Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાચી મુક્તિ એટલે શું?–મશરૂવાળાની દૃષ્ટિ હરસિદ્ધ મ. જોશી* વીસમી સદીના ભારતીય ચિંતનમાં ગુજરાતના મૌલિક અને સમર્થ ચિંતક તરીકે મશરૂવાળાનું નિશ્ચિત સ્થાન છે. અહીં ચિંતન અને મૌલિકતાના સદભ–અથ ભારતીય દા નિક પર પરાની પશ્ચાદ્ભૂમાં સમજવાના છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હેાય. જો તત્ત્વજ્ઞાન અને ચિંતનની લાક્ષણુિકતા ચીલાચાલુ બાબતે અને કહેવાતી વાસ્તવિકતા અને સશય ( Doubt ) કરવાની હ્રાય તા ખરેખર આ પદ્ધતિ અને આદશ મશરૂવાળાએ અપનાવ્યા છે એમ કહી શકાય. તત્ત્વજ્ઞાનની પદાવલી તેમણે પરંપરા દ્વારા સ્વીકારી છે પર ંતુ તેને તાત્ત્વિક સ્વીકારવા યેાગ્ય અથ પોતાની આગવી રીતે સૂચવ્યા છે. ભાષા-અર્થશાસ્ત્રની દૃષ્ટિએ મશરૂવાળાએ નવીન માર્ગ સૂચવ્યા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir . તત્ત્વજ્ઞાન જેવું રૂઢિગત પદ વાપરવાને બદલે તેમણે કોયાથી 'નું પદ વાપર્યું છે. એ માટે * જીવનશે ધન ' મથમાં તેની સાધનસ'પત્તિ'નું આલેખન કર્યું છે. સત્યાગ્રહ, વ્યાકુળતા, પ્રેમ, શિષ્યતા, નિમ સરતા, વૈરાગ્ય, સાવધાનતા અને નિરાગિતા એ શ્રેયાર્થીની સાધનસપત્તિ છે. જેમ બ્રહ્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા અમુક સાધનાની આવશ્યકતા છે તેમ ‘ કોય ’ની સાધના કરવા આ શરતે આવશ્યક છે. આ પરિપ્રેક્ષ્યમાં મશરૂવાળા ‘ મુક્તિ 'ની સાંગોપાંગ વિચારણા કરવા પ્રેરાય છે. તેમના મતાનુસાર તત્ત્વજ્ઞાન કે ચિંતન ધ્રુવળ બૌદ્ધિક વિશ્લેષ્ણુ, ત * વૈચારિક વિષય કે પ્રવૃત્તિ નથી પર`તુ એ જીવનશૈલી, યોગ અને અનુભૂતિના સ`કેત દર્શાવે છે. વિચારકે તેને સમજીને જીવનમાં ક્રિયાન્વિત કરવાનું છે. “ માણસે જિજ્ઞાસુ હાવું જોઈએ, કોયાથી ઢાવું જોઈએ; શુશ્રુત્યુ ( સાધનની અને શુદ્ધિની ઇચ્છાવાળા ) હાવું જોઇએ. એને પરિણામે અને અનેક વહેમા, અજ્ઞાન, અધૂરું જ્ઞાન, અનિશ્ચિતતા-ટૂંકામાં અબુદ્ધિમાંથા મેાક્ષ મળશે.“ જિજ્ઞાસાથી, સત્યશોધન પ્રુદ્ધિથી અને શુદ્ધ થવાની આકાંક્ષાથી એ ચેાથા પુરુષાથ માં પ્રેરાશે ’’ ( પા. ૧૯ ). ‘માક્ષ શબ્દ અને પુરુષાર્થ અંગે મશરૂવાળાને ઠીકઠીક કહેવાનું છે. ભારતીય પર પરામાં કેટલીક ગેરસમજૂતી થઈ છે તેથી જ્યાં સુધી તેનું યોગ્ય વિવરણુ ન થવા પામે ત્યાં સુધી તે શબ્દને ચીલાચાલુ કે પર પરાગત રીતે વાપરવા તે યોગ્ય નથી. “ ચેાથા પુરુષાર્થ ની ‘સ્વાધ્યાય', પુ, ૩૦, અંક ૧-૨, દીપેાત્સવી-વસંતપ ́ચમી અક, ઑક્ટાબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૬૧-૬૮. " તત્ત્વજ્ઞાન વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વાદરા. + તા. ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી, ૧૯૯૨માં ભદ્રેશ્વર (કચ્છ) મુકામે ચાયેલ ૧૧મા ગુજરાત તત્ત્વજ્ઞાન અધિવેશનમાં વ"ચાયેલ લેખ, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134