________________
૩૪.
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
છે, એ ભાવ તમારી વૃત્તિમાં તમે સ્થાપતા હોવાથી તમારી વૃત્તિમાંથી બહારના સઘળા પ્રાણી પદાર્થોમાંથી પ્રતિકૂલ બુદ્ધિ છૂટી જાય છે. તમારા અભુત વિચારના પ્રભાવથી તમે જેમાં તેમાં આનંદને જેવા પ્રયત્ન કરે છે, અને તેથી તમારાં ઉગ, ચિંતા વગેરે નાશ થવા માંડે છે. સઘળે જ ઐશ્વર્ય ભરેલું છે, એ ભાવ તમારા અંતરમાં સ્થિર થતાં, શું ખાઈશું, શું પીશું, વગેરે ચિંતાજનક વિચારથી તમારા મુખઉપર ઉદાસી છવાઈ વળવા સંભવ આવતું નથી. તમારું અંતઃકરણ નિર્ભય, પ્રસન્ન અને પ્રશાંત રહે છે. આથી તમારા શરીરમાં રુધિરની ગતિ ઉત્તમ પ્રકારે થાય છે, અને તેમ થતાં તમારી પાચનક્રિયા સુધરે છે. નિર્ભયતા અને પ્રસન્નતા સર્વોત્તમ આરોગ્ય આપે છે, એ કોણ નથી જાણતું ? સામાન્ય મનુ પણ કઈ અલમસ્ત મનુષ્યને જોઈને કહે છે કે કશી જ ચિંતા ન હોવાથી આ માણસ પાડા જેવો વધ્યો છે. સ્વલ્પમાં નિર્ભયપણું-નિશ્ચિતપણું-પ્રસન્નતા-શરીરના ઉત્તમ આરોગ્યમાં પ્રધાન કારણ છે; અને સમજીને, શ્રદ્ધાપૂર્વક સેવવામાં આવેલું શુદ્ધ વિચાર નિર્ભયતા પ્રકટાવ્યા વિના રહે જ નથી, એ અનુભવસિદ્ધ છે. આ પ્રમાણે તમારા શુદ્ધ વિચારથી તમને આરોગ્યની પ્રાપ્તિ થાય છે એટલું જ નહિ, પણ પછી તે જ વિચારના પ્રભાવથી તમારા રાગદ્વેષ છૂટતા જાય છે. સર્વત્ર પરમાત્મા વ્યાપી રહેલા છે, એ નિશ્ચયને વારંવાર તમે સ્પરાવતા હોવાથી તમારે કોઈપ્રતિ હેપને કરવાનું કારણ રહેતું નથી. પરમેશ્વરપ્રતિ તમને દ્વેષ હોતો નથી, અને તે તે સર્વત્ર વ્યાપી રહેલા છે, એવા વિચારેને તમારા અંતઃકરણમાં પ્રવાહ ચાલત હોવાથી તમે સર્વપ્રતિ પ્રેમને જ કરે છે; અને સર્વપ્રતિ તમારે પ્રેમ થતાં સર્વ પણ તમારા પ્રતિ પ્રેમ કરે છે. આમ વિશ્વને તમારા પ્રતિ પ્રેમ થતાં સમગ્ર વિશ્વ તમને અનુકુળ થાય છે. તમારા જીવનમાંથી દુઃખઅશાંતિવગેરે નીકળી જાય છે. તમારા વ્યવહાર અને પરમાર્થ સરળ થાય છે, એટલું જ નહિ પણ તેમાં અદ્ભુત ઉન્નતિ થયાને તમને અનુભવ થાય છે. | શુભ વિચારનું આ પ્રકારનું સામર્થ્ય પ્રયત્ન કરનારને અનુભવમાં આવ્યાવિના રહેતું જ નથી. પૂર્વે થઈ ગયેલા અસંખ્ય મહાત્માઓ તથા વર્તમાન સમયના મહાપુ શુભ વિચારના શુભ ફળને પ્રકટાવવાના સામર્થ્યને દર્શાવી આપનાર સમર્થ ઉદાહરણ છે, અને આપણે અશુભ વિચારથી પ્રકટતા ખોટા પરિણામથી અશુભ વિચારના સામર્થ્યને દર્શાવી આપનાર સમર્થ ઉદાહરણે છીએ. આપણામાંથી કેટલા અસંખ્ય મનુના, ચિંતા અને ભયથી, વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં જ, યુવાવસ્થામાં કેશ ત થઈ ગયા છે ! કેટલા અસંખ્ય મનુષ્ય