातो वयमेव यातास्तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ।।" “અમે ભોગોને નથી ભોગવી શક્યા, પણ ભોગો અમને ભોગવી ગયા. અર્થાત્ અમને ક્ષીણ શક્તિવાળા બનાવી દીધા. અમે તપ નથી તપી શક્યા પણ માત્ર સંતાપ જ પામ્યા. કાળ નથી ચાલ્યો ગયો પણ અમે જ ચાલ્યા જવા જેવા થયા છીએ અર્થાત્ મરણને આરે આવીને ઊભા છીએ. અમારી તૃષ્ણા જીર્ણ થઈ નહી પણ અમે જ જીર્ણ થઈ વૃદ્ધ બની ગયા છીએ.” ૧૧૨. કોઈ ઘર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું માનું છું. તમે સઘળા ઘર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં માસે ઉત્તમ હેતુ છે. સઘળા પદાર્થોમાં રહેલા તેમના ઘર્મોને હું સ્યાદ્વાદશૈલીથી માન્ય કરું છું. કોઈ પદાર્થના ઘર્મથી હું વિરુદ્ધ કહેતો નથી. સર્વ પદાર્થોના ઘર્મોને હું પાળું છું અર્થાત્ તે સર્વ મને અનેકાંત શૈલીથી માન્ય છે. - તમે સઘળા પદાર્થમાં રહેલા ઘર્મોથી વિરુદ્ધ વર્તન કરો છો. એમ કહેવામાં મારો ઉત્તમ આશય છે. જેમકે તમે આત્મદ્રવ્ય છો. પણ તમે તમારા આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રમય સર્વ મૂળભૂત ઘર્મ એટલે સ્વભાવથી વિરુદ્ધ વર્તન કરો છો; અર્થાત્ મિથ્યા જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પ્રવર્તન કરો છો. તમને તમારા આત્મધર્મનું ભાન પણ નથી. માટે તે આત્મસ્વરૂપનું ભાન મેળવવા Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૪ પ્રયત્ન કરો, એમ કહેવાનો મારો ઉત્તમ હેતુ એટલે આશય છે. ૦ ૧૧૩. તમારો માનેલો ઘર્મ મને કયા પ્રમાણથી બોઘો છો તે. મારે જાણવું જરૂરનું છે. એના જવાબમાં જિજ્ઞાસુ કહે છે કે–અનાદિકાળના અજ્ઞાનને કારણે મારો દેહાધ્યાસ ગાઢ હોવાથી હું શરીરને જ પોતાનું સ્વરૂપ માનું છું. અને તેના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી એમ માનું છું. તેથી દેહની સંભાળ રાખવી એને જ મારો ઘર્મ એટલે કર્તવ્ય સમજું છું, તથા વ્યવહારમાં પણ ‘પ્રથમ સુખ નિરોગી કાયા” એમ પ્રમાણભૂત માનેલ છે. તેથી બીજાને પણ મારા દેહાધ્યાસના કારણે શરીર સ્વસ્થ રાખવાનો જ બોધ આપું છું. ૧૧૪. શિથિલ બંઘ દ્રષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય. (-જો - નિર્જરામાં આવે તો.) શિથિલકર્મો બાંધ્યા હોય તો ભક્તિ, સ્વાધ્યાય, જ્ઞાન, ધ્યાન, વિચાર કે પશ્ચાત્તાપ વગેરેથી પ્રદેશ ઉદય થઈ નિર્જરી જાય. પણ નિકાચિત કર્મ બાંધ્યા હોય તો તેમાં થોડો ફેરફાર થઈ શકે પણ ભોગવવું તો પડે છે. ૧૧૫. કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો. વીતરાગ ભગવંત દ્વારા ઉપદિષ્ટ કોઈપણ શાસ્ત્રોમાં મને કોઈ દિવસ સ્વપ્નમાં પણ શંકા ન થાઓ; હમેશાં નિઃશંકતા જ રહો. કેમકે વીતરાગ પુરુષો કદી મિથ્યા કહે નહીં. મિથ્યા કહેવાનું કારણ અજ્ઞાન અને કષાયભાવ છે. પણ જેનામાં સંપૂર્ણ અજ્ઞાન અને કષાયભાવો નાશ પામી ગયા છે તે કદી મિથ્યા કહી શકે નહિ; માટે મને તેમના વચનોમાં સદા નિઃશંકતા જ રહો. ૧૧૬. દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. ઘરમાં દુઃખ હોય, ખાવાનું પણ ઘણી મહેનતે પ્રાપ્ત થતું હોય તેવા સંજોગોમાં દુઃખગર્ભિત વૈરાગ્યથી પોતે દીક્ષા લે અથવા પોતાના કુટુંબ સર્વને દીક્ષા લેવડાવી દે; એવા જીવો લોકોની દ્રષ્ટિમાં મુનિપણું બતાવી તેમને ભ્રમાવે છે. પોતાની વિષયકષાયની વૃત્તિઓ હજુ સુધી શમી નથી, મોહ ભરપૂર પડેલો છે, તેથી ત્યાં પણ શિષ્ય વગેરેમાં મોહ જ પોસે છે. બાળકોએ બાપ સાથે દીક્ષા લીધી હોય તે પણ યથાર્થ વૈરાગ્યને પામેલ ન હોવાથી મોટા થઈ અનર્થ આચરે છે. એમ દુઃખના માર્યા વૈરાગ્ય બતાવી જગતને આ લોકો ભ્રમાવે છે. ૧૯૫ વચનામૃત વિવેચન ૧૧૭, અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. શિષ્ય કહે—અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. હું , તો શરીરને જ મારું સ્વરૂપ માનું છું, આત્મસ્વરૂપને ઓળખતો નથી. જ્ઞાની ગુરુ મળે આત્માનું ભાન થાય કે હું પરમાત્મા જેવો શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન આત્મા છું એવું પ્રથમ જ્ઞાન થાય, પછી પુરુષાર્થ કરવાથી અનુભવ થયે તેનું પૂર્ણ ભાન થઈ શકે છે. ૧૧૮, તું સન્દુરુષનો શિષ્ય છે. પરમકૃપાળુદેવ જણાવે છે કે આત્માનું ભાન થવા માટે પ્રથમ તું તારી જાતને સપુરુષનો શિષ્ય છું એમ માન. પછી શ્રી ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવાથી પોતે પણ સત્પરુષ જેવો થઈ શકે છે. ૧૧૯. એ જ મારી આકાંક્ષા છે. શિષ્ય કહેસફુરુષનો હું ખરો આજ્ઞાંકિત શિષ્ય બનું એ જ મારી આકાંક્ષા છે, કેમકે સત્પરુષની આજ્ઞા ઉપાસ્યા વિના ત્રણે કાળમાં જીવનો મોક્ષ નથી. ૧૨૦. મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. ગજસુકુમારના માથા ઉપર માટીની પાળ બાંધી ઘગધગતા અંગારા ભર્યા તો પણ તેમણે સમતાભાવ મૂક્યો નહીં, ક્ષમા જ ધારણ કરી રાખી; તેમ પરમકૃપાળુદેવ જણાવે છે કે મને પણ કોઈ ગજસુકુમાર જેવો વખત આવો જેથી હું પણ સમતાભાવમાં સ્થિર રહી સર્વ પ્રકારના કર્મોને નિર્જરાવી કેવળજ્ઞાન પામું. ૧૨૧. કોઈ રામતી જેવો વખત આવો. રાજેમતીનું સગપણ શ્રી નેમિનાથ સાથે થયું હતું. તોરણથી નેમિનાથ પાછા ફર્યા તે વખતે રાજમતીને કેવો આઘાત લાગ્યો હશે, છતાં પણ અન્ય પુરુષને તે ઇચ્છતી નથી કેમકે તે સતી છે. શ્રી નેમિનાથના ભાઈ રથનેમિએ તેની માગણી કરી છતાં રાજેમતીનું મન તેવું જ દ્રઢ છે. એક ઘણી ધાર્યા તે ધાર્યા, તે તારે કે મારે. એવી ટેક રાજમતીની હતી. તેવી ટેક આપણે પણ રાખવી જોઈએ. રાજેમતી જેવો વખત આવ્યે બીજામાં મન ભટકવું ન જોઈએ; તેને બદલે બીજાને પણ ઠેકાણે લાવવો જોઈએ. