SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રીવિધવાવિચારરત્નાકર સર્વના ઉપર નિઃસીમ પ્રેમ ન રાખવાના વર્તનથી તેઓ ધારે છે તેટલો સુધરેલો હોતો નથી. તેઓ વ્યવહારની સર્વોત્તમ ઉન્નતિને ઇચ્છનારા હોય છે, તે પણ તે ઉન્નતિમાં તેઓ પિતાની ધારણુપ્રમાણે આગળ વધ્યા હોતા નથી. આમ ન થવામાં તેઓ કારણ, કેઈ અન્ય જ કલ્પતા હોય છે, પરંતુ તત્વવિત પુષે જાણે છે કે તેમની ઉન્નતિ ન થવામાં અન્ય કારણે જેટલાં બળવાન પ્રતિબંધ કરનારાં હોય છે તેનાં કરતાં, પ્રાણીમાત્રમાં પ્રેમ ન પ્રકટવાનું કારણ અત્યંત બળવાન પ્રતિબંધ કરનારું હોય છે. સર્વાભદષ્ટિ વ્યવહાર તથા પરમાર્થ ઉભયને સુધારે છે. પ્રાણીમાત્રને સર્વાત્મદષ્ટિવાળો પુરષ પિતાના આત્માસમાને જાણ હોવાથી તથા તદનુસાર તેમના ઉપર પ્રેમ રાખતા હેવાથી સર્વ મનુષ્યો પણ તેના ઉપર તે જ પ્રેમ રાખે છે, અને તેથી કરીને તેના વ્યવહારમાં તેઓ સર્વદા સાહાસ્ય કરે છે. નિર્વેર વૃત્તિવાળા તે પુરુષના સર્વ જ મિત્ર હોય છે, અને પ્રાણીમાત્ર જેના મિત્રરૂપ હોય છે, તેને વ્યવહાર બગડવાની શંકા કશા પણ આધાર વિનાની છે. ૪૦. ઘણુ મનુ પિતાને બીજા સર્વ પ્રાણી કરતાં ઊંચા અધિકાર વાળા વધારે વિદ્વાન તથા વધારે સમજણવાળા માને છે, અને આમ માની તેઓ સર્વને તુણવત્ લેખે છે. અમે જેવું સમજીએ છીએ તેવું કઈ જ સમજતું નથી, એવા અભિમાનથી, તેઓ જે જે મનુષ્ય તેમના સંબંધમાં આવે છે, તેમને પિતાનાથી ઓછી સમજણવાળા જણાવવા પ્રયત્ન કરે છે. જે સિદ્ધાંતે પોતે નિશ્ચય કરેલા હોય છે, તે સિદ્ધાંત સમજવાની જાણે જગતમાં કેઈની શક્તિ હોય જ નહિ, એવું તેઓ માને છે. આવા મનુષ્યો પણ સમદષ્ટિવાળા થઈ શકતા નથી. આત્મા અણુ અણુમાં વ્યાપક હોવાથી ગમે તે અંતઃકરણમાં યથાર્થ પ્રજ્ઞા પ્રકટ થવાને પૂર્ણ સંભવ છે. સમદષ્ટિ આત્મા અમુક વ્યક્તિ ઉપર અનુગ્રહ કરે અને અમુક ઉપર ન જ કરે, એમ છે જ નહિ. આત્મા અથવા પરમતત્વને સર્વ સમાન છે. જેમ સૂર્ય કસાઈના ઘરમાં પણ પ્રકાશ નાંખે છે, અને ત્રિકાળ સંધ્યા કરનાર પવિત્ર બ્રાહ્મણના ઘરમાં પણ પ્રકાશ નાંખે છે, તેમ પરમતત્વ ગમે તે પ્રાણીના અંતઃકરણમાં વિલસી રહ્યું છે, અને તેથી ગમે તે અંતઃકરણમાં ગમે તે સ્થળે, અને ગમે તે કાળે, સામગ્રી મળી આવતાં જ્ઞાન પ્રકટ વાને પૂર્ણ સંભવ છે. શ્રીકૃષ્ણના નિત્ય સંબંધમાં આવનાર અર્જુનને જ્ઞાન થવાને પૂર્ણ સંભવ હતું, અને આજે શ્રીકૃષ્ણના લીલાતનુને જેને સંબંધ નથી એવી અન્ય વ્યક્તિઓને જ્ઞાન થવાનો સંભવ નથી, એવું કંઈ જ નથી. અંતઃકરણને અધિકાર વધવાના સંભો પરમકૃપાળુ પરમાત્મા સર્વને જ સર્વકાળ આપે છે,
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy