________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૯૪
કરે અને ઈન્દ્રપણું, વિબુધપણું અથવા રાજ્ય રત્નધનાદિક, પુત્ર, સ્ત્રી અથવા અન્ય જો કંઈ પ્રાપ્ત કરે તો ખોટા અભિમાનથી ખરેખર સુખનિર્ભર એવો હું બંધ કરાયેલા નિઃસ્પંદન મંદ અક્ષવાળો= તત્ત્વને જોવામાં ચક્ષુ બંધ કરી છે અને વિષયોમાં સ્થિર થયેલ મંદ ચક્ષુવાળો, કંઈ વિચારતો નથી. ||૩૨૪થી ૩૨૬]I
શ્લોક ઃ
ततश्च
अहो सुखमहो स्वर्गो, धन्योऽहमिति भावितः ।
एवं विचेष्टते भूप ! यथाऽयं तावको जनः ।। ३२७।।
શ્લોકાર્થ :
અને તેથી=વિષયોમાં સ્થિર બુદ્ધિવાળો છે તેથી, અહો સુખ છે, અહો સ્વર્ગ છે, હું ધન્ય છું એ પ્રકારે ભાવિત થયેલો લોક હે રાજા ! જે પ્રમાણે આ તારો જન છે એ રીતે ચેષ્ટા કરે છે. II૩૨૭]I
શ્લોક ઃ
अनन्तदर्शनज्ञानवीर्यानन्दादिभिः सदा । भावरत्नैर्भृतं त्वात्मस्वरूपं नावबुध्यते ।। ३२८ ।।
શ્લોકાર્થ ઃ
વળી અનંતદર્શન, જ્ઞાન, વીર્ય, આનંદાદિ રૂપ ભાવરત્નોથી ભરાયેલા આત્મસ્વરૂપને જાણતો
નથી. II૩૨૮II
શ્લોક ઃ
वराको न च जानीते, यथेदं भावतस्करैः ।
हृतं रागादिभिर्मेऽत्र, स्वरूपं मन्दिरोपमम् ।। ३२९ ।।
શ્લોકાર્થ ઃ
અને ભાવતસ્કર એવા રાગાદિ વડે અહીં=સંસારમાં, જે પ્રમાણે મંદિરની ઉપમા જેવું મારું આ સ્વરૂપ હરણ કરાયું, તે પ્રમાણે વરાક જાણતો નથી. II૩૨૯॥
શ્લોક ઃ
क्षमामार्दवसत्यादिरूपं भावकुटुम्बकम् ।
न चायं बुध्यते लोकः, सुन्दरं हितवत्सलम् ।। ३३०।।