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૬ ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૮'માંથી - રાજીમતિનું વૃષ્ટાંત :- શ્રી નેમિનાથે દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમનો અનુજ બંધુ રથનેમિ રાજીમતિને જોઈને કામાતુરપણે ઇંદ્રિયોને વશ થઈ ગયો, તેથી તે હમેશાં અપૂર્વ વસ્તુઓ મોકલવા વડે રાજુમતીની સેવા કરવા લાગ્યો. તે ભાવને નહિં જાણનારી એવી રાજીમતીએ તેનો નિષેધ કર્યો નહીં. રાજીમતી તો એમ જાણતી હતી કે આ રથનેમિ વડીલ બંધુના સ્નેહને લીધે મારી ઉપાસના કરે છે, અને રથનેમિ એમ જાણતો હતો કે આ રાજીમતી મારી ઉપરના રાગથી મારી સેવા સ્વીકારે છે. તુચ્છ બુદ્ધિવાળો તે નિત્ય રાજીમતીને ઘેર જતો હતો, અને દેવરના મિષથી તેનું હાસ્ય કરતો હતો. એક વખતે રાજીમતી એકાંતમાં હતી, ત્યારે રથનેમિએ કહ્યું કે “અરે મુગ્ધા! હું તને પરણવા તૈયાર છું છતાં તું શા માટે યૌવનને વૃથા ગુમાવે છે ? હે મૃગાલિ!મારો બંધુ તો ભોગનો અનભિજ્ઞ હતો, તેથી તેણે તારો ત્યાગ કર્યો છે, તો એમ કરવાથી તે તો ભોગસુખથી ઠગાયો, પણ હવે તમારી શી ગતિ? હે કમળ સમાન ઉત્તમ વર્ણવાળી! તેં એની પ્રાર્થના કરી તો પણ એ તારો પતિ ન થયો અને હું તો તારી પ્રાર્થના કરું છું, તેથી જો અમારા બેમાં કેવું મોટું અંતર છે?” આવાં રથનેમિનાં વચન સાંભળવાથી તેના પૂર્વના સર્વ ઉપચારોનો હેતુ સ્વભાવથી સરળ આશયવાળી એવી રાજીમતીના જાણવામાં આવી ગયો. તેથી એ ઘર્મજ્ઞ બાળાએ ઘર્મનું સ્વરૂપ કહેવા વડે તેને ઘણો બોથ આપ્યો. તથાપિ એ દુર્મતિ એવા દુષ્ટ અધ્યવસાયથી વિરામ પામ્યો નહીં. અન્યદા તેને સમજાવવાને માટે સબુદ્ધિવાન રાજીમતીએ કંઠ સુધી દૂધનું પાન કર્યું અને જ્યારે રથનેમિ આવ્યો ત્યારે વમન કરાવનારું મદનફળ (મીંઢળ) ખાધું. પછી રથનેમિને કહ્યું કે “એક સુવર્ણનો થાળ લાવો.' તત્કાળ તે સુવર્ણનો થાળ લાવ્યો, એટલે તેમાં તેણીએ પાન કરેલું બધું દૂઘ વમન કરી નાખ્યું. પછી રથનેમિને કહ્યું કે ‘તમે આ દૂધનું પાન કરો'. રથનેમિ બોલ્યો–શું હું શ્વાનની જેમ વમન કરેલાને પાન કરનારો છું. તમે આ શું બોલો છો?” રાજીમતી બોલી– શું આ પીવા યોગ્ય નથી એમ તમે જાણો છો?” રથનેમિ બોલ્યો, “કેવળ હું જ નહિં, પણ બાળક પણ એ તો જાણે છે.” ત્યારે રાજીમતીએ કહ્યું “અરે જો તું જાણે છે તો નેમિનાથે મને વમન કરી દીધેલી છે, છતાં તું મારો સંગ કરવાને કેમ ઇચ્છે છે? વળી તેમનો ભ્રાતા થઈને તું એવી ઇચ્છા કરે ૧૯૭ વચનામૃત વિવેચન છે? માટે હવે પછી નારકીના આયુષ્યને બાંધનારું એવું વચન બોલીશ ની નહીં.” આ પ્રમાણેના રાજીમતીના વચન સાંભળીને રથનેમિ મૌન , થઈ ગયો. પછી લજ્જા પામતો અને મનોરથ ક્ષીણ થવાથી કચવાતે મને પોતાને ઘેર પાછો ફર્યો. (પૃ.