Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 148
________________ વિચારરત્નશિ] ૧૩૯ કરનારા હોય છે. આથી પ્રેમ શુભના બળને અને સૌંદર્યને વધારવાને બદલે અશુભના અગ્નિમાં કાને સીંચે છે. ચોમાસાના ચાર માસ વૃક્ષોને વરસાદની ઝડીમાં ઉઘાડા રહેવું પડવાથી વૃક્ષો ઉપર પ્રેમવાળી એક સ્ત્રીને જેમ અત્યંત પરિતાપ થયો હે તે માટે પરિતાપ કરાવનારે પ્રેમ ઘણું મનુષ્યમાં હોય છે. દણ માબાપ આવા ખોટા પ્રેમને વશ થઈને પિતાના બાળકનું પેટ ભરાયું છતાં તેને પાંચસાત ગ્રાસ વધારે ખવડાવે છે; જમી ઉઠ્યાને અર્ધા કલાક પણ વીત્યો ન હોય તો પણ બરફી કે લાડુ કે એ જ કઈ પદાર્થ બાળક માગતાં તે તેને આપે છે, અને બાળકને હાનિ કરનાર અનેક ક્રિયાઓ પ્રેમને વશ થઈ કરે છે. ચા હાનિને કરનાર છે, એવું દઢ રીતે જાણનાર એક પિતાને પિતાના પુત્રને પ્રેમથી ચા પાતાં અનેક વાર આ લેખકે જોયા છે; પુત્રે એક વાર કોઈ સ્થળે ચા પીવાથી તે તેને ગળી લાગવાથી વારંવાર તે સ્થળે તે ચા પીવા જત, અને ચાનાં નુકસાન જાણનાર પ્રેમવશ પિતા, પુત્રના સ્વચ્છંદાચરણને જાણતાં છતાં પણ તેને રોકવા પ્રવૃત્ત થતા નહિ, એટલું જ નહિ પણ પુત્રને ચા મળે એવાં સ્થળમાં અછાથી પણ તે તેને તેડી જ. પ્રેમી પિતાને પુત્રને પ્રસન્ન રાખવા વિના આમ કરવામાં બે જે કશે જ હેતુ ન હતું, પણ આ પ્રેમ પુત્રના સુખ સાધી આપનાર છે કે દુઃખને તે પ્રતિ પિતાનું અલક્ષ જ રહેતું. ૨૪૧. વ્યવહારમાં કે પરમાર્થમાં ઉન્નતિ પ્રાપ્ત કરવાને માટે એકાગ્રતા, એ એક સઉથી અગત્યનું સાધન છે; અને ઉભયમાં મનુષ્યની આગળ વૃદ્ધિ ન થવામાં, બીજા કોઈ કારણના કરતાં, એકાગ્રતાની ખામી એ જ એક પ્રબળ કારણ છે, એમ કહેવામાં કશે જ સંકેચ થતો નથી. આ સાથે વળી એમ પણ નિઃશંકપણે કહી શકાય એમ છે કે વ્યવહારમાં તથા પરમાર્થમાં મનુ જે કાંઈ સિદ્ધ કરી શકે છે, તેના કરતાં સેંકડે દશગણું અથવા ત્રણસેંગણું, જે તેઓ એકાગ્રતાને કેળવવા ઉપર ખાસ ધ્યાન આપે તે સિદ્ધ કરી શકે. ૨૪ર. એકાગ્રતાના સંબંધમાં વિવિધ લેખકોએ વિવિધ લખ્યા છે, પરંતુ તે સર્વથી વસ્તુતઃ શેડો જ લાભ થાય છેકારણ કે તે સર્વ લેખો મનને એકાગ્ર કરવાને બોધ કરે છે. પરંતુ જે કારણ એકાગ્રતાને ઉત્પન્ન કરે છે, તે કારણને કેવી રીતે પ્રકટાવવું, તે તેઓ શીખવતા નથી. મનની એકાગ્રતા અથવા એકાગ્રતાવાળી માનસિક સ્થિતિ એ એક કાર્ય છે, અને અનન્યાસક્ત (એક જ વસ્તુમાં પ્રેમપૂર્વક જોડાયલા) ચિત્તવડે તે ઉત્પન્ન થાય છે. આથી ચિત્તને અર્થાત ધ્યાનને (Attention) કેઈએક વસ્તુમાં સંપૂર્ણ પ્રકારે જોડી રાખવા માટે કઈ પણ કર્યા

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182