________________
૪૮
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
પ્રાપ્ત કરી લીધા છે. આપણે તેને પાત્ર હતા માટે જ તે આપણને મળ્યા છે. તે આપણને ઈશ્વરે કે કાએ, આપણી તે પ્રસંગાને માટે પાત્રતા ન છતાં, જુલમથી આપણી કાઢે બાંધી દીધા નથી. પરંતુ તે પ્રસંગેા માટે આપણા અધિકાર હોવાથી તેમાં આપણે સ્થપાયા છીએ. જેમ પહેલી ચોપડીને લાયક વિદ્યાર્થી ને શિક્ષક પહેલી ચોપડીમાં એસાડે છે, અને સાતમી ચોપડીને લાયક વિદ્યાર્થી ને સાતમીમાં બેસાડે છે, તેમ આ જગમાં વિશ્વવ્યવસ્થાપક સત્તા આપણી ચાગ્યતાના પ્રમાણમાં અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગામાં આપણને મૂકે છે. પહેલી ચાપડીના વિદ્યાથી પ્રસન્નતાથી પહેલી ચોપડીના અભ્યાસ ન કરી, પેતાની ચાપડી તથા પાટી પછાડે, અને અસ ંતોષ બતાવી આખા દિવસ પોતાને પ્રાપ્ત થયેલા અભ્યાસ વિરુદ્ધ ટકટકારા કર્યાં કરે, તે તેને આગળ વધવાના અને સાતમી ચોપડીમાં જવાનો કદી પણ સંભવ આવતા નથી; તેમ કર્કશા સ્ત્રી અથવા એવા જ પ્રતિકૂળ પ્રસ ંગા, વિશ્વવ્યવસ્થાપક સત્તાએ જેમને તેમની યોગ્યતા પ્રમાણે આપ્યા હાય છે, તે પ્રસન્નતાથી તે પ્રસંગોથી નિર્વાદુ ન કરતાં આખું આયુષ્ય ધમપછાડા કરે છે, તથા નિરતર ચીડિયાં કરી પોતાને સીતા કે દમયંતી જેવી અનુકૂળ સ્ત્રી ન મળવા માટે પરિતાપ કર્યાં કરે છે, તેના ઊંચી વસ્તુ મેળવવાનો અધિકાર કિંચિત્ પણ વધતા નથી. તે હાય છે ત્યાંના ત્યાં જ રહે છે, અથવા ક્વચિત્ નીચા પણ પડે છે.
૨૦. સર્વ પ્રકારના અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગોમાં પ્રસન્નતાવાળા સ્વભાવ રક્ષી રહેવાથી સદા અધિકારની વૃદ્ધિ થાય છે, અને પ્રસન્ન સ્વભાવનાં પ્રકાશમય કિરણાથી પ્રતિકૃળ પ્રસંગાનો અધકાર નષ્ટ થવાના સંભવ આવે છે.
૨૧. ચિંતા, ભય, નિરાશા, શાક, ક્રોધ, ચીડિયાપણું, અસતોષ, જેનાં તેનાં છિદ્રો જેવાના સ્વભાવ, પ્રાણીઓનો દ્વેષ, વગેરે વિકારો અપ્રસન્નતાને ઉત્પન્ન કરનાર છે. આ સર્વાં અશુદ્ધ વિચાર ગણાય છે. જે હૃદ્યમાં એ હાય છે ત્યાં સુખ નથી હાતુ, અને જે હૃદયમાં એ નથી હોતા, અર્થાત્ જ્યાં પ્રાણીમાત્ર ઉપર પ્રેમ હોય છે, જ્યાં ઇશ્વર ઉપરની દ શ્રદ્ધાથી ચિંતા તથા ભયના અભાવ હાઈ નિશ્ચિતપણુ તથા નિર્ભયતા હોય છે, જ્યાં પરમેશ્વરનો આશ્રય ગ્રહણ કરવાથી ભવિષ્યમાં સર્વાંદા સુખ થવાના દૃઢ સંભવના અનુમાનથી આશા તથા ઉત્સાહ વતાં હોય છે, જ્યાં શ્વિરરૂપ મહાસ'પત્તિને સદા હૃદયમાં પોતાની અતિનિકટ માનવાથી તથા અનુભવવાથી કાઈ પણ તુચ્છ પદાની હાનિથી શાકના અભાવ હોય છે, જ્યાં સર્વત્ર બ્રહ્મભાવના સ્વીકારાયલી હાવાથી જ ક્રાધ