૩૮૩) ૧૨૨. સપુરુષો કહેતા નથી, કરતા નથી; છતાં તેની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. સપુરુષો કંઈ ઉપદેશ ન આપતા હોય, શરીરાદિથી કંઈ પ્રવૃત્તિ પણ ન કરતા હોય, છતાં તેમની સત્પષતા નિર્વિકાર મુખમુદ્રા દ્વારા જાણી શકાય છે. તેઓ કંઈ ચેષ્ટા ન કરે તો પણ એમની મુખમુદ્રા આપણને બોઘ આપે છે. કેમકે અંતરના ભાવ મોઢા ઉપર જણાઈ આવે છે. ૧૨૩. સંસ્થાનવિજયધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. સંસ્થાનવિચયધ્યાનવડે લોકના સ્વરૂપનો વિચાર કરાય છે. ખરેખર લોકના સ્વરૂપનું ધ્યાન એટલે ચિંતવન તે પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે. છતાં તમે પણ આ લોકના સ્વરૂપનું યથાશક્તિ ચિંતવન કરો. આ લોકમાં મારો આત્મા અજ્ઞાનતાના કારણે અનંતીવાર જન્મમરણ કરી ચૂક્યો છે. એમ ચિંતવવું તે સંસ્થાન વિજય નામનું ઘર્મધ્યાન છે. સંસ્થાન એટલે સારી રીતે સ્થાપિત છે એવો લોક. તે સુપ્રતિષ્ઠક આકારે છે એટલે કોઈ પુરુષ બે પગ પહોળા કરી કેડે બેય હાથ મૂકીને નિરાંતે ઉભો હોય તેવા આકારે છે. “લોકપુરુષ સંસ્થાને કહ્યો.” -શ્રીમદ્ રાજચંદ્ર “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - ૪. સંસ્થાનવિચય–ત્રણ લોકનું સ્વરૂપ ચિંતવવું તે. લોકસ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે; જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટાનકોટીએ તીરછો લોક છે, જ્યાં અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. અસંખ્યાતા જ્યોતિષીય, વાણ-વંતરાદિકના નિવાસ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જઘન્ય તીર્થકર વીશ, ઉત્કૃષ્ટા એકસો સિત્તેર હોય, તથા કેવળી ભગવાન અને નિગ્રંથ મુનિરાજ વિચરે છે, તેઓને “વંગ, નમંસમિ, સવારમ, સમાજ, r>1yi, મંગહ્યું, વૈવર્ષ, વેડ્યું, પપ્નવાસfમ'' એમ તેમજ ત્યાં વસતાં શ્રાવક, શ્રાવિકાનાં ગુણગ્રામ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૮ કરી તે તીરછા લોક થકી અસંખ્યાત ગુણો અધિક ઊર્ધ્વલોક છે. ૦ ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઈષતુ પ્રાગભારા છે. તે પછી મુક્તાત્માઓ વિરાજે છે. તેને “વંદામિ, યાવતું પાવાસામિ.” તે ઊર્ધ્વલોકથી કંઈક વિશેષ અઘોલોક છે, ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિનાં ભુવનાદિક છે. એ ત્રણ લોકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યકત્વરહિત કરણીથી અનંતી વાર જન્મમરણ કરી સ્પર્શી મૂક્યાં છે; એમ જે ચિંતન કરવું તે ‘સંસ્થાનવિચય' નામે ઘર્મધ્યાનનો ચોથો ભેદ છે. (વ.પૃ.૧૧૩) તીરછા લોકથી એટલે મધ્યલોકથી ઉપર અસંખ્યાત ગુણો અધિક ઊર્ધ્વલોક છે, ત્યાં પ્રથમ જ્યોતિષી દેવોના વિમાનો આવેલા છે, પછી ૧૨ દેવલોક પછી ૯ ગ્રેવેયિક, પછી ૫ અનુત્તર વિમાન ઉપર ઈષત્ પ્રાગભારા નામની સિદ્ધશીલા આવેલી છે. તેના ઉપર સિદ્ધ ભગવંતો બિરાજે છે. મધ્યલોકથી નીચે પ્રથમ ભુવનપતિઓના આવાસ આવેલા છે. પછી નીચે સાત નરકો આવેલી છે. તેની નીચે નિત્યનિગોદ રહેલી છે. આમ ત્રણેય લોકનું સ્વરૂપ વિચારી, અનંતકાળથી તેમાં ભટકતા આત્માનો કેમ ઉદ્ધાર કરવો, તેનો ઉપાય શોધવો એ જ હિતકારી છે. ૧૨૪. આત્મા જેવો કોઈ દેવ નથી. જગતમાં છ દ્રવ્યો છે. તેમાં આત્મદ્રવ્ય સર્વથી શ્રેષ્ઠ દ્રવ્ય છે. તેના સિવાય બાકીના પાંચે દ્રવ્યો જડ છે. તે કોઈને જાણી શકતા નથી. તે જડ દ્રવ્યોને જાણનાર પણ આત્મા છે. આત્મા સ્વપર પ્રકાશક છે. તેથી આત્મા જેવો કોઈ દેવ નથી. ૧૨૫. કોણ ભાગ્યશાળી? અવિરતિ સમ્યગ્રવૃષ્ટિ કે વિરતિ? વિરતિ એટલે બાહ્ય ત્યાગ હોય પણ આત્મજ્ઞાન નથી, જ્યારે અવિરતિ સમ્યકુદ્રષ્ટિને બાહ્યત્યાગ નથી પણ આત્મજ્ઞાન છે; માટે તે જ ભાગ્યશાળી છે. કેમકે આત્મજ્ઞાનના બળે સમયે સમયે જ્ઞાની સંસારથી છૂટે છે. “સમ્મદિઠ્ઠી ન કરેઈ પાવં’ સમ્યફષ્ટિ પાપ કરતા નથી. “ગૃહસ્થો મોક્ષમાર્ગસ્થો નિર્મોહો, નૈવ મોહવાન' આત્મજ્ઞાનના બળે નિર્મોહી થયેલો એવો ગૃહસ્થ મોક્ષમાર્ગમાં સ્થિત છે, જ્યારે મોહવાન એવો બાહ્યત્યાગી મુનિ પણ મોક્ષમાર્ગમાં સ્થિત નથી. ૧૯૯ વચનામૃત વિવેચન શ્રીમદ્ રાજચંદ્ર' માંથી :- “અંદરથી છૂટે ત્યારે બહારથી / છૂટે; અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. બાહ્ય અને અંતર્ બન્ને સાધન જેને છે તે ઉત્કૃષ્ટ પુરુષ છે; તે શ્રેષ્ઠ છે. જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેનો સંગ કરવો. કલાઈનો અને ચાંદીનો રૂપિયો સરખો કહેવાય નહીં. કલાઈ ઉપર સિક્કો પાડો; પણ તેની રૂપિયાની કિંમત થાય નહીં. જ્યારે ચાંદી છે તેના ઉપર સિક્કો ન પાડો તો પણ તેની કિંમત જાય નહીં. (તેવી જ રીતે અવિરતિ સમ્યગુદૃષ્ટિ જે ગૃહસ્થપણામાં સમકિત પામે, ગુણ પ્રગટે, તો તેની કિંમત જાય નહીં.) સહુ કહે છે કે અમારા ઘર્મથી મોક્ષ છે. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં, ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તો. મિથ્યાત્વ, ને અહંકાર ગયા વગર રાજપાટ છોડે, ઝાડની માફક સુકાઈ જાય; પણ મોક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા પછી સહુ સાઘન સફળ થાય. આટલા માટે સમ્યગ્દર્શન શ્રેષ્ઠ છે.” ઉપદેશછાયા (પૃ.૭૨૭) ૧૨૬. કોઈની આજીવિકા તોડશો નહીં. કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય, તેની ગમે તેવી વાતો કરીને તેને નોકરીમાંથી છૂટો કરાવવો, તે તેની આજીવિકા તોડવા સમાન છે; તેમ કરવું નહીં. Page #104 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં આવતા દ્રષ્ટાંતોની નામાવલી ૨૦૦ નંબર દૃષ્ટાંત પૃષ્ઠ નંબર દૃષ્ટાંત પૃષ્ઠ ૧. મેઘકુમારનું દ્રષ્ટાંત ૨૫ | ૨૮. મરીચિનું દ્રષ્ટાંત ૧૦૨ | ૨. ભરતરાજાનું ” - ૩૧ | ૨૯. કેરી ખાનાર રાજાનું ” ૧૦૮ ૩. શ્રેણિક રાજાનું " ૩૦. કૂવો કૂદનારનું ” ૪. આનંદશાહનું ” ૩૧, ગૌતમસ્વામીનું ** ૫. કાલસૌકરિકનું ” | ૩૨. એક રાજાનું ” ૬. એક યુવાનનું " ૪૨| ૩૩. બે માતાનું " ૭, બંગડીના વેપારીનું ” ૪૩ ૩૪. શેઠનું ' ૮. મદનરેખાનું ” | ૩૫. પુંડરિક કુંડરિકનું ” ૧૩૪ ૯, કંજાલ શેઠનું ” ૪૮ | ૩૬. જનકરાજાનું ” ૧૩૭ ૧૦. બાહુબળીજીનું ” પર | ૩૭, શ્રી ગાંડાભાઈનો પ્રસંગ ૧૩૮ ૧૧, બાદશાહના પુત્રનું " ૩૮. પ.પૂ.પ્રભુશ્રીજીનો પ્રસંગ ૧૩૮ ૧૨, એક ચોરનું ' ૩૯. યુધિષ્ઠિર રાજાનું દ્રષ્ટાંત ૧૪૦ ૧૩, એક મુનિનું ' ૪૦. રાજાનું ” ૧૪૦ ૧૪. એક ઋષિનું " ૪૧. ગરીબ બ્રાહ્મણનું ” ૧૪૨ ૧૫. એક વિદ્યાર્થીનું ” ૪૨. એક સંતનું ” ૧૬. વસુરાજાનું ” ૪૩. કોલસા પાડનારનું ” ૧૭. કોશલનરેશનું ' ૪૪. ગૌતમબુદ્ધનું ” ૧૫૫ ૧૮. એક ભિખારીનું ” ૪૫. છાડા શેઠનું ” ૧૬૦ ૧૯. એક શીલવતીનું ” ૪૬. જડભરતનું ” ૨૦. નેપોલિયનનું " ૪૭. જનક વિદેહીનું ” ૨૧. શ્રી પાર્શ્વનાથનું '' ૪૮. પુદ્ગલ પરિવ્રાજકનું ” ૧૭૪ ૨૨. પિતાના શ્રાદ્ધનું ” ૪૯. શિવરાજર્ષિનું ” ૨૩. એક સંન્યાસીનું ” ૫૦. શ્રી કૃષ્ણનું ” ૨૪. એક માણસનું ” ૫૧. ગજસુકુમારનું ” ૨૫. હરદેવનું " પર. રથનેમિનું ” ૨૬. કલમનું '' ૫૩. રાજીમતિનું ” ૧૯૬ ૨૭, અઍકારી ભટ્ટાનું ” ૧૦૧ ૧૪૮ ૧૬૬ ૧૬૯ ૧૭૫ ૧૮૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીમ, શાજી KASAdhun Instant 647 Kirtan Artist Singana Minimite Phonet को . ACM Neta NA.ith-N Purand madnishth. A. nirnest ed + + + + Di 4angmakash AMERA Nandian NAGEMS AAVAT RAI THROUND isilant Malai ASHAAR THATIA AA * * सहजात्मस्वरूप सहरु श्रीमान् राजचन्द्र. भिन्न भिन्न अवरख्या. जन्म, बवाणोआ (सौराष्ट्र). वि.संवन् 1924 कार्तिक शु.१५. देहविलय. राजकोट (साराष्ट्र). वि.संवत् 1947 चैत्र कृष्ण 5. D.N.KHANDEKAR JAJITERARWADI. BOMBAYN. ક્ષિાના ક્ષિાના આવા સ્થ