________________
[ શ્રીવિશ્વવધવિચારરત્નાકર રાખમાં છુપાઈ રહેલા અગ્નિને તિરસ્કાર ન કરે. એક જ વસ્તુની આ ચઢતીઉતરતી કળા છે. એક જ પરમતત્વને આ ચઢઊતરતે વિવર્ત છે. વિવર્તને બાધ કરી પરમતત્ત્વ જુઓ, અને સર્વાત્મભાવના કરી યથાર્થ તત્વદશ થાઓ.
૪૨. તમે આજે પૂર્ણ છે. ભવિષ્યમાં તમે ગમે તેવી ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત થવાના હો, ઈદ્ર થવાના હે, બ્રહ્મા થવાના છે, વિષ્ણુ થવાના છે, દ્ર થવાના હો કે સાક્ષાત મહેશ્વર થવાના હે-પણ તે સ્થિતિમાં આજે તમે છો જ. વસ્તુતઃ જેવા તમે હો નહિ, તેવા થવાને તમને ત્રિકાલ સંભવ નથી. જે તમે છે, તેવા જ તમને થવાનો સંભવ છે. આજે તમે પૂર્ણ છે, જે તમારામાં સર્વ પ્રકારનાં સામર્થ્ય રહેલાં છે, આજે તમે સર્વ શક્તિમાન અને સર્વજ્ઞ ઈશ્વર રવરૂપ છે, તેથી જ ભવિષ્યમાં તે તે સર્વ સામર્થ્ય તમારામાં પ્રકટ થયેલાં અનુભવવાનો તમને પૂર્ણ સંભવ છે. અસતમાંથી સત પદાર્થ ઉત્પન્ન થવો સંભવતો નથી, અને સતમાંથી અસત પદાર્થ પ્રકટતું નથી. તમે પૂર્ણ ન હો તો તમને પિતાને પૂર્ણ અનુભવવાનો પ્રસંગ આવવાને સંભવ જ નથી. તમે વસ્તુતઃ અપૂર્ણ હો તે એવું કોઈ પણું સામર્થ્ય નથી કે જે તમને પૂર્ણ કરી શકે. પાંચ અને ચારને સરવાળે નવ જ થાય. પાંચ અને ચારને સરવાળે દશ કરે, એવી કઈ સત્તા વિશ્વમાં છે જ નહિ. વસ્તુતઃ અપૂર્ણ વસ્તુ પૂર્ણ થઈ શકતી જ નથી. પૂર્ણ જ પિતાની પૂર્ણતાને અનુભવ કરે છે. તમે પૂર્ણ છે, આ ક્ષણે છે, પૂર્વે હતા, અને હવે પછી પણ છે, માટે જ તમે પિતાના પૂર્ણપણને અનુભવી શકવા યોગ્ય છે. આજ તમે તમારામાં જેટલા સામર્થ્યની, જેટલા જ્ઞાનની, જેટલા ઐશ્વર્યની પ્રતીતિ કરે છે, તે સર્વ પૂર્વે તમારામાં હતું અને હવે પછી પણ જેટલા જેટલા સામર્થ્યજ્ઞાનાદિની તમારામાં પ્રતીતિ કરશે, તે પણ પૂર્વે હતું અને આજે પણ છે. તમે સર્વદા પૂર્ણ છે.
૪૩. ત્યારે શું આપણું જ્ઞાનમાં, આપણું બળમાં, આપણું અનુભવમાં પ્રતિદિન આપણે વૃદ્ધિ થતી જઈએ છીએ, એ ખોટું છે? બે વર્ષનું આપણું વય હતું ત્યારે આપણે જેટલું જાણતા હતા તેના કરતાં પચીસ વર્ષની વયે વધારે જાણતા થયા હતા, અને પચીસ વર્ષની વયે જેટલું જાણતા હતા, તેનાં કરતાં આજે ૪૦ વર્ષના વયે વધારે જાણીએ છીએ, એ શું ખોટું છે? જે વૃદ્ધિ ન થતી હોય તે આ પ્રકારનો અનુભવ શી રીતે સંભવે? આ પ્રકારની શંકા તમને ઉદય થાય છે. નીચેના દષ્ટાંતથી તેનું સમાધાન તમને સહજ થશે.