Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 16
________________ મારા પૂ. દાદાગુરુદેવ પુતચ06સુરીશ્વરજી મહારાજા શા પૂ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજા શૉ નૅ તમૅ ઑs સમયે ઍવી ભાઇiધી હતી કેં વાત ન પૂછો... હિનાઓ સુધી ખો બંને સાથે રહ્યા હતાં. કર્ણાટSમાં વિજાપુર શો afહારાષ્ટ્રમાં સાંગclી ઍ બે સથળો ચાતુમાર્સ પણ સાથું જ કર્યું હતું. છ સમય ઑટલે લગભગ વિ.સં. ૨૦૧૪, વિ.સ. ૨૦૧૫ ની સાલ... મારી dશા મારા વડિલભાઇ પૂ. શll.ભ.શ્રી પૂર્ણચog સુરીશ્વરજી મ. ની ઉંમર છે વખતે નાની ઘંટd દસ-બાર વર્ષની હતી. ખૂબ જુનો પરિચય એટલે જોતાં જ આખો ભૂતકાળ આંખ સામે આવ્યા વિના ન રહે, તેઓની સાથે તેઓના ચિરંજીવી પૂ. આ.ભ. શ્રીનરરત્નસૂરીશ્વરજી મહારાજા પણ હતા. આમ જુઓ તો બાપ-બેટા અને આમ જુઓ તો ગુરુ ભાઇ બંનેની દીક્ષા આગળ-પાછળ થઇ હોવાથી બંને શિષ્ય બન્યા હતા પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના...! Follaમ છતાં જો વૉલો સંબંધ જોયો હોય તો ગુરુ - શિષ્યના સંબંધને ય ભૂલાવી દે હૉવૉ biદળ ભર્યો ! - પૂ. હિમાંશુસૂરિ મ.ની આજ્ઞા થઇ નથી કે પૂ. નરરત્નસૂરિ મ. એ ઝીલી નથી. બંનેના સ્વભાવ વચ્ચે પણ ઘણું અંતર ... ! ધાર્યુ ન થાય તો પૂ. હિમાંશુસૂરિ મ. બની જાય આગ...? ધાર્યા કરતાં તદ્દન વિરુદ્ધ કરવાનો વખત આવી જાય તો પણ પૂ. નરરત્નસૂરિ મ, બની જાય પાણી...! પૂ. આ.ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.નો એક નિત્ય નિયમ કે સવારના ઉઠી પ્રતિક્રમાણ-પડિલેહણ પુરું કરી તેઓ શ્રી સિદ્ધગિરિરાજ આદિનો દોઢેક કલાકનો જાપ કરવા બેસે - એ જાપ પૂરો ન થાય ત્યાં સુધી વિહાર ન કરે, ભલે માથે સૂર્ય તપી જાય અને મુકામે સાડાદસ કે અગ્યારે પહોંચાય, તેઓ વિહાર ન કરે એટલે પૂ. આ.ભ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મ. પણ ન કરે, બંને સાથે જ રહે. ઘણીવાર ભાઇબંધીની રુએ પૂ.૫. શ્રી મુકિતવિજય મ. પૂ. હિમાંશુવિજયજી મ. ને કહે.. “તારે વિહાર મોડો કરવો હોય તો હું મોડો કરજે, તને કોણ ના પાડે છે પણ આ વરરત્નવિજયને તો બીજ્ઞા 51 ॥ સમયસર નીકળી સમયસર પહોંચી જાય તારે જૉડાસણું હોય છે. બૅટલે બાર વાગે તો વાંધો ળહ, oોને થોડું જ રૉજ જોડાસણું હોય છે ... ? '' શૉ વખતે પૂ. હિમાંશુdજયજી મ. સ્થિતપ્રજ્ઞની જેમ બધું જ સાંભળી ઉં, – 1 ‘હા’માં જવાબ આપે ન ‘ના’ માં જવાબ આપે. આવો મીઠો મઝાનો ઉભય વચ્ચેનો સંબંધ ! પૂ. પંન્યાસપ્રવરશ્રી મુકિતવિજયજી ગણિવર્ય તથા પૂ. ગણિવર્ય શ્રી હિમાંશુવિજયજી મ. એ બંને “સૂરિપ્રેમ’’ અને ‘સૂરિરામ’ નું ધાવણ પીને ઉછરેલા સિંહસંતાનો હતા એટલે શાસ્ત્રસિદ્ધાંત અને સંયમશુદ્ધિના પહેલેથી જ કટ્ટર હિમાયતી હોય એમાં કંઇ જ આશ્ચર્ય ન હતું. કયાંય સિદ્ધાંતમાર્ગથી વિરુદ્ધ થતું કંઇ જણાય તો બેમાંથી એકે ય ઝાલ્યા ન રહે.... વિ.સં. ૨૦૧૪ નાસપાસની સાd.... ! એ સમયનો એક પ્રસંગ મને યાદ આવે છે. કોલ્હાપુર- શાહપુરીમાં મૂળનાયક શ્રી શાંતિનાથભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. નિશ્રા પૂ. પં. શ્રી મુકિતવિજયજી મ. તથા પૂ. હિમાંશુવિજયજી ગણિવર્ય આદિ ઠાણાની હતી. અમે સહુ સાથે જ હતાં. મહોત્સવનો રંગ અનોખો જામ્યો હતો. પ્રવચનમાં પૂજામાં તથા ભાવનામાં મંડપ ચિક્કાર ભરાઇ જતો હતો. આગેવાનો પણ ખૂશ હતાં. પૂજા-ભાવના માટે એ સમયે જેની ખૂબ જ બોલબાલા હતી અને જેના કથાગીતો પર કેટલીય કેસેટો નીકળી ચૂકી હતી. એવા મુંબઇના સુપ્રસિદ્ધ સંગીતકારને શ્રીસંઘે બોલાવ્યો હતો. ભાવના જામવા માંડી એમ ભાવનાનો ટાઇમ વધવા માંડ્યો. મહોત્સવ મંડપની નજીકમાં જ ઉપાશ્રય હોવાથી ભાવનાના શબ્દો ધ્યાન દઇને સાંભળે તો બરાબર સંભળાય એવા હતાં.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 246