SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ ૫૯ શ્રીમદ્ રાજચંદ્ર / મુનિએ કહ્યું કે મારી કરેલી આટલી મહેનત ખાળમાં કેમ નાખી દે ન્ડ છે? ત્યારે ગણિકાએ મુનિને બોથ કર્યો કે આટલા બધા વર્ષો સુધી પાળેલું ચારિત્ર તમે ખાળમાં નાખવા તૈયાર થયા છો તેનો વિચાર તમને કેમ આવતો નથી? એટલે મુનિ બોઘ પામીને ગુરુ પાસે જઈ ફરી ચારિત્ર લીધું. પુષ્પમાળા વિવેચન પડ્યો ત્યારે એને કહ્યું કે તારું શરીર હજાર કાણાથી કાણું તો થશે ) પણ તને હજાર આંખો પણ થશે. તેથી ભગવાનને જોવા ઇન્દ્ર હજાર આંખો કરે છે. ભાવાર્થ એ છે કે ઇન્દ્રિય સુખની સ્થિતિ કેટલી ને દુઃખની સ્થિતિ કેટલી? ઇન્દ્રિયસુખ તે ખરી રીતે તો દુઃખ જ છે. ઇન્દ્રિય સુખ પણ કેટલીવારનું? અને તેના ફળ સ્વરૂપે જે દુઃખ આવે છે, તે તો લાંબી સ્થિતિમાં આવે છે. તથા દુરાચાર કરીને કેટલો કાળ જીવવાનું છે? આખરે તો મરી જવાનું છે ને? સુખ– “સપર વાધાક્ષહિયં વિચ્છિદં વંધ વેર વિસમાં નં વિવે હિં છતું સીવવું સુવમેવ તા ” -પ્રવચનસાર પ્રવચનસારની આ ગાથામાં કહ્યું છે તેમ સર્વ ઇંદ્રિય સુખો દુઃખરૂપ જ છે. તો પછી દુરાચારમાં જે જીવ સુખ માને તે તો સ્પષ્ટ દુઃખરૂપ છે. કેમકે વર્તમાનમાં દુરાચારી જીવને આકુળતા હોય છે. અને પાપના ફળ જ્યારે ભોગવશે ત્યારે પણ તેને આકુળતા થવાની છે. તેથી દુરાચારને દુઃખ અને દુઃખનું કારણ જાણી તજવા યોગ્ય છે. ૪૧. દુઃખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. દુઃખી હોવાનું કારણ પાપનો ઉદય છે. પાપના ઉદયમાં પણ આજીવિકા તો નિભાવવી પડે. તે વગર છૂટકો નથી. ખાવા-પીવાની જોઈએ તેટલી જરૂરિયાતો તો આજે મેળવવી પડશે. પણ તેથી વિશેષ મેળવવાની ઇચ્છાથી જેટલા ફાંફા મારશે અથવા લાભની ઇચ્છાએ જે કંઈ પાસે ઘન હોય તે વેપાર કે સટ્ટા વગેરેમાં રોકશે તે બધું પાપનો ઉદય હોવાને કારણે અવળું પડશે, અને કંઈક હશે તે પણ ખોઈ બેસશે. માટે પાપના ઉદયમાં બહુ સાચવીને પ્રવર્તવા જેવું છે. તે વખતે કોઈને ઉપકાર કરવા જઈએ તો પણ અવળું પડે અને દુશ્મન જેવા લાગીએ. પૂર્વ પાપના ઉદયને કારણે આવા વખતે બીજી લોભ આદિકની પ્રવૃત્તિ ઓછી કરવી કે છોડી દેવી. જેટલું શક્ય હોય તેટલું ઘર્મધ્યાનમાં ચિત્ત લગાવવાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે, દુઃખી હોય તો પણ બહું દોડ ન કરતાં જેટલો લાભ મળે તેમાં સુખ માનવું યોગ્ય છે; તેથી સુખી રહેવાશે. “સંતોષી નર સદા કહેવાનો ભાવાર્થ એ છે કે જેના પર જીવ મોહ પામે તેને રાજી કરવા માટે ગુલામની પેઠે વર્તે છે. ઇન્દ્ર પણ ઇંદ્રાણીને મનાવવા દાસની પેઠે વર્તે છે. ગમે તે રીતે એને રાજી કરવા પ્રયત્ન કરે છે એ જ પરાધીનતા છે. સ્થિતિ- ઇન્દ્રિયસુખની સ્થિતિ ક્ષણિક હોય છે. અને તેના ફળમાં દુઃખની સ્થિતિ ઘણી આવે છે. તે વિષે જણાવે છે – એક ઋષિનું દૃષ્ટાંત :- પુરાણમાં ગૌતમ ઋષિની પત્ની અહલ્યામાં મોહ પામવાથી ઇન્દ્ર ચંદ્રને કૂકડો બનવા કહ્યું અને પરોઢિયે અવાજ કરે તેવો કર્યો. કૂકડાનો અવાજ સાંભળી મુનિ ઊઠીને સ્નાન કરવા ગયા. ઇન્દ્ર પછી મુનિનું રૂપ લઈને ઋષિની ઝૂંપડીમાં ગયો. ને વિષય ભોગ ભોગવ્યા. તેવામાં ગૌતમ મુનિ પાછા આવ્યા. તેને ઇન્દ્રને નાસી જતાં જોયો તેથી ઇન્દ્રને શાપ દીધો કે “તને હજાર ભગંદર થાવ.” મુનિને ખબર પડી કે ચંદ્ર કુકડો થઈ અવાજ કર્યો તેથી પોતે ઠગાયા હતા. એમ જાણી તેને પણ ક્ષયરોગ થાય એમ કહ્યું. પછી બેય કરગરી પડ્યા. ત્યારે મુનિ દયાળુ હતા તેમણે ચંદ્રને કહ્યું કે ક્ષય તો થશે પણ શુક્લપક્ષમાં કલાની વૃદ્ધિ પણ થશે એમ ચંદ્રને કહ્યું. અને ઇન્દ્ર કરગરી સુખી.”
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy