________________
સુખના સરળ સાધને ]
છે. તે એક ક્ષણ પણ આપણુથી જુદા નથી. તે આપણામાં રહીને નિરંતર આપણી ઉન્નતિને જ સાધે છે. અને આ જ્ઞાન યથાર્થ સમજાતાં આપણું ભયમાત્ર ટળી જાય છે.
પરમાત્મા સર્વદા વિદ્યમાન છે. તેમની વિદ્યમાનતાવડે મનુષ્યનું જીવન છે. પરમાત્માવડે મનુષ્ય મનુષ્યરૂપે જીવે છે.
સ્થત રીતે મનુષ્યને જોઈએ તે તે ત્રણને બનેલું હોય એમ જણાય છે. આત્મા અથવા ચૈતન્ય, મન અને શરીર. આત્મા અથવા ચેતન્ય એ શરીરના અંતસ્તમ પ્રદેશમાં રહેલું છે. આપણા જીવનને વાસ્તવિક આધાર એ છે. આપણું ખરું “હું' એ છે. એ આપણું વાસ્તવ “હું 'અવિક્રિય, અજર, અમર અને અવિનાશી છે. આપણું શરીર બદલાય છે, આપણું મન બદલાય છે, પણ એ આપણું વાસ્તવ “હું' આપણને અનુભવ છે કે બાલ્યાવસ્થામાં જે હતું તે જ આજે યુવાવસ્થામાં છે, અને વૃદ્ધાવસ્થામાં રહેશે. આપણું વિચારે, આપણી સ્થિતિ, આપણા સંબંધનું સર્વ, સેંકડે અને હજારે વખત બદલાયું હશે, પણ એ આપણું વાસ્તવ “હું' આજે પૂર્વે જે હતું તેનું તે છે. એ આપણું વાસ્તવ “હું' આપણામાં રહેલા પરમાત્મા છે. એ શાશ્વત છે, એ પુરાણ પુરુષ છે. એ અજ, નિત્ય, સાક્ષી, ચેતા, કેવલ, અને નિર્ગુણ છે. એ આપણું વાસ્તવ “હું' આપણો આધાર છે, એ ઈશ્વર છે, એ પરમાત્મા છે, એ આપણા પિતા છે. ત્વમેવ માતા = પિતા ત્વમેવ એ શ્લોકમાં કહ્યા પ્રમાણે એ આપણી માતા છે, એ આપણા પિતા છે, એ આપણા બંધુ છે, એ આપણે સખા છે, એ આપણી વિદ્યા છે, એ આપણું દ્રવ્ય છે, સ્વલ્પમાં એ આપણું સર્વસ્વ છે. આ અંતસ્તમ પ્રદેશમાં રહેલા આપણા વાસ્તવ “' માં સ્થિત થઈને પ્રત્યેક મનુષ્ય, હું અને તમે નિઃશંમ્પણે કહી શકીએ કે “ બ્રહ્મ છું,' મારામાં અને પરમાત્મામાં કશે જ ભેદ નથી. રહેલ ના: જીવ અને બ્રહ્મમાં કશે જ ભેદ નથી.
મન એ મનુચનું બીજું અંગ છે. એ અજ્ઞાન અને અજ્ઞાનનાં કાર્યોથી રંગાયેલું છે. એ બુદ્ધિને અથવા વિચારને પ્રદેશ છે. આ સ્થળે આપણે વિચાર વગેરે કરીએ છીએ. આપણું વાસ્તવિક “હું' જ્યારે શુદ્ધ છે, ત્યારે આ અશુદ્ધ છે. આપણા વાસ્તવિક “હું” માં જ્યારે કશો જ ફેરફાર થતું નથી, ત્યારે આમાં દિવસમાં અસંખ્ય ફેરફાર થાય છે. આપણું વાસ્તવ ''