________________
વિચારરત્નરાશિ ]
૪૯
કરવા યોગ્ય પ્રાણીપદાર્થ દષ્ટિએ ન પડવાથી સદા અક્રોધવાળી શાંત સ્થિતિ હોય છે, જ્યાં વિભવાનું મૂળ શ્વરતત્ત્વ એ જ પોતાનું આત્મસ્વરૂપ છે, એવેા નિશ્ચય થયેલા હેાવાથી અમુક પદા મને અપ્રાપ્ત છે, એવું ભાન થવાના અસંભવ હોવાથી સદા સ ંતોષ વતા હોય છે, જ્યાં દોષ એ પણ પરમાત્મસત્તાનો વિવત હોવાથી અધિષ્ઠાનથી ભિન્ન ન જોવાના અભ્યાસ સિદ્ધ થયેલા. હાવાથી દોષ જોવાના પ્રયત્ન થતા નથી, અને આ પ્રમાણે જ્યાં નિરંતર શુદ્ધ વિચાર જ વતા હોય છે, ત્યાં સર્વાંદા સુખ–કલ્પનામાં પણ ન આવે એવું નિરતિશય સુખ–જ હાય છે.
૨૨. આવા શુદ્ધ વિચાર સેવવાનુ` કા` તમને અત્યંત કઠિન જણાય છે.? તે સુખને પ્રાપ્ત કરવાની અને દુઃખને ટાળવાની આતુર ઈચ્છા તમને પ્રકટી નથી. તમને દુઃખ અને સંતાપ જ પ્રિય છે. ભલે તમારા પ્રિય પદાર્થાંના અનુભવ કર્યાં કરેા. તેથી ત્રાસ આવે, સુખને શોધવા ખરી આતુરતા પ્રકટે—જેને સત્સાશ્ત્ર મુમુક્ષુતા કહે છે, તે તમારામાં ઉદય થાય-ત્યારે આ શુદ્ધ વિચારને સેવો. ત્યારે આ શુદ્ધ વિચાર સેવવાનુ` કા` જેને આજે તમે કહિન કહેા છે, તે તેવું નહિ ભાસે. કારણ એક મરિણયા જેમ હજારને ભારે હોય છે, તેમ તમારી આતુર ઈચ્છા, સમગ્ર વિધો, સમગ્ર કહિનતા પગતળે રાળી નાખવા સમર્થ છે. આજે પણ છે, પણ તમે તે જાણતા નથી. પોતાના સામર્થ્ય'માં અચલ શ્રદ્ઘાથી, ઉચ્ચ અભિલાષાથી, દૃઢ નિશ્ચયથી અને તદનુકૂલ પ્રયત્નથી મનુષ્યને કાઈ પણ કાર્ય કિર્તન નથી. અને આતુર ા જે હૃદયમાં પ્રકટે છે ત્યાં આ સવ` આપેઆપ આવી મળે છે. આતુર ઈચ્છા પ્રકટતાં જે સ્થિતિને તમે અનેક જન્મવડે પણ પ્રાપ્ત કરવી દુĆભ માને છે, તે સ્થિતિ આ જ જન્મમાં, વ છ માસમાં
તમને પ્રાપ્ત થવાનો સંભવ આવે છે.
૨૩. ઈચ્છાને મારવાની નથી પણ કેળવવાની છે. જેએ ચ્છાને મારવાનો ઉપદેશ કરે છે તે જીવનના નાશ કરવા ઉપદેશ કરે છે. ઇચ્છા મારવાનો પ્રયત્ન સફળ થતા નથી, કારણ ઈચ્છા ચૈતન્યમય છે. મનુષ્યમાંથી ઈચ્છા ઉપાડી લેતાં તેની ઉન્નતિનાં સર્વ' દ્વાર ખંધ થઈ જાય છે. ઉન્નતિના અગ્નિરથને મહાવેગથી ચલાવનાર પૃચ્છા, એ વરાળ છે. ઈચ્છાના વેગના પ્રમાણમાં જ ઉન્નતિ હોય છે. જ્યાં ઈચ્છા મ ંદ હોય છે ત્યાં ઉન્નતિનો વેગ રગશિયા ગાડા જેવા હોય છે. જ્યાં ઈચ્છા તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ હાય છે ત્યાં ઉર્જાતિનો વેગ વિદ્યુતના વેગજેવા હોય છે. વ્યવહારમાં પણ મદ ઈચ્છાવાળા
૭