________________
૧૧૪
[શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
તમારા વિચારનાં સજાતીય તર આવીને રહે છે. વિચાર એ લેહચુંબકજેવો એક આકર્ષક પદાર્થ છે. તે પિતાના જેવા જ વિચારોને પોતાના પ્રતિ આકર્ષે છે, અને તે વડે બળ અને વૃદ્ધિને પામે છે. પ્રેમના વિચાર કરે, અને પ્રેમના મહાસમુદ્રનાં મોજાં તમારા તરફ વહેતાં ચાલ્યાં આવશે. જો તમે સુખી થવા ઈચ્છતા હો તે પ્રેમ વિરુદ્ધ એક પણ વિચારને કદી ન સે, કારણ કે દ્વેષ મનુષ્યને બંધનમાં રાખે છે, અને એક પ્રેમ જ તેને મુક્ત કરે છે.
૧૮. સધળે સમય પિતાને જ પૂર્ણ કરવામાં મનુષ્ય સર્વ સમય ગાળવાની સર્વથી પ્રથમ અગત્ય શાથી છે, તેનું કારણ આ છેઃ જાગતાં, ઊંધતાં, બેસતાં, ઊઠતાં, ખાતાં, પીતાં, એમ સર્વ સમય આ દેહમાં, તેમ જ હવે પછી અનંત કાળ સુધી મનુષ્યને સઘળે સમય પોતાની સાથે જ રહેવાનું છે. એવી એક પણ ક્ષણ નથી કે જેમાં તેને પિતાનાથી સહજ પણ દૂર રહેવાનો સમય આવે. આમ હવાથી બીજાઓને રાજી કરવાને માટે, અથવા આળસ અને પ્રમાદથી, મનુષ્ય પિતાની અને પિતાને રહેવાનું સ્થાન જે આ દેહ તેની અંતર્બાહ્ય ઉપેક્ષા કરવી, એ આત્મઘાત કરવા તુલ્ય છે; પિતાના પગ ઉપર પિતાને હાથે જ કુહાડે મારવા બરાબર છે.
૧૮૧. મલિન આત્મા સાથે રહેવું, એ નરકમાં રહેવા તુલ્ય છે. કામ, ક્રોધ, લેભ, ઠેષ વગેરે વિવિધ દેવાળા આત્મા સાથે નિવાસ કરે, એમાં અને નરકમાં નિવાસ કરવામાં કશે ફેર નથી. પિતાને પૂર્ણ અને શુદ્ધ કરવાથી આપણે આપણને નરકમાંથી સ્વર્ગમાં લઈ જઈએ છીએ; અને આ પ્રમાણે આપણને નરકમાંથી સ્વર્ગમાં લેઈ જનાર આ જગતમાં આપણા વિના બીજું કઈ જ નથી.
૧૮૨. જેમ મનુષ્ય વધારે બુદ્ધિમાન હોય છે, તેમ તેને સત્યપ્રતિ વધારે પૂજ્યભાવ હોય છે, તે જ પ્રમાણે જેમ મનુષ્ય વધારે અજ્ઞાન તેમ તેને બ્રમ અને ભ્રાંતિપ્રતિ વધારે પૂજ્યભાવ હોય છે.
૧૮૩. મનુષ્યને પિતાના આત્માજેવું અત્યંત મૂલ્યવાન જગતમાં બીજું કઈ જ નથી. આથી તેણે આત્માપ્રતિ પૂજ્યભાવ રાખવો જોઈએ. તેની અવનતિ અથવા દુર્દશા થાય, એવી એક પણ કૃતિ તેણે ન કરવી જોઈએ. જે જે જ્ઞાનથી પિતાને લાભ થશે એવું ભાસે છે તે જ્ઞાનને તેણે તત્કાલ આચારમાં