________________
૮૨
[ શ્રીવિAવવંદ્યવિચારરત્નાકર
અન્ય સ્થળમાં ન હોવું, એ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ નથી; પણ તે કામનું, રાગનું, પ્રીતિનું એ આદિ વિકારનું સ્વરૂપ છે. વિશુદ્ધ પ્રેમ નિર્વિકાર છે. કામ, રાગ, પ્રીતિ એ આદિ વિકારે વધે છે, તથા ઘટે છે. વિશુદ્ધ પ્રેમમાં વધવાઘટવાપણું છે જ નહિ. તે એકરૂપ, એકરસ અમર્યાદપણે વિકસે છે.
૮૯. “વિશુદ્ધ પ્રેમની મેટી મોટી વાત સાંભળી, પણ તે હૃદયમાં પ્રકટાવ શી રીતે? તેને પ્રકટાવવાની કોઈ ઉપાય છે?” હા છે. ઉપાય હેવાથી જ આ લખવાને ઉપક્રમ કર્યો છે. પણ ઉપાયનું માહાભ્ય તેને આચારમાં મૂકવાથી જણાય છે. આહારને જેવાથી પુષ્ટિ મળતી નથી, પણ ખાવાથી મળે છે, તેમ ઉપાયને વાંચવાથી કે વખાણવાથી કશું વળે તેમ નથી પણ તેને આચારમાં મૂકવાથી જ લાભ છે. ઘણુ મનુષ્યો ઉપાય પૂછવામાં શરા હોય છે, પણ ઉપાય કહેતાં, આચારમાં મૂકવાની તેમણે બાધા લીધી હોય છે. કેટલાકને તે આચારમાં મૂકીને ઉપાયની સત્યતાને અનુભવ કરી જોયા વિના, “એમાં શું ? એમાં શે માલ છે? એથી શું વળે એમ છે?” એવું ઠોક્યા કરવાની ટેવ પડી ગઈ હોય છે. તેવા મનુષ્યોએ હવેનાં એકબે પૃષ્ઠ વાંચવા પરિશ્રમ ન લે. બુદ્ધિમાન વિવેકી મનુષ્ય જાણે છે કે સુખપ્રાપ્તિના ઉપાયે સર્વદા સરળ જ હેય છે. કાર્યને ઉત્પન્ન કરનાર કારણ સર્વદા સાદું હોય છે, પણ તેનાથી ઉત્પન્ન થતાં કાર્યો ચમત્કારિક અને અત્યંત સંદર્યવાળાં હોય છે. પૃથ્વી એ કે સાદો પદાર્થ છે! પણ તેમાંથી કરેડ જાતનાં કેવાં ચમત્કારિક અને મનોહર પુષ્પો થાય છે ! પુષ્પ પૃથ્વીમાં ઊગે છે, એવું કઈ ન જાણતું હોય, અને તેને વિવિધ મનહર રંગવાળું એક સુંદર પુષ્પ આપ્યું હોય અને તેને કહ્યું હોય કે આ માટીમાંથી આ ઉત્પન્ન થયું છે તે વાત માનતાં તેને કેટલો સંકોચ થાય? એમ છતાં સર્વને સુવિદિત છે કે જેમાં સુવાસ તથા સુંદર વર્ણ અપ્રકટ છે, એવી પૃથ્વીમાંથી પુષ્પ વગેરે ઉત્પન્ન થાય છે. અર્થાત્ સાદાં જણાતાં સાધન બુદ્ધિમાને અશ્રદ્ધા કરવા યોગ્ય નથી.
૯૦. તમારે વિશુદ્ધ પ્રેમ હૃદયમાં પ્રકટાવવા માટે આરંભમાં વિશુદ્ધ પ્રેમ તમારા હૃદયમાં છે જ, એમ દઢપણે માનવું જોઈએ. જે વસ્તુ જ્યાં નથી હોતી તે વસ્તુ ત્યાં કદી પ્રકટતી નથી. કેન્દ્રમાં અગ્નિ છે, માટે જ તે ત્યાં મંથનરૂપ ઉપાયવડે પ્રકટ થાય છે. કાષ્ઠમાં સેનું નથી, માટે ગમે તે ઉપાય કરીએ તે પણ તે તેમાં પ્રકટ થતું નથી. આપણામાં વિશુદ્ધ પ્રેમ છે, માટે જ તેનું આપણને ભાન થવું સંભવે છે. તેથી દઢપણે માને કે તમારામાં વિશુદ્ધ પ્રેમ