________________
વિચારનરાશિ ]
૧૭
મગજના પટો ઉપર પણ તેવી જ અસર થાય છે. વાર્થવાળું મને હમેશાં સંકોચવાનું રહે છે. અને આવું મન મહત્તાને પ્રાપ્ત કરી શકતું નથી, કારણ કે વિશાળ મને થયા વિના મહત્તા કદી આવતી નથી. મહત્તાને પ્રાપ્ત કરવાને માટે મગજ અને મગજની સઘળી શક્તિઓને વિકાસ કરવો પડે છે, અને તેમને વિકાસ કરવાને માટે મગજનાં પુટને નિરંતર વિસ્તાર કરવો પડે છે; પરંતુ સ્વાર્થવૃત્તિ મગજનાં પુટને સર્વદા સંકેચતી હોવાથી સ્વાર્થી મનુષ્ય કદી મહાન થઈ રાક નથી.
ર ૬૪. કોધથી અથવા સંતાપથી પાચનક્રિયા બગડે છે, એ સિદ્ધ કરવાની હવે કશી જ જરૂર નથી, કારણ કે આ માસિકનાં પૃષ્ઠોમાં અનેક પ્રસંગે તે નિર્વિવાદ રીતે સિદ્ધ કરવામાં આવ્યું છે. કેટલીક જાતના આહારના પદાર્થો સર્વદા આપણને અનુકૂળ આવતા નથી, એ વાર્તા સાચી છે, પણ તેમાં દોષ તે પદાર્થોને હંમેશાં હેત નથી. કોઈ કોઈ પ્રસંગે આહારના પદાર્થોને દોષ હોય છે, પરંતુ સમાં નવ્વાણું પ્રસંગોમાં દેવ આપણું મનની સ્થિતિને હોય છે. હદયને ધકકો લાગે એવી ખબર ઓચિંતી સાંભળવામાં આવતાં ભૂખ કેવળ શાથી મરી જાય છે, તથા અત્યંત સ્વાદવાળા ખાવાના પદાર્થોનું આબેહૂબ વર્ણન સાંભળવાથી, પેટ ભરીને ખાઈ લેવાને એક જ કલાક થયો હોય છે, તો પણ મન.
ને શાથી ભૂખ લાગે છે, તેનું કારણ જેઓ મનની જઠર ઉપર અસર થતી નથી એવું માને છે, તેમને આપવાની જરૂર છે. સ્વાદિષ્ટ પદાર્થોને આપણે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણે મુખમાં શાથી પાણી આવે છે, તેનું કારણુ ઘણાને ખબર નહિ હોય, પરંતુ તે નિર્વિવાદ રીતે સિદ્ધ કરે છે કે મનના વ્યાપાર શરીરના વિવિધ રસને વધારવાને અથવા ઘટાડવાને સમર્થ છે. અવલોકન કરનાર સર્વને સ્પષ્ટ થયું છે કે નિત્યનાં ચીડિયાં મનુષ્યની પચનશક્તિ સારી હોતી નથી, અને તેથી જ ઘણું દુર્બળ મનુષ્યોના સંબંધમાં આપણે એવું વચન બોલાતું સાંભળીએ છીએ કે “એના બળેલા સ્વભાવને લીધે ખાતાં પીતાં છતાં પણ એ શરીરે લેહી લેતો નથી.’ આવા બળેલા સ્વભાવમાં મનુષ્યોને આહાર બરાબર પચીને તેનું રાધિર થતું નથી, કારણ કે મનના સંતાપથી, જઠરમાંથી પાચક રસ ઓછો કરે છે, એટલું જ નહિ, પરંતુ તે રસમાં તે જ કારણથી રાસાયનિક ફેરફાર થઈ જાય છે. સંતાપથી ઊલટી સ્થિતિ જે પ્રસન્નતા અથવા આનંદ, તે પાચનક્રિયામાં શાથી મદદ કરે છે, તે આથી સ્પષ્ટ થયા વિના નહિ રહે.