________________
વિચારરત્નરાશિ ]
૧૪૫
૨૫૭. જેઓને આ વાતમાં સંશય હેય તેમણે અજમાયશ કરી જેવી. તેઓને ખાતરી થશે અને એટલે તે લાભ થયેલે જણાશે કે પછીથી ભીતરમાં રહેલા આ ચમત્કારિક સામર્થ્યમાંથી પિતાનાથી બને તેટલું અધિકમાં અધિક સામર્થ્ય લીધા વિના તેઓ કોઈ કામ કરવાને ફરીને કદી પણ પ્રયત્ન નહિ કરે.
૨૫૮. વધારે ઉચ્ચ અને વધારે શુભ પ્રાપ્ત કરવામાં ભય એ એક મોટામાં મોટું વિઘ છે. કારણ કે તે પિતે ઘણાં દુઃખોને સાક્ષાત ઉત્પન્ન કરે છે, એટલું જ નહિ, પરંતુ મનમાં જેવા થવાનું સામર્થ્ય છે, તેવા થતાં પણ તેને અટકાવે છે. સંસારમાં સર્વોત્તમ સ્થિતિને પ્રાપ્ત કરવાના સંભવવાળા ઘણા મનુષ્યોને ભય તુ સામાન્ય મનુષ્ય રાખ્યા છે અને હજારમાં એવો એક પણ મનુષ્ય ભાગ્યે જ મળી આવશે કે જેની ઉન્નતિમાં ભયે થોડો અથવા ઘણો પ્રતિબંધ નહિ કર્યો હોય. આથી ભયને જીત, એ ઉત્કૃષ્ટ પ્રકારનું જીવન કરવા ઈચ્છનાર મનુષ્યનું એક મોટામાં મોટું કર્તવ્ય છે.
૨૫૯. ભયનું કારણ અનિશ્ચિતપણું અથવા સંશય છે. મારું હિત જ થવાનું, એવી જે આપણને સંપૂર્ણ ખાતરી હોય છે, તે આપણને કેઈ જાતને કશે પણ ભય થતું નથી, પણ કાલ કોણ જાણે શું થશે, તે આપણે જાણતા હતા નથી તેથી, અને પુષ્કળ પ્રતિકૂળ પ્રસંગે નિત્ય બન્યા જ કરે છે તેથી, આપણું ઉપર પણ તેવું કંઈક આવી પડે, એવો આપણને નિરંતર ભય રહે છે; પણ આવા સંશયનું અથવા અનિશ્ચિતપણાનું કારણ શું? આપણી ઇચ્છા પ્રમાણે જ જગતમાં સઘળું કેમ ન બને? આપણે જગતની વસ્તુઓને અધીન છીએ અને તેમની સેવા કરવાને સજાયા છીએ, કે જગતની વસ્તુઓ આપણે અધીન છે, અને આપણી સેવા કરવાને સજાઈ છે?
૨૬. વિજયને કેમ ઉત્પન્ન કરે, એ જ્યારે આપણે જાણીએ છીએ, અને વિજયને ઉત્પન્ન કરવાને અખંડ પ્રયત્નશીલ થઈએ છીએ ત્યારે આપણને નિષ્ફળતાને જરા પણ ભય રહેતું નથી. કારણ કે, નિષ્ફળતાને સંભવ જ નથી, એવું આપણે જાણીએ છીએ. દુઃખો અને પ્રતિકૂળતાઓના સંબંધમાં પણ એમ જ છે. જયાં સુધી તમે કંઈ વધારે સારું ઉત્પન્ન કર્યા કરશે ત્યાં સુધી તેઓ નહિ આવે; અને તમારા જીવનની પ્રત્યેક ક્ષણે વધારે સારું કરવાનું તમારામાં સામર્થ્ય છે.
૨૬૧. જે આયુષની પ્રત્યેક ક્ષણ સલ્ફળને ઉત્પન્ન કરનાર કૃતિમાં બુદ્ધિ૧૯