________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રસેશ જંસીનદાર
સ'પ્રદાયનુ સાહિત્ય-શબ્દની શક્તિ સક્ષમ છે, “ અલૌકિક છે અને ચમત્કારિક પશુ. આથી તે શબ્દને બ્રહ્મ કહ્યો છે. બ્રહ્મા તા સર્જનહાર છે તેમ શબ્દ પણું સર્જકશક્તિ ધરાવે છે. શબ્દ ખેલાયેલા હોય કે લખાયા—છપાયા પછી વ ચાયેલા હોય, વિચારામાં વમળા સર્જીને ધારી અસર ઉપસાવૈં છે. જગતની ઘણીબધી ક્રાન્તિઓના મૂળમાં રહેલાં અનેક કારણેામાં એક કારણૢ શબ્દો દ્વારા વ્યક્ત થયેલા વિચારે છે. અર્થાત્ લખાણા મારફતે પ્રજાચેતનાને સકારી શકાય છે.૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે!! સ્વામીનારાયણથી સુપ્રસિદ્ધ સૌંપ્રદાયનાં મૂલસાહિત્યનું આ દૃષ્ટિએ મૂલ્યાંકન કરીએ. સપ્રદાયના સ્રોતસમા સાહિત્યમાં મુખ્ય છે ‘ વચનામૃતો ' અને ‘ શિક્ષાપત્રી ’. વચનામૃતાની પસંર્દ કરેલી સ ંખ્યા ૨૭૩ છે. સવત ૧૮૭૬થી ૧૮૮૨ દરમ્યાન સ્વામી સહજાન દે ગઢડા (૧૮૪), સફર'ગપુર (૧૮.), કારિયાણી ( ૧૨ ), લાંયા ( ૧૮ ), પાંચાલ ( ૭ ), વડતાલ (૨૦), અમદાવાદ (૮); અસલાલી (૧) અને જેતલપુરમાં (૫). આપેલાં પ્રશ્નોત્તરરૂપ પ્રવચન છે કે તેના સારરૂપ સંચમાયેલી સાહિત્યસમૃદ્ધ છે. આ પ્રવચનેાનું વિષયની દષ્ટિએ વિભાજન આ પ્રમાણે થઇ શકે : સ્વ (૯), · આત્મજ્ઞાન (૧૫), વૈસગ્ય (૨૦), ભક્તિ (૪૦), સ્વરૂપજ્ઞાન (૭૭) અને સર્વ દેશીય સમજણુ (૧૧૩).
આ સૌંપ્રદાયના મૂળભૂત સિદ્ધાન્તાને સમજવામાં આ ‘વચનામૃત ' મહત્ત્વનું સાધન છે. આ વચનામૃતા આપ્તવાય છે. અને ઇતિહાસમાં આપ્તવાયનું મહત્ત્વ સ્વીકારાયેલુ છે. આમ તે સહજાન દે ગુજરાતનાં ઘણુાં ગામેા અને નગરામાં સમયે સમયે ઘણાં પ્રવચન આપેલાં, પણ એમાંથી મહત્ત્વનાં પ્રવચન ઉપયુક્ત નવ સ્થાને ધ્યાનમાં રાખીને સંગૃહીત કર્યાં. છે. આ વાર્તાલાપેા તારીખવાર છે,, અને સાધુએ તથા ભક્તોની સભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરરૂપ આ વિચારે છે. આથી તેના સંગ્રહ વિષય પ્રમાણે નથી પણ નિવારી પ્રમાણે છે. . આ પ્રવચનેાનું સ`પાદન એમના ચાર વરિષ્ઠ શિષ્યા—સર્વશ્રી ગોપાળાનદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી અને નિત્યાનંદ્ સ્વામી—એ કર્યું છે.
:
આ પ્રવંચા ઉપરાંત ૨૧ર ગ્રંથપ્રમાણુ · શિક્ષાપત્રી' નામની સંસ્કૃત રચના છે, આ નાનકડું પુસ્તક ‘સત્સંગીજીવનમ્ ’ નામના વિશાળ ગ્રંથને અંતગત ભાગ છે. • સત્સ*ગીજીવનમ્ 'માં કુલ પાંચ પ્રકરણ અને કુલ ૧૭૬ર૭ લેાક છે, સહજાનંદ સ્વામીની સીધી દેખરેખ હેઠળ એમના ન્નિદાન-સાધુએએ આનું સંકલન કર્યું છે. સહજાનંદે જણાવ્યું છે તેમ આ ગ્રંથમાં ભાગૃવતધર્મના ધાર્મિક આધ્યાત્મિક અને આત્મવિદ્યા સંબંધિત મુદ્દાઓ સમાવિષ્ટ છે. શિક્ષાપત્રી ’માં આ સંપ્રદાયના અનુયાયીઓ માટે ફરજ અને સદ્ગુણ્ણા અંગેનાં વિધિવિધાન છે. . સમાજજીવનનાં મહત્ત્વનાં દરેક કાર્ય વિશેનું નૈતિક અને આધ્યાત્મિક માર્ગ દર્શન સચોટ અને સકન રીતે . ગાગરમાં સાગર 'ની જેમ નિર્દિષ્ટ છે. અર્થાત્ સાધુઓ, બ્રહ્મયારીઓ, ગૃહસ્થીઓ, સ્ત્રીઓ અને સામાન્ય અનુયાયી, જેએ ત્યાગ અને નીતિનું જીવન જીવવા ઈચ્છે છે એમના માટે આચારસંહિતાનું લાધવપૂણું અર્થાત્ સૂત્રાત્મક સંકલન ‘ શિક્ષાપત્રી 'માં છે.
"
૧૦
જુએ જમીનદાર રસેશ, સ્વાધીનતા, સથામમાં ગુજરાત, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૯, પ્રથમ આવૃત્તિ, પ્રકરણ બીજું',
For Private and Personal Use Only