________________
વિચારરત્નરાશિ ]
ભ્રકુટી ચઢાવી ક્રોધનાં વચને ન વધવાનું જે શીખ્યો ન હોય, અપ્રિય પ્રસંગમાં પણ પિતાના અંતઃકરણની પ્રસન્નતા ન ત્યજવાનું જે શીખ્યો ન હોય, પ્રાણીમાત્ર ઉપર પ્રેમ રાખવાનું તથા તેમને પિતાના આત્માસમાને જાણવાનું જે શીખ્યો ન હોય, તે તે કશું જ શીખ્યો નથી. તેની વિદ્વત્તા અને તેનું વન્દ્રવ બકરીના ગળાના આંચળની પેઠે નિષ્ફળ છે. કારણ કે અંતઃકરણમાં નિર્મળ અને નિર્વિકાર રહેવામાં જ સર્વ વિદ્વત્તાનો સમાવેશ થાય છે. પ્રતિકૂળ પ્રસંગમાં પણ વાયુવિનાના સ્થાનમાં બળતા દીપકની શિખા પઠે વૃત્તિની નિશ્ચલ પ્રકાશમય સ્થિતિ રાખી રહેવાનું આવડવું, એ જ ખરી વિદ્વત્તા છે. પ્રસન્નતાનું સર્વદા રક્ષણ કરી રહેવામાં જ જ્ઞાનની કે વિદ્વત્તાની કે શાસ્ત્રાભ્યાસની કસોટી છે.
૧૮. વૃક્ષનું મૂલ્ય તેના ઉપર આવતાં ફળથી અંકાય છે. આ દશે દિશાએ ફાલ્યો હોય, છતાં તેના ઉપર આવેલી કેરી ખાટી ચિચોડા જેવી હોય તે તે આ મનહર દીસતે હોય તે પણ તેથી શું? શાસ્ત્રાભ્યાસ અને વિદ્વત્તાનું ફળ જે મધુર ન પ્રકટ, તે તે શાસ્ત્રાભ્યાસને પરિશ્રમ શા અર્થને? શુદ્ધ વિચારવાનું નિર્મળ પ્રસને અંતઃકરણ તથા તેવું જ વર્તન એ જ શાસ્ત્રાભ્યાસનું ફળ છે. શાસ્ત્રાભ્યાસના વૃક્ષ ઉપર સુવાસવાળું પુષ્પ આવવાને બદલે કંટક ઊગ્યા તે તે શાસ્ત્રાભ્યાસ નિષ્ફળ છે.
૧૯. શું તમે એમ કહે છે કે “નિરંતર પ્રસન્ન સ્વભાવ રાખવાને ઉપદેશ કરવો સહેલો છે, પણ તે પ્રમાણે વર્તન રાખવું કઠિન છે? ઘરમાં કર્કશા સ્ત્રી જેને પ્રાપ્ત થઈ હોય, તે પ્રસન્ન સ્વભાવ શી રીતે રાખી શકે ? સર્વ પ્રકારની અનુકૂળતા હોય ત્યાં પ્રસન્ન સ્વભાવ રાખી શકાય અને પ્રિય વાણી પણ ઉચ્ચરી શકાય. પણ દિવસમાં હજારવાર જ્યાં પ્રતિકૂલ વર્તન જોવામાં આવે ત્યાં પ્રસન્ન સ્વભાવ તે શી રીતે રહી શકે ? શું અમે તે કંઈ લાકડાનાં ઢીંગલાં છીએ કે જે ઘરમાં થાય તે આંખે મીચી જોયા કરીએ! ” હા, જે સુખ જોઈતું હોય તે લાક્કાના ઢગલાના જેવું પ્રતિકૂળ પ્રસંગોથી જરા પણ સેંભ ન થાય એવું જ અંતઃકરણ રાખે. પ્રતિકૂળ પ્રસંગે માં, તમે પ્રસન્ન સ્વભાવ રાખી શકતા નથી, પણ એ પ્રતિકૂળ પ્રસંગ તમને શાથી પ્રાપ્ત થયો તેને કઈ દિવસ તમે વિચાર કર્યો છે? તમને તમારું માથું ખાઈ જાય એવી કર્કશા સ્ત્રી શાથી મળી છે ? શું બ્રહ્માને તમે કેઈ અપરાધ કર્યો હતો કે તેમણે તેની સાથે તમારું પાનું પાડયું ? કર્કશા સ્ત્રી અથવા જેટલા જેટલા આપણને જણાતા પ્રતિકૂળ પ્રસંગે આપણને પ્રાપ્ત થાય છે એ આપણે પિતે જ આપણાં પિતાનાં કૃત્યોથી આપણી મેળે