SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૫૯ અને જેઓ તે સંભવોને સ્વીકાર કરી અંતઃકરણને અધિકાર વધારે છે, તેઓને જ્ઞાન ગમે તે સ્થળે, ગમે તે કાળે, અને ગમે તે દ્વારે હૃદયસ્થ અંતર્યામી ઈશ્વર આપે જ છે. યથાર્થ વિચારથી જોતાં તે પરમેશ્વરની દૃષ્ટિમાં સર્વ જ સમાન છે, અને તેથી જ્ઞાન થવાના સાધનો સર્વને જ તેમણે સમાન રીતે આપ્યાં છે. આ સાધનેને જે ઉપયોગ કરે છે, તેમને જ્ઞાનને પ્રબોધ કરનાર શ્રીકૃષ્ણરૂપ મહાપુરુષ, તે મારવાડના રેતીના રણજેવા ઊજડ પ્રદેશમાં રહેતું હોય તે પણ પ્રાપ્ત થાય છે, અને જેઓ ઉપયોગ નથી કરતા, તેમને જ્ઞાનને પ્રબોધ કરનાર શ્રીકૃષ્ણરૂપ મહાપુરુષ પ્રાપ્ત થયા હોય છે, તે પણ તેઓ જડમતિ જ રહે છે, અને પરિણામે સમયનો સદુપયોગ ન સાધી લેનાર આ મનુષ્યો પાસેથી તે પ્રાપ્ત મહાપુરુષ પણ અદશ્ય થઈ જાય છે. ૪૧. તમે જ્ઞાનમાં આગળ વધેલા છે, એમ માની, બીજા જેઓ નથી વધ્યા તેમને તિરસ્કાર કરવા, તેમને તુણવત લેખવા તમને શો અધિકાર છે? આંબા ઉપર આવેલી સેંકડે કેરીઓમાંથી થોડી પાકેલી કેરીઓને બીજી કાચી કેરીઓને તિરસ્કાર કરવા શું અધિકાર છે? હું પાકી અમૃત જેવી ગળી છું, અને તું ખાટી ચિડા જેવી છું, એમ તેનું બેસવું શું કઈ ઊંચી બુદ્ધિને સૂચવે છે? શું પાકી કેરી થે દિવસ પહેલાં ખાટી ચિચેડા જેવી નહોતી ? અને પિલી ખાટી ચિચેડા જેવી કરી શું થોડા દિવસ પછી પાકી અમૃત જેવી મધુર નથી થનાર ? ઉત્તમ અધિકારવાળા ઉત્તમ પુરુષો ! તમે આજે ઉત્તમ અધિકારમાં આવ્યા છે. પણ એક સમય એવો હતો કે જ્યારે તમે અજ્ઞાનના કાદવમાં લેટતા હતા; અને જેમને આજે તમે તૃણવત પામર જીવડાં જેવા માનીને તિરસ્કાર કરે છે, તેઓ કેટલાક સમય પછી આજે તમે જે સ્થિતિમાં છે તેવી જ અથવા તેથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવશે જ. તમારું ઊંચી સ્થિતિમાં કે ઊંચા અધિકારમાં આવવું ત્યારે જ સાર્થક છે, કે તે ઊંચા અધિકાર ઉપરથી તમે તમારા પૂર્વના નીચા અધિકારનું સ્મરણ કરી નીચા અધિકારવાળાને તિરસ્કાર કે દ્વેષ ન કરે ત્યારે ઊંચા અધિકારમાં આવી તમે નીચા અધિકારવાળાને તુચ્છકારી કાઢી તમારા ઊંચા અધિકારને વધારે ઉચે થતું અટકા છે. પ્રાણીમાત્ર ઉપર સ્નેહ કરે. જેને તમે પાપી ગણે છે, તે પાપી નથી. તેના ઉપર માત્ર અજ્ઞાનનું આવરણ છે. અજ્ઞાનનું આવરણ દૂર થતાં તે અને તમે ભિન્ન નથી. વાદળાની તળે તેજસ્વી ભાનું પ્રકાશે છે. રાખની તળે પ્રકાશિત અગ્નિ ઝગઝગે છે. વાદળાંને જોઈ, વાદળામાં ઢંકાઈ રહેલા સૂર્યને, રાખને જોઈ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy