________________
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
સુખના નિધાન પિતાના બ્રહ્મત્વને અનુભવી શકતા નથી. બ્રહ્મત્વને અનુભવવાને એક જ માર્ગ છે, અને તે એ કે પિતાના બ્રહ્મત્વને વિચાર વૃત્તિમાં અખંડ જાગ્રત રાખવો.
૬૬. બ્રહ્મ જેમ એક છે, તેમ બ્રહ્મત્વને વિચાર પણ એક છે. જેમ અગ્નિમાંથી તણખા ઉડ્યા કરે છે તેમ જે અંતઃકરણમાંથી એક પછી એક વિચારના તણખા નીકળ્યા કરે છે, તે યથાર્થ બ્રહ્મવિચાર નથી. બ્રહ્મ શાંત,
અક્રિય, અને નિસ્પદ કલાવાળું છે, તેમ બ્રહ્મવિચાર પણ શાંત, અક્રિય અને નિસ્પદ કલાવાળો છે. વિચારના પ્રવાહ અંતઃકરણમાં ચાલ્યા કરવા એ બ્રહ્મવિચારની પ્રવુતિ છે, અર્થાત યથાર્થ બ્રહ્મવિચારથી વેગળું જવું છે. યથાર્થ બ્રહ્મવિચારમાં વિચારને વેગ વિરમી જાય છે. વાયુવિનાના સ્થાનમાં જેમ દીપકની જતિ નિષ્કપ ઝગઝગ્યા કરે છે તેમ યથાર્થ બ્રહ્મવિચારમાં, વિચાર પ્રવાહરૂપે વહેતું નથી પણ બ્રહ્મમાં સુસ્થિર હોય છે
૬૭. બ્રહ્મવિદ્યાના અથવા વેદાંતશાસ્ત્રના 2 ની આવૃત્તિઓ ક્ય કરવી, એને ઘણુ મનુષ્ય બ્રહ્મવિચાર માને છે. ગીતાનાં, ઉપનિષદ્ધાં કે યોગવાસિષનાં પાનાં હાથમાં લઈ તેને એકાંતમાં કે સમુદાયમાં વાંચતાં કે શ્રવણ કરતાં બેસવું, અને તેમાં આવેલી પ્રક્રિયાઓને વિચારતા રહેવું, એને બ્રહ્મવિચાર માની અનેક મનુષ્ય નિત્ય શાસ્ત્રના અધ્યયનમાં કે શાસ્ત્રના શ્રવણમાં યોજાયેલા રહે છે. પણ શુદ્ધ બ્રહ્મવિચાર આ નથી. યથાર્થ બ્રહ્મવિચારનું શાસ્ત્રશ્રવણ સાધન છે. બ્રહ્મવિચારરૂપ મહાલયમાં પ્રવેશ કરાવનાર તે એક નિસરણી છે. પરંતુ જેમ સાધન, એ સિદ્ધ કરવાની વસ્તુ નથી, અને નિસરણી એ નિવાસ કરવાને મહાલય નથી, તેમ શાસ્ત્રનું અધ્યયન કે શાસ્ત્રનું શ્રવણ એ બ્રહ્મત્વને સાક્ષાત અનુભવ કરાવનાર બ્રહ્મવિચાર નથી. શાસ્ત્રશ્રવણ કે શાસ્ત્રાધ્યયન એ બ્રહ્મને અનુભવ કરાવનાર પરંપરા સાધન છે–પ્રથમ પગથિયું છે. પણ આ પ્રથમ પગથિયામાં જ અનેક મનુ આયુષને વિતાવે છે. તેઓ આગળ વધતા નથી. શુદ્ધ બ્રહ્મવિચારમાં પ્રવેશતા નથી. ગીતાની, આત્મપુરાણની કે ગવાસિષ્ઠની પંદર પંદર આવૃત્તિઓ કરવા છતાં, અને વિવિધ ઉપનિદેને સ્વામીએ કે અતીતે પાસે એક વાર શ્રવણ કર્યા છતાં, ધૂળઉપર જેમ લીંપણ ચુંટતું નથી, અને કાળી કામળી ઉપર બીજે રંગ લાગતું નથી તેમ તેમના અંતઃકરણમાંથી જીવના ધર્મો અળપાઈ જતા નથી અને બ્રહ્મત્વનાં લક્ષણોને તેમને સ્પષ્ટ અનુભવ થતો નથી. ‘હું બ્રહ્મ છું,’ ‘શિવસ્વરૂપ છું, “હું આનંદ