Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 175
________________ ૧૬૬ [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર પ્રતિ રહે છે ત્યારે પ્રત્યેક વિચાર, પ્રત્યેક ક્રિયા અને પ્રત્યેક અનુભવ આપણા જીવનને ઉન્નત કરે છે. આવી દૃષ્ટિને કશું જ ખાટું જણાતુ નથી, પણ ઊલટુ સર્વ આનદરૂપ જ જણાય છે. મનુષ્યની આ પ્રકારની દૃષ્ટિ તેના શરીરની, મનની અને આત્માની નિર ંતર ઉન્નતિ સાધ્યા જ કરે છે. આ દૃષ્ટિ સમાંથી શુભને જ શેાધી લે છે, અને તેમાં આનદમગ્ન રહે છે. ૩૨૨. જો કે સુખને માટે પ્રાણીઓઉપર કે પદાર્થોંઉપર આધાર રાખવાની આપણે કશી જ જરૂર નથી તેાપણ આપણું મન જ્યારે અનુકૂળ દૃષ્ટિવાળું અથવા સુખમય સ્થિતિમાં હાય છે ત્યારે પ્રાણીમાત્રના અને પદાર્થ માત્રના સબધથી આપણને સુખઊપજે છે. આથી એ સિદ્ધ થાય છે કે આપણા મનમાં જે હાય છે, તેને જ આપણે ખાદ્ય જગમાંથી હંમેશાં ગ્રહણ કરીએ છીએ. આપણા મનમાં જો દુઃખ હોય છે તે। આખા જગમાં જ્યાંત્યાં આપણને દુઃખ જ જાય છે, અને તે જ પ્રમાણે આપણા મનમાં જે સુખ હોય છે તે આપણને સ`ત્ર સુખ જ જણાય છે. ૩૨૩. સુખને માટે વિષયાઉપર જે મનુષ્ય આધાર રાખે છે, તેને સુખને આપનાર વિષયા ક્યાંહિ પણ જડતા નથી; પર ંતુ જ્યારે તે પોતાના અંતરમાં સુખને સજે છે, ત્યારે તેને સુખ આપનાર વસ્તુને જ તે પોતાના પ્રતિ આક્ષે છે, અને તે જ વસ્તુઓ તેને પ્રાપ્ત થાય છે. તમારા અંતરમાં જે પ્રકારનું મનોરાજ્ય તમે અખંડ અનુભવા છે, તેને જ ખાઘુ જગમાં તમે સ્થૂલ રૂપે પ્રત્યક્ષ કરી છે. ૩૨૪. ખાર્થે જગમાં કંઈ ફેરફાર કરવાની તમારી ઇચ્છા થાય તે પ્રથમ તે ફેરફાર કરવાના આરંભ તમારા આંતર મનમાં કરો. અખંડ વૃદ્ધિના અને ઉન્નતિના આ મુખ્ય અને પ્રથમ નિયમ છે. જેવા તમે બહાર દેખાવા ઈચ્છતા હ। તેવા પ્રથમ તમે અંતરમાં ચા, અને ખાદ્ય જગતને જેવું કરવા તમે ચ્છતા હશે તેવું કરવાનું તમારામાં બળ, બુદ્ધિ અને યોગ્યતા આવશે.

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182