Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 141
________________ ૧૩૨ [ શ્રીવિશ્વવધવિચારરનાકર પિતાનું આખું જીવન દુઃખથી પૂર્ણ થઈ ગયેલું જ જણાવાનું. આથી અવ્યવસ્થાને ન જોતાં, નવી ઈમારત બાંધનાર જેમ તે બાંધવા ભણી જ દષ્ટિ રાખે છે, અને નિત્ય થેડી ડી બંધાતી જતી જોઈ પ્રસન્નતાને સેવે છે, તેમ પોતે આરંભેલા ઉચ્ચ ઉદેશને સિદ્ધ કરવા તરફ જ સકિકીએ દૃષ્ટિ રાખવી જોઈએ, અને તે ઉદ્દેશને નિત્ય ઘેડ ડે સિદ્ધ થતે જેઈ પ્રસન્નતાને સેવવી જોઈએ. પડેલી ઇમારતનાં રેડાં તથા માટીના ઢગલા ન જોતાં, નવી ઈટે, નવાં લાકડાં વગેરે સામાનને જે જોઈએ, અને નવી ઈમારત ચણવાનું કામ ધમધોકાર ચલાવવું જોઈએ. અલ્પ સમયમાં રેડાં તથા માટીના ઢગલા જતા રહી સુંદર ભવ્ય ભવન તૈયાર થયેલું દષ્ટિએ આવશે. ૨૨૬. જેઓ સક્રિચાર તથા સન્ક્રિયાને સેવવારૂપ નો માર્ગ ગ્રહણ કરે છે, તેઓને વિપત્તિ આવવી જ જોઈએ, એ કંઈ નિયમ નથી. પરંતુ મનુષ્ય જયારે ન માર્ગ ગ્રહણ કરે છે, ત્યારે સઘળું જ તેને નવું હોય છે, અને તેથી અનુભવરહિત મનુષ્યોથી થવી સંભવે, એવી તેનાથી ભૂલ થઈ જાય છે. સનમાર્ગમાં પ્રવેશતાં તત્કાળ તેમાં કુશળતા આવી જતી નથી. દીર્ધ કાળથી ડે માર્ગે વહેવાને પ્રબળ અભ્યાસ એકદમ છૂટ નથી, અને તેથી જીવનમાં અવ્યવસ્થા અથવા દુઃખનું ભાન થાય, એ સ્વાભાવિક છે. આમ છતાં સન્માર્ગમાં જે આપણે દૃઢ આગ્રહવાળા છીએ અને પરિણામે વિજયને પ્રાપ્ત કરવાના આપણા સામર્થ્યમાં અમર્યાદ શ્રદ્ધાને ધરીએ છીએ તે ક્રમે ક્રમે આપણું આખું જીવન વ્યવસ્થાવાળું અને સુખરૂપ થતું જાય છે. મુખ્ય આપણે જે સાવધાનતા રાખવાની છે તે એ છે કે વિપત્તિને આવેલી જોઈને ગભરાઈ જવું નહિ, અને સન્માર્ગને ત્યજવો નહિ. એકવાર સન્માર્ગને ગ્રહણ કર્યા પછી અને તેમાં પ્રતિક્ષણ આગળ વધવાને નિશ્ચય કર્યા પછી ગમે તેમ થાય તે પણ તે નિશ્ચયથી ચલિત ન થવું. આવી રીતે વર્તતાં અવ્યવસ્થા, દુઃખ અને વિઘો અળાઈ ગયા વિના રહેશે જ નહિ. જે ઉચ્ચ ઉદેશ સિદ્ધ કરવા ધાર્યો તેને નહિ ત્યજે, તે તે ઉદેશની સિદ્ધિથી પ્રાપ્ત થનારું ફળ પણ તમને નહિ ત્યજે. ઉચ્ચતાને પ્રાપ્ત કરવાને તમે ઊંચે ચઢવા માંડે, અને ઉચ્ચતા તમને ભેટવાને નીચે ઊતરવા માંડશે, અને તમારે ઉભયને જ્યારે સંયોગ થશે ત્યારે વિપત્તિઉપર તમને સામ્રાજ્ય પ્રાપ્ત થશે. તે સમયે પ્રારબ્ધરૂપી પવનથી ગમે તે દિશામાં ઉડાડવામાં આવતા સૂકા પાંદડા જેવા તમે નહિ રહે, પરંતુ પ્રારબ્ધના પણ પતિ થઈ તમારી ઈચ્છાનુસાર તમે તેને પ્રેરશે.

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182