________________
વિચારરત્નરાશિ ]
૧૨૩
રણીનાં અનેક પગથિયાં છે. શાંતિથી એકએક પગથિયાઉપર ચઢજે. નિસરણી ઘણી ઊંચી દેખાય છે, અને તેને અસંખ્ય પગથિયાં હોય એવું દેખાય છે, તે પણ કેટલાંક પગથિયાં સાવધાનતાથી ચઢતાં તમને સમજાશે કે કાં તે નિસરણી ટૂંકી થઈ છે, અથવા તમે હજાર પગથિયાં ઉપર ચઢી આવ્યા છે. શિખર જણાય છે. અલ્પ સમયમાં અવિચલ શાંતિ પ્રદેશ દૃષ્ટિએ પડે છે.
૨૦૬. નિરંતર અધિક ઊંચાં ઊંચાં સુખની વાટ જોયા કરે. જેમ અધિક અધિક શુભને પ્રાપ્ત થવાની તમે આશા રાખે છે, તેમ તમને અધિક અધિક શુભ પ્રાપ્ત થયાં જાય છે. આ માનસશાસ્ત્રને, કદી નિષ્ફળ ન જાય એવો નિયમ છે. આમ હોવાથી જે જે શુભ વસ્તુઓની આપણે કલ્પના કરી શકતા હોઈએ, તથા જેમને ઉપભોગ કરવાનું આપણામાં સામર્થ્ય હોય તે સર્વ વસ્તુઓ આપણને પ્રાપ્ત થનાર જ છે, એવો નિશ્ચય રાખી તેમને પ્રાપ્ત થવાની આપણે વાટ જોયા જ કરવી જોઈએ. આમ છતાં આપણે અંતઃકરણને એવું બળવાન કરી રાખવું જોઈએ કે જેટલું આપણે ધાર્યું હોય તેના કરતાં આપણને ઘણું ઓછું મળે તે પણ આપણને નિરાશા ન થાય. અમુક વ્યાપારમાં આપણે એક હજાર રૂપિયા નફે મળવાની આશા રાખી હોય, અને તે પણ તેમાં આપણને માત્ર સો રૂપૈયા અથવા પચાસ રૂપિયા જ નફો મળે તે આપણે નાહિંમત થઈ જવું ન જોઈએ. જો આપણે તે વ્યાપારમાં જરા પણ નફાની આશા ન રાખી હતી તે આપણને હાલ જે સે અથવા પચાસ મળ્યા છે, તે પણ ન મળત. જેની જેની તમારે જરૂર હોય તે સર્વને પ્રાપ્ત થવાની આશા રાખે; ધાર્યા પ્રમાણે પદાર્થો મળે, અથવા જેટલી આશા રાખી હોય તેના કરતાં ઘણા જ ઓછા મળે, તે ઉપર જરા પણ ધ્યાન આપ્યા વિના જેની તમારે જરૂર હોય તેની નિરંતર વાટ જોયા જ કરે; અને તમને અનુભવ થશે કે જે તમને પ્રાપ્ત થાય છે, તેનું પ્રમાણ પ્રતિવર્ષ અધિક અને અધિક થતું જાય છે.
૨૦૭. જયારે માથા ઉપર કાળું વાદળું ઝઝૂમી રહેલું જણાય, અને સંપત્તિને બદલે વિપત્તિ તમારા સામે દાંતિયાં કરતી જણાય ત્યારે ચિંતાવડે વ્યાકુળ ના થાઓ, વ્યગ્રતાને વશ થઈને હાંફલાફાંફલા ન બની જાઓ, અને આ આવનાર વિપત્તિના ભારથી તમે છુંદાઈ જશે, એવા વિચારને એક ક્ષણ વાર પણ તમારા અંતઃકરણમાં પ્રવેશવા ન દે. આ પ્રસંગે પૂર્વના કરતાં પણ વધારે દઢ નિશ્ચયવાળા થાઓ, છાતી અને માથું ટટાર રાખો, તમારા પિતાનામાં