________________
વિચારરત્નરાશિ ]
પપ
જોયું કે જેને તેઓ તિરસ્કાર અથવા તૂષ કરે છે? જેઓ બીજામાં પણ પિતાનું ચૈતન્યસ્વરૂપ વ્યાપી રહેલું જોઈ શક્તા નથી, તેઓને પિતાના ચૈતન્યસ્વરૂપને જેવાને અધિકાર નથી. પોતાના ચેતન્યસ્વરૂપને જેવા પ્રયત્ન કરી, તેના ઉપર નિરતિશય ભક્તિ અથવા પ્રેમ કરવાનો પ્રયત્ન કરી, જેઓ અન્યના ચૈતન્યસ્વરૂપને તિરસ્કાર અથવા ૫ કરે છે, તેઓ પિતાના ડાબા હાથને જમણા હાથથી કાપે છે, તેઓ પિતાને જ ચૈતન્યસ્વરૂપનું હનન કરે છે. તેઓ પોતાના ચેતન્યસ્વરૂપ ઉપર પ્રેમ કરવાનો પ્રયત્ન કરી અને અન્યના ચૈતન્યને દેષ કરવાને પ્રયત્ન કરી તન્યના અનધિ સ્વરૂપને પરિચિછન્ન કરે છે. તેઓ અમર્યાદને મર્યાદાવાળું કરે છે. અને આ મર્યાદાવાળા ચૈતન્યનું, આ હણાયેલા ચૈતન્યનું જ્ઞાન, અમર્યાદ બ્રહ્મસ્વરૂપના જ્ઞાનનું નિઃસીમ સુખ તેમને આપી શકતું નથી.
૩૫. ચેતન્ય એક સ્થળે ઓછું, અને એક સ્થળે વધારે, એમ છે જ નહિ. રાજામાં કે રંકમાં, સાધુમાં કે પાપીમાં, બાળકમાં કે વૃદ્ધમાં, સ્ત્રીમાં કે પુરુષમાં, એક જ ચૈતન્ય પ્રવર્તે છે. કાળી હાંડીમાં કે ધોળી હાંડીમાં, રાતી હાંડીમાં કે પીળી હાંડીમાં, કાચના ફાનસમાં કે માટીના આચ્છાદનમાં એક જ દિવો પ્રકાશે છે. દીપક ઉપર જેને પ્રેમ છે તેને કાળી હાંડીના કે રાતી હાંડીના પ્રકાશ ઉપર દ્વેષ કરવાનું શું પ્રયોજન છે ? કાળો પ્રકાશ કે રાતે પ્રકાશ શું દીપકને નથી ? અને કાળા પ્રકાશને કે રાતા પ્રકાશને દ્વેષ કરતાં શું દીપકને દ્વેષ નથી થતો ? દીપક ઉપર શુદ્ધ પ્રેમને ધરનાર પતંગિયું કાળી હાંડીમાં દીપકને પ્રકટેલે જોઈને તેના ઉપર ઓછો પ્રેમ કરતું અથવા તેને દ્વેષ કરતું, અને ધોળી હાંડીમાં દીપકને પ્રકટેલે જોઈ ને તેના ઉપર અધિક પ્રેમ કરતું કદી અનુભવમાં આવ્યું છે? ચેતન્યના ઉપર પ્રેમવાળા, સર્વાત્મભાવનાવાળા મહાપુરુષો પણ પાપી કે પુણ્યવાન, સાધુ કે અસાધુ સર્વમાં પ્રેમને ધરે છે. કોઈને દેષ કે તિરસ્કાર કરતા નથી.
૩૬. ભ્રમર જેમ પુપમાંથી સુવાસને જ ગ્રહણ કરે છે, તેમ સર્વાત્મભાવનાવાળા પુરુષે દુર્જનના સંબંધમાં આવતાં છતાં તેના ચૈતન્યસ્વરૂપને જ જુએ છે. કાદવમાં ખરડાયેલા અથવા કાટથી કટાઈ ગયેલા સુવર્ણના અલંકારમાં બાળક કાદવ કે કાટ જ જુએ છે, પણ સુવર્ણના જ્ઞાનવાળા પુરુષો તેમાં સેનું જ જુએ છે, તેમ ન્યૂન બુદ્ધિવાળા મનુષ્યો દુર્જને પ્રસંગ પડતાં તેમાં દુર્જનતાને જ જુએ છે, પણ ચિતન્યમાં પ્રેમવાળા પુષે તેઓમાં પિતાના પરમ પ્રેમને વિષય જે ચૈતન્ય તે જ જુએ છે. સારગ્રાહી દૃષ્ટિ સર્વદ જયાં