Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 323
________________ ૩૧૨ શ્લોક : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ अहो दुरन्तः स्तेयोऽसौ, माया चात्यन्तदारुणा । ययोरासक्तचित्तोऽयं, वराको भूरि नाटितः । । ६९६ ।। શ્લોકાર્થ : અહો આ ચોરી ખરાબ અંતવાળી છે, અને માયા અત્યંત દારુણ છે. જેનાથી=જે માયાથી, આસક્ત ચિત્તવાળો આ વરાક=અનુસુંદરનો જીવ, ઘણો નચાવાયો. II૬૬।। શ્લોક ઃ તથાદિ वञ्चितस्तादृशोऽनेन, महात्मा विमलः पुरा । तन्माहात्म्येन लोके च गतोऽयं तृणतुल्यताम् ।।६९७।। શ્લોકાર્થ ઃતે આ પ્રમાણે આના દ્વારા=અનુસુંદરના જીવ દ્વારા, પૂર્વમાં તેવા પ્રકારનો મહાત્મા એવો વિમલ ઠગાવાયો. અને તેના માહાત્મ્યથી=માયાના માહાત્મ્યથી, લોકમાં આ=અનુસુંદરનો જીવ, તૃણતુલ્યતાને પામ્યો. II૬૯૭।। શ્લોક : — सरलो वत्सलः स्निग्धो, मुषित्वा च प्रतारितः । प्राप्तोऽयं तत्प्रसादेन, तत्र घोरविडम्बनम् ।।६९८।। શ્લોકાર્થ : અને સ્નિગ્ધ, વત્સલ એવો સરલ લૂંટીને ઠગાવાયો, તેના પ્રસાદથી=ચોરીના પ્રસાદથી, ત્યાં= વામદેવના ભવમાં, આ=અનુસુંદરનો જીવ, ઘોર વિડંબનાને પામ્યો. ।।૬।। શ્લોક ઃ તથા यदयं तादृशेनापि, महाभागेन सूरिणा । बुधेन बोधितो नासीत् सा माया तत्र कारणम् । । ६९९ ।। શ્લોકાર્થ ઃ અને જે કારણથી આ=અનુસુંદરનો જીવ, તેવા પ્રકારના પણ મહાભાગ એવા બુધસૂરિ વડે બોધ પામ્યો ન હતો, તેમાં તે માયા કારણ છે અર્થાત્ વામદેવના ભવમાં જે ઉત્કટ માયા હતી તેથી

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346