________________
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
પણ અશુભ ન જેવું, અને બાહ્ય પણ અશુભ ન જવું, પણ અંતર અને બાહ્ય સુખ, શાંતિ, ઐશ્વર્યને અને આરોગ્યને અખંડ જેવાને અભ્યાસ પાડતાં, અસંખ્ય બ્રાંતિઓના વિક્ષેપ શમી જાય છે, અને શીતળતા પ્રકટાવનારી સમાધાન વૃત્તિ ઉદય થાય છે. એ વૃત્તિ જ એકાગ્રતાનું બીજ હોવાથી પરિણામે એકાગ્રતા વધતાં, મન તથા બુદ્ધિ પિતાના આત્મસ્વરૂપમાં લીન થાય છે.
ખોટાને, અશુભને અથવા દુઃખને મન ચિંતવવા માંડે, કે તરત જ સાવધ થઈ સારાને, શુભને અથવા સુખને ચિંતવવા માંડવું. બીજાઓની સાથે વાણીવડે પણ અશુભની વાત ન કરવી, અને તેમની અશુભની વાત ન સાંભળવી. આનું જ નામ તત્વવિચાર, તત્વચિંતન, અને તત્વવસ્તુનું કથન છે. શાસ્ત્રનાં પાનાં હાથમાં લઈ પ્રક્રિયાઓ વિચારવી, એટલામાં જ તત્ત્વચિંતનને સમાવેશ થતો નથી, પણ જાગ્રજવરથાના પ્રત્યેક વ્યવહારમાં મનના પ્રત્યેક વિચારને, વાણુના પ્રત્યેક વ્યાપારને, અને શરીરની પ્રત્યેક ક્રિયાને તરવમય કરી દેવી, તેનું નામ તવાભ્યાસ છે.
નિરંતર અતત્વનું એટલે વિષયનું ચિંતન કરનારા અવિદ્યામય મનને, આ પ્રકારનું તત્વચિંતન કરવાનું કામ મહાસાગર તરવાજેવું કઠિન ભાસે છે, પણ ખરું જોતાં તે તેવું નથી. પરમાત્મા સર્વત્ર વ્યાપી રહ્યા છે, અને હું તેમનામાં જ હફરું છું, એટલે એક જ વિચાર જો સુવર્ણ અક્ષરે સ્મૃતિપટઉપર લખી રાખવામાં આવે છે, અને તેને પુનઃ પુનઃ જેવાને અભ્યાસ સેવવામાં આવે છે તે સહુએ વખાણેલું, અજ્ઞાનને નાશ કરનાર તત્વચિંતન નામનું અપૂર્વ સાધન અનાયાસ સ્વતઃ સધાતું જાય છે.
પરમેશ્વરસાથે આપણે અભેદ્ય સંબંધ છે. જે પરમાત્માનું છે તે સર્વ આપણું છે. આપણું અભેદ્ય સંબંધના અજ્ઞાનથી આપણે મર્યાદાવાળા થઈ રહ્યા છીએ. મર્યાદાવાળા ભાવની ભીંત જ, અમર્યાદનાં મોજાંને આપણા તરફ આવતાં અટકાવે છે. તે ભીંતને તેડી નાંખતાં અમર્યાદનાં મોજા જે એવર્ય, સુખ, જ્ઞાન, પ્રેમ, શાંતિ વગેરે સર્વ શુભમય છે, તેમાં આપણે ડૂબી જવાના.
મર્યાદાવાળા ભાવને લીધે જ આજે દીન થઈને મનુષ્યોને વધવું પડે છે કે હે પ્રભુ! મારું આટલું દુઃખ ટાળે, મારે રેગ નિવારે, મને ધન આપે, મારી સ્ત્રીની બુદ્ધિ સુધારે, મને પુત્રનું સુખ દર્શા, વગેરે વગેરે. મર્યાદાને ભાવ તેડી નાંખતાં, જેમ છાપરું તેડી નાંખતાં, ઘરમાં પ્રકાશને અને ઉણતાને