Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 84
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ. ક. ઠારના અપ્રગટ પત્રોમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ માંદગી-ઉપવાસ અંગે જીવનનીચોડ-આ પ્રોગપરાયણ સાક્ષર તેમના એક પત્રમાં લાક્ષણિક ભરૂચી હિંદી ભાષામાં લખે છે : “દુખી જીવન જીનેકા હમારે લિયે પ્રયોજન જ નહી છે. બાસઠ વર્ષ તે જીવન ભેગલીયા. સંસારકા, પ્રતિકાકા, વિદ્યાકા, સાહિત્યકા, મિત્રતાકા, એર ઝધડાકા સબ ભેગ. તમામ સુખદુઃખ અનુભવમેં આ ચુકે. રાજાએ પીછાન લીએ, અ ગ્રેજી, અમલદારે પીછાન લીએ; એગી, મહામ, પાખંડી પીછાને લીએ-પૂજ્ય પવિત્ર સ્ત્રીમાં, વિલાસની લેકીન નિર્દોષ સ્ત્રીમાં, દુષ્ટ શંખણી સ્ત્રીયાં, અનુભવમેં આ ગઈ. હાથી પર બેઠે, હરામખોરાકે ગરદન પર બીઠવાયે, સંસારકી સબકુચ લીલીસૂકી દેખ લી, અબ હમારે જીના રહને કા કવા પ્રયોજન ? ઐસા સેચ કે સત્યાગ્રહ કર દીયા-રોગ ભાઇ હે-શરીરકા શોધન કરકે લીએ આયા હૈ-જહાંતક જીતના શાધન કરેગા ઉતના કાફી હૈ, બસ દવા છોડ દીઆ. અન્ન છેડ દીઆ, * ૨ ૫ અહીં, માંદગી નિમિત્ત કરલ ઉપવાસની વાત રમૂજ ને પિતાની જીવનફિલસૂફીના નિચેડ સાથે કરવામાં આવી છે, આંગ્લ જીવન-સમાજ અને સાહિત્ય: એમના નાના હિત્રને ઈલેંડ અભ્યાસ માટે જવાનું થવાથી ત્યાંના જીવનસાહિત્યને ખ્યાલ તેઓ પત્રો દ્વારા આપતા હતા. એક પત્રમાં તેમણે સલાહ આપતાં લખેલું : “એ સમાજમાં ઉગ્યની તમામ પુરુષે દારૂ પીએ છે અને માફકસર પીવામાં જરાપણ નુકસાન, દેષ ક પાપ ગણતા નથી. એ પીણું હાનપણથી એમને કોઠે પડી ગયું હોય છે એટલે એ છાકટાપણાને નિદે છે અને ધિક્કારે છે. અને એ પીણા ઉપર એટલે કાબૂ રાખ એમને મુશ્કેલ પડતું નથી. જો કે એમનામાં કેટલાક છાકટા પણ થઈ જાય છે. આ એમના રીતરિવાજ અને ખ્યાલ અને નીતિ અને સંયમ ભલે એમને મુબારક-એથી આપણે સૂગાવું નહી-સૂગાઈએ છે એમ જણાવા ય ન દેવું. પરંતુ આપણે જાતે-એ કશાનું એક ટીપું પણ કદાપિ પીવું નહિ...કહી દેવું, અમારા social code આ બાબતમાં strict અને intolerent છે. એક ટીપું જન્મારામાં એક વાર પણું પીએ તેને drunkard ગણે છે. We are total obstainers extremo prohibitionists every one of us in the higher castes in Giujarat.1 અન્ય પત્રમાં એ લખે છે– ઈગ્લેંડ ગયાથી ખેરાકના ફેરફારને લઈને અને નિયમિત જીવનને લઈને, દારૂને નથ અડકતા એવા ધણા હિંદીઓના શરીર સુધરે છે. પણ જેના બાંધા ઠીક હોય તેના જ. કેમકે ત્યાંની weather બહુ uncertain છે. જરા જરામાં શરદી થાય. અને શરદીને અહીં neglect કરીએ છીએ તેમ ત્યાં ન ચાલે–ત્યાં તે એને રોગ ગણીને તકાલ ઉપાય લેવા જ જોઈએ અને કપડાં વગેરેમાં પણ શરદી ના જ થાય એ પ્રથમ સાચવવાનું હોય છે. એક પત્રમાં ત્યાંની ચૂંટણીના વાતાવરણ વિશે લખે છે-“ચૂંટણીનાં તોફાન, કલાહલ, મારામારી, દોડધામ વગેરે....... અત્યંત ઉશ્કેરણી અને રસાકસીના સમયમાં પણ જેન બુલ સુથવસ્થા કેટલી જાળવે છે અને હલકામાં હલકા વર્ગમાં પણ લોકોને સિદ્ધાંત પક્ષ અને ઉમેદવારોના ગુણદોષ માટે અમુક અમુક મત હોય છે જ. તથા તેઓમાં એને વળગી રહીને ૨૫ તા. ૧-૧૧૯૩૪ને પત્ર ૨૬ તા. ૧૬-૮-૧૯૩૧ને પત્ર. ૨૭ તા. ૨૯-૫-૧૯૩૧ ને પત્ર, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134