________________
વિચારરત્ના]િ પૂર્ણ કલાથી પ્રવર્તી રહ્યો છે. જે જે ઊંચા ગુણો આપણામાં જણાતા ન હોય તે તે ગુણો આપણામાં છે, એવું આરંભમાં દઢપણે માનવું, એ તે તે ગુણેને આપણામાં પ્રકટ અનુભવવાનું પ્રથમ પગથિયું છે. તેથી તમારામાં વિશુદ્ધ પ્રેમનું તમને ભાન ન થતું હોય તે પણ માની લે-બળાત્કારથી માની લે-કે તમારામાં તે છે. પછી પુનઃ પુનઃ જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે મારામાં વિશુદ્ધ પ્રેમ છે,’ ‘હું પ્રેમસ્વરૂપ છું, એવી ભાવના કર્યા કરે. દિવસમાં સો વાર કે હજાર વાર ધાર્યા કરે કે “હું વિશુદ્ધ પ્રેમસ્વરૂપ છું.” જે જે મનુષ્ય તમને મળે, જેના જેના સંબંધમાં તમે આ, તે તે મનુષ્ય પ્રત્યે મનથી બોલતા જાઓ કે “હું તમને પૂર્ણ પ્રેમથી ચાહું છું,' “તમે મને અત્યંત પ્રિય છે.” જે જે પદાર્થોને તમારે સંબંધ થાય તે તે પદાર્થોને મનથી કહે કે “હું તમને અત્યંત પ્રીતિના વિષય ગણું છું. જે જે ક્રિયા તમારે કરવાની આવે તે તે પ્રત્યેક ક્રિયા વખતે મનમાં એવા ભાવને જાગ્રત રાખો કે “આ ક્રિયા મારી અત્યંત પ્રીતિને વિષય છે. જ્યાં જ્યાં દૃષ્ટિ પડે, જે જે શ્રવણે પડે, જેને જેને સંબંધ થાય તે સર્વને મનથી કહ્યા કરે કે “તમે મને અત્યંત પ્રિય છે. પુનઃ પુનઃ બોલે, સો વાર બોલે, હજાર વાર બોલે, લાખ વાર બોલે. તમને તે પ્રાણીપદાર્થ કે ક્રિયા ખરી રીતે અંતરથી અપ્રિય જણાતાં હોય, તમને તેમને અણગમો હોય કે તિરસ્કાર હોય કે દ્વેષ હોય, તેની ચિંતા નહિ. તમારે અંતરને ભાવ ગમે તેવો હોય, તે ભાવને જોવાની જરૂર નથી. માત્ર આ નવા ભાવને જ મનોમય વાણીથી બોલ્યા કરે. આ નવા ભાવનું કલ્પનામાં સ્વરૂ૫ રચે. તેમના ઉપર તમે ખરે જ પ્રેમ રાખે છે, એવું ડોળ કરે. મનથી તે જ પ્રમાણે માને. તમારા જૂના ભાવનું વિસ્મરણ કરી આ નવા ભાવને જ ઉત્સાહથી સે. તમારાથી બને તે પ્રમાણે આ નવા ભાવ માટે ગાંડા ઘેલા થઈ જાઓ. આમ ને આમ ર્યા જ કરે. અભ્યાસ છોડે નહિ. ત્યાંસુધી કર્યા કરે કે જ્યાં સુધી તમે ખરા પ્રેમના અંકુરને તમારા હૃદયમાં ફૂટી નીકળતા અનુભવો. સમય જતાં, જે અપ્રકટ હતું, તે પ્રકટ થયેલું તમને જણાશે. તમારામાં પ્રેમ પ્રકટ થયેલો તમે જોશે. અને એમ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. એમ થવું જ જોઈએ. કારણ તમે પોતે વિશુદ્ધ પ્રેમસ્વરૂપ છે; અને આખું વિશ્વ તમારું સ્વરૂપ છે, તેથી આખા વિશ્વઉપર તમને પ્રેમ પ્રકટે છે. જડ અને અજડ સર્વપ્રતિ તમને વિશુદ્ધ પ્રેમભાવના પ્રકટે છે.
૯૧. તમારા ઘરમાં એક ખૂણામાં પંદર હાથ ઊંડે મહોરના ભરેલા