Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
કોલ્હાપુર-શાહપુરીમાં ઉજવાયેલા પ્રતિષ્ઠા-પ્રસંગે જે ખુમારીનું દર્શન થયું એ તો અદ્ભુત હતું. બન્યું એવું કે, મુંબઇના એક અતિપ્રખ્યાત સંગીતકારનું પ્રતિષ્ઠા પ્રસંગે આગમન થયું હતું. * રાતે ભાવનાના અવસરે એ સંગીતકારે પોતાની આધુનિક વિચારધારા મુજબ મંદિરમાં થોડીક વારની ભાવના પૂરી કરી દઇને પછી મંડપમાં મોટી મેદની વચ્ચે ગાંધીજીના ગીતડાં ગાવાની શરુઆત
ઉતારો નજીક જ હતો, Íથી પ.પૂ.પં. હિમાંશુdજયજી a[, ના કાળમાં ગાંધીજી ના બે ગીતડાંના શબ્દો પ્રવેશતા dખો ઉભા થઇ ગયા અને પ.પૂ.પં. મુક્તવિજયજી મહારાજને હૉaiણે કહ્યું * *ગાજે હજી પહેલાં જ દિવસ આ સંગીતકાર ગાંધીજીના ગીતડાં ગાતા છટકાવવામાં ર્વાહ ખાવું, તો રોજ ખાવું ને ગાવું નાટક ભજવાશે, માટે ચાલો ! [1પણે મંડપમાં પહોંચી જઇ onળે સભાને સાચું સમજાવી કે, પ્રતિષ્ઠા- પ્રસંગની ll iડપમાં શું ખાઈ શકાય અને શું ન ગાઈ શકાય ? ” ' આ સાંભળ્યા પછી પ.પૂ.પં. શ્રી મુક્તિવિજયજી મહારાજ તરત જ રાત હોવા છતાં મંડપમાં જઇને સત્યનું સમર્થન કરવા તૈયાર થઈ ગયાં. પ.પૂ. પં. શ્રી હિમાંશુવિજયજી મ. પણ તેમની સાથે મંડપમાં જઇ ઉભા. રાતના સમયે મંડપમાં પધારેલા પૂજ્યોને જોઇને સૌ આશ્ચર્યમય બની ગયા. એ સંગીતકારે પણ વિસ્મય અનુભવ્યું એને થયું કે, ગાંધીના ગીતડાં ગાવાની મારી પ્રવૃત્તિને પડકારવા તો આમનું આગમન નહી થયું હોયને ? સભાને બેસી જઇને પોતાની થોડી વાત સાંભળવા પૂજ્યોએ જણાવતા સૌ બેસી ગયા બાદ પૂજ્યશ્રીએ નીડરતા પૂર્વક કહ્યું કે- “ભગવાનની ભક્તિનો આ મહોત્સવ છે અને એના માટેનો જ આ મંડપ છે. આ મંડપમાં ભગવાન સિવાય બીજાના ગુણો કે ગીતો ગવાય જ નહિ. કોઇને ગાંધીજીના ગીત ગાવા હોય, તો આ મંડપની બહાર મોટું ચોગાન ખુલ્લું પડ્યું છે ત્યાં એ ગાઇ શકે છે પણ સંઘનું આમંત્રણ સ્વીકારીને અહીં આવ્યા બાદ આવી પ્રવૃત્તિ કરાય, તો એ સંઘના દ્રોહ જેવું ગણાય આજે મહોત્સવનો પહેલો જ દિવસ છે આ રીતે રાતે અહીં આવવું એ અમારી મર્યાદાને અનુરુપ ન ગણાય. આમ છતાં જૈનશાસનની મર્યાદાની જાળવણી તો વધુ અગત્યની ગણાય માટે અહીં આવીને આટલું જણાવવું જરૂરી ગણાય. આશા રાખીએ છીએ કે હવે આથી વધુ કંઇ જ કહેવાની જરૂર નહીં રહે.”
સભા સાજી ગઇ olો સંગીતકાર પણ સાલ માં સમજી ગયા, હોંશી ભગવાળા જ ગીતો । ભાવળામાં ગવાયા છેfoોં સવાર પડે જો પૂર્વે તો સંગીdડાઑ જેવાં વિદાય લઇ લીધી.
