________________
૬૮
[[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
જે તે રીતે તેના ઉપાર્જનમાં, રક્ષણમાં અને સંચયમાં ઉઘુક્ત રહે છે અને એમ છતાં પિતાની વિચારશક્તિ જે એક આશ્ચર્યકારક દ્રવ્યભંડાર છે, તેમાંથી લાખે અને કરડે રૂપિયા, વગરવિચાર્યું ખરચે છે. હીરામાણેકના કે મોતીના અલંકારને કઈ ધૂળમાં રગદોળતું નથી, પરંતુ આ વિચારશક્તિરૂપ અમૂલ્ય અલંકારને અસંખ્ય મનુષ્ય ક્ષણે ક્ષણે ધૂળમાં રગદોળે છે. એકલા પડ્યા કે હજાર જાતના અયોગ્ય વિચારનાં કકડાં ઉકેલે છે. મિત્રોમાં કે સંબંધીઓમાં બેઠા તે ત્યાં પરિયાના પરિયાની, માલવિનાની વાતે કાઢી જેમ કોઈ મૂઠીએ મૂકીએ ખરાં મોતી અને હીરા ઉછાળે તેમ આ વિચારબળનાં મોતી અને હીરાને ઉછાળે છે. આજ તે આમ થયું અને કાલ તે આમ થયું હતું, ફલાણુ ભાઈ આવા ને ઢીંકણું ભાઈ આવા, વગેરે કઈ પણ શુભ ફળને ન પ્રકટાવનાર વિચારેને સેવી આ મહાધનને દુરુપયોગ કરે છે.
પ૭. અવિચારવાનું મન ! તમારે ત્યાં વિચારરૂપ દ્રવ્યના ભંડારમાં છપ્પન ઉપર ભૂંગળ વાગતી નથી કે આમ ઉદાર દિલના થઈ બેઠા છો ! આવકનાં દ્વાર નથી હોતાં તે છપ્પન ઉપર ભૂંગળ વાગતા ભંડારે પણ ખાલી થઈ જાય છે. તમારું આવકનું એકે દ્વાર ઉઘાડું નથી, પણ જાવકનાં કરોડો દ્વાર ઉધાડાં છે, અને તમે જાતે તેમાંથી ધન ખાલી કરવા માંડ્યું છે, એટલું જ નહિ, પણ તેને ઝટ ખાલી કરવા, કરડે માણસને પાવડાટોપલા આપી વળગાડી દીધા છે. જે અયોગ્ય વિચાર તમે સેવ છે, અને કરે છે, તેથી અસંખ્ય અયોગ્ય વિચારનાં દેલને આ વાતાવરણમાંથી તમારી આજુબાજુ એકઠાં થયાં છે, અને પ્રત્યેક પ્રસંગે તેઓ તમને બળાત્કારથી અયોગ્ય વિચારમાં જડી તમારા સર્વધનને ક્ષય કરે છે. હજી તમે ચેતતા નથી. હજી તમારી આંખ ઊઘડતી નથી.
૫૮. ગેળને આખે શરીરે ચોપડી પછી માખીઓ તમારા કાનમાં, નાકમાં, અને આંખમાં પિસી જાય ત્યારે શા માટે માખીઓને ગાળો દો છે, અને તેમના ઉપર ચીડિયાં કરે છે? ગોળને પહેલે શરીરે પડ્યો ત્યારે માખીઓ આવી કે એમને એમ આવી ? અયોગ્ય વિચારને પ્રથમ તમે પ્રીતિથી સેવ અને પછી તમારા મનમાં હજારે અયોગ્ય વિચાર આવે ત્યારે, મારું મન બહુ ખરાબ છે, મારી વૃત્તિ બહુ દુષ્ટ છે, હું બહુ મથું છું, પણ તે વશ થતી નથી, એવા એવા બરાડા પાડી નકામાં ચીડિયાં શા માટે કરે છે? ગેળ પડેલા માણસને જેમ માખીઓને ટાળવાને સરળ ઉપાય એ જ છે કે જળમાં સારી પેઠે સ્નાન કરી શુદ્ધ થવું, તેમ તમારા અંતઃકરણમાં ઊઠતા હજારે અયોગ્ય વિચારને ટાળ