Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 176
________________ સદ્ધિ ચારરત્ન આપણુ કરતાં વધારે ચઢિયાતી વ્યક્તિ ઉપર આધાર રાખવો, અથવા તેને આશ્રય ઈચ્છ, એ આપણને પિતાને દુર્બળ કરનાર છે, પરંતુ આપણા કરતાં વધારે ચઢિયાતી વ્યક્તિમાં અમેદ થઈને રહેવું, અર્થાત તે ચઢિયાતી વ્યકિતમાં આપણું મર્યાદાવાળું પિતાપણું ગાળી નાખી, તેમાં એકાકાર થઈને રહેવું, એ આપણને અધિક બલવાન કરનાર છે. આ વ્યક્તિ આપણા કરતાં મબળ અથવા અધ્યાત્મબળમાં ચઢિયાતે મનુષ્ય હોય, દેવ હોય, ઈશ્વર હોય કે પરમાત્મા હોય તે પણ તે સર્વના સંબંધમાં આ જ નિયમ લાગુ પડે છે, અને તે એ કે કઈને આધારે રહેવું, એ આપણને દુર્બળ કરનાર છે, અને તે કઈમાં અભિન્ન થઈને તે રૂપે જ વર્તવું, એ આપણને સબળ કરનાર છે. ગુસ્તા ઉપર આધાર રાખવો, એ લઘુતા આણનાર છે; ગુરુતામાં તન્મય થઈ રહેવું, અને તેવા ભાનપૂર્વક ક્રિયા કરવી, એ પિતાની ઉન્નતિ કરનાર અને અંતમાં પિતાનામાં ગુતા આણનાર છે. પરમાત્મામાં જ્યારે એકાકાર થઈને આપણે રહીએ છીએ, અને હું જ પરમતત્વ છું, એવું ભાન કરીએ છીએ ત્યારે પરમાત્માના સર્વોત્કૃષ્ટ ગુણધર્મો સાથે આપણા મનને સંબંધ થવાથી તે ધર્મો આપણું મનમાં આવે છે; અને આપણા મનમાં આવેલા આ ધર્મોને જયારે આપણે વિવિધ વ્યવહાર સેવતાં આચારમાં મૂકીએ છીએ ત્યારે તે ધર્મો પછી આપણે પોતાના જ સ્વભાવધર્મરૂપ થઈ જાય છે. આ પ્રમાણે આપણું જીવત્વ હઠતું જાય છે, અને આપણામાં બ્રહ્મત્વ પ્રકટ થતું જાય છે. અસાધારણ વિજ્ય અથવા લાભની પ્રાપ્તિ માટે બે વસ્તુની અગત્ય છેઃપ્રયત્ન કરવાનું અગાધ સામર્થ્ય, અને તે સામર્થ્યને ક્રિયા વડે ઉપયોગ. અગાધ સામર્થ્ય પરમેશ્વરમાં પોતાના અભેદ ભાવનું ભાન કરવાથી આવે છે, અને તે ભાનપ્રમાણે વર્તન કરવા માંડવાથી તે સામર્થ્યને ઉપયોગ થતો અનુભવમાં આવે છે. જેઓ પિતાના છવભાવનું જ નિરંતર ભાન સેવ્યા કરે છે, અને તેથી આગળ એક તસુ પણ વધતા નથી, તેઓ પિતાના જીવત્વની પાછળ રહેલા અનંત શિવત્વમાં પિતાને અભેદ કરવાથી કેવા અસાધારણ લાભ થાય છે, તેને જાણતા નથી. તેઓની શક્તિઓ જન્મથી તે મરણપયંત મર્યાદાવાળી જ

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182