________________
૧૨૪
[ શ્રી વિશ્વવંધવિચારરત્નાકર
અપૂર્વ શ્રદ્ધાને ધરે, અને કોઈ દિવસ પણ નહિ દર્શાવ્યું હોય એવું તનનું તથા મનનું બળ દર્શા. આ પ્રસંગે ઢગલા જેવા થઈ જવું, અર્થાત મનની દુર્બળ સ્થિતિ કરવી, એ અત્યંત હાનિને કરનાર છે. એમ કરવાથી આપણે આપણે હાથે જ વિપત્તિના મુખમાં જઈને પડીએ છીએ. જેઓ આ પ્રસંગે નાહિંમત થઈ જાય છે, અને વિપત્તિના ભયથી ઢગલા જેવા થઈ જાય છે, તેઓ પિતાના મનની અત્યંત દુર્બળ સ્થિત કરી નાંખે છે; અને આ દુર્બલ સ્થિતિ તેમને અલ્પ સમયમાં વિપત્તિના હાથમાં રમવાના દડા જેવા કરી મૂકે છે. એથી ઊલટું આવા પ્રસંગમાં જે મનની દઢ નિશ્ચયવાળી બળવાન સ્થિતિ આગ્રહથી રાખી રહેવામાં આવે છે તો તે વિપત્તિને સમીપ આવતી અવશ્ય અટકાવે છે, અને વિપત્તિ આવતી અટકે છે તથા સંપત્તિ મળે છે, એટલું જ નહિ પણ સંપત્તિની સાથે આપણું મનનું બળ પણ ઘણું જ વધેલું આપણને જણાય છે.
૨૦૮. શબ્દથી અથવા હાવભાવથી સામા માણસના અંતઃકરણમાં જે અર્થ આપણે દઢપણે ઠસાવીએ છીએ તેનું નામ ઘોતન છે. ઘોતનનો યોગ્ય ઉપયોગ કરતાં આવડવો એ એક મોટી કળા છે; અને નિયમિત રીતે વિધિપૂર્વક જે આ કળાને ઉપયોગ કરવામાં આવે છે તે તેથી અત્યંત સંતોષકારક પરિણામ પ્રકટ છે. ગયેલું આરોગ્ય પાછું મેળવવામાં, મનને વિકાસ કરવામાં તથા સદાચરણી થવામાં ઘોતને અત્યંત ઉપયોગી થઈ પડે છે, એટલું જ નહિ પરંતુ પ્રેમનું તથા મિત્રતાનું સંરક્ષણ કરવામાં તથા તેમને પ્રાપ્ત કરવામાં પણ તે તેવું જ ઉપયોગી હોય છે. એક પક્ષથી દ્યોતનનો સદુપયોગ જેમ આશ્ચર્યકારક લાભને પ્રણાવે છે, તેમ અન્ય પક્ષે તેને દુરુપયોગ નહિ ધારેલી હાનિને ઉપજાવે છે. ઘણી સ્ત્રીઓ પિતાના પતિને નિત્ય કહે છે, “તમને તે મારું મોટું જ હવે ગમતું નથી. પહેલાં તે તમે મારી સાથે હસતા, બોલતા, તથા બે ઘડી નિરાંતે વાત કરતા, પણ હમણાં બે મહિનાથી હું જોઉં છું કે તમારે મારા ઉપરથી પ્રેમ દિવસે દિવસે ઓછો થતો જાય છે.”
૨૦૯ આ પ્રકારનાં સ્ત્રીનાં પિતાના પતિપ્રતિનાં વચને, એ પ્રતિકૂળ વતન છે. જ્યારે કઈ સ્ત્રી પિતાના પતિને આવા ભાવનાં વચને કહે છે, ત્યારે તે તેના અંતઃકરણમાં તેને પ્રેમ ઓછો કરનાર વિચારનાં આંદેલનેને પ્રકટાવે છે. પતિના મનમાં પૂર્વે કંઈ જ હોતું નથી. કેઈ કામમાં ગૂંથાયાથી તેને પિતાની પત્ની સાથે હાસ્યવિદ કરવાને સમય મળે તે નથી. તેને પ્રેમ