________________
૭૫
વિચારરત્નરાશિ ] દીપક જોઈને તે પ્રકટ્યા છે. એવું કહેવા આવતાં જ નથી. તે તે તેમાં ઝંપલાવે જ છે. દીપકને જોઈને પતંગિયાંએ તેમાં ઝંપાપાત કરી પિતાને પ્રાણને આપ્યો છે તે પતંગિયું નથી જ.
૭૧. યથાર્થ બ્રહ્મજ્ઞાનીમાં અને મિથ્થા બ્રહ્મજ્ઞાનીમાં આ બણબણ અને પતંગિયા જેટલું અંતર છે. યથાર્થ બ્રહ્મજ્ઞાન પ્રકટે અને શેકમોહાદિ ઊભા રહે, અંતઃકરણમાં અંતઃકરણના ધર્મો પ્રવર્યા કરે, ઇંદ્રિય ઈદ્રિયોના વ્યાપારમાં ઉઘુકત રહે, ત્રિવિધ તાપથી શરીર તથા અંતઃકરણ પ્રજળ્યા કરે તે એ યથાર્થ બ્રહ્મજ્ઞાન નથી. એ મિથ્યા જ્ઞાન છે. એ શબ્દોચ્ચાર માત્ર છે. એ “શંખની પેઠે “સવા લાખ રૂપૈયા” વાણીમાં જ માત્ર આપનાર છે. શંખલીની પેઠે સાચા દ્રવ્યનું દર્શન કરાવનાર એ નથી.
૭૨. જેમ પાકશાસ્ત્રને અભ્યાસ દૂધપાક અથવા લાડુ કેમ બનાવો, તેને વિધિ શીખવે છે, કંઈ દૂધપાક અથવા લાડુને સ્વાદ અપ સુધા ટાળ નથી, તેમ શાસ્ત્રાભ્યાસ અને સદ્ગદ્વારા મળેલી યુક્તિઓ બ્રહ્માત્મસાક્ષાત્કાર કેમ કરે તેને વિધિ શીખવે છે, કંઈ બ્રહ્માત્મસાક્ષાત્કાર કરાવી બ્રહ્માનંદનું સુખ અર્પતાં નથી. બ્રહ્માનંદના સુખને અનુભવ કરવા અર્થે તે બ્રહ્મવિચારને અભ્યાસ કરવો પડે છે. અને આ બ્રહ્મવિચારને અભ્યાસ કંઈ હસ્તમાં પાનાંપુસ્તક રાખી તેને વાંચવાથી કે કોઈ સ્વામી સંન્યાસી પાસે તેનું પઠન કરવાથી થતો નથી. બહુ બહુ તે આવો વ્યાપાર શ્રવણમાં ગણી શકાય. મનન અને નિદિધ્યાસન થયા વિના કેવળ શ્રવણ સ્વસ્વરૂપને સાક્ષાત્કાર કરાવતું નથી. પરંતુ આજે અનેક મનુષ્યો શ્રવણથી જ પિતાને કૃતકૃત્ય માને છે. મનન અને નિદિધ્યાસનને કડાકૂટ ગણી તેનાં પ્રવેશવાનું ઉચિત ધારતા નથી.
૭૩. દૂધપાક કેમ બનાવવો તેનો વિધિ એકવાર જાણી લીધા પછી પચીસપચાસ પુસ્તકે ભેગાં કરી પ્રત્યેકમાંથી તેના તે વિધિને, ભિન્ન ભિન્ન શિલિથી વણેલે વાંચ્યા કરનારને, અને દૂધપાક ખાવાની ઈચ્છા છતાં તેને બનાવવા પ્રયત્ન ન કરનારને જેમ મિથ્યા કાળક્ષેપ કરનાર બુદ્ધિમાન મનુષ્ય ગણે છે, તેમ બ્રહ્મવિચારનું સ્વરૂપ અનેક ગ્રંથોથી નિર્ણય કરી લીધા પછી પણ, તે વિચારને વૃત્તિમાં આરૂઢ કરવા માટે મનન અને નિદિધ્યાસનને ન સેવતાં, શાસ્ત્રના ગ્રંથોની જ પુનઃ પુનઃ આવૃત્તિ કરનારને સહુ મિથ્યા કાળક્ષેપ કરનાર ગણે છે. પરંતુ આજે અનેક મનુ આમ જ કરે છે. તેઓ એક