________________
૧૦
[ શ્રી વિશ્વવવિચારરત્નાકર
અથવા વિચારા, એ જ મનની અનુકૂળ અથવા પ્રતિકૂળ સ્થિતિનું સ્વરૂપ છે, તેથી જો તમને દુઃખનું ભાન થતું હોય તો તમારા નિશ્ચયેા અથવા વિચારો દોષવાળા છે, એ જ સિદ્ધ થાય છે. આથી કરીને તમારી દુઃખવાળી સ્થિતિ ટાળવા માટે તમારે તમારા મનની પ્રાપ્ત સ્થિતિને અર્થાત્ તમારા વિચાર અને નિશ્ચયાને ફેરવવાની જરૂર છે, અને સુખવાળી સ્થિતિ મેળવવા માટે સુખને આપનાર વિચારા અને નિશ્ચયા તમારા મનમાં દૃઢપણે સ્થાપવાની જરૂર છે. પરંતુ જ્યાંસુધી એક વાસણમાં કચરા ભર્યાં હાય છે, ત્યાંસુધી તેમાં નવી વસ્તુ ભરી શકાતી નથી, તેમ મનમાં જ્યાંસુધી એક પ્રકારના નિયેા દૃઢપણે મૂળ ધાલીને રહ્યા હોય છે, ત્યાંસુધી તેમાં નવા નિશ્ચયે પ્રવેશી શકતા નથી, અને મૂળ ધાલી શકતા નથી. આમ હોવાથી સુખની ઈચ્છાવાળા તમારે આ લેખ વાંચતી વખતે, અને તેના અભ્યાસ કરતી વખતે તમારા જૂના નિશ્ચયોને ભૂલી જવાની અને બાળકજેવા અંતઃકરણવાળા થવાની પ્રથમ અગત્ય છે. લખેલા કાગળ ઉપર નેવુ" લખવામાં આવે છે તે જૂનું તથા નવું લખેલું બંને બગડે છે, તેમ એક પ્રકારના કરેલા અયોગ્ય નિશ્રયાને ભૂલ્યાવિના નવા નિશ્ચયો મનમાં સ્થાપવામાં આવે છે તે મનમાં ભારે અવ્યવસ્થા થાય છે. તેથી આ લેખમાં લખવામાં આવનાર સુખદ નિશ્રયા અંતઃકરણમાં દઢપણે સ્થપાય એટલા માટે તમારા અંતઃકરણને કારા કાગળ જેવું કરવા વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. આ લેખમાંના કાઈ કાઈ વિચારો કે નિશ્ચયે તમારા વિચારથી તમને જુદા જણાય, અથવા દોષવાળા જણાય, અથવા તમને યથાર્થ રૂપમાં ન સમજાય તા વ્યાકુળતા સેવવા પ્રયોજન નથી. આ લેખની સમાપ્તિ થતાં સુધી ધૈય ધરજો અને આજે જે દોષવાળું જાતું હશે તે આગળ ચાલતાં તમને નિર્દોષ જણાશે, જે જે વિચારામાં તમને વિરાધ જેવુ ભાસશે, તે જ વિચારો લેખની સમાપ્તિપ તમાં અવિરોધી ભાસશે, તેથી મનની, યોગ્યતાવાળી અનુકૂળ સ્થિતિ કરવાની ઈચ્છા હોય તો બાળકના જેવું અંતઃકરણ રાખીને જે જે લખવામાં આવે તેને વિરોધી તર્ક કર્યાં વિના સ્વીકારવાને તથા આચારમાં મૂકવાને પ્રયત્નવાન્ થવું એ જ યોગ્ય છે. લેખ સમાપ્ત થયે, તમને આ આ નિશ્ચયા ન રુચે તે સ્વત ંત્રપણે તમારા પૂર્વાંના નિશ્ચયોને અનુસરો.]
પરમાત્મા કેવા છે તથા ક્યાં રહે છે . એ વગેરે પ્રશ્નનો ખુલાસો કરતાં આપણુ વેદની શ્રુતિ કહે છે કે
एको देवः सर्वभूतेषु गूढः सर्वव्यापी सर्वभूतांतरात्मा ।