SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નશિ] પ૭ ગફલતનું ભાન થાય તેમ કરે છે, તેવી રીતે કરવાનું છે. દેશવાનમાં ગુણનું ભાન કરીને, ગુણને જોઈને, દોષને એવી રીતે ગુણથી આચ્છાદિત કરવાને છે કે દેષ, દેષ મટીને ગુણ થઈ જાય. વસ્તુતઃ દોષવાનમાં દોષ આવેલ જણાય છે, તે હેતુપુર:સર આવેલ હેત નથી. કોઈ જાણી જોઈને રસોઈમાં કાંકરા નાંખતું નથી; અસાવધાનતાથી જ-અજ્ઞાનથી જ આવે છે. અને અજ્ઞાન ક્રોધને, શિક્ષાને, દેષને કે તિરસ્કારને કશાને પાત્ર નથી. અજ્ઞાન બહુ બહુ તે કરુણાને પાત્ર છે. અજ્ઞાન જ્ઞાનવડે જીતવાનું છે; શિક્ષા કે ક્રોધથી નહિ જ. શિક્ષા અથવા ક્રોધ એ અજ્ઞાનરૂપી દેવતામાં ઘત હોમવા તુલ્ય છે. એથી અજ્ઞાન દ્વિગુણિત થાય છે. દેષ કરનારમાં અજ્ઞાન હતું જ, તેમાં ક્રોધ કરનાર નવું અજ્ઞાનનું કાર્ય કરી, અજ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. સર્વાત્મદષ્ટિ, પ્રાણીમાત્ર ઉપર પ્રેમદષ્ટિ, અજ્ઞાનરૂપી દેવતાને હેલવનાર જળ છે. અને આમ હોવાથી જ જ્યારે શિક્ષા કરનાર અથવા દંડ દેનાર નૃપતિના સમક્ષ દેશવાનના દેષ દબાતા નથી, તેના અંતઃકરણનું અજ્ઞાન નિવૃત્ત થતું નથી, ત્યારે સમદષ્ટિવાળા, પ્રાણીમાત્ર ઉપર પ્રેમને ધરનારા મહાપુના સમીપ દેલવાન મનુષ્યના દેષ દબાય છે, તેના અંતઃકરણનું અજ્ઞાન નિવૃત્ત થાય છે. સર્વાત્મદષ્ટિને, પ્રાણીમાત્ર ઉપર પ્રેમદષ્ટિને પ્રભાવ એવો અલોકિક છે. સર્વાત્મદષ્ટિના અગ્નિની મર્યાદામાં દેષવાન મનુષ્યોના દેષરૂપી ઘાસનાં તણખલાં તત્કાળ ભસ્મ થઈ જાય છે. ૩૮. સર્વાભદષ્ટિવાળાને, પ્રાણીઉપર પ્રેમને સેવનારા મનુષ્યને વ્યવહાર બગડતું નથી. અને બગડે છે, એમ કદાચ સ્વીકારીએ તે પણ વ્યવહાર બગડવા દઈને પણ સમદષ્ટિ સાધવી, પ્રાણીમાત્ર ઉપર પ્રેમને ધરે, એ જ સદિકીને કર્તવ્ય છે. ધુમાડે ખાવો પડશે એવી ધાસ્તીથી શું કઈ રઈ કરવા માટે ચૂલે નથી સળગાવતું? શરીરમાંથી ગંધાતે પરસેવો નીકળશે, એવા ભયથી આરોગ્યને આપનાર અને સુદઢ શરીરને કરનાર કસરત શું કઈ નથી કરતું? પરમ સુખની સિદ્ધિ સર્વાત્મદષ્ટિથી જ થાય છે, અને તે સિદ્ધ થવામાં વ્યવહાર જેવા લક્ષાવધિ તુચ્છ પ્રસંગેનું બળિદાન આપવું પડે છે તેથી શું થયું ? અનુપમ સુખની પ્રાપિઅર્થે પ્રાપ્ત કુછ સુખને ભોગ આપતાં, અંતઃકરણના બળવિનાના કાયર મનુષ્ય જ કંપે છે. ધીરવીર પુ તે હું જાતરામ ના અર્થ સાધામ એવા અડગ નિશ્ચયથી મેમ્ના જેવા અચલ હોય છે. ૩૯. સર્વને પિતાના આત્માસમાન જાણવાથી, સર્વના ઉપર નિઃસીમ પ્રેમ રાખવાથી, વ્યવહાર બગડવાની જે વાત કરે છે, તેઓને વ્યવહાર
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy