Book Title: Vishva Vandya Vichar Ratnakar
Author(s): Chotalal Jivanlal
Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako

View full book text
Previous | Next

Page 66
________________ વિચારરત્નશિ] પ૭ ગફલતનું ભાન થાય તેમ કરે છે, તેવી રીતે કરવાનું છે. દેશવાનમાં ગુણનું ભાન કરીને, ગુણને જોઈને, દોષને એવી રીતે ગુણથી આચ્છાદિત કરવાને છે કે દેષ, દેષ મટીને ગુણ થઈ જાય. વસ્તુતઃ દોષવાનમાં દોષ આવેલ જણાય છે, તે હેતુપુર:સર આવેલ હેત નથી. કોઈ જાણી જોઈને રસોઈમાં કાંકરા નાંખતું નથી; અસાવધાનતાથી જ-અજ્ઞાનથી જ આવે છે. અને અજ્ઞાન ક્રોધને, શિક્ષાને, દેષને કે તિરસ્કારને કશાને પાત્ર નથી. અજ્ઞાન બહુ બહુ તે કરુણાને પાત્ર છે. અજ્ઞાન જ્ઞાનવડે જીતવાનું છે; શિક્ષા કે ક્રોધથી નહિ જ. શિક્ષા અથવા ક્રોધ એ અજ્ઞાનરૂપી દેવતામાં ઘત હોમવા તુલ્ય છે. એથી અજ્ઞાન દ્વિગુણિત થાય છે. દેષ કરનારમાં અજ્ઞાન હતું જ, તેમાં ક્રોધ કરનાર નવું અજ્ઞાનનું કાર્ય કરી, અજ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. સર્વાત્મદષ્ટિ, પ્રાણીમાત્ર ઉપર પ્રેમદષ્ટિ, અજ્ઞાનરૂપી દેવતાને હેલવનાર જળ છે. અને આમ હોવાથી જ જ્યારે શિક્ષા કરનાર અથવા દંડ દેનાર નૃપતિના સમક્ષ દેશવાનના દેષ દબાતા નથી, તેના અંતઃકરણનું અજ્ઞાન નિવૃત્ત થતું નથી, ત્યારે સમદષ્ટિવાળા, પ્રાણીમાત્ર ઉપર પ્રેમને ધરનારા મહાપુના સમીપ દેલવાન મનુષ્યના દેષ દબાય છે, તેના અંતઃકરણનું અજ્ઞાન નિવૃત્ત થાય છે. સર્વાત્મદષ્ટિને, પ્રાણીમાત્ર ઉપર પ્રેમદષ્ટિને પ્રભાવ એવો અલોકિક છે. સર્વાત્મદષ્ટિના અગ્નિની મર્યાદામાં દેષવાન મનુષ્યોના દેષરૂપી ઘાસનાં તણખલાં તત્કાળ ભસ્મ થઈ જાય છે. ૩૮. સર્વાભદષ્ટિવાળાને, પ્રાણીઉપર પ્રેમને સેવનારા મનુષ્યને વ્યવહાર બગડતું નથી. અને બગડે છે, એમ કદાચ સ્વીકારીએ તે પણ વ્યવહાર બગડવા દઈને પણ સમદષ્ટિ સાધવી, પ્રાણીમાત્ર ઉપર પ્રેમને ધરે, એ જ સદિકીને કર્તવ્ય છે. ધુમાડે ખાવો પડશે એવી ધાસ્તીથી શું કઈ રઈ કરવા માટે ચૂલે નથી સળગાવતું? શરીરમાંથી ગંધાતે પરસેવો નીકળશે, એવા ભયથી આરોગ્યને આપનાર અને સુદઢ શરીરને કરનાર કસરત શું કઈ નથી કરતું? પરમ સુખની સિદ્ધિ સર્વાત્મદષ્ટિથી જ થાય છે, અને તે સિદ્ધ થવામાં વ્યવહાર જેવા લક્ષાવધિ તુચ્છ પ્રસંગેનું બળિદાન આપવું પડે છે તેથી શું થયું ? અનુપમ સુખની પ્રાપિઅર્થે પ્રાપ્ત કુછ સુખને ભોગ આપતાં, અંતઃકરણના બળવિનાના કાયર મનુષ્ય જ કંપે છે. ધીરવીર પુ તે હું જાતરામ ના અર્થ સાધામ એવા અડગ નિશ્ચયથી મેમ્ના જેવા અચલ હોય છે. ૩૯. સર્વને પિતાના આત્માસમાન જાણવાથી, સર્વના ઉપર નિઃસીમ પ્રેમ રાખવાથી, વ્યવહાર બગડવાની જે વાત કરે છે, તેઓને વ્યવહાર

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182