Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિમાનાટકસ્યાસ્ય .............. * ભરતે ધ્યાને સીમાડે પ્રતિમાગુહમાં દશરથની પ્રતિમા જોઈ અને તેને દશરથના મરણની માહિતી મળી ગઇ. આને માટે જવાબદાર તેની માતાને રાજયભ છે અને સાથે પોતે પણ ખૂબ ખૂબ બદનામ થયો છે એવી તેની માનસિક પ્રતીતિ તેને જાણે કે ભાંગી નાખે છે. આ ત્રીજા અંકમાં અત્યંત હૃદયસ્પર્શી અને સ્વયં કવિકલ્પિત પ્રસંગને આધારે નાટકનું શીર્ષક આપવામાં આવ્યું છે. કવિક૯િપત આ પ્રસંગ એ આ નાટકને સૌથી વધુ નાટયાત્મક અને કાવ્યાત્મક અને તેથી ચિત્તાકર્ષક અને હૃદયસ્પર્શી પ્રસંગ છે. ભરત-રામના મિલનને પ્રસંગ એ તે ભાતૃપ્રેમની જાહ્નવી જેવો છે. આ અભૂતપૂર્વ પ્રસંગ અત્યન્ત પ્રસન્નકર છે. એક કુટુંબને મેળા અહીં બની રહે છે. આ ઉપરાંત નાટકના આરંભે અને અને રામ-સીતાના પ્રસન્નમુગ્ધ, રસિક છતાં સ્વસ્થ-સ્થિર આત્મીય પ્રેમનું અનોખું ચિત્રણ જાણે એક અનુપમ અને અવિસ્મરણીય પ્રણયને આર્દશ આપણી સમક્ષ ખડો કરી દે છે. રામના સીતા સાથેના સાદ્યન્ત અદ્વૈત સાથે સર્વ સ્થિતિમાં રામની મુગ્ધકર સ્વસ્થતા અને સ્થિરતા તથા દીર્ધદશિતા એ પણ આ નાટકનું એક અનુપમ તત્ત્વ છે. મૂળના લીધેલા દશરથના મરણ, રામવનવાસ વગેરે પ્રસંગોને પણ જાણે તેની કલાકારની દષ્ટિએ રમ્યતર અને રમ્યતમ બનાવી દીધા છે. મૂળમાં લેખકે ઘણા ફેરફાર કર્યા છે અને પ્રસંગેની કાળજીભરી, ચુસ્ત, સંવાદી પસંદગી કરી છે. સીતાને ઉપાડી જવા ઋષિવેશે આવેલા રાવણનું હૃદય ડંખે છે, તેવું મને વૈજ્ઞાનિક ચરિત્રચિત્રણ પણ મનરમ છે, ખરેખર તે રસની સાચી જમાવટ, કરુણની ઉત્કટ જમાવટ સતત ધ્યાન ખેંચે છે. સહૃદય રસિકજન એવા સામાજિક અને વાચકને એકાગ્ર, મુગ્ધ, વિલિતવેદ્યાન્તર આનંદમાં મગ્ન કરી દે એવું ઘણું બધું આ નાટકમાં છે. આ નાટક જ ભાવપ્રધાન છે અને જે ઘટના અને ભાવને તે સ્પર્શે છે તે નાટકમાં જાણે કે સો ટચનું સેનું બની જાય છે. નાટકનાં તમામ પાત્રોને ચરિત્રચિત્રણમાં ભાસે પૂરો ન્યાય આપ્યો છે, ઘટનાચિત્રણ અને પાત્રાલેખન બંને મોટે ભાગે મનૌવૈજ્ઞાનિક, સૂમ, વ્યંજનાત્મક છે. લેખક દરેક પાત્રના સ્વભાવનાં મને ગત, અન્તર્ગતને આવરી લે છે. રામ, ભરત, સીતા, રાવણ જાણે વિશેષ પ્રભાવશાળી બનીને અહીં રજૂ થાય છે. મૂળ કથા અને તેનાં પાત્રોનું ગૌરવ ઝાંખું પાડ્યા સિવાય ઘણી બધી મૌલિકતા અને કલાત્મકતા સાથે તે ચરિત્રો રજુ કરે છે. લેખકની સંવાદકલા પણ પૂરી ભાવાનુસારી, પાત્રાનુસારી અને તેથી સચોટ છે. ક્યાંય પણ રસક્ષતિ ન થાય તેની લેખકે પૂરી કાળજી રાખી છે. વર્ણને છે, પરંતુ સુંદર અને પ્રભાવ શાળી અને સાથે જરૂરિયાત પૂરતાં જ. ભાષા, અલંકાર વગેરેના પ્રયોગો પણ નિરાડંબર છે. કાવ્ય અને નાટક બંને રીતે આ કૃતિ ઉચ્ચકક્ષાની છે. તુલનાત્મક સિદ્ધિ – આટલી ચર્ચા પછી આપણે આ બે નાટકોની નાટયસિદ્ધિને તુલનાત્મક અભ્યાસ કરીએ, માન્ય વિવેચનના સિદ્ધાન્ત ઉપરાન્ત વિશેષ તે સામાજિક અને વાયકની ચેતનાને થતી રસ અને તજજનિત આનંદાનુભૂતિની સહેજે આપણે તુલના કરીશું અને કથા નાટકને પ્રભાવ આપણી ચેતના પર વધારે ઉત્કટ પડે છે; કયું નાટક તન્મયીભવનની આપણને સવિશેષ અનુભૂતિ કરાવે છે તે આપણે નસ ખાસ જોવાનું રહે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134