________________
વિચારરત્નરાશિ ]
૧૪૧
૨૪૬. સર્વોત્તમ પરિણામ પ્રકટાવવાને માટે જે કામ આપણે કરતા હોઈએ તે કામ આપણે અનન્યાસક્ત ચિત્તવ ( undivided attention) કરવું જોઈએ, અર્થાત્ બીજા કશામાં ધ્યાન ન જાય, એવી રીતે કરવું જોઈએ. પણ આપણા કામમાં આપણું આવું ધ્યાન એની મેળે લાગવું જોઈએ. બળથી આપણા ધ્યાનને આપણું કામમાં જોડવાને જે આપણે પ્રયત્ન કરીએ છીએ તો આપણે આપણું મનને ડહોળી નાખીએ છીએ, અને તેમ થતાં આપણે સર્વ પ્રકારની ભૂલ કરીએ છીએ. કઈ પણ વિષયમાં અથવા વસ્તુમાં સ્વાભાવિક રીતે સરળપણે અને ઉત્સાહપૂર્વક સંપૂર્ણ રીતે આપણું ધ્યાન આપણું મન લગાડે, એટલા માટે તે વિષયમાં અથવા વસ્તુમાં પ્રબળ રસને આપણે પ્રકટાવવો જોઈએ. કારણ કે કઈ વિષયમાં જ્યારે આપણે સંપૂર્ણ રસને ધરતા થઈએ છીએ ત્યારે અનન્યાત ચિત્તવડે ધ્યાન આપવાને પ્રયત્ન કર્યા વિના સ્વભાવથી જ આપણું ધ્યાન તે વિષયમાં સર્જાશે જોડાઈ જાય છે. અતઃ પ્રક્ટનાર ધ્યાન આવું હોય છે, અને આવું જ ધ્યાન એકાગ્રતાને પ્રકટાવે છે.
૨૪૭. કેટલાક મનુષ્યો એવું કહેતા સાંભળવામાં આવે છે કે અમારી મનને એકાગ્ર કરવાની શક્તિ ઉત્તમ પ્રકારની છે, પણ તેઓ જે કહે છે તેવો તેમનાં વચનનો અર્થ નથી, તેમણે એમ કહેવું જોઈએ કે જે કાંઈ કામ કરવાનું અમને પ્રાપ્ત થાય છે તેમાં સંપૂર્ણ રસપૂર્વક જોડાવાની અમારામાં શક્તિ છે; કારણ કે એકાગ્રતાની કૂંચી એ છે. કેઈ પણ વિષયમાં પ્રબળ રસ ચિત્તને તે વિષયમાં સર્જાશે જોડે છે; અને ચિત્ત જ્યારે આ પ્રકારે જોડાય છે, ત્યારે એકાગ્રતા પ્રકટે છે.
૨૪૮. જ્યારે મનની એકાગ્રતાવાળી સ્થિતિ હોય છે ત્યારે મનનાં સઘળાં સામ એક જ વિધ્ય અથવા વસ્તુ ઉપર એકાગ્ર થાય છે, અને તે સમયે હાથમાં લીધેલા એક જ કામઉપર મન પિતાનું સઘળું બળ વાપરે છે. હાથમાં લીધેલા ગમે તે કામને સિદ્ધ કરવા ઇચછનાર પુરુષનું, “હાલ મારે આ એક જ કામ કરવાનું છે. એ જ વર્તનસૂત્ર હોવું જોઈએ અને આ સૂત્રથી તે કદી જરા સરખો પણ ચસકતા નથી તે કોઈ પણ કામની સિદ્ધિ કરવામાં તે કદી પણ નિષ્ફળ જ નથી. પણ પૂર્વે કહ્યા પ્રમાણે સંકલ્પનું બળ વાપરીને કઈ પણ એક કામમાં મનનાં સામને જેવાં ન જોઈએ; રસથી પ્રકટેલા ધ્યાનવડે આ એકાગ્રતા ઉત્પન્ન થવી જોઈએ.