________________
૨૫
સુખનાં સરળ સાધને] હોય તે કેળનું મન કશી જ ક્રિયા કરી શકે નહિ. આમ હોવાથી પરમાત્મસત્તારૂપ એક સર્વસામાન્ય મન જ સર્વ પ્રાણીઓનાં મનનું પ્રેરક હોવાથી એક મન જ વિશ્વમાં વ્યાપી રહ્યું છે, એમ કહીએ તે ખોટું નથી. પ્રાણીમાત્રનાં ભિન્ન ભિન્ન ભેદવાળાં જણાતાં અસંખ્ય મનનાં પરમાત્મસત્તારૂપ એક સર્વસામાન્ય મન સાથે, કદી છૂટો ન પડી શકે એવો અખંડ સંબંધ છે; અને આ સંબંધનું જ્ઞાન એ જ આપણને સર્વ દુઃખથી મુક્ત કરનાર અને અખંડ સુખને આપનાર છે.
પરમાત્માને આપણી સાથે અખંડ સંબંધ છતાં, અને આપણું મનના તેઓ જ પ્રેરક અથવા પ્રકાશક છતાં, આપણે કેવળ પૂતળા જેવા નથી. જેમ સૂત્રધાર પૂતળાને સૂત્રના તાંતણાથી નચાવે છે, તેવા આપણે કેવળ પરાધીન નથી. પરમાત્મા સાથે અખંડ સંબંધથી જોડાયેલા છતાં આપણે સ્વતંત્ર વ્યક્તિરૂ૫ છીએઅને તેથી જ આપણે ગાયોગ્ય કૃતિ માટે જવાબદાર છીએ. . - રઘલ રીતે કહીએ તે મનુષ્ય ત્રણ વસ્તુનો બને છે. શરીર, મન, અને આત્મા. આત્મા એ મનુષ્યનું વાસ્તવિક “હું” છે. મનુષ્ય જે “હું” શબ્દથી પિતાને ઓળખે છે, તે “હું” વસ્તુતઃ શરીર અથવા મન નથી પણ આ આત્મા છે.એ અવિક્રિય, તત્વસ્વરૂપ છે. તે અનાદિ અને અનંત છે. મનુષ્યનું એ વાસ્તવિક હું” પૂર્વે નહોતું, એમ નથી, તેમ ભવિષ્યમાં એ નહિ હોય એમ પણ નથી. આપણાં લાખો અને કરડે શરીર થાય છે, એક શરીર મૂકીને બીજું શરીર બદલીએ છીએ, પણ એ આપણું વાસ્તવિક “હું” કદી બદલાતું નથી. હજાર વર્ષ ઉપર કઈ શરીરમાં આપણે હતા, તે સમયનું આપણું વાસ્તવિક “હું” જે હતું તે જ આજે છે. તે જ પ્રમાણે આપણા મનમાં ક્ષણે ક્ષણે અનેક ફેરફારે થાય છે. બાલ્યાવસ્થામાં મન જે સ્થિતિમાં હતું, તે જ સ્થિતિમાં આજે નથી, અને આજે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં હવે પછી નહિ હોય. પરંતુ આપણું વાસ્તવિક “હું” તે સદા સર્વ એક જ સ્થિતિમાં રહે છે. કારણ કે તે પરમામસ્વરૂપ છે; અને પરમાત્મસ્વરૂપ હોવાથી તે પૂર્ણ અને અવિક્રિય છે. - આપણા વાસ્તવિક “હું” ને પરમાત્મા સાથે અખંડ સંબંધ છે, અને આપણું વાસ્તવિક “હું'ના જ્ઞાનપૂર્વક સંબંધથી આપણે પરમાત્માના જ્ઞાનપૂર્વક સંબંધને પ્રાપ્ત કરીએ છીએ.
આપણે જે વિવિધ વિચાર કરીએ છીએ, તે આપણે આપણા મનના પ્રદેશમાં કરીએ છીએ. મનના પ્રદેશને આપણે અજ્ઞાનથી આપણું પિતાનું