________________
૧૬
[વિશ્વવ’ઘવિચારરત્નાકર
જંગમ પ્રાણીપદાર્થોં ન હેાય તો એ પરમાત્મા પ્રકટ થતા નથી. જડ અથવા માયાના સબધવડે જ પરમાત્માનું આપણે ભાન કરી શકીએ છીએ. જેમ લાકડું એ વસ્તુતઃ અગ્નિ જ છે, તેમ સ્થાવરજંગમ પદાર્થોં પશુ વસ્તુતઃ પરમતત્ત્વ જ છે. લાકડામાં જેમ અગ્નિની શાંત કળા છે, અને સળગાવેલા લાકડામાં તેની જાગ્રત કળા છે, તેમ સ્થાવરજંગમ પ્રાણીપદાર્થાંમાં કેાઈમાં પરમાત્મા શાંત કળાથી સ્થિત છે, અને કાઈમાં જાગ્રત કળાથી વિલસે છે. પ્રત્યેક પત, પ્રત્યેક નદી, પ્રત્યેક વૃક્ષ, પ્રત્યેક પશુ, પ્રત્યેક મનુષ્ય, સ્વલ્પમાં જે જે દૃષ્ટિએ પડે છે અને જે જે દૃષ્ટિએ નથી પડતુ, તે સ` એક પરમાત્માનો જ વિલાસ છે. પરમાત્માની જ ચઢતીઊતરતી કળાનાં એ સર્વ સ્વરૂપો છે. કીડી ગમે તેટલી તુચ્છ છે, અને હાથી ગમે તેટલા મોટા છે, કાઈ અતિ રક મનુષ્ય ગમે તેટલા ક્ષુદ્ર છે, અને એક નૃપતિ ગમે તેટલા મહાન છે, તોપણ તે સવ એક પરમતત્ત્વની જ ચઢતીઊતરતી કળા છે. કડીમાં રહેલું તુચ્છ ખળ અને હાથીમાં રહેલું અસાધારણ બળ સામર્થ્યસ્વરૂપ પરમતત્ત્વના જ ચઢતાઊતરતા પ્રકાર છે. મૂખની મૂર્ખતા અને વિદ્રાની વિદ્વત્તા, પૂર્ણ જ્ઞાનના ચઢતાઊતરતા ભેદ છે. ઐશ્વર્ય વાનનું ઐશ્વર્ય અને દરિદ્રની દરિદ્રતા પૂર્ણ ઐશ્ર્વર્યસ્વરૂપ પરમાત્માના જ નાનામોટા વિભાગ છે. આવા ચઢતાઊતરતા ભેદ છતાં, તુચ્છ ઉચ્ચ પ્રકાર છતાં, તે પ્રકારાની પાછળ ઉચ્ચનીચ ભેદરહિત પૂર્ણ એકરસ પરમતત્ત્વ વિલસી રહ્યું છે. નૃપતિના ઐશ્વર્યની પાછળ અને ભિક્ષુકની ભિક્ષુકતા પાછળ પ્રકાશતા પરમતત્ત્વમાં કશા જ ભેદ નથી.
મહાસાગરમાંથી લીધેલું એક ખદુજળ અપાર પ્રદેશપત વિસ્તરેલા મહાસાગરના જળના જેવું જ છે. તેના એક બિંદુ જેટલા જળમાં, કે એક લેટા જેટલા જળમાં કે એક મોટા પીપ જેટલા જળમાં, આખા મહાસાગરના જળમાં જે તત્ત્વા છે, તે જ તત્ત્વા રહેલાં છે. જે પ્રમાણથી મહાસાગરના જળમાં તત્ત્વના સંચાગ થયા છે, તે જ પ્રમાણથી એક બિંદુ જેટલા જળમાં પણ તત્ત્વોના સંચાગ થયા છે. જળસ્વરૂપે મહાસાગર જેટલા પૂર્ણતાવાળા છે તેટલું જ બિંદુ પણ પોતાના જળસ્વરૂપમાં પૂર્ણ તાવાળુ છે. તેમાં જે ભેદ છે તે માત્ર જથામાં અથવા વિસ્તારમાં છે. એક બિંદુ જળમાં અને મહાસાગરમાં જળત્વ પૂર્ણપણે છે. એક બિંદુ આખા મહાસાગર છે, એમ કહેવાનું તાપ નથી, પણ બિંદુ અને મહાસાગર સ્વરૂપે એક છે, એ જ કહેવાનું તાત્પર્યં છે. બિંદુ જળમાં જળત્વ પૂર્ણ પણે રહેલું છે.