________________
૪૦
[શ્રી વિશ્વવંદવિચારરત્નાકર વર્ષની કૃપાને જે મનુષ્ય જે પ્રમાણમાં પિતાના હૃદયપાત્રમાં ઝીલે છે, તે પ્રમાણમાં તે પિતાની ઉન્નતિ સાધે છે. જેમને કૃપા ન જણાતી હોય તેમણે ઈશ્વરને દોષ દીધા કરતાં, પિતાનાં હૃદયપાત્રને ઊંધાં રાખવાના પિતાના દેશને જોઈ તે ટાળવા પ્રયત્ન કર, એ જ યોગ્ય છે.
મનુષ્ય પરમેશ્વરપ્રતિ એક વહેત ધરે છે, તે પરમેશ્વર તેના પ્રતિ એક હાથ ધસે છે.
(અપૂર્ણ)