Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 170
________________ વિચારરત્નરાશિ ] ૧૬૧ તમને જણાય, અને ઊંચી બાબતમાં પ્રેમ કરવાને બદલે હલકા વિષયોમાં રમવા માંડે ત્યારે તમારી વૃત્તિ આંતર મન ઉપર નાંખજે, અને ત્યાં જે મહાન સત્તા રહેલી છે, તેને જાગ્રત કરવા પ્રયત્ન કરજે. તમારા આત્મસ્વરૂપનું ભાન કરવાના પ્રયત્ન કરજે, અને તમારા સઘળા વિચારને નીચેના પ્રદેશમાંથી લાવી લાવીને આત્માના ઉચ્ચપ્રદેશમાં સ્થાપજો. જેને તમે અનુભવ કરવા ઇચ્છતા હો, તેનું પુનઃ પુનઃ દઢતાથી રટણ કરશે. અને જે સ્થિતિમાં તમારી ઈચ્છેલી વસ્તુને તમને અનુભવ થાય, તે ઉચ્ચ સ્થિતિમાં તમારું મન અલ્પ સમયમાં આવશે. આ પ્રકારને નિયમ છે, અને આ નિયમનું આગ્રહથી પાલન કરનાર ગમે તે મનુષ્ય નીચા પ્રદેશોમાં ભટકતા પિતાના મનને રેકીને ઊંચા પ્રદેશમાં સ્થાપવા સમર્થ થશે. ૩૦૯. પ્રત્યેક વિચારમાં તેનું પિતાનું વાસ્તવિક બળ હોય છે, પણ તે બળને વસ્તુઓ ઉપર, સ્થિતિ ઉપર અને આજુબાજુના પ્રસંગે ઉપર કદી પણ ન વાપરવું જોઈએ. વિચારના બળને આપણા પિતાના બળની વૃદ્ધિ કરવામાં આપણે પિતાને વિકાસ કરવામાં જ-ઉપયોગ કરવો જોઈએ. આપણે પિતાના બળની વૃદ્ધિ કરવાની ઈચ્છાથી આપણું વિચારનાં સઘળાં સામને આપણા પિતાના પ્રતિ જ વાળવાં જોઈએ; અને આમ કરવું, એ તમારા વિચારના બળને સદુપયોગ કર્યો ગણાય છે. બહારની સ્થિતિઓને અથવા વસ્તુઓને પિતાને વશ વર્તાવવાને માટે વિચારના બળનો ઉપયોગ કરે, એ તેને દુ૫યોગ છે, અને ક્ષય છે. પરંતુ મનુષ્યોને માટે ભાગ આમ કરવાને જ પ્રયત્ન કરે છે, અને તે કારણથી તે ઘણું જ ડું સિદ્ધ કરે છે. ૩૧. પ્રતિકૂળ પ્રસંગોને જોઈને ઉગ ધરવામાં, નિરાશ થવામાં, અથવા હિંમત હારી જવામાં કઈને કશે જ લાભ નથી. હિંમત હારી જનાર મનુષ્ય પતે દુર્બળ મનને છે, એવું સિદ્ધ કરે છે, અને દુર્બળ મન પ્રાપ્ત સંકટોની સામે કદી પણ બાથ ભીડી શકતું નથી. પિતાની હિંમતને, પિતાના નિશ્ચયને, પિતાની પ્રસન્નતાને, અને પિતાની શ્રદ્ધાને ટકાવી રાખનાર મન જ પ્રત્યેક વિપત્તિને જય કરી શકે છે, કારણ કે આવું મન જ સર્વદા બળવાન રહ્યા કરે છે. નિષ્ફળતા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ, દુઃખનાં વાદળાં ઝઝૂમી રહ્યાં હોય છે તે સમયે હિંમત હારી જવી, એ છે, પરંતુ આ પ્રમાણે હિંમત હારી જવાથી મને એવું તે દુબળ થઈ જાય છે અને ગભરાઈ જાય છે કે તેનામાંથી તેનું સામર્થ્ય અને વિવેકશક્તિ જતાં રહે છે. આમ છતાં આ બંનેની દુઃખના સમયમાં જ આપણને ખરી ૨૧

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182