________________
વિચારરત્નરાશિ ]
કોઈ વિચાર પ્રવર્તાવીએ છીએ ત્યારે આપણા તરફ આકર્ષાઈ આવે છે. જે સમયે આપણે શુદ્ધ વિચારને સેવતા હોઈએ છીએ તે સમયે આપણા વિચારના બલના પ્રમાણમાં, વાતાવરણમાં રહેલા શુદ્ધ વિચારે આપણું પ્રતિ આકર્ષાઈ આવે છે. જે સમયે આપણે અશુદ્ધ વિચાર કરતા હોઈએ છીએ તે સમયે તે અશુદ્ધ વિચારને બલના પ્રમાણમાં વાતાવરણમાં રહેલા અશુદ્ધ વિચારે આપણા પ્રતિ આકર્ષાઈઆવે છે. વિચાર કરવાની શક્તિના પ્રમાણમાં જ મનુષ્ય પિતાના તરફ વાતાવરણમાંથી વિચારોને આકર્ષે છે. જેમ નાનાં ફેફસાંવાળું બાળક પિતાનાં ફેફસાંના પ્રમાણમાં વાતાવરણમાંથી થડા વાયુને શ્વાસમાં ગ્રહણ કરી શકે છે, અને મોટાં ફેફસાંવાળો મેટો માણસ પિતાનાં મોટાં ફેફસાંના પ્રમાણમાં વધારે વાયુને પોતાના શ્વાસમાં ગ્રહણ કરી શકે છે, તેમ ન્યૂન વેગવાળા વિચારને કરી શકનાર મનુષ્ય, વાતાવરણમાંથી ન્યૂન બળવાળાં વિચારનાં આંદોલનને પિતાના તરફ આકર્ષી શકે છે, અને પ્રબળ વેગવાળા વિચારને કરી શકનાર મનુષ્ય, ઉગ્ર બળવાળાં વિચારનાં આંદોલનને પિતાના તરફ આકર્ષી શકે છે.
૫૪. જે પ્રકારના વિચાર મનુષ્ય સેવે છે, તેવા જ વિચાર તે પોતાના તરફ આકર્ષે છે. દુષ્ટ સ્વભાવવાળે તામસી મનુષ્ય ક્રોધના, ઈર્ષાના, અસૂયાના, અને એવા જ બીજા દુષ્ટ વિચારેને પિતાના પ્રતિ આકર્ષે છે. સુશીલ સ્વભાવને સાત્ત્વિક મનુષ્ય ક્ષમાના, નિર બુદ્ધિના, આત્મભાવનાના, પ્રસન્નતાના અને એવા જ બીજા સાત્વિક વિચારેને પિતાના પ્રતિ આકર્ષે છે.
૫૫. પ્રત્યેક મનુષ્યમાં વિચારધારા આ પ્રમાણે આકર્ષવાની શક્તિ રહેલી હોવાથી પ્રત્યેક મનુષ્યના અંતઃકરણમાં શ્રીકૃષ્ણ વસી રહેલા છે, એ સિદ્ધ થાય છે. શ્રીકૃષ્ણ શબ્દમાં કૃષ ધાતુને અર્થ આકર્ષણ કરવું, એવો થાય છે. અને આ આકર્ષક ધર્મ પ્રત્યેક પ્રાણી પદાર્થમાં રહેલું હોવાથી પ્રત્યેક પ્રાણીપદાર્થમાં અંતર્યામી શ્રીકૃષ્ણ પરમાત્મા નિવસે છે, એ શાસ્ત્રપ્રતિપાદિત સિદ્ધાંત કેવળ સત્ય છે. શ્રીકૃષ્ણ પોતે પણ કહ્યું છે કે, સર્વ જંતુઓના હૃદય દેશમાં, હે અર્જુન! હું સ્થિત છું. શ્રુતિ પણ ઘ જેવઃ સર્વભૂતેષુ પૂઢ એક દેવ સર્વ ભૂતમાં નિગૂઢ છે, એ વચનથી એ જ વદે છે.
૫૬. જે વિચારશક્તિને મનુ હાલતાચાલતાં દુરુપયોગ કરે છે, તે આવી અભુત વસ્તુ છે. તુચ્છ દ્રવ્યને મનુષ્યો પેટીપટારામાં કે ભયરામાં બહુ સંભાળથી સાચવી મૂકે છે. તેમાંથી એક પાઈ ખરચવાને પ્રસંગ આવે છે ત્યારે તેમને જીવ કપાઈ જાય છે અથવા ખરચે છે તે અનેક વિચાર કરીને ખરચે છે.