________________
વિચારરત્નરાશિ ]
૧૨૭
તે પ્રતિ જરા પણ કાન ન માંડવો જોઈએ. આપણા માતાપિતાપ્રતિ શુદ્ધ ભક્તિ જે આપણે રાખવી હોય તે પછી તેમના અવગુણ ગાનાર આપણી પ્રતિકૂળ સ્ત્રી અથવા સંબંધીનું એક પણ વચન આપણે આપણું કાનમાં ન પ્રવેશવા દેવું જોઈએ, આપણું ગુમાં ઈશ્વરબુદ્ધિ જે આપણે સ્થાપી હોય અને તેમાં જ આપણું હિત આપણે નિશ્ચય કર્યું હોય તે પછી તેમની નિંદાના એક પણ વચનને આપણે આપણું કાનમાં આવવા દેવું નહિ જોઈએ અસાવધાનતાથી જે આપણે આમ થવા દઈએ છીએ તે પરિણામે ઘોતનના પૂર્વોક્ત નિયમપ્રમાણે આપણને આપણા સાચા મિત્રમાં, આપણાં પૂજય માતાપિતામાં તથા આપણા ઇષ્ટ સદ્ગમાં દેષનું ભાન થાય છે, અને તેમ થતાં આપણું અહિત થવાને સંભવ આવે છે. આથી જ શાસ્ત્રમાં ગુની આપણે આગળ જો કોઈ નિંદા કરે તે તેને તાડન કરવાની, તથા તેવું સામર્થ્ય ન હોય તે ત્યાં એક ક્ષણ પણ ઉભા ન રહેવાની આજ્ઞા કરી છે.
૨૧૭. કેટલાક અજ્ઞાન મનુ બીજાનાં ગમે તેવાં દ્યોતને કેટલાં અનર્થ કરનારાં હોય છે, તે જાણ્યા વિના રાજી થતા થતા તેને સાંભળ્યા કરે છે. પરિણામે તે જ ઘોતને તેમના અંતઃકરણમાં ઊંડાં મૂળ નાંખે છે, અને તેમ છતાં જે વાત પ્રથમ તેઓ ખોટી માનતા હતા, તેને સાચી માને છે, અને આ પ્રમાણે પિતાને હાથે જ પિતાનું અહિત સાધે છે.
૨૧૮. ઘોતને ભેટે ઉપયોગ કરવાથી ઘણી વાર ભારે કલહનાં મૂળ રોપાય છે. પુત્રને માતા ઉપર સ્નેહ છતાં પણ, પિતાની પત્ની પ્રતિ તેનું પ્રેમયુક્ત વર્તન જોઈ માતા, વારંવાર પુત્રના આગળ તથા અન્ય સંબંધીઓ આગળ કહ્યા કરે છે કે છોકરાને અને વહુને મા વચમાં એક આડખીલી જેવી થઈ પડી છે. મારી સાથે પાઘડી પણ હસી ખુશીને વાત કરતું નથી, અને વહુને દેખી કે બત્રીસે કઠે દીવા થઈ જાય છે વગેરે.” આવાં આવાં અનેક અયોગ્ય ઘોતનથી પુત્રના અંતઃકરણમાં વિરોધને જાગ્રત કરી તેને નિરંતર પોષણ આપ્યા જ કરે છે. ઘતન સદુપયોગ કરતાં માતાને જે આવડતો હોય તે પુત્રને પિતાના પ્રતિ બાળપણમાં જેવો પ્રેમ હોય છે તે જ પ્રેમ તે અંતપર્યત રક્ષી શકે છે, એટલું જ નહિ પણ વિરોધ થવાના પ્રસંગે આવતાં છતાં પણ તે પ્રસંગને તે તત્કાળ સુખરૂપ કરી શકે છે.
૧૯. તમારા મિત્રનું, સ્ત્રીનું, પતિનું કે ગમે તે સંબંધીનું વર્તન તમને પ્રતિકુળ જણાય તો તે સંબંધમાં મૌનને જ સેવ, અથવા જે બોલવું જ