Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 140
________________ વિચારરત્નરાશિ ] ૧૩૧ પડી જાય છે. આમ હાવાથી જો આપણે આપણા મનને ઉચ્ચ ગુણવાળુ અને મહાન કરવુ હોય તે આપણામાં ઉચ્ચ ગુણા અને મહત્તા છે, એવું આપણે અખંડ અંતરમાં ઊંડું ભાન કરવું જોઇએ. અને આ ઉચ્ચ ગુણ અને મહત્તા આપણામાં વસ્તુતઃ નથી, એમ કઈ નથી. આપણામાં તે છે જ. આપણામાં વસ્તુતઃ નથી, તે આપણામાં છે, એવી કઈ આપણે ખોટી કલ્પના કરવાની નથી. શું આપણામાં આત્મા નથી ? અને આત્માથી વધારે ઉત્કૃષ્ટ અને વધારે મહાન આ જગમાં બીજું શું છે? આત્મા જ સ` ઉચ્ચ ગુણાના અને મહત્તાના મહાસાગર છે. જે કાંઈ ઉત્કૃષ્ટ છે, જે કંઈ અસાધારણ છે, અને જે કઈ ચમત્કારિક છે, તે સર્વ આત્મામાં છે, અને આત્મા આપણામાં હોવાથી અથવા આપણે જ આત્મા હૈાવાથી જે કાંઈ ઉત્કૃષ્ટ, અસાધારણ, અને ચમત્કારિક છે, તે સર્વ આપણામાં છે. આથી આપણામાં ઉત્કૃષ્ટતાનું, મહત્તાનું અથવા અસામાન્યતાનું ભાન કરવુ, એમાં અસત્ય જેવુ' અથવા ખોટી કલ્પના કરવા જેવું કંઈ જ નથી. એમાં મિથ્યા અભિમાન ધરવા જેવું કે ખોટો દંભ કરવા જેવું કંઈ જ નથી. આયી જ સત્થાઓ જીવને પોતાનામાં બ્રહ્મત્વનું ભાન કરવાના નિરંતર ઉપદેશ આપે છે; અને જ્યારે મનુષ્ય પોતાના અંતરમાં પોતાની ઉચ્ચતાનું અને મહત્તાનુ ભાન કરે છે, ત્યારે તે પોતાના બ્રહ્મત્વનું જ અલ્પ અંશમાં ભાન કરતો હાવાથી તેનુ તે વર્તન કેવળ સશાસ્ત્રાનુસાર જ છે. આમ હોવાથી જે પોતાનમાં પોતાની નિકૃષ્ટતા અથવા અધમતાને જોયા કરે છે, તેઓ પોતાના પ્રતિ પોતાના કર્તવ્યધમનું લેશ પણ પાલન કરતા નથી, પરંતુ જેઓ પોતાનામાં પોતાની ઉત્કૃષ્ટતાને જુએ છે, તે જ પોતાના પ્રતિ પોતાના કવ્યધમ'નું સર્વાંશે પાલન કરે છે. مع ૨૨૫. આ પ્રકારે પોતાના કર્તવ્યનું પાલન કરનારને અર્થાત્ સન્માર્ગ ચાલનારને આરંભમાં ઘણી વાર કષ્ટ પડતું જોવામાં આવે છે, તેનું શું કારણ ? આમ પ્રસંગાપાત્ત બનતું જોવામાં આવે છે, એ ખરું છે પણ તેનુ કારણ સ્પષ્ટ છે. જ્યારે મનુષ્ય જૂનું ધર તોડીને નવું બાંધવા માંડે છે ત્યારે ઠેકાણે ઠેકાણે માટી, ઈંટા, તથા લાકડાના ઢગલા જ જોવામાં આવે છે. સવ સ્થળે પારવિનાની અવ્યવસ્થા હોય છે ઠરીને દામ ખેસવાની એક તસુ જગા પણ હોતી નથી. અવિચારની જૂની ઇમારત તોડીને સદ્િચારની નવી ઇમારત બાંધનારને પણ આવેા જ અનુભવ થાય છે. આ અનુભવથી સદ્ભિવેકીએ ગભરાવાનુ નથી, અને તે અવ્યવસ્થાને જ જોજો કરવાનું નથી. આ અવ્યવસ્થા ભણી દૃષ્ટિ રાખનારને

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182