________________
વિચારરત્નરાશિ ]
૧૫૯
કશું જ નથી. જેમ જેમ પ્રકાશનું બળ વધે તેમ તેમ અંધકાર ઓછો થવો જ જોઈએ.
૩૦૨. પૂર્વ શતકકરતાં આ શતકમાં અનેક મનુષ્યનાં મન જાગ્રત થવા માંડ્યાં છે, અને જે કૂંચી મેળવવાથી હાલ જે તેઓ જાણતા નથી, પણ જેને જાણવાની હાલ તેઓનામાં પ્રબળ ઇચ્છા પ્રષ્ટી છે, તે જાણવાને તેઓ શક્તિમાન થાય એમ છે, તે ચીને પ્રાપ્ત કરવાને તેઓ સર્વ પ્રયત્ન કરી રહ્યા છે; અને જેમ હંમેશ બને છે તેમ આ કૂંચીને માટે તેઓ ગગનને ખૂંદી વળ્યા છે, પરંતુ ફેંચી તે તેઓના પગ આગળ જ સર્વદા પડી રહેલી હોય છે.
૩૦૩. તે કૂંચી આ છે; વધારે મહાનને જાણવાની જે આપણી ઇચ્છા હોય તો આપણે આપણી માનસિક એગ્યતાને વધારે મોટી કરવી જોઈએ. નાના મને અર્થાત્ ઓછી શક્તિવાળા મને જીવનનાં રહસ્ય સમજવાનો પ્રયત્ન કરે, એ નકામો છે; અને તે પણ આપણામાંના ઘણા આ જ પ્રયત્ન કર્યા કરે છે, અને તેને પરિણામ એ આવે છે કે આપણે વાતે ઘણી કરીએ છીએ, પણ આપણને અનુભવજ્ઞાન ઘણું જ ઓછું છે.
૩૦૪. જે વિષય જાણવાની હાલ આપણને ઈચ્છા છે, તે વિષય જે આપણને ન સમજાતે હોય તે આપણે નિશ્ચય કરવો જોઈએ કે તે વિષય સમજવા જેટલું આપણું મન મોટું નથી; તે ઘણું જ નાનું છે. જે દોષ છે તે આ સ્થળે જ રહેલો છે. આથી જ્ઞાન માટે, અનુભવને માટે, સત્યને માટે આપણા લઘુ મનને હદઉપરાંત મહેનત આપવાને બદલે આપણે આપણાં મનને મોટાં કરવાનો અને તેમને વિકાસ કરવાને તત્કાળ પ્રયત્ન કરવા માંડ જોઈએ. જ્યારે મન વધારે વિસ્તારવાળું થાય છે, ત્યારે તે વધારે જ્ઞાનને સંપાદન કરી શકે છે; પણ જ્યાં સુધી તે નાનું રહ્યા કરે છે ત્યાં સુધી તે વધારે જ્ઞાનને સંપાદન કરી શકતું નથી.
૩૦૫. જ્ઞાનને શોધવાની આપણે જરૂર નથી; અનુભવજ્ઞાનને માટે આંખો તાણવાની આપણે અગત્ય નથી. વિસ્તાર પામતા-વૃદ્ધિને પામતા મનમાં
અધિક અને અધિક સત્ય પોતાની મેળે પ્રકાશને પામતું જાય છે; અને જેમ કાચની હવેલી ગમે તેટલી મોટી હોય તે પણ સૂર્યને તેમાં પિતાને પ્રકાશ ભરવાનું સહજ છે, તેમ મનુએ પિતાનું મને ગમે તેટલું મોટું કર્યું હોય તો પણ તેમાં સત્યને પિતાને પ્રકાશ ભરવાનું સહજ છે.