________________
સુખનાં સરળ સાધને ]
નાંખવાને સૂર્યને પ્રાર્થના કરવી પડતી નથી, તે વગર પ્રાર્થનાએ જ પ્રકાશને ઘરમાં નાંખે જ છે, નાંખ્યા વિના તેનાથી રહેવાતું જ નથી, તેમ આરોગ્ય, સુખ, ઐશ્વર્ય સ્વભાવથી જ ઈશ્વર આપણું પ્રતિ પ્રવર્તાવે છે. તેમને માટે દીન થઈ આપણે પ્રાર્થના કરવી પડતી નથી. પરમેશ્વરને આપણને સુખ આપવાની ઈચ્છા નથી માટે આપણને સુખ મળતું નથી, એવું કશું છે જ નહિ. પરમેશ્વર તે પરમ પ્રેમસ્વરૂપ છે, કૃપાના સમુદ્ર છે, સુખમાં આપણને ઝબોળી દેવા નિરંતર તત્પર છે, પણ આપણે પરમેશ્વર જે સુખ આપે છે, તે લેવા તત્પર નથી. અમર્યાદ ઈશ્વરમાં એક થઈને આપણે સર્વત્ર સુખને જોતા નથી, સુખનું ચિંતન કરતા નથી, પણ દુઃખનું ચિંતન કર્યા કરીએ છીએ. ઈશ્વરને દુઃખરૂપે આપણે ચિંતવીએ છીએ, અને દુઃખરૂપે તેમને ગ્રહણ કરવા આપણે તત્પર રહીએ છીએ, અને સર્વત્ર વ્યાપી રહેલા સુખરૂપ ઈશ્વર આપણું માગ્યા પ્રમાણે આપણને દુઃખરૂપે જણાય છે.
મન ઉદાસ મુખ કરી ઘણીવાર બબડે છે કે પૂર્વે ઈશ્વરની મારાપર કૃપા હતી, પણ હાલ અકૃપા થઈ છે. ભાઈ ! ઈશ્વરની કૃપા કદી થતી જ નથી. સૂર્ય આજે પ્રકાશ આપે અને અને કાલે કાજળ જેવો અંધકાર નાંખે, બે દહાડા તડકે આપે, અને બે દહાડા તડકે નાખો બંધ કરે, એવું કદી સાંભળ્યું છે? અત્રે પ્રહર, અને બારેમાસ સૂર્ય જેમ તડકે નાંખ્યા જ કરે છે, એક પળના લાખમાં ભાગ જેટલો સમય પણ અંધકાર કદી નાંખતે જ નથી, તેમ પરમાત્મા અનાદિ કાળથી કૃપાને વર્ષાવ્યા જ કરે છે, એક ક્ષણના કરેડમા ભાગ જેટલું સમય પણ કદી કોઈને ઉપર અકૃપાળુ થતા જ નથી. તે અકૃપાળું થાય તે પછી તેમને પરમાત્મા કહે કોણ? કૃપાના મહાસાગરૂપે તેમની સ્તુતિ થાય શી રીતે ? ભાઈ! તમારી પિતાની જ તમારા ઉપર અકૃપા થઈ છે, અને તેથી જેમ કાળાં ચશ્માં પહેરનારને બધું કાળું દેખાય છે, તેમ તમારો પિતાને દોષ તમને પરમાત્મામાં દેખાય છે.
પરમાત્મા નિરંતર કૃપાળુ છે, નિરંતર પ્રેમસ્વરૂપ છે, નિરંતર સર્વ કલ્યાણોના કદી નહિ ખૂટે એવા ભંડાર છે. તમે તેમને ગાળો દે, હજારે વર્ષ સુધી ગાળો દે, તે પણ તેમને આ કૃપાળુ સ્વભાવ કદી બદલાતું નથી. સાકર કડવી થાય જ શી રીતે? પિતાની કૃપાવૃષ્ટિ તે નિરંતર આપણા ઉપર કરે જ છે, તેથી જ આજે આપણે મનુષ્યરૂપમાં આવ્યા છીએ તેમની નિરંતર