Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર. સી. શાહ આનર દષ્ટ–ભારતીય તત્વજ્ઞાન હંમેશા તેની સીમા વટાવી તેની પેલી પાર જવાનું ધ્યેય ૨ખ્યું છે. જે મ પ્રક ફિલસૂફ સોક્રેટીસ આત્માને ઓળખવાની શખામણ આપતા તેમ ઉપનિષદવાકયે પણ આત્મસાક્ષાત્કારની વાત કરે છે. આત્મદર્શન, આત્મપ્રાપ્ત એ જ જીવનને પરમ પુરુષાર્થ મનાય છે. મોક્ષ એ જ પરમ લક્ષ :-મુક્તિનો માર્ગ એ આમવકાસને મડમનાય છે અને મોક્ષને અંતિમ આદર્શ માની તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવા માટે ભારતીય તત્વજ્ઞાન આપણને શીખ આપે છે. મોક્ષ એ કાંઈ મનસ્વી દેવોએ આપેલી ભેટ નથી ૫ કષ્ટપૂર્વક કરેલાં તપ, સંયમ વગેરેના સ્વપુરુષાર્થ દ્વારા તે પ્રાપ્ત કરવાનો છે. બંધનનું કા–અજ્ઞાન :-ભારતીય વિચારકો એક અવાજે કહે કે વિદ્યા–અથવા અજ્ઞાન આપણુ દુઃખનું મૂળ છે અને વિદ્યા અથવા જ્ઞાન આપણને મુકો અપાવે છે. સર્વ અનિષ્ટોનું મૂળ અજ્ઞાન છે. સામાન્ય જગત ભોતિકતામાં જે મુખ માને છે તે સાચું સુખ નથી; તે એનું અજ્ઞાન છે અને એ અજ્ઞાન જ સંસારપાશમાં માનવીને બંધનકર્તા છે. એ અજ્ઞાને દૂર થતાં જ સાચું દર્શન કરાવવાને ભારતીય તત્વજ્ઞાનને આશય છે. મેક્ષ પ્રાપ્ત માટે અભ્યાસ અને વૈરાગ્યની વેશ્યક્તા : બંધનનું કારણ અજ્ઞાન છે; તેમાંથી છૂટવા માટેનું સાધન સંસ્થાન છે અને તે દ્વારા પરમધ્યેયની પ્રાનુિં શક્ય છે. મોક્ષની સિદ્ધિને માટે સાધનાની જરૂર રહે છે. એ સાધનામાર્ગમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવના પાયારૂપે રહેલી છે. ત્યાગ એટલે કર્મ ત્યાગ અને વૈરાગ્ય એટલે નરી નિષ્ક્રિય નથી. ત્યાગને સાચો અર્થ કર્મફળત્યાગ અને વૈરાગ્યનું સાચું લક્ષણ છે---મનની શાંતિ-ઈન્દ્રિયોને નિમહ. પડદર્શન વેદના સત્ય સમજવા માટે શાસ્ત્રકાએ ઇ જુદાં જુદાં શાસ્ત્રી સૂત્ર આકારે રયાં છે, જે પડદર્શન કહેવાય છે. દર્શને વેદાનુસારી છે. સત્યને સમજવાના એ વિવિધ દષ્ટિકોણ છે. પદશ નાનાં નામ છે : (1) વાયદર્શન (૨ વૈશેષિક દર્શન (૩) સાંખ્યદર્શન (૪) ગદર્શન (૫) પૂર્વમીમાંસ અથવા કર્મમીમાંસા (૬) ઉત્તરમીમાંસા અથવા વેદાન્ત. પદર્શનને પરસ્પર સંબંધ –આ પદર્શન બલ્બનું એક એવા ત્રણ ગુરછમાં વહેંચાયેલાં છે. જેમકે, (૧) ન્યાય-વેશેષિક (૨) સાંખ્ય અને રોગ (૩) પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. આ પદને એકબીજા સાથે સંકળાયેલા છે અને એકબીજાના પૂરક છે. આચાર્ય આનંદશંકર ધ્રુવ લખે છે કે, ઉપનિષદમાં એમ સિદ્ધાન્ત કર્યો કે ખરી વસ્તુ અજ્ઞાનને લીધે મનુષ્યને જણાતી નથી; માટે જ્ઞાન પ્રાપ્ત કરવું. હવે એ સંબંધી પ્રશ્ન એ થાય છે કે અજ્ઞાને જે ખરી વસ્તુને જાણવા દેતું નથી અને જે સર્વ અનર્થનું મૂળ છે તે કેવી રીતે ટાળવું ? એ પ્રશ્નનો ઉત્તર સાંખ્ય આપે છે કે પ્રકૃતિપુરુષને વિવેક કરીને, હવે વિવેક કરવા એમ કહેવું તે સહેલું છે, પણ તે શી રીતે કરવો એની રીત બતાવવી જોઈએ. તે રીત વેગ બતાવે છે, પણ પ્રકૃતિ અને પુરુષ બે ભિન્ન પદાર્થો છે એવી ખાતરી શી રીતે થાય ? તે તે પદાર્થોના વિશેષ ધર્મા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134