બીજો પણ એક પ્રસંગ યાદ આવે છે. જેસલમેર તરફનો વિહાર હતો. એ પ્રદેશ એટલે રેતાળ રાણભૂમિ ! એકવાર સાંજનો ૫-૬ માઇલનો વિહાર કરીને વ્યવસ્થાપકોએ જ્યાં રાતવાસો કરવાનું ગોઠવ્યું હતું, ત્યાં પહોંચીને જોયું તો એક મોટી ઝૂંપડીમાં સાધુ-સાધ્વી બંનેનો ઉતારો ગોઠવવામાં આવ્યો હતો. બંને વચ્ચે એક પડદાની આડ ગોઠવવામાં આવી હતી. એ જંગલમાં આ સિવાય બીજી કોઇ વ્યવસ્થા શક્ય ન હતી. પૂજ્યોએ આ જોઇને કહ્યું કે, ‘‘રાતે વિહાર ન કરવા પાછળનું એક કારણ ‘સંયમમર્યાદા’ છે. પરંતુ અહીં રોકાવાથી આ મર્યાદાનો જો ભંગ થતો હોય અને રાતે પણ અહીંથી વિહાર કરી જવાથી જો આ મર્યાદા પળાતી હોય, તો આવા સ્થાને ન રોકાતા અહીંથી વિહાર કરી જવો, એમાંજ સંયમધર્મનું પાલન ગણાય.” - પૂજ્યોએ આટલી ભૂમિકા રચીને પછી પૂછયું કે ‘અહીંથી આગળ કોઇ ગામ આવે ખરું ? જવાબ મળ્યો કે ૮-૧૦ માઇલ સુધી કોઇ ગામ હોવાની શક્યતા નથી. હા! અહીંથી પાંચેક માઇલ દૂર એક પરબનું મકાન આવે છે, પણ એ રહેવા જેવું નથી.
પ.પૂ.પં.શ્રી હિમાંશુdજયજી મહારાજે કહ્યું કેં, ‘‘oliટલો આશરો તો ઘણો ગણાય. ગાડી ની ઝૂંપડીમાં તો મારાથી રહી શકાય જ નહી.' છૉમળી વાતમાં ટેકો પૂરાવવા પ.પૂ.પં. શ્રી મુકિતવિજયજી મહારાજે કહ્યું કે, ‘‘જો પરબમાં માઁ રાત ગાળીશું, મારી બીજી કોઇ ચિંતા ના કરતાં અહીં રહીછે તમે સાદdીજી ધોળી ધારાળર સંભાળ લેજો.' સૂર્યાસ્ત થઇ ગયા બાદળો છે વિહાર પુનઃ ચાલુ થયો સંયમની સુરક્ષા માટે til વિહાર વિષિદ્ધ હોવા છતાં tipl-વિહારથી જ સંયમ સુરક્ષિત રહે છેat જણાતા પૂજયો વિહાર કરીને મેં પરબ-સ્વાઉમાં પહોંચી ગયા.
આવા અનેકાનેક પ્રસંગો પૂજ્યશ્રીના જીવન સાથે સંકળાયેલા છે જેની સ્મૃતિ થતાં જ પૂજ્યશ્રીના સંયમ-પ્રેમ ઉપર વારી જવાય છે. આ તો મારા શિશુજીવનનાં સંભારણાં થયાં ! છેલ્લે | પૂજ્યશ્રી સાથે પાલિતાણા પન્નારુપા ધર્મશાળામાં રહેવાનું થયું ત્યારે વંદનાદિ - વ્યવહાર ન હોવા છતાં પૂજ્યશ્રીએ વાત્સલ્યપૂર્વકનો જે વ્યવહાર કર્યો અને અમુક અમુક તાત્ત્વિકવિચારણા કરવા ઘેટી-ગામમાં આવવા જે રીતે આગ્રહ કર્યો, એ વાત્સલ્ય અને એ આગ્રહ હજી સ્મૃતિ પટ પરથી ભૂંસાયો નથી. તેમજ શ્રીહિમાંશુસૂરીશ્વરજી મહારાજની આસપાસ ચોવીસે કલાક પડછાયાની જેમ સેવારત પૂ. આ. શ્રી નરરત્નસૂરિજી મ. નું સ્મરણ થતા તો મસ્તક નમનની મુદ્રામાં ઝુકી ગયા વિના નથી રહેતું.