________________
૧૩૬
[ શ્રી વિશ્વવિચારરત્નાકર ૨૩૩. બીજાઓની ઉન્નતિ જોઈને વર્ષોનાં વર્ષ સુધી તેમની ઈર્ષ્યા કરતા, અને નિરાશાના નિઃશ્વાસ નાંખતા આપણે બેસી રહીએ, તે પણ તેથી આપણને કશે જ લાભ થતું નથી. ઊલટું આવી ક્રિયામાં આપણું આયુષ્યને તથા બળને આપણે વ્યર્થ ક્ષય કરી નાંખીએ છીએ. બીજાઓને ઉદય જોઈને નિસાસા નાંખવામાં વ્યર્થ સમય ગાળવાને બદલે તમારે સઘળે સમય અને મન તમારી કામ કરવાની યોગ્યતા વધારવામાં જે.
૨૩૪. બીજાઓને તમારાથી આગળ જતા રોકવાનો પ્રયત્ન કરવાથી તમે તમારે કશે સ્વાર્થ કે હિત સાધી શકવાના નહિ. બીજાઓ તમારાથી વધારે વેગથી આગળ જતા હોય અને તમારી સઉથી આગળ રહેવાની ઈચ્છા હોય તે તમારું કર્તવ્ય એ જ છે કે બીજાઓ જેટલા વેગથી ચાલે છે, તેના કરતાં વધારે વેગથી આગળ ચાલવું. બીજા પિતાનાથી આગળ નીકળી ન જાય માટે આખી જનશ્રેણી(સવારી procession)ની ગતિ અટકાવવાને જે મનુષ્ય પ્રયત્ન કરે છે, તે ખરેખર, મૂર્ખ છે.
૨૩૫. બીજાનું હિત કરવા જે મનુષ્ય પિતાના હિતને ભેગ આપે છે, તે કોઈનું પણ કશું જ હિત કરતે નથી; અને તેનું કારણ સ્પષ્ટ છે. સ્વાભાપણને અર્થ, ઘણું ધારે છે, તેમ આપણી અત્યંત ઇચછાના વિષયને બીજાને આપી દેવો, એ નથી. પરંતુ જેની આપણે ખાસ જરૂર નથી, તે બીજાને આપવું, એ છે. આપણું જીવનની અથવા આપણી આર્થિક સંપત્તિ છલકાઈ જતી હોય તેમાંથી અન્યને આપવું, એમાં આપણે કશે ભોગ આપતા નથી. એ તે માત્ર આપણે આવિષ્કાર(expression આપણામાં રહેલા ઉત્તમ ગુણ વગેરેને બહાર પ્રકાશમાં આણવાં તે) છે, અથવા જેને “સધ્ધર ઠેકાણે નાણાં જમે મૂકેલાં ગણીએ તેવું છે; અને પરિણામે તેનું ઉત્તમ ફળ સર્વદા આપણને મળે જ છે. પરંતુ તમારા પિતાના શરીરને તથા વ્યવહારને ઉત્તમ પ્રકારની વ્યવસ્થામાં રાખવાને માટે જેની તમને અનિવાર્ય અગત્ય છે, તેવી વસ્તુઓ જયારે તમે અન્યને આપી દે છે ત્યારે તમે સ્વાત્મસુખને ભોગ આપે છે. પણ આવો ભગ કોઈએ પણ આપવો યોગ્ય નથી. તમારા પિતાના બળને ઓછું કરો, અને તમે તમારી ઉપયોગિતાને ઓછી કરે છે.
૨૩૬. જયારે સામાન્ય મનુષ્ય અંધકારવાળી દુખદ સ્થિતિમાં આવે છે, ત્યારે તે પિતાના માનસ દીપકની વાટને નીચે ઉતારી નાંખી અંધકારમાં અંધકાર